________________
પત્રક-૬૫૧
૫૫
સમજ્યા નથી. એમ છે. વિકલ્પનો જે દફ્નાટ છે એ બંધ થઈ જાય છે. એને આત્મા સમજાયો અને એ આત્મામાં શમાયા. એટલે વસ્તુતાએ તો બંને એક જ છે.
જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં શમાયો,...' જેમ છે એમ આત્મસ્વરૂપ સમજાવાથી, એ સમજાવાના કારણથી ઉપયોગ એમાં હર્યો. અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો...' પરિણામમાં પણ સ્વભાવરૂપ દશા થઈ એટલે આત્મા સ્વભાવમય થઈ રહ્યો.' પરિણામને ત્યાં આત્મા કહ્યો કે આત્મા પણ સ્વભાવને થઈ રહ્યો. એ પ્રથમ વાક્ય સમજીને શમાઈ રહ્યા' તેનો અર્થ છે.’ પહેલું વાક્ય સમજીને શમાઈ રહ્યા.' તો કહે છે, જેમ છે તેમ આત્મસ્વરૂપ સમજાયું અને ઉપયોગ સ્વરૂપમાં શમાઈ ગયો. આત્મા સ્વભાવમય થઈને રહી ગયો. એ પ્રથમ વાક્ય સમજીને શમાઈ રહ્યા’ તેનો અર્થ છે.’
અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો,...' હવે બીજા વાકયનો અર્થ કરે છે. આ અસ્તિથી લીધું-આત્માને અનુસરીને. હવે અન્ય પદાર્થને અનુસરીને નાસ્તિથી વાત કરે છે. ‘અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો,...’ દેહ તે હું છું. આ કુટુંબ પિરવાર તે મારો કુટુંબ પરિવાર છે. આ મકાન મારું છે. જ્યાં પોતાપણું નહોતું, જ્યાં પોતાનું સ્વરૂપ નથી, સ્વરૂપનું અસ્તિત્વ નથી ત્યાં પોતાપણું લાગે છે તે અધ્યાસ છે. અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો,...’ પ્રથમ જે ત્યાગ ક૨વાનો છે એ અધ્યાસનો ત્યાગ કરવાનો છે. બીજા પદાર્થનો ત્યાગ પણ તેના અધ્યાસના ત્યાગ અર્થે કરવાનો છે. ત્યાગ માટે ત્યાગ કરવાનો નથી. પ્રથમ જે ત્યાગ કરવા યોગ્ય છે તે અધ્યાસનો ત્યાગ કરવા યોગ્ય છે.
અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો, અને તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું,..' પોતાપણું માન્યું હતું, તે અધ્યાસરૂપ આત્માપણું શમાઈ ગયું.’ નાશ થઈ ગયું. નાસ્તિથી વાત લીધી ને ? અન્ય પદાર્થમાં જે અધ્યાસપણે આત્માપણું માન્યું હતું તે શમાઈ ગયું એટલે નાશ પામી ગયું. જુઓ ! અહીંયાં અર્થ એ કાઢ્યો. ઓલામાં શમાઈ રહ્યો એટલે અંદર સ્થિર થઈ ગયો-ઠરી ગયો. બીજો વિકલ્પ ઉત્પન્ન ન થયો. અહીંયાં શમાઈ ગયો. તો કહે છે, અધ્યાસનો નાશ થઈ ગયો. આમાંથી નાસ્તિ કાઢી. તે અધ્યાસરૂપ આત્માપણું શમાઈ ગયું. એ બીજું વાક્ય સમજીને શમાઈ ગયા’ તેનો અર્થ છે.’
પર્યાાંતરથી અર્થાંતર થઈ શકે છે.’ આ રીતે એક અસ્તિથી પડખું લઈએ, એક નાસ્તિથી પડખું લઈએ તો જુદો જુદો અર્થ કાઢી શકાય છે. અર્થાંતર એટલે