Book Title: Veerprabhuna Vachano
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/004557/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો રમણલાલ વી. શાહ Page #2 -------------------------------------------------------------------------- ________________ વિરપ્રભુનાં વચનો ભાગ એક અને બે લેખક રમણલાલ ચી. શાહ પ્રકાશક શ્રી મુંબઈ જેન યુવક સંઘ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. મુખ્ય વિક્રેતા નવભારત સાહિત્ય મંદિર પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨ ૨ ગાંધી રોડ, અમદાવાદ-૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ VEERPRABHUNA VACHANO (Part I AND II) (A Collection of articles on Vachana of Bhagvan Mahaveer) by Dr. RAMANLAL C. SHAH Published by - Shree Mumbai Jain Yuvak Sangh. 385, Sardar Vallabhbhai Patel Road, Mumbai-400 004. First Part - Third Edition Second Part-First Edition Price : Rs. 100-00 પ્રથમ ભાગ-ત્રીજી આવૃત્તિ બીજો ભાગ–પ્રથમ આવૃત્તિ મૂલ્ય રૂ. ૧૦૦-૦૦ NO COPYRIGHT -- - પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. મુખ્ય વિક્રેતા નવભારત સાહિત્ય મંદિર પ્રિન્સેસ સ્ટ્રીટ મુંબઈ-૨ ટાઈપ સેટિંગ : મુદ્રાંકન ડી-પ૭, ગૌતમનગર, એલ. ટી. રોડ, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૨. ગાંધી રોડ અમદાવાદ- ૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ પ. પૂ. શાસનપ્રભાવિકા વિદુષી સાધ્વી શ્રી નિપુણાશ્રીજી મહારાજ સાહેબને સાદર ભાવપૂર્ણ વંદના સાથે ] રમણલાલ ચી. શાહ C Page #5 -------------------------------------------------------------------------- ________________ ડો. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો એ કાંકીસંગ્રહ * શ્યામ રંગ સમીપે જીવનચરિત્ર-રેખાચિત્ર-સં સ્મરણ * ગુલામોનો મુક્તિદાતા * ઉપાધ્યાય શ્રી યશોવિજયજી * હેમચંદ્રાચાર્ય * શ્રી મોહનલાલજી મહારાજ * વંદનીય હૃદયસ્પર્શ, * શેઠ મોતીશાહ - ભાગ ૧ થી ૩ * પ્રભાવક સ્થવિરો, * બેરરથી બ્રિગેડિયર ભાગ ૧ થી ૬ * તિવિહેણ વંદામિ * પંડિત સુખલાલજી પ્રવાસ-શોદા- સફર * એવરેસ્ટનું આરોહણ * ઉત્તરધ્રુવની શોધ-સફર * રાણકપુર તીર્થ * પ્રદેશે જય-વિજયના જ આસ્ટ્રેલિયા * પાસપોર્ટની પાંખે * પાસપોર્ટની પાંખે-ઉત્તરાલેખન * ન્યૂઝીલેન્ડ * પાસપોર્ટની પાંખે-ભાગ ત્રીજો નિબંધ * સાંપ્રત સહચિંતન, ભાગ ૧ થી ૧૫ * અભિચિંતના સાહિત્ય-વિવેચન * ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન (અન્ય સાથે) * નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય * બંગાકુ-શુમિ * પડિલેહા * સમયસુંદર * કિતિકા * ૧૯૬૨નું ગ્રંથસ્થ વાલ્મય * નળ-દમયંતીની કથાનો વિકાસ * ગૂર્જર ફાગુ સાહિત્ય સંશોધન-સંપાદન * નલ-દવદંતી રાસ (સમયસુંદરકૃત) * જંબુસ્વામી રાસ (યશોવિજયકૃત) * કુવલયમાળા (ઉદ્યોતનસૂરિકૃત) * મૃગાવતીચરિત્ર ચોપાઈ (સમયસુંદરત) * નલ-દવદંતી પ્રબંધ (ગુણવિનયકૃત) Page #6 -------------------------------------------------------------------------- ________________ ક થાવસ્યાસુત રિષિ ચોપાઈ (સમયસુંદરકૃત) * નલરાય-દવદંતી ચરિત્ર (ઋષિવર્ધનસૂરિકૃત) * ધન્ના-શાલિભદ્ર ચોપાઈ (ગુણવિનયકૃત) * બે લઘુ રાસકૃતિઓ (જ્ઞાનસાગરકૃતિ અને ક્ષમાકલ્યાણકૃત) * નલ-દવદંતી પ્રબંધ (વિજયશેખરકૃત) ધર્મ-તત્ત્વજ્ઞાન * જૈન ધર્મ (છઠ્ઠી આવૃત્તિ) * જૈન ધર્મ (હિન્દી આવૃત્તિ) * જૈન ધર્મ (મરાઠી આવૃત્તિ) * બૌદ્ધ ધર્મ * નિનવવાદ * Shraman Bhagwan Mahavir & Jainism * Budhism-An Introduction * Jina Vachana * જિનતત્ત્વ, ભાગ ૧ થી ૮ * તાઓ દર્શન * કન્ફયૂશિયસનો નીતિધર્મ + અધ્યાત્મસાર, ભાગ ૧-૨-૩ * વીર પ્રભુનાં વચનો-ભાગ ૧-૨ * અધ્યાત્મસાર (સંપૂર્ણ) * જ્ઞાનસાર સંક્ષેપ. * સરસ્વતીચંદ્ર, ભાગ ૧ (પાક્યસંક્ષેપ) અનુવાદ * રાહુલ સાંકૃત્યાયન (સાહિત્ય અકાદમી, દિલ્હી) * ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિ (નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી) સંપાદન (અન્ય સાથે). * મનીષા * શ્રેષ્ઠ નિબંધિકાઓ * શબ્દલોક * ચિંતનયાત્રા * નીરાજના જ અક્ષરા જ અવગાહન જ જીવનદર્પણ * કવિતાલહરી જ સમયચિંતન જ તત્ત્વવિચાર અને અભિવંદના * મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજી * જૈન સાહિત્ય સમારોહ, ગુચ્છ ૧-૨-૩-૪ * શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ * શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દી ગ્રંથ પ્રકીર્ણ * એન.સી.સી. * જેન લગ્નવિધિ Page #7 -------------------------------------------------------------------------- ________________ કૉપીરાઈટનું વિસર્જન મારા પ્રગટ થયેલ સર્વ ગ્રંથો અને અન્ય સર્વ લખાણોનાં અનુવાદ, સંક્ષેપ, સંપાદન, પુનઃપ્રકાશન ઈત્યાદિ માટેના કોઈ પણ પ્રકારના કૉપીરાઈટ હવેથી રાખવામાં આવ્યા નથી. અન્ય કોઈ વ્યક્તિને કે કોઈ પ્રકાશકને કોઈ પણ ગ્રંથની પ્રથમ આવૃત્તિ માટે કૉપીરાઈટ આપેલા હોય તો તેનું પણ વિસર્જન કરવામાં આવ્યું છે. હવે પછી પ્રકાશિત થનારા મારાં કોઈ પણ લખાણ માટે કૉપીરાઈટ રહેશે નહિ. મુંબઈ તા. ૧-૧-૧૯૯૨ L રમણલાલ ચી. શાહ Page #8 -------------------------------------------------------------------------- ________________ છે. ૦ " ૦ ૦ ૦ ૦ દિ ૦ ૦ વીરપ્રભુનાં વચનો અનુક્રમ ભાગ પહેલો ૧. ને ત્નિ સમારે | યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરી લેવું] णाइवेलं वएज्जा [અતિવેળા ન બોલવું] आतुरा परितावेन्ति [આતુર માણસો પરિતાપ કરાવે છે] ४. दुक्करं करेउं जे तारुण्णे समणत्तणं યિૌવનમાં સાધુપણાનું પાલન દુષ્કર છે] जं छन्नं तं न वत्तव्वं [જે ગુપ્ત રાખવા જેવું હોય તે કહી ન દેવું] ६. अट्ठजुत्ताणि सिक्खिज्जा, निरद्वाणि उ वज्जिए। [અર્જયુક્ત વાતો શીખવી, નિરર્થકને ત્યજી દેવી] आयंकदंसी न करेइ पावं [આતંકદર્શી પાપ કરતો નથી] ૮. નાતિવેત્ન હસે મુખી [મુનિઓએ અમર્યાદ હસવું નહિ) ૯. માયન્ને પ્રસUITUTલ્સ [ખાનપાનની માત્રાના જાણકારી ૧૦. અને પતિ તે વિત્ત [બીજાઓ તે ધન હરી જાય છે. ૧૧. પરિણાદ નિવાઈ વેર fસ પવ પિરિગ્રહ વધારનાર વેર વધારે છે] ૧૨. નોઆવિને કાયય માં [લોભગ્રસ્ત થઈને અદા ગ્રહણ કરે છે] ૧૩. મોરતે સંધ્યવયસ પત્રિમંથૂ [મુખરતાથી સત્યવચનનો ઘાત થાય છે] ૧૪. નં વાનસ્લ સંગેvi [બાળબુદ્ધિવાળાનો સંગ ન કરવો] ૧૫. સંવિમા રહુ તક્ષ મwaો [અસંવિભાગી હોય તેનો મોક્ષ નથી ૦ ૦ ૦ - - 0 - - 0 - ૧૪ ૭ ૧૬૦ ૧૭૨ Page #9 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો ૧૬. अणुसासिओ ण कुप्पिज्जा [અનુશાસિત થતાં (કે શિક્ષા પામતાં) ક્રોધ ન કરવો] १७. साहीणे चयई भोए से हु चाई त्ति वुच्चई । [સ્વાધીનપણે ભોગોનો ત્યાગ કરનાર જ ત્યાગી કહેવાય છે. ૧૮. માળે મા નિળે ! [માનને મૃદુતાથી જીતવું] ૧૯. મોળી મમફ સંસારે [વગર પૂછ્યું ન બોલવું, બોલતા હોય ત્યારે વચ્ચે ન બોલવું] ૨૨. નો નાળે ૧ મરિસ્સામિ, सो हु कंखे सुहेसिया । [જે જાણે કે ‘હું મરીશ નહિ' તે જ સુખશીલતા ઇચ્છી શકે] ૨૩. અવીામળો રે । [અદીનભાવથી વિચરવું] ૨૪. થોવં લલ્લું ન હિંમદ્ । [થોડું મળતાં ખેદ ન કરવો] ૨૫. મિત્ત પાછળ મોયા મોરૂ સે નિશંથે [ભોગી સંસારમાં ભમે છે.] ૨૦. સિત્થળ જોવાનું, વિં ચ વાણુ શહાણ ૨૩૪ [એક દાણાથી અનાજની અને એક ગાથાથી કવિની પરખ થઈ જાય છે] ૨૧. પુઘ્ધિો ન માસેષ્ના, માસમાળસ્ત્ર અંતરા 1 ૨૪૪ [ જે અતિશય ભોજન-પાણી કરતો નથી તે નિગ્રંથ (સાધુ) છે. ] ૨૬. સંŕળ અસાદું રાĒિ । [રાજાઓનો સંસર્ગ સારો નથી] ૨૭. તેત્તિ પિ તવો ગમુદ્ધો । [તેમનું પણ તપ અશુદ્ધ છે.] ૨૮. વો અન્વેટ્ટુ નોવાં કૈં । [વય અને યૌવન ચાલ્યાં જાય છે] ૨૯. સીવિડ્યાં તાળું તૂરો પરિવ[Q | [ક્રુશીલ વધારનાર સ્થાનોનો દૂરથી જ ત્યાગ કરી દેવો જોઈએ] ૩૦. સૂત્રં માફ અપ્પાાં, નાવું નેયં ન પસ્સનૢ । પૃષ્ઠ H ૧૮૪ ૧૯૯ ૨૧૨ ૨૨૫ ૨૫૬ ૨૬૧ ૨૭૬ ૨૮૬ ૨૯૭ ३०८ ૩૩૬ ૩૫૦ [જ્યાં સુધી વિજેતાને જોયો નથી, ત્યાં સુધી પોતાને શૂરવીર માને છે.] ૩૧. ડાણ જમ્માણ ળ મોસ્તુ અસ્થિ । [કરેલાં કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી.] ૩૧૯ ૩૨૬ Page #10 -------------------------------------------------------------------------- ________________ काले कालं समायरे । યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરી લેવું] ભગવાન મહાવીર સ્વામીએ સાધુઓ પોતાના આચાર–પાલનમાં કાળનો પૂરેપૂરો ખ્યાલ રાખે એ દૃષ્ટિથી કહ્યું છે કે જે કાર્ય જે સમયે કરવાનું હોય તે કાર્ય તે જ સમયે જ કરી લેવું જોઈએ. ઊઠવું, બેસવું, સૂવું, ગોચરી વહોરવી, આહાર લેવો તથા પડિલેહણ (પ્રતિલેખન), પ્રતિક્રમણ ઇત્યાદિ ધર્મક્રિયાઓ સમયસર કરી લેવી જોઈએ. કસમયે એ કરવાથી ઘણી ક્ષતિઓ થવાનો સંભવ છે, ક્યારેક પશ્ચાત્તાપ કરવાનો વખત આવે છે ને ધારેલું પરિણામ આવતું નથી. વળી ક્યારેક એથી સાધુજીવનના ગૌરવને હાનિ પહોંચે છે. મનુષ્યના જીવન ઉપર જે જુદાં જુદાં તત્ત્વોનો પ્રભાવ પડે છે એમાં સૌથી વધુ પ્રભાવ કાળનો છે. કાળ સતત વહેતો રહે છે. કાળ એટલો સૂક્ષ્મ છે કે એને પકડી શકાતો નથી. વર્તમાન કાળ ક્ષણ માત્રમાં ભૂતકાળમાં સરી પડે છે. ભવિષ્યકાળ ક્યારેય ખતમ થવાનો નથી. ભૂતકાળની શરૂઆત ક્યારે થઈ તે કોઈ કહી શકે નહિ. એટલે કે એ અનાદિ છે. આમ ભવિષ્યકાળ અને ભૂતકાળ બંને અનંત છે, તો બીજી બાજુ વર્તમાન કાળ માત્ર એક ક્ષણ (કાળનું એક લઘુતમ એકમ જેને જેન ધર્મ Page #11 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ ‘સમય' કહે છે) જેટલો જ છે. છતાં સામર્થ્ય વર્તમાનનું છે. કાળના સ્વરૂપની આ તે કેવી વિચિત્રતા! માટે જ વર્તમાનનું માહાત્મ્ય છે. કાળની અસર જડ અને ચેતન એમ બંને તત્ત્વો પર થાય છે. નાનાં બાળકો ઘડીકમાં મોટાં થઈ જાય છે. યુવાનો વૃદ્ધ થાય છે અને વૃદ્ધો પોતાનો કાળ પાકતાં સંસારમાંથી વિદાય લે છે. જન્મ-મરણનું ચક્ર દિવસરાત ચાલતું રહે છે. જડ પદાર્થોમાં પણ રૂપાંતર થતાં રહે છે. આજની નવી ચીજવસ્તુ કાલે જૂની થાય છે અને વખત જતાં નષ્ટ થાય છે. જગતમાં અનેક લોકો પોતાના જીવનને સફળ બનાવી લે છે, તો અનેક લોકોનું જીવન બરબાદ થઈ જાય છે. આમ થવાનાં ઘણાં કારણોમાંનું એક મોટું કા૨ણ તે કાળ છે. જેમણે પોતાના જીવનને સફળ બનાવવું હોય તેમણે યોગ્ય કાળે યોગ્ય કાર્ય કરી લેવું જોઈએ. હ્રાને વ્યાનું સમાયરે । ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ના પ્રથમ અધ્યયનમાં ભગવાન મહાવીરે કહ્યું છેઃ काणणिक्खमे भिक्खू कालेण य पडिक्कमे । अकालं च विवज्जिता काले कालं समायरे || [ભિક્ષુએ વેળાસ૨નીકળવું (ભિક્ષા માટે) અને વેળાસર પાછાં આવી જવું. કવેળા કાર્ય કરવું નહિ, યોગ્ય કાર્બ યોગ્ય કાર્ય કરી લેવું.] જેમ સાધુઓએ તેમ ગૃહસ્થોએ પણ યોગ્ય સમયે યોગ્ય Page #12 -------------------------------------------------------------------------- ________________ काले कालं समायरे । કાર્ય કરી લેવું જોઈએ. કાળરૂપી આખલાને શિંગડેથી પકડીને વશ રાખવો જોઈએ. જેઓ અવસર ચૂકે છે તેમને નિરાશ થવાનો વખત આવે છે. રાંડ્યા પછી ડહાપણ આવે છે. સમયનો ત્વરિત સદુપયોગ કરી લેવા માટે ઠેઠ પ્રાચીનકાળથી બોધવચનો પ્રચલિત છે, કારણ કે સમયનો અનુભવ સર્વકાલીન છે. ન ાર્યાન્નમતિપાતયેત્ । (કાર્યકાળને વેડફી ન નાખો.) ન ાનમતિવર્તો મહાન્ત: સ્વેષુ ર્મપુ। (મહાન માણસો પોતાના કાર્યમાં કાળનું અતિક્રમણ નથી કરતા અર્થાત્ વિલંબ નથી કરતા.) પ્રકૃતિના નિયમો છે. એ નિયમોની સતત અવગણના કરનારની પછી પ્રકૃતિ અવગણના કરે છે. અકાળે ખાવું, અકાળે જાગવું, અકાળે ઊંઘવું એ બધી વિપરીત ક્રિયાઓનાં પરિણામ મનુષ્યને ભોગવવાં પડે છે. જ્યાં કાળની બાબતમાં માણસ નિયમિત છે ત્યાં પ્રકૃતિ પણ એને સહાય કરે છે. જળ, વાયુ, પ્રકાશ વગેરેના સહારે વ્યવસાય કરનારા ખેડૂત, નાવિક વગેરેને એનો અનુભવ હોય છે. Strike when the iron is hot Make hay when the sun shines જેવી કહેવતો પ્રચલિત છે. જે માણસ સમયની બાબતમાં સભાન છે તે પોતાનાં કાર્યોનું આયોજન વ્યવસ્થિત રીતે કરી લે છે. વિશ્વના મહાપુરુષોના જીવનનો ઇતિહાસ જોઈએ તો જણાશે કે તેઓએ પોતાના સમયને બરબાદ કર્યો નથી. જેઓ સમય બરબાદ કરે છે તેઓ Page #13 -------------------------------------------------------------------------- ________________ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ જીવનમાં અપેક્ષિત સિદ્ધિઓ મેળવી શકતા નથી. તેઓ મહાન બની શકતા નથી. કાળ ધસમસતો જાય છે. એને અટકાવી શકાતો નથી. Time and Tide wait for none.' જે માણસે અંગત જીવનમાં સિદ્ધિ મેળવવી હોય તેણે કાળને વશ કરવો જોઈએ. જે સમય જાય છે તે પાછો આવતો નથી. સિદ્ધિની ટોચે પહોંચેલા માણસોના જીવનનો જો બરાબર અભ્યાસ કરીએ તો જોઈ શકાશે કે તેઓએ પોતાનાં વર્ષોનો હિસાબ બરાબર રાખેલો છે. ક્યારેક તો આશ્ચર્ય થાય કે આટલી નાની જિંદગીમાં આટલું બધું કાર્ય તેઓ કેવી રીતે કરી શક્યા હશે! વસ્તુતઃ કાળને બરાબર પારખવાવાળા કેટલાક મહાત્માઓ પચાસ-સાઠ વર્ષની જિંદગીમાં સો વર્ષ જેટલું કાર્ય કરી જાય છે. તેઓ સમય બગાડતા નથી એ તો ખરું જ. પણ ક્યારેક તો એકસાથે બે કે ત્રણ કામ કરતા હોય છે કે જે સાથે સાથે થઈ શકે. ગાંધીજી મુલાકાતીની સાથે વાતો કરતાં કરતાં રેંટિયો કાંતતા. એકસાથે બે કામ કરવાનો એમને સારો મહાવરો હતો. આવો મહાવરો ઘણાંને હોય છે. અલબત્ત, એમ કરતી વખતે માણસની સ્વસ્થતા અને પ્રસન્નતા ન હણાવી જોઈએ. ભુલકણાપણું ન આવવું જોઈએ અને વિનયવિવેક ન ચૂકવા જોઈએ. જે પ્રજા પોતાના માનવ-કલાકોનો બરાબર સદુપયોગ કરી લે છે તે પ્રજા શીઘ્રતાથી સમૃદ્ધિ પ્રાપ્ત કરી લે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ काले कालं समायरे । સમાજવ્યવસ્થા અને અર્થવ્યવસ્થા બરાબર ગોઠવાયેલી હોય તો મનુષ્યને પોતાના કલાકોને સાર્થક કરવાનું સૂઝે છે ને આવડે છે. સમૃદ્ધ દેશોમાં માણસો પોતાના પ્રત્યેક કલાકનો વિચાર કરે છે. નિયમિતતા અને સમયપાલનની ચુસ્તતા પર ભાર ત્યાં મૂકવામાં આવે છે. બીજાનો સમય બગાડવાનો પોતાને અધિકાર નથી એવી પ્રામાણિક સભાનતા તેઓ ધરાવે છે. પછાત, અર્ધવિકસિત દેશોમાં ઠેર ઠેર માણસો નવરા બેઠા હોય છે, ગામગપાટા મારતા હોય છે અને નિંદાકૂથલીમાં કે ક્ષુદ્ર બાબતોમાં પોતાનો અને બીજાનો સમય વેડફી નાખતા હોય છે. એ વેડફાઈ જતા કલાકોનું આર્થિક બોજા વગરનું સ્વૈચ્છિક આયોજન જો થાય તો પણ કેટલાયે વિકાસ-કાર્યો સહેલાઈથી થઈ શકે. ગાંધીજીએ ગ્રામસફાઈ, પ્રોઢશિક્ષણ, રાષ્ટ્રભાષાના વર્ગો વગેરે પ્રકારના રચનાત્મક કાર્યક્રમો બતાવી એનો અમલ કરાવ્યો હતો. વર્તમાન વિશ્વ સમયની બાબતમાં ઉત્તરોત્તર વધુ સભાન થતું જાય છે. અવકાશ-સંશોધનમાં, અણુક્ષેત્રમાં, ક્ષેપકાસ્ત્રો (Missiles) વગેરેમાં કલાક અને મિનિટ ઉપરાંત સેકન્ડની પણ વિચારણા થાય છે. રમતગમતના વિક્રમોમાં સેન્કડનો તફાવત મહત્ત્વનો બની જાય છે. ઔદ્યોગિક ઉત્પાદનોમાં સમય કેવી રીતે ઘટાડાય કે જેથી ઉત્પાદનની પડતર કિંમત ઓછી થાય અને નફો વધુ થાય એની વિચારણા થાય છે. કાળની ગતિ સમ છે પણ મનુષ્યને એની ગતિ વિષમ Page #15 -------------------------------------------------------------------------- ________________ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ લાગવાનો સંભવ છે. મિલનનો સમય ટૂંકો લાગે અને વિરહકાળ દીર્ઘ લાગે. દુઃખમાં દહાડા લાંબા લાગે. કેટલીક ઘટના વર્તમાનમાં જેટલી મોટી લાગતી હોય તે થોડો કાળ વીત્યા પછી કેવી ગૌણ કે શુદ્ર બની જાય છે ! ક્યારેક તો વહી ગયેલો કાળ જ નવી પરિસ્થિતિનો સાચો વાસ્તવિક ખ્યાલ આપે છે. એ પરિસ્થિતિની પહેલેથી ખબર હોત તો પોતે જે કાર્ય કર્યું તે ન કર્યું હોત. વળી એટલો સમય પણ બરબાદ ન કર્યો હોત. ભૂતકાળ પર નજર ફેરવતાં દરેક વ્યક્તિને થોડું ઘણું એવું લાગવાનું જ કે પોતાનો અમુક સમય ખોટી રીતે વેડફાઈ ગયો હતો. સમયની બાબતમાં સભાન રહેવું એનો અર્થ એ નથી કે સમય સાચવવા સતત ચિંતિત રહેવું. સમયની બાબતમાં સમજપૂર્વક સભાન હોવું તે એક વાત છે અને ઉતાવળિયા થવું, રઘવાટ કરવો, તંગ થઈ જવું, ચિંતિત થઈ જવું તે બીજી વાત છે. માણસે સમયને દાસ બનાવવો જોઈએ. એના પોતે ગુલામ ન બનવું જોઈએ. કેટલાક લોકો સમય સાચવે છે. ઘડિયાળના ટકોરે બધું કરે છે, પણ એમના જીવનમાં કોઈ પ્રગતિ કે શાન્તિ દેખાતી નથી. વર્તમાન જગતમાં Time Stress ઘણા માણસો અનુભવે છે અને એથી હૃદયની બીમારીના કે માનસિક તનાવના, ડિપ્રેશનના ભોગ બની જાય છે. જેમ સમયની સભાનતાની જરૂર છે તેમ નિરાંતની પણ એટલી જ જરૂર છે. કહ્યું છેઃ Page #16 -------------------------------------------------------------------------- ________________ काले कालं समायरे। What is this life full of care, If there is no time to stand and stare. એટલા માટે જ એક લેખકે કહ્યું છે કે To do great work a man must be idle as well as very industrious. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્વસ્થતા, સંયમ, ધીરજ, શૈર્ય વગેરે સદ્ગુણો કાળના સ્વરૂપને સમજવામાં અને એનો વધુમાં વધુ લાભ લેવામાં ઉપયોગી નીવડે છે. આપણે જોઈએ છીએ કે દંભી માણસો પોતાની મોટાઈ બતાવવા માટે બીજાની સાથે સરખી વાત કરતા નથી. સમય વિશેની એમની કૃત્રિમ સભાનતામાં એમનું મિથ્યાભિમાન ડોકિયા કરતું હોય છે. પોતાને જરા પણ ફુરસદ નથી એવું બતાવીને ભાગનારા પછી સમય પસાર કરવા માટે વલખાં મારતા હોય છે. માણસ સમયની બાબતમાં સતત સભાન હોય અને છતાં એની સભાનતા બીજાને કળાતી ન હોય અને એના વર્તનને જરા પણ કૃત્રિમ બનાવતી ન હોય તેવા માણસોએ કાળના મર્મને પચાવ્યો છે એમ કહી શકાય. કાંડે ઘડિયાળ પહેરી હોય છતાં અનેક માણસો પોતાનો કિંમતી સમય વેડફી નાખે છે. જાણે કેટલો સમય વેડફાઈ ગયો એ જાણવા માટે જ ઘડિયાળ ન પહેરી હોય ! જોકે એ જાણવાની દરકાર પણ કેટલાને હોય છે ? વસ્તુતઃ સમયને પારખવા માટે પોતાની પાસે ઘડિયાળ હોવી જરૂરી નથી. અનેક અપરિગ્રહી સાધુસંન્યાસીઓ પાસે ઘડિયાળ નથી હોતી, પરંતુ Page #17 -------------------------------------------------------------------------- ________________ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ કેટલા વાગ્યા છે એવો સમયનો ખ્યાલ આપણા કરતાં તેમને વધુ હોય છે. સમય એમની આસપાસ સતત રમતો હોય છે. કોઈક મહાત્માઓને તો એવો મહાવરો થઈ ગયો હોય છે કે તેઓ કહે તે સમય સાચો જ હોય. કદાચ ઘડિયાળ ખોટી પડે, પણ તેઓ ખોટા ન પડે. જીવનમાં ભૌતિક સિદ્ધિઓમાં કાળનું મહત્ત્વ હોય કે ન હોય, આધ્યાત્મિક સિદ્ધિઓ માટે કાળનું મહત્ત્વ અનિવાર્ય છે. એક ક્ષણનો પણ પ્રમાદ જીવને દુર્ગતિમાં લઈ જાય છે. મેળવેલી આધ્યાત્મિક સિદ્ધિઓને સ્થિર રાખવા માટે નિરતર અપ્રમત્તાવસ્થા જરૂરી છે. એટલા માટે જ ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને વારંવાર કહ્યું હતું કે “હે ગૌતમ! “સમય” માત્રનો પ્રમાદ ન કરશો.’ મયં પોયમ મ માયU/ કાળ સાપેક્ષ છે. સૂર્યચંદ્ર ફરે છે તે માટે કાળ ફરતો દેખાય છે, પણ અંતરીક્ષમાં એવાં પણ સ્થળો છે કે જ્યાં કાળ થંભી ગયેલો લાગે, જાણે કે કાળ જેવું કશું છે જ નહિ. જેઓની આત્મસ્વભાવમાં રમણતા છે ત્યાં કાળ જાણે સ્થિર થઈ ગયો હોય એવી સૂક્ષ્માનુભૂતિ થાય છે. જ્યાં ત્રિકાળ જ્ઞાન છે, કેવળજ્ઞાન છે ત્યાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળનું જ્ઞાન એકરૂપ હોય છે. યુગપ હોય છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ णाइवेलं वएज्जा [અતિવેળા ન બોલવું ભગવાન મહાવીરની જન્મજયંતી પ્રસંગે એમનાં અનેક વચનોમાંથી ઉપરના એક માર્મિક વચનનું સ્મરણ થયું. ફિલ્વેનં વાન્ની – નાતિવેનં વન્ના એટલે કે અતિવેળા ન બોલવું. વેળાનો એક અર્થ થાય છે સમય, બીજો અર્થ થાય છે મર્યાદા. અતિવેળા ન બોલીએ એટલે કે ઘણા લાંબા સમય સુધી ન બોલવું અને અમર્યાદ. (નિર્ધારિત મર્યાદા કરતાં વધારે) ન બોલવું. ભગવાન મહાવીરે અઢી હજાર વર્ષ પહેલાં પોતાના સાધકોને આપેલી શિખામણમાંની એક શિખામણ તે ઉપર્યુક શિખામણ છે. વર્તમાન પરિસ્થિતિમાં પણ એ એટલી જ સાચી છે. સાધકોને ઉદ્દેશીને કહેવાયેલા એ વચનમાંથી વર્તમાન સમયના સાધુઓ, સાધકો અને જાહેર જીવનમાં પડેલા વક્તાઓએ પણ બોધ લેવા જેવો છે. જૈન આગમગ્રંથોમાંના “સૂત્રકૃતાંગ' નામના આગમગ્રંથના ચૌદમા અધ્યયનમાં સાધુને માટે વિનય, સંયમ, ગુરુકુલવાસ, ગમનાગમન, શયન, સમિતિ-ગુપ્તિ વગેરે વિશે હિતવચનો કહેવામાં આવ્યાં છે. તેમાંનું એક હિતવચન તે પણ વળ્યા Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧0 વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ છે. ભગવાન મહાવીરે પ્રત્યેક પરિસ્થિતિનું કેટલું સૂક્ષ્મ, પૃથક્કરશીલ અવલોકન કરીને અથવા પોતાના કેવળજ્ઞાનના ઉપયોગથી જોઈને) આવાં હિતવચનો કહ્યાં હશે તેની પ્રતીતિ થાય છે. ભગવાન મહાવીરે આપેલી દેશનામાંથી અનેક સૂત્રો એવાં મળે છે કે જે આધ્યાત્મિક જીવનમાં જેમ ઉપયોગી છે તેમ વ્યાવહારિક જીવનમાં પણ ઉપયોગી છે. ભગવાન મહાવીરે જે કહ્યું છે તેમાં ત્રિકાલાબાધિત સત્ય રહેલું છે. સાધુઓએ વ્યાખ્યાન આપતી વખતે સમ્યકુ ધર્મની પ્રરૂપણા કરવી જોઈએ; શાસ્ત્રથી વિપરીત વ્યાખ્યા ન કરવી જોઇએ; પોતાના વક્તવ્યમાં અભિમાન ન આવવું જોઈએ; પોતાના ગુણો જાહેરમાં ન દર્શાવવા જોઈએ; આત્મશ્લાઘા ન કરવી જોઈએ; અજ્ઞાન શ્રોતાઓની હાંસી ન ઉડાવવી જોઈએ; પોતાનો ઉપહાસ થાય એવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ; અસત્ય વચનો ન ઉચ્ચારવાં જોઈએ; દ્વિઅર્થી ન બોલવું જોઈએ; શાસ્ત્રના અર્થને છુપાવવો ન જોઈએ; પોતાના ગુરુમહારાજ પાસેથી જે પ્રમાણે શીખવા મળ્યું હોય તે પ્રમાણે જ બોલવું જોઈએ, ઘરનું દોઢડહાપણ ન કરવું જોઈએ; સ્વાદ્વાદમય સાપેક્ષ વચનો બોલવાં જોઈએ. અને પટ્ટિર્ન વાળા એટલે કે મર્યાદા વગરનું ન બોલવું જોઈએ-ઇત્યાદિ હિતવચનો વ્યાખ્યાનકારને ઉદ્દેશીને ભગવાને કહ્યાં છે. જાહેરમાં ઊભા થઈ હાથમાં રાખેલા કાગળમાંથી વાંચીને Page #20 -------------------------------------------------------------------------- ________________ णाइवेलं वएज्जा ૧ ૧ બોલવું એ પણ કેટલાક વક્તાને માટે ક્ષોભ પમાડે એવી વાત છે. બે-પાંચ મિનિટ મોઢેથી બોલતાં પણ કેટલાકના પગ ધ્રુજે છે. કેટલાકને થોડા અભ્યાસ પછી પાંચદસ મિનિટ પ્રાસંગિક બોલવાનું ફાવી જાય છે, પણ એક કલાક કોઈક ગંભીર વિષમ ઉપર બોલવા જેટલી શક્તિ તેમનામાં હોતી નથી. ચીવટપૂર્વકના મહાવરાથી બધું જ સિદ્ધ થઈ શકે છે. પરંતુ વસ્તૃત્વશક્તિ ખીલ્યા પછીથી કેટલાક વ્યાખ્યાતાઓને એવો ભ્રમ થાય છે કે જેમ વધારે લાંબું બોલાય તેમ પોતાની શક્તિનાં વખાણ થાય. ગઈ પેઢીના એક સાક્ષર જ્યારે પણ કોઈ વિષય બોલે ત્યારે વચમાં એકાદ વાક્ય તો એવું આવે જ કે “આ વિષય ઉપર હું ધારું તો છ મહિના સુધી રોજ વ્યાખ્યાન આપી શકું.' પોતાની વ્યાખ્યાનશક્તિનું માપ પોતે કેટલો સમય બોલી શકે છે તેના ઉપરથી તેઓ કાઢતા. પરંતુ અનુભવે જણાયું હતું કે એકની એક વાત વિષયાંતરો સાથે દોહરાવ્યા સિવાય તેમની પાસે વિષયનું ઊંડાણ એટલું નહોતું, બલકે એ વિષય ઉપર એક કલાકનું સઘન વ્યાખ્યાન આપવા જેટલી સામગ્રી પણ તેમની પાસે નહોતી. એક વખત વક્નત્વશક્તિ ખીલ્યા પછી ઘણા લાંબા સમય સુધી બોલવું એ કંઈ અઘરી વાત નથી. પરંતુ ઓછા સમયમાં સારું ને મુદ્દાસર કેમ બોલવું તેનું મહત્ત્વ વધારે છે. આપણે ત્યાં સામાન્ય જનતા સમયના માપ પ્રમાણે વક્તાનું માપ કાઢે છે અને વધુ સમય બોલનાર તે વધુ મોટા વક્તા એવો Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ ભ્રમ સેવે છે. કેટલાક વ્યાખ્યાતાઓ પણ એ ભ્રમમાં રહે છે, પરંતુ ઓછી મિનિટોમાં સારું બોલવા માટે વધુ તૈયારી કરવી પડે છે. બેચાર-છ કલાક તો લવારી કરનાર પણ બોલી શકે છે. કૃષ્ણમેનન યુનોની સલામતી સમિતિમાં કાશ્મીરના પ્રશ્ન ઉપર સળંગ સાતેક કલાક બોલ્યા હતા, પરંતુ ત્યારે એમની પ્રશંસા નહિ, ટીકા થઈ હતી. કેટલાક માણસો પાસે વષ્નત્વશક્તિ ઘણી સારી હોય છે, પરંતુ એને લીધે જ તેઓ સંક્ષેપમાં પોતાના વક્તવ્યને રજૂ કરી શકતા નથી. બોલવા બેસે ત્યારે ઘણું લાંબું તેઓ બોલે છે. વસ્તુતઃ તેઓ બોલબોલ કરતા હોય છે. તેમનું વક્તવ્ય પ્રારંભમાં સારું લાગે છે, પરંતુ વેળાને-સમયમર્યાદાને એ અતિક્રમી જાય છે ત્યારે તે નીરસ અને બોજારૂપ બની જાય છે. થાકેલા શ્રોતાઓને પછી તેમાં રસ રહેતો નથી. કેટલાક લોકો બોલવા બેસે છે ત્યારે એમની શ્રવણેન્દ્રિય જાણે બંધ થઈ જાય છે અને પોતે બોલ્યા જ કરે છે. મુખમાંથી શબ્દો જાણે આવ્યા જ કરતા હોય છે. કેટલાકને ”બોલ–વા નામનો જાણે વા કે રોગ ન થયો હોય તેવું જણાય છે. કેટલાક ઉન્માદમાં આવી મિથ્યા પ્રલાપ કરવા લાગી જતા હોય છે. કેટલાક બોલે ત્યારે પોતાને માટે સમય જાણે સ્થગિત થઈ જતો હોય છે. પોતે જાણે “ભાષણ-સમાધિ'માં ઊતરી જતા હોય છે, અને જગાડ્યા વગર તે જાગી શકતા નથી. ક્યારેક વ્યાખ્યાતાના વક્તવ્ય ઉપર એની વૃદ્ધાવસ્થાની અસર વરતાય Page #22 -------------------------------------------------------------------------- ________________ णाइवेलं वएज्जा ૧૩ - . . છે. એક સમયે પોતાની વક્તત્વકલાને લીધે વખણાયેલા વક્તાઓ વૃદ્ધાવસ્થામાં પોતાની એ કલા ગુમાવી બેસે છે અને એમના વક્તવ્યની ગાડી વારંવાર પાટા ઉપરથી ઊતરી જતી હોય છે. પોતે શું બોલી ગયા છે તેની વિસ્મૃતિ થાય છે અને ચવાઈ ગયેલી જૂની વાત નવા ઉત્સાહથી કહેતા હોય છે. કેટલાક વક્તાઓની વિષયની માંડણી જ એટલી લાંબી-પહોળી હોય છે કે એમના વક્તવ્યને માટે ત્રણ-ચાર કલાક પણ ઓછા પડે. કવિ દુલા કાગ કહેતા તેમ “અમને ઓછો સમય આપો એ તો ઓસરીમાં ઘોડો ફેરવવા બરાબર છે. અમારું એન્જિન ગરમ થાય અને વેગ પકડવા જાય ત્યાં તો એને બ્રેક મારવાનો વખત આવે તે અમને કેમ ફાવે ?' અલબત્ત કેટલાક વ્યાખ્યાતાઓ ત્રણ-ચાર કલાક સુધી શ્રોતાઓને પકડી રાખવાની લાયકાત ધરાવતા હોય છે, તો પણ દરેક વખતે તેઓનું વક્તવ્ય પ્રશંસાપાત્ર હોય છે તેવું નથી હોતું. વળી તેમનું આંધળું અનુકરણ કરવા જનારા તો થોડા વખતમાં જ બધેથી બહિષ્કૃત થતા હોય છે. કેટલાક મહાત્માઓ પણ એવા ભ્રમમાં હોય છે કે પોતે જેમ વધુ બોલે તેમ વધુ વખાણ થાય. તેઓ ખોટો માપદંડ લઈને નીકળતા હોય છે. ગંભીર વ્યાખ્યાનનું શ્રવણ કરવાની માણસની ચિત્તશક્તિ એકાગ્રતાપૂર્વક પોણા કલાકથી એક-દોઢ કલાક સુધી કામ કરતી હોય છે. એથી વધુ સમય લેવામાં આવે તો તે વક્તવ્યની અસર પછીથી મોળી પડતી જાય છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ વળી જેમ શ્રોતાનું ચિત્ત થાકે તેમ કંટાળો, ચીડ, અભાવ વગેરે અશુભ અધ્યવસાયો ચાલવા લાગે છે. શ્રોતાઓના ચિત્તને ત્રાસ આપવો એ પણ એક પ્રકારની સૂક્ષ્મ હિંસા છે, એ સમજવાની આવશ્યકતા છે. હમણાં હમણાં તો પોતાના વ્યાખ્યાનની કેસેટ ઉતારવાની ઘેલછા વધતી જાય છે. કેસેટ પૂરી ભરાય એટલા માપે બોલવા જતાં કેટલીક વાર વ્યાખ્યાતાઓને છાશમાં પાણી નાખ્યા કરવું કરતું હોય છે. આપણે ત્યાં કેટલાક મોટા જાહેર કાર્યક્રમો અતિથિવિશેષોના વક્તવ્યથી એટલા બધા લાંબા ચાલતા હોય છે કે આરંભમાં પાંચસો-હજાર માણસ હોય તેમાંથી ચાર-પાંચ કલાકને અંતે પ્રમુખ કે મુખ્ય અતિથિ જ્યારે બોલવા ઊભા થાય ત્યારે પાંચ-પચ્ચીસ માણસની હાજરી પણ રહી હોતી નથી. આયોજન જ દૃષ્ટિ વિનાનું હોય છે. શક્ય એટલા વધુમાં વધુ મહાનુભાવોનાં નામો પત્રિકામાં છપાય છે અને કાર્યક્રમમાં ગોઠવાય છે; અને દરેકને બે-પાંચ મિનિટ આપતાં આપતાં પણ કાર્યક્રમ ચાર-પાંચ કલાકનો થઈ જાય છે. વર્તમાન સમયમાં જાહેર કાર્યક્રમોમાં વિવેક ખાતર કે શરમને ખાતર આવેલા અને બેઠેલા શ્રોતાઓ ઉપર વાણીનો વક્તાઓ દ્વારા એટલો બધો અત્યાચાર થાય છે કે કાર્યક્રમ પૂરો થાય ત્યારે સજા પૂરી થયાનો, છુટકારાનો અનુભવ થાય છે. આપણા સમાજના કેટલાક સમર્થ આગેવાનોને એવી ટેવ હોય છે કે આખો લાડવો પોતે જ ખાઈ લેવો; પછી બીજાઓનું ૧૪ Page #24 -------------------------------------------------------------------------- ________________ णाइवेलं वएज्जा ૧૫ જે થવાનું હોય તે થાય. પોતાને મળેલી પાંચ-દસ મિનિટને બદલે પોણો કલાક જેટલો સમય ઇરાદાપૂર્વક પચાવી પાડીને તે પોતાનું વક્તવ્ય આડુંઅવળું ઝીંકે છે. તે પૈસાથી કે પ્રતિષ્ઠાથી એટલા મોટા હોય છે કે ચિઠ્ઠી મોકલવાની કે ઘંટડી વગાડવાની કોઈ હિમ્મત દાખવી શકતું નથી. તેનો ગેરલાભ લઇને તેઓ આખા પ્રસંગ ઉપર પોતાની વાણીનું વર્ચસ્વ જમાવીને બેસી જાય છે અને બીજાઓને જાણી-જોઈને અન્યાય કરે છે. હમણાં હમણાં જાહેર કાર્યક્રમોને વધુ ઉઠાવદાર બનાવવા માટે એનું સંચાલન કોઈ વિશિષ્ટ વ્યક્તિ (માસ્તર ઓફ સેરેમની) ને સોંપાય છે, પરંતુ આવા ઘણા કાર્યક્રમો વિશિષ્ટ વ્યક્તિના સંચાલનના કારણે જ “અતિવેલા'માં પરિણમે છે અને ડહોળાઈ જાય છે. વક્તાના જન્મથી માંડીને વર્તમાન સમય સુધીનો વિગતે પરિચય અપાય છે અને પ્રત્યેક વક્તાના વક્તવ્ય પછી સંચાલકે થોડી શાયરી, એકાદ ટુચકો અને પોતાનો એકાદ અનુભવ કહેવાની જાણે કે ફોર્મ્યુલા થઈ ગઈ હોય તેમ વક્તાઓના કુલ વક્તવ્યના સમય કરતાં સંચાલકે પોતે લીધેલો સમય બમણો કે ત્રણ ગણો થઈ જાય છે. આવા કાર્યક્રમો આરંભમાં રસિક અને ઉઠાવદાર હોય છે. પરંતુ અંતે તે નીરસ અને થકવનારા નીવડે છે. અતિવેલા'નો લક્ષણાથી એક અર્થ “કવેળા' એવો પણ લઈ શકાય. માણસે યોગ્ય સમયે યોગ્ય બોલવું જોઈએ. આપણામાં Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ કહેવત છે ને કે લગ્નપ્રસંગે મરસિયા ન ગવાય. કેટલાક વક્તાઓ એવી ગ્રંથિથી પીડાતા હોય છે કે તેઓ જાહેરમાં જયાં સુધી પ્રસંગથી વિરુદ્ધ પોતાનો સૂર ન કાઢે અને બેચાર અયોગ્ય શિખામણો ન ઉચ્ચારે ત્યાં સુધી તેમને સંતોષ થતો નથી. આવા વક્તાઓ આખા પ્રસંગને ડહોળી નાખે છે અને વાતાવરણને વિવાદમય બનાવી મૂકે છે. આપણા જાહેર જીવનમાં પડેલી કેટલીક મોટી વ્યક્તિઓ સમારંભોમાં જ્યારે પ્રમુખસ્થાને બિરાજે છે ત્યારે તેમનામાં એવી ગ્રંથિ હોય છે કે પ્રમુખ તરીકે ઉપસંહાર કરતી વખતે વક્તાઓનાં વક્તવ્ય કરતાં કંઈક વિરોધી સૂર કાઢવો જ જોઈએ, અને એ રીતે પોતાની ઉચ્ચતા પ્રસ્થાપિત કરવી જોઈએ. વ્યાખ્યાતાના વ્યાખ્યાનના અભિપ્રેત વક્તવ્ય કરતાં વિરોધી સૂર ઇરાદાપૂર્વક વ્યક્ત કરવો એ ઔચિત્યભંગ ગણાય અને શ્રોતાઓના ચિત્તમાં દ્વિધા ઉત્પન્ન કરીને એમને ક્ષુબ્ધ બનાવનાર કહેવાય. ભગવાન મહાવીરે ફિવેતં વUજ્ઞા આ બે શબ્દમાં જ વાણીના સંયમનો અને વક્તવ્યના ઔચિત્યનો મહિમા કેટલી સચોટ રીતે દર્શાવ્યો છે ! અનેક વક્તાઓએ અને સભાસંચાલકોએ એમાંથી બોધપાઠ લેવા જેવો છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ आतुरा परितावेन्ति [આતુર માણસો પરિતાપ કરાવે છે]. ભગવાન મહાવીરે આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં એક સ્થળે કહ્યું છે કે ચતુરા પરિતાનિ અર્થાત્ આતુર માણસો બીજાને પરિતાપ કરાવે છે. હમણાં હમણાં દુનિયામાં ઘણા દેશોમાં રાજદ્વારી અરાજકતાનું કે આતંકવાદી ઘટનાઓનું પ્રમાણ વધતું જાય છે. અચાનક કેટલાય નિર્દોષ માણસો પોતાના પ્રાણ ગુમાવે છે. પોતાના એક ધ્યેયને પાર પાડવા માટે સત્તાતુર માણસો બીજા અનેક નિર્દોષ માણસોનો પ્રાણ લેતાં અચકતા નથી. