________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
( ૧૪૧
પરમાગમ ચિંતામણિ )
* જે અદ્વૈતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે, તે ( પોતાના ) આત્માને જાણે છે અને તેનો મોહ અવશ્ય લય પામે છે. ૭૩૪.
-
* હે જીવ! જ્યાં દુષ્કૃત્યનો વાસ છે એને યમનો ફેલાયેલો ફંદો છે. તેમાં શંકા નથી. ૭૩૫
(શ્રી કુંદકુંદાચાર્ય, પ્રવચનસાર, ગાથા-૮૦) તું ગૃહવાસ ન સમજ. ચોક્ક્સ એ તો
(મુનિવર રામસિંહ, પાહુડદોહા, ગાથા-૧૨
* હે દેવ ! હું આ જન્મમાં તથા બીજા જન્મમાં પણ નિરંતર આપના ચરણયુગલની સેવા કરતો રહું, એટલા માત્રથી જ મારું પ્રયોજન પૂર્ણ થઇ જાય છે. હૈ જિનેન્દ્ર! એથી અધિક હું આપની પાસે બીજું કાંઈ માંગતો નથી. ૭૩૬.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, ક્રિયાકાંડચૂલિકા, શ્લોક-૫ )
***
* શીરાશ્રિત ઇન્દ્રિયોંકા સ્વભાવ ઐસા દેખા ગયા હૈ કિ વે આત્માકો અહિતકારી વિષયભોગોંકા સંભોગ મિલાતી હૈ ઔર ઉનમેં તન્મય કરાકર પ્રાણીકો સંસારમેં ભ્રમણ કરાતી હૈં, જો સમ્યગ્દષ્ટિ જિનવાણી પર વિશ્વાસ લાતા હૈ, વહુ આત્માકે અતીન્દ્રિય સુખ ૫૨ નિશ્ચય ૨ખતા હુઆ ઇન્દ્રિયકે સુખોંસે વિરક્ત રહતા હૈ.
૭૩૭.
(શ્રી તારણસ્વામી ઉપદેશશુદ્ધસા૨, શ્લોક-૨૫૭)
* જો કે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ આ જીવ, ટાંકણાથી ટાંકેલા પત્થરની માફક ટંકોત્કીર્ણ છે તો પણ પર્યાયાર્થિકનયની અપેક્ષાએ જોતાં કોઇ પણ જીવ વિકૃતાવસ્થા થતાં આત્મસુખમાં સ્થિર રહેતો નથી પરંતુ ઘણો દુ:ખી ૨હે છે. ૭૩૮.
(શ્રી રાજમલ્લજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-૯૫૨) ***
–
* નરકના જીવોને દુઃખી તથા દેવોને સુખ કહીએ છીએ એ ઇચ્છાની અપેક્ષાએ જ કહીએ છીએ. કારણ કે – નારકીઓને કષાયની તીવ્રતા હોવાથી ઇચ્છા ઘણી છે તથા દેવોને કષાયની મંદતા હોવાથી ઈચ્છા થોડી છે. વળી મનુષ્ય અને તિર્યંચો પણ ઇચ્છાની અપેક્ષાએ જ સુખી-દુ:ખી જાણવા. ૭૩૯.
(શ્રી ટોડરમલ્લજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિ. -૨ પાનું-૭૫ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com