________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬)
(પરમાગમ – ચિંતામણિ * અરિહંતદેવકી પ્રતિમાકા સ્થાન જિનાલય, શ્રી જિતેન્દ્રદેવ (જિન-પ્રતિમા), જૈનશાસ્ત્ર, દીક્ષા દેનેવાલે ગુરુ, સંસારસાગરસે તૈરકે કારણ પરમ તપસ્વીયોકે સ્થાન સમેદશિખર આદિ, દ્વાદશાંગરૂપ સિદ્ધાંત, ગધ-પદ્યરૂપ રચના ઇત્યાદિ જો વસ્તુ અચ્છી યા બૂરી દીખનેમેં આતી હૈં વે સબ કાલરૂપી અગ્નિકા ઇંધન હો જાયેગી. ૮૬૮.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૨, શ્લોક-૧૩૦) * ભેદવિજ્ઞાનમેં પ્રેમ સો હી વાત્સલ્યગુણ હૈ. સમ્યગ્દર્શન ભેદજ્ઞાન-સ્વરૂપ હૈ. આત્માકો પરસે ભિન્ન જાનના ભેદવિજ્ઞાન હૈ. યહી સમ્યગ્દર્શન યા સચ્ચા શ્રદ્ધાન હૈ. ઈસીક દ્વારા સ્વાનુભવ હોતા હે જો અસલી મોક્ષ-માર્ગ હૈ. ૮૮૬.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૨૩૫) * ચક્રવર્તી અથવા બીજા સાધારણ રાજાઓની આજ્ઞાનો ભંગ થતાં પણ મરણનું દુઃખ થાય છે, તો શું ત્રણલોકના પ્રભુ એવા દેવાધિદેવ જિનેન્દ્રદેવની આજ્ઞાના ભંગથી દુઃખ નહિ થાય ? – જરૂર થશે જ. ૮૭૦.
( આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા, ગાથા-૯૮)
* * *
* મિથ્યાષ્ટિ જીવ આત્માના સ્વરૂપને ભૂલી જઈને કર્મબંધના સારા ફળમાં પ્રેમ કરે છે, ખરાબ ફળમાં દ્વેષ કરે છે તથા જ્ઞાન અને વૈરાગ્ય જે આત્માના હિતના કારણ છે તેને આત્માને દુ:ખના આપનારા માને છે. ૮૭૧.
(પં. દોલતરામજી, છઢાળા ઢાળ-૨, શ્લોક-૬) * આ સંસારનો તમાશો તો જુઓ! – કે જેમાં કરગરીને માંગવા છતાં એક પાંદડુંય મળતું નથી ને અજ્ઞાની કષ્ટથી પેટ ભરે છે. પણ જો અજ્ઞાન છોડીને તે સંસારથી વિમુખ થઈ જાઓ તો વગર માગે પોતાના સદગુણોની વૃદ્ધિ થાય છે. ૮૭ર.
(શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક, શ્લોક-૧૯ ) * અનાદિકાળના અપરિચયથી ભલે તને કદાચ તે ધર્મકાર્ય દુઃખ- રૂપ લાગે, તેમ અનાદિકાળના અતિ પરિચયથી એ અધર્મ કાર્ય તારી અસદબુદ્ધિને લીધે ભલે સુખરૂપ સમજાય પણ વસ્તુતાય તેમ નથી. એ તો માત્ર તારી મોહપૂર્ણ દષ્ટિને વિભ્રમ છે. ૮૭૩.
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૨૮)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com