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, નેપાલ, કોલંબિયા, લેબનોન, ઇઝરાયેલ વગેરે દેશમાં બનતી હિંસાત્મક ઘટનાઓ આ કથનને પુરવાર કરે છે. ભારતમાં પંજાબ, મીર, આસામ, દિલ્હી, મુંબઈ વગેરે સ્થળે બનતી ભયંકર બોમ્બવિસ્ફોટની ઘટનાઓ બતાવે છે કે પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે માણસ ભયંકર હિંસક ઉપાયો અજમાવીને વેરવાળે છે. માણસ માનવતા ગુમાવી દઈને કેટલી બધી નીચી પાશવી પાયરીએ ઊતરી જઈ શકે છે તે આવી ઘટનાઓ દર્શાવે છે. “આતુર” શબ્દના જુદા જુદા અર્થ થાય છે : આતુર એટલે Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ - અધીરો, આકુળવ્યાકુળ, પોતાની ઇચ્છાઓને તૃપ્ત કરવા માટે ધમપછાડા કરનાર. આતુર એટલે ઘવાયેલો, સ્વમાનભંગ થયેલો, નિરાશ થયેલો માણસ. આતુર એટલે માંદો, અશક્ત માણસ. (સંસ્કૃતમાં આતુરશાલા એટલે ઇસ્પિતાલ.) આતુરતા એટલે ઉત્કંઠા, અપેક્ષા, ભાવના, ઉત્સુકતા, ઇચ્છા વગેરે. પરંતુ આતુરત પરિતાવા માં આતુરતા શબ્દ વિશિષ્ટ અર્થમાં વપરાયો છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે વિષય અને કષાયોને કારણે કેટલાયે જીવો અજ્ઞાનમય, દુઃખમય, દુર્બોધમય અને હીનતામય જીવન જીવે છે. તેઓ પોતાની આતુરતાને કારણે બીજાં પ્રાણીઓને પરિતાપ ઉપજાવે છે. બીજી બાજુ સાચા, સંયમી પુરુષો કોઈ પણ પ્રકારના જીવને પરિતાપ ન થાય, દુઃખ કે કષ્ટ ન થાય એ રીતે પોતાના જીવનનો નિર્વાહ કરે છે. આતુરતા વિવિધ પ્રકારની હોય છે. ક્ષુધાતુર, તૃષાતુર, કામાતુર, ધનાતુર, યશાતુર, પદાતુર, સત્તાતુર, વિજયાતુર એમ ભિન્ન ભિન્ન પ્રકારના આતુર માણસો સંસારમાં જોવા મળે છે અને તે દરેકમાં પણ જુદી જુદી કક્ષા હોય છે. કેટલીક તીવ્ર અને અદમ્ય વાસનાઓ માણસને જંપીને બેસવા દેતી નથી. તેવા માણસો પોતાની વાસનાઓની તૃપ્તિ માટે નિર્લજ્જ બનીને બહુ ઉપદ્રવ કરે છે, કાવાદાવા કરે છે. એમ કરવામાં બીજા લોકોને કષ્ટ પડે તો તેની તેમને ચિંતા હોતી નથી; બલકે બીજાને કષ્ટ આપીને તેઓ રાજી થાય છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ आतुरा परितावेन्ति ૧૯ આતુરતા ઉગ્ર બનતાં તેઓ આક્રમક કે હિંસાત્મક સ્વરૂપ પણ ધારણ કરે છે. ભૂખ લાગી હોય અને માણસ ભોજન માટે તડપતો હોય તો તેવો સુધાતુર માણસ ભોજન ન મળે તો ઉત્પાત મચાવે છે. કહેવાયું છે કે તુમુક્ષતઃ જિ ન રતિ પાપમ્ ? ભૂખ્યો માણસ શું પાપ ન કરી બેસે ? ભૂખથી પીડાતા માણસોએ, ક્ષુધાતુરોએ કશું ન મળતાં સર્પાદિ ખાઈને ભૂખ સંતોષ્યાના બનાવો બન્યા છે. ગઈ સદીમાં ઉત્તર ધ્રુવની શોધસફરે નીકળેલા કેટલાક સાહસિકોએ પોતાનો ખોરાક ખૂટતાં અદમ્ય ભૂખને કારણે પોતાના વહાલા કૂતરાઓને મારીને અથવા છેવટે પોતાના પ્રિય સાથીદારને મારી નાખીને એનું માસ ખાધું છે. દુકાળના વખતમાં સુધાતુર માતાએ પોતાનાં નાનાં કુમળાં બાળકોને મારી નાખીને એનું માંસ ખાઈ પેટ ભર્યાના બનાવો પણ બન્યા છે. ભૂખની વેદનાવાળો માણસ ભૂખ સંતોષવા ગમે તે અભક્ષ્ય ખાવા તૈયાર થઈ જાય છે. તૃષાતુર માણસ ગટરનું પાણી પીતાં પણ અચકાતો નથી. જો ભૂખતરસ જેવી પ્રાથમિક સંવેદનાઓ પણ જ્યારે અતિશય ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે માણસને સ્વાર્થોધ બનાવી દે છે અને તેની પાસે પાપાચરણ કરાવે છે, તો અન્ય ઉગ્ર સંવેદનાઓની તો વાત જ શી ! કામવાસનાની આતુરતા માણસ પાસે ક્યારેક ભયંકર અનર્થો કરાવે છે. કામાતુર જ ભર્યું જ નળા-કામાતુર Page #29 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ માણસોને લાજશરમ રહેતી નથી કે ભય રહેતો નથી’–એવી સાચી લોકાકિત પ્રચલિત છે. કામાતુર માણસો પોતાની વાસના સંતોષવા જતાં વચ્ચે આવનારનું ખૂન પણ કરી નાખે છે. પોતાને જેના તરફ જાતીય આકર્ષણ થયું હોય તેવી વ્યક્તિ બીજાને પરણી ગઈ હોય તો તેને તથા તેને પરણનારને મારી નાખવા સુધીના વિચારો કે કાર્યો થતાં હોય છે. પોતાના ગુપ્ત જાતીય વ્યવહારમાં કોઈ આડે આવતું હોય તો તેનો કાંટો કાઢી નાખતાં માણસ અચકાતો નથી. કેટલીક વાર તો પરપુરુષ સાથેના પોતાના ગુપ્ત સંબંધોને લીધે સ્ત્રીએ પોતાના પતિનું ખૂન કર્યું હોય એવા બનાવો પણ બને છે. પોતાની વાસનાની તૃપ્તિ માટે સ્ત્રી સંમતિ ન આપતી હોય તો તેને મારી નાખવાના બનાવો પણ બને છે. આમ, કામવાસનાની ઉગ્ર આતુરતાના અનર્થો ઘણા જોવા મળે છે. ૨૦ ધનની થોડીઘણી આતુરતા લગભગ બધા જ માણસોમાં હોય છે. પોતાના ગુજરાન માટે પ્રમાણિકતાથી સ્વાભાવિક રીતે ધન કમાવું એ જુદી વાત છે, પરંતુ મોટા ધનપતિ થવાની મહત્ત્વાકાંક્ષા માણસને જ્યારે સતાવે છે ત્યારે તે જાતજાતનાં કુટિલ કાર્યો કરવા પ્રેરાય છે. પોતાના કરતાં બીજી કોઈ વ્યક્તિ ધંધામાં કે ઉદ્યોગમાં આગળ નીકળી ન જાય તે માટે વિવિધ પ્રકારના કપટભર્યા રસ્તાઓ તેને અપનાવવા પડે છે. એવા ધનાતુર માણસો અન્ય લોકોને સતત પરિસંતાપ કરાવતા રહે છે. જ્યારે તેમની આતુરતાની માત્રા અતિશય વધે છે Page #30 -------------------------------------------------------------------------- ________________ आतुरा परितावेन्ति ૨૧ ત્યારે તેમના સ્વભાવમાં પણ ઉગ્રતા અને અભિમાન આવી જાય છે. એનો કષ્ટદાયક અનુભવ સ્વજનોને, સંબંધીઓને પણ થાય છે. એમનું અભિમાન પરિસ્થિતિ બગડતાં આક્રમક સ્વરૂપ ધારણ કરે છે. કોઈએ પોતાનો સ્વમાનભંગ કર્યો હોય અથવા કોઈએ પોતાને મહેણું માર્યું હોય તો તે સહન ન થતાં ધનપતિઓએ બીજાને પાયમાલ કર્યાના કે મરાવી નાખ્યાના દાખલાઓ સમાજમાં વારંવાર જોવા મળે છે. માણસને પોતાના જીવનનિર્વાહ માટે જે કેટલીય વસ્તુઓની જરૂર પડે છે એ માટે તે પરિશ્રમ કરે છે, કમાણી કરે છે અને પોતાને જોઈતી વસ્તુ ન્યાયપૂર્વક મેળવે છે. જ્યાં સુધી આ પ્રકારનો વ્યવહાર ચાલે છે ત્યાં સુધી-આતુરતાને કે સંઘર્ષને એકંદરે અવકાશ રહેતો નથી. પરંતુ ચીજવસ્તુઓ ઓછી હોય અને તે મેળવવા માટે ઉમેદવારો ઘણાબધા હોય ત્યારે દરેકના ચિત્તમાં સ્વાર્થ તરવરી રહે છે. જરૂર પડે તો બળ અજમાવીને, ઝૂંટાઝૂંટ કરીને પણ પોતાને માટે ચીજવસ્તુ મેળવી લેવી જોઈએ એવું માનનારા આતુર લોકો દુનિયામાં ઓછા નથી. થશાતુર માણસો પણ ઓછા નથી હોતા. તેઓ પણ બીજાઓને સંતાપ કરાવે છે. કોઈ પણ પ્રકારે નામના મેળવવી એ એમનું લક્ષ્ય હોય છે. પોતાનાં સગુણો અને કાર્યો અનુસાર કેટલાક માણસની સમાજમાં ચોમેર કીર્તિ સ્વાભાવિક રીતે પ્રસરતી હોય છે. તેઓ બીજાને પરિતાપ કરાવતા નથી. સાચા સાધુસંતો કે સજ્જન માણસો પ્રસિદ્ધિ માટે પુરુષાર્થ કે ચેષ્ટા Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ વરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ કરતા નથી. પરંતુ કેટલાક માણસો સમાજમાં અનેક લોકો પોતાને ઓળખે એટલા માટે કંઈક ને કંઈક તુક્કાઓ દોડાવતા રહે છે. પોતાનાં નાનાં-મોટાં કાર્યની નોંધ જો લોકોએ કે વર્તમાનપત્રોએ લીધી ન હોય તો તેઓ બેચેન બની જાય છે. પોતાનો રોષ અનેક લોકો ઉપર તેઓ ઠાલવે છે. મેનન પ્રારે પ્રસિદ્ધ પુરુષો મવેત્ એ એમનો મંત્ર હોય છે. કેટલાક કીર્તિના વ્યસની માણસોને થોડા દિવસ સુધી જો પ્રસિદ્ધિમાંથી બાકાત રાખવામાં આવે તો તેમની માનસિક બીમારી વધી જાય છે અને તેઓ બીજાને ઉપદ્રવો કરવાનું ચાલુ કરી દે છે. જાહેર જીવનમાં પડેલા કેટલાક માણસો પદાતુર હોય છે. કોઈક સંસ્થામાં કોઈક નાનું કે મોટું પદ મેળવવા માટે તેમની તાલાવેલી એટલી બધી તીવ્ર કે ઉત્કટ હોય છે કે પોતાને તે પદ ન મળે ત્યાં સુધી તેઓ જંપીને બેસતા નથી. માણસને પોતાની પાત્રતા અનુસાર કોઈ પદ સ્વાભાવિક રીતે મળે તો તે જુદી વાત છે. પરંતુ પોતાનામાં પાત્રતા ન હોય તો પણ અમુક પદ મેળવવા માટેની તેમની લાલસા એટલી બધી આવેગમય હોય છે કે તેની જાણ થતાં કેટલાય લોકોને તેમના પ્રત્યે તિરસ્કારનો ભાવ થાય છે; નિંદા અને કલહનું વાતાવરણ સર્જાય છે. પદ મેળવવા માટે આંટીઘૂંટી અને કાવાદાવાની યોજના થાય છે. એકાદ એવા માણસને કારણે બીજા કેટલાય માણસોને પણ માનસિક પરિતાપ થયા કરે છે. ખુદ પદાતુર માણસને પણ માનસિક પરિતાપ ઓછો હોતો નથી. જો પોતે Page #32 -------------------------------------------------------------------------- ________________ आतुरा परितावेन्ति પદ મેળવવામાં પરાજિત થાય છે તો સ્વબચાવ અને પરનિંદાનું તેનું વિષચક્ર લાંબા સમય સુધી ઘૂમ્યા કરે છે. આતુરતાનું મોટું ક્ષેત્ર તે રાજકારણ છે. જેમ દેશ મોટો અને સત્તા મોટી તેમ તેમાં સર્વોચ્ચ પદ મેળવવા માટેના ઉમેદવારો ઘણા બધા રહેવાના. અન્ય ક્ષેત્રો કરતાં રાજકારણમાં પડેલા સત્તાતુર માણસો લોકોને વધુ પરિતાપ કરાવે છે. હવે તો જ્યારે પ્રચાર-માધ્યમો ઘણાં વધી ગયાં છે ત્યારે સત્તાતુર માણસોના કાવાદાવાની ઘણી બધી ગુપ્ત વાતો બહાર આવી જાય છે. પોતાની સત્તા ટકાવી રાખવા માટે માણસ મોટી લાંચ આપે છે, મોટી લાંચ લે છે અને વખત આવ્યે પ્રતિસ્પર્ધી જૂથની વ્યક્તિઓને યુક્તિપ્રયુક્તિથી મરાવી પણ નાખે છે. સામ્યવાદી દેશોમાં સ્ટેલિન અને બીજા સત્તાધીશોએ પોતાના સત્તાકાળ દરમિયાન સત્તાતુરતાને ખાતર હજારો-લાખો માણસોની ગુપ્ત રીતે હત્યા કરાવી નાખી છે. સત્તાનો નશો ક્યારેક આખી પ્રજાને એવો ચડે છે કે તે પાડોશી રાજ્યોનો પ્રદેશ પચાવી પાડવા માટે અથવા તેના ઉપર વર્ચસ્વ જમાવવા માટે યુદ્ધનો આશરો લે છે. દુનિયાનાં તમામ યુદ્ધોના મૂળમાં સત્તા પર રહેલી વ્યક્તિઓની પોતાની સત્તા માટેની અને વિજય માટેની આતુરતા જ કારણરૂપ હોય છે. સત્તા પર રહેવું, વિજયાતુર બનવું અને બીજી બાજુ દુશ્મન દેશો પ્રત્યે ઉદાર બની ક્ષમાની ભાવનાને અપનાવવી એ બે વસ્તુ સામાન્ય રીતે એકસાથે સંભવી ન શકે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ માણસમાં જાગેલી તીવ્ર અભિલાષાઓ તીવ્ર રાગ કે તીવ્ર લેષમાં પરિણમે છે. જ્યારે ઇચ્છા, વાસના, અભિલાષા, આતુરતા ઇત્યાદિની તીવ્રતા, ઉત્કટતા કે ઉગ્રતા મનુષ્યના ચિત્તમાં પ્રવર્તે છે ત્યારે એની સ્વસ્થતા ચાલી જાય છે. સારાસારનો વિવેક કરવાની શક્તિ તે ગુમાવી બેસે છે. એ વખતે સત્ય, ન્યાય, નીતિ, દયા વગેરે સગુણો પણ તેને અપ્રિય થઈ પડે છે. પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે તે નિર્દય બનતાં અચકાતો નથી. બીજા લોકોને માનસિક પરિતાપ પહોંચાડવાની વાત તો હોય જ છે, પરંતુ આવા નિર્દય અને આતુર માણસો બીજાની હત્યા કરવામાં પણ સંકોચ કે લજ્જા અનુભવતા નથી. માણસ જ્યારે સ્વાર્થોધ બની જાય છે ત્યારે માનવતાનો સહજ સદ્ગુણ તેનામાંથી અદૃશ્ય થઈ જાય છે. કેટલાક આતુર માણસોમાં, રાતદિવસ એક જ વાતનું સતત ચિંતન, સેવન કે રટણ કરવાને લીધે, એવી ગ્રંથિ બંધાઈ જાય કે જેથી તેમની પરપીડનની વૃત્તિ આવેગવાળી, ઉન્માદમય બની જાય છે. તેઓ જ્યાં સુધી કોઈકને કષ્ટ આપે નહિ, પરિસંતાપ કરાવે નહિ ત્યાં સુધી તેમને શાંતિ મળતી નથી. કેટલાક પારધીઓ અથવા શિકારનું વ્યસન ધરાવતા માણસો પશુપક્ષીનો શિકાર તો કરે જ છે, પરંતુ પોતે જેનો શિકાર કર્યો હોય તે પશુ કે પક્ષીને જ્યાં સુધી પોતાની નજર સામે તરફડતું જુએ નહિ ત્યાં સુધી તેમને સંતોષ થતો નથી. કેટલાક આતુર લોકોને પરપીડન પ્રકારની આવી ગ્રંથિ વારંવાર Page #34 -------------------------------------------------------------------------- ________________ आतुरा परितावेन्ति સતાવતી રહે છે. જગતમાં જો શાંતિ અને સંવાદિતા સ્થાપવાં હોય, રાષ્ટ્ર અને રાષ્ટ્ર વચ્ચે, પ્રજા અને પ્રજા વચ્ચે બંધુત્વ અને સહકારની ભાવના જો સ્થાપિત કરવી હોય તો પ્રત્યેક કક્ષાએ આતુરતાને સંયમિત રાખવી પડશે. જેમ આતુરતા ઓછી તેમ પરિતાપ ઓછો. આતુરતાને સંયમમાં રાખવા માટે સૌથી પહેલી જરૂર છે સંતોષની. માણસ જ્યાં સુધી પોતાની ઇચ્છાઓને સ્વેચ્છાએ પરિમિત કરતો નથી ત્યાં સુધી આતુરતા ઉપર તે વિજય મેળવી શકતો નથી. ઇચ્છાઓનો કોઈ અંત નથી. માણસે પોતાની શક્તિ, કક્ષા, ગુણવત્તા અને પરિસ્થિતિ અનુસાર પોતાની ઇચ્છાઓને પરિમિત કરતાં રહેવું જોઈએ. એ પરિમિતતા જ્યાં સુધી વ્રતના રૂપમાં આવતી નથી ત્યાં સુધી પરિમિત કરેલી ઇચ્છા પણ અચાનક અપરિમિત બની જઈ શકે છે. આ એનું મોટું ભયસ્થાન છે. માટે વ્રત–પ્રતિજ્ઞા આવશ્યક અને ઉપકારી છે. ઇન્દ્રિય-સંયમ અને ઇચ્છા-પરિમાણ દ્વારા પ્રાપ્ત થતો આનંદ કેટલા ઊંચા પ્રકારનો છે તે વિશેષપણે તો સ્વાનુભવથી જ સમજાય છે. જ્યાં આતુરતાનો અભાવ છે ત્યાં સંયમ, સરળતા, સ્વાભિવકતા, નિર્દોષતા, પ્રમાણિકતા, ન્યાયબુદ્ધિ પ્રવર્તવા માટે વિશેષ અવકાશ રહે છે. કુટુંબ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વમાં શાંતિ અને સંવાદિતા સ્થાપવાં હશે તો પ્રત્યેક કક્ષાએ આતુરતા'ને પરિમિત કરતાં રહેવું પડશે ! ભગવાન મહાવીરે માતર પરિતાત્તિ એ બે શબ્દમાં Page #35 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ સંસારના દુઃખદ સ્વરૂપનું અને મનુષ્યના મનની નબળી લાક્ષણિકતાનું કેટલું વિશદ દર્શન કરાવ્યું છે ! ૨૬ Page #36 -------------------------------------------------------------------------- ________________ दुक्करं करेउं जे तारुण्णे समणत्तणं [યોવનમાં સાધુપણાનું પાલન દુષ્કર છે] છેલ્લા એક-બે દાયકામાં જૈનોના જુદા જુદા સંપ્રદાયોમાં સાધુઓના શિથિલાચારની, દીક્ષાત્યાગની, આપઘાતની, નાણાંની ઉચાપતની બનતી ઘટનાઓએ સમાજને વારંવાર સંક્ષુબ્ધ કરી મૂક્યો છે. વર્તમાન સમયમાં પ્રચાર-માધચ્યો વધ્યાં છે અને સનસનાટીભરી ઘટનાઓ પ્રસિદ્ધ કરી યશ ખાટી જવાની તેઓની વૃત્તિ પણ વધતી જાય છે. એથી ક્યારેક ઘટના નાની હોય તો પણ તેને બહુ મોટું સ્વરૂપ આપવામાં આવે છે. ક્યારેક તો ઉતાવળે ખોટી કે અધૂરી માહિતી અપાઈ જાય છે. અલબત્ત, પ્રચાર-માધ્યમોને ક્યારેય અટકાવી નહિ શકાય. જો કે બીજી બાજુ ક્યારેક તો તેઓ એ દ્વારા સમાજને માહિતગાર અને જાગ્રત કરવાની ઇષ્ટ સમાજસેવા પણ બજાવે છે. પરંતુ જે સાવધ રહેવા જેવું છે તે તો સાધુ સમાજે જ છે. સાધુઓના શિથિલાચારની ઘટનાઓ આજકાલની નથી. વિશ્વામિત્રથી પણ વધુ પ્રાચીન કાળની છે. વસ્તુતઃ જેમ ખોટા દાક્તરો હોય છે, લેભાગુ ઇજનેરો હોય છે, અપ્રમાણિક અધ્યાપકો હોય છે, લુચ્ચા વેપારીઓ હોય છે, ભ્રષ્ટ ન્યાયાધીશો હોય છે તેમ સમાજમાં વખતોવખત શિથિલાચારી સાધુઓના દાખલા પણ બનતા રહેવાના. એવી ઘટનાઓ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ દરેક ક્ષેત્રે કેવી રીતે ઓછી બને તે જ સમાજે વિચારવાનું રહે છે. જેમ સૌથી ઊંચી અને કઠિન પરીક્ષાઓમાં પાસ થનારની સંખ્યા અલ્પ હોય છે તેમ સાધુતાની પરીક્ષામાં સારી રીતે પાસ થનારાઓ અલ્પસંખ્ય જ રહેવાના. એમાં પણ દુનિયાના જુદા જુદા ધર્મોમાં ગૃહત્યાગી સાધુ-સંન્યાસીઓના જે નિશ્ચિત આચાર હોય છે તેમાં સૌથી વધુ કઠિન સાધ્વાચાર જૈન ધર્મમાં ગણાયો છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતનું મન, વચન અને કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું એમ ત્રિવિધે ત્રિવિધ અર્થાત્ નવ કોટિએ નિરતિચાર પાલન કરવું ઘણું જ દુષ્કર છે. આ પાલન પણ કિશોરાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં જેટલું દુષ્કર નથી તેટલું દુષ્કર યોવનાવસ્થામાં છે. એટલે જ ભગવાન મહાવીર સ્વામીએ ઉત્તરાધ્યનસૂત્રમાં કહ્યું છે : जहा अग्गिसिहा दित्ता, पाई होइ सुदुक्करा । तहा दुक्करं करेउं जे तारुण्णे समणत्तणं ।। [જેમ અગ્નિની શિખાનું પાન કરવું દુષ્કર છે તેમ તરુણ વયમાં સાધુપણાનું પાલન કરવું દુષ્કર છે.] ઘરબાર છોડી, માતાપિતા અને સગાંસંબંધીઓનો ત્યાગ કરીને દીક્ષા લેવાનું ઘણું અઘરું છે, પરંતુ દીક્ષા લીધા પછી તેને સાદ્યત નિભાવવું તે એથી પણ ઘણું બધું અઘરું છે અને નિભાવવા કરતાં એને સાચી રીતે શોભાવવાનું તો દુષ્કરમાં Page #38 -------------------------------------------------------------------------- ________________ दुक्करं करेउं जे तारुण्णे समणत्तणं દુષ્કર છે. સમાજની કુલ વસ્તીમાંથી દીક્ષિત થનારની સંખ્યા અડધા ટકાથી પણ ઓછી હોય છે અને દીક્ષિત થયેલાઓમાંથી સંયમધર્મનું સાચી રીતે પાલન કરનારાઓની સંખ્યા તો એથી પણ ઘણી ઓછી રહે છે. દીક્ષા લીધા પછી કલંકરહિત, પરંતુ ગતાનુગતિકતાપૂર્વક યંત્રવત્ દીક્ષાનો ભાર વહન કરીને જીવન જેમતેમ પૂરું કરનારાઓની સંખ્યા પણ ઓછી નથી હોતી. આમ બનવું અસ્વાભાવિક નથી, કારણ કે આ માર્ગ જ એવો કઠિન છે. એટલે જ ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણીસમા અધ્યયનમાં કહ્યું છેઃ वालुयाकवले चेव निरस्साए उ संजमे । असिधारागमणं चेव दुक्करं चरिडं तवो ।। [સંયમનું પાલન રેતીના કોળિયા જેવું નીરસ છે. તેવી જ રીતે તપશ્ચર્યાનો માર્ગ પણ તલવારની ધાર ઉપર ચાલવા જેટલો દુષ્કર છે.] X X X अहिवेगंतदीट्टीए चरिते पुत्त दुक्करे । जवा लोहमया चेव चायेयव्वा सुदुक्करं ॥ [જેમ લોઢાના જવ ચાવવા દુષ્કર છે તેમ સર્પની જેમ એકાન્તદૃષ્ટિથી – એકાગ્રતાથી ચારિત્રનું પાલન કરવું દુષ્કર છે.] ૨૯ X X X Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ जहा भुयाहि तरिउं दुक्करं रयणायरो । तहा अणुवसन्तेणं दुक्करं दमसागरो ।। [જેમ ભુજાઓથી સમુદ્ર તરી જવો દુષ્કર છે તેમ ઉપશાન્ત નહિ થયેલા જીવ માટે સંયમરૂપી સાગર તરી જવો દુષ્કર છે.] છેક પ્રાચીન કાળથી વર્તમાન સમય સુધી દુનિયાના દરેક ધર્મમાં એવા માણસો જોવા મળે છે કે જેઓ ઘરબાર છોડી સાધુ-સંન્યાસી થઈ ગયા હોય. કેટલાક માણસો પ્રકૃતિથી ભોગોપભોગથી વિમુખ હોય છે. પરંતુ જેટલા સાધુ-સંન્યાસી, ભિખ્ખ, પાદરી, ફકીર ઇત્યાદિ થયા હોય તે બધા જ ત્યાગ-વૈરાગ્યની સાચી ભાવનાથી પ્રેરાઈને સંયમના માર્ગે સાચી રીતે પ્રવર્યા હોય એવું નથી. કેટલાકે અજ્ઞાનથી, લાચારીથી, દુઃખથી મુક્ત થવા, તેવો માર્ગ સ્વીકાર્યો હોય છે. કેટલાકને ભોળવીને લઈ જવામાં આવ્યા હોય છે. કેટલાકે પોતે આજીવિકા મેળવવાને અસમર્થ હોવાથી કે મંદબુદ્ધિવાળા હોવાથી, કે કોઈ શારીરિક ખોડ હોવાથી કે પોતે તરંગી વિચિત્ર સ્વભાવના હોવાથી આવો માર્ગ ગ્રહણ કરેલો હોય છે. વેશથી તેઓ સાધુ હોય છે, પણ તેમના હૃદયને વેરાગ્યનો અને સંયમનો પાકો રંગ લાગ્યો નથી હોતો. તેઓ માત્ર દ્રવ્યલિંગી જ હોય છે. કેટલાક સાધુઓમાં તત્કાલ પૂરતો દુઃખગર્ભિત વૈરાગ્યનો ઉદ્રક હોય છે, પરંતુ તે શમી જતાં અને ભોગોપભોગની સામગ્રી સુલભ બનતાં ફરી તેમનામાં સાંસારિક ભાવો અને કલ્પનાઓ Page #40 -------------------------------------------------------------------------- ________________ दुक्करं करेउं जे तारुण्णे समणत्तणं જાગ્રત થાય છે. યૌવનાવસ્થામાં એ વિશેષ પ્રબળ બને છે. વિવિધ ઇન્દ્રિયોની અતૃપ્તિ એમને સતાવે છે અને માનસિક પરિતાપ કરાવે છે. બધા સાધુ એક જ સરખી કોટિના ન હોઈ શકે. કોઈકમાં એક પ્રકારની શક્તિ હોય તો કોઈકમાં અન્ય પ્રકારની, તેવી રીતે કેટલાક સાધુઓમાં જોવા મળતી શિથિલતાઓ પણ એકસરખી ન હોતાં જુદા જુદા પ્રકારની હોય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ તથા અશુભ યોગ મોટા સાધુઓને પણ પતનના માર્ગે લઈ જાય છે. વિષય અને કષાય એ સાધુજીવનના મોટા શત્રુઓ છે. શિથિલતાની દૃષ્ટિએ એવા પાંચ પ્રકારના સાધુ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે કે જે અવંદનીય ગણાય છેઃ (૧) પાર્શ્વસ્થ (પાસસ્થા), (૨) અવસન્ન (ઓસન્નો), (૩) કુશીલ, (૪) સંસક્ત અને (૫) યથાછંદ (જહાછંદો). આ પાંચ પ્રકારના દરેકના પેટા પ્રકાર પણ બતાવવામાં આવ્યા છે. ‘ગુરુવંદન ભાષ્ય’માં કહ્યું છેઃ पासत्थो ओसन्नो कुसील संसत्तओ जहाछंदो । યુ-યુગ-તિ-ટુ-ળેશ-વિજ્ઞા અવંખિન્ના નિવર્ઝન [પાર્શ્વસ્થ, અવસન્ત, કુશીલ, સંસક્ત અને યથાછંદ-આ પાંચેના અનુક્રમે બે, બે, ત્રણ, અને અનેક–એવા પેટા પ્રકાર છે. આ પાંચેયને જૈન દર્શનમાં અવંદનીય કહ્યા છે.] પાસસ્થા (પાર્શ્વસ્થ) એટલે બાજુમાં રહેલા અથવા માર્ગથી બાજુ ૫૨ ખસી પડેલા. જેઓ આત્મામાં નહિ પણ બહાર કે ૩૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ બાજુમાં રહે છે, જેઓ ધર્મમાં નહિ પણ ધર્મની બહાર રહે છે, જેઓ જ્ઞાન, દર્શન અને ચરિત્ર્યરૂપી રત્નત્રયીમાં નહિ, પણ એની બહાર રહે છે તે પાર્શ્વસ્થ. પાર્શ્વસ્થના બે પ્રકાર છે-સર્વ પાર્શ્વસ્થ એટલે સંપૂર્ણપણે ભ્રષ્ટ થયેલા ને દેશ પાર્શ્વસ્થ એટલે અમુક અંશે ભ્રષ્ટ થયેલા. અવસન્ન એટલે જે સાધુઓ પોતાના આચારના પાલનમાં રસહીન, શિથિલ, પ્રમાદી કે અનુત્સાહી હોય. એમના બે પ્રકાર છે–સર્વ અવસન્ન અને દેશ અવસન્ન. કુશીલ એટલે ખરાબ આચરણવાળા. જેઓ જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચારના પાલનમાં પણ દોષવાળા હોય તે. કેટલાક સાધુઓમાં કેટલાક સારા ગુણ પણ હોય અને કેટલાક દોષો હોય તો તેને ‘સંસક્ત’ કહેવામાં આવે છે. યથાછંદ એટલે પોતાની મરજી મુજબ વર્તનારા, ગુરુની આજ્ઞામાં ન રહેનારા, ઉત્સૂત્ર પ્રરૂપણા કરનારા, એશઆરામનું જીવન જીવાવાળા શિથિલાચારી સાધુઓ. તેઓ અનેક પ્રકારના હોય છે. આ પાંચે પ્રકારના સાધુઓને જૈન ધર્મમાં અવંદનીય કહ્યા છે. ૩૨ સાધુઓમાં શિથિલતા આવવાના અઢાર સ્થાન દસવૈકાલિકસૂત્રમાં બતાવ્યાં છે. એમાં પાંચ મહાવ્રતના પાલનની વાત મુખ્ય છે અને એમાં પણ કઠિન વ્રત બ્રહ્મચર્યનું છે. સાધુ-સાધ્વીઓ બ્રહ્મચર્ય વ્રતનું પાલન ક૨વાને અસમર્થ બને છે ત્યારે તેમનામાં આચારની શિથિલતાના વિવિધ Page #42 -------------------------------------------------------------------------- ________________ दुक्करं करेउं जे तारुण्णे समणत्तणं પ્રકારના દોષો ઉદ્ભવવા લાગે છે. બ્રહ્મચર્ય વ્રત એટલું દુષ્ક૨ છે કે તેના યોગ્ય અને યથાર્થ પાલન માટે શીલની નવ વાડ બતાવવામાં આવે છે. એ વાડ સાચવવાથી વિકાર કે પતનનાં દ્વાર બંધ રહે છે. જેઓ આ વાડની બાબતમાં પ્રમાદ સેવે છે તેઓનું ક્યારે પતન થઈ જાય છે તે કહેવાતું નથી. હિંદુ, બૌદ્ધ, ઇસ્લામ કે યહૂદી વગેરે ધર્મોમાં પણ વિજાતીય સાથે દેહસંબંધ ન થયો હોય તો પણ સજાતીય સંબંધો કે સ્વયંસ્ખલનના પ્રસંગો પ્રાચીન કાળથી બનતા આવ્યા છે. અલબત્ત, આવો વર્ગ બહુ નાનો હોય છે, પણ નથી હોતો એમ નથી. વર્તમાનકાળમાં દરેક ધર્મના સાધુ-સાધ્વીઓને જ્યાં એકાંતમાં રહેવાની અને વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરવાથી સગવડ મળતી જાય છે ત્યાં શિથિલાચારનો અવકાશ વધવા લાગ્યો છે. જે ધર્મમાં સાધુ-સાધ્વીજીઓને ફોટા, ટી.વી. કે ફિલ્મ જોવાનો પ્રતિબંધ હોતો નથી તેવાં સાધુ-સાધ્વીઓ એકાંતમાં અશ્લીલ દશ્યો પણ નિહાળી શકે છે. અન્ય ધર્મનાં સાધુ-સાધ્વીઓમાં પણ દુરાચાર વધવા લાગ્યો છે. દુનિયામાં અશ્લીલ ફોટાઓ, ચલચિત્રો વગેરે પ્રકારની સામગ્રી પ્રતિદિન વધતી ચાલી છે અને ટી.વી. કે કોમ્પ્યુટર ઉપર પોતાના ઘરમાં સુલભ થવા લાગી છે: વિદેશોમાં કોમ્પ્યૂટર ચલાવતાં કુમળી વયનાં બાળકો અજાણતાં આવાં દશ્યો ન નિહાળી લે એ માટે મા-બાપ બહુ સચિંત રહે છે. સાધુપણામાં યોવન વયનું એક મોટામાં મોટું જોખમ તે ૩૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ કામવાસનાનું છે. દરેક મનુષ્યમાં (અને પશુઓમાં પણ) કાળક્રમે કામવાસનાનો ઉદય થાય છે. કિશોરાવસ્થા વટાવતાં શરીરમાં જે પ્રકારના ફેરફારો થવા લાગે છે તેથી માણસ કૌતુકવશ બને છે અને કુદરતી આવેગો આવતાં તે સંતોષવાના ઉપાયો શોધે છે. છેલ્લા થોડા વખતથી અમેરિકામાં ખ્રિસ્તી પાદરીઓ સામેના તહોમતનામાના દાખલાઓ વધતા જાય છે. અમેરિકા જેવા વિશાળ દેશમાં પાંચ હજારથી વધુ દેવળો છે અને તેમાં એથી પણ વધુ સંખ્યામાં પાદરીઓ ફરજ બજાવે છે. ખ્રિસ્તી ધર્મમાં પણ સામાન્ય રીતે રોમન કેથોલિક સંપ્રદાયમાં “ફાધર'ની દીક્ષા બાળ બ્રહ્મચારીને જ અપાય છે. પરિણીત ન હોય. બાળ બ્રહ્મચારી હોય એવી વ્યક્તિઓ પાદરી બની હોય તો તેમાંથી કોઈકની અતૃપ્ત સુષુપ્ત કામવાસના જાગ્રત ન થાય એવું નથી. એવી વાસના જાગ્રત થાય અને તે અદમ્ય બની જાય ત્યારે તેવી વ્યક્તિ પોતાની વાસના સંતોષવા વિવિધ તરકીબો અજમાવે છે. દેવળમાં શીખવા આવતા કે ધર્મક્રિયા કરવા આવતા કુમળી વયના દસબાર કે વધારે-ઓછા વર્ષના છોકરાઓ સાથે સજાતીય વ્યવહાર આવા પાદરીઓથી થઈ જાય છે. પછી ટેવ પડે છે અને પકડાય છે ત્યારે તેમની સામે ખટલો ચાલે છે અને તેમને સજા થાય છે. છેલ્લા દાયકામાં પકડાયેલા એવા કેટલાક પાદરીઓ જેલજીવન ભોગવે છે. આપણે ત્યાં જૈન અને અન્ય ધર્મમાં તથા દુનિયાના બીજા Page #44 -------------------------------------------------------------------------- ________________ दुक्करं करेउंजे तारुण्णे समणत्तणं ૩૫ દેશોમાં અને બીજા ધર્મોમાં પણ ઘણા આવા દાખલા બને છે. પણ ત્યાં કાયદો અને લોકમત એટલા પ્રબળ નથી. પરિણામે ગુપ્ત રીતે કામભોગ ભોગવતા સાધુઓ ઉપર કોર્ટમાં કેસ ચલાવવા અને સાક્ષી થવા બહુ ઓછા માણસો તૈયાર હોય છે. યુવાવસ્થા એ સાધુતાની કસોટી કરનારો કપરામાં કપરો કાળ ગણાય છે. ગૃહસ્થોનાં વૈભવી જીવન જોઈને તેવું જીવન જીવવાની ઇચ્છા થવી, કામવાસના જાગ્રત થવી અને તેના આવેગોને શાંત કરવા અસમર્થ થવું, પ્રસિદ્ધ પુરુષ થવાના કોડ જાગવા અને લોકેષણાથી પરાજિત થવું એ યૌવનવયમાં સાધુઓ સામે મોટું ફાડીને બેઠેલા મોટા દુષ્ટ અસુરો છે. એમના ઉપર વિજય મેળવવા માટે અપૂર્વ પરાક્રમની અપેક્ષા રહે છે. યુવાન વયે મહાન તેજસ્વી સાધુઓએ સંયમની અને અધ્યાત્મની ઉત્તમ આરાધના કરી હોય એવા અનેક દૃષ્ટાન્તો જૈન શ્રમણ પરંપરામાં જોવા મળશે. જંબૂસ્વામી, સ્થૂલિભદ્ર, વજસ્વામી, હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી વગેરે બેચાર નહિ, પણ અનેક નામો ગણાવી શકાય. અન્ય ધર્મોમાં પણ એવાં અનેક ઉદાહરણો વિશે જાણવા મળે છે. કેટલાયે મહાત્માઓ થઈ ગયા છે કે જેમનાં નામની આપણને જાણ નથી. કેટલાયે મહાત્માઓ પોતાની આરાધનાની અને આધ્યાત્મિક ઉચ્ચતાની વાત કોઈને જણાવા દેતા નથી કે જાતે પ્રસિદ્ધિમાં આવવા ઇચ્છતા નથી. એટલે સંયમની આરાધનાનો માર્ગ દુષ્કર છે, Page #45 -------------------------------------------------------------------------- ________________ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ પણ અશક્ય નથી. મનુષ્યના ભોગોપભોગની અન્ય ઘણીખરી પ્રવૃત્તિઓ પ્રગટ હોય છે, પરંતુ કામભોગની પ્રવૃત્તિ કાયદેસરની હોય તો પણ ગુપ્ત હોય છે એટલે તે જલદી નજરમાં આવતી નથી, પણ એની વ્યાપકતા સમગ્ર સૃષ્ટિમાં પ્રસરેલી રહે છે. બ્રહ્મચર્ય વ્રતને અસિધારા વ્રત તરીકે ઓળખાવવામાં આવે છે. ખાંડાની ધાર પર ચાલવાનું કદાચ એટલું કઠિન નથી જેટલું કઠિન બ્રહ્મચર્ય વ્રતનું પાલન છે. ઇન્દ્રિયોનાં બીજાં ક્ષેત્રો કરતા કામવાસનાનું ક્ષેત્ર અત્યંત બળવાન છે. એના ઉપર વિજય મેળવવાનું ઘણું જ અઘરું છે, કારણ કે કામવાસનાને સ્પર્શેન્દ્રિય સાથે સંબંધ છે અને સ્પર્શેન્દ્રિયના સંસ્કાર જીવમાં અનાદિકાળથી અવિરત ચાલ્યા આવે છે. વળી શરીરમાં બીજી ઇન્દ્રિયો કરતાં સ્પર્શેન્દ્રિયનું ક્ષેત્ર ઘણું મોટું છે. એકેન્દ્રિય જીવેમાં અન્ય કોઈ ઇન્દ્રિયો નથી હોતી, પણ સ્પર્શેન્દ્રિય તો હોય જ છે. આ અનાદિના સંસ્કારમાંથી નિવૃત્ત થવા માટે ઘણા મોટા પુરુષાર્થની અપેક્ષા રહે છે. આહારને કામવાસના સાથે અવશ્ય સંબંધ છે. બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારા સાધુ કે ગૃહસ્થો જો સ્નિગ્ધ, પૌષ્ટિક આહાર પૂરતા પ્રમાણમાં લેવા લાગે તો એમનામાં વાસનાઓ જાગ્યા વગર રહે નહિ. વચનથી કે કાયાથી કદાચ તે ચલિત ન થાય તો પણ પોતાને ખબર પણ ન પડે એ રીતે વિકારો એમના ચિત્તમાં દાખલ થઈ જાય છે. એવા વિકારી વિચારો Page #46 -------------------------------------------------------------------------- ________________ दुक्करं करेउंजे तारुण्णे समणत्तणं હજારો પ્રકારના હોય છે. જૈન ધર્મમાં દૂધ, દહીં, ઘી, તેલ, કડા (એટલે કડઈમાં તળેલી), ગોળ અને સાકર એ દ્રવ્યોને “વિગઈ' તરીકે ઓળખવામાં આવે છે. “વિગઈ” શબ્દ વિકૃતિ પરથી આવેલો છે. આ પદાર્થોમાં શરીરમાં વિકૃતિ જન્માવવાની શક્તિ રહેલી છે. એટલે એનો ઉપયોગ અત્યંત મર્યાદિત પ્રમાણમાં જ કરવાનો હોય છે. એની અતિ માત્રા વિકાર જન્માવ્યા વગર રહેતી નથી, કારણ કે એથી સપ્ત ધાતુના રૂપાંતરમાં ફરક પડે છે. અને એવો ફરક શરીર ઉપર અથવા છેવટે ચિત્તની વિચારધારા ઉપર પ્રબળ અવળી અસર કરી જાય છે. જેઓ પોતાની વિચારધારાનું દિનરાત સતત અવલોકન કરતા રહે છે તેઓને આ વાત તરત સમજાય એવી છે. આથી જ કેટલાયે જૈન સાધુઓ વિગઇનો ઉપયોગ કરતા નથી અને કેટલાક તો એ ન વાપરવા માટે જીવન પર્યંતનાં પચ્ચકખાણ લે છે. વિગઈનો ઓછો ઉપયોગ થાય તો શરીર કુદરતી રીતે જ કુશ રહે. સાધુ કૃશકાય હોય તો જ શોભે. સાધુ હોવું અને અલમસ્ત તગડા રહેવું એ બંને સાથે હોઈ ન શકે. (સિવાય કે જન્મજાત કોઈ ખોડ હોય). “તમારી તબિયત બહુ ફાંકડી થતી જાય છે” એવું વચન સાધુ માટે શોભે નહિ. જે સંન્યાસીઓ રાત પડ્યા પછી મિષ્ટાન્ન સહિત ભારે ભોજન પેટ ભરીને કરે છે તેઓને ખરાબ સ્વપ્નો આવે છે અને નિદ્રાવસ્થામાં વિકાર અને અલનના પ્રસંગો પ્રાપ્ત થાય Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ છે. વારંવાર બનતા એવા આકસ્મિક પ્રસંગો ચિત્તને અવળી દિશામાં ધકેલે છે અને પછી પોતે પણ એમાં રાચવા લાગે છે. સંયમના પાલનને માટે સૂર્યાસ્ત પહેલાં અસ્નિગ્ધ, અમિષ્ટ આહાર અને તે પણ મિત પ્રમાણમાં હોય એ હિતાવહ મનાયો જૈન ધર્મમાં ઊઠવા-બેસવાની કે સૂવાની ક્રિયાઓ વિશે પણ બહુ સૂક્ષ્મતાથી વિચાર કરવામાં આવ્યો છે. સાધુઓની બેસવાની મુદ્રા પણ સંયમિત હોવી જોઇએ. જેન ધર્મમાં સાધુઓ અને ગૃહસ્થો માટે પંચાંગ પ્રણિપાત સ્વીકારાયો છે. દિંડવત્ પ્રણામનો નિષેધ છે, કારણ કે પોતે કરેલા દંડવત્ પ્રણામ કે અન્ય સ્ત્રી કે પુરુષે કરેલા દંડવત્ પ્રણામનું અભદ્ર દર્શન ઉત્તેજનાનું નિમિત્ત બની શકે છે. જેઓ વિજાતીય વ્યક્તિનું મુખદર્શન પણ કરવા ઇચ્છતા નથી તેઓ દંડવત્ પ્રણામ ન કરે એ જ ઉચિત છે, કારણ કે એમાં પતનનાં સૂક્ષ્મ ભયસ્થાનો છે. સાધુઓએ પગ સંકોડીને પડખે જ સૂઈ જવું જોઇએ જેથી કુદરતી રીતે શારીરિક સંયમ જળવાય અને એથી મન પણ નિર્મળ રહે. દિગંબર મુનિઓ તો એક જ પડખે નિદ્રા કરી લેતા હોય છે. પડખું બદલવાનું થયું કે તરત બેઠા થઈ ધ્યાનમાં બેસી જવાનું હોય છે. વ્રતપાલનમાં શરીરની ક્રિયાઓ અને અવસ્થાઓનો પૂર્વાચાર્યોએ બરાબર અભ્યાસ કરીને સંયમની દૃષ્ટિએ યોગ્ય નિયમો બતાવ્યા છે. દરેક ધર્મમાં તેજસ્વી સાધુઓ પ્રત્યે મહિલા વર્ગનું આકર્ષણ Page #48 -------------------------------------------------------------------------- ________________ दुक्करं करेउं जे तारुण्णे समणत्तणं ૩૯ પરાપૂર્વથી ચાલતું આવ્યું છે. પરંતુ જેઓ પોતાની સાધનામાં સ્થિર છે તેઓ તે વિશે ઉદાસીન રહે છે. કેટલાક મહાત્માઓ યુવતીજનવલ્લભ બને છે. રૂપાળી લલનાઓથી તેઓ વિંટળાયેલા રહે છે. ભક્ત મહિલાઓ તેમનો ચરણસ્પર્શ કરવા ઝંખે છે. ભોળી અને વેવલી ભક્તાણીઓ ગુરુમુખે પોતાનાં જરાક વખાણ થતાં રાજી રાજી થઈ જાય છે અને તેને રાજી કરવા ગમે તે હદ સુધી જવા તૈયાર થઈ જાય છે. એમાં તેઓ પોતાને પરમ ભાગ્યશાળી, પરમ ધન્ય માનવા લાગે છે. તેઓ એમના નામની માળા ફેરવવા લાગે છે. કંઈક કાકતાલીય ન્યાયથી બનતી કે ઉપજાવી કાઢેલી ચમત્કારિક ઘટનાઓને તેઓ ગુરુએ કરેલા ચમત્કારરૂપે માનવા લાગે છે. પરંતુ આવી ઘટનાઓ ગુરુ માટે લપસણી ભૂમિકા તૈયાર કરે છે. અને પોતાને અત્યંત સાવધ માનવા છતાં એવા ગુરુઓ ક્યારે લપસી પડે છે તે અગાઉથી પોતે કળી શકતા નથી. પતન પણ જ્યાં સુધી ગુપ્ત હોય ત્યાં સુધી રોચક બને છે. સારી વક્તત્વશક્તિ એ જેમ સાધુના ગુણપક્ષે છે તેમ એમને માટે ભયસ્થાન પણ છે. એથી સાવધ રહેવાનું છે. સારી વષ્નવશક્તિથી ઘણો પ્રભાવ પડે છે. અનેકના જીવનને માટે તે પ્રેરણારૂપ બને છે. પરંતુ સારી વસ્તૂત્વશક્તિ મોટા ટોળાને ખેંચી લાવે છે. એમાં દુષ્ટ માણસો પણ ખેંચાઇને આવે છે. સારી વાકછટા ક્યારેક સાધવક્તાના મનમાં સૂક્ષ્મ માન કષાય જન્માવે છે. એ વખત જતાં મદિરાનું કામ કરે છે. તે વખતે Page #49 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ કોઈનાં, પોતાના ગુરુનાં સુદ્ધાં, હિતવચન ગમતાં નથી. શ્રોતાભક્તો પાસે ધાર્યું ક૨ાવવાની શક્તિ ખીલતાં આત્મવિશ્વાસ વધે છે, સ્વતંત્ર થવાના વિચારો ચાલે છે, એમ થાય તો નિર્વાહની જવાબદારી ઉઠાવી લેનારા ભક્તો મળી જ આવે છે અને એમ કરતાં કરતાં એક દિવસ સંયમત્યાગનો નિર્ણય લેવાય છે. સાધુ તરીકે પોતે જે જે લોકહિતનું કાર્ય કરે છે તે ગૃહસ્થ તરીકે વધારે સારી રીતે કરી શકશે એવો ભ્રમ પછી સેવાય છે. સૂક્ષ્મ આધ્યાત્મિક સ્વહિતના ભોગે લોકહિતની ભ્રામક પ્રવૃત્તિ થઈ રહી છે એવું ભાન મોહનીય કર્મ પોતાને થવા દેતું નથી અને એક ઉત્તમ જીવ પોતાનું સંસારપરિભ્રમણ વધારી દે છે. એમ થવાનું હતું માટે થયું એવી માન્યતાનું પછી સમર્થન કર્યા વગર છૂટકો નથી રહેતો. સારી વક્તૃત્વશક્તિને લીધે મળતી મોટાઈ ક્યારેક યુવાન મુનિને આત્મવંચના તરફ ધકેલે છે. બહારથી ધર્મની વાત ચાલે, પણ અંતરમાં માયાચાર વધવા લાગે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ લખ્યું છે: માર્ચ મોટાઇમાં જે મુનિ, ચલવે ડાકડમાલા; શુદ્ધ પ્રરૂપક ગુણ વિણ ન ઘટે, તસ ભવ અરહટમાલા. નિજ ગણ સંચે, મન નવિ ખેંચે, ગ્રંથ ભણી જન વેંચે; હુંચે કેશ, ન મુંચે માયા, તો વ્રત ન રહે પંચે. યુવાન શિષ્યોને સંયમના માર્ગે કેળવવાની જવાબદારી ગુરુ ભગવંતની ઘણી મોટી રહે છે. ગુરુ-પારતંત્ર્ય ઉ૫૨ જૈન ધર્મમાં ૪૦ Page #50 -------------------------------------------------------------------------- ________________ दक्करं करेउं जे तारुण्णे समणत्तणं ૪૧ ઘણો ભાર મુકાયો છે. એક આચાર્ય ભગવંતે કહ્યું હતું કે ડોક્ટર કે એન્જિનિયરિંગની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી અને ડિગ્રી મળી એટલે તે સારામાં સારા દાક્તર કે એન્જિનિયર થઈ જ જાય એવું નથી. એ માટે ક્ષેત્રના વડીલ અનુભવીની સાથે કામ કરવાથી સાચું માર્ગદર્શન અને સારો અનુભવ મેળવીને સારા દાક્તર કે ઇજનેર થઈ શકાય છે. તેવી રીતે ચેલાને દીક્ષા આપવાથી તે ઉત્તમ સાધુ થઈ જશે એવા ભ્રમમાં ગુરુએ ન રહેવું જોઈએ પણ પોતાની પાસે રાખીને સંયમના સુંદર પાઠ એને ભણાવવા જોઈએ. નાની ઉંમરનાં છોકરાઓ કે છોકરીઓ માબાપને મૂકીને આવ્યાં હોય તો તેને સતત પાસે રાખીને એટલું વાત્સલ્ય આપવું જોઇએ કે માબાપની યાદ તેઓને ન આવે કે ઘરે જવાનું નામ પણ ન લે. તેવી જ રીતે ચેલાઓને એવી તાલીમ આપવી જોઈએ કે જેથી ભૌતિક વૈભવમાં જેટલું સુખ છે તેના કરતાં ત્યાગમાં અને આત્મભાવમાં ઘણું ચડિયાતું સુખ છે એવી સાચી શ્રદ્ધા એનામાં જન્મ અને ભૌતિક વૈભવ માટે ચિત્તમાં જરા સરખી પણ આસક્તિ ન રહે. તેવી જ રીતે બ્રહ્મચર્યના પાલન માટેનો એનો રસ એવો સરસ કેળવવો જોઇએ કે કામભોગ એને સાવ તુચ્છ, નીરસ, ધૃણાસ્પદ અને હાનિકારક તથા સંસારનું પરિભ્રમણ વધારનાર લાગે. પરંતુ આ બધું બૈચાર દિવસ કે બેચાર મહિનામાં થતું નથી. શિષ્યને ચારપાંચ વર્ષ સતત પાસે રાખી, વાત્સલ્યપૂર્વક એની દેખરેખ રાખવાથી થાય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ શિષ્યને ક્ષતિઓ માટે વારંવાર કડક શિક્ષા કરવાથી પરિણામ એટલું સારું નથી આવતું જેટલું વાત્સલ્યભાવથી પ્રસન્નતાપૂર્વક વશ રાખ્યાથી આવે છે. પરંતુ એમ કરવા માટે ગુરુ ભગવંતે પોતે પણ એટલી જ ઉચ્ચ પાત્રતા કેળવવાની રહે છે અને શિષ્યો માટે એટલો સમય આપવાનો રહે છે. જે ગુરુ ભગવંતમાં પોતાનામાં જ શિથિલતા હોય તે ચેલાને બહુ રોકી કે ટોકી ન શકે. ગુરુ મહારાજને પોતાને જ ભોજનની વાનગીઓમાં રસ પડતો હોય ને તેવી વહોરી લાવવા માટે સૂચના અપાતી હોય, પોતાની યોજના માટે શ્રીમંતોએ લખાવેલી રકમોના અને યોજનામાં થતા ખર્ચના હિસાબો રાતદિવસ ચાલ્યા કરતા હોય, અન્ય સમુદાયના સાધુઓની નિંદા ચાલતી હોય, શ્રીમંત ગૃહસ્થો કે રાજદ્વારી પુરુષોની ખુશામત થયા કરતી હોય, વિજાતીય વર્ગની ઉપસ્થિતિ ગમતી હોય અથવા અન્ય કોઈ પણ પ્રકારની સ્વભાવગત નિર્બળતા હોય તો રાતદિવસ સાથે રહેનાર ચેલાઓથી એ વાત અજાણ રહેતી નથી. ક્યારેક તો આવી ગુપ્ત વાતના સાક્ષી ચેલાઓ પોતાનું કાર્ય કરાવવા માટે ગુરુને “બ્લેક મેઈલ” પણ કર્યા કરતા હોય છે. માટે જ દીક્ષા આપવી જેટલી સહેલી છે તેથી વધુ કઠિન ગુરુ તરીકેની પોતાની પાત્રતા કેળવવાનું છે. જે ગુરુ ભગવંતો પોતે લોકિક પ્રસિદ્ધિની ઘણી બધી પ્રવૃત્તિઓમાં પડી જાય છે અને અનેક ચાહકોથી વિંટળાયેલા રહે છે તેઓ પોતાના ચેલાઓનું બરાબર ધ્યાન રાખી શકતા Page #52 -------------------------------------------------------------------------- ________________ दुक्करं करेउंजे तारुण्णे समणत्तणं ४३ નથી. એ માટે