________________
૧૦૮
રાજહૃદય ભાગ-૧૩ પૂજ્ય ભાઈશ્રી – બહારમાં નથી દેખાતું પણ અંતરમાં ઘણો વૈરાગ્ય છે. બહારમાં જે પુણ્યના યોગ છે, સંયોગના બધા પદાર્થો છે એને લઈને કોઈને એવું લાગે કે આમાં વૈરાગ્ય કેવી રીતે હોય ? કેમકે કપડા એવા પહેરે, દાગીના એવા પહેરે, ખાણી-પીણી પણ એવી હોય. પણ એ અંદરમાં ભિન્ન પડી ગયા છે અને તેથી બિલકુલ નિરસ છે એ વાત એનું અંતરંગ તપાસ્યા વિના, સમ્યગ્દષ્ટિના અંતર પરિણતિએ પહોંચ્યા વિના એમની ઓળખાણ થતી નથી. એટલે ત્યાં માત્ર બાહ્યદૃષ્ટિએ જોવે તો જોનાર ભૂલો પડે છે. પણ બીજા કોઈ જીવે-મુમુક્ષજીવે એવા સમ્યગ્દષ્ટિના દૃષ્ટાંતે આધાર લેવો કે આલંબન લેવું તે યોગ્ય નથી. જુઓ ! સમ્યગ્દષ્ટિને આટલો વૈભવ છે. આપણે ક્યાં એટલો વૈભવ છે ? આપણે તો એનાથી ઓછો પરિગ્રહ છે. પણ સમ્યગ્દષ્ટિને મમતા નથી અને તને એથી અનંતગણી મમતા છે. એનું શું ? સંયોગનું માપ લે છે પણ મમતાના માપ શું ? પરિણામનું શું છે ? બાહ્યદૃષ્ટિમાં પરિણામનો વિચાર નથી હોતો, માત્ર સંયોગોનો જ વિચાર થાય છે. એ ભૂલ છે.
મુમુક્ષ:- અંતરંગ પરિણતિ જાણ્યા વિના
પૂજ્ય ભાઈશ્રી – હા. બને એવું. એના બાહ્ય પરિણમનનું લક્ષણ દેખાય નહિ. આમ તો શું છે કે નજર હોય તો દેખાય છે. દેખાવું, નહિ દેખાવું એ દેખનારા ઉપર આધારિત છે. નજર હોય તો દેખાય જ છે એને. એ જાતની નજર ન હોય તો નથી દેખાતું દેખનારા ઉપર આધારિત છે.
મુમુક્ષુ -... પૂજ્ય ભાઈશ્રી – અવધિનું (જ્ઞાન) નથી. મતિ-શ્રુત છે. અવધિ બધાને હોય એવું નથી. તીર્થકરને હોય છે. તીર્થકરને જન્મથી ત્રણ જ્ઞાન હોય છે. ચક્રવર્તીને એવું નથી હોતું કે ત્રણ જ્ઞાન હોય જ. એવો કોઈ નિયમ હોય એવું લાગતું નથી. પણ એનો કાંઈ મતલબ નથી આપણે. કોઈને બે જ્ઞાન હોય, કોઈને ત્રણ જ્ઞાન હોય એથી આપણને તો કાંઈ એનું પ્રયોજન નથી).
મુમુક્ષુ :- ... પૂજ્ય ભાઈશ્રી :- ત્રણ જ્ઞાનની વાત છે. તીર્થકરને... મુમુક્ષુ :- સમ્યગ્દષ્ટિ જીવના લક્ષણ
પૂજ્ય ભાઈશ્રી – એમની જે અંતર પરિણતિ છે એને ઓળખવી જોઈએ. તો સમ્યગ્દષ્ટિપણે ઓળખાય છે. બાહ્ય પરિણામ અને બાહ્ય ચેષ્ટા બહુભાગ