________________
૧૦૪
રાજહંય ભાગ-૧૩
પત્રાંક-૬૫ર
મુંબઈ, કારતક સુદ ૩, સોમ, ૧૯૫૨ શ્રી વેદાંતે નિરૂપણ કરેલા એવાં મુમુક્ષુ જીવનાં લક્ષણ તથા શ્રી જિને નિરૂપણ કરેલાં એવાં સમ્યગ્દષ્ટિ જીવનાં લક્ષણ સાંભળવા યોગ્ય છે; (તથા રૂપ યોગ ન હોય તો વાંચવા યોગ્ય છે) વિશેષપણે મનન કરવા યોગ્ય છે; આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે. પોતાનું ક્ષયોપશમબળ ઓછું જાણીને અહેમમતાદિનો પરાભવ થવાને નિત્ય પોતાનું ન્યૂનપણું દેખવું; વિશેષ સંગ પ્રસંગ સંક્ષેપવા યોગ્ય છે. એ જ વિનંતિ.
૬પર મો “લલ્લુજી ઉપરનો પત્ર છે. શ્રી વેદાંતે નિરૂપણ કરેલા એવાં મુમક્ષ જીવનાં લક્ષણ તથા શ્રી જિને નિરૂપણ કરેલાં એવા સમ્યગ્દષ્ટિ જીવનાં લક્ષણ સાંભળવા યોગ્ય છે; (તથારૂપ યોગ ન હોય તો વાંચવા યોગ્ય છે) વિશેષપણે મનન કરવા યોગ્ય છે; આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે. મુમુક્ષુના લક્ષણ વેદાંતમાં કહ્યા છે. આ યોગવાશિષ્ઠ . એમાં પ્રકરણ છે. વૈરાગ્ય પ્રકરણ, ઉપશમ પ્રકરણ, મુમુક્ષતાનું પ્રકરણ. એ વાંચવા જેવા છે. અને જિનાગમમાં જે સમ્યગ્દષ્ટિ પુરુષોના લક્ષણ કહ્યા છે એ પણ વાંચવા અને સાંભળવા યોગ્ય છે. સાંભળવા યોગ્ય છે એમાં પ્રત્યક્ષ જ્ઞાનીથી સાંભળવા યોગ્ય છે. તેવો યોગ ન હોય તો તે ગ્રંથમાંથી વાંચવા યોગ્ય છે.
વિશેષપણે મનન કરવા યોગ્ય છે. એટલે ઉપર ઉપરથી નહિ પણ પોતાના ભાવનો આવિર્ભાવ થાય તે પ્રકારે વિશેષપણે મનન કરવા યોગ્ય છે. અને આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે. એટલે એવા મુમુક્ષ અથવા પાત્રતા થવા યોગ્ય છે. વાંચવું કે શ્રવણ કરવું એનો હેતુ એવું પરિણામીપણું-એવું પરિણમન આવવું. એ હેતુથી તે શ્રવણ અને વાંચન કરવા યોગ્ય છે. એનું ફળ પણ આત્મામાં આવે એટલે પાત્રતા થાય એ થવા યોગ્ય છે. ખાલી વાંચવું, સાંભળવું ન લેવું, ખાલી મનન ન લેવું. પણ પરિણામી કરવું. આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે. કેમકે પાત્રતા વિના, યોગ્યતા વિના એ જ્ઞાનપ્રાપ્તિ નહિ થાય.
પોતાનું ક્ષયોપશમબળ ઓછું જાણીને...” એટલે એવું કાર્ય કરવા, પરિણામી