Book Title: Paramagam chintamani
Author(s): Nagardas Modi, Umedrai Modi
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 395
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાગમ – ચિંતામણિ) (૩૭૧ * હે મિત્ર! જો તમે અહીં સૌભાગ્યની ઈચ્છા રાખતા હો, સુંદર સ્ત્રીની ઇચ્છા રાખતા હો પુત્રોની ઇચ્છા રાખનાર હો, લક્ષ્મીની ઇચ્છા રાખતા હો, મહેલની ઇચ્છા રાખતા હો, સુખની ઇચ્છા કરતા હો, સુંદર રૂપની ઇચ્છા કરતા હો, પ્રીતિની ઇચ્છા કરતા હો અથવા જો અનંત સુખરૂપ અમૃતના સમુદ્ર જેવા ઉત્તમ સ્થાન (મોક્ષ) ની ઇચ્છા રાખતા હો તો નિશ્ચયથી સમસ્ત દુ:ખદાયક આપત્તિઓનો નાશ કરનાર ધર્મમાં તમારી બુદ્ધિ જોડો. ૧૯૫૩. (શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, ધર્મોપદેશામૃત, શ્લોક-૧૮૬) * * * * હે ભગવન્! અમે અસંજ્ઞીની માફક હિત-અહિત, માર્ગ–અમાર્ગ, ધર્મઅધર્મને જાણતા ન હતા, તે આપના ચરણકમળના આશ્રય વડે અમે અમારું હિતઅહિત, માર્ગ–અમાર્ગ, ધર્મ-અધર્મ જાણ્યા. માટે આપે અમને મન સહિત કર્યા. વળી અમે અનાદિથી બહેરાની માફક હિત અહિત - સાંભળ્યું ન હતું, તે આપની કૃપાથી હિત-અહિત શ્રવણ કરીને હિત-અહિત જાણું, માટે આપ અમને કાન સહિત કર્યા. વળી હે ભગવન્! અમે અનાદિથી પરનું સ્વરૂપ નહિ દેખવાથી અંધ સમાન હતા. તે આપના ચરણકમળના પ્રસાદથી અમે સર્વ પદાર્થનું સ્વરૂપ જોયું, તેથી આપે અમને જ્ઞાન-નેત્ર સહિત કર્યા. વળી હે ભગવન્! જેવી રીતે કોઈ માર્ગ ભૂલી જઇને ભયંકર વનમાં મરણતુલ્ય થઇને ભટકતો હોય તેમ અમે પણ અમારું હિત જે મોક્ષ તેનો માર્ગ ભૂલી, અનંતાનંતકાળથી મરણતુલ્ય થઇને સંસારમાં ભટકતા હતા, તેને આપે મોક્ષના માર્ગમાં એવી રીતે લગાવી દીધા કે જેથી ખેદ વગર અને મોક્ષનગર પહોંચી જઇશું. આવો સર્વોત્કૃષ્ટ ઉપકાર આપે અમારા ઉપર કર્યો, હવે આપના વિયોગથી અમારી દશે દિશા શૂન્ય થઈ ગઈ- અંધકાર થઈ ગયો! ૧૯૫૪. ( શિવકોટી આચાર્ય, ભગવતી આરાધના ગાથા – ૩૮૪નો ભાવાર્થ) * * * * જે મનુષ્યો ઉત્તમગુરુ દ્વારા પ્રરૂપિત સમીચીન શાસ્ત્ર વાંચતા નથી તેમને બુદ્ધિમાન મનુષ્ય બંને આંખોવાળા હોવા છતાં આંધળા સમજે છે. ૧૯૫૫. (શ્રી પદ્મનંદી આચાર્ય પદ્મનંદી પંચવિંશતિ, ઉપાસક સંસ્કાર, શ્લોક-૨૦) Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412