________________
રાજહૃદય ભાગ-૧૩ શ્વાસ બચ્ય એટલું એનું આયુષ્ય વધે કે ન વધે ? એવી એક માન્યતા છે. એટલા શ્વાસોશ્વાસથી માણસ પવન રોકી શકે એટલું આયુષ્ય વધી જાય. એ ખોટી વાત છે.
મુમુક્ષુ -... પૂજ્ય ભાઈશ્રી :- એટલે? મુમુક્ષુ:- ...
પૂજ્ય ભાઈશ્રી :- પૂરા કરવા પડ્યા ? પહેલા તો એક વાત છે કે પરમાણુની પર્યાયને કોઈ કાંઈ કરી શકે, શ્વાસોશ્વાસ વધારી શકે, શ્વાસોશ્વાસ ઘટાડી શકે, પવન પણ પરમાણુની પર્યાય છે, એને આત્મા સ્પર્શી શકે, એમાં આત્મા વધ-ઘટ કરી શકે એ કોઈ આત્માથી બની શકતું નથી. જિનેન્દ્ર પણ એમાં ફેરફાર કરી શકતા નથી. એટલે બે પદાર્થની ભિન્નતા જે જાણતા નથી એ બધા એવા ગપ્પા મારી દે છે. બે પદાર્થની ભિન્નતા છે. સંસારી આત્મા કે જિનેન્દ્રનો આત્મા હોય, કોઈ આત્મા એક શ્વાસને, એક શબ્દને, એક પરમાણને કોઈને કાંઈ કરી શકે એ વસ્તુસ્થિતિ નથી. પરમાણનું કાર્ય કરવા માટે આત્મા અયોગ્ય છે, લ્યો ! અશક્ય છે. એટલે આમ કરવું પડ્યું, તેમ કરવું પડ્યું એ બધી વાતો ગપગપ્પામાં છે.
મુમુક્ષુ :--
પૂજ્ય ભાઈશ્રી – એ બધી ગપગપા ઘણા આવે છે. વાણી ઉપર ભગવાનનું કોઈ લક્ષ નથી. ભગવાનનું વાણી ઉપર લક્ષ નથી. એ તો પોતે આત્મામાં ડૂબેલા છે. સર્વાશે એમના પરિણામ આત્મામાં લાગેલા છે, આત્મામાં ડૂબેલા છે. વાણી તો સ્વયં નીકળે છે ને સ્વયં બંધ થાય છે, સ્વયં નીકળે છે ને બંધ થાય છે. વળી શબ્દાત્મક વાણી પણ નીકળતી નથી. એમની વાણી ઢંકાર નાદ છે. એ ઉઠેકાર નીકળે છે. અનક્ષરી વાણી નીકળે છે. અક્ષરાત્મક વાણી જે છઘસ્થમાં મનુષ્ય બોલે એવી વાણી ભગવાનને હોતી નથી, એવી રીતે એ વાતચીત કરતા નથી.
ભગવાન ગંધકુટી ઉપર પાંચસો ધનુષ ઊંચે બિરાજે છે. સમવસરણમાં જે મધ્યમાં ગંધકુટી છે એના ઉપર, પાંચસો ધનુષ ઊંચી એ ગંધકુટી હોય છે, એના ઉપર પોતે બિરાજમાન હોય છે. અને ધર્મસભા છે એ પાંચસો ધનુષ નીચેથી એનું Ground શરૂ થાય છે. આમ તો જમીનથી પાંચસો ધનુષ ઊંચે સમવસરણ રચાય છે. એટલે ત્યાં Tractor લાવીને જમીન સરખી કરવી પડતી નથી. એક (વાત). એ સિવાય એ સમવસરણનું ધર્મસભાનું જે બેસવાનુ Level હોય છે, એનાથી પાંચસો ધનુષ ઊંચે ભગવાન બિરાજમાન હોય છે. એ જમીનથી તો એક હજાર ધનુષ ઊંચે