________________
૧૧૪
રાજહૃદય ભાગ-૧૩ વિચાર થયો હતો. આજે તમારું લખેલું બીજું પત્ર મળ્યું છે. એમણે એક પત્રનો હજી ઉત્તર નથી આપ્યો ત્યાં બીજો પત્ર પણ એમનો મળ્યો છે. પહોંચ લખવાની સાથે સાથે મુમુક્ષની ભૂમિકાની દોઢ લીટી આની અંદર નાખે છે.
અંતર્લક્ષવતુ હાલ જે વૃત્તિ વર્તતી દેખાય છે તે ઉપકારી છે” છે? કે મુમુક્ષજીવો પણ એમને પોતાના અંતરંગ પરિણામોનું નિવેદન કરે છે. પોતાના દોષોનું પણ નિવેદન કરે છે અને એ સિવાયના પોતાના અંતર્લક્ષના પરિણામ થયા હોય તો એનું પણ નિવેદન કરે છે. અને એ વાતને કહીને, બતાવીને પોતે એના ઉપર પોતાનું માર્ગદર્શન પણ માંગે છે કે, આવી અમારી સ્થિતિ વર્તી રહી છે. તો પછી અમારે આગળ વધવા માટે કેવી રીતે કાર્ય કરવું જોઈએ? કેવી રીતે અમારી કામ કરવાની પદ્ધતિ હોવી જોઈએ ? એ વગેરે માર્ગદર્શન મેળવવા માટે જે કાંઈ વાતો લખે છે એ આમાંથી નીકળે છે.
અંતર્લક્ષવતુ હાલ જે વૃત્તિ વર્તતી દેખાય છે તે ઉપકારી છે, અને તે તે વૃત્તિ ક્રમે કરી પરમાર્થના યથાર્થપણામાં વિશેષ ઉપકારભૂત થાય છે. એટલે એમની વૃત્તિ ઉપર અભિપ્રાય આપી દીધો કે “અંતર્લક્ષવતુ હાલ જે વૃત્તિ વર્તતી દેખાય છે, તે અવશ્ય ઉપકારી છે. અને તે તે વૃત્તિ ક્રમે કરી.” એટલે અંતર્લક્ષવતુ જે કોઈ વૃત્તિ થાય છે, હજી અંતર્લક્ષ થયું નથી પણ એ વતુ-એના જેવી જે કાંઈ તમારી વૃત્તિ થાય છે એ વૃત્તિ તમારી ભૂમિકામાં લાભનું કારણ છે. ઉપકારી છે એટલે લાભનું કારણ છે. એવી “અંબાલાલભાઈની યોગ્યતા છે એ પણ આમાંથી સ્પષ્ટ થાય છે.
એક તો “અંબાલાલભાઈ પોતાના પરિણામનો વિષય નિવેદન કરતા હતા. પોતાના પત્રોમાં દર્શાવતા હતા એ વાત પણ નીકળે છે અને એના ઉપર શ્રીમદ્જી'નો અભિપ્રાય પણ વ્યક્ત થયો છે એ પણ આની અંદર સ્પષ્ટ થાય છે. એ પત્ર દ્વારા સત્સંગ છે. એ પોતાના પરિણામોને દર્શાવે છે.
મુમુક્ષુ:પૂજ્ય ભાઈશ્રી – ‘સોભાગભાઈને નથી, “અંબાલાલભાઈનો છે.
આપણે ત્યાં સામાન્ય રીતે સત્સંગનો પ્રસંગ છે પણ એમાં તત્ત્વચર્ચા, શાસ્ત્રના વિષયોના પ્રશ્નો, શાસ્ત્રચર્ચા એ બધું ચાલે છે. પરિણામોની ચર્ચા ગુરુદેવ પાસે જઈને કરતા હોય એવા મુમુક્ષુ કેટલા નીકળ્યા હશે ? કે મારા આવા પરિણામ થાય છે... મારા આવા પરિણામ થાય છે. મને એમાંથી માર્ગદર્શન કાંઈક મળે એવું કાંઈ બતાવો. મારી આવી યોગ્યતા છે. મારી આવી યોગ્યતા છે. એવી