________________
६४
રાજહૃદય ભાગ-૧૩ કયાં રહેવું જોઈએ અને મારે ક્યાં ન રહેવું જોઈએ? ઉપયોગ કયાં લઈ જવો જોઈએ અને ઉપયોગ કયાં ન લઈ જવો જોઈએ ? એનો વિવેક કરવો ઘટે છે.
મુમુક્ષુ-...
પૂજ્ય ભાઈશ્રી - આ તો ત્રણે કાળે મહત્ત્વપૂર્ણ વિષય છે. આ કાળમાં તો વિશેષે કરીને છે પણ ત્રણે કાળે આનું મહત્ત્વ એટલું જ છે. એ બહુ સૈદ્ધાંતિક વિષય છે.
મુમુક્ષુ - ...
પૂજ્ય ભાઈશ્રી:- હા. એ પછી. આ વિષય ઉપર એ વિષયનું મૂલ્ય સમજાયું નથી, એ વિષયનો લાભ પણ સમજાયો નથી એટલે અણસમજણથી પ્રવર્તે છે).
મુમુક્ષુ -
પૂજ્ય ભાઈશ્રી :- હા. એ તો એમના જીવનમાં અંતરમાં આત્મા અને બહારમાં “ગુરુદેવ' સિવાય બીજું કાંઈ નહિ કોઈ વાત જ રાખી નહોતી. પછી તો સારી રીતે ત્યાં સમિતિમાં સ્થિર થઈ ગયા હતા. . એ પહેલા એમના જે ... ના પત્રો છે એમાં જ આ વાતનું ... આવ્યો છે. મને એવા પ્રસંગમાં મારું એમાં કામ નથી. . જે રીતે પતતું હોય એ રીતે પતાવો. મારો આગ્રહ તમે નહિ રાખો. કેમકે એ તો એક જુદી દુનિયામાં વસે છે. અંદરનું જે આત્મામય વાતાવરણ છે, એ દુનિયા જુદી છે. બહારની દુનિયા જુદી છે. બેને મેળ પડે એવું છે નહિ. એટલે જે પહેલેથી ત્યાગી જેવા જીવનમાં આવી ગયા, એને પછી ક્યાંય ભળવું ફાવે નહિ. જે પ્રારબ્ધયોગે વચમાં રહી ગયા એ ઉદાસીન ભાવે ગમે તેમ કરીને પ્રસંગ નિભાવે છે. એ નિભાવવો પડે છે એટલે નિભાવે છે. પાનો પડ્યો છે એ નિભાવી લે છે. છૂટી ગયા એને તો કોઈ રીતે ફાવે નહિ. - સદ્દગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં, જાણવાને પ્રતિબંધક અસત્સંગ,” શું છે ? એવો જાણવા માટેનો જ્ઞાનમાં પ્રતિબંધ ઊભો થાય છે. જ્ઞાનમાં એક આડશ ઊભી થાય છે, આવરણ ઊભું થાય છે. એ આવરણ કર્યું છે ? કે પોતાની રુચિ અસત્સંગ પ્રત્યે જાય છે. જે જીવોનો સંગ કરવો ન જોઈએ તેવા જીવોનો જીવ સંગ કરવા જાય છે. તો એને પરમાર્થ સમજાતો નથી. પરમાર્થ સમજવામાં એને આવરણ ઊભું થાય છે. એક તો એનો એ અસત્સંગ છે.
બીજો સ્વચ્છંદ) છે. સ્વચ્છેદ એટલે પોતે બધા નિર્ણય લઈ લે છે. મુમુક્ષુની ભૂમિકા તો જિજ્ઞાસામાં ઊભું રહેવાની છે. જ્યાં સુધી પરમાર્થનું ગ્રહણ ન થયું હોય