________________
પત્રક-૬૪૩
૩૯.
કરી ક્રમે કરીને પણ તેમાં અવશ્ય પરિણતિ કરવી ઘટે. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂકયા વિના આત્મદશા કેમ આવે ? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય છે.
૬૪૩ પત્ર “અંબાલાલભાઈ” ઉપર છે.
શ્રી સ્તંભતીર્થવાસી તથા નિબપુરીવાસી મુમુક્ષુજનો પ્રત્યે,...” બાજુમાં ગામ હશે. ત્યાંના મુમુક્ષુઓ પર પત્ર ખંભાત' લખ્યો છે. “શ્રી સ્તંભતીર્થ.”
કંઈ પૂછવા યોગ્ય લાગતું હોય તો પૂછશો. કરવા યોગ્ય કંઈ કહ્યું હોય તે વિસ્મરણ યોગ્ય ન હોય એટલો ઉપયોગ કરી ક્રમે કરીને પણ તેમાં અવશ્ય પરિણતિ કરવી ઘટે.” શું કહે છે ? કે જે કાંઈ કરવા યોગ્ય કહ્યું હોય તેનું વિસ્મરણ ન કરવું. લક્ષમાં રાખી લેવું કે આ વાત આપણને ઉપદેશી છે, આ વાત કહી છે એનું વિસ્મરણ કરવા યોગ્ય નથી. તે વિસ્મરણ યોગ્ય ન હોય. એટલો ઉપયોગ એટલે સાવધાની રાખવી. એટલી જાગૃતિ રાખવી કે આ કાર્ય આપણને કરવા યોગ્ય કહ્યું છે અને તેનું વિસ્મરણ કરવા જેવું નથી. એવી સાવધાની રાખવી. અને એ સાવધાનીના ફળમાં આગળ વધીને. “ક્રમે કરીને..” એટલે આગળ વધીને તેની અવશ્ય પરિણતિ કરવી ઘટે.” એટલી ભાવનામાં આવવું જોઈએ કે એની પરિણતિ થાય.
આ વિષય પ્રત્યક્ષ ચર્ચામાં “પૂજ્ય બહેનશ્રી અવારનવાર કહેતા કે મુમુક્ષુને તો પરિણતિ થઈ જવી જોઈએ. પરિણતિ ક્યારે થાય છે? કે જ્યારે જીવની ભાવના તીવ્ર થઈ જાય છે ત્યારે એ ભાવનાને કારણે વારંવાર ઉપયોગ થાય છે અને ઉપયોગના ફળમાં પરિણતિ થઈ આવે છે. ભાવના, ઉપયોગ અને પરિણતિ. આ પરિણતિ થવાનો ક્રમ છે. ભાવના વિના ઉપયોગ ન થાય એ પ્રકારનો જે પ્રકારનો થવો ઘટે. અને એ ઉપયોગ વારંવાર ભાવનાપૂર્વક થતાં એની પરિણતિ થઈ જાય છે. આ પરિણતિના વિષયમાં પણ મુમુક્ષુ વચ્ચે ~ રહ્યા છે.
અંતર અવલોકન નહિ હોવાથી પોતાની પરિણતિ અત્યારે કેવી છે એની ખબર નથી. પરિણતિ વગરનો કોઈ જીવ નથી. પણ પરિણતિ કેવી થઈ જવી જોઈએ? કે જે કાંઈ જ્ઞાની પુરુષે કરવા યોગ્ય કહ્યું હોય એની ભાવનામાં, એ