________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૩૧૧ * જો શુદ્ધ દષ્ટિવંત (સમ્યગ્દષ્ટિ) જીવ એમ સમજે છે કે પરમ મુનિને તપમાં, નિયમમાં, સંયમમાં અને સત્યારિત્રાં સદા આત્મા ઊર્ધ્વ રહે છે (અર્થાત દરેક કાર્યમાં નિરંતર શુદ્ધાત્મદ્રવ્ય જ મુખ્ય રહે છે) તો (એમ સિદ્ધ થયું કે) રાગના નાશને લીધે અભિરામ એવા તે ભવભયહર ભાવિ તીર્થાધિનાથને આ સાક્ષાત્ સહજ-સમતા ચોક્સ છે. ૧૬૩).
( શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૨૧૨ ) * દેહધારીઓનાં તે સુખ તથા દુઃખ કેવળ વાસનામાત્ર જ હોય છે. વળી તે ( સુખ-દુ:ખરૂપ) ભોગો આપત્તિના સમયે રોગોની જેમ ( પ્રાણીઓને) ઉજિત ( આકુલિત) કરે છે. ૧૬૩૧.
(શ્રી પૂજ્યપાદસ્વામી, ઇષ્ટપદેશ, ગાથા-૬)
*
*
*
* મનકી શુદ્ધતા હી એક મોક્ષમાર્ગમું પ્રકાશ કરનેવાલી દીપિકા (ચિરાગ ) હૈ. સો ઉસકો નિર્મલ ન પાસે અનેક મોક્ષમાર્ગી ચુત હો ગયે. જિસ મનકી શુદ્ધતાકે હોતે હુએ અવિદ્યમાન ગુણ ભી વિદ્યમાન હો જાતે હૈં ઔર જિસકે ન હોતે વિદ્યમાન ગુણ ભી જાતે રહેં વહી મનકી શુદ્ધિ પ્રશંસા કરને યોગ્ય હૈ. ૧૬૩ર.
( શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૨૨, શ્લોક-૨૯-૩૦)
* * * * તે એક જ પદ આસ્વાદવા યોગ્ય છે કે જે વિપત્તિઓનું અપદ છે. (અર્થાત્ જેમાં આપદાઓ સ્થાન પામી શકતી નથી) અને જેની આગળ અન્ય (સર્વ) પદો અપદ જ ભાસે છે. ૧૬૩૩.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૧૩૯ ) * પ્રાણનો નાશ કરનાર વિષ ભોજનમાં ખાવું સારું, થાપદ (શિકારી પ્રાણી) સિંહ આદિ હિંસક પશુઓથી ભરેલાં વનમાં નિવાસ કરવો, સારો, અને ભડકે બળતી અગ્નિમાં પડીને પ્રાણ નો ત્યાગ કરવો પણ સારો, પરંતુ મિથ્યાત્વ સહિત આ સંસારમાં જીવવું સારું નથી. કેમ કે વિષ આદિથી પ્રાણનો નાશ થવાથી તો એક જન્મમાં જ દુઃખ સહન કરવું પડે છે, અને મિથ્યાત્વથી જન્મજન્મમાં. પ્રતિક્ષણ તીવ્ર યાતનાઓનો સામનો કરવો પડે છે. ૧૬૩૪.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૧૪૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com