________________
રાજય ભાગ-૧૩
લખશો. એ જ વિનંતિ. લિ. રાયચંદના પ્રણામ વાંચશો.”
- કોઈ વાતને આડી લઈ લે છે, અસરળપણે લઈ લે છે એનું શું કારણ છે ? અસરળ પ્રકૃતિવાળા જીવો હોય ને ? વક્રતા પરિણામવાળા. તો વાત સીધી હોય અને લે આડી. એમ કેમ બને છે ? કે એના જ્ઞાનમાં એ પ્રકારની મલિનતા છે. બુદ્ધિ મલિન છે, મતિ મલિન છે. તો એને વાત સીધી હોય એ પણ સીધી દેખાતી નથી. એવી રીતે જ્ઞાની પુરુષોના જે વચનો છે એ સરળપરિણામી જીવો માટે અથવા ચિત્તશુદ્ધિવાળા જીવો માટે એ વચનો વધારે હિતકારક અને ઉપકારી થઈ શકે છે. એવી સ્થિતિ ન હોય તો એ વચનોનો યથાયોગ્ય વિચાર થતો નથી. અથવા જે કાંઈ જ્ઞાનીપુરુષ કહેવા ધારે છે, એ જે કહેવા ધારે છે એ વાત સમજવામાં નથી આવતી. કાંઈક જીવ પોતાની મતિકલ્પનાથી બીજું બીજું એમાંથી વિચારી લે છે. અને એ રીતે એનું એ સંબંધીનું વાંચન છે એનું કોઈ યથાયોગ્ય ફળ પણ આવતું નથી. એ માર્ગદર્શન આપ્યું છે. જ્ઞાની પુરુષોના વચનોનું અધ્યયન કરવું, પરિચર્યન કરવું તો ચિત્તશુદ્ધિમાં આવીને કરવા યોગ્ય છે. એમનેમ કરવાથી કોઈ લાભ થવાનો નથી.
એ પ્રશ્ન અવય થાય કે ચિત્તશુદ્ધિ કેવી રીતે કરવી ? અત્યાર સુધી અનંત કાળ તો અમારો સંસારમાં, સંસાર પાછળ ગયો છે એટલે સ્વભાવિક રીતે ચિત્તશુદ્ધિ ન હોય તો શું કરવું ? હવે ચિત્તશુદ્ધ કહો, પાત્રતા કહો. એ પાત્રતાનું બીજું નામ છે. એ વાત સ્પષ્ટ છે કે પાત્રતા ક્યારે આવે છે કે જીવને પોતાનું હિત કરવાનો વિચાર આવે છે, અભિપ્રાય થાય છે કે મારે મારું આત્મકલ્યાણ કરવું છે. જીવનની અંદર આ મારે કરી લેવા જેવું છે અને મારે મારી શક્તિનો ઉપયોગ મારા કલ્યાણ અર્થે કરવો જોઈએ. જ્યારે જીવ એવા અભિપ્રાયમાં આવીને પ્રવૃત્તિ કરે છે ત્યારે એને એ મલિનતા છે એનો અભાવ થાય છે, ચિત્તમાં શુદ્ધિ પ્રગટ થાય છે.
મુમુક્ષુ :- સરળતાનો.
પૂજ્ય ભાઈશ્રી - સરળતા એટલે કે જે જેમ છે તેમ ગ્રહણ કરવું. અન્યથા ગ્રહણ ન કરવું. કોઈ પૂર્વગ્રહને લઈને અથવા અસરળતાને લઈને બીજી રીતે ગ્રહણ ન થાય એવી રીતે દરેક વાત જોવી જોઈએ. સરળ એટલે સરળ.
મુમુક્ષુ - સરળતાના ફળમાં મનુષ્યપણું રહે, પછી...
પૂજ્ય ભાઈશ્રી – પછી મનુષ્યપણું ખોઈને પાછો તિર્યચપણામાં ચાલ્યો જશે. સરળપણાના પરિણામથી મનુષ્યપણું પ્રાપ્ત થયું છે. મનુષ્યની પર્યાય થયા પછી એ જ સરળતાનો વિકાસ કરવામાં આવે તો જીવને અવશય સમ્યગ્દર્શન આદિ ધર્મની