________________
પત્રાંક-૬૪૯
૯૫ ત્યાગ છે એ ત્યાગમાં તમે સમાજનો સંગ કરશો નહિ. એમની પાસે આવે છે એ તો ધર્મબુદ્ધિએ આવનારા જીવો છે. તોપણ અનેક માણસો જ્યારે પરિચયમાં આવે છે ત્યારે એ બધા માણસો આ કાળની અંદર ધર્મબુદ્ધિવાળા હોય એવું કાંઈ નથી.
જ્યાં માણસોની સંખ્યા ધર્મના ક્ષેત્રમાં પણ વધી જાય છે, એટલે સંપ્રદાય જ્યાં હોય છે ત્યાં કોઈ કોઈ જીવો ધર્મને પાત્ર હોય છે. બધા જીવો કાંઈ ધર્મને પાત્ર નથી હોતા. તો એમાં પણ સંગનો વિવેક કરવો કે આત્મહેતુભૂત સંગ હોય એટલો સંગ કરવો. બાકીનાનો સંગ ન કરવો). થઈ જાય સાધુ, કુટુંબ છોડે. એક કુટુંબ છોડે અને સેંકડો કુટુંબ સાથે સંબંધ રાખી લ્ય. આ ગામમાં અમે આટલાને ઓળખીએ, આ ગામમાં આટલા અમારાવાળા છે, આ ગામમાં આટલા અમારાવાળા છે, આ ગામમાં આટલા અમારાવાળા છે. એ બધું નવો સંસાર માંડવા જેવી વાત છે. એક સંસારનું ઘર બંધ કરીને બીજું સંસારનું ઘર ખોલ્યું. એક ભવમાંથી બીજા ભવમાં જાય છે એના જેવી વાત થઈ.
મુમુક્ષુ:--
પૂજ્ય ભાઈશ્રી - એ તો પછી તો શું છે કે એને અનુકૂળ કોણ રહે છે, એને માન કોણ આપે છે. એને અનુકુળ કોણ રહે છે. અને એના પ્રત્યે એને લાગણી રહે છે. એ સંસારીજીવ જેવી રીતે રાગ-દ્વેષ કરે છે એવી જ રીતે એને રાગ-દ્વેષ થાય છે. ગુણસ્થાન તો હજી પહેલું જ છે. ભલે બાહ્ય ત્યાગ કર્યો છે પણ ગુણસ્થાન તો પહેલું જ છે.
મુમુક્ષુ :-
પૂજ્ય ભાઈશ્રી :- પ્રયોજન તો સુખનું છે. સમજણ કે વગર સમજણથી પ્રયોજન તો સુખનું છે.
આમાં પ્રશ્ન શું છે કે દ્રવ્યસંયમ છે એ ઉપદેશ્યો છે પણ સહેતુકપણે ઉપદેશ્યો છે, એમ લખ્યું. “શ્રી જિને ઉપદેશ્ય છે.' તો જિનેન્દ્ર ભગવાને જે દ્રવ્યસંયમ ઉપદેશ્યો છે એની પાછળ હેતુ એ છે કે તું સંગ છોડીને આત્મહેતુભૂત સંગ, બીજો સંગ છોડીને, અસત્સંગ છોડીને, આત્મહેતુભૂત સંગ કર. તો તારી નિવૃત્તિ ... નહિતર તે દ્રવ્યસંયમ લઈને સંસારના કાર્યો કરવા) યોગ્ય નથી. આ પ્રશ્ન જરા થાય છે. કેમકે ત્યાગ કરે એટલે દેખાવ બદલે. પોતે એમ માને છે કે મારામાં ગુણ કેટલા પ્રગટ્યા ? ભલે મેં ત્યાગ કર્યો. પણ ગુણ પ્રગટ્યા છે કે નહિ ? તો મારો ત્યાગ. કોઈપણ મૂલ્ય આંકે છે એ ઠીક કહેવાય. નહિતર એ બરાબર નથી. ગુણ ન