________________
૪૬
રાજહૃદય ભાગ-૧૩
શરૂ કરવો હોય, કારખાનું શરૂ કરવું હોય, કોઈપણ નવું કામ કરવું હોય તો સૌ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે,...' શરૂઆતમાં તો પરિશ્રમ કરવો પડે. પછી સહજપણે થાય છે, સહેલાઈથી થાય છે. ગાડીને પાટા ઉપર હોય તો પહેલી વખત ધક્કો મારતી વખતે જોર પડે છે. પછી જરા Motion માં આવી ગયા પછી એટલું જોર લગાવવું પડતું નથી. એમ સૌ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે.' એમને તો અનુભવ ઘણો છે ને ? દરેક કાર્યની પ્રથમ ભૂમિકા તો વિકટ હોય છે.
‘તો અનંતકાળથી અનભ્યસ્ત...' એટલે જેનો અભ્યાસ નથી કર્યો, જેની Practice નથી કરી. એવી મુમુક્ષુતા માટે તેમ હોય...' તેમ હોય એટલે વિકટપણું હોય એમાં કંઈ આશ્ચર્ય નથી.' દરેક કાર્યોમાં શરૂઆતમાં કઠણપણું લાગે છે. એકડો ઘૂંટવો તોપણ. પહેલો એકડો પણ શીખવો કઠણ લાગે છે. તોપછી અનંત કાળથી જેનો અભ્યાસ નથી. અથવા અનંત કાળથી જેનો વિપરીત અભ્યાસ છે, ઊલટો અભ્યાસ છે. ‘એવી મુમુક્ષુતા માટે તેમ હોય...' એટલે કઠણપણું લાગે. એમાં કાંઈ આશ્ચર્ય નથી.' આ એક માર્ગદર્શન આપ્યું છે કે ભલે શરૂઆતમાં મુમુક્ષુને આ કાર્ય કઠણ લાગે તોપણ હારીને મૂકી દેવા જેવું નથી. આત્માને ૫૨મહિતનું કારણ છે, આત્માને પરમ સુખનું કારણ છે. એમ સમજીને એ સમજણપૂર્વક એની પાછળ અવશ્ય પરિશ્રમ કરવા યોગ્ય છે.
મુમુક્ષુ –
પૂજ્ય ભાઈશ્રી :– હા. પછી ગાડી પાટા ઉપર હોય છે. જીવને એકવાર પણ ખરી મુમુક્ષુતા આવી નથી. આમ છે. જે કાંઈ તકલીફ છે એ શરૂઆતમાં જ છે. પછી તકલીફ નથી. એમ વિચારીએ શરૂઆતમાં તો કોઈ પણ મુમુક્ષુજીવ એક વખત પણ જો પોતાનું ધ્યેય બાંધને, જેને દૃઢમોક્ષેચ્છા કહેવામાં આવે છે, કે મારે પરિપૂર્ણ શુદ્ધ થવું જ છે અને એના માટે જ મારે પ્રયત્ન કરવાનો છે. પૂર્ણ શુદ્ધિનો મારે પ્રયત્ન કરવાનો છે તો અહીંથી આગળની બધી Line સહજપણે ચાલુ થઈ જાય છે.
***
જે મુમુક્ષુતામાં આપણે એમ વિચાર્યું કે આત્મજાગૃતિ એ લક્ષણ છે. તો એવી આત્મજાગૃતિ સહેજે સહેજે આવે છે. મુમુક્ષુને સ્વરૂપપ્રાપ્તિની ભાવના હોય. એ ભાવના ઉત્કૃષ્ટ ભાવના અને સ્વરૂપપ્રાપ્તિની લગની લાગી જાય છે. જો એક એણે ધ્યેય બરાબર બાંધ્યું હોય તો. આ પહેલું ડગલું પણ માંડતો નથી. માની બેસે છે. હવે એ તો બધું ઊંધું છે. બધી વાત ઊંધે જ ચાલે ને. પછી ગડબડ કેટલી બધી