________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪)
(પરમાગમ – ચિંતામણિ * કષાયો ઘણા પાતળા થવા છતાં પોતાના જ સાથીઓ સાથે મત્સરતા પ્રાય સર્વના હૃદયમાં રહ્યાં કરે છે. એ માત્સર્યભાવ સહેજમાં છૂટી શકતો નથી તેથી તે દુર્જય છે. સહાધ્યાયી સહધર્મી પ્રત્યેની મત્સરતાનો – અદેશકતાનો વિજય એ જ એક મહાન કષાય-દાવાનળનો વિજય છે. નથી સમજાતું કે પોતાના જ સહાધ્યાયી સહધર્મી મિત્રો પ્રત્યે આવો માત્સર્ય અર્થાત્ અદેશકભાવ કેમ વર્તતો હશે? પણ અહો અજ્ઞાન! તારું માહામ્ય કોઈ અકથ્ય છે. ૧૭૯.
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, ગાથા-૨૧૫) * વાદ-પ્રવાદ આદિને છોડીને અધ્યાત્મનું – આત્માના પરમરૂપનું ચિંતવન કરવું જોઈએ. અંધકારનો સમૂહું નાશ પામ્યા વિના જ્ઞાન શેયમાં પ્રવર્તતું નથી. વાદપ્રવાદાદિ બધાં અંધકાર છે કે જે શુદ્ધાત્માના ચિંતવનમાં બાધક છે. ૧૮૦.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાકૃત, મોક્ષ અધિકાર, ગાથા-૩૮)
* * * * હે જિનેન્દ્રદેવ ! મારો આત્મા પ્રાણીઓ પ્રત્યે નિર્વેરબુદ્ધિ, ગુણી જીવો પ્રત્યે પ્રમોદભાવ, દુઃખી જીવો પ્રત્યે કરુણાભાવ અને વિપરીત વૃત્તિવાળા જીવો પ્રત્યે માધ્યસ્થભાવ નિરંતર ધારણ કરો. ૧૮૧.
( શ્રી અમિતગતિ આચાર્ય, સામાયિક પાઠ, શ્લોક-૧) * જો સાધુ- સ્વભાવી પુરુષ ઉન વ્યક્તિયોંકો ભી ક્ષમા કર દેતે હૈં જિન્હોંને ઉનકે પ્રતિ અક્ષમ્ય અપરાધ કિયે થે, ઉન સજ્જન પ્રાણીયોકો હી વિવેકી મહાનુભવ ક્ષમાશીલ કહતે હૈં. ૧૮૨
(શ્રી જટાસિંહનન્દિ આચાર્ય, વરાંગ ચરિત્ર, સર્ગ-૨૧, શ્લોક-૧૬)
* * * * જે સ્વશરીરના પોષણ અર્થે અથવા શિષ્યાદિના મોહથી સાવધને ઈચ્છતો નથી તેને તો વૈયાવૃત્યાદિકમાં પણ સાવધને ન ઇચ્છવું તે શોભાસ્પદ છે, પરંતુ જે બીજે તો સાવધને ઈચ્છે છે પણ પોતાની અવસ્થાને યોગ્ય વૈયાવૃત્યાદિ ધર્મકાર્યમાં સાવધને ઇચ્છતો નથી તેને તો સમ્યકત્વ જ નથી. ૧૮૩.
(શ્રી જયસેન આચાર્ય, પ્રવચનસાર-ટીકા, ગાથા-૨૫૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com