સમય રહેતો નથી. વખત જતાં એક-બે ચેલાઓ માંહોમાંહે મળી જાય છે અને શિથિલાચારના વિચારો પોષાવા લાગે છે અને એમાંથી અનર્થ ઉદ્ભવે છે. જે મહાત્માઓ ચેલા વધારવાની ધૂનમાં યોગ્યાયોગ્યતા કે પૂરી પાત્રતા જોયા વગર જેને–તેને નાની વયમાં મૂડી નાંખે છે તેવા ચેલાઓ જ્યારે તારુણ્યમાં આવે છે ત્યારે પોતાના દેહમાં ઉત્પન્ન થતી વિકૃતિઓને વશ થઈ જાય છે અને અંગત રીતે શિથિલાચારી બની જાય છે. અસંયમની ગુપ્ત તક શોધવા માટે તેઓ ફાંફાં મારે છે. જ્યારે તેઓનો લજ્જાભાવ નીકળી જાય છે, પ્રતિષ્ઠાહાનિનો ભય ચાલ્યો જાય છે, અપકીર્તિની પરવા રહેતી નથી ત્યારે તેઓ દીક્ષા છોડી દે છે. એમાં પણ ચતુર દીક્ષિતો પૂરો આર્થિક પ્રબંધ કરીને તથા ગૃહસ્થ જીવન માટે સાથી પાત્ર બનવા તત્પર વ્યક્તિ સાથે પાર્ક કરીને, જરૂર પડ્યે ક્ષેત્રાંતર કરીને દીક્ષા છોડી દે છે. મોહાંધ ગુરુઓની ત્યારે આંખ ખૂલે છે. યુવાન સાધુઓને સંયમમાં સ્થિર રાખવાના જે વિવિધ ઉપાયો છે તેમાંના મુખ્ય બે છે : (૧) તપથી કૃશ શરીર અને ઉચિત આહાર તથા (૨) સતત સ્વાધ્યાય અને શ્રુતજ્ઞાનનો ઊછળતો રસ. સાચા આરાધક ગુરુ મહારાજો યુવાન ચેલાઓના આહાર પર ચાંપતી નજર રાખતા હોય છે. તેમનામાં રસગારવ ન આવી જાય તે માટે ચીવટ રાખે છે. જે ગુરુ મહારાજા સવારના પહોરમાં છાપું વાંચવા બેસી Page #53 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ જતા હોય છે તેઓ પછી ચેલાઓને છાપું વાંચતાં અટકાવી શકતા નથી. છાપાંઓમાં વિવિધ મસાલેદાર માહિતી સવિ આવતી હોય છે. એક વખત છાપાંઓ, ચોપાનિયાઓ વાંચવાનો અને ખૂન, અપહરણ, વ્યભિચાર, બળાત્કાર વગેરેનાં વૃત્તાંતો જાણવાનો ચટકો લાગે છે, પછી શ્રુતજ્ઞાનમાં એટલો રસ નથી પડતો. આપણું શ્રુતજ્ઞાન સાગર જેવું અગાધ છે. એ એટલું વિપુલ છે કે માણસ એક જિંદગીમાં પૂરું ન કરી શકે. એમાં પણ પસંદગી કરવી પડે. પણ એક વખત જો એમાં ઉત્કટ રસ પડવા લાગ્યો, અને મોક્ષાભિલાષા દૃઢ બનતી ગઈ તો પછી સંસારનાં ભૌતિક સુખો સાવ તુચ્છ, ક્ષણિક અને ભારે કર્મબંધ કરાવનારાં લાગશે. એટલે જે ગુરુ મહારાજો પોતાના યુવાન ચેલાઓના વિષયમાં સતત સચિત રહેતા હોય છે તેઓ તેમને શ્રુતગંગામાં સતત સ્નાન કરાવતા હોય છે. સાધુપણામાં, સંયમમાં સ્થિર રહેવાના વિવિધ ઉપાયો શાસ્ત્રકારોએ દર્શાવ્યા છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર'ના આ ઓગણીસમા અધ્યયનનું જ ફક્ત ભાવપૂર્વક વારંવા૨ પરિશીલન થયા કરે તો પણ સાધુ ભગવંતો પોતાના સંયમમાં–ચારિત્રની આરાધનામાં હોંશપૂર્વક સ્થિર અને દૃઢ રહી શકે. જે યુવાન સાધુઓને પોતાનું ઘર યાદ આવતું હોય તેઓએ બનારસીદાસની નીચેની પંક્તિઓનું સ્મરણ કરવા જેવું છે ઃ ૪૪ Page #54 -------------------------------------------------------------------------- ________________ दुक्करं करेडं जे तारुण्णे समणत्तणं ધીરજ–તાત, ક્ષમા–જનની, પરમારથ-મિત, મહારુચિ-માસી; જ્ઞાન-સુપુત્ર, સુતા-કરુણા, મતિ-પુત્રવધૂ, સમતા-પ્રતિભાસી; ઉદ્યમ–દાસ, વિવેક-સહોદર, બુદ્ધિ-કલત્ર, શુભોદય-દાસી; ભાવ-કુટુંબ સદા જિનકે ઢિગ, યોં મુનિ કો કહિયે ગૃહવાસી. આમ તારુણ્યમાં શ્રામણ્ય દુષ્કર છે, પણ જેઓ એને સુકર બનાવી શકે છે તેઓના આનંદની તોલે જગતમાં બીજો આનંદ નથી. કહેવાય છે : સાધુમારગ સાંકડા, જેસા પેડ ખજૂર; ચડે તે ચાખે પ્રેમરસ, પડે તો ચકનાચૂર. ܀܀܀ ૪૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫ जं छन्नं तं न वत्तव्वं [જે ગુપ્ત રાખવા જેવું હોય તે કહી ન દેવું] ભગવાન મહાવીરે સાધુઓને શિખામણ આપતાં કેટલીક વ્યવહારુ ભલામણો કરી છે, જે તેઓને આધ્યાત્મિક સાધનામાં પણ ઉપયોગી થાય એવી છે. કોઈની ગુપ્ત માહિતી પ્રગટ ન કરી દેવા વિશે ભગવાને મુનિઓને માટે કહેલી વાણીના સંયમની આ વાત ગૃહસ્થોએ પણ એટલી જ લક્ષમાં રાખવા જેવી છે. વ્યવહારુ જીવનમાં મનુષ્યને અનેક પ્રસંગે કેટલીયે વાતો બીજા આગળ જતી અટકાવવી પડે છે. સમાજમાં રહેતા માણસને ટીકા–નિંદા કે અપકીર્તિનો ભય રહે છે. એનાથી બચવા માણસ પોતાની અંગત વાત છાની રાખવા પ્રયત્ન કરે છે. અંગત વાત દરેક વખતે દુરાચારની મોટી ઘટનાની નથી હોતી. કેટલીક વાર તો ખાવાપીવાની, સુવાઊઠવાની કે હ૨વાફરવાની કોઈક વિચિત્ર ટેવ જેવી નાની બાબત પણ હોઈ શકે છે. પણ માણસને બીજાની આગળ પોતાની છાપ બગાડવાની ગમતી નથી. એથી જ તે પોતાની કે પોતાનાં સ્વજનોની કે કુટુંબની કેટલીક વાત ખાનગી રાખવા ઇચ્છે છે. બીજી બાજુ પ્રત્યેક સમાજમાં વિઘ્નસંતોષીઓનો તોટો નથી હોતો. તેઓ ગુપ્ત માહિતી મેળવીને બીજાનાં સારાં Page #56 -------------------------------------------------------------------------- ________________ जंछन्नं तं न वत्तव्वं ૪૭. કાર્યોને ધૂળમાં મેળવી દે છે. એમ ન થાય એ માટે પણ વાતને અપ્રગટ રાખવાની આવશ્યકતા ઊભી થાય છે. કુટુંબમાં માલ-મિલકતની વહેંચણીની વાત કે સગાઈ–સંબંધીની કે ધંધાની લેવડદેવડની વાત પણ વહેલી બહાર પડી જવાથી બંને પક્ષને ઉશ્કેરનારા ઈર્ષાળુ માણસો પ્રવૃત્ત થઈ જાય છે. મનુષ્ય જ્યારથી વસ્ત્ર પહેરતો થયો ત્યારથી કે એની પણ પહેલાંથી એને કશુંક ગુપ્ત રાખતાં આવડવા લાગ્યું છે. મનુષ્યમાં રહેલી આ વૃત્તિ આમ જોઈએ તો જન્મજાત છે. નાના બાળકને પોતાનું રમકડું બીજાં બાળકોને ન આપવું પડે માટે સંતાડી દેવાનું શીખવવું પડતું નથી. એ એનું કુદરતી લક્ષણ છે. ગામના પાદરે કે વગડામાં કૂતરાઓ પણ ખાડો ખોદીને પોતાનું વધેલું ખાવાનું છૂપાવી દે છે. ધન કે કિંમતી વસ્તુ જમીનમાં દાટવાની પ્રથા અનાદિ કાળથી ચાલી આવી છે. શરીરની ચેષ્ટાઓ કે વચનના ઉગારોને સંતાડવા કરતાં પણ મનના વિચારોને સંતાડવાનું ક્ષેત્ર અત્યંત વિશાળ છે. કોઈ સમાજ એવો ક્યારેય હોઈ ન શકે કે જ્યારે એ સમાજની કોઈ ને કોઈ વ્યક્તિને કશુંક છુપાવવાનું ન હોય. પ્રત્યેક પ્રસંગે છુપાવવાનો આશય દુષ્ટ જ હોય એવું નથી. એકનું છુપાવેલું બીજા ન જાણી જાય એવું નથી. અજાણતાં બીજાની નજર પડે છે અને વાત પકડાઈ જાય છે. માણસના હાવભાવ કે વર્તન પણ એની ચાડી ખાય છે. ક્યારેક પોતાની Page #57 -------------------------------------------------------------------------- ________________ ४८ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ અંગત ખાનગી વાત મદદ મેળવવા માટે ગરજે બીજાને જણાવવાની જરૂર ઊભી થાય છે. સમાજમાં બીજાની ખાનગી વાતો જાણનારા વર્ગમાં પત્રકારો અવશ્ય આવે. પરંતુ સાધુસંતો પાસે ઘણી ગુપ્ત વાતોની જાણકારી હોય છે. ફરક એટલો છે કે પત્રકારો પોતાની ફરજ રૂપે, વ્યાવસાયિક ધોરણે વાતો શોધી લાવે છે. સાચા સાધુસંતો કોઈને સામેથી પૂછતા ન હોવા છતાં કેટલાયે લોકો જાતે આવીને પોતાની કે બીજાની અંગત વાતો તેમને કહી જાય છે. પત્રકારોને બીજાની વાત પ્રગટ કરી દેવાનો ઉત્સાહ અને આનંદ હોય છે. સાધુસંતોને બીજાની વાત ગોપવ્યાનો સંતોષ હોય છે. માટે જ સાધુસંતોનું કર્તવ્ય ચડિયાતું ગણાય છે. એટલે જ સાચા સાધુઓએ કોઈની ખાનગી વાત બીજાને ન કહી દેવી જોઈએ એમ ભગવાન મહાવીરે કહ્યું છે. બીજાની વાત કહી દેવી એને ભાષાના-વચનના દોષમાં ગણાવવામાં આવે છે. સાધુઓએ ભાષાસમિતિનો અર્થાત્ વાણી પરના સંયમનો અને વચનગુપ્તિનો બરાબર ઉપયોગ કરવો જોઇએ. ભાષાસમિતિ વિશે “સુત્રકૃતાંગ'માં કહ્યું છેઃ तस्थिमा तइया भासा, जं विदित्ताऽणुतापति । जं छन्नं तं न वत्तव्वं एसा आणा णियंठिया ।। (૧-૯-૨૬) સાધુએ ત્રીજી ભાષા ન બોલવી જોઇએ, જે બોલ્યા પછી Page #58 -------------------------------------------------------------------------- ________________ जं छन्नं तं न वत्तव्वं અનુતાપ (પશ્ચાત્તાપ) થાય તેવી ભાષા ન બોલવી જોઇએ તથા જે વાત ગુપ્ત રાખવાની હોય તે ન કહી દેવી જોઇએ. આ નિગ્રંથની–(ભગવાન મહાવીરની) આજ્ઞા છે.] અહીં ‘ત્રીજી ભાષા’ ન બોલવાનું કહ્યું છે એનો શો અર્થ થાય? એક અપેક્ષાએ ભાષાના મુખ્ય ચાર પ્રકાર પાડવામાં આવે છેઃ (૧) સત્ય, (૨) અસત્ય, (૩) મિશ્ર, અને (૪) વ્યવહાર. આમાં અસત્ય ન બોલવું એ તો સ્પષ્ટ જ છે. સત્ય જ બોલવાનું હોય. પણ ક્યારેય અસત્યમિશ્રિત સત્ય અથવા સત્યમિશ્રિત અસત્ય બોલવા માટે માણસનું મન લલચાઈ જાય છે. ક્યારેક ‘નરો વા કુંજરો વા' જેવી વાણી ઉચ્ચારાઈ જાય છે. એવી વાણીને ત્રીજી ભાષા તરીકે અહીં ઓળખાવવામાં આવી છે. સાધુઓએ એવી સંદિગ્ધ વાણી પણ ન બોલવી જોઇએઃ વળી ભાષાની બાબતમાં ‘સૂત્રકૃતાંગ’માં કહ્યું છેઃ भासमाणे न भासेज्जा, णेव बंफेज्ज मम्मणं । माइट्ठाणं विविज्जेज्जा, अणुचिंतिय वियागरे ।। (૧-૯-૨૫) [મુનિ પોતાના ગુરુ બોલતા હોય ત્યારે વચ્ચે ન બોલે, બીજાના મર્મને પ્રકાશિત ન કરે, માયાકપટથી ન બોલે. જે બોલે તે વિચારપૂર્વક બોલે.] ભાષાસમિતિ અંગે ‘સુત્રધૃતાંગ’ની બીજી એક ગાથામાં કહ્યું છેઃ ૪૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ પ0 વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ होलावायं सहीवायं, गोयावायं न वदे । तुमं तुमं ति अमणुन्नु, सव्वसो तं न वत्तह ।। (૧-૯-૨૭) [મુનિ કોઈને પણ નિષ્ફર વચનથી, હલકાં વચનથી કે ખુશામતભરેલાં વચનથી ન બોલાવે, તથા કોઈને પણ તે તુંકારીને, તુચ્છકારથી, અમનોજ્ઞ વચનથી ન બોલાવે.] આમ ભગવાન મહાવીરે જુદે જુદે સમયે જે બોધ સાધુઓને ભાષાસમિતિ વિશે એટલે કે વાણી પરના સંયમ વિશે આપ્યો છે તેમાંથી “સૂત્રકૃતાંગ'ની આ ત્રણ ગાથાઓ અહીં આપી છે. ભગવાનનું પ્રત્યેક હિતવચન અર્થસભર હોય છે. એમાંથી અહીં આપણે સૂત્રનો વિચાર કરીશું: = છત્રં ન વત્તત્રં . બીજાની છાની વાત, ગુપ્ત વાત કોઈને કહી દેવી, ચાડીચુગલી કરવી તે અધર્મ છે. પશુન્યને મોટા પાપસ્થાનક તરીકે ગણવામાં આવે છે. બીજાની છાની વાત કોઈને ન કહેવી જોઈએ એમાં વ્યવહારદષ્ટિએ કેટલું બધું ડહાપણ રહેલું છે ! પરંતુ આજની દુનિયા એનાથી ઊલટી દિશામાં ચાલી રહી છે. બીજાની છાની વાત શોધી કાઢોએ જાણે વર્તમાનકાળનાં પ્રચાર-માધ્યમોનો એક મુખ્ય ઉદ્દેશ બની ગયો છે. જો કે Investigative Journalism થી લાભ પણ થાય છે. ખાસ કરીને જાહેર જીવનમાં પડેલા માણસો કંઈ પણ છાનુંછપનું કરતાં ડરે છે. અયોગ્ય, હીન, ગુપ્ત આચરણ પ્રગટ થવાથી સમાજને યોગ્ય Page #60 -------------------------------------------------------------------------- ________________ जंछन्नं तं न वत्तव्वं ન્યાય મળી રહે છે, એ દૃષ્ટિએ સમાજને એટલો લાભ અવશ્ય થાય છે. કેટલાયે માણસોનાં કરતૂકો બહાર આવતાં તેઓને યોગ્ય શિક્ષા અદાલત દ્વારા થાય છે અને ઘણી વાર જેમને અન્યાય થયો હોય અને એ વ્યક્તિ જો વિદ્યમાન હોય તો એને યોગ્ય ન્યાય કે વળતર મળી રહે છે. પ્રચાર–માધ્યમોથી માણસ ડરતો રહે છે. દુનિયાભરમાં મોટા મોટા સત્તાધીશોના અશિષ્ટ યોન સંબંધો કે નાણાકીય કૌભાંડો જ્યારે પ્રગટ થાય છે ત્યારે આપણને આશ્ચર્ય થાય છે કે અહો, આવા સજ્જન ગણાતા પુરુષે પણ કેવું અધમ આચરણ કર્યું હતું ! ચોરી, ખૂન, લૂંટ, લાંચરુશવત, બળાત્કાર, ગર્ભપાત, વ્યભિચાર, નિંદાકૂથલી, રાજ્યદ્રોહ, વ્યક્તિદ્રોહ, ભાંગફોડ, નનામા પત્રો વગેરે અનેક પ્રકારની ગુપ્ત ઘટનાઓ દુનિયામાં બનતી રહે છે. એવી કેટલીયે ઘટના પરથી ક્યારેય પડદો ઊપડતો નથી. સંસારમાં કેટલાંયે ગુપ્ત પાપો, કાયમને માટે વિસ્મૃત થઈ જાય છે. કેટલાંયે રહસ્યો ક્યારેય પ્રગટ થતાં નથી. (અલબત્ત આ સામાજિક દૃષ્ટિ છે, ધાર્મિક કે આધ્યાત્મિક દૃષ્ટિએ તો દરેકે દરેક પાપનો હિસાબ ચૂકવવો પડે છે.) એ આચરનારાઓ અને એમની આખી પેઢી ચાલ્યાં જતાં વાત ભુલાઈ પણ જાય છે. વળી નવા કાળસંદર્ભમાં એનું બહુ મૂલ્ય પણ રહેતું નથી. દુનિયામાં ગુનાહિત કૃત્યો અસંખ્ય પ્રકારનાં હોય છે. એવાં Page #61 -------------------------------------------------------------------------- ________________ પર વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ કૃત્યો કરનાર પહેલાં તો એમ માને છે કે પોતાની વાતની કોઈને પણ ખબર પડવાની નથી. એટલી બધી તકેદારી તેઓ રાખે છે. પરંતુ એમ કહેવાય છે કે ચોરી કરનાર કશીક તો પોતાની નિશાની મૂકતો જાય છે કે જેની એને પોતાને પણ ખબર નથી હોતી. અનેક વાતો પાછળથી પકડાઈ જાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બનેલી અનેક ઘટનાઓ પચાસ વર્ષે પણ પ્રકાશિત થઈ છે. માણસને ગુપ્ત રાખવા જેવી બાબતો શુભ, શ્રેષ્ઠ, હિતકારી વગેરે પ્રકારની સામાન્ય રીતે નથી હોતી. હોય તો પણ એ પ્રગટ કરી દેવામાં સામાન્ય માણસોને અનૌચિત્ય નથી જણાતું. એથી ખાસ કંઈ નુકસાન થતું નથી. ક્યારેક તો લાભ થાય છે. સારી–સાચી વાતનો પ્રચાર થવો જોઈએ એવો ભાવ ઘણાંને રહે છે. કોઈક માણસે મોટું ગુપ્ત દાન આપ્યું હોય, કોઈનાં દુરાચારી વ્યસનો છોડાવ્યાં હોય ને એના કર્તુત્વનો યશ પોતાને ન જ જોઈતો હોય-ઇત્યાદિ ગુપ્ત વાતો એક અથવા બીજા સ્ત્રોતથી પ્રસરે જ છે. એમાં કશું અજુગતું લાગતું નથી. પરંતુ માણસે જો ખોટાં કામ કર્યા હોય અથવા પ્રામાણિક ભૂલ થઈ ગઈ હોય તો એની એવી વાતમાં બીજાઓને બહુ રસ પડે છે. મનુષ્યનો નિંદક સ્વભાવ ત્યારે પ્રવૃત્ત થઈ જાય છે. આવી વાતોથી સમાજનું વાતાવરણ કલુષિત થાય છે. ખોટા દાખલા બેસે છે. કલહ, સંઘર્ષ થાય છે. એટલે જ એવી કેટલીક વાતો પ્રચ્છન્ન રહે એ વ્યક્તિ તથા સમાજના જ હિતમાં Page #62 -------------------------------------------------------------------------- ________________ जंछन्नं तं न वत्तव्वं છે. જ્યારે કોઈ વ્યક્તિ ઇરાદાપૂર્વક બેશરમ બનીને વારંવાર અધમ કૃત્યો કરે છે ત્યારે તેને ઉઘાડો પાડવામાં સમાજનું હિત રહેલું હોય છે. ત્યાં વ્યક્તિએ કોઇને વિશ્વાસમાં રાખીને પોતાની વાતો સંતાડેલી હોય છે. દુનિયાને શી ખબર પડવાની છે?—એવો ધૃષ્ટતાભર્યો ભાવ એનામાં હોય છે. “ખબર પડશે તો હું પણ જોઈ લઈશ”—એવો મિથ્યાભિમાનનો હુંકાર એના અવાજમાં હોય છે. એવી વ્યક્તિ પકડાય અને એને સામાજિક કે સરકારી પ્રકારની શિક્ષા થાય તો એમાં તો સામાજિક ન્યાય રહેલો છે. સમાજમાં સૌથી વધુ ગુપ્ત વાતો રાજકારણમાં થાય છે અને એટલી બધી વાતો ઉઘાડી પણ થઈ જાય છે. અસત્ય પણ એટલું જ બોલાય છે ને ખોટા આક્ષેપો પણ એટલા જ થાય છે. રાજકારણમાં પડેલા માણસોએ પોતાનું મોઢું ખોલતાં પહેલાં બહુ વિચાર કરવો જોઈએ. પોતાનો બીજાની આગળ બોલાયેલો એક એક શબ્દ મોડોવહેલો જાહેર થઈ જ જવાનો છે એવી માનસિક પૂર્વતૈયારી એણે રાખવી જ જોઈએ. રાજકારણમાં કોઈ કાયમના મિત્ર રહેતા નથી કે નથી હોતા કાયમના કોઈ શત્રુ. જે સમયે જે રીતે સ્વાર્થમૂલક સંબંધો ગોઠવીને સત્તા હાંસલ કરાતી હોય તે રીતે તેઓ સત્તા મેળવવા મથતા હોય છે. એટલે આજે આપેલી ગુપ્ત રહસ્યમય બાતમીને આવતી કાલે જાહેર કરીને એનો દુરુપયોગ કરનારા રહેવાના Page #63 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ જ. હવે તો અવાજ અને દૃશ્યનું પોતાને ખબર પણ ન પડે એ રીતે રેકિંગ થઈ જાય છે. કોમ્પ્યૂટરની મદદથી ખોટાં બનાવટી પણ સાચાં લાગે એવાં દૃશ્યો બતાવી શકાય છે. ભીંતને પણ કાન હોય છે અને હવા પણ વાત લઈ જાય છે એ જૂની વ્યવહારુ શિખામણ આજે પણ એટલી જ સાચી અને ઉપયોગી છે. ૫૪ સંપૂર્ણ પારદર્શક જીવન જીવવાનું ઘણું દુષ્ક૨ છે. માણસને ધન, સ્ત્રી, સત્તા, કીર્તિ વગેરે માટેની જાતજાતની એષણાઓ હોય છે. એ બધી જ સ્પષ્ટપણે બીજાની આગળ વ્યક્ત કરાતી નથી. માણસને વિવિધ પ્રકારની ખાવાપીવાની, સૂવાબેસવાની, રહેણીકરણીની સુટેવો કે કુટેવો હોય છે. મનના ખૂણામાં કેટલી વાસનાઓ પડેલી હોય છે જેના ફક્ત એકમાત્ર પોતે જ સાક્ષી હોય છે. પરંતુ સંજોગવશાત્ માણસની એ વાતની જાણ ક્યારેક બીજાને થઈ જાય છે ત્યારે માણસ શરમાય છે કે ચિંતિત કે ભયભીત થઈ જાય છે. સંસ્કૃતમાં એક વ્યવહારવચન છેઃ ષટ્ બ્ને મિદ્યતે વાર્તા 1 છ કાન જે વાત સાંભળે તે વાત ભેદાઈ જાય છે, તે ગુપ્ત રહેતી નથી. છ કાન એટલે ત્રણ વ્યક્તિ. જ્યાં સુધી બે વ્યક્તિ વચ્ચે-અર્થાત્ ચા૨ કાન વચ્ચે વાત થાય છે ત્યાં સુધી તે ગુપ્ત રહેવાના સંજોગો સબળ હોય છે. બેમાંથી એકની મતિ બગડે ત્યારે તે વાતને ફોડી નાખે છે. ફોડનાર ત્યારે જાહેર થઈ જાય છે. ત્રણ વ્યક્તિ વચ્ચે વાત થઈ હોય ત્યારે બાકીના બેમાંથી કોણે વાત પ્રગટ કરી દીધી હશે તેની ખબર ન પડે. વાત ફોડનાર Page #64 -------------------------------------------------------------------------- ________________ जं छन्नं तं न वत्तव्वं ૫૫ પણ બીજાના ઉપર આરોપ મૂકીને કહે કે પોતે વાત ફોડી નથી પણ બીજાએ ફોડી છે. માટે ડાહ્યા માણસે પોતાની ગુપ્ત વાત એકસાથે બે કે વધારે વ્યક્તિ ઉપસ્થિત હોય ત્યારે ન કરવી જોઈએ. બે વ્યક્તિને કહેવા જેવી હોય તો પણ તે દરેકને અંગત રીતે એકાંતમાં જુદા જુદા બોલાવીને કહેવી જોઈએ કે જેથી એ વાતનો બીજો કોઈ જાણકાર છે એવો વહેમ સાંભળનારને ન પડે. કેટલાંયે કુટુંબો વર્ષો સુધી પોતાની કૌટુંબિક સ્વભાવની કે સુખદુઃખની નાનીમોટી વાતને ગુપ્ત રાખી શકે છે, પરંતુ એકાદ-બે દીકરા-દીકરીનાં લગ્ન થતાં એ કુટુંબનો ગઢ ભેદાઈ જાય છે. ઘર પોલું થઈ જાય છે. વાતો બહાર જવા લાગે છે. નવી અણસમજુ પુત્રવધૂ પોતાની માને વાત કર્યા વગર રહે નહિ અને મા પોતાનાં સગાંસંબંધીને વાત કર્યા વગર રહે નહિ. કેટલાંક શ્રીમંત કુટુંબોની વાત ઘરનોકર, રસોઇયો, ડ્રાઇવર વગેરે દ્વારા છતી થઈ જાય છે. કેટલાક દુમનો વાત મેળવવા પોતાના માણસોને બીજાને ત્યાં ગુપ્ત રીતે નોકરીએ રખાવી દે છે, અને એની મારફત બાતમી મેળવતા રહે છે. કેટલાક ડ્રાઇવરોને ખબર હોય છે કે પોતાના શેઠ ક્યાં ક્યાં, કોને કોને ઘરે કે ઓફિસે જાય છે. શેઠ કોને વારંવાર “લિફ્ટ' આપે છે, કોને તેડવા માટે ખાનગીમાં ગાડી મોકલાવે છે. પોતાના શેઠ કોની સાથે પૈસાની હેરાફેરી કરે છે, દાણચોરીનો માલ સંતાડે છે, આડો વ્યવહાર રાખે છે, Page #65 -------------------------------------------------------------------------- ________________ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ શસ્ત્રો પૂરાં પાડે છે વગેરે વિશેની બાતમી ડ્રાઇવરો જાણતા હોય છે. એવા ડ્રાઇવરોને મોટી બક્ષિસની, મોટી નોકરીની કે બીજી કોઈ લાલચ બતાવીને કે ધમકી આપીને એની પાસેથી સહજ રીતે વાતવાતમાં વાત કઢાવી લેવાની ચતુર માણસોને માનસશાસ્ત્રીય પદ્ધતિ આવડતી હોય છે. જાસૂસને જાસૂસી કરવા માટે દરેક દેશમાં વૈજ્ઞાનિક પદ્ધતિની તાલીમ અપાય કેટલાક માણસોની પ્રકૃતિ જ વાત કઢાવવાની અને ચગાવવાની હોય છે. “કેમ, શી નવાજૂની છે?” અથવા “તમે સાંભળ્યું ?' જેવાં વાક્યો વારંવાર ઉચ્ચારનારા બીજાના મોઢામાં આંગળા નાખીને વાત કઢાવવાનો પ્રયત્ન કરે છે. પ્રશ્નોની ઝડી તેઓ શરમ રાખ્યા વગર વરસાવે છે. થોડો વખત તેઓ સમાજમાં લોકપ્રિય કદાચ થાય છે. પરંતુ સરવાળે વગોવાય છે અને સૌ એમનાથી અંતર રાખે છે. કેટલીક વાર ઘટના જ એવી બને છે કે બીજી–ત્રીજી વ્યક્તિને અજાણતાં ખાનગી વાતની ખબર પડી જાય છે. તો કેટલીક વાર ડોક્ટર, વકીલ, પોલીસ કે એવો વ્યવસાય કરનાર આગળ ગરજે પોતાની ખાનગી વાત કરવી પડે છે. કેટલીક વાર જેની સહાય વિના ઉકેલ આવે એમ ન હોય એવા માણસ આગળ સામે ચાલીને જવું પડે છે અને પોતાની વાત કહેવી પડે છે. આવા અનપેક્ષિત સંજોગોમાં બીજી–ત્રીજી વ્યક્તિ જ્યારે એક વાત જાણી જાય છે ત્યારે એને ચૂપ રાખવા માટે કિંમત ચૂકવવી Page #66 -------------------------------------------------------------------------- ________________ जंछन्नं तं न वत्तव्वं ૫૭. પડે છે. ક્યારેક એના “બ્લેકમેઇલ'ના-ધાકધમકીના ભોગ થવું પડે છે. કેટલીક ગુપ્ત બાબતો સમયબદ્ધ હોય છે. અમુક નિશ્ચિત સમય સુધી જ તે ગુપ્ત રાખવાની હોય છે. પછીથી એ ગુપ્ત રાખનારાઓ તરફથી એની જાહેરાત થયા છે અથવા આપોઆપ તે પ્રગટ થઈ જાય છે. કોઈકની સગાઈ કે લગ્નની વાત, કોઈક ધંધાની લેવડદેવડની વાત, ઘર, ગાડી કે બીજી કોઈ ખરીદીની વાત, કોઇકના ઓપરેશનની, કોઈક દીક્ષાની, સંન્યાસની, ગૃહત્યાગની વાત, કોઈકના અદાલતના ખટલાની વાત, પરીક્ષાના પરિણામોની વાત, રાજકીય દાવપેચની વાત નિર્ધારિત કાળ સુધી ગુપ્ત રાખવી પડે છે. સંરક્ષણના વિષયમાં શસ્ત્રોની, સૈનિકોની ટુકડીઓની હેરફેરની, આક્રમણની વાત અત્યંત ગુપ્ત રખાય છે. સરકારી પ્રધાનોને કેટલીક માહિતી સોગંદવિધિ પછી જ અપાય છે. આવી કાળબદ્ધ મર્યાદાની ગુપ્ત વાત અગાઉથી જો કોઈ જાહેર કરી દે તો યોજના બગડી જાય છે, પરિણામ ધાર્યું આવતું નથી અથવા ઊલટું આવે છે. ઘણી ગરબડ મચી જાય છે અને દુશ્મનો ગેરલાભ ઉઠાવી જાય છે. આવી ગુપ્ત વાતો જો જાણતાં હોઈએ તો પણ તે પ્રગટ ન કરી દેવી જોઈએ. કેટલાક માણસો એટલા જૂઠા અને એટલા હોંશિયાર હોય છે કે ન હોય એવી વાત ઉપજાવીને અંગત વર્તુળોમાં એનો પ્રચાર કરે છે અને પછી એવી ન બનેલી વાતો પણ લોકો Page #67 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ માનવા લાગે છે. એટલા માટે માણસે પોતાનું જીવન જ એવું સ્વચ્છ અને સ્વસ્થ રાખવું જોઈએ કે ક્યારેક કોઈ ખોટું આળ મૂકીને પ્રચાર કરવા જાય તો તે ભોંઠો પડે. લોકો એ માનવા ક્યારેય તૈયા૨ ન થાય. સાધુસંતોનું જીવન ખુલ્લી કિતાબ જેવું, સ્વચ્છ ને પારદર્શક હોય છે. મન, વચન અને કર્મની એકરૂપતા એમના જીવનમાં હોય છે. આત્મકલ્યાણ અને લોકકલ્યાણની એમની ભાવના બહુ પ્રબળ હોય છે. એમને પોતાનું કશું છુપાવવાનું હોતું નથી. એટલે એમને માટે કરાયેલા ખોટા આક્ષેપો કે એમના જીવનરૂપી સૂર્યના પ્રકાશને મેલો કરવાના પ્રયત્નો વૃથા નીવડે છે. કેટલાક માણસો પોતાનાથી થયેલી ભૂલને પોતાના હૃદયમાં ઝાઝો વખત રાખી શકતા નથી. એનો એમને એવો પસ્તાવો થાય છે કે જ્યાં સુધી એ વિશે તેઓ હૃદય ખોલીને કોઈને કંઈ વાત ન કરે ત્યાં સુધી તેમને ચેન પડતું નથી. પાપનો એકરાર અને પ્રાયશ્ચિત્ત એ મનુષજીવનનું સ્વાભાવિક લક્ષણ છે. માણસે પોતાની પેટછૂટી વાત કોઈને કરવી જ હોય તો યોગ્ય પાત્રને, યોગ્ય સમયે જ કહેવી જોઈએ. જગતમાં બધા જ માણસો ખરાબ નથી હોતા. કેટલાયે બીજાની વાતોને જીવનભર સાચવી રાખે છે. પરંતુ અધકચરા, અણસમજવાળા, ઉતાવળિયા સ્વભાવના, વાતડાહ્યા, અતિ ઉત્સાહી, જશ ખાટવાની વૃત્તિવાળા, નિંદક સ્વભાવનાં, વૈરવૃત્તિવાળા, બીજાની ચડતી જોઈ ખેદ અનુભવનારા, બે જણને લડાવે ૫૮ Page #68 -------------------------------------------------------------------------- ________________ जं छन्नं तं न वत्तव्वं ૫૮ નહિ ત્યાં સુધી સંતોષ ન અનુભવનારા, સ્વાર્થઘેલા, સંકુચિત મનોવૃત્તિ ધરાવનારા-એવા કોઈકને જો કોઈ ખાનગી નબળી વાતની ખબર પડે તો તેનો ગેરલાભ ઉઠાવ્યા વગર તે રહી શકતા નથી. એવા માણસ આગળ પોતાની અંગત વાત કરતાં પહેલાં માણસે સો વખત વિચાર કરવો જોઇએ. સમાજમાં કેટલીયે એવી સંનિષ્ઠ, પ્રમાણિક, નીતિમાન, આદરપાત્ર વ્યક્તિ હોય છે કે જે બધાંનો વિશ્વાસ ધરાવે છે. એમની આગળથી કોઈની વાત બીજા પાસે જતી નથી. એવી વ્યક્તિ ખાનગી રાહે સાચી સલાહ પણ આપે છે. હૃદય ખોલીને પોતાની અંગત ગુપ્ત વાત કરવા માટે સાધુસંતો જેવું અન્ય કોઈ સ્થાન નથી. સાધુસંતો કોઈની ગુપ્ત વાત છતી કરતા નથી, એટલું જ નહિ પણ કોઈની અંગત વાત જાણવામાં એમને રસ પણ નથી હોતો. પ્રશ્નો પૂછીને વાત કઢાવવાનો કે બીજાને શરમાવવાનો તેમનો સ્વભાવ હોતો નથી. એટલે જ સમાજમાં તે સૌથી વધુ વિશ્વસનીય મનાય છે. ભારતીય સંત પરંપરામાં હિંદુ, જૈન, બૌદ્ધ એ ત્રણે ધર્મમાં પાપના એકરારની પ્રથા છે. ગુરુ સમક્ષ એકાંતમાં માણસ પોતાના પાપોની “આલોચના' કરે છે અને ગુરુ મહારાજ કહે એ પ્રમાણે પ્રાયશ્ચિત્ત લેવાય છે. પોતાના દોષોની કબૂલાત ગુરુ સમક્ષ ક્યારે અને કેવી રીતે કરવી એના નિયમો બહુ ઝીણવટપૂર્વક આપણાં શાસ્ત્રોમાં આપેલાં છે. “આલોયણાનો વિષય એક સ્વતંત્ર વિષય છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ ખ્રિસ્તી ધર્મમાં એકરાર (Confessions) ની પ્રથા હોય છે. માણસે કોઈ પાપ કર્યું હોય તો દેવળમાં જઈ પાદરી પાસે તેનો એકરાર કરે છે અને પાદરી કહે તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત લે છે. એક કેબિન જેવી રચનામાં પાદરી બેસે છે. પાદરીના કાન પાસે કેબિનના લાકડામાં એક કાણું કરેલું હોય છે. એકરાર ક૨ના૨ી વ્યક્તિ ઘૂંટણીએ પડી બહારથી એ કાણામાં બોલે છે જે પાદરી સાંભળે છે. પાપનો એકરાર કરનારી વ્યક્તિને પાદરીએ જોઈ નથી હોતી કે એકરાર કરનારી વ્યક્તિએ પાદરીને જોયા નથી હોતા. આમ કોણે કોની પાસે એકરાર કર્યો તેની ખબર નથી પડતી. (એકબીજાને જોઈ-જાણી શકે એ રીતે પણ એકરાર થાય છે.) આવી એકરાર કરવાની પ્રથામાં પણ એકરાર સાંભળનાર પાદરી કાચી ઉંમરનો ન હોવો જોઈએ, તે એકરાર કરનાર પાપી સ્ત્રી-પુરુષનો તન, મન, ધનથી ગેરલાભ ઉઠાવનાર ન હોવો જોઈએ, એકરારની વાતને છતી કરી દે એવો ક્ષુલ્લક મનનો કે અભિમાની તે ન હોવો જોઈએ, પાપીને અકારણ વધારે પડતી સજા કરનાર ન હોવો જોઈએ, પાપીને માનસિક રીતે ત્રાસ આપનાર કે ગુલામ બનાવી દેનાર ન હોવો જોઈએ–વગેરે બાબતો વિશે બહુ જ ચીવટ રાખવામાં આવે છે. રોજેરોજ કેટલાયે માણસોનાં પાપોનો એકરાર સાંભળનારા પાદરીના મુખમાંથી ક્યારેય ક્યાંય એક શબ્દ પણ નીકળતો નથી કે પોતાને ઘણાંનાં પાપોની ખબર છે એવી સભાનતાનો ભાસ એમના ચહેરા ૬૦ Page #70 -------------------------------------------------------------------------- ________________ जंछन्नं तं न वत्तव्वं પર આવતો નથી. આ જ એમની મહત્તા છે. સંતની સંતપણાની કસોટી આવી ગુપ્ત વાતોના પ્રગટીકરણ વખતે થતી હોય છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ સંત મહાત્માઓ બીજાની પ્રચ્છન્ન વાત કોઈને કહેતા નથી. સમાજમાં જ્યારે કોઈક વ્યક્તિ પોતાની ટીકાનિંદા કરવાનું ચાલુ કરે છે ત્યારે માણસને એની વર્ષોથી સાચવેલી ગુપ્ત વાત પ્રગટ કરીને એને સીધો કરી દેવાનું મન થાય છે. પોતાને કોઈ આર્થિક નુકસાન થયું હોય, બીજા દ્વારા અપકીર્તિ થતી હોય, ખોટા આક્ષેપો પોતાના પર થતા હોય, જાતજાતની ધમકીઓ મળતી હોય ત્યારે વેર લેવાના ભાવથી, બીજાને પરાજિત અને શાન્ત કરી દેવાના આશયથી એની મોટી ગુપ્ત વાત પ્રકાશિત કરી દેવાની લાલચ માણસ રોકી શકતો નથી. એમ કરવાથી પરિસ્થિતિ તરત જ પોતાને અનુકૂળ થઈ જવાની સંભાવના હોય છે. પરંતુ એવે વખતે જ માણસના સત્ત્વની કસોટી થાય છે. જેઓ ત્યાગી છે, નિસ્પૃહ છે તેઓ તો બધી વાત હૃદયમાં રાખી શકે છે. પોતાના હૃદયમાં બીજાની ખાનગી વાત છે એવો અણસાર પણ તેઓ બીજા આગળ આવવા દેતા નથી. સાધુને કોઈની ખાનગી વાત બીજાને કહી દેવાનું પ્રયોજન જ ન હોવું જોઈએ. વસ્તુતઃ જે સાધક છે તેનું તો એ દિશામાં લક્ષ્ય જ હોતું નથી. એક દૃષ્ટિએ જોઈએ તો બીજાની ગુપ્ત વાતને પોતાની પાસે જીવનના અંત સુધી ગુપ્તપણે સાચવી Page #71 -------------------------------------------------------------------------- ________________ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ રાખવી એ પણ ઘણી કઠિન સાધના છે. કેટલાક તો પ્રાણ જાય પણ વાત જવા ન દે એવી કોટિના હોય છે. સાચા સાધકો તો એથી પણ ઘણા આગળના તબક્કાની સાધના કરવાવાળા હોય છે. પોતાની પાસે કોઈની ગુપ્ત વાત છે એટલી સભાનતા પણ તેમને રહેતી નથી. કોઈ પ્રસંગે ખાસ એ વાત કરવાની આવશ્યકતા ઊભી ન થાય તો એ વાત એના જીવનમાં વિસ્મરણ જેવી બની જાય છે. તેઓની પાસે ઘણાંની ઘણી નબળી વાતો ગુપ્તપણે આવતી રહેતી હોય છે તો પણ તેઓ તો સંસારની વિષમતા વિશે અને જીવોના શુભાશુભ કર્મોના ઉદય વિશે, સાક્ષીભાવે ચિંતન કરતા હોય છે. જેઓ જ્ઞાતાદ્રષ્ટાની દશા સુધી પહોંચે છે તેમને માટે આવું ભાવચિંતન સહજ અને સાધનામય બની જાય છે. જેઓ સરળ છે, નિસ્પૃહ છે, નિરભિમાની છે, સ્વસ્થ છે, સત્યનિષ્ઠ છે, ઉચ્ચત્તમ આધ્યાત્મિક ધ્યેયને વરેલા છે, તેઓને પોતાના જીવનમાં કશું છુપાવવા જેવું હોતું નથી. જેમને કશું છુપાવવાનું નથી હોતું તેઓ નિર્ભય હોય છે. જેઓ બીજાની અનેક ખાનગી વાતો જાણવા છતાં નિર્લોભી છે, નિરાકાંક્ષી છે, ક્ષમાશીલ છે, હિતેચ્છુ છે, સંસારના સ્વરૂપનું ચિંતનમનન કરવાવાળા છે તેઓને બીજાની ગુહ્ય વાત પ્રકાશિત કરવાનું કોઈ પ્રયોજન હોતું નથી. બીજાની ગુહ્ય વાતોને પોતાના પેટમાં આજીવન સમાવી દઈને સંત બનવું એ કાર્ય સરળ નથી. Page #72 -------------------------------------------------------------------------- ________________ अट्ठजुत्ताणि सिक्खिज्जा, निरट्ठाणि उ वज्जिए। [અર્થયુક્ત વાતો શીખવી, નિરર્થકને ત્યજી દેવી] આ વાત તો સાવ સહેલી લાગે છે, પણ તેનો અમલ કરવાનું એટલું સહેલું નથી. કામની વાત શીખવી અને નકામી વાતને છોડી દેવી એ સાચું, પણ કઈ વાત કામની છે અને કઈ નકામી છે એની કેમ ખબર પડે ? એ કોણ સમજાવે ? જીવનમાં શીખવા જેવું ઘણું છે. વિકાસશીલ વ્યક્તિને તો હરહંમેશ નવી નવી વાતો શીખવા મળે છે. જેનું લક્ષ્ય પ્રગતિ પર છે તેની પાસે તો પોતાના પૂરતો એક માપદંડ આવી ગયો હોય છે. અલબત્ત, એ જ સાચો છે એમ સર્વાર્થે ન કહી શકાય, પણ એની વિકાસોન્મુખતા અવશ્ય પ્રશંસાપાત્ર બને છે, કારણ કે જીવન સતત વિકાસશીલ છે. ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના વિનયશ્રુત નામના પહેલા અધ્યયનમાં કહ્યું છેઃ निसन्ते सिया अमुहरी, बुद्धाणं अतिए सया । अद्रुजुत्ताणि सिक्खिजा, निरट्टाणि उ वज्जिए ।। [સાધકે અત્યંત શાન્ત રહેવું, અસંબદ્ધ બોલવું નહિ, જ્ઞાનીજનોની સમીપે રહેવું, તેમની પાસેથી પરમાર્થયુક્ત વાતો શીખવી અને નિરર્થક વાતોને છોડી દેવી.] Page #73 -------------------------------------------------------------------------- ________________ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રમાં શિષ્યને વિનયી બનવા માટે ભિન્નભિન્ન દૃષ્ટિકોણથી જે શિખામણ આપી છે તેમાં દસ મહત્ત્વના ગુણ કેળવવાનો નિર્દેશ કર્યો છે. એ દસ આ પ્રમાણે છેઃ (૧) ગુરુજનોની હાજરીમાં હંમેશાં શાંત રહેવું, (૩) વાચાળ ન બનવું, (૩) સાર્થક પદ શીખવા અને નિરર્થક વાત થોડી દેવી, (૪) ગુરુ અનુશાસન કરે, શિક્ષા કરે ત્યારે ક્રોધ ન કરવો, (૫) ક્ષમાશીલ બનવું, (૬) હલકા માણસો સાથે સંબંધ ન રાખવો, તેમની સાથે મજાકમશ્કરી ન કરવાં, (૭) દુષ્ટ કાર્યો ન કરવાં, (૮) યોગ્ય સમયે સ્વાધ્યાય કર્યા પછી ધ્યાન કરવું, (૯) મિતભાષી થવું, અને (૧૦) દુષ્ટ કાર્ય થઈ ગયું હોય તો ગુરુ સમક્ષ તેનો સ્વીકાર કરી લેવો. આ દસ શિખામણમાંથી ઉપર કહેલી ફક્ત એકનો અહીં વિચાર કરીશું – સાર્થક વાત શીખવી અને નિરર્થક છોડી દેવી. માણસ નિરર્થક વાત છોડી દેવાનું શીખે તો આપોઆપ કામની વાત શીખવા લાગે. પરંતુ મનુષ્યનો સ્વભાવ એવો પ્રમાદી છે કે નિરર્થક વાત તે જલદી છોડી શકતો નથી. ભગવાન મહાવીરે અધ્યાત્મમાર્ગના સાધક માટે જે વાત કરી છે તે વ્યવહારુ જીવનમાં પણ એટલી બધી ઉપયોગી છે. કોઈ પણ સફળ માણસની સિદ્ધિનું રહસ્ય એ છે કે એણે નકામી વાતોમાં સમય વેડફી નાખ્યો નથી. જે ઓએ જીવનમાં ભૌતિક કે આધ્યાત્મિક સિદ્ધિ મેળવવી હોય તેઓએ સારાસાર વિવેક કરવો જ પડે. Page #74 -------------------------------------------------------------------------- ________________ अजुत्ताणि सिक्खिज्जा, निरद्वाणि उ वज्जिए । ૬૫ કેટલાયે માણસોને સમય કેમ પસા૨ ક૨વો તેની સૂઝ પડતી નથી. તેમનો સમય પસાર થતો નથી એટલે તેઓ આમતેમ ફાંફાં મારતા હોય છે. તેમને ચેન પડતું નથી. જેમતેમ કરીને વેઠપૂર્વક તેઓ દિવસ પૂરો કરે છે. એવા લોકોની જિંદગીનું કશું મૂલ્ય નથી. કોઈપણ માણસને પૂછવામાં આવે કે ‘તમને તમારી જિંદગી ફરી જીવવાની મળે તો તમે એમાં કેવો ફેરફાર કરશો ?’ તો કોઈક જ માણસ એવા મળે કે જે કહે કે પોતાને જે જિંદગી મળી છે બરાબર તે જ પ્રમાણે પોતાને જીવવી છે. પોતાને એમાં કશો ફેરફાર કરવો નથી. દરેક માણસે જીવનમાં કંઈક ભૂલો કરી હોય છે. એવી ભૂલો ફરીથી ન થાય એવું માણસ ઇચ્છે. કૌટુંબિક સંબંધો, પત્ની, સંતાનો, વગેરેના પ્રશ્નો, નોકરી-ધંધાની સમસ્યાઓ અને સફળતાઓ, આરોગ્યની બાબતો, સ્વભાવની વિચિત્રતાઓ, કેટલીક ટેવો ઇત્યાદિ વિશે માણસ જરૂર ફેરફાર ઇચ્છે કે જેથી પોતે જેવું જીવન જીવ્યા તેના કરતાં વધુ સારું જીવન જીવવા મળે. શાળા-કૉલેજની કે યુનિવર્સિટીની પરીક્ષાઓમાં દુનિયાભરમાં જેમ અસંખ્ય વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થાય છે તેમ લાખો વિદ્યાર્થીઓ નાપાસ પણ થાય છે. નાપાસ થના૨ વિદ્યાર્થી પાસે નાપાસ થવાનાં કારણો હોય છે, જેમાંનું એક કારણ તેણે પોતે જેટલો સમય અભ્યાસ માટે આપ્યો તેટલો Page #75 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ ઓછો હતો. જે વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હોય તે બધાને પોતાના પરિણામથી સંતોષ હોતો નથી. મતલબ કે સરેરાશ દરેકને એમ લાગે છે કે પોતે જો આમ કર્યું હોત તો આમ ન થાત. એટલે કે દરેક વિદ્યાર્થીએ થોડોક સમય તો નિરર્થક વાતોમાં બગાડ્યો છે. સતત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પણ એવો ફરક રહેવાનો કે કેટલાકે જે મહત્ત્વનું હતું તે ઓછું વાંચ્યું હોય ને જે નિરર્થક હતું તે વાંચવામાં સમય વેડફી નાખ્યો હોય. કુદરતનો ક્રમ એવો છે કે જૂની પેઢીના માણસો કાળક્રમે વિદાય લેતા જાય છે અને નવી પેઢીના યુવાનોના હાથમાં સમાજનાં સૂત્રો આવે છે. કોઈ પણ એક વ્યક્તિએ પોતાના સમકાલીનો વચ્ચે જે મોટું કાર્ય કર્યું હોય તેની કદર કરનારા ત્યારે હયાત હોય છે ને ઠેરઠેર એની વાતો થાય છે, પરંતુ થોડાક સમકાલીનો વિદાય થઈ જાય છે, પછી એવી વાતો સાંભળનાર કે પ્રશંસા કરનાર વર્ગ રહેતો નથી અને નવી પેઢીને જૂની પેઢીનાં એ પરાક્રમો કે સિદ્ધિ તુચ્છ અને નિરર્થક લાગે છે. ક્યારેક તો કોઈ બોલે છે, “નાખી દેવા જેવી માટે એ જમાનાના લોકોએ પોતાની જિંદગીનો કેટલો બધો સમય વેડફી નાખ્યો.” જે કોઈ એક વાત કે વિષય એક જમાના માટે અત્યંત મૂલ્યવાન હોય તે બીજા જમાના માટે સાવ નિરર્થક બને. જીવાતા જીવનની એવી લાક્ષણિકતા છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ अट्ठजुत्ताणि सिक्खिज्जा, निरट्ठाणि उ वज्जिए । ૬૭ કઈ વસ્તુ પોતાને માટે સાર્થક અને કઈ નિરર્થક છે એનો નિર્ણય કરવા માટે દરેક વ્યક્તિનો માપદંડ જુદો જુદો હોઈ શકે. એક વ્યક્તિને જે વાત, કાર્ય ઇત્યાદિ સાર્થક લાગતાં હોય તે બીજાને નિરર્થક લાગે. એકની એક વ્યક્તિને એક વસ્તુ એક કાળે સાર્થક લાગતી હોય તે સમય જતાં નિરર્થક લાગવાનો સંભવ છે. મનુષ્યના જીવનમાં કંઈ ભૂલ ન થઈ હોય તો પણ વીતી ગયેલ વર્ષોનું વિહંગાવલોકન કરતાં એને જરૂર એમ લાગે છે કે અમુક કાર્યોમાં પોતાનો જે સમય પસાર થઈ ગયો તે કાર્યો ન કર્યા હોત તો ચાલત; એટલો સમય જો વધુ સારી પ્રવૃત્તિમાં પસાર થયો હોત તો જીવનમાં વધુ પ્રગતિ થઈ શકી હોત. જીવનનું સ્વરૂપ એવું છે કે કેટલીક બાબતો વર્તમાન સમયમાં બહુ મહત્ત્વ ધરાવતી હોય, ક્યારેક તો જીવન-મરણના સવાલ જેવી હોય, પણ વર્ષો વીત્યાં પછી ભૂતકાળની એ ઘટના ૫૨ નજર નાખતાં તે ક્ષુદ્ર અને નિરર્થક લાગે છે. ક્યારેક પશ્ચાત્તાપ થાય છે કે કેવી મામૂલી વાતો માટે જિંદગીનો કેવો સોનેરી સમય આપણે વેડફી નાખ્યો. નાનાં બાળકો કેવી નાની નાની વાતો માટે માંહોમાંહે લડે-ઝઘડે છે? એ જ બાળકો મોટાં થતાં એ જ વાતો માટે લડતાં-ઝઘડતાં શરમાશે.