________________
૯૬
રાજહૃદય ભાગ-૧૩
પ્રગટ્યા હોય તો એ ત્યાગ બરાબર નથી. એવું જ જ્ઞાનમાં છે. જ્ઞાન ગમે તેટલું હોય પણ ગુણ ન પ્રગટ્યા હોય તો એ જ્ઞાન ગુણ પ્રગટવા માટેનું છે, (જો) ગુણ ન પ્રગટ્યા હોય તો એ જ્ઞાન નથી, ત્યાગ તે ત્યાગ નથી.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :– એ તો બહુ આત્માર્થે નીકળેલા હતા.
=
...
મુમુક્ષુ
પૂજ્ય ભાઈશ્રી :- એ તો મુનિપણામાં રહ્યા. પોતાનું સમજેલું, માનેલું. અને ત્યારપછી ફેરફાર કરીને રહ્યા, તોપણ એમણે ક્યાંય લગવાડ રાખ્યો નથી. સગાસંબંધી સાથે તો નહિ પણ મુમુક્ષુઓ સાથે પણ નહિ. કાંઈક એમને થોડો ઘણો ભાવ આવે તો પાત્રજીવ પ્રત્યે આવે છે. જ્ઞાનીપુરુષને, સત્પુરુષને કાંઈક થોડો રાગભાવ જેને કહીએ તો એને પાત્રજીવ પ્રત્યે થોડી લાગણી થાય છે. આ જીવ આત્મહિત કરે એવી એની યોગ્યતા દેખાય છે, એવી પાત્રતા દેખાય છે. એના પ્રત્યે એમને વિશેષ કરુણાદૃષ્ટિ રહે, વિશેષ કૃપાદૃષ્ટિ રહે છે. બાકી કોઈની સાથે લેવા કે દેવા. કાંઈ નહિ.
...
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :– કાંઈ નહિ. લગવાડ જ ન હોય ને. એ વિશેષતા... મુમુક્ષુ :- .
...
પૂજ્ય ભાઈશ્રી :- હોય, પાત્ર જીવ હોય.
સુખ અને આનંદ એ સર્વ પ્રાણી, સર્વ જીવ, સર્વ સત્ત્વ અને સર્વ જંતુને નિરંતર પ્રિય છે,...' જેટલા હયાતી ધરાવનારા જીવો છે, સત્ત્વ એટલે ... ‘સર્વ પ્રાણી, સર્વ જીવ, સર્વ સત્ત્વ અને સર્વ જંતુ...' જંતુ માત્રને સુખ અને આનંદ નિરંતર પ્રિય છે, છતાં દુઃખ...’ ભોગવે છે. આનંદ તો નથી ભોગવતા પણ દુ:ખ ભોગવે છે. અને માનેલો આનંદ, કૃત્રિમ આનંદ. જે આનંદ છે એ અહીંયાં કૃત્રિમ આનંદ ભોગવે છે. એનું શું કારણ હોવું જોઈએ ? ખરેખર તો એને સુખ અને નિરાકુળ આનંદ પ્રિય છે. છતાં દુઃખ અને આકુળતામય આનંદ ભોગવે છે એનું કારણ શું હોવું જોઈએ ? એટલું અપેક્ષિત લેવું અહીં. અથવા પરમાર્થે લઈએ તો એકાંતે દુઃખને ભોગવે છે. એનું શું કા૨ણ હોવું જોઈએ ? આ વિચાર કરવો જોઈએ.
અજ્ઞાન અને તે વડે જિંદગીનો હીન ઉપયોગ.’ આ એનો ઉત્તર છે. શા કા૨ણે તે દુઃખ ભોગવે છે ? કે સુખ સંબંધીનું અજ્ઞાન, આનંદ સંબંધીનું અજ્ઞાન. અજ્ઞાન અને તે વડે જિંદગીનો હીન ઉપયોગ.’ સમયનો જે હીન ઉપયોગ કરે છે
...