________________
રાજહૃદય ભાગ-૧૩ સપુરુષને શોધ, બીજું કાંઈ શોધ મા. પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ
જે. જા, હું તારો જામીન થાવ છું. તારી મોક્ષપર્યાયનો હું જામીન થાવ છું. એમ કહે છે. તને ન મળે એ વાત રહેતી નથી. કેટલો માર્ગ સહેલો કરી દીધો ! એક સપુરુષને શોધીને, ઓળખીને એના ચરણમાં રહે. ઉપદેશ તો તને દેશે. પણ નહિ ઉપદેશ દે તોપણ તને એમાંથી આત્મજ્ઞાન થાય એવો બોધ મળશે. એવી તો એમની મુદ્રા અને ચર્ચા હોય છે. એ વાત નિઃસંદેહ છે. એ સમજીને સમાય જ.
અનંત જ્ઞાની પુરુષે અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતો....” શું કહે છે ? બધા જ જ્ઞાનીપુરુષોએ પાછો આ જ માર્ગ ઉપામ્યો છે. એવું નથી કે કોઈ જ્ઞાનીને બીજી રીતે માર્ગ મળી ગયો હોય. એવું કોઈ દિવસ કોઈને બન્યું નથી. “અનંત જ્ઞાનીપુરુષે અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતો.... એનું ધ્યાન ખેંચાતુ નથી, એમ કહે છે. આટલી વાત પોકારી પોકારીને કહે છે તોપણ જીવને લક્ષમાં આવતું નથી. દિવ્યધ્વનિમાં આ વિષયનો એટલો બધો મહિમા આવેલો કે એમાંથી એક પંથ અત્યારે જુદો ચાલે છે. જેમ ધ્રુવની વાત ચાલી તો ધ્રુવનો એક સાંખ્યમત જુદો ચાલે છે ને ? સાંખ્યમત. કૂટસ્થ છે, અપરિણામી છે અને ધ્રુવ છે. સાંખ્ય ચાલે છે. એમ સદ્દગુરુનો મહિમા પણ દિવ્યધ્વનિમાં બહુ આવેલો છે.
અત્યારે તો ખાસ કરીને આ પંજાબનો જે Area છે. ખાસ કરીને શીખ લોકો છે, સીંધી લોકો છે, એ બાજુના માણસો છે એને ગુરુ એટલે બધું આવી ગયું. એ કોઈ બીજા ભગવાનને નથી માનતા. પછી એના નાનક હોય કે બીજા જે કોઈ બે-પાંચ અંદર થયા હોય. બસ ગુરુ વાહે ગુરુ. વાહે ગુરુ... વાહે ગુરુ સિવાય બીજું કાંઈ નહિ. ગુરુ એટલે અહો ગુરુ... અહો ગુરુ. એક આખો પંથ જ ચાલ્યો છે. ગુરુ સિવાય એને કાંઈ જાણે. બસ સદ્ગુરુ તેરી ઓથ. આવે છે ને ? એ લોકોનું આ Slogan છેસૂત્ર છે. સદ્દગુરુ તેરી ઓથ ઓથ શબ્દ કોઈ વાપરે, કોઈ ઓથ શબ્દ વાપરે. અમને તો એક તારો આધાર છે). એની અંદર ફોટા એના ગુરુના... પરોઢિયે ઊઠે તો એ વાહે ગુરુ. વાહે ગુરુ” એમ બોલતા બોલતા ... ગુરુ ઉપર એ લોકોને અઢળક પ્રેમ
પોતે બધા શાસ્ત્રનો સાર એ છે એ વાત એમણે નાખી છે. તમામ શાસ્ત્રનો આ સાર છે એમ વાત પણ એમણે નાખી છે. “અનંત જ્ઞાનીપુરુષ અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતો, એથી ઉત્પન્ન