નાનું બાળક શેરીમાં કાંકરા વીણતું હોય કે સમુદ્રકિનારે છીપલાં વીણતું હોય તો તે એને માટે અત્યંત રસનો વિષય બને છે, પરંતુ એ જ બાળક મોટું થાય છે ત્યારે છીપલાં વીણવાનું એને હાસ્યાસ્પદ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૮ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ લાગે છે. તેવી રીતે બાલ્યકાળમાં કે યુવાવસ્થામાં કરેલી કેટલીયે પ્રવૃત્તિઓ પાકટ વયે હાસ્યાસ્પદ લાગે છે. જીવનની સાર્થકતા અને સફળતાને વિવિધ દૃષ્ટિકોણથી જોઈ શકાય. આ સંસારમાં અસંખ્ય એવા માણસો છે અને રહેવાના કે જેઓ પોતે હતા તેના કરતાં કશુંક વધુ પામ્યા છે. એકંદરે સંસારના લોકો ભૌતિક સુખની અપેક્ષાએ જીવનનું માપ કાઢે છે. કોઈ ભિખારી હોય, ઘરે ઘરે ભીખ માગતો હોય, એમાંથી થોડું થોડું બચાવી એમાંથી નાની સરખી દુકાન કરવાની તક મળે અને પોતાનું ગુજરાન સારી રીતે ચલાવે તો એને એમ લાગે કે “ક્યાં મારા ભીખ માગવાના દિવસો અને ક્યાં આ વેપાર ? મેં જીવનમાં કેવી સિદ્ધિ મેળવી છે !” કેટલીય વેપારી પેઢીઓમાં અને સરકારી કચેરીઓમાં માણસ પટાવાળા તરીકે જોડાયો હોય અને એમાંથી પુરુષાર્થ કરીને આગળ વધતાં વધતાં તે ઓફિસર બન્યો હોય તો એને એમ લાગે કે “મેં જીવનમાં કશુંક મેળવ્યું છે.' સૈનિકમાંથી સેનાપતિ બને તો એને પોતાનું જીવન સફળ લાગે. વસ્તુતઃ સમજપૂર્વક સમય પાસે કામ લેતાં જેને આવડે છે તે પોતાના જીવનને સફળ બનાવી શકે છે, સિવાય કે એનું નસીબ જ વાંકું હોય! જન્મથી માંડીને જીવનના અંત સુધી પોતાની પ્રત્યેક ક્ષણ સદુપયોગમાં જ ગઈ છે અને નિરર્થક સમય ક્યારેય પસાર થયો નથી એવું તો કોઈક વિરલ વ્યક્તિ જ કહી શકે, જો તે પૂર્વજન્મનો આરાધક જીવ હોય તો. વર્તમાન કાળમાં તો એવી Page #78 -------------------------------------------------------------------------- ________________ अट्ठजुत्ताणि सिक्खिज्जा, निरट्ठाणि उ वज्जिए। ૬૯ વ્યક્તિ મળવી તે લગભગ અસંભવિત છે કે જે દાવો કરી શકે કે પોતાના જીવનની એક પણ પળ પોતે નિરર્થક ગુમાવી નથી. ભગવાન મહાવીરની આ શિખામણ વ્યવહારુ જીવનમાં જેમ ઉપયોગી છે તેથી વધુ મોક્ષમાર્ગના સાધક માટે ઉપયોગી છે. સાધકે જે શબ્દોનું પ્રયોજન ન હોય તેવા શબ્દો, નિરર્થક શબ્દો ઉચ્ચારવા ન જોઈએ. હાસ્ય-મજાકમાં બોલાતી વાણીને અથવા કેવળ વાણી-વિલાસને ત્યજવાં જોઇએ. સ્ત્રીકથા, રાજ્યકથા ઇત્યાદિ વિકથાનો ત્યાગ કરવો જોઇએ. સમાજમાં રહેવાને કારણે અને વર્તમાન સમયમાં તો પ્રચાર-માધ્યમો વધી ગયાં હોવાથી, સાધક જો જાગ્રત ન હોય તો નિરર્થક વાતોમાં તે રસ લેવા લાગી જાય છે અને એવી વાતોનો એક વખત ચટકો લાગે એટલે જિજ્ઞાસા ઉત્તરોત્તર સતેજ થતી રહે અને પછી એનો ક્યાંય અંત આવે નહિ. સાધકને એક વખત લૌકિક વિષયોમાં અને એવાં અધ્યયનોમાં રસ પડે પછી એ વ્યસનરૂપ બની જાય છે અને એમાંથી નિવૃત્ત થવાનું અઘરું બની જાય છે. અધ્યાત્મમાર્ગના સાધકને પોતાના કાર્ય અંગે ક્યારેક ઉપયોગી લાગ્યા હોય એવા વિષયો જેવા કે જ્યોતિષશાસ્ત્ર, હસ્તરેખા-વિજ્ઞાન, શિલ્પશાસ્ત્ર, ચિત્રકલા, વસ્તૃત્વકલા, આયુર્વેદ, કાવ્યાલંકારશાસ્ત્ર, ભાષા-વ્યાકરણ વગેરેમાં રસ પડે છે. પણ પછી તેઓ એમાં એટલા બધા ખેંચાઈ જાય છે અને એમાં ડૂબી જાય છે કે મોક્ષમાર્ગની પોતાની સાધના Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૦ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ ચૂકી જાય છે. વ્યવહારુ અપેક્ષાએ ઉપયોગી એવાં શાસ્ત્રો પણ મોક્ષાભિલાષી, આત્મજ્ઞાન તરફ આગળ વધતા મહાત્માઓ માટે નિરર્થક બનવા સંભવ છે. સતત જાગ્રત રહેવાનું સરળ નથી. પ્રમાદ તો એમાં કામ કરી જ જાય છે, પરંતુ ક્યારેક ગૃહસ્થો કે સાધુ ભગવંતોના જીવનમાં પૂર્વબદ્ધ કર્મના ઉદયે એવી ઘટનાઓ બને છે કે જે એમના હાથમાં રહેતી નથી. તેવે વખતે નિરર્થક વાતો કે વિષયોમાં ઘણો સમય બરબાદ થઈ જાય છે. પરંતુ એવે વખતે પણ જાગ્રત વ્યક્તિઓ, બાહ્ય ઘટના સાથે પ્રવાહપતિત બનવા છતાં એમનું જોડાણ તો આત્મભાવમાં જ રહે છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ आयंकदंसी न करेइ पावं [આતંકદર્શી પાપ કરતો નથી] ભગવાન મહાવીરે કહ્યું છે કે સાયંસી ન રે પાવું ! (આચારાંગ સૂત્ર ૧/૩/૨). અર્થાત્ આતંકદર્શી પાપ કરતો નથી. પ્રાકૃત સાયં શબ્દનો સંસ્કૃત શબ્દ છે માતંજ. આજકાલ આતંક શબ્દ બહુ વપરાય છે, કારણ કે વર્તમાન સમયમાં આતંકવાદી પ્રવૃત્તિઓ દુનિયાભરમાં પ્રસરી ગઈ છે. આતંક શબ્દનો અર્થ થાય છે ભય, ત્રાસ, અત્યાચાર, દુઃખ, પીડા, રોગ વગેરે. આતંકદર્શી એટલે દુઃખના સ્વરૂપને જાણનારો, સમજનારો, દુનિયામાં આતંકવાદીઓ ઘણાં છે, આતંકદર્શીઓ બહુ ઓછા છે. આતંકવાદીઓ ઘોર પાપની પ્રવૃત્તિ ચલાવે છે. આતંકદર્શીઓ પાપ કરતા નથી; પાપ કેમ થાય છે અને તેનાં કેવાં કેવાં માઠાં ભયંકર પરિણામો આવે છે તે એ સમજે છે. એટલે તેઓ પાપ કરતાં અટકી જાય છે. જગતમાં પુણ્ય અને પાપની ઘટમાળ સતત ચાલતી રહે છે. શુભાશુભ કર્મ બંધાતાં રહે છે. એ કર્મોના ફળરૂપ માણસને સુખદુઃખ ભોગવવા પડે છે. એ વખતે ફરીથી પાછાં નવાં કર્મ બંધાય છે. એક ક્ષણ પણ એવી જતી નથી કે જ્યારે મન, વચન અને કાયાથી કોઈ ને કોઈ કર્મ બંધાતું ન હોય. પરંતુ સાચા મુમુક્ષુ જીવો નવાં ભારે કર્મ ઓછાં બાંધે છે અને જૂનાં Page #81 -------------------------------------------------------------------------- ________________ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ કર્મો ખપાવતા જાય છે. એ જ ભવમાં મુક્તિ મેળવનારા જીવોનાં કર્મો ઉત્તરોત્તર ક્ષીણ થતાં જાય છે અને નવાં કર્મો હળવા પ્રકારનાં અને નહિવત્ બંધાય છે. પરંતુ મિથ્યાત્વના ગાઢ અંધકારમાં સપડાયેલા જીવો તો સતત નાનામોટાં પાપ કરતા રહે છે. પાપની વ્યાખ્યા જુદી જુદી રીતે કરવામાં આવે છે, જેમ કે શુi #ર્મ પાપમ્ I (અશુભ કર્મ તે પાપ છે), પાતતિ નરવિષ્યિતિ પાપા (નરકાદિ દુર્ગતિમાં જે પાડે છે તે પાપ છે) અથવા પતિ પતિથતિ વ પાપં . (જે જીવને બંધનમાં નાખે છે અથવા પાડે છે તે પાપ છે.) હિંદુ ધર્મ પ્રમાણે બ્રહ્મહત્યા, સુરાપાન, ચોરી, ગુરુસ્ત્રીગમન એ ચારને મોટાં પાપ ગણવામાં આવ્યાં છે. મનુસ્મૃતિમાં લખ્યું છેઃ ब्रह्महत्या सुरापानं स्तेयं गुर्वंगनागमः । ___ महान्ति पातकान्याहुः संसर्गश्चापि ते सहः ।। હિંદુ ધર્મમાં અન્ય રીતે બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા, બાળહત્યા અને ગૌહત્યા એ ચારને મોટાં પાપ તરીકે ઓળખાવવામાં આવ્યાં છે. તો “નીતિવાક્યામૃત'માં તરત ફળ આપવાવાળાં ત્રણ મોટાં પાપ તરીકે સ્વામીદ્રોહ, સ્ત્રીવધ અને બાળવધને ગણાવવામાં આવ્યાં છે. ત્રીજી પાતાનિ : પ્રતિ – स्वामिद्रोहः, स्त्रीवधो बालवधश्चेति । મનુસ્મૃતિમાં પાપના માનસિક, વાચિક અને કાયિક એમ ત્રણ મુખ્ય પ્રકાર બતાવી, એ પ્રત્યેક પ્રકારનાં એવાં મુખ્ય Page #82 -------------------------------------------------------------------------- ________________ आयंकदंसी न करेइ पावं પાપો નીચે પ્રમાણે ગણાવવામાં આવ્યાં છે: परद्रव्येष्वभिध्यानं मनसानिष्टचिन्तनम् । वितथाभिनिवेशश्च त्रिविधं कर्म मानसम् ।। [પારકું દ્રવ્ય પડાવી લેવાનો વિચાર, મનથી અનિષ્ટનું ચિંતન અને મિથ્યા અભિનિવેશ એ ત્રણ માનસિક પાપકર્મ છે] पारुष्यमनृतं चैव पैशुन्यं चापि सर्वशः । असंबद्धप्रलापश्च वाङ्गमयं स्याच्चतुर्विधम् ।। [કઠોરવચન, અસત્ય, ચાડીયુગલી, અસંબદ્ધ પ્રલાપ એટલે કે બકવાદ એમ વાચિક પાપ ચાર પ્રકારનું છે.] अदत्तानामुपादानं हिंसा चैवाविधानतः । परदारोपसेवा च शारीरं त्रिविधं स्मृतम् ।। [ન આપેલું એવું લેવું એટલે કે ચોરી, જેનું વિધાન ન હોય એવી હિંસા કરવી તથા પરસ્ત્રીગમન એ ત્રણ પ્રકારનાં શારીરિક પાપકર્મ કહેલાં છે.] જૈન ધર્મમાં “આવશ્યક સૂત્રમાં અઢાર પ્રકારનાં પાપ નીચે પ્રમાણે બતાવવામાં આવ્યાં છેઃ पाणाइवायमलियं चोरिक्कं मेहुणं दवियमुच्छं । कोहं माणं मायं लोभं पिज्जं तहा दोसं ।। कलहं अब्भखाणं पैसुन्नं रइ-अरइसमाउत्त । परपरिवायं माय - मोसं मिच्छत्तसल्लं च ।। આમ, જૈન ધર્મ પ્રમાણે મુખ્ય અઢાર પ્રકારનાં પાપ બતાવાયાં છેઃ (૧) પ્રાણાતિપાત (હિંસા), (૨) મૃષાવાદ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ (અસત્ય), (૩) અદત્તાદાન (ચોરી), (૪) મૈથુન, (૫) પરિગ્રહ (દ્રવ્યમૂચ્છ), (૬) ક્રોધ, (૭) માન, (૮) માયા, (૯) લોભ, (૧૦) રાગ, (૧૧) દ્વેષ, (૧૨) કલહ, (૧૩) અભ્યાખ્યાન, (૧૪) પશુન્ય, (૧૫) રતિ-અરતિ, (૧૬) પ૨પરિવાદ (પ૨નિદા), (૧૭) માયામૃષાવાદ (માયાકપટયુક્ત અસત્ય), અને (૧૮) મિથ્યાત્વ શલ્ય. દુનિયાના તમામ પ્રકારનાં પાપોનો આ અઢાર પ્રકારમાં સમાવેશ થઈ જાય છે. આ દરેક પાપના પેટાપ્રકારો પણ બતાવવામાં આવ્યા છે. વળી, પાપ મનથી, વચનથી અને કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું-એમ પાપના ત્રિવિધ ત્રિવિધ પ્રકાર પણ બતાવ્યા છે. માણસ પાપ કરતાં તો કરી લે છે, પણ પછી એને છુપાવવાનો પ્રયત્ન કરે છે. કેટલાંક પાપ માણસ બેપરવાઈથી લોકલાનો કે રાજ્યદંડનો ભય રાખ્યા વગર પ્રગટ રીતે કરી લે છે અને એને માટે જે સજા થવાની હોય તે માટે તે મનથી તૈયાર રહે છે. ફાંસીની સજા ભોગવવાની તૈયારી સાથે કેટલાક માણસો ધોળે દહાડે બીજાનાં દેખતાં ખૂન કરે છે. અસત્ય, ચોરી, પરસ્ત્રીગમન જેવાં પાપો માણસ છૂપી રીતે કરે છે. ઇરાદાપૂર્વક પાપ કરવું અથવા અજાણતાં થઈ જવું અને પછી તે છુપાવવું એ સામાન્ય સાધારણ, અજ્ઞાની માણસોનું કુદરતી લક્ષણ છે. પાપનો એકરાર કરવા માટે ઘણી મોટી નૈતિક હિંમતની જરૂર રહે છે. કોઈક વડીલ કે ધર્મગુરુ Page #84 -------------------------------------------------------------------------- ________________ आयंकदंसी न करेड़ पावं પાસે એકાન્તમાં ખાનગી રીતે પાપનો એકરાર કરનારા માણસો જાહેરમાં બધાં વચ્ચે એનો સ્વીકાર કરતાં સંકોચ અનુભવે છે. નિર્મળ જીવન જીવવાનું જેનું લક્ષ્ય છે તે પાપનો એકરાર કરતાં કે તે માટેનું પ્રાયશ્ચિત્ત કરતાં અચકાતો નથી. એમ કરવામાં તે પોતાની જામેલી પ્રતિષ્ઠાનો પણ વિચાર કરતો નથી. પરંતુ બને છે એવું કે આવા નિર્દભ, નિખાલસ માણસોની પ્રતિષ્ઠા ઊલટી વધે છે. કેટલાક એવા હોય છે કે પાપનો નિખાલસતાથી સ્વીકાર કરે છે, પરંતુ એવું પાપ ફરી આચરતાં તેમનું મન જરા પણ ક્ષોભ અનુભવતું નથી. એવા નિર્લજ્જ માણસો એકરાર કરે તો પણ શું અને ન કરે તો પણ શું ? તેઓ પાપને પાપ તરીકે જાણે છે, પરંતુ પાપના સ્વરૂપને સમજવા દ્વારા સંસારના સ્વરૂપને અને આત્માના સ્વરૂપને સમજતા નથી કે સમજવાની રુચિ ધરાવતા નથી. પુણ્યના ઉદયે ફરીથી પુણ્ય બંધાય કે પાપ બંધાય અને પાપના ઉદયે ફરીથી પાપ બંધાય કે પુણ્ય બંધાય, એ રીતે પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પાપ અને પુણ્યાનુબંધી પાપ એ ચૌભંગી પ્રમાણે જીવોનાં કર્મો બંધાતાં રહે છે. અલબત્ત, એમાં પણ ઘણી ત૨મરતા રહે છે. અશુભ કર્મના ઉદયે, દુઃખના અનુભવ વખતે સમતાયુક્ત માધ્યસ્થભાવ ધારણ કરવાથી જીવની આત્મદશા ઊંચે ચડે છે. સ્થૂલ દૃષ્ટિએ જોતાં પુણ્ય કરતાં પણ પાપના ઉદય વખતે જીવની કસોટી થાય છે. સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં પુણ્યના ઉદય ૭૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ વખતે પણ એટલા જ સજાગ, સાવધ રહેવાની જરૂર રહે છે. કેટલાકને દુઃખ કેટલું વસમું છે એ માત્ર અનુભવથી જ સમજાય છે. જ્યાં સુધી પોતાને એવું કોઈ દુઃખ અનુભવવાનું આવ્યું નથી ત્યાં સુધી બીજાના દુઃખને તેઓ સમજી કે કલ્પી શકતા નથી. બીજાનાં દુઃખ માટે એવા માણસોને સહાનુભૂતિ સુદ્ધાં થતી નથી. તો પછી બીજાનાં દુઃખમાં સહાયરૂપ કે સહભાગી થવાની વાત તો ક્યાંથી હોય? પાપને પાપરૂપે, તે હેય છે એટલે કે છોડવા યોગ્ય છે એ સ્વરૂપે સમજવાની શક્તિ પણ જીવમાં સહેલાઇથી આવતી નથી. જ્યાં સુધી અજ્ઞાન છે, મિથ્યાત્વનો ગાઢ અંધકાર છે ત્યાં સુધી તેવા લોકોને પોતે પાપપ્રવૃત્તિ કરતા હોવા છતાં પોતે પાપ કરે છે એવી સમજ હોતી નથી. કોઈ એને સમજાવે તો તે એને સમજાતું નથી અને સમજવું ગમતું નથી. કેટલાક પાપને પાપરૂપે સમજતા હોવા છતાં એને છોડવાની ઇચ્છા નથી ધરાવતા, કારણ કે પાપથી એમને પોતાને લાભ થતો જણાય છે. પાપ છોડવા જેવું નહિ થાય પણ આચરવા જેવું છે એવું એમના મનમાં વસેલું હોય છે. પાપ કરવા માટે તેઓને ક્યારેય કશોય અફસોસ થતો નથી. જે દુ:ખના સ્વરૂપને સમજે છે તે દુ:ખને ઇચ્છતો નથી. નરકગતિનાં દુ:ખોની વાત બાજુ પર રાખીએ અને ફક્ત આ દૃશ્યમાન ઐહિક જગતનાં દુઃખોનો વિચાર કરીએ, દુઃખી માણસોનું અવલોકન કરીએ તો જીવને માથે કેટલું દુ:ખ ગુજરી Page #86 -------------------------------------------------------------------------- ________________ आयंकदंसी न करेइ पावं શકે છે તેનો ખ્યાલ આવે. કેટલાંક દુઃખો મારણાન્તિક હોય છે. એવાં ઘોરદુ:ખો માણસનો જીવ લઇને જંપે છે. માણસની વેદના એટલી બધી અસહ્ય હોય છે કે શરીર એની સામે ટકી શકતું નથી. વેદનાની ચીસો પાડતો પાડતો માણસ બેભાન બની જાય છે અને પછી મૃત્યુ પામે છે. એવાં કેટલાંક ભયંકર દુઃખોના તીવ્ર અનુભવ વખતે માણસને એમ થઈ જાય છે કે આના કરતાં તો જલદી મોત આવે તો સારું. મોતની ઇચ્છાને અમલમાં મૂકવાની તક મળે તો સારું. મોતની ઇચ્છાને અમલમાં મૂકવાની તક મળે તો માણસ દુઃખમુક્તિ માટે આત્મઘાત પણ કરે છે. જ્યારે પાપનું સ્વરૂપ માણસને સમજાય છે ત્યારે એને એ પણ સમજાય છે કે દરેક જીવ પોતપોતાનાં કર્મ અનુસાર સાંસારિક સુખદુઃખ અનુભવે છે. એનો અર્થ એ થયો કે દરેકે પોતાનું દુ:ખ પોતે જ ભોગવવાનું રહે છે. બીજા કોઈ એમાં ભાગીદાર થઈ શકતા નથી કે કોઈ પોતાનું દુઃખ ઊછીનું લઈ શકતા નથી. બીજાઓ દુઃખમાં સહભાગી થઈ શકે છે, સહાનુભૂતિ ધરાવી શકે છે. દેખીતી વ્યવહારુ દૃષ્ટિએ કોઈ બીજાને આપત્તિમાંથી બચાવી શકે છે. એમ છતાં કર્મસિદ્ધાન્ત અનુસાર તો પોતાનાં કરેલાં કર્મનું ફળ દરેકે પોતે જ ભોગવવું પડે છે. ભગવાને કહ્યું છે કે તેનો સંય પુષ્ય, હોટું કુમવું ! પોતાની જે શારીરિક વેદના છે તે બીજા કોઈ લઈ શકતા નથી. નરકગતિમાં તો કોઇની સહાય કે સહાનુભૂતિ પણ પ્રાપ્ત થતી નથી. પોતાની એ વેદના તે પોતાના કોઈ અશુભ Page #87 -------------------------------------------------------------------------- ________________ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ કર્મનું જ પરિણામ છે એમાં કશી શંકા નથી. કર્મ કોઇને છોડતું નથી. માટે જ કહ્યું છે કે ડીપ સ્માઈ ને સ્થિ મોવો | (કરેલાં કર્મમાંથી કોઇનો છુટકારો નથી.) માણસ જો આતંકદર્શી બને એટલે કે દુઃખના સ્વરૂપને બરાબર ઓળખે તો સહજ રીતે જ એને દુઃખનાં કારણો સમજાય. કેવા પ્રકારનાં દુઃખો સંસારમાં છે અને તેની પાછળ કયાં કયાં પૂર્વબદ્ધ કર્મો કારણભૂત છે એ એને સમજાય છે. એવાં કોઈ પણ દુઃખ પોતાને ભોગવવાની ઇચ્છા નથી. પોતાને માથે એવાં કોઈ દુઃખ ન પડે એવી વૃત્તિ અને દૃષ્ટિ રહે તો જીવ એવાં કર્મ બાંધતો અટકે છે. કોઈક એવાં પાપકર્મો કરવામાંથી ઝડપથી વિરમી જાય છે તો કોઈક ધીમે ધીમે ક્રમે ક્રમે વિરમી જાય છે. કોઈને એવી પાપવૃત્તિથી અટકતાં એક કરતાં વધારે જન્મ પણ લાગે છે. કોઈક અટકે છે, વળી પ્રમાદવશ બની શિથિલ થઈ પાપ કરવા લાગી જાય છે અને જાગૃતિ આવતાં પાછા પાપથી અટકવા લાગે છે. પાપના સ્વરૂપને સમજવાની શક્તિ બધા જીવોમાં એકસરખી નથી હોતી; તેમ પાપપ્રવૃત્તિથી અટકવાની શક્તિ પણ બધા જીવોમાં એકસરખી નથી હોતી. એટલે કે એક કાળે ઘણાબધા જીવોની સમજવાની અને અટકવાની શક્તિ સમાંતર જ ચાલે એવું નથી. વસ્તુત: એક જીવના જીવનકાળમાં પણ એમાં ચઢઉતર થવાનો સંભવ રહે છે. પરંતુ એટલું નિશ્ચિત છે કે જીવમાં પાપને સમજવાની સાચી દૃષ્ટિ આવી જાય છે ત્યાં જ એવાં પાપોથી અટકવાની Page #88 -------------------------------------------------------------------------- ________________ आयंकदंसी न करेइ पावं ૭૯ પ્રવૃત્તિનાં બીજ વવાઈ જાય છે. પાપને સમજીને ન કરનારા માણસો પણ અધમ, મધ્યમ અને ઉત્તમ એમ ત્રણ પ્રકારના શાસ્ત્રકારોએ બતાવ્યા છેઃ राज्यदण्डभयात् पापं नाचरत्यघमो जनः । परलोकभयाद् मध्यः स्वभावादेव उत्तमः ।। જે જીવો રાજ્યદંડના ભયથી પાપાચરણ કરતા નથી તે અધમ પ્રકારના છે, જે પરલોકના ભયથી પાપ નથી કરતા તે મધ્યમ પ્રકારના છે. જે જીવો સ્વભાવથી જ પાપ કરતા નથી અથવા પાપ કરવાનો જેમનો સ્વભાવ જ નથી તે ઉત્તમ પ્રકારના છે. આતંકદર્શ જીવો આવા ઉત્તમ પ્રકારના જીવો છે. જૈન ધર્મ પ્રમાણે, નિશ્ચય નયની દૃષ્ટિએ, તમામ પાપ-પ્રવૃત્તિઓને મુખ્ય બે વિભાગમાં વહેંચી નાખવી હોય તો કહી શકાય કે પાપ બાંધવાનાં મુખ્ય બે સ્થાનક છે : એક રાગ, અને બીજો દ્વેષ. રાગદ્વેષની પરિણતિ એટલે પાપપ્રવૃત્તિ. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છેઃ जीवाणं दोहिं ठाणेहिं पावकम्मं बंधई, तं जहा-रागेण चेव, दोसेण चेव। સૂક્ષ્મ નિશ્ચયદૃષ્ટિથી જોઇએ તો જ્યાં રાગની (અને દ્વેષની) પરિણતિ છે ત્યાં પાપ છે. જીવ પોતાના આત્માના સ્વભાવમાંથી નીકળી વિભાવમાં આવે છે ત્યાં રાગદ્વેષની પરિણિત થાય છે. જીવ પોતે જ આતંકદર્શી થાય, અર્થાત્ દુઃખનું સ્વરૂપ સમજે, અને એમ કરતાં સંસારનું સ્વરૂપ Page #89 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ જ્ઞાતાદ્રષ્ટાભાવથી જુએ અને જાણે ત્યારે એને રાગ કે દ્વેષ કરવાનું કોઈ કારણ રહેતું નથી. એટલે એ ઉચ્ચ દશામાં પણ એને કોઈ પાપ કરવાનું પ્રયોજન હોતું નથી અથવા પાપ એનાથી થતું નથી. આમ સૂક્ષ્મ દૃષ્ટિએ જોઈએ તો પણ આતંકદર્શી જીવ પાપકર્મ બાંધતો નથી. ८० આતંકદર્શીની જીવનવ્યવહારની તમામ પ્રવૃત્તિઓ, સર્વ ક્રિયાઓ ઉપયોગપૂર્વકની, જાગૃતિપૂર્વકની, યતનાપૂર્વકની હોય છે. બાહ્ય ક્રિયાઓ કરતા હોવા છતાં તેમનો આત્મોપયોગ છૂટી જતો નથી. તેઓ આત્મસ્વરૂપમાં સ્થિર રહીને જયણાપૂર્વક ક્રિયા કરે છે અને માટે તેઓ પાપકર્મ બાંધતા નથી. દસવૈકાલિકસૂત્રમાં કહ્યું છેઃ जयं चरे जयं चिठ्ठे जयमासे जयं सए । जयं भुंजतो भासतो पावं कम्मं न बंधई ।। જે જયણાપૂર્વક ચાલે છે, જયણાપૂર્વક સૂઈ જાય છે, જયણાપૂર્વક ખાય છે અને જયણાપૂર્વક બોલે છે તે પાપકર્મ નથી બાંધતો. આમ, ખાવાપીવાની અને ઊઠવાબેસવાની સ્થૂલ કાયિક પ્રવૃત્તિઓથી માંડીને વાચિક પ્રવૃત્તિઓ અને સૂક્ષ્મ માનસિક વિચારપ્રવૃત્તિ સુધી જે જયણાનું લક્ષ રાખે છે, તે પાપકર્મ નથી બાંધતો, પરિણામે તેવો જીવ ઉપ૨ની ગુણશ્રેણીએ ચઢતો જાય છે. જીવના આધ્યાત્મિક ઊર્ધ્વરોહણની પ્રક્રિયા અત્યંત સૂક્ષ્મ અને ગહન છે. ܀܀܀ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૯ नातिवेलं हसे मुणी [મુનિઓએ અમર્યાદ હસવું નહિ] ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી સાધુજીવન સ્વીકારવું એ સહેલી વાત નથી. માત્ર કંચન અને કામિનીના ત્યાગથી ઉત્તમ સાધુ થઈ જવાતું નથી. એ ત્યાગ પછી પણ સંયમી જીવનને શોભાવે એવી ઘણી બાબતો છે, જેને જીવનમાં ઉતારવાની રહે છે. વ્યવહારષ્ટિએ સાધુ થયા પછી અંતર્મુખ બની આત્મલક્ષી ઉપાસના કરવાની હોય છે. ક્રોધ, માન, માયા, લોભ વગેરે કષાયો નિર્મૂળ કરવાનો ભારે પુરુષાર્થ ક૨વાનો હોય છે. લોકેષણાને અને લબ્ધિના ચમત્કારોને જીતવાના હોય છે. જૈન સાધુના શીલનાં અઢાર હજાર જેટલાં અંગ બતાવવામાં આવ્યાં છે. સાધુના આચારો વિશે કેટલીક મહત્ત્વની સૂચનાઓ આગમગ્રંથોમાં આપવામાં આવી છે. ‘સૂત્રકૃતાંગ સૂત્ર’માં જે કેટલીક મહત્ત્વની બાબતો જણાવવામાં આવી છે તેમાં એક સ્થળે કહ્યું છે ઃ नन्नत्थ अंतराएणं, परगंहे णणिसीयए । गामकुमारियं किडुं, नातिवेलं हसे मुणी ।। [સાધુ રોગાદિ કોઈ કારણ વિના ગૃહસ્થના ઘરમાં ન બેસે, તથા ગામનાં બાળકોની સાથે રમત ન રમે (બાલક્રીડા ન Page #91 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ કરે), તેમજ મર્યાદાનું ઉલ્લંઘન કરીને હસે નહિ.] સાધુઓનું પોતાનું ગૌરવ સચવાય એ માટે ભગવાન મહાવીરે આ ગાથામાં જે ત્રણ ભલામણ કરી છે એમાં હસવાની વાત પણ ઉમેરી લેવામાં આવી છે. અહીં આપણે એ વિશે થોડો વિચાર કરીશું. કોઈકને કદાચ પ્રશ્ન થાય કે શું સાધુઓએ હસીને વાત કરવી જ ન જોઇએ ? ના, એવું નથી. સાધુને હસવાની મનાઈ ફરમાવવામાં આવી નથી, પરંતુ સાધુઓને હાસ્યની અતિશયતાને છોડવાની ભલામણ કરવામાં આવી છે. સાધુઓએ મોટેથી ઘણા બધા સાંભળે એમ ખડખડાટ હસવું ન જોઈએ અને એમનું હસવાનું પણ વધુ સમય સુધી ચાલવું ન જોઈએ. આચારાંગ સૂત્રમાં પણ કહ્યું છે : सव्वं हासं परिच्चज्ज अल्लीणगुत्तो परिव्वए । [સર્વ પ્રકારનું હાસ્ય છોડીને સાધક ગુપ્તિપૂર્વક વિચરે.] દસવૈકાલિક સૂત્રમાં પણ કહ્યું છેઃ સપ્પજ્ઞાસું વિવપ્નદ્ । (અતિહાસ્યનો ત્યાગ કરવો.) શ્રી ધર્મદાસગણિએ ઉપદેશમાળામાં કહ્યું છેઃ अट्टहासकेलि किलत्तणं हासखिडु जमगरुई । कंदप्प उवहसणं परस्स न करंति अणगारा ।। અટ્ટહાસ્ય, રમતથી બીજાને ભોંઠા પાડવું, ભાંડભવૈયા જેવા ચાળા કરવા, યમકાદિ કાવ્યો (ઉખાણાં વગેરે) જેથી વિષયરાગ વધે, કામવશ મજાક, બીજાનો ઉપહાસ ઇત્યાદિ હાસ્ય સાધુઓ ૮૨ Page #92 -------------------------------------------------------------------------- ________________ नातिवेलं हसे मुणी નથી કરતા. જૈન સાધુઓના આચાર ઘણા જ કડક છે. સાધુઓનું જીવન ત્યાગમય અને સંયમપ્રધાન હોવું જોઈએ. એટલા માટે સાધુઓએ ક્યારે, કેવી રીતે, કોની સાથે, કેટલું બોલવું જોઈએ તે અંગે ભગવાન મહાવીરે ઝીણવટપૂર્વક માર્ગદર્શન આપ્યું | હાસ્ય એ જીવનનું કુદરતી લક્ષણ છે. હસવાની શક્તિ બધા જીવોમાં નથી હોતી. દશ્યમાન જીવસૃષ્ટિમાં એક ફક્ત મનુષ્ય જ એવો છે કે જે હસી શકે છે. કેટલાંક પ્રાણીઓ રડે છે, પણ હસી શકતાં નથી. વાનર દાંતિયા કરી શકે છે, પણ મનુષ્ય જેવું હસી શકતો નથી. એટલે જ કહેવાયું છે કે Man is a laughing animal. બાળક જન્મે છે કે તરત જ તે રડે છે. ના રડે તો એ ચિંતાનો વિષય ગણાય છે. તેને પરાણે રડાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. પરંતુ હસવાનું બાળક ક્રમે મે પોતાની મેળે શીખે છે. અભણ, જંગલી માણસ પણ હસી શકે છે, કારણ કે હાસ્યવૃત્તિ કુદરતી છે. હાસ્ય આરોગ્યની દૃષ્ટિએ ઉપકારક છે. હસવાથી શરીરની વધુ માંસપેશીઓને વ્યાયામ મળે છે અને આરોગ્ય માટે ઉપકારક એવાં રસાયણો તે દ્રવે છે. વ્યાવહારિક જીવનની દૃષ્ટિએ હાસ્ય એ જીવનનું અનિવાર્ય અંગ છે. તે તંગદિલી–Tension-ને નિવારે છે. યોગ્ય રીતે એનો ઉપયોગ થાય તો તે જીવનનું ભૂષણ બની શકે છે. કેટલીક Page #93 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ માંસપેશીઓ સાથે હાસ્ય સંકળાયેલું છે. ત્યાં ગલગલિયાં કરતાં માણસ હસી પડે છે. ૮૪ હાસ્યનો વિષય એક રીતે જોઈએ તો કુદરતી બક્ષિસ જેવો છે. બીજાને સારી રીતે, નિર્દોષ હાસ્ય દ્વારા હસાવવાની શક્તિ બહુ જ થોડા માણસોમાં હોય છે. કેટલાક લોકો હાસ્યને માણી શકે છે, પરંતુ પોતે કોઈને હસાવી શકતા નથી. કેટલાક લોકો બીજાને હસાવી શકે છે અને પોતે પણ બીજાના હાસ્યને સારી રીતે માણી શકે છે. કેટલાક માણસની પ્રકૃતિ જ એટલી બધી ગંભીર હોય છે કે હસવાની સારી સરસ વાત ચાલતી હોય તો પણ તેઓ તેને માણી શકતા નથી અને હસી શકતા નથી. કેટલાકને બીજાની વાતમાં રહેલા હાસ્યના સૂરને પકડવાની સૂઝ હોતી નથી. સુધારકયુગના નર્મમર્મના લેખક, કવિ-વિવેચક નવલરામે કવિ નર્મદને એક પ્રસંગે કહ્યું હતું કે, ‘કવિ, તમારામાં હાસ્યનું શાસ્ત્ર જ નથી.' કવિ નર્મદ પ્રકૃતિએ એટલો બધો ગંભીર હતો કે બીજાની વાતમાં રહેલા હાસ્યને તે સમજી શકતો નહોતો. હસવાનું તેને બહુ ગમતું પણ નહિ. તેનું જીવનઘડતર જ એ રીતે થયું હતું. કવિતાકલામાં જે છ અથવા નવ રસ બતાવવામાં આવ્યા છે તેમાં શૃંગાર, વીર અને કરુણ એ ત્રણને મુખ્ય રસ તરીકે ગણાવવામાં આવ્યા છે. તેમાં પણ શૃંગારને રસના રાજા તરીકે ઓળખાવવામાં આવ્યો છે. વ્યવહારુ લોકજીવનની દૃષ્ટિએ તથા Page #94 -------------------------------------------------------------------------- ________________ नातिवेलं हसे मुणी કાવ્યનિરૂપણની દૃષ્ટિએ એ રસને એવું મહત્ત્વનું સ્થાન આપવામાં આવે તેમાં કશું અયોગ્ય નથી. પણ આ છ કે નવ રસમાં હાસ્યને ગૌણ સ્થાન આપવામાં આવ્યું છે એ ભૂલવું ન જોઈએ. એટલે હાસ્ય જીવનનો સર્વોપરી રસ નથી. હાસ્યરસ તે રસનો રાજા નથી. જો ગૃહસ્થ જીવનમાં હાસ્યને બહુ મહત્ત્વ ન આપવામાં આવ્યું હોય તો સાધુજીવનમાં, ધર્મના ક્ષેત્રે, એને વધુ મહત્ત્વ ન અપાય એ દેખીતું અને સમજી શકાય એવું છે. માત્ર જૈન ધર્મમાં જ નહિ, અન્ય ધર્મમાં પણ મજાક-મશ્કરી કરી બીજાને હસાવનાર સાધુ-સંન્યાસીઓ, જોગીઓને બગડવાનાં ભયસ્થાન રહે છે એમ કહેવાયું છે. એક રાજસ્થાની લોકોકિત છે કે : શાહ તો ઝઘડે સે બિગડે, ઠાકર વ્યાજડિયો; ઘર ઘર ફિરતી નાર બિગડે, બિગડે જોગી હાસડિયો. ધર્મને અને હાસ્યરસને સંબંધ નથી એવી એક માન્યતા સર્વાંશે ખોટી નથી. ધર્મના ક્ષેત્રે શુદ્ધ, નિર્દોષ હાસ્યરસને અવશ્ય સ્થાન છે, પરંતુ ક્ષુલ્લક, શુદ્ર હાસ્યરસને, રસાભાસને બિલકુલ સ્થાન નથી, કારણ કે ધર્મનો વિષય જ જીવનને ઉચ્ચતર ધ્યેય તરફ લઈ જવાનો છે. જીવનને અવનતિ તરફ લઈ જવાનું કાર્ય ધર્મનું નથી. સ્થૂલ હાસ્યરસ જીવનને અવનતિ તરફ લઈ જઈ શકે છે. એટલે જ પ્રાચીન પ્રશિષ્ટ ધર્મગ્રંથોમાં હાસ્યરસનું નિરૂપણ નહિ જેવું જ છે. એમ કહેવાય છે કે બાઇબલમાં હાસ્યરસનું એક પણ વાક્ય નથી. એક લેખકે Page #95 -------------------------------------------------------------------------- ________________ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ એ ત્યાં જ જોઈએ પોતાને કહ્યું છે કે, 'The total absence of humour from the Bible is one of the most singular thing in all literature.' હસવાના વિષયમાં કોઈક વાર એવું બને છે કે સાધુ પોતે એવું કંઈક બોલે છે કે જેથી બીજાને હસવું આવે અને પછી પોતાને પણ હસવું આવે. તો કોઈક વખત એવું બને કે સામી વ્યક્તિએ હસાવવાના ઇરાદાથી કંઈક એવી વાત કરી હોય કે જેથી સાધુને હસવું આવ્યા વગર રહે નહિ. આમાં સાધુઓએ પોતે શક્ય હોય ત્યાં સુધી બીજાને હસાવવા ખાતર હસાવવાનો પ્રયાસ કરવો ન જોઈએ. કોઈ એવો વિષય હોય કે જેથી વાત કરતાં કરતાં કુદરતી રીતે પોતાને હાસ્ય આવે તો તેને પ્રસંગે પણ હસવાનું સંયમિત અને ગૌરવવાનું હોવું જોઈએ. સાધુના હાસ્યમાં જો ગૌરવ ન હોય તો સાધુની સાધુ તરીકેની છાપ એટલી સારી ન પડે. સાધુઓએ પોતાને વંદન કરવા આવનાર વર્ગની સાથેનો વ્યવહાર બરાબર ચુસ્ત રીતે વિચારી લેવો ઘટે. પુરુષવર્ગની સાથે હસવાનો વિષય એક પ્રકારનો છે અને સ્ત્રીવર્ગ સાથે હસવાનો વિષય બીજા પ્રકારનો છે. વળી એક જ પુરુષ મળવા આવ્યો હોય તેની સાથે હાસ્યયુક્ત વાત કરવી અને પુરુષોના સમુદાય સાથે હસીને વાત કરવી એ બેમાં ફરક છે. તેવી જ રીતે મહિલાઓના સમુદાય સાથે હસીને વાત કરવી અને કોઈ એક જ સ્ત્રી આવી હોય ને એની સાથે હસીને વાત કરવી એ Page #96 -------------------------------------------------------------------------- ________________ नातिवेलं हसे मुणी બે સ્થિતિ વચ્ચે પણ ફરક છે. આમ તો જો કે જૈન મુનિઓને મહિલા સાથે એકાંતમાં વાત કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તો પણ કેટલીક વાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે જૈન મુનિ આગળ કોઈ એક જ મહિલા વંદન કરવા, સુખશાતા પૂછવા, પચ્ચખાણ લેવા, કોઈકના કંઈક સમાચાર આપવા એકલી આવી હોય. એવા સંજોગો કોઈક વખત ઊભા થાય કે ઉપાશ્રય કે સ્થાનકમાં એક કરતાં વધુ સાધુઓ બિરાજમાન હોય ત્યારે કોઈ એક સાધુ પાસે કોઈ એક સ્ત્રી આવીને બેસે તો એ મળવાનું બીજી રીતે તો જાહેર જેવું જ ગણાય, કારણ કે અન્ય સાધુઓની ઉપસ્થિતિમાં અને તેઓની નજર પડે એ રીતે મળવાનું થાય છે. તો પણ અન્ય કોઈ ન સાંભળે એવી રીતે અંગત વાત કરવાનો અવકાશ તો ત્યારે મળે જ છે. એવે વખતે સાધુએ ખપ પૂરતી જ વાત કરવી જોઈએ અને હસવાનું તો અવશ્ય ટાળવું જોઈએ. હાસ્યરસ નિર્દોષ આનંદ આપનારો છે તેમ છતાં હાસ્યરસનું એક મોટું ભયસ્થાન છે કે જો તે મર્યાદા ઓળંગે તો પોતાનું ગૌરવ ગુમાવી દે છે, કારણ કે અનૌચિત્ય એ હાસ્યરસનો વિભાવ છે. સામાન્યતામાં સરી પડવું, ગૌરવહીન બની જવું એ સાધુ માટે યોગ્ય ન ગણાય. એટલા માટે પણ સાધુએ હસવામાં બહુ સાવધાની રાખવાની અપેક્ષા રહે છે. હાસ્ય એક પક્ષે હોવા છતાં બીજે પક્ષે તે લાગણી દુભાવનાર Page #97 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ કે મર્મને ઘાત કરનાર બની શકે છે. બોલનારનો આશય જરા પણ ખરાબ નથી હોતો, પણ તેનું અર્થઘટન ખરાબ રીતે થઈ શકે છે. બીજી બાજુ કેટલાક માણસો એટલા બધા ચતુર હોય છે કે હસતાં હસતાં બીજાને સાચું કડવું સંભળાવી દે છે કે જે સાંભળનારને અપ્રિય લાગે છે. આથી હાસ્યની સાથે ગે૨સમજ થવાનો સંભવ રહે છે. માટે સાધુઓએ હાસ્યનો આશ્રય લેવો ન જોઇએ. હાસ્યને કારણે એમના અહિંસાના મહાવ્રતને દૂષણે લાગવાનો સંભવ છે. ८८ હાસ્ય ક્યારે દંશીલું બની જાય તે કહી શકાય નહિ. પોતાના મનમાં રહેલા ડંખને હસતાં હસતાં વ્યક્ત કરી દેવાની કલા કેટલાક ચતુર માણસોને હસ્તગત (જિહ્વાગત) હોય છે. ક્યારેક બોલનારના મનમાં દંશ ન હોય, પણ ત્રીજા જ લોકો એમાં દેશ રહેલો છે એવો આરોપ લગાવી ઈર્ષ્યાથી બે વ્યક્તિને લડાવી મારે છે. સાધુઓને માથે આવું દોષારોપણ ન આવે એ માટે પણ તેઓએ આવી મજાક-મશ્કરીથી દૂર રહેવું જોઈએ. તદુપરાંત સાધુઓએ બીજાને ઉતારી પાડવાના આશયથી બોલાતા ઉપહાસ કે પરિહાસના પ્રકારના હાસ્યનો આશ્રય ન લેવો જોઇએ. હસવા-હસાવવામાં કેટલીક વાર અતિશયોક્તિ કે અલ્પોક્તિનો આશ્રય લેવો પડે છે. અતિશયોક્તિ કે અલ્પોક્તિ એ બંનેમાં સત્યનું આંશિક ખંડન થાય છે. એમાં અસત્યકથનનો આશય નથી હોતો, પરંતુ અતિશયોક્તિ કે Page #98 -------------------------------------------------------------------------- ________________ नातिवेलं हसे मुणी ૮૯ અલ્પોક્તિ ક્યારેક અસત્યકથન સુધી પહોંચી જવાનો સંભવ છે. સાધુઓએ “સત્ય”નું મહાવ્રત ધારણ કરેલું હોય છે, એટલે તેઓએ હસવા-હસાવવામાં પોતાના મહાવ્રતનું ખંડન ન થાય અથવા કોઈ અતિચારનો દોષ ન લાગે એ માટે પૂરી સાવધાની રાખવી જરૂરી છે. હળવી રીતે બોલાયેલી વાત ક્યારેક ગંભીર રીતે લેવાય છે તો ક્યારેક નથી લેવાતી. એમાં ગંભીર આશય ન સમજનારનો દોષ કાઢી શકાતો નથી. માણસ બચાવ કરી શકે છે કે “હું તો એમ સમજતો હતો કે તમે હસતા હતા, મજાક કરતા હતા. મને શી ખબર કે તમે સાચે જ કહેતા હતા.” આમ હસીને, મજાકમાં કહેવા જતાં અર્થનો અનર્થ પણ થઇ શકે છે. એવી રીતે બોલવા જતાં સાધુને તો માયા–મૃષાવાદનો બમણો દોષ લાગી શકે છે. સાધુઓએ અને સાધ્વીઓએ વિજાતીય વ્યક્તિ સાથે બહુ હસીને વાત ન કરવી જોઈએ. હાસ્ય બે વ્યક્તિને પરસ્પર નિકટ લાવનારું તત્ત્વ છે. એ નિકટતા સાથે ચહેરાના હાવભાવોમાં અને આંખોમાં થતા પરિવર્તનને કારણે પરસ્પર આકર્ષણ પણ જન્મે અથવા પોતાના દુષ્ટ આશયને હાસ્યના ઓઠા હેઠળ છુપાવી શકાય. ગૃહસ્થ સ્ત્રીઓ માટે પણ એવી શિખામણ અપાય છે કે તેઓએ પરપુરુષ સાથે બહુ હસીને વાત ન કરવી જોઈએ, કારણ કે એથી એમના ચોથા મહાવ્રતને દૂષણ લાગે Page #99 -------------------------------------------------------------------------- ________________ co વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ હાસ્યનો સમાવેશ નવ નો–કષાયમાં કરવામાં આવ્યો છે અને તેમાં પણ હાસ્યને પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયોમાં જેટલી ઉગ્રતા છે એટલી ઉગ્રતા હાસ્યમાં નથી. એથી જ એને નો-કષાયમાં સ્થાન આપવામાં આવ્યું છે, અને તે પણ પહેલું જ સ્થાન છે. એનો અર્થ એ થયો કે હાસ્ય પણ અશુભ કર્મ બાંધવામાં મોટું નિમિત્ત બની શકે છે. એટલે જ સંયમી જીવન માટે હાસ્યને વર્જ્ય ગણવામાં આવે છે. હાસ્યથી સંયમજીવનને કેટલું નુકસાન થાય છે તેનો એક પ્રસંગ શાસ્ત્રગ્રંથોમાં આવે છે. પ્રાચીન સમયમાં એક મુનિ મહારાજ ઇરિયાવહીનો કાઉસગ્ગ કરી રહ્યા હતા. તે સમયે તેઓ ભાવવિશુદ્ધિની એવી ઉચ્ચધારાએ ચડી ગયા કે તેમને અવધિજ્ઞાન પ્રગટ થયું. અવધિજ્ઞાનથી તેમને સૌધર્મ દેવલોક દેખાયો. એમાં એમને દેખાયું કે ઇન્દ્ર પોતાની ઇન્દ્રાણીને મનાવવા ઘણા કાલાવાલા કરી રહ્યા હતા. ઇન્દ્ર જેવા ઈન્દ્રને આવું કરતા જોઈને મુનિમહારાજથી કાઉસગ્નમાં ખડખડાટ હસી પડાયું. પરંતુ આવા હાસ્યથી એમનું અવધિજ્ઞાન ચાલ્યું ગયું. એમણે ફરીથી સૌધર્મ દેવલોક જોવા પ્રયાસ કર્યો પણ તે દેખાયો નહિ. પોતાના હાસ્યને માટે એમને પસ્તાવો થયો. હાસ્યથી કેવું નુકસાન થાય છે ! જે પ્રસંગે પૂરું ગાંભીર્ય જાળવવાની અપેક્ષા હોય ત્યાં તો હસવાની વાત ન જ કરી શકાય. કેટલાક લોકોમાં એ જાતનો Page #100 -------------------------------------------------------------------------- ________________ नातिवेलं हसे मुणी ૯૧ વિવેક હોતો નથી. હાસ્યની વૃત્તિ એવી છે કે તે માણસ પાસે વિવેક ચૂકવાવી દે છે. શોકના કે દુઃખના પ્રસંગો હોય ત્યાં માણસે ન હસવું જોઇએ. કેટલાકની હાસ્યવૃત્તિ એટલી પ્રબળ હોય છે કે ગંભીર પ્રસંગે પણ તે હસ્યા વગર રહી શકતા નથી. એક અંગ્રેજ નેતા માટે ચર્ચિલે કહ્યું હતું કે He runs the risk of being most humourous when he wishes to be most serious.' હાસ્યના પ્રકારોમાં સામાન્ય સ્મિતથી ખડખડાટ હાસ્ય સુધીની ઘણી જુદી જુદી કક્ષાઓ હોય છે. એના છ પ્રકાર આ રીતે ગણાય છેઃ (૧) સ્મિત, (૨) હસિત, (૩) વિકસિત, (૪) ઉપહસિત, (૫) અપહસિત અને (૬) અતિહસિત. સ્મિતમાં પણ આંખોનું સ્મિત ઉત્તમ પ્રકારનું, હોઠનું સ્મિત મધ્યમ પ્રકારનું અને દાંતનું સ્મિત કનિષ્ઠ પ્રકારનું ગણાય છે. સ્મિતમાં ગૌરવ છે. વિસંગતિનો અચાનક થતો અર્થબોધ માણસને ખડખડાટ હસતો કરી દે છે. હાસ્યનું શાસ્ત્ર એવું છે કે જેટલું જરૂરી હોય એથી વધારે જો ખડખડાટ હસવામાં આવે તો તે ગ્રામ્યતામાં સરી પડે છે. વળી જે વાતમાં માત્ર સ્મિત જ ફરકાવવાનું હોય ત્યાં કોઈ ખડખડાટ હસે તો તે માણસની અબુધતાને તથા ગ્રામ્યતાને છતી કરે છે. કહેવાય છે કે મૂર્ખ માણસ બે વખત હસે, એક બધાંની સાથે અને પછી પોતાને જ્યારે અર્થ સમજાય ત્યારે. હાસ્યમાં પ્રમાણભાન સૌથી મહત્ત્વનું છે. હાસ્ય ક્યારે Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ પોતાની મર્યાદા ઓળંગી જશે એ કહી શકાય નહિ. હસનાર કે હસાવનાર એ બેમાંથી કોઈ એ વિશે સાચી આગાહી ન કરી શકે. એટલા માટે જ મર્યાદામાં હસવા ઉપર અતિશય ભાર મૂકવામાં આવ્યો છે. તેથી જ કહેવાયું છે A sense of humour is a sense of proportion. સાધુની પાસે પ્રસન્નતાનો ઉત્તમ ગુણ એટલો બધો ખીલેલો હોવો જોઇએ કે તેમના શાંત અને ધીરગંભી વદન ઉપર પ્રસન્નતાની રેખાઓ સ્મિતની રેખાઓ તરીકે કામ કરે. એ રેખાઓ એવી ઉત્કૃષ્ટ કોટિની હોવી જોઇએ કે એમની પાસે આવીને વાત કરનારને કે દૂરથી એમનાં દર્શન કરનારને માટે તે પ્રેરણારૂપ બની રહે. ગૌરવ એ સાધુનું ભૂષણ છે. ગાંભીર્ય દ્વારા ગૌરવ જળવાય છે, હાસ્ય દ્વારા નહિ. બહુ હસતા-હસાવતા મશ્કરા માણસની સમાજમાં એકંદરે અને લાંબે ગાળે ઓછી કિંમત અંકાય છે. કહેવાય છે ઇંસિયાં રોષ પર, ગુણ ગાવે, હિના રે, સાધુ-ભગવંતોને માથે જો વ્યાખ્યાન દ્વારા ઉપદેશ આપવાની જવાબદારી હોય તો એમણે પૂરું ગાંભીર્ય સાચવવું જોઈએ અને પોતાના ગૌરવને ખંડિત થવા દેવું ન જોઈએ, નહિ તો તેમના ઉપદેશની ધારેલી અસર થાય નહિ. વ્યાખ્યાન વગેરેની જવાબદારી ન હોય તો પણ સાધુનું ચારિત્ર સુવાસમય, પ્રેરક અને ઉદાહરણરૂપ હોવું જોઈએ. વધુ પડતું હસવાથી, અમર્યાદ ખડખડાટ હસ્યા કરવાથી સાધુમાં વિવેકનો અભાવ છે એવી Page #102 -------------------------------------------------------------------------- ________________ नातिवेलं हसे मुणी ૯૩ છાપ પડે છે અને પરિણામે એમનું સંયમ–જીવન વગોવાય છે અને બીજાને માટે પ્રેરણારૂપ બનતું નથી. સાધુએ ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યો હોય છે. એથી એમની જીવનનિર્વાહની જવાબદારી સમાજને માથે આવે છે. સમાજ એટલી જ જવાબદારી હોંશપૂર્વક ઉઠાવે છે કે જ્યાં એને સંયમથી સુવાસિત થયેલા સાધુના જીવનની પ્રતીતિ થતી હોય. જે એવા સાધુ નથી હોતા એમના જીવન-નિર્વાહની જવાબદારી બોજારૂપ લાગે છે. કેટલાક ગૃહસ્થો એમાંથી છૂટવાનો પણ પ્રયત્ન કરે તો તે સમજી શકાય એવી વાત છે. જે સાધુઓ આત્મમગ્ન છે, આત્મજ્ઞાની છે તેઓને તો અંદરથી શાન્ત રસના આનંદનો ફુવારો એટલો બધો ઊઠતો હોય છે કે એમને પછી બહારનો માત્ર હાસ્યરસ નહિ, બધા જ રસો નિરર્થક લાગે છે. ભોજનના ષસ હોય કે કવિતાના પરસ હોય, એ બધા એમને માટે રસહીન બની જાય છે. ઉચ્ચ સાધુ મહાત્માઓ માટે તો ઉપશમયુક્ત, અનુભવજ્ઞાનનો શાંત સુધારસ રસનો રાજા બની રહે છે. તેઓને માટે તો એ જ રસ હૈ : હોય છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ मायने असणपाणस्स [ખાનપાનની માત્રાના જાણકારી શ્રમણ ભગવાન મહાવીરે જૈન સાધુઓના બાવીસ પરીષહ (કખ) સહન કરવા વિશે ઉત્તરાધ્યયન સૂત્રમાં સચોટ ઉપદેશ આપ્યો છે. આ બાવીસ પરીષહમાં સૌથી પ્રથમ સ્થાન “સુધા પરીષહને આપવામાં આવ્યું છે. સુધા પરીષહ સહન કરનારા સાધુઓને માટે તેમણે કહ્યું છે કે તેઓ ખાનપાનની માત્રાના, મર્યાદાના પણ જાણકાર હોવા જોઈએ. સુધા પરીષહની ગાથા આ પ્રમાણે છે. कालीपव्वंगसंकासे किसे धमणिसंतए । मायने असणपाणस्स अदीणमणसो चरे ॥ [ભૂખથી સુકાઈને શરીર કાનજંઘા (એક પ્રકારનો છોડ અથવા કાગડાની ટાંગ) જેવું પાતળું થઈ જાય, શરીરની ધમનીઓ ઢીલી પડી જાય તો પણ ખાનપાનની માત્રાના જાણકાર (ગાયત્ર અથવા મફિન્ન એટલે માત્રજ્ઞ) એવા મુનિઓ અદીનભાવથી વિચરે.] જે મુનિઓ પોતાના ખાનપાનની મર્યાદાને જાણે છે તેઓને દીનતાનો, લાચારીનો, પરવશતાનો અનુભવ થતો નથી. જે માણસો પોતાના ખાનપાનને બરાબર જાણતા નથી તે માણસો રોગ વગેરે થતાં પરવશ, દીન, લાચાર બની જાય Page #104 -------------------------------------------------------------------------- ________________ मायने असणपाणस्स ૯૫ છે. એકાદ ગંભીર રોગ થતાં ભલભલા બહાદુર, અભિમાની માણસો ગરીબડા થઈ જાય છે, ક્યારેક રડી પણ પડે છે. પોતાના તનના કે ધનના જોરે ઘાંટો પાડીને બીજાને ધ્રુજાવનારા પણ તીવ્ર શારીરિક પીડા થતાં ચીસાચીસ કરવા લાગે છે. તે વખતે તેમની સ્થિતિ જોવા જેવી હોય છે. જે સાધક પોતાનાં આહાર-પાણીને બરાબર જાણે છે અને તે અનુસાર આહાર લે છે તે સાધકને માંદા પડવાનો અવસર જવલ્લે જ આવે છે. કેટલાયે સાધુ મહાત્માઓ એવા હોય છે કે જેમને આખી જિંદગીમાં કોઈ દિવસ તાવ આવ્યો હોય કે માથું દુઃખ્યું હોય એવી નાની સરખી બીમારી પણ આવી નથી હોતી. કેટલાક એવા મહાત્માઓ છેલ્લે અન્નપાણીના ત્યાગ દ્વારા દેહનું વિસર્જન પણ સ્વેચ્છાએ સમાધિપૂર્વક કરે છે. આવા મહાત્માઓને જીવનમાં કોઈ પણ પ્રકારની દીનતા, લાચારી, પરવશતા વગેરે અનુભવવાં નથી પડતાં. એટલે જ એવી દશા જેઓને પ્રાપ્ત કરવી છે તેઓએ આહારની બાબતમાં સજાગ અને સભાન રહેવાની જરૂર છે. આહારની અને એની માત્રાની શરીર અને ચિત્ત ઉપર સારી કે માઠી અસર થયા વગર રહેતી નથી. આહારનું પણ સત્ત્વ, રજસ્ અને તમસું એ ત્રણ ગુણોની દૃષ્ટિએ વર્ગીકરણ કરવામાં આવે છે. માણસ ધારે તો સતત અવલોકન કરીને કયા પ્રકારના આહારથી પોતાના ચિત્ત ઉપર કેવો પ્રભાવ પડે છે, તેનો નિર્ણય કરી શકે અને પોતાને માટે પથ્યાપથ્ય શું છે તે સમજી Page #105 -------------------------------------------------------------------------- ________________ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ શકે. સાધકો માટે એ બહુ જરૂરી છે. બ્રહ્મચર્યનું સંનિષ્ઠ પાલન કરનાર માટે એ સવિશેષ ઉપયોગી છે. કોઈ વ્યક્તિ પોતાના ખાનપાનની માત્રાની બરાબર જાણકાર છે અને એ પ્રમાણે જ આહારાદિ લે છે એની કસોટી કઈ? સામાન્ય નિયમ એવો છે કે પોતાના શરીરનો બાંધો. અને પોતાની શારીરિક પ્રકૃતિ અનુસાર જેઓ યોગ્ય ખોરાક, યોગ્ય સમયે, યોગ્ય પ્રમાણમાં લે છે તેને ક્યારેક માંદા પડવાનો વખત આવતો નથી. પરંતુ આથી પણ ચડિયાતી અને કઠિન કસોટી પણ છે. હિમાલયમાં એક યોગી મહાત્માએ કહ્યું હતું કે માણસ યોગ્ય આહાર લે છે કે કેમ એની કસોટી એના નિહાર (શૌચ) ઉપરથી થઈ શકે છે. માણસની ઉત્તમ નિહારક્રિયા એ કે જે વધુમાં વધુ પાંચ સેકન્ડમાં પતી જાય અને એ માટે એ પાણી, કાગળ કે હાથનો ઉપયોગ ન કરે તો પણ એનું શરીર સ્વચ્છ, શુદ્ધ અને દુર્ગધરહિત હોય. કેટલાયે યોગી મહાત્માઓનાં શરીર આ પ્રકારનાં હોય છે. ખાનપાનની સામાન્ય જાણકારી ભિન્નભિન્ન કક્ષાના લોકોની ભિન્નભિન્ન દૃષ્ટિબિન્દુથી ભિન્નભિન્ન હોઈ શકે. કોઈ સ્વાદની દષ્ટિએ, કોઈ આરોગ્ય અને તાકાતની દૃષ્ટિએ, કોઈ ઇન્દ્રિયસંયમની દૃષ્ટિએ, કોઈ ધ્યાન અને અધ્યાત્મની દૃષ્ટિએ એનો વિચાર કરી શકે. સામાન્ય માણસો ખાનપાનના જાણકાર હોય, વૈદ ખાનપાનના જાણકાર હોય અને સાધુ-સંન્યાસીઓ જાણકાર હોય એ દરેકમાં ઘણો તફાવત રહેલો છે. જેનો, Page #106 -------------------------------------------------------------------------- ________________ मायन्ने असणपाणस्स વિશેષતઃ જૈન મુનિઓ માટે ઇન્દ્રિયસંયમ, જીવદયા, કર્મસિદ્ધાંત ઇત્યાદિની દૃષ્ટિએ ખાનપાનનો, ભક્ષ્યાભક્ષ્યનો ઝીણવટપૂર્વક વિચારવિમર્શ થયો છે. એ દૃષ્ટિએ તેઓ માયન્ન હોવા જોઈએ. મનુષ્ય અને ઇતર પ્રાણીસૃષ્ટિ વચ્ચે એક મોટો તફાવત એ છે કે પશુપક્ષી આહારને સૂંઘીને ખાય છે; પોતાની આહા૨સંજ્ઞા અનુસાર પોતાને પથ્ય હોય તેવો અને પોતાને પાચન થાય તેટલો જ આહા૨ તે કુદરતી ક્રમે ગ્રહણ કરે છે. પોતાને યોગ્ય આહાર ન મળે એવી દુકાળ જેવી વિકટ પરિસ્થિતિમાં પ્રાણી પણ અપથ્ય આહાર ગ્રહણ કરે એવું કેટલીક વાર બને છે ખરું; પરંતુ એકંદરે તો પશુ-પક્ષીઓ કુદરતી સંજ્ઞાને કારણે પોતાની આહારમર્યાદાને જાણે છે અને તેને અનુસરે છે. મનુષ્યના આહારનું ક્ષેત્ર અત્યંત વિશાળ છે, વિરાટ છે. પશુપક્ષીઓ તથા જીવજંતુઓનું આહારનું ક્ષેત્ર બહુ મર્યાદિત છે. મનુષ્યનું આહારક્ષેત્ર એટલે તમામ પ્રકારની વનસ્પતિ અને તમામ પ્રકારનાં પશુ-પક્ષીઓ. ઉંદર, દેડકાં, સાપ અને ઢેડગરોળી ખાનારા માણસો પણ દુનિયામાં છે. મરેલાં પ્રાણીઓની ચરબી ખાનારા અને ગાયભેંસનું તાજું દૂધ નહિ પણ તાજું લોહી પીનારા આદિવાસીઓ પણ છે. મનુષ્યના આહા૨ને કોઈ સીમા નથી. દુનિયામાં સમયે સમયે નવી નવી ખાદ્ય વાનગીઓ શોધાતી આવે છે. હેમચન્દ્રાચાર્ય, યશોવિજયજી, આનંદઘનજી, પ્રેમાનંદ કે શામળના સમયમાં ૯૭ Page #107 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ ચા-કૉફી નહોતાં. વીરવિજયજી, બુટેરાયજી, આત્મારામજી, નર્મદ કે દલપતરામના સમયમાં કોકાકોલા જેવાં પીણાં નહોતાં. છેલ્લા ચાર-પાંચ દાયકામાં તો ખાદ્ય વાનગીઓના ક્ષેત્રે દુનિયાએ મોટી હરણફાળ ભરી છે. રેફ્રિજરેટર, મિક્ષર, ઓવન, માઈક્રોવેવ અને એવાં બધાં ઈલેક્ટ્રિક સ્વયંસંચાલિત સાધનોના પ્રચાર પછી જુદા જુદા ખાદ્ય પદાર્થોના સંમિશ્રણ અને તેના વધતા-ઓછા પ્રમાણ અનુસા૨ અનેક જાતની વાનગીઓ બજારમાં આવી છે. અમેરિકામાં યોગર્ટ (દહીં), આઇસ્ક્રીમ, બિસ્કિટ વગેરે પચાસથી અધિક જાતનાં મળે છે. તે દરેકના સ્વાદ પણ જુદા જુદા. પચાસ કે સો વર્ષ પછી કેવી કેવી નવી વાનગીઓ આવશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. ઝડપી વિમાનવ્યવહારને કારણે જુદા જુદા દેશની પ્રજાઓની અવરજવ૨ વધી ગઈ છે. દરેક પ્રજાની પોતાની ખાદ્ય પદાર્થની એક લાક્ષણિકતા હોય છે. તેની સાથે તેની આત્મીયતા જડાયેલી હોય છે. ઘણા લાંબા દિવસ સુધી પોતાનો રોજનો ખોરાક ન મળ્યો હોય તો માણસ તેને માટે ઝંખે છે. એથી દુનિયાનાં મોટાં મોટાં શહેરોમાં બીજા દેશોની ખાદ્ય વાનગી પીરસતી રેસ્ટોરાંઓ વધતી જાય છે. જાપાનમાં પિત્ઝા ખાનાર, લંડનમાં દાળ-ભાત, રોટલી ખાનાર, અમેરિકામાં જાપાની ટેમ્પરા કે સુકીયાકી ખાનાર, રશિયામાં મેક્સિકન તાકો-બરીતો ખાનાર, કેનેડામાં ઈડલી-ઢોસા ખાનાર, ફિલિપાઇન્સમાં સ્પગેટી ખાનાર માણસોની હવે જરા પણ નવાઈ નથી, કારણ કે ૯૮ Page #108 -------------------------------------------------------------------------- ________________ मायने असणपाणस्स ૯૯ વિભિન્ન દેશોની વિવિધ પ્રકારની વાનગીઓ બનાવનારી રેસ્ટોરાં દુનિયામાં ઉત્તરોત્તર વધુ પ્રચલિત બનવા લાગી છે. વિવિધ ખાદ્ય પદાર્થોનું વિવિધ ઉષ્ણતામાન સાથે વિવિધ પ્રકારનું સંમિશ્રણ કરીને નવી નવી વાનગીઓ બનાવવા સાથે વિવિધ પ્રકારનાં સાધનોની એવી એવી શોધ થતી રહી છે કે ઓછા સમયમાં ઓછા શ્રમે વ્યવસ્થિત રીતે તૈયાર થયેલી વાનગી માણસો આરોગવા લાગ્યા છે. બાવીસમી સદીમાં તો કોમ્યુટરાઈઝૂડ કિચન આવી જતાં માણસ એક બટન દબાવીને પોતાની મનપસંદ તાજી બનેલી વાનગી પાંચ-પંદર મિનિટમાં મેળવી શકશે. છેલ્લા થોડા સૈકા દરમિયાન સમગ્ર વિશ્વમાં સાંસ્કૃતિક દષ્ટિએ ભોજનની બાબતમાં ઘણું મોટું પરિવર્તન આવ્યું છે. દુનિયાભરમાં દિવસે દિવસે રેસ્ટોરાં વધતાં ચાલ્યાં છે. એથી માણસની ઘરની બહાર ખાવાની પ્રવૃત્તિ વધી ગઈ છે. બીજી બાજુ રહેઠાણો શૌચાદિની સગવડવાળાં બનતાં રહ્યાં છે. જૂની પરંપરા પ્રમાણે લોકો ઘરમાં આહાર લે અને શૌચાદિ માટે ઘરની બહાર દૂર સુધી જાય. (‘જંગલે જવું' જેવો રૂઢપ્રયોગ એ દર્શાવે છે.) નવી પરંપરા પ્રમાણે લોકો ખાવા માટે બહાર દૂર દૂર સુધી જાય છે અને શૌચાદિ ઘરમાં કરે. આહાર-વિહારની બાબતમાં સાંસ્કૃતિક દૃષ્ટિએ આ એક મોટો વિપર્યાસ છે. આહાર-નિહારની એટલી બધી સગવડો થઈ ગઈ છે કે માણસ દિવસોના દિવસો સુધી ઘરે ન આવે અથવા ઘરની બહાર ના Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ જાય તો પણ એ સુખેથી જીવી શકે. જેટલી જેટલી ખાદ્ય અને પેય વાનગીઓ છે તે બધી જ દરેક વ્યક્તિને ભાવે એવું નથી. કેટલાય લોકોને બોલતા સાંભળીએ છીએ કે અમુક વાનગી પોતાને બહુ ભાવે છે અથવા અમુક વાનગી પોતાને બિલકુલ ભાવતી નથી. કોઈ જમણવારમાં પીરસનારા જો બરાબર અવલોકન કરે તો કઈ વ્યક્તિ કઈ વાનગી વધારે ઝાપટે છે અને કઈ વ્યક્તિ કઈ વાનગીને બિલકુલ અડતી નથી તે તેને તરત જણાઈ આવે. આરોગ્યના નિયમોને કારણે કે ત્યાગ-તપશ્ચર્યાના નિયમને કારણે કોઈક વ્યક્તિ કોઈ વાનગી ન ખાય તે જુદી વાત છે. પરંતુ પોતાને બધા પ્રકારની વાનગી ભાવે એવી વ્યક્તિ ઓછી હોય છે. તેમાં પણ મસાલાનું વત્તાઓછાપણું હોય તો પણ બધી વાનગી પોતાને ભાવે એવી વ્યક્તિઓ તો એથી પણ ઓછી હોય છે. જેની સ્વાદેન્દ્રિય વધુ ઉત્તેજિત રહેતી હોય, ખાવાપીવાના જેને બહુ ચટકા હોય અને ખાવાપીવાની બાબતમાં બહુ ચીકણાં અને વાંધા-વચકાવાળા માણસો હોય તેઓને અજાણી જગ્યાએ ઘણી તકલીફ પડે છે. દેશ-વિદેશમાં પોતાની પ્રિય વાનગીઓ ક્યાં મળે છે તે શોધવા માટે ઘણા પ્રવાસીઓ રખડતા હોય છે અને પોતાની ઈચ્છા પ્રમાણે પોતાની પ્રિય વાનગી ખાવા ન મળે તો અતિશય નિરાશ થઈ જાય છે. જે માણસે દુનિયામાં ઘણો પ્રવાસ કરવો હોય એ માણસે આહાર Page #110 -------------------------------------------------------------------------- ________________ मायने असणपाणस्स ૧૦૧ વિશેની પોતાના ધર્મની મર્યાદા અનુસાર “બધું જ ભાવે અને બધું જ ફાવે' એ સૂત્રને પોતાનું સૂત્ર બનાવી લેવું જોઈએ. આહારનો પ્રશ્ર માનવજાતનો એક સનાતન પ્રશ્ન છે. દરેક જીવની ઘણીખરી પ્રવૃત્તિ આહારની આસપાસ ગોઠવાયેલી હોય છે. બીજાં પ્રાણીઓ કરતાં મનુષ્યનું આહારક્ષેત્ર અત્યંત વિશાળ છે. એથી જ માનવજાતના કેટલા બધા કલાકો રોજેરોજ આહાર પાછળ વપરાય છે. જીવવા માટે ખાવાથી માંડીને ખાવા માટે જીવવું ત્યાં સુધીમાં કેટલી બધી કક્ષા હોય છે! ઘરે ઘરે જુદાં જુદાં રસોડાને બદલે સ્થળે સ્થળે મોટાં સ્વચ્છ, સુઘડ, સુંદર સામુદાયિક રસોડાં ચાલતાં હોય તો કેટલા બધા માનવકલાકો બચી જાય કે જે ઈતર સર્જનાત્મક, સંશોધનાત્મક, મનોરંજક કે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે વાપરી શકાય. શિક્ષણ સંસ્થાની હોસ્ટેલો, આશ્રમો, તીર્થક્ષેત્રો વગેરેમાં એવી સગવડ હોય છે. પોતાના ઘરે રાંધીને ખાવું કે બહાર જાહેર સ્થળમાં કોઈકના હાથનું રાંધેલું ખાવું એ પ્રશ્ન સમૃદ્ધ દેશો કરતાં અવિકસિત દેશોને વધારે મૂંઝવનારો છે. સમૃદ્ધ દેશોમાં મોટી સારી સ્વચ્છ રેસ્ટોરાં અને હોટેલોમાં ભેળસેળ વગરની, સારી રીતે પકાવેલી મનપસંદ સ્વાદિષ્ટ વાનગીઓ પીરસાય છે. એથી રોગ થવાનો સંભળ ઓછો રહે છે. માણસ જુદી જુદી વાનગી માટે વખણાતી જુદી જુદી રેસ્ટોરોમાં જઈને ખાવાનો પોતાનો શોખ સંતોષ છે. એવી રીતે ખાવું તે ઘર કરતાં મોંઘુ પડતું હોવા છતાં Page #111 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ લોકોને તે પોસાય છે અને પોતાની મહેનત બચે છે એમ માને છે. અવિકસિત દેશોમાં બહારનું ખાઈને માણસો માંદા પડ્યા હોય એવી ફરિયાદો વારંવાર સાંભળવા મળે છે. એકસાથે ઘણા લોકો માટે વાનગી રાંધનારાઓ પોતે સ્વચ્છ હોતા નથી. તેમનાં કપડાં સ્વચ્છ હોતા નથી. તેમના હાથ અને નખ સ્વચ્છ હોતા નથી. તેમનું રસોડું સ્વચ્છ હોતું નથી. (ક્યારેક તો રસોડા જેવું પણ કશું હોતું નથી.) તેમનાં વાસણો સ્વચ્છ હોતાં નથી. તદુપરાંત કમાવાની વૃત્તિને કારણે આહારની અંદર ભેળસેળ થાય છે. સડેલાં શાકભાજી વપરાય છે. વાસી જૂની વાનગીઓ ફેંકી ન દેતાં નવી વાનગીઓ સાથે તે ભેળવાય છે. રસોઇયાની બેદરકારીને કારણે, તેવા પ્રકારના જરૂરી જ્ઞાનના અભાવને કારણે ઉઘાડાં રાખેલાં વાસણોમાં માખી, કીડી, વાંદા, જીવડાં વગેરે પડે છે. ક્યારેક તો ઢેડગરોળી પડે છે અને એને કારણે એ વાનગી ખાનાર અનેક લોકોને ઝાડા-ઊલટી થાય છે. એથી કેટલાક મૃત્યુ પણ પામે છે. ખુલ્લામાં રખાયેલી રસોઈમાં ધૂળ કે કચરો પણ ઊડીને પડતાં હોય છે. એકંદરે જાહેર લોજ, વીશી, ખાનાવળ વગેરેમાં સતત વધુ દિવસ ખાવાથી માણસ માંદો પડે છે; મરડો થાય છે; પેટ કે આંતરડાના દરદો થાય છે. બહારનું ખાવાથી આરોગ્ય સચવાતું નથી એવી ફરિયાદ અવિકસિત દેશોમાં એકંદરે સાચી ઠરે છે. કેટલાક માને છે કે રાંધનાર વ્યક્તિના મનના ભાવો અશુભ ૧૦૨ Page #112 -------------------------------------------------------------------------- ________________ मायने असणपाणस्स ૧૦૩ હોય તો તેની અસર રસોઈ ઉપર થાય છે. રજસ્વલા સ્ત્રીઓ રસોઈ કરે તો તેની માઠી અસર પણ થાય છે. કેટલાંક મરજાદી લોકો બીજાના ઘરનું રાંધેલું ખાતા નથી. કેટલાક પુરુષો ઘરમાં પત્ની હોય છતાં જીવનભર સ્વયંપાકી રહ્યા હોય એવા દાખલા ભારતમાં સાંભળ્યા છે. માણસની ખાવાની શક્તિ અને વૃત્તિ અમર્યાદ છે. માણસ રોજ રોજ વધારે ખાતો જાય તો તેની હોજરી મોટી થતી જાય છે અને પેટ ગાગર જેવું ગોળમટોળ બનતું જાય છે. સ્વાદવૃત્તિ ઉત્તેજિત થાય એવી વાનગીઓનું વૈવિધ્ય હોય તો માણસ રોજ કરતાં વધુ ખાઈ લે છે. “શાકે સવાયું, દૂધે દોઢું અને મિષ્ટાન્ને બમણું' ખવાય છે એવી માન્યતા જૂના વખતમાં પ્રચલિત હતી. વળી ‘દૂધ અને રોટલા, દહીં અને ભાત લાડવા અને વાલ, ખાવ મારા લાલ.” આવી લોકોક્તિઓ કઈ વાનગી સાથે કઈ વાનગી વધારે ભળે અને ભાવે તે દર્શાવે છે. કોઈ પણ પ્રજાની આર્થિક સમૃદ્ધિ વધતી ચાલે છે તેમ તેમ ખાનપાનના શોખ વધવા લાગે છે. આજે ધનાઢ્ય દેશોમાં સરખેસરખા માણસોની મંડળી જામી હોય તો તેમની વાતચીતના વિષયોમાં Food અને Motorcar એ બે વિષયો અગ્રસ્થાને હોય છે. નવરા શ્રીમંત માણસોને નવું નવું ખાવાનો શોખ જાગે છે અને તેમને પોસાય પણ છે. પરંતુ વખત જતાં Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ તેમનું જીવન પ્રમાદી અને નિષ્ક્રિય બની જાય છે. આવા વધુ પડતા શોખને કારણે જ એવી સંસ્કૃતિઓનું કાળક્રમે પતન થાય છે. લોકોની પ્રતિકારશક્તિ ઓછી થઈ જાય છે. જીવન બેઠાડુ બની જાય છે અને પાડોશી દુશ્મનોનું આક્રમણ થતાં તેઓ પરાજિત થઈ જાય છે. પ્રાચીન સમયમાં સમૃદ્ધ રોમન લોકોનો ખાવાપીવાનો શોખ એટલી હદ સુધી વધી ગયો હતો કે પેટ ભરીને ખાધા પછી ફરી જલદી ભૂખ લાગે એટલા માટે તેઓ ખાધેલું વમન થઈ જાય એવાં ચૂર્ણ લેતા. વૈજ્ઞાનિકો એમ માને છે કે માણસના શરીરના પોષણ માટે બહુ આહારની જરૂર નથી. માણસ પેટ ભરીને જે ખાય છે તેના કરતાં થોડું ઓછું ખાય તો પણ એના આરોગ્ય અને આયુષ્યને વાંધો આવે નહિ. ઊલટાનું વૈજ્ઞાનિકો, તબીબો કહે છે કે વધુ ખાવાથી માણસના આરોગ્ય ઉપર માઠી અસર થાય છે. દિગમ્બર સાધુઓ જીવન પર્યન્ત દિવસમાં ફક્ત એક જ વાર આહાર લેતા હોય છે અને તે પણ બત્રીસ કોળિયા જેટલા મર્યાદિત પ્રમાણમાં. તો પણ તેઓના સરેરાશ આયુષ્યને કોઈ વાંધો આવતો નથી, એટલું જ નહિ, આવી દિનચર્યાને કારણે કેટલાક તો એંશી, નેવું કે સો વર્ષ સુધી જીવે છે. ભૂખ કરતાં થોડુંક ઓછું ખાવાથી, ઊણોદર રહેવાથી આરોગ્ય એકંદર સારું રહે છે એ તો સર્વસ્વીકૃત મત છે. શરીરને જોઈએ તેના કરતાં વધુ આહાર જો લેવામાં આવે તો પાચનમાં તકલીફ ઊભી થાય છે, શરીરમાં તે ચરબીરૂપે જમા થાય છે અને Page #114 -------------------------------------------------------------------------- ________________ मायन्त्रे असणपार्णस्स ચરબીને કારણે માણસને બીજા ઘણા રોગો થાય છે. માણસ વધુ પૌષ્ટિક, ચરબીયુક્ત આહાર લે અને તે પચાવવા માટે તેની સાથે વધુ વ્યાયામ કરે તો તે આહારનું પાચન થઈ જાય છે, પરંતુ શરીરમાં ચરબી તો જમા થાય જ છે. જાપાનમાં ‘સુમો’ના નામથી જાણીતા કુસ્તીબાજો રોજેરોજ ઘણું બધું ખાય છે. તેની સાથે ઘણી બધી કસરત કરે છે. તેમના શરીરમાં ઘણી તાકાત હોય છે. આમ, તેઓ શરીર જમાવતા જાય છે. એટલે એક ‘સુમો’ કુસ્તીબાજ સરેરાશ પાંચછ માણસના કુલ વજન કરતાં વધુ વજનવાળો હોય છે. આમ છતાં વધુ પડતી ચરબી અને વધુ પડતા વજનને કારણે ‘સુમો’ કુસ્તીબાજનું સરેરાશ આયુષ્ય ૪૫-૫૦ વર્ષથી વધુ નથી હોતું. ઓછું ખાવું એ વ્યક્તિના હિતની વાત છે. મજાકમાં એમ કહેવાય છે કે માણસ પેટ ભરીને રોજ જમે છે તેમાં બે તૃતીયાંશ ખોરાક એના પોતાના પોષણ માટે હોય છે અને એક તૃતીયાંશ ખોરાક વૈદ કે ડૉક્ટરોના પોષાણને માટે હોય છે. જે માણસો પોતાના પથ્ય આહારને જાણતા નથી તેઓ, અને જાણ્યા પછી જેઓ એને અમલમાં મૂકતા નથી તેઓ, મોટા રોગોને નોતરે છે. જન્મથી માંડીને મૃત્યુ પર્યન્ત વધતી જતી વય અનુસાર માણસના ખોરાકમાં ફરક પડતો જાય છે. ગળ્યું, ખાટું અને તીખું એ ત્રણ સ્વાદનું પાચન જીવન પર્યન્ત એકસરખું તો બહુ ઓછા માણસોનું રહે. કોઈક ગળપણને ન પચાવી શકે અને મધુપ્રમેહ થાય, કોઈ ખટાશને ન પચાવી ૧૦૫ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ શકે અને અમ્લપિત્ત થાય અને કોઈ તીખાશને ન પચાવી શકે એને હરસ, ચાંદું વગેરે થાય. કોઈક શીત પ્રકૃતિના હોય અને કોઈક ઉષ્ણ પ્રકૃતિના હોય. વૈદો માણસની નાડ જોઈને કફ, પિત્ત અને વાયુનો કેટલો પ્રકોપ છે તે વિચારીને પથ્યાપથ્ય આહાર દર્દીને સૂચવે છે. અપથ્ય આહાર દર્દી છોડી ન શકે તો એમને પ્રેમથી સમજાવે. એમ કહેવાય છે કે કોઈ યુવાન દર્દી વૈદ્ય પાસે આવ્યો. એનો દમનો વ્યાધિ ઘણો ઉગ્ર થઈ ગયો હતો. ખાસી ખાતાં તે બેવડ વળી જતો. વાત કરતાં તે હાંફી જતો. વૈદ્ય એને પડીકી આપી અને શું શું ન ખાવું તે સમજાવ્યું. યુવાન યુવાનીના તોરમાં હતો. એણે કહ્યું, “જુઓ વૈદરાજ, બધી વાત સાચી, પણ તમે કહેલી એક પણ વાનગી હું છોડી શકું એમ નથી. એ મારી પ્રિય વાનગીઓ છે અને મને એના વિના જરા પણ ચાલતું નથી.” વૈદ્ય કહ્યું, “એમ છે? તો તારા જેવો કોઈ સુખી માણસ નહિ.” યુવાને કહ્યું, “વૈદરાજ, તમે કટાક્ષમાં કહો છો?' વૈદે કહ્યું, “ના, સાચું કહું છું. તને કુદરતનાં ત્રણ મોટાં વરદાન મળશે.” યુવાને જિજ્ઞાસાથી પૂછ્યું, “ક્યાં વરદાન?' વૈદે કહ્યું, “જો ભાઈ, પહેલું વરદાન એ કે તને જિંદગીમાં કોઈ દિવસ કૂતરું કરડશે નહિ. બીજું વરદાન એ કે તારા ઘરમાં કોઈ દિવસ ચોરી થશે નહિ. અને ત્રીજું વરદાન એ કે તારા વાળ ધોળા નહિ થાય.' યુવાને કહ્યું, “વૈદરાજ, આ તો તમે ગપ્પાં મારો છો.' Page #116 -------------------------------------------------------------------------- ________________ मायन्त्रे असणपाणस्स વૈદે કહ્યું, ‘ના ભાઈ, સાચું કહું છું. જો તારો રોગ એટલો બધો આગળ વધી ગયો છે કે હવે થોડા દિવસમાં જ તારે લાકડીને ટેકે ચાલવું પડશે. જેના હાથમાં લાકડી હોય તેનાથી કૂતરાં આઘાં ભાગે; કરડે નહિ. વળી દમને લીધે આખી રાત તું સૂઈ નહિ શકે. બેઠાં બેઠાં આખી રાત કાઢવી પડશે. તું જાગતો બેઠો હોય તો તારા ઘરમાં ચોર કેવી રીતે આવે ? અને તારા વાળ ધોળા થાય તે પહેલાં તો તારું આયુષ્ય પૂરું થઈ ગયું હશે, કાળા વાળ સાથે તું જશે.’ વૈદે માર્મિક રીતે મીઠાશથી યુવાનને સમજાવ્યું. યુવાને તરત જ વૈદરાજે કહ્યું તે પ્રમાણે ચરી પાળવાનું સ્વીકારી લીધું. ભારતીય સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે અન્નને આધારે આખું વિશ્વ ચાલ્યા કરે છે. અન્ન ન હોય તો પ્રજોત્પત્તિ ન હોય, અન્ન ન હોય તો જીવન ન હોય, શક્તિ ન હોય અને શક્તિ ન હોય તો સાધના ન હોય. શરીરમાદ્યમ્ વનું ધર્મસાધનમ્ । ધર્મસાધના માટે શરીરની પહેલી આવશ્યકતા છે. શરીર માટે આહારની પહેલી આવશ્યકતા છે. માટે અન્નનું મહત્ત્વ આધ્યાત્મિક ક્ષેત્રે પણ સ્વીકારાયું છે. આહારના વિવિધ પ્રકારના પ્રયોગો થાય છે. અમુક પ્રકારની વિશિષ્ટ શક્તિ આહાર દ્વાર મેળવાય છે. કેટલીક લબ્ધિ-સિદ્ધિ પણ આહાર ઉપર આધારિત છે. ભગવાન મહાવીરે ગોશાલકને તેજોલેશ્યા કેવી રીતે પ્રાપ્ત કરવી તેની જે વિદ્યા શીખવી હતી એમાં બાફેલા અડદના દાણાનું મહત્ત્વ ઘણું હતું. વળી, ચોવીસ ૧૦૭ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ કલાકમાં અનાજનો ફક્ત એક જ રાંધેલો દાણો લઈને એનો વિધિપૂર્વક આહાર કરવાની તપશ્ચર્યા (એક સિત્ય તપ) પણ વિશિષ્ટ પ્રકારની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિ જન્માવે છે. અકબર પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિ મહારાજે આવી “એક સિત્યના પ્રકારની કેટલીક તપશ્ચર્યા કરી હતી. વળી આહાર અંગે અનશન, ઊણોદરી, આયંબિલ, વૃત્તિસંપેક્ષ, રસત્યાગ વગેરે વિવિધ પ્રકારની તપશ્ચર્યા પણ બતાવવામાં આવી છે. જેઓ આવી તપશ્ચર્યા ન કરી શકે તેઓ એક કે વધુ વાનગી અમુક સમય સુધી ન ખાવાની બાધા લઈ શકે છે. જેઓને ઊંડી આધ્યાત્મિક સાધના કરવી છે તેઓને આહાર ઉપર વિજય મેળવ્યા વિના છૂટકો નથી. જે માણસની સ્વાદેન્દ્રિય લોલુપ હોય તે માણસ ઊંડી આધ્યાત્મિક સાધના કરી શકે નહિ. ભરેલા પેટે ધ્યાન ધરનાર નિદ્રાધીન થઈ જાય છે. આહાર કરતી વખતે સાચા જેને નીચે પ્રમાણેની પાંચ પ્રકારની ભાવના ભાવવી જોઈએઃ (૧) મારા આહાર માટે જે કોઈ એકેન્દ્રિય જીવની હિંસા-વિરાધના થઈ છે તે સર્વજીવોની ક્ષમા માંગું છું. (૨) આ આહાર મારા મુખ સુધી પહોંચાડવામાં જે કોઈ જીવોને જે કોઈ પ્રકારનું કષ્ટ.પડ્યું હોય તે માટે તે જીવોની ક્ષમા માંગું છું. (૩) હું આહાર લઉં છું, પરંતુ મારા આત્માના અણાહારી પદનું મને ક્યારેય વિસ્મરણ ન થશો. (૪) મેં લીધેલો આહાર મારા દેહમાં એવી શુભ રીતે પરિણામે Page #118 -------------------------------------------------------------------------- ________________ मायन्त्रे असणपाणस्स કે જેથી મારા અધ્યવસાયો શુભ રહે અને સંયમની વિરાધના ન થાય. (૫) વિશ્વમાં સર્વત્ર ક્ષુધા વેદનીય કર્મોનો જ્યાં જ્યાં ઉદય હોય ત્યાં ત્યાં તે શાંત થાવ. (તપસ્વીને શાતા અને ભૂખ્યાને ભોજન મળી રહો.) આહારથી અનાહારી પદ સુધીનું સ્થૂલ અને સૂક્ષ્મ ક્ષેત્ર કેટલું વિરાટ અને કેટલું વિસ્મયજનક છે ! ܀܀܀ ૧૦૯ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦ अन्ने हरंति तं वित्तं [બીજાઓ તે ધન હરી જાય છે] છેલ્લાં થોડાં વર્ષોમાં દુનિયામાં અને વિશેષતઃ ભારતમાં શેરબજાર, બેંકો, ફાઈનાન્સ કંપનીઓ, વેપારી પેઢીઓ વગેરેનાં કૌભાંડોને લીધે તથા બનાવટી કંપનીઓની લોભામણી જાહેરખબરો અને છેતરપિંડીને લીધે પોતાનું ધન વગર વાંકે ગુમાવ્યાનો અનુભવ કેટલાયને થયો હશે ! બીજાનું ધન હરી લેવાની પ્રવૃત્તિ આજકાલની નથી. આદિકાળથી તે ચાલી આવે છે. ભગવાન મહાવીરસ્વામીના જમાનામાં પણ એવી ઘટના બનતી હતી. પરંતુ બીજાનું ધન હરી લેવાની ઘટનાઓ વર્તમાન જગતમાં ઘણી બધી વધતી જતી હોય એવું જણાય છે. જૂના વખતમાં ધનની હેરફેરનું ક્ષેત્ર, વેપારી સોદાઓનું ક્ષેત્ર મર્યાદિત હતું. હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક દેશનો બીજા દેશો સાથેનો વેપાર ઘણો વધી ગયો છે. એક દેશમાં બનતી ચીજવસ્તુઓ આખી દુનિયામાં પહોંચી જાય છે. ઉતાવળ હોય ત્યારે તો એક દેશમાં ઉત્પન્ન થયેલી ચીજવસ્તુઓનાં અનેક નંગ માલવાહક હવાઈ જહાજો દ્વારા ચોવીસ કલાકમાં બીજા દેશના બજારોમાં ઠલવાઈ જાય છે. એક દેશની લક્ષ્મી Page #120 -------------------------------------------------------------------------- ________________ अन्ने हरंति तं वित्तं ૧૧૧ કોમ્યુટરની મદદ વડે થોડીક ક્ષણોમાં હજારો માઈલ દૂરના ખાતામાં જમા થઈને બેસી જાય છે. એટલે બીજાનું ધન પચાવી પાડવાનાં કાવતરાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સુધી પહોંચી ગયાં લક્ષ્મીદેવીની જેમ જેમ હેરફેર અનેકગણી વધતી ગઈ છે તેમ તેમ એના અપહરણના કિસ્સા વધવા લાગ્યા છે. અપહરણના કેટલાયે કિસ્સાઓમાં તો એનાં પગેરાં પણ મળતાં નથી. લક્ષ્મીદેવીને સંતાડવામાં સ્વિન્ઝરલેન્ડનો ઘણો મોટો ફાળો છે. સ્વિટ્ઝરલેન્ડ જેવા નાના તટસ્થ દેશની મોટામાં મોટી ખોટી આવક તે લક્ષ્મીદેવીને સંતાડવાની છે. એને સંતાડવા માટે એ દેશ વ્યાજ નથી આપતો, પણ ભાડું માગે છે. એની મોટી આવક તો નધણિયાતાં ખાતાઓની છે. લક્ષ્મીદેવીને સ્વિઝરલેન્ડમાં સંતાડ્યા પછી એને સંતાડનારો ગુજરી ગયો હોય અને એનાં છૂપાં ખાતાં કે ખાતાંઓની કોઈને ખબર જ ન હોય એવું બન્યા કરે છે. એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા વગેરે અર્ધવિકસિત દેશોના તથા સમૃદ્ધ દેશોનાં અનેક રાજકીય પુરુષો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, નટનટીઓ, સરકારી કર્મચારીઓ વગેરેનાં ખાતાં સ્વિન્ઝરલેન્ડની બેંકોમાં તથા અન્ય નાના નાના ટાપુઓના દેશોની બેંકોમાં છે. વિજ્ઞહરણના કિસ્સા બીજી રીતે પણ બનતા હોય છે. માણસે ધન સ્વેચ્છાએ બીજાને ઉધાર આપ્યું હોય, વ્યાજે મૂક્યું હોય, ધંધામાં રોક્યું હોય, પરંતુ તે લેનારની દાનત બગડે, તેના Page #121 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ સંજોગો વિપરીત થઈ જાય અને તે આપવાની સ્પષ્ટ ના કહે. લખાણ કે સાક્ષી ન હોય તો તે કબૂલ પણ ન થાય. આવું થાય ત્યારે માણસને ભારે આઘાત લાગે છે. તેમાં પણ જો સ્વજનો ત૨ફથી એવો કડવો અનુભવ થયો હોય ત્યારે તો એ આધાત વધુ વસમો લાગે છે. એમાંથી વે૨ બંધાય છે અને બદલો લેવાના ક્રૂર ભાવો જાગે છે. પોતાનું ધન હરાઈ જાય એ માટેની પૂર્વ શરત એ છે કે પોતાની પાસે ધન હોવું જોઇએ. વળી, એ ધન હરી જવા માટે બીજાનું મન લલચાય એટલા પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ. એ ધન હરી જનાર બીજાઓ તે હરી જવા સમર્થ હોય અને તે ધનનું રક્ષણ કરવા માટે પોતે અસમર્થ કે લાચાર હોય. પોતાનું ધન સ્વેચ્છાએ કોઈને આપ્યું ન હોય, પણ સંજોગો એવા બને કે તે ધન બીજાના હાથમાં સરી પડે. માણસના વારસદાર કોઈ ન હોય અથવા વારસદારો લખાણમાં ફેરફાર કરી લે એવું બને છે. નિઃસંતાન માણસોના ધન પર ઘણાંની નજર રહે છે. કેટલાકની નજર ક્યારે ને કેવી રીતે એમાં કામ કરી જાય છે એ તો પરિણામ પછી જ સમજાય છે અથવા તે પણ અકળ રહે છે. ૧૧૨ પોતાનું સારી, સાચી રીતે કમાયેલું ધન હરાઈ જવાના કિસ્સા પણ કેટલીય જાતના બને છે. જૂના વખતમાં જમીનમાં દાટેલું ધન જાણભેદુ ચોરો કાઢી જતા. વર્તમાન સમયમાં દુનિયામાં કેટલીયે પેઢીઓ કાચી પડી જાય છે અને કેટલાયે Page #122 -------------------------------------------------------------------------- ________________ अन्ने हरंति तं वित्तं લેણદારોને રોવડાવે છે. શેરના ભાવ અચાનક ગબડી જતાં કેટલાયે માણસો પોતાની મોટી મૂડી ગુમાવે છે. એક સરકારી કાયદો બદલાતાં કેટલાક માણસો આર્થિક મુશ્કેલીમાં આવી પડે છે. એક ધનવાન વ્યક્તિનું અચાનક મૃત્યુ થતાં એની સાથે લેવડદેવડ કરનારાઓ તકલીફમાં મુકાઈ જાય છે. આગ, પૂર, ધરતીકંપ, યુદ્ધ વગેરેને કારણે કેટલાય શ્રીમંતો હતા ન હતા થઈ જાય છે. કોર્ટના એક લફરામાં માણસની જિંદગીની કમાણી વેડફાઈ જાય છે. આવી બધી ઘટનાઓ નજર સામે બનતી વારંવાર જોવા મળે ત્યારે માણસ વિચારતો થઈ જાય છે. માણસને પેટ છે ત્યાં સુધી ભરણપોષણ માટેની પ્રવૃત્તિ સંસારમાં રહેવાની. અનાદિ કાળથી આ પ્રવૃત્તિ ચાલી આવે છે અને અનંતકાળ સુધી તે ચાલતી રહેવાની. માત્ર મનુષ્યમાં જ નહિ, જીવમાત્રમાં જ્યાં સુધી આહા૨સંજ્ઞા છે ત્યાં સુધી તેને સંતોષવા માટેના તેના પ્રયત્નો ચાલ્યા જ કરવાના. જીવની મોટી એષણાઓમાં વિત્તેષણાને પણ ગણાવવામાં આવી છે. ધન કમાવાનો ચટકો લાગ્યો કે પછી માણસ એની પાછળ મચી પડે છે. દિવસરાત તે જોતો નથી. ધન એક પ્રકારની શક્તિ છે, એક વિશિષ્ટ સબળ સાધન છે. એટલે ધનાકાંક્ષા જીવમાં રહે એ સહજ છે. પણ મનુષ્યની એષણાઓનો કોઈ અંત નથી. ગમે એટલું ધન કમાય છતાં માણસને એથી સંતોષ થતો નથી. વધુ અને વધુ કમાવા માટે તે દોટ માંડે છે. ૧૧૩ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧ ૪ વિરપ્રભુનાં વચનો ભાગ ૧- ૨ સફળતાનો એને નશો ચડે છે. પ્રતિસ્પર્ધીઓ કરતાં આગળ નીકળી જવા માટે ઉશ્કેરાટ અનુભવે છે. પરંતુ પછીથી જ્યારે પછડાય છે ત્યારે પસ્તાય છે. ત્યાં સુધી એને કોઈની શિખામણ વહાલી લાગતી નથી. સંસારમાં ધનનો મહિમા મોટો છે અને સાચી કે ખોટી રીતે મોટો જ રહેવાનો. એટલે જ ભર્તુહરિએ નીતિશતક'માં કહ્યું છેઃ यस्यास्ति वित्तं स नर : कुलीन: स पंडितः स श्रुतवान् गुणज्ञः। स एव वक्ता स च दर्शनीय: सर्वे गुणा: कांचनमाश्रयन्ति।। ભર્તુહરિએ અહીં કટાક્ષમાં કહ્યું છે કે જેની પાસે વિત્ત છે તે માણસ કુલીન ગણાય છે. ખરેખર ન હોય તો પણ ખુશામતખોરો દ્વારા પંડિત, સુતવાન, ગુણજ્ઞ, વક્તા, અને દર્શનીય-દેખાવડા તરીકે તેની ગણના થાય છે. સુવર્ણમાં અર્થાત્ ધનમાં અને ધનવાનમાં બધા ગુણો આશ્રિત થઈ જાય આમ સમગ્ર વિશ્વમાં પૈસાની જ બોલબાલા દેખાય છે. એમ કહેવાય છે કે A rich man's joke (પછી ભલે તે બુઠ્ઠી હોય) is always funny. - હસવા જેવું હોય તો પણ હસીને બધા એની વાહ વાહ કરશે. નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ' જેવી કહેવતો ધનવાન માણસોને સમાજ કેટલું માન આપે છે તે દર્શાવે છે. “સકર્મીના સાળા ઘણા” અર્થાતુ પાસે પૈસા થાય તો એના સાળા થવાને, એની ઇચ્છા Page #124 -------------------------------------------------------------------------- ________________ अन्ने हरंति तं वित्तं ૧ ૧૫ પ્રમાણે નાનાં મોટાં બધાં કામ નોકરની જેમ કરી આપવાને ઘણા તૈયાર થઈ જાય છે. એટલે જ “જબ લગ પૈસા ગાંઠમે, તબ લગ લાખો યાર' એવું વ્યવહારુ ડહાપણ પ્રચલિત છે. પંચતંત્રમાં પણ કહ્યું છેઃ पूज्यते यदपूज्योऽपि यदगम्योऽपि गम्यते । वन्द्यते यदवंद्योऽपि सप्रभावो धनस्य च ।। [દુનિયામાં અપૂજ્યની પૂજા થાય છે. મૂર્ખ માણસ પણ ડાહ્યો ગણાય છે અને અવંદનીય પણ વંદનીય મનાય છે. એ બધો ધનનો જ પ્રભાવ છે.] લક્ષ્મી સ્વભાવ ચંચળ છે. એક ઘરેથી બીજા ઘરે તે ક્યારે ચાલી જશે તે કહી શકાય નહિ. અર્થશાસ્ત્રની દૃષ્ટિએ તો લક્ષ્મી સતત ફરતી રહેવી જોઈએ અને જેટલી વધુ હરેફરે તેટલી પ્રજાની સમૃદ્ધિ વધે. પરંતુ તે નીતિનિયમ મુજબ ફરે તો સાર્થક થાય. અન્યથા તે અનર્થકારી નીવડે. લક્ષ્મી ક્યારે પોતાને હાથતાળી દઈને ભાગી જશે એ અનિશ્ચિત હોય છે. એટલે જ ધનના અનર્થો ઘણા છે. સ્કૂલ અને સૂક્ષ્મ બંને દૃષ્ટિએ ધન સાથે કેટકેટલાં દૂષણો સંકળાયેલા છે ! શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે: તેયં હિંસાવૃતં રંગ: મ ોદ: મયો મા, भेतो वैरमविश्वासं संस्पर्द्धा व्यसनापि च । एते पंचदशाना ह्यर्थमूला मता नृणाम् । तस्मादनर्थभर्थाख्यं श्रेयोऽर्थी दरतस्त्यजेत् ।। Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૬ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ મનુષ્યોને માટે ધન એ પંદર પ્રકારના અનર્થનું કારણ મનાય છે. જેમકે (૧) ચોરી, (૨) હિંસા, (૩) અસત્ય, (૪) દંભ, (૫) કામ, (૬) ક્રોધ, (૭) ચિત્તનો ઉન્માદ, (૮) અહંકાર, (૯) ભેદબુદ્ધિ, (૧૦) વેર, (૧૧) અવિશ્વાસ, (૧૨) સ્પર્ધા અને ત્રણ વ્યસનો જેમ કે (૧૩) વેશ્યાગમન કે પરસ્ત્રીગમન, (૧૪) જુગાર, અને (૧૫) દારૂ. એટલા માટે પોતાનું કલ્યાણ ઇચ્છવાવાળાએ અર્થરૂપી અનર્થનો દૂરથી ત્યાગ કરવો જોઇએ. માણસ પ્રામાણિકતાથી, નીતિમત્તાથી ધન કમાય અને તે મર્યાદામાં રહીને કમાય એ ગૃહસ્થજીવન માટે જરૂરી છે. ન્યાયસંપન્ન વિભવ એ ગૃહસ્થજીવનનો વિત્તમંત્ર હોવો જોઇએ, પરંતુ વિષમ પરિસ્થિતિમાં લાચાર બનીને ખોટાં કાર્ય કરીને માણસ વધુ ધન કમાવા લલચાય છે. પછી તો પરિસ્થિતિ વિષમ ન હોય અને લાચારી પણ ન હોય તો પણ અર્થપ્રાપ્તિમાં કુટિલ નીતિરીતિની માણસને ટેવ પડી જાય છે. “વાંકી આંગળી વગર ઘી નીકળે નહિ એવી કહેવતો પોતાના જૂઠા કપટભર્યા સોદાઓ માટે આગળ ધરતાં તે શરમાતો નથી. પરસેવો પાડીને કમાયેલું ધન ટીપે ટીપે ભરાય છે અને ચોરીલબાડી કે કૂડકપટ કરીને મેળવેલું ધન અનાયાસ મોટો દલ્લો આપે છે. એટલે માણસનું મન ચોરી કરીને કમાવા તરફ વળે છે. Earning by Cheating એ દુનિયાના અનેક લોકોમાં વ્યસનરૂપે જોવા મળે છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ अन्ने हरंति तं वित्तं ૧ ૧૭. કાળ સંદર્ભોને બદલી નાખે છે. એક વખતના મોટા ગણાતા માણસો સમય જતાં નાના લાગવા માંડે છે. સામાન્ય લેખાતા માણસો ઘડીકમાં મોટા થઈ જાય અને લોકો એમને પૂજવા લાગે છે. વેપાર-ધંધામાં પણ એવી ચડતીપડતી ચાલ્યા કરે છે. આજે જેની બોલબાલા હોય તેને કાલે હાથ લાંબો કરવાનો પ્રસંગ આવે છે. એવે વખતે કેટલાક માણસોને પોતે ભૂતકાળમાં કરેલા ઉપકાર માટે પસ્તાવો થાય છે. વૃદ્ધાવસ્થા આવતાં અને નવી પેઢીના હાથમાં સત્તાનાં સૂત્રો ચાલ્યા જતાં માણસ વિમાસણમાં પડી જાય છે. “મારી જમાવેલી પેઢી છે, પણ આજે મારા દીકરાઓ આગળ પેઢીમાં મારું કશું ચાલતું નથી” એવી ખાનગીમાં ફરિયાદ કરનારાઓ સાંભળવા મળશો. મારા ભત્રીજાઓને ધંધો શિખવાડ્યો અને બધો વિશ્વાસ મૂકી દીધો, પણ છેવટે મારી જ દુકાન તેઓએ પચાવી પાડી અને મને ઘરભેગો કરી દીધો.” “રાતદિવસ કાળી મજૂરી કરી ભિખારીમાંથી હું બાદશાહ બન્યો અને મારા દીકરાએ દારૂ, રેસ અને સ્ત્રીઓમાં પૈસા વેડફી નાખીને મને પાછો ભિખારી બનાવી દીધો. “મારી પત્ની બધાં ઘરેણાં લઈને ભાગી ગઈ.” “મારો સગો સાળો મારા નામની ખોટી સહી કરીને મારા શેર વેચી આવ્યો.”-ધનહરણની આવી આવી તો અનેક ફરિયાદો દેશકાળની પરિસ્થિતિ પ્રમાણે સતત સંભળાયા કરે છે. જગતની વ્યવસ્થા એવી નથી કે માણસો પોતે કમાયેલું ધન પોતાના જીવનના અંત સુધીમાં બધું જ પૂરું વાપરી શકે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ કોઈક ધમદોલત મૂકીને જાય છે, તો કોઈક દેવું મૂકીને પણ વિદાય લે છે. પોતાના આયુષ્યનો નિશ્ચિતકાળ માણસ જાણતો નથી એટલે પણ આયુષ્યના પ્રમાણમાં ધનદોલતની વ્યવસ્થા અંશે અંશ ગોઠવી શકાતી નથી. કેટલાક અકાળે, આર્મિક રીતે મૃત્યુ પામે છે તો કેટલાક પોતે ધાર્યું હોય તેના કરતાં ઘણું લાંબું જીવી જાય છે. કિંજૂસનું ધન બીજા માટે હોય છે. તે પોતાના જીવનકાળ દરમિયાન સરખી રીતે વાપરી શકતો નથી અને એના મરણ પછી જેના હાથમાં તે જાય તે ઇચ્છા મુજબ ભોગવે છે. એટલા માટે જ ડાહ્યા માણસે પોતાની અવસ્થાનો વિચાર કરી પોતાના ધનનું સન્માર્ગે વિસર્જન વખતોવખત કરતા રહેવું જોઈએ. શાસ્ત્રકારોએ યોગ્ય જ કહ્યું છે કે ધનની ફક્ત ત્રણ જ ગતિ છેઃ (૧) દાન, (૨) ભોગ અને (૩) નાશ. दानं भोग: नाशस्तिस्रोगतयो भवन्ति वित्तस्य । यो न ददाति न भुंक्ते तस्य तृतीया गतिर्भवति ।। दातव्यं भोक्तव्यं धनविषये संचयो न कर्त्तव्यः । पश्येह मधुकरीणां संचितमर्थ हरन्त्यन्ये ।।। [દાન, ભોગ અને નાશ એ ધનની ત્રણ ગતિ હોય છે. જે આપતો નથી કે ભોગવતો નથી તેના ધનની ત્રીજી ગતિ થાય છે. દાન આપો અને ભોગવો. ધનનો સંચય ન કરો. મધુમાખીને જુઓ. તેણે સંચિત કરેલું ધન (મધ) બીજા લોકો Page #128 -------------------------------------------------------------------------- ________________ अन्ने हरंति तं वित्तं હરી જાય છે.] પોતાના વ્યવસાયને કારણે પ્રામાણિકપણે ધનની વૃદ્ધિ થતી રહે તોપણ માણસે વખતોવખત તેમાંથી થોડોઘણો હિસ્સો સન્માર્ગે, સુપાત્રે વાપરી તેનું પ્રમાણ ઘટાડતાં રહેવું જોઇએ કે જેથી એટલા સર્વ્યય માટે પોતાને સંતોષ રહે અને અશુભ કર્મબંધમાંથી બચી શકાય અને શુભ કર્મબંધના નિમિત્ત થવાય. પત્ની, સંતાનો કે કુટુંબ-પરિવારના સભ્યો પ્રત્યેના સ્નેહાકર્ષણને લીધે, તેમનું ગુજરાન ચલાવવા, તેમને રાજી રાખવા માટે માણસ ધન કમાવા નીકળે છે. એ જ્યાં સુધી ન્યાયનીતિથી પ્રાપ્ત થતું હોય ત્યાં સુધી તો ઠીક, પણ જ્યારે ચોરી, દાણચોરી, કરચોરી, લૂંટ, હત્યા વગેરે દ્વારા તે પ્રાપ્ત કરવા મચ્યો રહે છે ત્યારે તે તેના ભયંકર વિપાકનો વિચાર કરતો નથી. સામાજિક દૃષ્ટિએ તો કેટલાયે માણસને વધુ પડતું ધન કમાવા માટે પાછલી જિંદગીમાં અફસોસ થતો હોય છે. ખાસ કરીને જ્યારે પોતાના જ પ્રાપ્ત કરેલાં ધનને કારણે જ પોતાના સ્વજનો સાથે, પિતાપુત્ર વચ્ચે, પતિપત્ની વચ્ચે, ભાઈ-ભાઈ વચ્ચે, સાળાબનેવી વચ્ચે સંઘર્ષ, અણબનાવ, મહેણાં-ટોણાં, વિદ્રોહ, દગો, વગેરેના અનુભવો થયા હોય, કોર્ટના ધક્કા વધી ગયા હોય, જેલમાં જવાના પ્રસંગો ઊભા થયા હોય, પોતાના કે સ્વજનોના અપહરણના કિસ્સા બન્યા હોય. ક્યારેક તો પોતાનું જ ધન પોતાની હત્યા નોંતરનારું બન્યું હોય ૧૧૯ Page #129 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ અથવા પોતાના જ ધને પોતાને આપઘાત કરવા તરફ ઘસડ્યો હોય ત્યારે માણસના પશ્ચાત્તાપનો પાર રહેતો નથી. ભગવાન મહાવીરે (સૂત્રકૃતાંગ ૧/૯/૪માં) કહ્યું છેઃ आधायकिच्चमाहेउं नाइओ विससिणो । ૧૨૦ अन्ने हरंति तं वित्तं कम्मी कम्मेहिं किच्चति ।। [મૃતકની અગ્નિ સંસ્કારની વિધિ કર્યા પછી સુખની ઇચ્છાવાળા જ્ઞાતિજનો તેનું ધન હરી લે છે, પરંતુ (તે ધન કમાવા માટે) કર્મ કરનાર તે વ્યક્તિ તેનાં ફળ ભોગવે છે.] આ સંસાર કેટલો બધો સ્વાર્થી છે કે કેટલાયે માણસો પોતાનાં સગાં એવા શ્રીમંતની મરવાની મનના છૂપા ખૂણામાં રાહ જોતાં હોય છે અને એના મૃત્યુ પછી એની સંપત્તિ ઝડપી લેવાનો, પચાવી પાડવાનો પ્રયાસ કરે છે. કોઈક સગાનું ધન મેળવી લેવા માટે એના મૃત્યુની રાહ જોવી પડે એ પણ કેવી કરુણ દશા કહેવાય ! તાત્ત્વિક દૃષ્ટિએ જોઇએ અને શુભાશુભ કર્મની દૃષ્ટિએ વિચારીએ તો ધન કમાવા માટે જીવ જે અશુભ કર્મ બાંધે છે એ અશુભ કર્મ તો એને એકલાને જ ભોગવવાના આવે છે. પોતે કમાયેલા ધનનો લાભ બીજા ઉઠાવે છે. પરંતુ લાભ ઉઠાવનારાઓ ધનોપાર્જન કરનારી વ્યક્તિનાં એ અશુભ કર્મોમાં ભાગીદાર થતા નથી. એ અશુભ કર્મના વિપાક વખતે જે પીડા થાય છે તે વખતે સ્વજનો તેનું રક્ષણ કરી શકતા નથી. એ પીડા કે દુઃખ એવા પ્રકારનાં હોય છે કે પોતે જાતે જ Page #130 -------------------------------------------------------------------------- ________________ अन्ने हरंति तं वित्तं ૧ ૨ ૧ ભોગવવાં પડે છે. એટલા માટે જ ભગવાન મહાવીરે કહ્યું છેઃ माया पिया ण्हूसा भाया, भज्जा पुत्ता य ओरसा । बालं ते तव ताणाय लुप्पंतस्स सकम्मुणा ।। [પોતાનાં કર્મો અનુસાર દુઃખથી પીડાતા તે જીવનું એનાં માતા, પિતા, બહેન, ભાઈ, પત્ની કે ઓરસપુત્ર વગેરે કોઈ રક્ષણ કરી શકતા નથી.] અર્થ (ધન) સરવાળે તો અનર્થનું મૂળ જ નીવડે છે. તાત્કાલિક એનો લાભ દેખાતો હોય તો પણ એનાં દૂરગામી સ્થૂલ અને સૂક્ષ્મ તાત્ત્વિક પરિણામો નુકસાનકારક છે. જેઓ ગૃહત્યાગ કરી, સાધુસંન્યાસી થઈ અકિંચન જીવન જીવે છે એમને તો અર્થની અનર્થકારી ઉપાધિમાંથી મેળવેલી મુક્તિનો આનંદ કેટલો બધો હોય છે એ તો એમનો અનુભવ કહી શકે છે, પરંતુ જેઓ ગૃહસ્થજીવનમાં રહેલા છે તેઓ પણ સિક્કામાં રહેલા છિદ્રને પોતાની સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈ સમજી શકે તો પણ ધનસંપત્તિ પાછળની એમની આંધળી દોટ મંદ પડવાનો સંભવ છે. પરિગ્રહ–પરિમાણ એ ગૃહસ્થજીવનમાં સુખી થવાનો માર્ગ છે. સંતોષના સુખની કિંમત વિષમ પરિસ્થિતિમાં વધુ સમજાય છે. સારી રીતે આજીવિકા ચાલતી હોય એટલું ધન જો કમાવા મળતું હોય તો વધુ ધન પાછળ દોટ મૂકવાને બદલે પોતાના બચેલા સમયનો ઉપયોગ માણસે આત્મશ્રેયાર્થે કરી લેવો જોઇએ. સંસારમાં મોહનું પ્રાબલ્ય એટલું મોટું રહ્યું છે અને રહેવાનું Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૨ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ છે કે જૂજ વ્યક્તિઓને જ આ તત્ત્વ સમજાય એવું છે અને સમજાયા પછી વિરલ વ્યક્તિઓ જ એ સમજણને આચરણમાં મૂકી શકે છે ! સંત મહાત્માઓ વખતોવખત કહેતા આવ્યા છે કે વિદ્યારૂપી, જ્ઞાનરૂપી, અધ્યાત્મરૂપી લક્ષ્મી જ એવી છે કે જેનું કોઈ ક્યારેય હરણ કરી શકતું નથી. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧ परिग्गह निविट्ठाणं वेरं तेसिं पवड्ढई [પરિગ્રહ વધારનાર વેર વધારે છે] ભગવાન મહાવીરે કહ્યું છે કે પદિ નિવિટ્ટામાં વેર તેસિ પવર્ડ્સ એટલે કે જે પોતાનો પરિગ્રહ વધારે છે તે પોતાના તરફ બીજાઓનું વે૨ વધારે છે. સામાન્ય લોકોનો સામાન્ય ખ્યાલ એવો છે કે જેમ માણસ પાસે ધનસંપત્તિ અને સુખસગવડનાં સાધનો વધારે તેમ માણસ વધારે સુખી અને સમાજમાં તેને બહુ માનપાન મળે. સ્થૂલ ઉપલક ભૌતિક દૃષ્ટિએ આ કદાચ સાચું લાગે, પણ પ્રજ્ઞાશીલ વ્યક્તિ સૂક્ષ્મ તત્ત્વદષ્ટિથી વિચારે તો એને અવશ્ય પ્રતીતિ થશે કે પરિગ્રહ એ દુ:ખનું મોટું કારણ છે; અર્થ એ અનર્થનું મૂળ છે. અપરિગ્રહ તથા પરિગ્રહ-પરિમાણ ઉપર જૈન ધર્મે જેટલો ભાર મૂક્યો છે તેટલો અન્ય કોઈ ધર્મે મૂક્યો નથી. ભગવાન મહાવીરે પંચ મહાવ્રતમાં અપરિગ્રહને એક મહાવ્રત કરીકે યોગ્ય રીતે જ સ્થાન આપ્યું. એમાં શુદ્ધ નિશ્ચયદૃષ્ટિએ ઘણું બધું રહસ્ય રહેલું છે, પરંતુ સામાજિક ને વ્યાવહારિક કક્ષાએ પણ અપરિગ્રહનું મૂલ્ય ઘણું મોટું છે. સાધુ-ભગવંતોએ અપરિગ્રહના મહાવ્રતનું અને ગૃહસ્થોએ ‘પરિગ્રહપરિમાણ’ના અણુવ્રતનું પાલન કરવાનું હોય છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ પરિગ્રહ વિશે ઘણા જુદા જુદા દૃષ્ટિકોણથી વિચારણા થઈ શકે, પરંતુ અહીં તો માત્ર પરિગ્રહ વધારનાર બીજાઓ સાથે જાણતાં, અજાણતાં કેવી રીતે વેર બાંધે છે એ એક પાસા વિશે વિચારીશું. આહાર, નિદ્રા, મૈથુન, ભય અને પરિગ્રહ એ જીવની બળવાન સંજ્ઞાઓ છે. પોતાને ઇષ્ટ એવી વસ્તુઓ મેળવવી અને એનો સંગ્રહ કરવો એ જીવનું સામાન્ય લક્ષણ છે. આ કુદરતી સંજ્ઞાને અતિક્રમવા માટે ઘણા મોટા આત્મિક પુરુષાર્થની આવશ્યકતા રહે છે. પરિગ્રહ સાથે એટલે ધનસંપત્તિ વગેરે સાથે તે ચોરાઈ જવાનો, લૂંટાઈ જવાનો, ખોવાઈ જવાનો કે બગડી જવાનો ભય સંકળાયેલો રહે છે. તે માટે સાવચેતીનાં વધુ પડતાં પગલાં લેવાથી બીજાંનાં મનમાં શંકા, અવિશ્વાસ, અપ્રીતિ વગેરેના ભાવો જન્મે છે. પરિગ્રહની જાળવણી અને ગણતરીમાં માણસના જીવનનો અમૂલ્ય સમય વેડફાઈ જાય છે. પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં માણસને પોતાના વેડફાઈ ગયેલા એ સમયનું સાચું ભાન થાય છે ત્યારે પશ્ચાત્તાપનો પાર રહેતો નથી. સાદાઈથી જીવનારને પોતાની જિંદગીનો ઘણો બધો સમય પોતાને માટે મળે છે. એ નિજાનંદનું મૂલ્ય તો અનુભવે જેને સમજાયું હોય તે જ વધુ સારી રીતે કહી શકે. દુનિયાનાં દુ:ખોનું, કલેશ-કંકાસ, વેરઝેર વગેરેનું પૃથક્કરણ કરવામાં આવે તો ઘણા કિસ્સાઓમાં તેનું મૂળ Page #134 -------------------------------------------------------------------------- ________________ परिग्गह निविट्ठाणं वेरं तेसिं पवढई ૧૨૫ માલ-મિલકતની વહેંચણીના ઝઘડાઓમાં રહેલું જણાશે. સગા ભાઇઓ વચ્ચે પણ કમાણીની અસમાનતા થાય અને એની સાથે પોતપોતાની જુદી જુદી પરિગ્રહવૃત્તિ બળવાન બને તો ભાઈઓ-ભાઈઓ વચ્ચે પણ દ્વેષ, ઇર્ષ્યા, મત્સર વગેરે જન્મે છે. એમાંથી અનુક્રમે અણબનાવ, તકરાર, વેરભાવ વગેરે જન્મે છે. માત્ર પૈસાની તકરારને કારણે જ બે સગા ભાઇઓ વચ્ચે કે ખુદ પિતા અને પુત્ર વચ્ચે બોલવાનો પણ વ્યવહાર ન રહે કે એક જણ બીજાનું ખૂન કરવા પ્રેરાય એટલી હદ સુધીની ઘટનાઓ બનતી ઘણે ઠેકાણે જોવા મળે છે. એક કુટુંબમાં જ જો આ રીતે બનતું હોય તો સમાજની ભૂમિકાએ તો તેમ બનવું અશક્ય નથી. માલ-મિલકતનું લક્ષણ એવું છે કે સમય જતાં એની વહેંચણી કરવાના પ્રસંગો અવશ્ય આવે જ છે. બીજી-ત્રીજી પેઢી આવતાં કે અચાનક કોઈનું અવસાન થતાં એવા પ્રસંગોની અનિવાર્યતા ઊભી થાય છે. વળી, માલ-મિલકતનું સ્વરૂપ જ એવું છે કે દરેક વખતે એની સરખે ભાગે યથાર્થ વહેંચણી થઈ શકતી નથી. એની કિંમત આંકવામાં જ ઝઘડા શરૂ થઈ જાય છે. સંજોગો, વ્યક્તિની જરૂરિયાત, વ્યક્તિની પાત્રતા, સરકારી કાયદાઓ વગેરેને કારણે કલેશ કે સંઘર્ષ થયા વગર રહેતો નથી. સ્પષ્ટ ન દેખાય તો પણ માનસિક કલેશ, ઈર્ષ્યા કે વેરભાવનાં બીજ વવાય છે. માણસ પોતાની હયાતીમાં જ ઉદાર ભાવે સમજણપૂર્વક પોતાનાં માલ-મિલકતનું Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ વખતોવખત વિસર્જન કરતો રહે તો કલેશ-કંકાસનાં નિમિત્તો ઓછાં થાય, વાતાવરણમાં પ્રસન્નતા રહ્યા કરે અને પોતાની સામાજિક કર્તવ્યબુદ્ધિ અને અંગત ધર્મદ્રષ્ટિ ખીલતી રહે. મનુષ્યની પરિગ્રહવૃત્તિનો કોઈ અંત નથી. જેટલી સારી નવી વસ્તુઓ જોવા મળે તે બધી જ લેવાનું માણસને મન થાય છે, પછી તેનો ઉપયોગ કરવા માટે પોતાની પાસે કુરસદ હોય કે ન હોય. સમૃદ્ધ લોકોના ઘરમાંથી પ્રતિવર્ષે કેટલીયે નવી ખરીદેલી વસ્તુ વપરાયા વગર જૂની થઈ જવાને કારણે કાઢી નખાય છે. કેટલીક એવી વસ્તુઓ તો સીધી કચરામાં જાય છે. છેલ્લા ત્રણ-ચાર દાયકામાં સમસ્ત જગતમાં ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘણું જ વધી ગયું છે. તેથી માણસની પરિગ્રહવૃત્તિ વધતી ગઈ છે. રેડિયો, ટી.વી. કેમેરા, વિડિયો, ટેપરેકોર્ડર, ઘડિયાલ, ટેલિફોન, કેલક્યુલેટર, કોમ્યુટર, ટાઇપરાઇટર, રેફ્રિજરેટર, એરકન્ડિશનર, મોટરકાર વગેરે પ્રકારનાં આધુનિક સાધનો બનાવતી કંપની વચ્ચે જે સ્પર્ધા ચાલી રહી છે તેને કારણે તથા એવી કંપનીઓની જે વેપારીનીતિ છે તેને લીધે પ્રતિવર્ષ તેઓ નવા નવા મોડલોનું ઉત્પાદન કરતી રહી છે. એથી જૂનાં મોડેલોના સ્પેરપાર્ટ્સ જાણીજોઇને ન આપવા કે જેથી વસ્તુઓ વપરાશમાં ઝાઝો વખત ચાલે નહિ. કોઈ એક વસ્તુ પાંચ-દશ વર્ષ સારી રીતે ચાલે તો ઘણું થયું. પછી એ ફેંકી દેવાની રહે. “વાપરીને ફેંકી દો' એ પ્રકારની વેપારી નીતિ દુનિયાની ઘણી કંપનીઓની થઈ ગઈ છે. એના કારણે Page #136 -------------------------------------------------------------------------- ________________ परिग्गह निविट्ठाणं वेरं तेसिं पवड्ढई દુનિયાનાં બજારોમાં રોજેરોજ નવો નવો માલ ઠલવાય છે અને લોકોના ઘર સુધી તે પહોંચાડવાનો, બલ્કે લોકોના ઘરમાં તે ઘુસાડવાનો. યુક્તિપૂર્વક પ્રલોભનો સહિત, પ્રયત્ન થાય છે. દુનિયાનું વર્તમાન અર્થકારણ એક જુદી જ પદ્ધતિએ ચાલી રહ્યું છે. તેથી લોકોને અવનવી ચીજો માટે આકર્ષીને તેમનું ધન કેમ ખેંચી લેવું એની શાસ્ત્રીય તાલીમ એવા એજન્ટોને અપાય છે. દુનિયામાં બધા જ લોકો એકસરખી આવકવાળા, એકસરખાં સાધન-સગવડ ધરાવનાર બને એવું ક્યારેય શક્ય નથી. આર્થિક અસમાનતાનું લક્ષણ લોકોમાં હંમેશ રહેવાનું. એટલે આર્થિક સમૃદ્ધિની સાથે લોકોમાં આર્થિક અસમાનતાનું તત્ત્વ આવ્યા વગર રહે નહિ. અસમાનતા જો આવે તો કુદરતી રીતે ત્યાં ઈર્ષ્યાનું તત્ત્વ પણ વગર આવ્યા વગર રહે નહિ. પ્રજાનો કેટલોક વર્ગ ખૂબ અમનચમન કરતો હોય અને બીજો મોટો વર્ગ બે ટંક ભોજન પણ પામતો ન હોય તો ત્યાં શ્રીમંતો પ્રત્યે દ્વેષ થયા વગર રહે નહિ. ગરીબ વર્ગની ધિક્કારની લાગણી તરત પ્રગટ ન થતી હોય, પરંતુ એવા સંજોગો ઊભા થતાં તરત પ્રગટ થાય છે અને ધિક્કારની સામુદાયિક લાગણી હિંસામાં પરિણમે છે અને તવંગર વર્ગ એનો ભોગ બને છે. ૧૨૭ દુનિયાના કેટલાક દેશોના થોડા કે વધુ લોકો અત્યંત સમૃદ્ધ બનેલા દેખાશે, પરંતુ સમગ્ર દુનિયામાં જાતે ફરીએ અને શહેરોથી દૂરદૂરના વિસ્તારોમાં ફરીને જો સરખું અવલોકન Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૮ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ કરીએ તો જણાશે કે દુનિયાની વસ્તીના અર્ધાથી વધુ લોકો મધ્યમ કે નિમ્ન કક્ષાનું સાધારણ જીવન જીવી રહ્યા છે. કેટલાય લોકો અસહ્ય ગરીબીમાં પોતાનું જીવન જેમતેમ પૂરું કરે છે. મનુષ્યજન્મ જાણે કે વેઠ–વૈતરું કરવા માટે એમને મળ્યો હોય એવું જોવા મળે છે. દુનિયાના કેટલાયે દેશોમાં ઘરમાં એકલદોકલ રહેતાં સ્ત્રી કે પુરુષને, એના ઘરમાં રહેતો એનો નોકર જ એને મારીને એની ધનસંપત્તિ લઈને ભાગી ગયાના કિસ્સા બનતા રહે છે. વફાદાર નોકરોની પણ દાનત બગડે છે. સરકારી કાયદો અને ન્યાય જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી રક્ષણ આપી શકે છે, પરંતુ ખૂની કે ચોર ક્યારેય પકડાયા ન હોય તેવા ઘણા કિસ્સા પણ બને છે. ઇ. સ. ૧૯૧૭ના ઓક્ટોબરમાં રશિયામાં લોહિયાળ ક્રાંતિ થઈ. ઝારવંશી રાજાઓને ઉથલાવી પાડવામાં આવ્યા. તે વખતે કેટલેય ઠેકાણે વેર લેવા નીકળેલા ગરીબ લોકોએ શ્રીમંતોને વીણી-વીણીને મારી નાખ્યા હતા. મારનાર વ્યક્તિ શ્રીમંતને નામથી પણ ઓળખતી ન હોય. અંગત રીતે એની સાથે કોઈ સંબંધ ન હોય. જે વેર હતું તે વ્યક્તિગત ન હતું. જે વેર હતું તે ગરીબાઇનું, શ્રીમંતાઈ પ્રત્યેનું વેર હતું. ત્યાં શ્રીમંતાઇના મૂળમાં અતિ પરિગ્રહની વૃત્તિ રહેલી હતી. ગરીબો પાસે રહેવાને સરખું ઘર ન હતું. પહેરવાને પૂરતાં કપડાં ન હતાં. ખાવાને માટે પરત ભોજન મળતું ન હતું. બીજી બાજ શ્રીમંતની Page #138 -------------------------------------------------------------------------- ________________ परिग्गह निविट्ठाणं वेरंतेसिं पवढई ૧૨૯ મિજબાનીઓના એંઠવાડના ઢગલા કચરામાં ઠલવાતા હતા. આવું હોય તો ત્યાં દેખીતી રીતે ગરીબોને શ્રીમંતો તરફ ઇર્ષ્યા, દ્વેષ, તિરસ્કાર, ધિક્કાર વગેરે થયા વગર રહે નહિ. હિંસાનો વંટોળ જાગે તો તેમાં પહેલા નિશાન તરીકે શ્રીમંતો જ આવે. ધનસંગ્રહની એમની પ્રવૃત્તિ જ એમના મોતનું નિમિત્ત બને છે. કોઈ એક માણસ જ્યારે પોતાની શક્તિ અનુસાર વધુ પડતું કમાવાનો પ્રયત્ન કરે છે, ત્યારે વ્યાવહારિક રીતે જ બીજા કેટલાક માણસોની કમાવાની તક ઝૂંટવાઈ જાય છે. શ્રીમંતો પોતાના પૈસાના જોરે, મોટાં સાહસો કરવાની શક્તિ વડે, બીજાને હંફાવવાની તાકાત દ્વારા મોટી કમાણી કરી લેવાની તક ઝડપી લે છે. વ્યાવહારિક દૃષ્ટિએ એમાં કશું ખોટું નથી એમ કેટલાકને લાગે, પરંતુ સામાજિક ન્યાય (Social Justice) ની દૃષ્ટિએ તેમાં અન્યાય અવશ્ય રહેલો જણાશે. એટલા માટે પણ માણસે પરિગ્રહની મર્યાદા બાંધી લેવી જોઈએ. માણસે આજીવિકા અર્થે પૂરતું મળતું હોય તો વેળાસર નિવૃત્તિ સ્વીકારી લેવી જોઇએ. એવા લોકો જે સુખ-શાંતિનો અનુભવ કરે છે તે અનેરો છે. કેટલાંક વર્ષ પહેલાં એક નાનકડા વર્તુળમાં મેં એમ કહ્યું હતું કે સાઠ વર્ષની નિવૃત્તિવયનો વિચાર આપણા પૂર્વજો એ યોગ્ય રીતે જ કર્યો છે. આપણે આપણા જીવનમાં એ પ્રણાલિકાને જો અનુસરીએ તો આપણે પણ સુખી થઈએ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૦ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ અને બીજાં પણ સુખી થાય. એ વખતે એક શ્રીમંત ઉદ્યોગપતિએ એવું કહ્યું કે, “નિવૃત્ત થવાની તમારી વાતની સાથે હું સંમત થતો નથી. હું એક કારખાનું ચલાવું છું. એમાં બે હજાર માણસો કામ કરે છે. બે હજાર માણસોને રોજીરોટી આપવાની જવાબદારી મારી છે. તમારા કહેવા પ્રમાણે હું જો નિવૃત્ત થઈ જાઉં તો એ બે હજાર માણસોનું શું થાય ? તેઓ નિરાધાર થઈ જાય. મારે કારખાનું ચાલુ રાખવું એ મારું સામાજિક કર્તવ્ય છે.” મેં એમને કહ્યું કે “કેટલીક વાર આપણને આપણી અનિવાર્યતા લાગે છે, તેમાં આપણો સૂક્ષ્મ અહંકાર પણ હોય, પરંતુ વાસ્તવમાં તેવી અનિવાર્યતા હોતી નથી. અચાનક નિવૃત્ત થવાની જો અનુકૂળતા ન હોય તો ક્રમિક રીતે નિવૃત્ત થવાનો વિચાર પણ અમલમાં મૂકવાની શરૂઆત કરી દેવી જોઇએ. ક્યારેક તો એવો વખત આવશે કે જ્યારે આપણે નહિ હોઇએ. એ વખતે શું થશે એવી કલ્પના કરીને અગાઉથી તે માટે આયોજન કરવું જોઇએ. બે હજાર માણસોને રોજી-રોટી આપવાની જવાબદારી જેમ આપણી છે તેમ એટલા લોકોને અચાનક બેકાર બનાવી દેવાનું જોખમ પણ આપણે કદાચ કરી બેસીએ. માટે અમુક ઉંમરે માણસે પોતાના વેપાર-ધંધાને વિકસાવવાના સ્વપ્ન છોડી દેવા જોઇએ.” હવે કુદરતનું બનવું એવું થયું કે આ વાત પછી ત્રણેક મહિનામાં હૃદયરોગના હુમલાને કારણે એ ઉદ્યોગપતિનું Page #140 -------------------------------------------------------------------------- ________________ परिग्गह निविट्ठाणं वेरं तेसिं पवड्ढई ૧ ૩૧ અચાનક અવસાન થયું. નિવૃત્ત થવાની તેમની ભાવના તો દૂર રહી પણ તેમની અચાનક વિદાયને કારણે કારખાનામાં મોટી ખોટ આવવા લાગી. અને થોડાક મહિનામાં કારખાનું બંધ કરવાનો વખત આવ્યો. બે હજાર માણસો કામ-ધંધા વગરના બની ગયા. દરેક વખતે આવું જ બને છે એવું નથી, પરંતુ માણસે દીર્ઘદૃષ્ટિથી વિચારવાની જરૂર તો રહે જ છે. જેઓએ શુદ્ધ ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિથી પોતાનું જીવન પસાર કરવું છે તેઓએ તો વિચારવું જોઈએ કે પોતાની પાસે પોતાનો જીવનનિર્વાહ ઘણી સારી રીતે થઈ શકે એટલું ધન જો હોય તો તેઓએ વધુ કમાવા માટેની પ્રવૃતિ છોડી દેવી જોઈએ, સ્વેચ્છાએ પોતે નિવૃત્તિ સ્વીકારી લેવી જોઇએ, નિવૃત્ત શાંત સ્વસ્થ, ધર્મમય પ્રસન્ન જીવન જીવવું જોઈએ. ઘણા માણસો પોતાના વેપાર-ધંધાને એટલો બધો વિકસાવે છે અને પછી પોતે જ અંદર એટલા બધા ખુંપતા જાય છે, કે તેમને માટે તેમાંથી નીકળવું જીવનના અંત સુધી શક્ય બનતું નથી. ઘણો સારો વેપાર-ધંધો ચાલતો હોય તો પણ માણસે તેમાંથી વેળાસર નિવૃત્ત થવાની ભાવના સેવવી જોઇએ અને તે પ્રમાણે યોજના પણ અગાઉથી વિચારવી જોઇએ. વેપાર-ધંધામાં માણસે પોતાના ઉત્તરાધિકારીનો વેળાસર વિચાર કરી લેવો જોઈએ. શાસ્ત્રકારોએ વસ્તુ પ્રત્યેની આસક્તિને, મૂચ્છને પણ પરિગ્રહ તરીકે ઓળખાવી છે, એટલે માણસે પૂલ પરિગ્રહ ન Page #141 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ વધા૨વો જોઈએ, એટલું જ નહિ પણ પરિગ્રહ વધારવાની ઇચ્છા પણ ના સેવવી જોઇએ. અલ્પતમ પરિગ્રહ પોતાની પાસે હોય, પરંતુ તેના ઉપભોગમાં અતિશય રસ પડતો હોય તો તે પણં વર્જ્ય ગણવામાં આવ્યો છે. ૧૩૨ સૂક્ષ્મ તત્ત્વદૃષ્ટિએ વિચારીએ તો સ્થૂલ પરિગ્રહ એટલે પુદ્ગલાસ્તિકાય. પુદ્ગલનું ચૈતન્ય સાથેનું વે૨ તો અનાદિકાળથી ચાવ્યું આવે છે. પુદ્ગલ ચેતનનો પીછો જલદી છોડે એમ નથી. જે જીવ પરિગ્રહમાં-પુદ્ગલમાં આસક્ત બને છે તે પોતે પોતાના પ્રત્યે જ વેર બાંધે છે. સૂક્ષ્મ દૃષ્ટિએ નિહાળીએ તો ઇચ્છાઓ, વાસનાઓ, લોભાદિ કષાયો તથા એ માટેની મૂર્છા એ પણ પરિગ્રહ છે. એ પરિગ્રહથી આત્મા સાથે જ વે૨ બંધાય છે. આત્માના એ શત્રુઓ છે. એ શત્રુઓને નિર્મૂળ કરવાના છે. પરિગ્રહનો ત્યાગ એટલે વેરનો ત્યાગ. જીવનો એટલે કે ચેતનનો ઉચ્ચતમ આદર્શ એ જ હોવો ઘટે. ܀܀܀ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨ लोभाविले आययईं अदत्तं [લોભગ્રસ્ત થઈને અદત્ત ગ્રહણ કરે છે] લોભી માણસ ક્યારે ચોરી કરી બેસે તે કહેવાય નહિ. ચોરીના મૂળમાં જે કેટલાંક કારણો રહેલાં છે તેમાંનું એક મુખ્ય કારણ તે લોભ છે. ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના બત્રીસમા અધ્યયનમાં કહ્યું છે : रुवे अतित्ते य परिग्गहम्मि सत्तोवसत्तो न उवेइ तुद्धिं । अतुट्रिदोसेण दुही परस्स लोभाविले आययई अदत्तं ॥29॥ [મનોજ્ઞ રૂપના પરિગ્રહમાં આસક્ત થયેલો જીવ જ્યારે અતૃપ્ત થાય છે ત્યારે તેની આસક્તિ વધે છે અને તે સંતોષ મેળવી શકતો નથી. ત્યારે અસંતોષના દોષ વડે દુઃખી થયેલો તે અત્યંત લોભ વડે મલિન થઈને અન્યનું નહિ દીધેલું પણ ગ્રહણ કરે છે.] तम्हाभिभूयस्स अदत्तहारिणो रूवे अतित्तस्स परिग्गहे य । मायामुसं वइई लोभदोषा तत्थावि दुक्खा न विमुच्चई से ॥30॥ [તૃષ્ણાથી પરાભવ પામેલો માણસ અદત્તને લેવા છતાં તે પરિગ્રહમાં તથા રૂપમાં અતૃપ્ત રહે છે. અદત્તને હરણ કરનારો તે લોભમાં આકર્ષાઈને માયા અને અસત્ય ઇત્યાદિ દોષોને વધારી મૂકે છે, છતાં તે દુઃખથી છૂટી શકતો નથી.] Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ मोसस्स पच्छा य पुरत्थओ य पओगकाले य दुही दुरंते । एवं अदत्ताणि समाययंतो रूवे अतितो दुहिओ अणिस्सो ॥31॥ - [જૂઠું બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલવા કાળે પણ દુષ્ટ હૃદયવાળો તે જીવ દુઃખી થાય છે. તેમ જ રૂપમાં અતૃપ્ત રહેલો અને અણદીધેલું ગ્રહણ કરનાર હંમેશાં અસહાય અને દુઃખી પીડિત રહે છે.] ચોરીનો વિષય ઘણો વિશાળ છે અને એના પ્રકારો પણ અનેક છે. ચોરી વિનાનો માનવજાતનો ઈતિહાસ ક્યારેય સંભવી ન શકે. દુનિયામાં બધા જ માણસો ધનવાન, સુખી અને સાધનસંપન્ન હોય તો પણ દુનિયામાંથી ચોરી નિર્મૂળ ન થઈ શકે, કારણ કે અનાદિ કાળના એ સંસ્કાર છે. આ તો પૂલ ચોરીની વાત થઈ. સૂક્ષ્મ, માનસિક ચોરીની તો વળી વાત જ જુદી છે. તાળું અવિશ્વાસનું પ્રતીક હોવા છતાં માણસે તાળાની શોધ કરીને અસંખ્ય લોકોને ચોરીનો ગુનો કરતા અટકાવ્યા છે. માનવજાત ઉપર તાળાનો ઘણો મોટો ઉપકાર ગરીબી કે બેકારીને કારણે થતી મોટી મોટી ચોરીઓ અને લૂંટફાટનો વિષય એ એક જુદો જ વિષય છે. એ પણ એક મોટું પાપ છે એમ દુનિયાના બધા જ ધર્મો સ્વીકારે છે. એ પ્રકારની ચોરીના વિષયને અહીં સ્પર્શવો નથી. અહીં તો આકર્ષક મનગમતી ચીજવસ્તુઓની ચોરી, લોભ કે લાલચને વશ થઈ માણસ જે કરે છે તેની વાત કરવી છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ लोभाविले आययईं अदत्तं ૧૩૫ જૈન ધર્મમાં ચોરીની વ્યાખ્યા ઘણી ઊંચી ભૂમિકાએ કરવામાં આવી છે. કોઈ ન દેખે એ રીતે છાનાંમાનાં કોઈની વસ્તુ લઈ લેવી એ ચોરીની સામાન્ય વ્યાખ્યા છે. બીજાઓના દેખતાં, કોઈની ન હોય કે કોઈને કામની ન હોય, એવી વસ્તુ પણ બીજાના રીતસરના આપ્યા વિના (અદત્ત) લેવી તે પણ ચોરી છે. એટલા માટે શબ્દ વપરાય છે “અદત્તાદાન'. માણસ રસ્તામાં ચાલ્યો જતો હોય અને ત્યાં એક નકામો પથ્થર હોય, પોતે બીજાના દેખતાં જ એ પથ્થર જો લઈ લે તો કોઈને એમાં કશો વાંધો પણ ન હોય તો પણ એ પથ્થર કોઈએ પોતાને રીતસર આપ્યો ન હોવાથી તે લઈ લેવો એ અદત્તાદાન છે, ચોરી છે. જૈન સાધુ-સાધ્વીઓ માટે તો ભગવાન મહાવીરે ત્યાં સુધી કહ્યું છે કે સાધુ-સાધ્વી રસ્તામાં ચાલ્યાં જતાં હોય, એ વખતે પોતાના દાંતમાં કશુંક ભરાઈ જવાને કારણે ખૂઆ કરતું હોય. તે વખતે પાસેના કોઈ ઝાડની ડાળખીની નાની સળી તોડીને અથવા નીચે પડેલી સળી વીણીને દાંત ખોતરવામાં આવે તો દુઃખાવો તરત મટી જાય એમ હોય, પરંતુ એવી દાંત ખોતરવાની સળી પણ જો કોઈએ રીતસર આપી ન હોય તો પોતાનાથી તે લેવાય નહિ. એવી રીતે લેનાર સાધુ-સાધ્વીને અદત્તાદાનનો–ચોરીનો દોષ લાગે છે. હેમચન્દ્રાચાર્યે “યોગશાસ્ત્ર'માં એ વિશે સ્પષ્ટતા કરતાં કહ્યું છેઃ पतितं विस्मृतं नष्टं स्थितं स्थापितमाहितम् । अदत्तं नाददीत स्वं परकीयं क्वचित् सुधीः ॥ Page #145 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ [પડી ગયેલું, ભુલાઈ ગયેલું, નષ્ટ થઈ ગયેલું (અર્થાત્ ચોરાઈ ગયેલું), ઘરમાં રહેલું, ક્યાંક મૂકી રાખેલું એવું પારકું ધન જો અદત્ત હોય તો તે ડાહ્યા માણસે ક્યારેય લેવું નહિ.] પોતાને નહિ આપેલ વસ્તુ લેવાના દોષની બાબતમાં પણ જૈન ધર્મ વધારે ઊંડાણમાં જાય છે. વસ્તુ કોઈકની હોય અને બીજો જ કોઈ માણસ એને પૂછળ્યા-ર્યા વગર તમને આપી દે અને તમને ખબર હોય કે એ વસ્તુ એની નથી, તો તમારાથી એવી રીતે પણ એ ગ્રહણ ન થાય. દત્ત વસ્તુ પણ યોગ્ય રીતે, અધિકારી વ્યક્તિ દ્વારા દત્ત થતી હોય તો જ તે ગ્રહણ થાય. અદત્ત વસ્તુના પણ મુખ્ય ચાર પ્રકાર પાડવામાં આવ્યા છેઃ પ્રશ્ન વ્યાકરણમાં કહ્યું છે: सामी-जीवादतं तिथ्ययरेणं तहेव य गुरुहिं । एवमदत्त सरूवं परूवियं आगमधरेहिं ॥ [સ્વામી-અદત્ત, જીવ-અદત્ત, દેવ-અદત્ત તથા ગુરુ-અદત્ત એમ અદત્તાદાન-ચોરીનાં ચાર સ્વરૂપ આગમધર જ્ઞાનીઓએ બતાવ્યાં છે.] લોભ અસંતોષમાંથી જન્મે છે. આસક્તિને કારણે માણસની અસંતોષની વૃત્તિ સદેવ પ્રબળ રહ્યા કરે છે. ભોગોપભોગની વાસનામાંથી આસક્તિ જન્મે છે. મનોહર, આકર્ષક પદાર્થો જોઈને માણસની ભોગોપભોગની વૃત્તિ સતેજ બને છે. ધરાઈને ભોજન લીધા પછી બહુ જ ભાવતી નવી કોઈક વાનગી મળતી હોય તો પણ માણસ તરત ખાવા લલચાય છે. તૃષ્ણાનો Page #146 -------------------------------------------------------------------------- ________________ लोभाविले आययईं अदत्तं ૧૩૭ કોઈ અંત નથી. પોતાની તૃષ્ણાને સંતોષવા નીકળેલો માણસ ક્યારે અયોગ્ય, અધાર્મિક આચરણ કરી બેસશે તે કહી શકાય નહિ. સામાન્ય વપરાશની નાની પણ સુંદર, મનોહર વસ્તુઓ, જે સહેલાઈથી ખિસ્સામાં મૂકી શકાય કે વસ્ત્રમાં સંતાડી શકાય તેવી હોય એવી વસ્તુઓ જલદી ઊપડી જતી હોય છે. ફાઉન્ટન પેન, ચખુ, કાતર, પ્રસાધનનાં સાધનો, બૂટ-ચંપલ, છત્રી વગેરેથી માંડીને કીમતી ઘરેણાં, રત્નો જેવી કેટકેટલી નાનીનાની વસ્તુઓની ચોરી થાય છે. એની યાદી કરીએ તો ઘણી લાંબી થાય, દુકાનદારોના અનુભવની એ વાત છે. મનોહર ચીજ-વસ્તુનું આકર્ષણ મનુષ્યને એટલું બધું હોય છે કે તે મેળવવા માટે તે અનીતિ કરવા માટે લલચાય છે. એમાં પણ દુર્લભ કે અલભ્ય ચીજવસ્તુઓ હોય અને પોતાને તેની જરૂરિયાત હોય અથવા પોતાના શોખની તે વસ્તુ હોય તો તેનું આકર્ષણ વધી જાય છે. ક્યારેક પોતે ત્યાં ગયા હતા એની યાદગીરી (Souvenir) તરીકે કોઈક વસ્તુ ચોરી લેવાનું મન પણ કેટલાકને થાય છે. દુનિયાભરની પંચતારક અને બીજી મોંઘી હોટેલોમાં ઊતરનારા શ્રીમંત માણસો કઈ કઈ વસ્તુઓની હૉટેલમાંથી ચોરી કરી જાય છે તેની ઘણી વાતો તે હોટલના સંચાલકોને પૂછવાથી જાણવા મળે છે. કેટલાંક વર્ષ પહેલાં, જેટ વિમાનની શોધ થયા પછી Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ ન્યૂયોર્કથી લંડન અને લંડનથી ન્યૂયોર્કની પોતાની પહેલી સળંગ-સીધી ફ્લાઇટ ચાલુ કરવા માટે અમેરિકાની એક વિમાન કંપનીએ એ maiden flight માટે જુદા જુદા દેશના સર્વોચ્ચ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત માણસોને મહેમાન તરીકે મફત સફર કરવા માટે નિમંત્રણ આપેલું. એ સફરમાં દરેક યાત્રિકને આ પહેલી સફરની યાદગીરી તરીકે કેટલીક કીમતી ભેટો પણ આપેલી. ત્યારપછી આ સફરમાં દરેકને ભોજન વિમાન કંપનીના નામવાળી ચાંદીની પ્લેટમાં પીરસવામાં આવ્યું અને છરી-કાંટો અને ચમચા પણ ચાંદીના રાખવામાં આવ્યાં હતા. જવાઆવવાની એમ બંને ફ્લાઇટ એક ઉત્સવ જેવી બની રહી હતી. પરંતુ બંને સફરને અંતે ગણતરી કરતાં કંપનીને જણાયું હતું કે મહેમાન-યાત્રિકો ઠીક ઠીક સંખ્યામાં ચાંદીના છરી, કાંટા, ચમચા યાદગીરી તરીકે સંતાડીને ઉપાડી ગયા હતા. કેટલાક તો ચાંદીની પ્લેટ પણ લઈ ગયા હતા. એક ભાઈને જુદી જુદી જાતની એશ ટ્રેનો સંગ્રહ કરવાનો ભારે શોખ હતો. એટલે તેઓ જ્યારે જ્યારે કોઈ હોટેલમાં જાય અને નવી જાતની એશ ટ્રે જુએ કે તરત એ ત્યાંથી ચૂપચાપ ઉપાડી લાવે. એમને એવી કુટેવ પડી ગઈ હતી. શ્રીમંત માણસોની આવી કુટેવ પણ એવી છે કે તેઓ તેને માટે ગોરવ લેતા પણ અચકાતા નથી. આવા કેટલાક સંગ્રહકારો પોતે કઈ કઈ જગ્યાએથી કઈ કઈ વસ્તુઓ ઉપાડી લાવ્યા છે તેનું બયાન પણ રસિકતાથી ગૌરવભેર કરતા હોય છે. તેઓ માને Page #148 -------------------------------------------------------------------------- ________________ लोभाविले आययई अदत्तं ૧૩૯ છે કે પોતે શ્રીમંત હોવાથી પૈસાને ખાતર તો ચોરી કરતા નથી. એટલે ચોરી પોતાની ચતુરાઈ માટે અને પોતાના શોખ માટે કરે છે. એટલે એમાં કશું ખોટું નથી, બલ્ક ગૌરવ લેવા જેવું છે. એક ટુચકો છે કે કોઈક એક શ્રીમંત બહેને પોતાના પતિને ફરિયાદ કરતાં કહ્યું, “આપણા આ નવા નોકરને તરત રજા આપી દેવાની જરૂર છે, કારણ કે એણે ચોરી કરી છે.” પતિએ પૂછ્યું, “શાની ચોરી કરી છે?' પત્નીએ કહ્યું, “આપણા બાથરૂમમાંથી સરસ ટોવેલની ચોરી કરી છે. હોંગકોંગની હિલ્ટન હોટેલમાંથી આપણે જે ટોવેલ ઉપાડી લાવ્યા હતા તે એ ચોરી ગયો છે!' બીજો પણ એક ટુચકો જાણે બનેલી ઘટના તરીકે સાંભળ્યો છે. એક વખત એક હોટેલમાં શ્રીમંતોની એક પાર્ટી હતી. ઘણા સારા સારા માણસો ત્યાં એકત્ર થયા હતા. નાચગાનની મહેફિલ પછી સો જમવા બેઠા. છેલ્લે આઇસ્ક્રીમ આવ્યો. આઇસ્ક્રીમ ખાવા માટેની ચાંદીની નાની ચમચી નકશીદાર, આકર્ષક હતી. એક મહેમાનને તે ચોરવાનું મન થયું. પોતાને કોઈ જોતું નથી એની ખાતરી કરીને એમણે એ ચમચી પોતાના જમણા પગના બૂટમાં એક બાજુ સંતાડી દીધી. પરંતુ થોડે આઘે બેઠેલા એક સજ્જન એ જોઈ ગયા. તેમણે વિચાર કર્યો કે આ વાત જાહેર કરવાથી તે માણસની આબરૂ જશે. પાર્ટી પૂરી થઈ ત્યારે મહેમાનોને એકત્રિત કરીને એમણે કહ્યું, સજ્જનો અને સન્નારીઓ ! હું જાદુના ઘણા ખેલ કરું છું. