________________
પત્રાંક-૬૫૧ રહસ્ય જ આ છે. બધું સમજ્યો પણ આ વાત ન સમજી શક્યો. સમજવામાં તો બુદ્ધિ હતી એટલે ઘણું સમજ્યો. પણ આ એક વાત ન સમજી શક્યો કે મારે સપુરુષની, સદ્દગુરુની આજ્ઞામાં રહેવું જોઈએ. બહુ સરસ ખુલાસો કરે છે. પત્રાંક) ૬૪૭માં એ લીધું છે. ૪૮૬ પાને વાત છે. કેમ એમાં તકલીફ ક્યાંથી થઈ ? કેવી રીતે થઈ ?
અગમ અગોચર નિવણમાર્ગ છે... કેવો નિર્વાણમાર્ગ છે? મોક્ષનો માર્ગ છે એ તો અગમ અગોચર છે. ક્યારેય અનંત કાળમાં પોતે જાણ્યો નથી, સમજ્યો નથી, એ દિશા એણે જોઈ નથી. “એમાં સંશય નથી.” શંકા કરવા જેવી વાત નથી. અનંત કાળ કાઢ્યો છે એ બતાવે છે કે અગમ અગોચર નિવણમાર્ગ છે. પોતાની શક્તિ એટલે પોતાની મેળે. જુઓ ! પોતાના ડહાપણથી, પોતાની મેળે. સદ્દગુરુના આશ્રય વિના, તે માર્ગ શોધવો અશક્ય છે; એમ વારંવાર દેખાય છે...” આ પોતે પોતાના ઘણા ભવના અનુભવનો જાતિસ્મરણથી વિચારીને નિચોડ કાઢીને આ વાત મૂકી છે. એમણે પરિશ્રમ બહુ કર્યો છે. નિવણમાર્ગ પામવા માટે એમણે બહુ પરિશ્રમ કર્યો છે. અને પછી કોઈ સદ્દગુરુ મળતા જેમ ચપટી વગાડે અને કોયડો ઉકલી જાય એવી રીતે અંતર્મુખ થવાનો માર્ગ એમને સાંપડ્યો છે. એટલે એમ કહે છે કે “સગુરુના આશ્રય વિના, તે માર્ગ શોધવો...” તે અસંભવ છે એમ ન લખ્યું. “અશકય છે;”” શક્ય જ નથી. શંકા કરીશ નહિ. “એમ વારંવાર દેખાય છે...” ફરી ફરીને અમને એ વાત દેખાય છે.
એટલું જ નહીં, પણ શ્રી સદ્ગશ્ચરણના આશ્રયે કરી બોલબીજની પ્રાપ્તિ થઈ હોય...” જ્ઞાનપ્રાપ્તિ થઈ હોય એવા પુરુષને પણ સદ્દગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. હજી તો જેને જ્ઞાનપ્રાપ્તિ થઈ નથી પણ જેને બોધબીજની પ્રાપ્તિ થઈ હોય ને ? એને પણ સદ્દગુરુનો આશ્રય કર્તવ્ય છે. આ “mતના પ્રસંગ જોતાં એમ જણાય છે કે, તેવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોધ સ્થિર રહેવો વિકટ છે.’ ટકી શકીશ નહિ, એમ કહે છે. તારી જ્યાં પરાલંબનની વૃત્તિ છે, હજી સ્વરૂપમાં નિરંતર સ્થિર રહી શકતો નથી, ચોથે ગુણસ્થાને આવે તો પા (O) Secondમાં તો બહાર નીકળી જાય છે. પા Second થઈ, ન થઈ ત્યાં તો સીધો બહાર ફેંકાય જાય છે. નીકળવું નથી. ઠર્યો ત્યારે એને નીકળવું નથી. પણ સીધો ફેંકાઈને બહાર આવે છે. આવી જ્યાં કુદરતી પરિસ્થિતિ, અનિવાર્ય પરિસ્થિતિ છે ત્યારે એને બહાર નીકળીને વિવેક કરવો ઘટે છે કે મારે