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ છૂટા પડતાં પહેલાં મારે તમને એક સરસ જાદુ બતાવવો છે.' સૌ આતુર થઈ જોવા લાગ્યા. પછી તેમણે આઇસ્ક્રીમની એક ચમચી મંગાવી. પોતાના હાથમાં રાખીને તે બધાંને બતાવી. પછી તેમણે કહ્યું, “હવે જુઓ આ ચમચી હું મારા બૂટમાં સંતાડું છું.” એમ કહી બધાંના દેખતાં તેમણે ચમચી પોતાના જમણા પગના બૂટમાં સંતાડી દીધી. પછી તેમણે કહ્યું, “હવે આ ચમચી થોડી ક્ષણમાં જ મારા એક મિત્રના બૂટમાં જતી રહેશે.” એમ કહી થોડીક ક્ષણ પછી એમણે પેલી ચમચી ચોરનાર મહેમાન તરફ આંગળી ચીંધી. સૌએ એ તરફ નજર કરી, સૌના આશ્ચર્ય વચ્ચે બૂટમાંથી ચમચી નીકળી. બધા ચકિત થઈ ગયા. એ મહેમાનની આબરૂ બચી. એને એક પાઠ શીખવા મળ્યો. પેલા ચતુર મહેમાનને જાદુની ફી તરીકે ચાંદીની ચમચી મળી. જગતમાં પ્રાચીન ચીજવસ્તુઓનો સંગ્રહ કરનારાઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. એવા કેટલાક સંગ્રહખોરો પોતાનો શોખ સંતોષવા માટે સંગ્રહ કરતા હોય છે, તો કેટલાક સંગ્રહકારો વ્યાવસાયિક રીતે પ્રાચીન ચીજવસ્તુઓની લે-વેચ કરનારા હોય છે. સંગ્રહકારો ક્યારેક પ્રાચીન ચીજવસ્તુઓની જાતે ચોરી કરતા હોય છે અથવા બીજાઓ પાસે ચોરી કરાવતા હોય છે. દુનિયાભરના દેશોમાં ધર્મના ક્ષેત્રે પ્રાચીન ચીજવસ્તુઓની જાળવણી, પવિત્રતાની ભાવનાને કારણે વધુ થતી આવી છે. હિંદુ, જૈન, બૌદ્ધ મંદિરોની પ્રાચીન પ્રતિમાઓ, ચિત્રો, હસ્તપ્રતો વગેરેની ચોરી અને દાણચોરીની પ્રવૃત્તિ Page #150 -------------------------------------------------------------------------- ________________ लोभाविले आययईं अदत्तं ૧ ૪ ૧. જાણીતી છે. ધર્મના ક્ષેત્રે ધાર્મિક ભાવનાવાળા લોકોની દાનત પણ ક્યારેક બગડે છે અને તેઓ ચોરી કરવા લલચાય છે. કેટલાક શ્રીમંત ટ્રસ્ટીઓ અચાનક આર્થિક પડતી આવે અને દેવાદાર બની જાય ત્યારે મંદિરમાંથી કીમતી ઘરેણાં, મૂર્તિ વગેરે ઉઠાવી જાય છે. પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આવું ઘોર પાપકાર્ય તેઓ કરે છે. કેટલાક આવા માણસો જ્યારે ચોરી કરતાં પકડાઈ જવાની બીક હોય ત્યારે એથી પણ વધુ ઘોર પાપકર્મ કરતાં અચકાતા નથી. કેટલાંક વર્ષ પહેલાં બનેલી એક સત્ય ઘટના છે કે પ્રાચીન ચીજવસ્તુઓ (એન્ટિક)નો વ્યવસાય કરનાર એક ભાઈ એક મંદિરમાં પૂજા કરવા ગયા ત્યારે ત્યાં બીજું કોઈ હતું નહિ. એ તકનો લાભ લઈ તેમણે મંદિરની એક સ્ફટિકની મૂર્તિ પોતાના કપડામાં સંતાડી દીધી. પરંતુ બહાર નીકળ્યા ત્યારે મંદિરમાં સ્ફટિકની મૂર્તિ માટે બૂમાબૂમ થઈ. એથી પકડાઈ જવાની બીક એમને લાગી, એટલે તરત સ્ફટિકની પ્રતિમા એક ખુલ્લી ગટરમાં એમણે ફેંકી દીધી. ધાર્મિક માણસો પણ કેટલી હદ સુધી ધર્મસ્થાનમાં પણ કેટલું હીન કાર્ય કરે છે તેનું આ એક ઉદાહરણ છે. મનગમતી ચીજવસ્તુઓમાં ગ્રંથોનો પણ સમાવેશ થાય છે. સરસ આકર્ષક ગ્રંથ હોય, પોતાને ઘણો ઉપયોગી હોય, પોતાની આર્થિક સ્થિતિના કારણે ખરીદી શકાય તેમ ન હોય અથવા ખરીદી શકાય એમ હોય પણ તે અલભ્ય હોય તો Page #151 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ તેવો ગ્રંથ ઉઠાવી લેવા માટે રસિક વાચક લલચાય છે. ગ્રંથ વાંચી લીધા પછી તેને તે કશો કામનો હોતો નથી. પરંતુ હવે પાછો આપતાં તે લજ્જા અનુભવે છે. મનોવૈજ્ઞાનિકો કહે છે કે ગ્રંથોની બાબતમાં તો મોટા મોટા વિદ્વાનો પણ પ્રસંગવશાત્ અપ્રમાણિક થઈ જાય છે. ૧૪૨ શાળા-કૉલેજનાં ગ્રંથાલયોમાં વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષા માટે ઉપયોગી એવા ગ્રંથો ઉપાડી જાય છે અથવા એવા ગ્રંથોમાંથી ચિત્રો, નકશાઓ અને ક્યારેક તો આખાં પ્રકરણો ફાડીને, તેને સંતાડીને લઈ જાય છે. કેટલાક ડૉક્ટરો એ વાતની સાક્ષી પૂરશે કે પોતાને ત્યાં દર્દીઓ માટેના વેઇટિંગ રૂમમાં રાખવામાં આવેલાં નવાં સામયિકો કે સુંદર ચોપાનિયાંમાંથી કેટલાં ક્યારે ઊપડી જાય છે તેની ખબર પડતી નથી. એટલા માટે તો કેટલાક ડૉક્ટરો નવાં સામયિકોને બદલે પસ્તીવાળાને ત્યાંથી જૂના સામયિકો લાવીને મૂકતા હોય છે કે જેથી કોઈ ઉપાડી જાય તો પણ મનમાં ચીડ ન ચડે. જેમ મનગમતી ચીજવસ્તુઓની બાબતમાં બને છે તેમ મનભાવતી ખાદ્યવાનગીઓની બાબતમાં પણ આવી પ્રવૃત્તિ ચાલતી હોય છે. ખાદ્યપદાર્થોની ચોરી એ કોઈ મોટી, મોંઘી ચોરી નથી, પણ માણસ એ વૃત્તિ ઉપર સંયમ રાખી શકતો નથી. એક રસોડે જમતા મોટાં કુટુંબોમાં અથવા નોકરચાકરવાળાં ઘરોમાં કોઈકે કશુંક છાનુંમાનું ખાઈ લીધું હોય Page #152 -------------------------------------------------------------------------- ________________ लोभाविले आययईं अदत्तं એવી ઘટનાઓ અનેક વાર બનતી હોય છે. પાન, સિગારેટ કે મુખવાસના શોખીનોમાં પણ આવી પ્રવૃત્તિ જોવા મળશે. જીભ ઉપર સંયમ મેળવવો એ સહેલી વાત નથી. જૂના વખતમાં (અને હજુ પણ ક્યાંક ક્યાંક) જ્ઞાતિના જમણવારમાં જમવા જતા લોકો પોતાની સાથે એકાદ વાસણ લેતા જતા અને જમતી વખતે થોડીક વાનગીઓ ચોરીછૂપીથી પોતાના વાસણમાં સરકાવી દેતા. જમણવારોમાં વાનગીઓની ચોરી એ એક સામાન્ય ઘટના છે. મોટાં શહેરોમાં તો લગ્ન વગેરેના જમણવારોમાં ખોટા માણસો ઘૂસી જવાના અનેક બનાવો વખતોવખત બનતા રહે છે. કેટલાક માણસોની તો સ્વાદેન્દ્રિય એટલી જોરદાર હોય છે કે કયા જમણવારમાં કેવી રીતે ઘૂસી જઈ મનભાવતું જમી લેવું તેની કુનેહ તેઓની પાસે હોય છે. આસક્તિ અને લોભમાંથી અદત્તાદાનની વૃત્તિ કેવી રીતે માણસના જીવનમાં ઘર કરી જાય છે તે આવા કેટલાક દાખલાઓ ઉપરથી જોઈ શકાય છે. ૧૪૩ સાધુ-સંન્યાસી થયા એટલે તરત સ્વાદેન્દ્રિયની આસક્તિથી પર થઈ ગયા એવું નથી. સંન્યાસ લીધા પછી પણ ચીજવસ્તુઓની આસક્તિ રહે છે. અને પારકી પ્રિય વસ્તુ એના માલિકને પૂછ્યા વગર લેવાનું અને મનભાવતી વસ્તુઓ ખાઈ લેવાનું મન થાય છે. એક પૌરાણિક કથા પ્રમાણે પ્રાચીન સમયમાં સુધન્વા નામનો એક ક્રૂર રાજા થઈ ગયો. એના રાજ્યમાં બે સગા ભાઈઓએ વૃદ્ધાવસ્થામાં આવતાં સંન્યાસ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ વિરપ્રભુનાં વચનો ભાગ ૧- ૨ લીધો અને વનમાં જઈ બંનેએ પોતપોતાના આશ્રમ બાજુબાજુમાં કર્યા. એક વખત એક આશ્રમમાં એક વૃક્ષ ઉપર એવાં સરસ ફળ લટકતાં હતાં કે જોનારને તે તરત પાડીને ખાવાનું મન થાય. બાજુના આશ્રમવાળા સંન્યાસી ભાઈને પણ એવું મન થયું. તેઓ પોતાની ઇચ્છાને રોકી શક્યા નહિ. બાજુના આશ્રમમાં જઈ તેમણે ચૂપચાપ એ ફળ તોડીને ચોરી લીધાં અને પોતાના આશ્રમમાં આવીને ખાધાં. પણ ગમે તે રીતે આ વાત પકડાઈ ગઈ. બંને સંન્યાસી ભાઈઓ વચ્ચે ઝઘડો થયો. ફરતી ફરતી વાત રાજદરબારે પહોંચી. રાજ્યનો કાયદો હતો કે ચોરી કરનારનાં કાંડા કાપી નાખવામાં આવે. ક્રૂર સુધન્વા રાજાએ એ ચોર સંન્યાસીનાં કાંડા કપાવી નાખ્યાં હતાં. નાની નાની ચોરી કરવામાં પણ એક પ્રકારનો સૂક્ષ્મ માનસિક આનંદ હોય છે. એ આનંદ શુદ્ધ નહિ પરંતુ વિકૃત પ્રકારનો હોય છે. આવો વિકૃત આનંદ વારંવાર અનુભવવા મળતાં તે એક ગ્રંથિરૂપે બંધાય છે. કેટલાક શ્રીમંતોમાં આવી ચોરીનો આનંદ હોય છે. તે એક પ્રકારનો માનસિક રોગ ગણાય છે. તેને Kleptomania-ક્લેપ્ટોમેનિઆ તરીકે ઓળખવામાં આવે છે. શ્રીમંતોને કોઈ વસ્તુ ખરીદવાનું ન પરવડે એવું નથી હોતું. તેઓનાં ઘણાં નાણાં અકારણ વેડફાઈ જતાં હોય છે. તેમ છતાં કશુંક ચોરીને મફત મેળવવાનો હલકી કોટિનો આનંદ જુદો હોય છે. એ તેમના ચિત્તમાં એવો ઘર કરી જાય છે કે વખત જતાં તે માનસિક રોગરૂપે જ પરિણમે Page #154 -------------------------------------------------------------------------- ________________ लोभाविले आययईं अदत्तं છે. આ રોગ પછાત દેશો કરતાં ધનાઢ્ય દેશોમાં વધુ પ્રવર્તે છે. યુરોપ-અમેરિકાના કેટલાય મોટા મોટા સ્ટો૨માં ShopLiftingના ઘણા કિસ્સા નોંધાય છે. એમાં પકડાઈ જના૨ વ્યક્તિઓ એકંદરે પૈસેટકે સુખી અને સાધનસંપન્ન હોય છે. કશુંક મફત મેળવવાની વૃત્તિ એ જીવની અનાદિકાળની વૃત્તિbasic instict છે. વારંવાર વિધિસર જાહે૨ રીતે મફત મેળવવાના આનંદથી એ પ્રકારની વાસનાના સંસ્કાર એટલા દૃઢ થાય છે કે પછી જ્યારે એ માટે પૈસા ખર્ચવાનો વખત આવે છે ત્યારે માણસને કઠે છે. દઢ થયેલી વાસના એને ચોરી ક૨વા પ્રેરે છે. આવી નાની વસ્તુની ચોરી એ ચોરી કહેવાય નહિ એમ તે પોતાના મનને મનાવે છે. પછી એમાંથી એવી ચોરીની એને ટેવ પડી જાય છે. લોભ અને આસક્તિને કારણે નાની-મોટી ચોરી જેઓ કરે છે તે ત્યાં જ અટકતા નથી. તૃષ્ણા એટલી પ્રબળ હોય છે કે મનુષ્યને તે માયા-મૃષાવાદ તરફ પણ ઘસડી જાય છે. માણસ કશીક નાની-મોટી ચોરી તો કરી લે છે, પરંતુ એને લીધે પછીથી તેને સ્વબચાવ માટે જૂઠું બોલવાનો પણ વખત આવે છે. ચૌરાળામવૃતં વતં । વળી એવી ચીજવસ્તુઓને અંગે એને ખોટા અને અતિશ્યોક્તિભરેલા અભિપ્રાયો આપવાની કે વિચારો દર્શાવવાની ફરજ પણ પડે છે. આમ એક અનિષ્ટમાંથી બીજું અનિષ્ટ અને એમાંથી ત્રીજું અનિષ્ટ જન્મે છે અને એનું ચક્ર ચાલવા લાગે છે. માણસને એ ચક્ર અંતે દુઃખી કરીને જ ૧૪૫ Page #155 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ જંપે છે. કોઈકને શરમાવાનો, તો કોઈકને તો વળી જેલમાં જવાનો વખત પણ આવે છે. ૧૪૬ આવી નાની નાની ચોરી એ પણ ચોરી જ છે. ચોરી એ પાપ છે. આવી પાપવૃત્તિમાંથી બચવા માટે વધુ સજાગ બનવાની જરૂર રહે છે. મોટી ચોરી તો સજા થવાની બીકે માણસ કરતો નથી. પણ નાની ચોરીમાંથી તે જલદી છૂટી શકતો નથી. આવી નાની ચોરી લોભ, લાલચ અને આસક્તિમાંથી જન્મે છે. માણસ પોતાના જીવનમાં સંતોષની વૃત્તિ કેળવે તો તેની લોભવૃત્તિ સંયમમાં રહે. જીવનમાં સંતોષ મેળવવા માટે માણસે પોતાની ઇચ્છા, આશા, સ્પૃહા, આકાંક્ષા, તૃષ્ણા વગેરેને ઉત્તરોત્તર ઓછી કરતાં જઈ તેના ઉ૫૨ અંકુશ મેળવવો જોઈએ. મનુષ્યમાં સાચી નિઃસ્પૃહતા આવે તો પછી આખું જગત એને તણખલા જેવું લાગે. નિસ્પૃહસ્ય તળું નાત્ । નિઃસ્પૃહત્વમાંથી જે માનસિક સુખ પ્રાપ્ત થાય છે તે કેવું છે તે તો અનુભવથી જ સમજાય એવું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ‘જ્ઞાનસાર'માં કહ્યું છેઃ भूशय्या भैक्ष्यमशनं जीर्णवासो वनं गृहम् । तथापि नि:स्पृहस्याहो चक्रिणोप्यधिकं सुखम् ।। [ભૂમિ ઉપર શયન હોય, ભિક્ષાથી ભોજન હોય, પહે૨વાને જીર્ણ કપડાં હોય અને વન એ જ ઘર હોય તો પણ સાચો નિઃસ્પૃહ મનુષ્ય ચક્રવર્તીના સુખથી અધિક સુખ ભોગવે છે.] ܀܀܀ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩ मोहरिते सच्चवयणस्स पलिमंथू [મુખરતાથી સત્યવચનનો ઘાત થાય છે] ચૈત્ર સુદ તે૨સે તીર્થંકર ચરમ ભગવાન મહાવીરસ્વામીના જન્મકલ્યાણકની ઉજવણી નિમિત્તે એમણે પ્રબોધેલાં વચનો વાંચતાં વર્તમાન સમયને પણ સવિશેષ લાગુ પડે એવા ઉપરના એક વચનનું સ્મરણ થયું. સ્થાનાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં (કંડિકા ૫૨૯માં) ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું છેઃ મોહિતે સ—વયળસ્ત્ર પત્તિમંથૂ અર્થાત્ મુખરતાથી (મોહરિત=મુખરિત) સત્યવચનનો ઘાત થાય છે. સ્થાનાંગ સૂત્રમાં દસ અધ્યયન છે. તેમાં એક, બે, ત્રણ, ચાર એમ અનુક્રમે દસ અધ્યયનમાં તે પ્રત્યેકમાં તેની સંખ્યાનુસા૨ તેવી તેવી વસ્તુઓ ગણાવવામાં આવી છે. છઠ્ઠા અધ્યયનમાં છ-છના પ્રકારો બતાવવામાં આવ્યા છે. આ કંડિકામાં માણસ કઈ છ વસ્તુઓનો ઘાત કેવી કેવી રીતે કરે તે બતાવવામાં આવ્યું છે. એમાં કહ્યું છે કે મુખરતાથી માણસ સત્યવચનનો ઘાત કરે છે. મુખરતા એટલે વાચાળપણું, બહુ બોલબોલ કરવું, બડબડ કરવું, બૂમરાણ મચાવવી અથવા બોલીને ઘોંઘાટ કરવો. Page #157 -------------------------------------------------------------------------- ________________ -૧ ૪૮ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ બોલવું એ એક વાત છે અને બોલબોલ કરવું એ બીજી વાત છે. વિચારપૂર્વક, સંયમપૂર્વક, યોગ્યતાનુસાર માણસ પોતાની વાતને વાણી દ્વારા રજૂ કરે એ સારી વાત છે. વખત જતાં પોતાની વૈખરી વાણીને દિવ્યતા સુધી માણસ પહોંચાડી શકે છે. તીર્થંકર પરમાત્માની વાણી ઉત્તમ પ્રકારના પાંત્રીસ ગુણથી યુક્ત હોય છે. સામાન્ય માણસોની વાત કરીએ તો કેટલાક માણસોનું બોલવું આપણને ગમે છે અને કેટલાકનું બોલવું ગમતું નથી. કોયલના ટહુકાર પ્રિય લાગે છે અને કાગડાનો અવાજ કર્કશ લાગે છે. મુખરતા એટલે કાગડાના અવાજના જેવી કર્કશતામાં સરી પડતી વાણી, એવો પણ એક અર્થ થાય છે. એકની એક વાતનું પુનરુચ્ચારણ એ મુખરિતતા નથી. કેટલીક સારી, સાચી વાત ફરી ફરી કહેવા જેવી હોય છે અને ફરી ફરી તે સાંભળતાં માણસને ચીડ ચડતી નથી. ગીતસંગીતમાં કેટલીયે પંક્તિઓ ફરી ફરી ગાવામાં આવે છે. ધ્રુવપદની પંક્તિઓ તો વારંવાર ગવાય છે. જો પુનરુક્તિ એ વાચાળપણું ગણાય તો સમગ્ર શાસ્ત્રીય સંગીત ઉપર વાચાળતાનો દોષ આવે. પરંતુ તેમાં તેનો તેવો દોષ ગણાતો નથી, બલકે તેની ગણના શાસ્ત્રીય કલામાં થાય છે. કેટલાક માણસોને બીજાની સાથે વાત કરતી વખતે મૂંગા બેસી રહેવા કરતાં એકની એક વાત બે-ત્રણ વાર કરવાની ટેવ હોય છે. કેટલાકને વિસ્મૃતિ દોષને કારણે એકની એક Page #158 -------------------------------------------------------------------------- ________________ मोहरिते सच्चवयणस्स पलिमंथू ૧૪૯ વાત બે-ત્રણ વાર કરવાની ટેવ પડી જાય છે, પણ એ મુખરતા નથી. પરંતુ કેટલાક માણસનો સ્વભાવ જ એવો હોય છે, તેઓ કારણ વગર બોલ બોલ કર્યા કરતા હોય છે. ક્યારેક એકની એક વાત એક જ રીતે બોલબોલ કર્યા કરતા હોય છે, તો કેટલીકવાર એક જ વાત વળીવળીને જુદા જુદા શબ્દોમાં બોલ્યા કરતા હોય છે. બીજાનું સાંભળવાનું તેમને ગમતું નથી. એમની વાણી અખ્ખલિત વહ્યા કરે છે. વચ્ચે પૂર્ણવિરામ કે અર્ધવિરામ જેવું હોતું જ નથી કે જેથી બીજાને વાત કરવાની તક મળે. વળી પોતે બોલે છે તે બીજાને ગમે છે કે નહિ અથવા બીજા ધ્યાનથી સાંભળે છે કે નહિ તે જોવા-જાણવાની તેમને દરકાર હોતી નથી. પોતાના બોલવાની કેવી પ્રતિક્રિયા થશે, પોતાની પ્રતિષ્ઠાને કેટલી હાનિ પહોંચશે તેની પણ તેઓને ચિંતા કે ખેવના હોતી નથી. આવા મુખરી માણસોનો અનુભવ ઘણાને થતો હોય છે. જેમ એક બાજુ મૂંગા કે ઓછાબોલા અને મીંઢા માણસો અનર્થ ઉપજાવે છે તેમ મુખરી માણસો પણ અનર્થ ઉપજાવે છે. ભગવાન મહાવીર કહે છે કે તેઓ સત્યનો ઘાત કરે છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે બે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવાનું ઘણું જ દુષ્કર છે: એક જિહ્વા અને બીજી ઉપસ્થ. ઈન્દ્રિયોમાં સ્વાદેન્દ્રિય અને વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત ઉપર વિજય મેળવવા માટે મોટો પુરુષાર્થ કરવાની જરૂર રહે છે. જીભ એક છે અને એણે કામ બે કરવાનાં હોય છે–ખાવાનું અને બોલવાનું. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ માણસને ખાતાં ન આવડે તો પેટ બગડે અને બોલતાં ન આવડે તો સંબંધો બગડે, જીવન બગડે. બગડેલા પેટને સુધારતાં વાર નથી લાગતી, પણ બગડેલા સંબંધને સુધારતાં ઘણી વાર લાગે છે. અર્થયુક્ત વાણી એ બીજાં પ્રાણીઓ કરતાં મનુષ્યની વિશેષતા છે. પોતાને મળેલી આ વિશિષ્ટ શક્તિ કેટલું બધું કાર્ય કરી શકે છે એનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે વિસ્મય થાય છે. પોતાને મળેલી આ શક્તિનો વારંવાર ઉપયોગ કરવાનું મન થાય એ દેખીતું છે. નાનું બાળક થોડાક શબ્દો કે વાક્યો બોલતાં શીખે છે ત્યારે એ ઘણું બોલવા લાગે છે. એ બોલવામાં એકના એક પ્રકારના શબ્દો કે વાક્યોનો પુનરુચ્ચાર ઘડીએ ઘડીએ કરે છે. વાણી એ અભિવ્યક્તિનું માધ્યમ છે અને નાના બાળકને પોતાની જાતને વ્યક્ત કરવા માટે વાણીનો ઉપયોગ કરતાં આવડી જાય ત્યારે એને અતિશય આનંદ અને વિસ્મય થાય છે. પોતાની એ શક્તિનો પ્રયોગ તે વારંવાર કરવા લાગે છે. નાના બાળકની વાણીમાં મુખરતા આવે છે, પણ તે મધુર હોય છે. તેની મુખરતાનો બીજો કોઈ આશય હોતો નથી, માટે તે પ્રિય લાગે છે. આમ, મુખરતાનું લક્ષણ મનુષ્યમાં એના બાલ્યકાળથી જ આવી જાય છે. પરંતુ એ જ બાળક પાંચ-પંદર વર્ષનું થયા પછી એ જ રીતે બોલબાલા કરે તો સ્વજનોને તે દોષરૂપ લાગે છે. તેને અટકાવે છે. મુખરનો એક અર્થ બહુ અવાજ કરવો એવો થાય છે. સંસ્કૃત Page #160 -------------------------------------------------------------------------- ________________ मोहरिते सच्चवयणस्स पलिमंथू ૧૫૧ કવિઓએ પગના ઝાંઝરમાં મુખરતાનો ગુણ રહેલો છે એમ કહ્યું છે. પોલું હોવાથી તે વધારે અવાજ કરે છે. આથી જ્યાં વધુ અવાજ હોય ત્યાં પોલાણ હોય તેવો એક નિયમ બતાવવામાં આવે છે. જેમ ઝાંઝરની બાબતમાં તેમ મનુષ્યની બાબતમાં પણ કહેવાય છે. જે માણસો બહુ બોલબોલ કરતા હોય છે તે માણસો અંદરથી પોલા હોય છે. કેટલીક વાર પોતાના પોલાણને ઢાંકવા માટે જ માણસો બોલબોલ કરતા હોય છે અને એમ કરવાને કારણે પોતે શું અને કેવું બોલે છે તેનું એમને ભાન રહેતું નથી. તેથી એમના જ બોલવામાં વિસંગતિ આવવા લાગે છે અને વિસંગતિ અસત્યને નોતરે છે. ખલિલ જિબ્રાને કહ્યું છે કે In much talking thinking is half murdered. જે વાચાળ માણસો હોય છે તે જો કંઈ બોલવામાં ભૂલ કરે તો પોતાની ભૂલને ઢાંકતાં કે ફેરવી તોળતાં પણ તેઓને આવડતું હોય છે. જેમ એક અસત્ય બીજા અસત્યને નોતરે છે તેમ એક પ્રકારની મુખરતા બીજા પ્રકારની મુખરતાને નોતરે છે. આવી રીતે મુખરતા-વાચાળપણાની પરંપરા ચાલે છે અને એમાં રહેલાં કેટલાંક અસત્ય વચનોને કારણે તે ઘણા અનર્થો ઉપજાવે છે. “વાચાળ માણસો ભરડે રાખે છે” એવો રૂઢપ્રયોગ વપરાય છે. દળવું અને ભરડવું એ બે વચ્ચેના ભેદની જેને ખબર છે તેને આ સમજાવવું પડે તેમ નથી. મુખરતા અર્થાત્ વાચાળતા ક્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ ભાવની દૃષ્ટિએ સત્યની મર્યાદા ઓળંગી જશે અને અસત્યની હદમાં પ્રવેશી જશે તે કહી શકાય નહિ. સત્ય અને અસત્યની વચ્ચે ભેદરેખા એટલી સૂક્ષ્મ હોય છે કે વાચાળ માણસ એ ભેદરેખા ઓળંગીને ક્યારે અસત્યના વાડામાં પુરાઈ જશે એની એને પોતાને પણ ખબર પડતી નથી. મુખરતાની સાથે બીજાના સદ્ગુણો પ્રત્યે દ્વેષનો ભાવ આવે તો તેવી મુખરતા તો એથી પણ ભયંકર છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે અઢાર પાપસ્થાનકની સક્ઝાયમાં કહ્યું છે કેજે બહુ મુખરી રે, વળી ગુણ-મત્સરી, અભ્યાખ્યાની હોય છે, પાતક લાગે રે અણકીધાં સહી, તે કીધું સવિ ખોય છે. કેટલાક માણસો બહુ બોલકા હોય છે. બોલકા માણસો સારી સંગત જમાવી શકે છે. અજાણ્યા માણસને પણ આવા તડાકા જ્યારે ચાલતા હોય ત્યારે તેવા ટોળામાં જોડાઈને સાંભળવાનું ગમે છે. બોલકા માણસોની જ્યારે પ્રશંસા થાય છે ત્યારે તે ઓર ખીલે છે અને વધુ ને વધુ બોલવા લાગે છે. પરંતુ જેમ એ વધુ બોલે છે તેમ તેમ તેનાં વચનોમાં, તેની વાણીમાં અતિશયોક્તિરૂપી અસત્ય પ્રવેશે છે. ઉપરાંત અભિમાન, ઈર્ષા, દ્વેષ, દંભ વગેરે દુર્ગુણો પણ તેની વાણીમાં પ્રવેશવા લાગે છે. ક્યારેક એવે વખતે એવા મુખરી મનુષ્યનું Page #162 -------------------------------------------------------------------------- ________________ मोहरिते सच्चवयणस्स पलिमंथू ૧૫૩ આંતરમન અજાણતાં ખરા સ્વરૂપે પ્રગટ થાય છે. વાચાળ માણસો શરૂઆતમાં સારી સોબત જમાવે છે અને એમનું મિત્રવર્તુળ વાહવાહ કરવા લાગે છે, પરંતુ સમય જતાં મિત્રો-સોબતીઓ પણ તેને ઓળખી જાય છે અને ખપ પૂરતી કે સ્વાર્થ પૂરતી એને સોબત આપી પછી દૂર ચાલ્યા જતા હોય છે. બહુ બોલકા માણસ માટે એક ચીની લેખક ચુઆંગભેએ કહ્યું છે કે-“A dog is not considered a good dog, because he is a good barker. મુખરતાનો એક મોટો અવસર તે રાજદ્વારી ચૂંટણીઓના પ્રચાર વખતનો છે. દરેક ઉમેદવાર પોતાને મત મળે તે માટે સ્થળે સ્થળે ભાષણો કરતો, સભાઓને સંબોધતો ફરે છે. સતત બોલવાનો એનો એવો મહાવરો થઈ જાય છે કે તે પછી કઈ સભામાં પોતે શું બોલ્યા તેનું પણ તેને સ્મરણ રહેતું નથી. ચૂંટણીપ્રચાર વખતે લોકોને જાતજાતનાં વચનો અપાય છે, પરંતુ પછીથી એ વચનોનું પાલન થતું નથી કે ઇરાદાપૂર્વક કરવામાં આવતું નથી. પોતાનું બોલેલું ન પાળવું એ પણ એક પ્રકારનું અસત્ય છે. રાજદ્વારી પુરુષો અસત્યનો કેટલો બધો આશ્રય લે છે અને સત્યનો કેટલો બધો ઘાત કરે છે તે આપણા જાહેર જીવનમાં આપણે જોઈ શકીએ છીએ. કેટલાક માણસોને એમનો વ્યવસાય વાચાળ બનવાની ફરજ પાડે છે. બોલે તેના બોર વેચાય એ જૂનો રૂઢ પ્રયોગ આજે પણ એટલો જ સાચો છે. પોતાની ચીજવસ્તુઓની પ્રશંસા Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ વેપારીઓને વારંવાર કરવી પડે છે, પરંતુ એને લીધે જ એ પ્રશંસામાં અસત્યનો અંશ આવી જાય છે. પોતાની ચીજવસ્તુઓ ઘરાકોને વેચવા માટે જે પ્રશંસા કરવી પડે છે અથવા તે લેવા માટે બીજાના મનમાં ઠસાવવાના આશયથી વારંવાર બોલવું પડે છે એ પ્રકારની મુખરતામાં અસત્યના અંશો આવ્યા વગર રહે નહિ. જે માણસ સ્વભાવે ઓછાબોલો હોય કે વાણીનો અતિશય સંયમી હોય તેવા માણસને સેલ્સમેન તરીકે જલદી નોકરી મળે નહિ. જુદી જુદી કંપનીઓના એજન્ટોને પોતાના વ્યવસાય-પ્રચાર માટે અસત્યનો આશરો લેવો જ પડતો હોય છે. પછીથી તો અસત્ય બોલવામાં એમની શરમ નીકળી જતી હોય છે. વીમા કંપનીના એજન્ટો મૂંગા મૂંગા કામ કરીને વધુ પૉલિસી લાવી શકે નહિ. કોઈ પણ પ્રકારનો પ્રચાર ચાલુ થાય એટલે એક અથવા બીજા સ્વરૂપે અસત્ય આવી જ જાય. યુદ્ધ વખતે મુખરતાની–પ્રચારની બહુ આવશ્યકતા રહે છે. ત્યારે પ્રચારમાં અસત્ય આવી જાય છે એમ કહેવા કરતાં અસત્યનો જ પ્રચાર થાય છે એમ કહેવું વધુ યોગ્ય છે. માટે જ $2914 Truth is the first causualty in war.' જેમ વ્યવસાયમાં તેમ વ્યવહારમાં પણ કેટલાક પુરુષોને, વિશેષતઃ સ્ત્રીઓને ભાવતાલ કરતી વખતે દુકાનદાર સાથે, નોકરો કે આશ્રિતો સાથે અથવા સંતાનો કે અન્ય સ્વજનો સાથે બહુ કચકચ કરવાની ટેવ પડી જાય છે. પરિણામે સત્યનું તેઓ ખંડન કરે છે અને પોતાનું ગૌરવ ઘટાડે છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ मोहरिते सच्चवयणस्स पलिमंथू ૧૫૫ વાણીની મુખરતા સાથે માદકતા જ્યારે ભળે છે ત્યારે વાણી વધુ ખીલવા લાગે છે. કેટલાક માણસોને ન બોલવું હોય તો પણ તેમની પાસે જ્યારે બોલાવવું હોય ત્યારે બીજાઓ દ્વારા તેને માદક પીણું પિવડાવવાનો પ્રયોગ થાય છે. માદક પીણાનો નશો જ્યારે ચઢે છે ત્યારે માણસની જીભ છૂટી થઈ જાય છે. શરૂઆતમાં તે કંઈ ચબરાકીભરેલું અને બીજાને હસાવે એવું વાચાળ બોલવા લાગે છે. પણ પછી જેમ જેમ નશો ચઢતો જાય છે તેમ તેમ એવા વાચાળ માણસ વધુ વાચાળ બને છે અને ન બોલવાનું બોલી બેસે છે. ક્યારેક અશ્લીલ શબ્દો પણ બોલવા લાગે છે. માણસ પોતાના સ્વજનો, સગાંઓ, સંબંધીઓ, ધંધાદારી કે સામાજિક કે રાજદ્વારી સંબંધો વિશે પોતાના આંતરમનમાં પડેલા ગુપ્ત અભિપ્રાયો કે વિચારો પ્રગટ કરી દે છે. તેના મનનો બધો કચરો બહાર આવે છે. કેટલીક વાર માણસની ખાનગી વાત કઢાવવા માટે એને વધુ શરાબ પિવડાવી દેવામાં આવે છે. એથી જ રાજદ્વારી નેતાઓ એકબીજાના દેશમાં વાટાઘાટો કરવા માટે જ્યારે જાય છે અને શરાબ પીવાના તેઓ શોખીન હોય છે તો તે પીવામાં તેમને બહુ સંભાળવું પડે છે. દુનિયાના ઘણા દેશોમાં સાંજે ભોજન પહેલાં શરાબ પીવાની પ્રથા હોય છે, કારણ કે શરાબના ઘેન પછી માણસ ઘસઘસાટ ઊંઘી જાય છે. આથી કેટલીક કંપનીઓના એજન્ટો જ્યારે વિદેશમાં સોદો કરવા જાય છે ત્યારે સાંજના શરાબ સહિતના ભોજન પછી કોઈ ધંધાદારી Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ વાટાઘાટ ન કરવાની સલાહ તેમની કંપની તરફથી આપવામાં આવે છે, કારણ કે શરાબ પછી વાચાળતા ચાલુ થાય તો ઉત્સાહમાં આવી જઈને એજન્ટ ગમે તે દરખાસ્ત કબૂલ કરી નાખે જે કંપનીને માટે નુકસાનકારક હોય. જે માણસો વાચાળ હોય છે એ માણસોને વૃદ્ધાવસ્થામાં એમની વાચાળતા જો રોગરૂપે પરિણમે છે ત્યારે તે ઘણા અનર્થ ફેલાવે છે. તેઓ જ્યારે અનૌપચારિક વર્તુળમાં બોલબોલ કરતા હોય છે ત્યારે તેમનાં સ્વજનો કે મિત્રો અટકાવી શકે છે. પરંતુ આવી વ્યક્તિ જાહેર જીવનમાં હોય અને મંચ ઉપરથી બોલવાની હોય ત્યારે પોતે કેવું અને કેટલું બોલે છે તેનું એમને પોતાને પણ ભાન રહેતું નથી. એમના મગજમાં વિચારો સતત ઊભરાયા કરતા હોય છે અને બોલતા તેઓ થાકતા નથી. કેટલાક સારા વ્યાખ્યાતાઓ પોતાની યુવાનીમાં પોતાના સરસ વક્તવ્યને કારણે ઠેરઠેર પ્રશંસા પામે છે, પરંતુ એ જ વ્યાખ્યાતાઓ વૃદ્ધાવસ્થામાં બોલવા ઊભા થાય ત્યારે તેમના લાંબા વક્તવ્યના કારણે તેમને અધવચ્ચેથી બેસાડી દેવામાં આવે છે. કાર્યક્રમના વ્યવસ્થાપકોની ચિઠ્ઠીના તેઓ વારંવાર ભોગ બને છે. રાણી વિક્ટોરિયાએ ગ્લૅડસ્ટન માટે અભિપ્રાય આપતાં કહ્યું હતું કે-He speaks to me as if I am a public meeting. મુખરી માણસોને એક ટેવ એવી પડી જાય છે કે જ્યારે તેઓ પ્રશંસા કરવા બેસે છે ત્યારે તેમાં અતિશ્યોક્તિનો પાર Page #166 -------------------------------------------------------------------------- ________________ मोहरिते सच्चवयणस्स पलिमंथू નથી હોતો, કારણ કે જીભમાં હાડકું હોતું નથી. તેઓ નિંદા ક૨વા બેસે છે તો તેમાં પણ અતિરેક એટલો જ થતો હોય છે. કેટલાક મુખરી માણસો પ્રશંસા અને નિંદા બંનેમાં અત્યંત કુશળ હોય છે અને પ્રસંગાનુસાર કાં તો પ્રશંસાનો અને કાં તો નિંદાનો ધોધ એક જ વ્યક્તિ કે વિષયને માટે વહેવડાવી શકે છે. આવા મુખરી માણસોના સાચા અભિપ્રાયને પામવાનું કે એના આંતરમનને સમજવાનું કે પારખવાનું અઘરું હોય છે. કેટલીક વાર તો તેઓ પોતે પોતાની જાતને બરાબર સમજી શક્યા છે કે નહિ તેની તેમને પોતાને ખબર હોતી નથી. કેટલાક ચિંતકો કહે છે કે જો કોઈ વ્યક્તિ તમારે મોઢે તમારી અતિશય કૃત્રિમ પ્રશંસા કરવા લાગે તો સમજવું કે એના હ્રદયમાં કે અસંપ્રજ્ઞાત ચિત્ત (subconcious mind) માં તમારે માટે એટલો જ ધિક્કાર પડેલો છે. એ ધિક્કારને છુપાવવા માટે તેનું વાચાળપણું પ્રશંસારૂપે પ્રગટ થાય છે. માટે એવા માણસોથી સાવધ રહેવાની અને એમની પ્રશંસાથી ભોળવાઈ ન જવાની સલાહ આપવામાં આવે છે. જે માણસ ઘડીકમાં પ્રશંસા અને ઘડીકમાં નિંદા એમ બંને રીતે પોતાની વાણીને વાપરી જાણે છે એવા માણસો બે જીભવાળા કહેવાય છે. સર્પને બે જીભવાળો દ્વિજિવ કહેવામાં આવે છે, કારણ કે સાપની જીભમાં ફાટ હોય છે. પરંતુ સંસ્કૃત સુભાષિતકારે કહ્યું છે તેમ સાપ તો ક્યારેક જ કરડે છે, પરંતુ બે જીભવાળો દુર્જન વાચાળ માણસ તો ડગલે ને પગલે કરડે ૧૫૭ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ છે અને સત્યનું ખંડન કરે છે. મુખરી માણસને ચાવી ચડાવવાનું સહેલું હોય છે. કેટલાક સ્વાર્થી, મીંઢા માણસો પોતે બોલતા નથી હોતા, પરંતુ વાચાળ માણસની ખુશામત કરીને, પ્રલોભનો આપીને, ચાવી ચઢાવીને એની પાસે પોતાની ઇચ્છા પ્રમાણે બોલાવડાવે છે. એવે વખતે વાચાળ માણસોને, પોતે બીજાના હાથા બની જાય છે એનો ખ્યાલ આવતો નથી. મીંઢા માણસ મૂંગા રહીને પોતાના સ્વાર્થનું કામ વાચાળ માણસો પાસે કરાવી લે છે. પરંતુ જ્યારે ખરાબ પરિણામ ભોગવવાનો વખત આવે છે ત્યારે વાચાળ માણસનો ભ્રમ તૂટી જાય છે. સત્યના પણ હિત, મિત અને પથ્ય એવા ગુણો બતાવવામાં આવે છે. સત્ય હિતકારી, મિતસ્વરૂપી અને બીજાને તે ગ્રાહ્ય તથા પથ્ય હોય એવું બોલવું જોઈએ. જૈન સાધુ ભગવંતો માટે ભગવાને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલન પર બહુ ભાર મૂક્યો છે. એ આઠને અષ્ટ પ્રવચન માતા તરીકે ઓળખવામાં આવે છે. સાધુ ભગવંતોએ સંયમની આરાધના માટે આ સમિતિ-ગુપ્તિનું બહુ જયણાપૂર્વક પાલન કરવાનું હોય છે. એમાં પાણીનું મહત્ત્વ કેટલું બધું છે તે સમિતિ ને ગુપ્તિ એમ બંનેમાં એને સ્થાન આપવામાં આવ્યું છે તે પરથી જોઈ શકાશે. પાંચ સમિતિમાં એક સમિતિ તે ભાષા સમિતિ છે અને ત્રણ ગુપ્તિમાં એક ગુપ્તિ તે વચનગુપ્તિ છે. આમ ભાષા અને Page #168 -------------------------------------------------------------------------- ________________ मोहरिते सच्चवयणस्स पलिमंथू ૧૫૯ વચનના સંયમ ઉપર ભગવાને સાધુ-ભગવંતો માટે સવિશેષ ભાર મૂક્યો છે. વળી ભગવાને શું કરવાથી પાપકર્મ ન બંધાય એ માટે આપેલા બોધ માટેની અર્થાત્ “જયણા' વિશેની સુપ્રસિદ્ધ ગાથામાં “નયમ્ મુંબતો મહંતો પાવમ્ મમ્ર વિશ્વ એમ કહ્યું છે. ભાસતો એટલે બોલતો. માણસ જો જયણાપૂર્વક બોલે તો તે પાપકર્મ બાંધતો નથી. આમ, ભગવાન મહાવીરે આ એક વાક્યમાં જ વાણીના સંયમનો મહિમા સમજાવી દીધો છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪ अलं बालस्स संगेणं [બાળબુદ્ધિવાળાનો સંગ ન કરવો] ભગવાન મહાવીરે વિવિધ કક્ષાના મનુષ્યને લક્ષમાં રાખીને જે વિવિધ પ્રકારનો ઉપદેશ આપ્યો છે તે સૂત્રાત્મક અને માર્મિક છે. ભગવાન મહાવીરનાં એવાં સેંકડો-હજારો ઉપદેશ-વચનો આગમગ્રંથોમાં સચવાયેલાં છે. આચારાંગ સૂત્રના પ્રથમ સ્કંધના બીજા અધ્યયનમાં, પાંચમા ઉદ્દેશમાં ભગવાન મહાવીરનું વચન ટાંકતાં કહેવાયું છેઃ ‘ઊભું વાનસ્ત્ર સંમેŕ' અર્થાત્ બાળકબુદ્ધિના અર્થાત્ મૂર્ખ, અજ્ઞાની, અયોગ્ય અથવા અપાત્ર માણસોનો સંગ કરશો નહિ, કારણ કે સામાન્ય રીતે સંગનો રંગ લાગ્યા વગર રહેતો નથી. ખરાબ સંગનું પરિણામ છેવટે માણસને ભોગવવાનો વખત આવે જ છે. ભગવાન મહાવીરે લોકવિજય મેળવવા માટે પોતાના સાધુઓને જે બોધ આપ્યો છે તેમાં પ્રમાદી, લોભી, અભિમાની, ભોગી, માયાવી વગેરે પ્રકારના મનુષ્યોનો સંસર્ગ ન કરવાની સાથે સાથે જે વયની દૃષ્ટિએ બાળક નહિ પણ ધાર્મિક કે આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ તથા ચારિત્રપાલનમાં જેઓ હજુ બાળક જેવાં હોય તેનો સંગ ન કરવા કહ્યું છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ अलं बालस्स संगेणं સત્સંગનો લાભ ઘણો મોટો છે. સત્સંગ સંસારસાગર તરવામાં નૌકા સમાન નીવડે છે. પરંતુ પોતાને સત્સંગનો અવકાશ ન મળે ત્યારે પણ માણસે કુસંગથી બચવા માટે સાવધ રહેવું જોઈએ. મનુષ્ય સામાજિક પ્રાણી છે. એકલા રહેવું એને ગમતું નથી. લોકો વચ્ચે જીવવું, લોકોમાં હ૨વુફરવું. મૈત્રી બાંધવી, રાત-દિવસ સાથે રહેવું ઇત્યાદિ માણસને સ્વભાવથી જ ગમે છે. જ્યાં સુધી માણસ ભૌતિક સુખની પાછળ પડ્યો છે, ત્યાં સુધી તેને અનેક લોકો સાથે સંબંધો બાંધવાનું અને રાખવાનું ગમે છે. કેટલીક વાર એની જરૂરિયાત અને વ્યવહારુ ઉપયોગિતા રહે છે. જેમ સંબંધો કે ઓળખાણ વધારે તેમ માણસ પોતાની જાતને વધુ સુરક્ષિત અને વધુ મોટો માને છે. પરંતુ આવા સંબંધો કેટલીક વાર ભૌતિક દૃષ્ટિએ પણ માણસને હાનિકારક નીવડે છે. આત્મહિતની દૃષ્ટિએ તો એનો વિચાર જુદી જ રીતે ક૨વાનો રહે છે. કેટલાક માણસો આધ્યાત્મિક દૃષ્ટિએ જ્ઞાની હોય છે, પણ તેમનું વ્યાવહારિક જ્ઞાન ઘણું અલ્પ હોય છે. તો કેટલાક માણસોની વ્યાવહારિક જાણકારી ઘણીબધી હોય છે, પરંતુ આધ્યાત્મિક કે પારમાર્થિક દૃષ્ટિએ તેઓ બાળ કે અજ્ઞાની હોય છે. ભૌતિક હોય કે પારમાર્થિક હોય, માણસે અજ્ઞાની કે મૂર્ખ માણસો સાથે સંબંધ રાખતા પહેલાં બહુ વિચાર કરવો જોઇએ. જે સંબંધથી પોતાને લાભ કરતાં હાનિ વિશેષ થવાની હોય ૧૬૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ એ સંબંધ તરત ત્યજી દેવો જોઇએ. ક્યારેક આરંભમાં અન્ય વ્યક્તિની પાત્રતા કે તેના ઇરાદાની ખબર હોતી નથી. કેટલાક માણસો પ્રથમ મુલાકાતે સારા-ડાહ્યા અને ભલા જણાતા હોય છે. અથવા તેવા દેખાવાનો સરસ અભિનય કરી શકતા હોય છે, પરંતુ સંસર્ગમાં આવ્યા પછી તેઓ કેટલા લુચ્ચા, લોભી, સ્વાર્થી અને કપટી છે તેની ખબર પડે છે. કેટલાક માણસો સ્વભાવે તામસી પ્રકારના હોય છે અને પોતાના સંસર્ગમાં આવનારને પોતાના સ્વભાવનો ચેપ લગાડ્યા વગર રહેતા નથી. કેટલાક માણસો દારૂ, જુગાર, ચોરી, પરસ્ત્રી વગેરેનાં એવાં વ્યસનોમાં એટલા બધા ડૂબી ગયા હોય છે કે તેમના સંપર્કમાં આવનારને તેઓ ગમે તેવા દાવપેચ ખેલીને પણ પોતાના જેવા બનાવ્યા વગર રહેતા નથી. સરખે સરખામાં હોય મૈત્રી એ ન્યાયે એકબીજાને એકબીજાના સગુણોનો કે વ્યસનનો ચેપ લાગે છે. સારી સોબત સારા સંસ્કારમાં પરિણમે છે. જ્યારે સોબતીઓ વચ્ચે કક્ષાભેદ હોય છે ત્યારે કેટલીક વાર ઊંચી કક્ષાના માણસોની અસર નીચી કક્ષાના માણસો ઉપર થાય છે. કેટલીક વાર નીચી કક્ષાનાં માણસોની અસર ઊંચી કક્ષાના માણસો ઉપર થાય છે. જેણે વિકસવું છે તેણે પોતાના કરતાં વધુ વિકસિત માણસનો સંગ કરવો જોઈએ. જેઓ બીજાને સુધારવાની ભાવનાવાળા હોય તેમણે પોતાની શક્તિનું માપ જાણી લેવું Page #172 -------------------------------------------------------------------------- ________________ अलं बालस्स संगेणं ૧૬ ૩ જોઈએ. કારણ કે એ માર્ગ જવામાં સાહસ છે, પરિણામની અનિશ્ચિતતા છે. ક્યારેક બીજાને સુધારવા જનારા માણસો છેવટે પોતે જ બગડી જતા હોય છે. વર્તમાન સમયમાં દુનિયામાં ચારે બાજુ વસ્તી વધી રહી છે. જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ રહેઠાણો, બજારો, હરવાફરવાનાં સ્થળો, યાત્રાધામો વગેરે ગીચ બનતાં જાય છે. માણસને બીજાનો સંપર્ક કે સંસર્ગ ન કરવો હોય તો પણ કરવો પડે એવા સંજોગો કેટલીક વાર ઊભા થાય છે. મોટા શહેરોમાં વ્યક્તિ ઘરેથી બહાર ગઈ હોય અને પછી આવે ત્યાં સુધી તે ક્યાં ગઈ અને કોને મળી, કોની સોબતે ચડી ગઈ છે, તેની દેખરેખ રાખવાનું અઘરું બનતું જાય છે. ક્યારેક તો પરિમામ જણાયા પછી ખબર પડે છે કે અમુક વ્યક્તિ ઘણા વખતથી ખોટા માણસોના સંસર્ગમાં રહેતી હતી. શાળા કે કોલેજમાં જનારાં પોતાના સંતાનોની અચાનક વિચિત્ર વર્તણુંક થતી જોઈને ચિંતાતુર બનતાં માબાપોને તપાસ કરતાં પાછળથી ખબર પડે છે કે પોતાનો દીકરો કે દીકરી પોતાનાં શાળા-કોલેજનાં સોબતીઓ સાથે રહીને કેફી દ્રવ્યો લેતાં થઈ ગયાં છે, ગંદી ગાળો બોલતાં શીખી ગયાં છે, વિડિયો-પાર્લરના જુગાર રમતાં થઈ ગયાં છે કે એથી પણ વધારે ભયંકર ટેવવાળાં બની ગયાં છે. પરંતુ ત્યારે એટલું બધું મોડું થઈ ગયું હોય છે કે સંતાનો હાથમાંથી ચાલ્યાં ગયાં હોય છે, અને તેઓને પોતાની જિંદગીને પાયમાલ કરી Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ - નાખતાં લાચારીથી જોયા કરવું પડે છે. સમૃદ્ધ દેશોમાં યુવાન દીકરા-દીકરીની આવી ઘટનાઓના દાખલા ઉત્તરોત્તર વધુ ને વધુ બનતા જાય છે. સંસર્ગ કે સોબતની પરસ્પર અસર કેટલી ભયંકર થાય છે તે આવાં દૃષ્ટાંતો પરથી જોઈ શકાય છે. જેમ સંતાનોના બનાવો બને છે તેમ પતિ કે પત્ની દુષ્ટ સોબતથી ખોટે રવાડે ચડી ગયાના, પૈસાથી, તબિયતથી અને ચારિત્ર્યથી પાયમાલ થઈ ગયાના બનાવો પણ વર્તમાન જગતમાં વધતા જાય છે. હોટેલો, કલબો, એકાંત રહેઠાણો, ગુખ આવાસોની વધતી જતી સગવડો તથા વેપારધંધો વધારવાની લાલચ આપવા પડતાં કે મળતાં સ્ત્રી, ધન, ભેટસોગાદના પ્રલોભનોમાં ફસાયેલા માણસોની વાત ઘરના સભ્યોને જલદી જાણવા મળતી નથી. A Sailor's wife in every port જેવી જૂની કહેવતની જેમ દેશ-વિદેશનો વારંવાર પ્રવાસ કરતા મોટી મોટી કંપનીઓના અધિકારીઓ પણ સરખા સોબતીઓ મળી જતાં અનાચારના ભોગ બને છે. કામાતુરને લજ્જા કે ભય રહેતાં નથી એવી સ્થિતિ પછી પ્રવર્તે છે; એટલું જ નહિ પણ એના માણસો પોતાના અપકૃત્ય માટે મિત્રવર્તુળમાં અભિમાન ધરાવતા થાય છે. જે સમર્થ છે અને અડગ આત્મવિશ્વાસ ધરાવે છે તેના ઉપર અપાત્ર કે કુપાત્ર વ્યક્તિની સોબતની માઠી અસર થતી નથી, બલકે આવા માણસો અયોગ્ય માણસની સોબત કરીને પણ Page #174 -------------------------------------------------------------------------- ________________ अलं बालस्स संगेणं ૧૬૫ તેને યોગ્ય બનાવે છે. તેમનું ધ્યેય સ્પષ્ટ હોય છે અને તેમની શક્તિ મોટી હોય છે. ચોર-લુટારુઓ વચ્ચે રહીને તેમની અસ૨ પોતાના ઉપર ન થવા દેતાં તેમનામાંના કેટલાયને પોતે સુધાર્યા હોય એવા મહાત્માઓનાં દૃષ્ટાંતો ઇતિહાસમાં નોંધાયેલાં છે. જાપાનના એક બૌદ્ધ ધર્મગુરુની રસિક કથા છે. તેઓ જ્ઞાની, ચારિત્રશીલ અને કરુણાવંત હતા. તેઓ પોતાના શિષ્યો સાથે એક ગામથી બીજે ગામ વિહાર કરતા હતા. એક વિસ્તારમાં તેઓ આવ્યા ત્યારે ખબર પડી કે એ વિસ્તારમાં રહેનારાં ઘણાખરા લોકો ચો૨, ડાકુ, જુગારી, વ્યસની, ઝનૂની, ખૂની વગેરે પ્રકારના છે. ખોટું કામ કરતાં કોઈને શરમ નડતી નથી. પકડાઈ જાય અને સજા થાય તો જેલમાં જવામાં પણ તેમને શરમ રહેતી નથી. ગુનેગાર કોમમાંથી સેંકડો માણસો જેલમાં પણ હતા. શિષ્યોએ મહાત્માને કહ્યું કે, આ પ્રદેશમાં રહેવાનું આપણું કામ નથી. આવા લોકોની વચ્ચે રહીએ તો આપણે પણ કોક વખત સંડોવાઈએ.' પરંતુ ધર્મગુરુને થયું કે આવા લોકની વચ્ચે જ રહેવું જોઇએ અને તેમને ઉપદેશ આપી સુધારવા જોઈએ. ધર્મગુરુએ ત્યાં જ રહેવાનું ન્કકી કર્યું. પરંતુ ઘણા દિવસ સુધી વ્યાખ્યાન દ્વારા ઉપદેશ આપવા છતાં કોઈ પરિણામ દેખાતું નહોતું. પરંતુ પછી એક દિવસ એવું વિચિત્ર બન્યું કે એક ગૃહસ્થના ઘરેથી એ મહાત્મા પોતે ચંપલ ચોરી લાવ્યા. ચોરી કરીને Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ મુકામે આવ્યા પછી તરત પોતાના શિષ્યોને, પોતાન જે કોઈ મળવા આવે તેને સહજતાપૂર્વક પોતાની ચોરીની વાત કહી દેવા લાગ્યા. શિષ્યોને આ ગમ્યું નહિ. લોકો પણ ચકિત થઈ ગયા. ચોર-લુટારુ લોકોની વચ્ચે રહેવાથી મહાત્માઓ પણ બગડે છે એવો અભિપ્રાય લોકોમાં વહેતો થઈ ગયો. શિષ્યોને વધારે નવાઈ તો એ વાતની લાગી કે ચંપલ જૂનાં હતાં. મહાત્માના પગના માપનાં નહોતાં. અને તે વાપરવાની મહાત્માને કંઈ ઇચ્છા પણ નહોતી. તો પછી મહાત્માએ આવી ચોરી કરી શા માટે? મહાત્માની ચોરીની વાત ફરતી ફરતી રાજાના કાને આવી. તે પણ વિચારમાં પડી ગયો. ચોરીના ગુના માટે મહાત્માને સજા કરવી કે નહિ તેનો પ્રશ્ન ઊભો થયો, પરંતુ મહાત્માએ સામેથી કહેવડાવ્યું કે પોતે જે ચોરી કરી છે તે માટે પોતાને કડકમાં કડક સજા થવી જોઇએ, નહિ તો લોકોમાં ખોટો દાખલો બેસશે, અને રાજા અન્યાયી છે એવી ટીકા થશે. મહાત્માની ચોરીની સજા માટે રાજ્યની અદાલતમાં કામ ચલાવવામાં આવ્યું. મહાત્માએ એ ચુકાદો હર્ષપૂર્વક સ્વીકાર્યો. તેઓ કેદમાં દાખલ થયા. સજા પૂરી થતાં મહાત્મા પોતાના ધર્મસ્થાનકે પાછા આવ્યા. મહાત્માની પ્રતિષ્ઠા લોકોમાં ઘણી ઓછી થઈ ગઈ. શિષ્યો પણ ચિંતાતુર બન્યા. એવામાં થોડાક દિવસમાં મહાત્માએ, બીજા કોઈ ગૃહસ્થને ત્યાં ગયા હતા ત્યારે ત્યાંથી પાછા ફરતાં Page #176 -------------------------------------------------------------------------- ________________ अलं बालस्स संगणं એક હાથપંખાની ચોરી કરી. મુકામે આવીને તેઓ પોતાના શિષ્યોને પોતે કરેલી ચોરીની વાત કહેવા લાગ્યા. ફરીથી એ જ પ્રમાણે રાજા સુધી વાત પહોંચી અને મહાત્માને કેટલાક દિવસની સજા થઈ. બીજી વાર કેદમાંથી છૂટીને મહાત્મા પોતાના સ્થાનકે આવ્યા. અને ફરી પાછી થોડા દિવસમાં એમણે કોઈ એક ગૃહસ્થના ઘરેથી એક નાના વસ્ત્રની ચોરી કરી. લોકોને થયું કે આ મહાત્મા ચક્રમ થઈ ગયા છે, એમને હવે ચોરીની ટેવ પડી ગઈ છે. લોકો મહાત્માને ધિક્કારવા લાગ્યા. શિષ્યોને આશ્ચર્ય એ વાતનું થતું કે પોતાના ગુરુ ચોરી કરીને તરત કબૂલ કેમ કરી દે છે ? અને ચોરી પણ કોઈ નાનકડી, નજીવી અને બિનઉપયોગી ચીજવસ્તુની કેમ કરે છે ? આવી વસ્તુ તો મહાત્મા એક માગે તો ભક્તો દસ વસ્તુ આપે એવી લોકોની ભક્તિ હતી. તેમ ન કરતાં ચોરી કરીને મહાત્માએ પોતાની અને બધા શિષ્યોની આબરૂ બગાડી નાખી છે. મહાત્મા જાણે કે ચોરી કરવાના કોઈ માનસિક રોગનો ભોગ થયા લાગે છે. આવી રીતે વખતોવખત ચોરી કરી, તરત કેદની સજા સ્વીકારી, કેટલાક દિવસ કેદમાં રહી મહાત્મા પાછા આવતા. લોકોને હવે મહાત્મા પ્રત્યે કોઈ આદર રહ્યો ન હતો. પરંતુ રાજાને અને અધિકારીઓને અવલોકન કરતાં એક વાત જણાવા લાગી હતી કે રાજ્યમાં હવે ચોરી, લૂંટ, ખૂન, વ્યભિચાર વગેરેના કિસ્સાઓ પહેલાં કરતાં ઓછા ને ઓછા Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ થવા લાગ્યા હતા. તપાસ કરતાં રાજાને જણાયું હતું કે મહાત્મા કેદમાં દાખલ થયા પછી બધા કેદીઓ સાથે હળીમળીને રહેતા અને તેમને રાતદિવસ જાતજાતનો ઉપદેશ આપતા. એને લીધે કેદની સજા પામેલા કેટલાય કેદીઓનાં હૃદયનું કાયમી પરિવર્તન થયું હતું. મહાત્મા કેદીઓને કહેતા કે તેમની સાથે કેદમાં દિવસરાત સાથે રહેવા મળે માટે જ તેઓ નાનકડી ચોરી જાણી-જોઈને કરી લેતા હતા. રાજાને, લોકોને અને મહાત્માના શિષ્યોને ખબર પડી કે મહાત્મા પોતે લોકોમાંથી ગુનાખોરી ઓછી થાય તે માટે જાણી-જોઈને નાનકડી ચોરી કરી લેતા કે જેથી કેદીઓના નિકટના સંસર્ગમાં તેઓ રહી શકે અને તેઓના જીવનને પોતે સુધારી શકે. વારંવાર કેદની સજા ભોગવીને તેમણે સમગ્ર રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ ઘણું ઓછું કરી નાખ્યું. મહાત્માની આરંભમાં ઘણી અપકીર્તિ થઈ, પરંતુ એમના આશયની અને યુક્તિની લોકોને જ્યારે ખબર પડી ત્યારે લોકોનું તે મહાત્મા પ્રત્યેનું માન ઘણું વધી ગયું. જાતે અપકીર્તિ વહોરીને લોકોને કલ્યાણના માર્ગે લઈ જવાની કરુણાભરી એમની દૃષ્ટિ હતી. ખરાબ માણસોના સંગમાં રહીને પણ પોતે ખરાબ ન થતાં, ખરાબ માણસોને સુધારવાનું ભગીરથ કાર્ય આવા મહાત્માઓ કરી શકતા હોય છે. એ માટે પોતાનામાં દઢ વિશ્વાસ, સામર્થ્ય, પૂરું આત્મબળ હોવાં જરૂરી છે. જેમ વ્યાવહારિક ક્ષેત્રે તેમ ધાર્મિક કે આધ્યાત્મિક ક્ષેત્રે પણ Page #178 -------------------------------------------------------------------------- ________________ अलं बालस्स संगेणं ૧૬૯ કુસંગને કારણે વિષમ ઘટનાઓ નથી બનતી એમ ન કહી શકાય. દુનિયાના બધા જ ધર્મના ક્ષેત્રમાં વત્તેઓછે અંશે સડો તો રહેલો છે. એમાં પણ પહેરવેશથી કે ધર્મક્રિયાથી બહુ ધાર્મિક દેખાતા માણસોનાં હૃદયમાં પણ અધાર્મિક વાસનાઓ ગુપ્ત કે સુષુપ્તપણે પડેલી હોય છે. સરખી સોબત મળી જતાં અનાચાર ચાલુ થાય છે. એવા ક્ષેત્રમાં પણ માણસે સંગત કરતાં પહેલાં સામી વ્યક્તિની પાત્રતાનો વિચાર કરી લેવો જોઈએ અને ઉતાવળે સંબંધ ન બાંધતાં થોડા અનુભવે પરીક્ષા કરીને એ સંગત વધારવી કે નહિ તેનો નિર્ણય કરી લેવો જોઈએ. માણસને જ્યાં એમ લાગે કે બાહ્ય દૃષ્ટિએ પવિત્ર દેખાતી વ્યક્તિના સંપર્કમાં આવવાથી પોતાનું નૈતિક અધ:પતન જ થવાનું છે, ત્યાં તેણે હિંમતપૂર્વક તેવી સંગત છોડી દેવી જોઇએ. ધાર્મિક કે આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ કરવાની ભાવનાવાળાએ અન્ય વ્યક્તિની ધાર્મિક કે આધ્યાત્મિક પાત્રતાનો વિચાર વધારે સૂક્ષ્મ રીતે કરવાની અપેક્ષા રહે છે. કેટલાક માણસોને તત્ત્વચર્ચામાં ઘણો રસ પડે છે, પરંતુ તેમની વૃત્તિઓ તો પાર્થિવ વિષયોમાં દોડ્યા કરતી હોય છે. એવી વ્યક્તિ સાથેના સંબંધથી તાત્ત્વિક જ્ઞાન કદાચ વધે કે ન વધે તો પણ, તેમના સ્થળ ભૌતિક રસના પ્રભાવને કારણે સંગત કરનારના પોતાનામાં ભૌતિક વાસનાઓ જાગવાનો સંભવ રહે છે. ભોજનની સ્વાદિષ્ટ વાનગીઓ, સુંદર વસ્ત્રપરિધાન, સુખવૈભવનાં Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ આકર્ષક સાધનો, સ્ત્રી, ધન વગેરેની સ્થલ કે સૂક્ષ્મ આસક્તિ, કીર્તિ–પ્રસિદ્ધિની લાલસા, લોકો ઉપરનું પ્રભુત્વ, આત્મશ્લાઘા વગેરે પ્રકારનાં લક્ષણો જેનામાં ઠાંસીઠાંસીને ભરેલાં હોય તેવા કહેવાતા મહાત્માઓ ધર્મ કે તત્ત્વજ્ઞાનની ગમે તેટલી મોટી વાતો કરે અને છટાદાર વસ્તૃત્વશક્તિને કારણે અનેક લોકોને આકર્ષે તો પણ તેવા ધર્મનેતાઓના સંસર્ગથી ધાર્મિક લાભ મેળવવાની ભાવનાવાળાને તો સ્થૂલ કે સૂક્ષ્મ પતનના માર્ગે જવાનું જ વિશેષ બને છે. કોઈ વાર એવું પણ બને કે એવા ધર્મનેતા પોતાની આત્મિક શક્તિથી ઘડીકમાં જાગ્રત થઈ, સ્વસ્થ થઈ પોતાની જાતને વધુ પતનના માર્ગે જતાં અટકાવી કે સંભાળી લઈ શકે, પરંતુ એના પ્રભાવમાં આવ્યા પછી પતનના માર્ગે ઘસડાવા લાગેલા સામાન્ય ભક્તોને માટે તેમાંથી નીકળવું અઘરું કે અશક્ય બની જાય છે. એવા કેટલાક ધર્મનેતાઓ પોતે ડૂબતા બચી જાય છે, પરંતુ એને અનુસરનારાંઓ ડૂબી જાય છે. સમર્થ માણસો પોતાનો પ્રમાદ, એટલા જ સામર્થ્યથી, દૂર કરી શકે છે. અસમર્થ માણસોનો પ્રમાદ, તેમને દુર્ગતિ તરફ ઘસડી જાય એવી સંભાવના વિશેષ જોવા મળે છે. માણસો બાળબુદ્ધિના અજ્ઞાનીઓનો સંગ કરે છે અથવા તેમનાથી એવા અજ્ઞાનીનો સંગ થઈ જાય છે, પરંતુ અપ્રમત્ત માણસો પતનના માર્ગે લઈ જનારા સંગને નિવારે છે. એટલા માટે જ ભગવાને સાધના કરવા ઇચ્છનાર સાધુઓને કહ્યું છે: Page #180 -------------------------------------------------------------------------- ________________ अलं बालस्स संगणं ૧ ૭૧ अलं बालस्स संगेणं. વિવિધ પ્રકારના સંગોમાં પોતાના જ આત્માના સંગ જેવો ઉત્તમ બીજો કયો સંગ હોય ? એટલે જ જ્ઞાની મહાત્માઓ યોગ્ય સંગ ન મળે તો નિઃસંગ રહેવાનું પસંદ કરતા હોય છે, કારણ કે એમને માટે અસંગ એ પણ એક અપેક્ષાએ ઉત્તમ સંગ છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫ असंविभागी न हु तस्स मोक्खो [અસંવિભાગી હોય તેનો મોક્ષ નથી] સમ એટલે સરખા; વિભાગ એટલે ભાગ કરનાર, અસંવિભાગી એટલે સરખા ભાગ ન કરનાર, સરખી વહેંચણી ન કરનાર. ભગવાન મહાવીરે કહ્યું છે કે, જે સંવિભાગી નથી અર્થાત્ જે પોતાનાં ધનસંપત્તિ વગેરે ભોગસામગ્રીમાંથી બીજાને સરખું વહેંચતો નથી તેવો માણસ ક્યારેય મોક્ષગતિ પ્રાપ્ત કરી શકતો નથી. ભગવાને શબ્દ પણ “સંવિભાગ” પ્રયોજ્યો છે, જે અર્થસભર છે. પોતાની લાખો-કરોડોની ધનદોલતમાંથી માત્ર બે-પાંચ રૂપિયાની કોઈને મદદ કરવી એ સંવિભાગ નથી. ઉચિત હિસ્સો એ સંવિભાગ છે. કેવી કેવી વ્યક્તિઓ મોક્ષની અધિકારી નથી બની શકતી એ માટે ભગવાન મહાવીરે કહેલું વચન દસવેકાલિક સૂત્રમાં નીચે પ્રમાણે આપવામાં આવ્યું છેઃ ये यावि चंडे मइ इढिगारवे पिसुणे नरे साहस हीणपेसणे । अदिट्ठधम्मे विणए अकोविए असंविभागी नहु तस्स मोक्खो।। [જે માણસ ક્રોધી હોય, બુદ્ધિમાં તથા ઋદ્ધિમાં આસક્ત હોય અને એનો ગર્વ કરનારો હોય, ચાડીચૂગલી કરનારો Page #182 -------------------------------------------------------------------------- ________________ असंविभागी नहु तस्स मोक्खो ૧૭૩ હોય, અવિચારી સાહસ કરનારો હોય, હીન લોકોને સેવનારો હોય, અધર્મી હોય, વિનયથી અજાણ હોય અને અસંવિભાગી હોય તેને મોક્ષ પ્રાપ્ત થતો નથી.] અસંવિભાગીનો માત્ર સાદો શબ્દાર્થ લઈએ તો તેનો અર્થ થાય છે કે જે સરખા ભાગ પાડતો નથી. વેપારધંધામાં કે માલ-મિલકતમાં વહેંચણી વખતે ભાગીદારો, સાથીઓ, કુટુંબના સભ્યો વગેરે માટે જે સરખા ભાગે પાડતો નથી અને કપટભાવથી, લુચ્ચાઈથી, સ્વાર્થદષ્ટિથી નાના-મેટા ભાગ પાડે છે તે પણ અસંવિભાગી કહેવાય છે. એવા માણસો પક્ષપાત કરવાનું અને અન્યને અન્યાય કરવાનું પાપ બાંધે છે. આવા સ્વાર્થી, પક્ષપાતી, લુચ્ચા, અન્યાય કરનારા, દંભી, અસત્યવાદી માણસોનો મોક્ષ નથી એ તો સ્પષ્ટ જ છે. પરંતુ અહીં અસંવિભાગી શબ્દનો માત્ર શબ્દાર્થ જ નથી લેવાનો. અહીં એ શબ્દ વિશાળ દૃષ્ટિથી અને વિશિષ્ટ હેતુથી પ્રયોજાયો છે. ભગવાને કહ્યું છે કે જે પોતાની ધનદોલતમાં સમાજના જરૂરિયાતમંદ માણસોનો ઉચિત હિસ્સો સ્વેચ્છાએ રાખતો નથી તેવા અસંવિભાગીનો પણ મોક્ષ નથી. જે વ્યક્તિ હિંસા આચરે, અસત્ય બોલે, ક્રોધ કરે, અભિમાન કરે, અવિનયી હોય, નિંદક હોય તેવી વ્યક્તિ મોક્ષગતિ ન પામી શકે એ તો જાણે સમજી શકાય તેવી વાત છે. સંયમ અને સદાચાર વિના જીવની ઊર્ધ્વગતિ થતી નથી. જે વ્યક્તિ પાપાચરણમાં તીવ્ર રસ લે છે તે વ્યક્તિ ઘણાં ભારે કર્મો બાંધે Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ છે અને જ્યાં સુધી તેવાં કર્મોનો ક્ષય થતો નથી ત્યાં સુધી સંસારમાંથી તેને મુક્તિ પ્રાપ્ત થતી નથી. પરંતુ અસંવિભાગી વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થતો નથી એમ કેમ કહેવાય ? આવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે, કારણ કે અસંવિભાગી બીજું કંઈ પાપ તો કરતો દેખાતો નથી. અસંવિભાગી વ્યક્તિનો મોક્ષ નથી એવો વિચાર તાત્કાલિક કદાચ કોઈકને આશ્ચર્ય ઉપજાવે એવો છે. માણસ પોતાનાં ધન-સંપત્તિમાંથી ભેટ કે દાનરૂપે બીજાને કશું ન આપે તો તેમાં એવો કયો મોટો અનર્થ થઈ જાય છે એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. માણસને પોતાની આજીવિકા સંપૂર્ણપણે પોતે જ ભોગવવાનો કાયદેસર હક્ક છે. વળી એવો હક્ક હોવો પણ જોઈએ એમ કોઈ માને તો તે માન્યતા લોકોમાં વ્યાજબી ગણાય છે, કારણ કે પોતાના પુરુષાર્થથી અને પોતાના ભાગ્યથી મેળવેલી પોતાની ધન-સંપત્તિ પોતે ભોગવવી એમાં કશું ગેરકાયદેસર નથી. પોતાની કમાણીમાંથી બીજાને આપી દેવાનું હોય તો એટલું વધારે કમાવા માટે માણસે મહેનત શા માટે કરવી ? આ વિચાર પ્રથમ દૃષ્ટિએ કદાચ સાચો ભાસે તો પણ તે યથાર્થ નથી એમ જરા ઊંડાણથી વિચારતાં સમજાશે. માણસ જે અર્થોપાર્જન કરે છે તેમાંથી સીધી કે આડકતરી રીતે રાજ્ય સરકારના કરવેરા દ્વારા કેટલીક રકમ તો અવશ્ય ચાલી જ જાય છે. રાજ્યવ્યવસ્થા માટે તે અનિવાર્ય છે. કોઈ નાગરિક તેમાંથી બચી શકતો નથી. અલબત્ત, પોતાની Page #184 -------------------------------------------------------------------------- ________________ असंविभागी न हु तस्स मोक्खो ૧૭૫ કમાણીમાંથી રાજ્યસરકારને કરવેરા દ્વારા પરાણે અને અનિચ્છાએ ધન આપવું એ એક વાત છે અને પોતાના ધનનો સ્વેચ્છાએ બીજાના ઉપયોગ માટે ત્યાગ કરવો એ બીજી વાત છે. પરંતુ ત્યાગ અને સહકારની ભાવના વિના જીવનવ્યવસ્થા, સમાજવ્યવસ્થા કે રાજ્યવ્યવસ્થા સરળતાથી ચાલી ના શકે. બાળક જ્યારે જન્મે છે ત્યારે તરત જ સ્તનપાન કરે છે. માતા અને બાળક વચ્ચે આ રીતે લેવડ-દેવડનો વ્યવહાર સ્થપાય છે. માતા કશુંક આપે છે અને બાળક કશુંક ગ્રહણ કરે છે. બાળક મોટું થાય ત્યાં સુધી તેને ખવડાવવા-પીવડાવવાની, ભણાવવાની, સાચવવાની, લગ્ન કરાવી આપવાની, નોકરીધંધે લગાડવાની જવાબદારી માતા-પિતાને માથે રહે છે. આમ એક કુટુંબના સભ્યો વચ્ચે આદાન-પ્રદાનનો સંબંધ અથવા ઋણાનુબંધ રહ્યા કરે છે. ક્યારેક કુટુંબમાં કોઈ સભ્યને એવો પ્રશ્ન થતો નથી કે બીજાને માટે હું શા માટે કશું કરું ? અથવા બીજીનું હું શા માટે કશુંક ગ્રહણ કરું ? કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનનિર્વાહ માટે જરૂરી એવી અન્ન, વસ્ત્ર, રહેઠાણ, ઔષધ વગેરે પ્રકારની તમામ ચીજ-વસ્તુઓનું ઉત્પાદન પોતે જ કરે એવું બનતું નથી. એવો આગ્રહ કોઈ રાખતું નથી અને રાખે તો તે ટકી શકે તેમ નથી. એટલા માટે જ સમાજના સભ્યો એક એકમ તરીકે પરસ્પર સહકારથી રહે છે અને જીવે છે. વળી, સમાજમાં બધા જ માણસો એક જ પ્રકારનો વ્યવસાય Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ કરે તો તે સમાજ ટકી શકે નહિ. સમાજના જુદા જુદા વર્ગો પોતપોતાની શક્તિ અને આવડત અનુસાર તથા પોતપોતાના સંજોગો અને તક અનુસાર પોતાનો વ્યવસાય મેળવી લે છે કે શોધી લે છે, ક્યારેક વ્યવસાય-પરિવર્તન પણ થયા કરે છે. પોતપોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે એમ કરવું અનિવાર્ય બની જાય છે. સમાજના વિભિન્ન વર્ગો વચ્ચે જીવનની જરૂરિયાતો અંગે આ રીતે વિભિન્ન વ્યવસાયો દ્વારા આદાનપ્રદાનની ક્રિયા સતત ચાલતી રહે છે. એમાં કોઇને ભાર લાગતો નથી. પોતપોતાને ભાગે આવેલું કામ દરેક પોતપોતાની ઇચ્છાશક્તિ અનુસાર કર્યું જાય છે. સમાજની આ વ્યવસ્થામાં સંવિભાગનો સિદ્ધાંત ઘણે અંશે વણાઈ ગયેલો હોય છે. દરેક વ્યક્તિની ઉત્પાદકશક્તિ અને ઉપભોગશક્તિ એકસરખી નથી હોતી. વળી સમાજમાં લોકોનાં બોદ્ધિક સ્તરની અને શારીરિક શક્તિની ઉચ્ચાવતા હોવાને લીધે દરેક વ્યક્તિની જીવનપર્યત ઉત્પાદનસક્તિ પણ એકસરખી નથી હોતી અને ઉપભોગશક્તિ પણ એકસરખી નથી રહી શકતી. મનુષ્ય જ્યારે સમાજની સ્થાપના કરીને તેના એક અંગરૂપે રહ્યો છે ત્યારે આવી ઉચ્ચાવચતાને કારણે પરસ્પર સહકારનો સિદ્ધાંત એના પાયામાં રહેલો હોવો જોઈએ. આ સહકારની ભાવના ન હોય તો સમાજમાં કલેશ, દ્વેષ, સંઘર્ષ વગેરે રહ્યા કરે અને સમાજ છિન્નવિચ્છિન્ન થઈ જાય. સમાજમાં બધાં જ Page #186 -------------------------------------------------------------------------- ________________ असंविभागी नहु तस्स मोक्खो ૧૭૭ માણસો વચ્ચે સમાનતાના ધોરણને જો સ્વીકારવામાં આવે અને પરસ્પર સુમેળભર્યા સહકારની ભાવના પોષાયા કરે તો સમાજવાદની એક આદર્શ સ્થિતિનું નિર્માણ થઈ શકે. એ માટે જે કર્તવ્યનિષ્ઠા જોઈએ તે તો પરસ્પર પ્રેમભાવ હોય તો જ ટકી શકે. પ્રેમભાવ હોય તો જ પોતાની માલિકીનાં ધનસંપત્તિમાં, ભોગોપભોગમાં બીજાને સંવિભાગી બનવા નિમંત્રણ આપી શકાય. જે સમાજમાં આ સંવિભાગીપણું નથી અથવા ઓછું છે તે સમાજ શુષ્ક, જડ અને નિષ્ઠાણ બની જાય છે. આમ ભો તિક દૃષ્ટિએ પણ સમાજમાં સંવિભાગીપણાની ભાવનાની આવશ્યકતા રહે છે. કોઈ પણ વ્યક્તિ પોતે પોતાના પુરુષાર્થ વડે જે જે કંઈ ધન-સંપત્તિનું ઉપાર્જન કરે છે તે એવું વ્યવસ્થિત અને ચોકસાઈભરેલું નથી હોતું કે જેથી એના જીવનનો જ્યારે અંત આવે ત્યારે એના ઉપભોગ માટે તે બધું જ પૂરેપૂરું વપરાઈ ગયું હોય અને એક કણ જેટલું ન તો ઉછીનું લેવું પડ્યું હોય કે ન તો કંઈ વધ્યું હોય. જીવનની વ્યવસ્થા જ એવી છે કે ગૃહસ્થ માણસ સંસાર છોડીને ચાલ્યો જાય છે ત્યારે કાં તો તે કંઈક દેવું મૂકીને જાય છે અને કાં તો તે કંઈક વારસો મૂકીને જાય છે. છેવટે કશું જ ન હોય તો પણ માણસના શરીર ઉપરનું વસ્ત્ર પણ તે મૂકીને જાય છે. જીવનમાં આમ બનવું અનિવાર્ય છે. ગૃહસ્થોની આ વાત તો સમજાય એવી છે, પરંતુ સાધુ-સંતોની બાબતોમાં પણ તેમ બને છે, કારણ કે તેમના Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ ગયા પછી તેમનાં વસ્ત્રો, પાત્ર, કમંડલ, ગ્રંથ તથા અન્ય ઉપકરણો તો રહી જતાં હોય છે. સંસારમાં કોઈ પણ જીવ જન્મ-જન્માત્તરની દૃષ્ટિએ એકલો જીવી શકતો નથી. એને ક્યારેક ને ક્યારેક કોઈ વસ્તુ માટે બીજા જીવોનો સહારો અવશ્ય લેવો જ પડે છે. તો બીજી બાજુ બીજાની ઉપર અનુગ્રહ કરવો એ પણ જીવનું એક મહત્ત્વનું કુદરતી લક્ષણ છે. મન, વચન અને કાયાથી બીજા જીવોને જીવવામાં સહાયરૂપ થવું એ ઉત્તમ જીવનું લક્ષણ છે. તત્ત્વાર્થ-સૂત્રમાં કહ્યું છે: “પરસ્પરોપદો ગીવીના' એટલે કે એકબીજા ઉપર ઉપકાર કરવો એ જીવોનું લક્ષણ છે. જીવો એકબીજાનો ઉપકાર લઈને જીવી શકે છે. સ્થૂળ કરતાં સૂક્ષ્મ દૃષ્ટિએ આ વિચાર વધુ સમજવા જેવો છે. એટલે જ ઉપકારબુદ્ધિ, પરાર્થકારિતા એ જીવનું એક મહત્ત્વનું લક્ષણ છે. એ લક્ષણ જેટલું વધારે વિકસિત એટલી જીવની ગતિ ઉચ્ચ. એટલે જ શાસ્ત્રકારો કહે છે કે એટલું તો નિશ્ચિત જ છે કે પરાર્થકારિતાના ગુણ વિના કોઈ પણ જીવનો મોક્ષ નથી. હરિભદ્રસૂરિએ કહ્યું છે કે જે જીવો “લોભરતિ' છે, અર્થાત મેળવવામાં જ આનંદ પામે છે, આપવામાં આનંદ નથી અનુભવતા એવા જીવો ભાવાભિનંદી જ રહેવાના. એમને સંસારમાં રખડવું જ ગમે છે, મોક્ષની રુચિ એમને થતી નથી. વહેંચીને ખાવાની, સહકાર અને સંપની ભાવનાનાં મૂળ કુટુંબજીવનમાં ઊંડાં રહેલાં છે. માતા ભૂખે રહીને પણ બાળકને Page #188 -------------------------------------------------------------------------- ________________ असंविभागी न हु तस्स मोक्खो ૧૭૯ ખવડાવે છે અને તેનો આનંદ અનુભવે છે. માતા-પિતા આખી રાત ઉજાગરો કરીને પોતાના માંદા બાળકને સાચવે છે. વૃદ્ધાવસ્થામાં સંતાનો કમાય છે અને વૃદ્ધ માતા-પિતાને બેઠાં બેઠાં ખવડાવે છે. માતા-પિતા અશક્ત કે માંદાં થયાં હોય તો સંતાનો પૂરતો સમય આપીને તેમની સંભાળ રાખે છે. (અલબત્ત ક્યાંક અપવાદ હોઈ શકે છે.) આ બધું કર્તવ્યરૂપે છે, પરંતુ તે એટલું સહજ છે કે એકંદરે કોઈને એમાં કશું શીખવાનું હોતું નથી કે કોઈને તે બોજારૂપ લાગતું નથી. ખવડાવીને ખાઓ'ની ભાવના મનુષ્યને સંસ્કારના ઉચ્ચતર સ્તર ઉપર લઈ જાય છે. બીજાને માત્ર ખવડાવવાની બાબતમાં જ નહિ પણ એની બધી જ જીવનજરૂરિયાતોની બાબતોમાં ઉદારતાથી સહકાર આપવાની ભાવના ભારતીય સંસ્કૃતિમાં પ્રાણરૂપ ગણી છે. આંગણે આવેલો અતિથિ દેવ બારબર છે- “મતિથિ દેવો ભવ.” અતિથિની બાબતમાં ભારતીય સંસ્કૃતિનો આ સર્વોચ્ચ આદર્શ છે. આવી ઉચ્ચ ભાવના વિશ્વમાં અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. અતિથિ-સંવિભાગ' એ ભારતીય સંસ્કૃતિનું એક મહત્ત્વનું ગૌરવભર્યું લક્ષણ છે. જૈન શ્રાવકોનું તો એ એક વ્રત ગણાય છે, જેમાં અતિથિના અર્થમાં સાધુ-સાધ્વીઓ ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે. ભૌતિક દૃષ્ટિએ વિકસતા જતા આધુનિક વિજ્ઞાનને કારણે, નવી નવી જીવનપદ્ધતિને કારણે, તથા નવી અર્થવ્યવસ્થાને Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ કારણે મનુષ્યમાંથી આ “અતિથિદેવો ભવ'ની ભાવના ઘણી ઘસાતી ચાલી છે. વર્તમાન વિભક્ત જીવનવ્યવસ્થા અને ઘરકામના ભારને લીધે પણ આ ભાવના લુપ્ત થવા લાગી છે. ઘેર અચાનક અજાણ્યા મહેમાન આવે અને પોતે રાજી રાજી થાય એવું હવે કેટલાં ઓછાં સ્ત્રી-પુરુષોની બાબતમાં જોવા મળે છે ! એમાં વ્યક્તિના દોષ કરતાં પરિસ્થિતિનો દોષ વધુ મોટો છે. અન્ય દેશોની જીવનપ્રણાલિકાનો પ્રભાવ ભારતીય જીવનપ્રમાલિકા ઉપર ઘણો પડ્યો છે તો બીજી બાજુ ભારતીય અતિથિ-ભાવનાનો દુરુપયોગ પણ ઘણો થયો છે. એટલે આમ બનવું સ્વાભાવિક છે. તેમ છતાં અતિથિ-સંવિભાગની ભાવના હૃદયમાં અવશ્ય સંઘરી રાખવા જેવી છે. પોતાના આહારમાંથી સાધુસંતોને ભિક્ષા-ગોચરી આપવાની ભાવનાનું રોજેરોજ પોષણસંવર્ધન કરવા જેવું છે. આંગણે આવતા અતિથિઓ-અભ્યાગતોમાં સર્વોચ્ચ સ્થાન સાચા સાધુસંતોને આપવા જેવું છે. ભારતમાં કેટલાય લોકોને રોજનો એવો નિયમ હોય છે કે પોતાના ભોજનમાં કોઈકને સહભાગી બનાવવા જોઈએ. રોજેરોજ તો મહેમાનો ક્યાંથી હોય ? તો પણ પોતાનું રાંધેલું ફક્ત પોતે જ ખાવું એ તો નરી સ્વાર્થી સંકુચિત વૃત્તિ ગણાય. એટલે ઇષ્ટદેવને પ્રતીકરૂપે કંઈક અર્પણ કરી, યજ્ઞમાં કંઈક આહુતિ આપીને પછી જમવાની પ્રથા હિંદુ પરંપરામાં છે. એવી જ રીતે કેટલાયે લોકો રોજેરોજ પહેલાં શેરીમાં ગાય કે કૂતરાને Page #190 -------------------------------------------------------------------------- ________________ असंविभागी न हु तस्स मोक्खो ખવડાવીને પછી પોતે ખાય છે. આ ભાવનાનો રૂઢાચાર તો એટલી હદ સુધી થયો કે પોતે કુટુંબના સભ્યોની સંખ્યાનુસાર માપીને રસોઈ કરે છે અને જરા પણ રસોઈ વધવી ન જોઇએ એવી વાત પોતાના ઘરમાં ન થવી જોઇએ. એટલા માટે સ્ત્રીઓ રોટલી કે રોટલો કરતી વખતે એક નાની ચાનકી વધારાની કરતી હોય છે. એનો અર્થ એ થયો કે પોતે માપીમાપીને રસોઈ કરી નથી. આ ચાનકી એ સંવિભાગનું પ્રતીક છે. સમાજમાં કેટલાયે એવા ઉદારચિત્ત મહાનુભાવો હોય છે કે જેમને પોતાને ઘે૨ કોઈ મહેમાન જમનાર ન હોય તો આનંદ ન થાય. હજુ પણ ગુજરાત, રાજસ્થાન અને બીજા પ્રદેશોમાં કેટલાયે એવા જૈન છે કે જેમનો રોજનો નિયમ છે કે રેલવે સ્ટેશન ૫૨ જઈ કોઈક અજાણ્યા સાધર્મિક ભાઈને જમવા માટે પોતાના ઘરે તેડી લાવે અને એમને જમાડ્યા પછી પોતે જમે. જે દિવસે એવી કોઈ વ્યક્તિ ન મળે તો તે દિવસે એમને ઉપવાસ થાય. વહેંચીને ખાવાના સિદ્ધાંતમાં સમાજવાદનાં મૂળ રહેલાં છે. સમાજના દરેક નાગરિકને આજીવિકાના અને ઉપભોગના એકસરખા હક્ક મળવા જોઈએ અને એકસરખી તક મળવી જોઈએ. આ એક આદર્શ ભૂમિકા છે. જ્યાં આ સ્વરૂપ સચવાતું નથી અને જ્યાં સમાજનો એક વર્ગ અતિશય ધનસંપત્તિ એકત્ર કરીને એશઆરામ કરે છે અને એ જ સમાજનો બીજો વર્ગ પેટનો ખાડો પૂરો કરવા દિવસ-રાત કાળી મજૂરી કરે છે એ સમાજમાં ઝઘડા-કલેશ, સંઘર્ષ, ખૂન, વર્ગવિગ્રહ ઇત્યાદિ ૧૮૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૨ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ આવ્યાં વગર રહેતાં નથી. એટલા માટે જ ભગવાન મહાવીરે કહ્યું છે કે જે દાન આપતો નથી, અસંવિભાગી છે, સંગ્રહખોર છે, અપ્રમાણભોગી છે તે નૈતિક દૃષ્ટિએ સમાજનો ચોર છે. તે અસ્તેય-અચોર્ય નામના મહાવ્રતનો ભંગ કરનારો છે. તે મોક્ષનો અધિકારી નથી. વર્તમાન સમયમાં ચારે બાજુ સંઘર્ષ, કલેશ, દ્વેષ, હિંસા અને અશાંતિનું વાતાવરણ વધતું હોય તેવું જોવા મળે છે. મનુષ્યની વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક કે રાષ્ટ્રીય સ્તરે રહેલી સંકુચિત સ્વાર્થવૃત્તિને કારણે આ સંઘર્ષમય અશાંત સ્થિતિ સર્જાય છે. જ્યાં જ્યાં ઉદારતા છે, પ્રેમભાવ છે, સહિષ્ણુતા છે, સહકાર છે ત્યાં ત્યાં શાંતિ અને સરળતા પ્રત્યક્ષ જોવા મળે છે. મનુષ્ય પોતાના દેશ, જાતિ, ભાષા અને ધર્મના સંકુચિત કોચલામાંથી બહાર આવી મનુષ્યમાત્રને માનવતાની દૃષ્ટિએ નિહાળે, ભૌતિક ભેદો એની દૃષ્ટિમાંથી વિગલિત થઈ જાય તો જીવન તેને માટે સ્વર્ગ જેવું બની શકે છે. માત્ર માનવતાની ભાવના કે મનુષ્ય પ્રેમની ભાવના આગળ જ અટકી ન જતાં પશુ-પંખીઓ સહિત સર્વ જીવો પ્રતિ જે લોકો પોતાની આત્મચેતનાનો વિસ્તાર અનુભવે છે તેઓને તો સૂક્ષ્મ આધ્યાત્મિક અનુભૂતિનો અવર્ણનીય આનંદ માણવા મળે છે. સંવિભાગની ક્રિયા પૂળ હોય તો પણ તેના સંસ્કાર ઊંડા પડે છે. માણસમાં દાન અને દયાનો ગુણ વિકાસ પામે છે. ગ્રહણ કરવું, મેળવવું, પ્રાપ્તિથી રાજી થવું, ઝૂંટવી લેવું-એવા Page #192 -------------------------------------------------------------------------- ________________ असंविभागी न हु तस्स मोक्खो ૧૮૩ બધા સ્થૂળ સંસ્કાર તો જીવોમાં અનાદિકાળથી રહેલા છે. એ શીખવવા માટે બહુ જરૂર રહેતી નથી. નાનું બાળક પણ પોતાની મનગમતી વસ્તુ લઈને તરત રાજી થઈ જાય છે. બીજાને આપવાનું બાળકને શીખવાડવું પડે છે. પોતાનું એક જ રમકડું હોય તો પણ બાળક રાજીખુશીથી બીજા બાળકને તે રમવા આપી શકે તો સમજવું કે તેમનામાં સંવિભાગનો ગુણ ખીલ્યો છે. આ ગુણ કેટલીક વાર ખીલ્યો હોવા છતાં સંજોગો બદલાતા ઢંકાઈ જાય છે કે ઘસાઈ જાય છે. પરંતુ વિપરીત સંજોગોમાં પણ એ ગુણ ટકી રહે એ જ એની મહત્તા છે. એ ગુણ જેમ જેમ વિકસતો જાય તેમ તેમ બીજા જીવો પ્રતિ ઉદારતા, સમાનતા વગેરે પ્રકારના ભાવો વિકસતા જાય છે. આવા ગુણો જેમ જેમ વિકસતા જાય તેમ તેમ તેની સાથે સંલગ્ન એવા અન્ય ગુણ પણ વિકસતા જાય છે. ગુણવિકાસ એ આધ્યાત્મિક વિકાસની પૂર્વભૂમિકા છે. બીજા જીવો પ્રત્યે આત્મોપમયની ભાવના જ્યાં સુધી ન આવે ત્યાં સુધી “સર્વ જીવ એ સિદ્ધસમ' એવી દૃષ્ટિ અંતરમાં સ્થિર ન થાય. એ સ્થિર ન થાય ત્યાં સુધી આધ્યાત્મિક વિકાસની શક્યતા નથી. જો એ ન હોય તો પછી મોક્ષપ્રાપ્તિની તો શક્યતા જ ક્યાંથી? એટલા માટે જ ભગવાન મહાવીરે યથાર્થ જ કહ્યું છે કે અસંવિભાગી વ્યક્તિનો મોક્ષ નથી. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬ अणुसासिओ ण कुप्पिज्जा [અનુશાસિત થતાં (કે શિક્ષા પામતાં) ક્રોધ ન કરવો] ભગવાન મહાવીર જન્મકલ્યાણકના અવસરે એમનાં અનેક વચનોમાંથી આ એક વચનનું સ્મરણચિંતન કરીએ. ભગવાન મહાવીર સ્વામીએ ‘ઉત્તરાધ્યયન’ સૂત્રના ‘વિનય’ નામના પહેલા અધ્યયનમાં શિષ્યના ગુરુ પ્રત્યેના વિનય ઉપર બહુ ભાર મૂક્યો છે અને શિષ્યને વિવિધ પ્રકા૨ની સાચી અને હિતકારી સલાહસૂચના આપી છે. એમાંની એક સલાહ એ છે કે અનુશાસિત થવામાં શિષ્યે ક્યારેય પણ ક્રોધ ન કરવો. એ ગાથા નીચે પ્રમાણે છે: अणुसासिओ ण कुप्पिज्जा खंति सेविज्ज पंडिए । खुड्डेहिं सह संसग्गिं हासं कीडं च वज्जए ।। [ગુરુ દ્વારા અનુશાસિત થતી વખતે (કે શિક્ષા પામતી વખતે) ક્રોધ કરવો નહિ. પંડિત (બુદ્ધિમાન, ડાહ્યા) શિષ્યે ક્ષમા ધારણ કરવી. ક્ષુદ્ર લોકોનો સંસર્ગ ત્યજી દેવો અને હાસ્ય-મજાક તથા એવી ચેષ્ટાઓ છોડી દેવી જોઈએ.] ‘અનુશાસન’ શબ્દમાં ‘શાસન' શબ્દ છે. એ શાસ્ ધાતુ પરથી આવેલો છે. એનો અર્થ થાય છે રાજ્ય કરવું, પ્રભુત્વ ધરાવવું, નિયમમાં કે અંકુશમાં રાખવું, શિક્ષા કરવી. અનુશાસન એટલે શિસ્તપાલન. અનુશાસિત થતાં એટલે Page #194 -------------------------------------------------------------------------- ________________ असासिओ कुपिज्जा નિયમમાં રહેતાં અથવા પોતાના ઉપર શિસ્તપાલન થતાં. અર્થવિસ્તાર કરીએ તો ‘ગુરુ દ્વારા દંડ કે શિક્ષા થતાં' એવો અર્થ લઈ શકાય. અનુશાસન એટલે કે શિસ્તપાલન (Discipline)ની આવશ્યકતા જીવનના સર્વ ક્ષેત્ર અને સર્વકાલ માટે છે. મનુષ્યોમાં ઉંમરમાં નાનામોટાપણું સદાકાળ રહેવાનું. એની સાથે શિક્ષણ, ધન, સત્તા, શારીરિક તાકાત અને સુંદરતા ઇત્યાદિનું ઉચ્ચાવચપણું પણ રહેવાનું જ. આવા વૈવિધ્યસભર જીવનમાં સંવાદ (harmony) સ્થાપવા માટે કેટલાક નિયમો બનાવવાની ફરજ પડે જ. એ નિયમોને રાજકીય સ્તરે કાયદાનું સ્વરૂપ આપી શકાય. સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક ઇત્યાદિ સ્તરે પણ નિયમોને વિવિધ પ્રકારનું રૂપ આપી શકાય. જ્યાં નિયમ કે કાયદો હોય ત્યાં બે પ્રશ્નો અવશ્ય ઉપસ્થિત થવાના. એક તે કોઈ કાયદાનો જાણતાં કે અજાણતાં ભંગ કરે તો શું કરવું ? અને બીજું તે પરિસ્થિતિ બદલાય અને નિયમ જૂનો થઈ જાય તો શું કરવું ? વળી, આ નિયમ કે કાયદાની સત્તા કોને અને કેટલી હોય? એ સત્તાનો ઉપયોગ ન કરે અથવા દુરુપયોગ કરે તો શું કરવું ? અને પરિસ્થિતિ અનુસાર નવા નિયમો કોણ ઘડે અને કોણ મંજૂર રાખે ? આમ આગળ વધતાં વધતાં અનુશાસનના ક્ષેત્રે સેંકડો પ્રશ્નો ઉદ્ભવી શકે. પરંતુ એટલું નિશ્ચિત જ છે કે કુટુંબ હોય કે વિદ્યાના ક્ષેત્રો હોય, ધંધાદારી કંપની હોય કે સરકારી ૧૮૫ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ તંત્ર હોય-દરેક માટે લખ્યા કે વણલખ્યા કેટલાયે નિયમો હોવા જરૂરી છે. અનુશાસન-શિસ્તપાલન વગર કોઈપણ તંત્ર કે વ્યવસ્થા ઝાઝો સમય ટકી ન શકે. ગેરશિસ્તને કારણે કુટુંબોમાં વિખવાદ પેદા થાય, શૈક્ષણિક ક્ષેત્રો શિથિલ થઈ જાય, વેપાર ઉદ્યોગો પાયમાલ થઈ જાય, સરકારી તંત્રમાં સત્તાની ઉથલપાથલ થાય. નાની સરખી રમતગમત માટે પણ બે જણ વચ્ચે નિયમ નક્કી કરવા પડે છે અને આંતરરાષ્ટ્રીય સંગઠનો કે બહુરાષ્ટ્રીય કંપનીઓને પણ નિયમો કરવા જ પડે છે. જેમ માનવજીવનના વિકાસ માટે અનુશાસનની જરૂર છે તેમ બીજી બાજુ નિયમનું મન વગર પાલન કરવું, નિયમમાંથી છટકબારી શોધવી, નિયમનો ભંગ કરીને સ્વેચ્છાએ શિક્ષા ભોગવી લેવી ઇત્યાદિ પ્રકારની મનોવૃત્તિ પણ માનવજાતમાં આદિકાળથી રહેલી છે, કારણ કે સ્વાર્થનો સગુણ કે દુર્ગુણ જીવમાત્રમાં રહેલો છે. એટલા માટે અનુશાસનની સમસ્યાઓ હરેક વખતે હરેક ક્ષેત્રે ભિન્નભિન્ન પ્રકારની રહ્યા કરવાની. એટલા માટે એનું નિરાકરણ વ્યક્તિગત ક્ષેત્રે કે સામૂહિક ક્ષેત્રે કેવી રીતે કરી શકાય તેની વિચારણા હંમેશાં થતી રહે છે અને રહેવી જોઈએ. એમાં કેટલાક ઉપાયો તત્કાલીન હોય છે અને કેટલાક સર્વકાલીન. ધર્મના ક્ષેત્રે ગુરુ-શિષ્યની પરંપરા ભારતીય સંસ્કૃતિમાં જેવી ઉમદા જોવા મળે છે એવી અન્યત્ર જોવા નથી મળતી. Page #196 -------------------------------------------------------------------------- ________________ अणुसासिओ ण कुप्पिज्जा ૧૮૭ ગુરુ અને શિષ્ય ભિન્નભિન્ન કુટુંબમાંથી આવતા હોવા છતાં ઊંચી કક્ષાના ગુરુ-શિષ્ય વચ્ચે પિતા-પુત્રથી પણ અધિક સંબંધ હોય છે. ગુરુ શિષ્યને શિક્ષા કરે તો તે માત્ર હિતબુદ્ધિથી જ કરે છે અને શિષ્યને પણ તે બરાબર લાગે છે. શિક્ષામાં સમતુલા જાળવવી એ ગુરુનું કર્તવ્ય છે. પોતાને થયેલી શિક્ષા માટે શિષ્યના મનમાં રોષ નથી થતો અને ન થવો જોઈએ. શિષ્ય ગુરુને છોડીને ભાગી જાય તો કોઈ એને અટકાવતું નથી, કારણ કે આ કોઈ ભૌતિક સ્વાર્થથી સ્થપાયેલો સંબંધ નથી. ત્યાગ-વૈરાગ્યની ભૂમિકા ઉપર ઉચ્ચત્તર ધાર્મિક-આધ્યાત્મિક ધ્યેયની પ્રાપ્તિ અર્થે સ્વેચ્છાએ આ સંબંધ સ્થપાયો હોય છે. ઉભય પક્ષે બીજાની પાત્રતાનો અગાઉથી વિચાર થઈ ચૂક્યો હોય છે. શિષ્યનો સમર્પણભાવ એમાં મહત્ત્વનું કાર્ય કરે છે. એથી જ ગુરુ-શિષ્યના સંબંધમાં જાતિ, કુલ, ઉમર, રૂપ, વ્યવહારુ શિક્ષણ ઇત્યાદિનો ઘણો ભેદ હોવા છતાં અને કેટલાકમાં ગુરુ કરતાં શિષ્ય ચડિયાતો હોવા છતાં આ સંબંધમાં સંવાદિતા, આનંદ, ઉત્કર્ષની ભાવના ઇત્યાદિ સારી રીતે જળવાયેલાં રહે છે. ગુરુનું શિષ્ય માટે અપાર વાત્સલ્ય ત્યાં સુધી હોય છે કે “મારો શિષ્ય મારા કરતાં સવાયો થાય.' શિષ્યા છે પરનિયમ્ એ સાચા ગુરુની ભાવના હોય છે. અને શિષ્યનો સમર્પણભાવ ત્યાં સુધી હોય છે કે ગુરુ શિષ્યને સાપના દાંત ગણવાની આજ્ઞા કરે તો પળનો પણ વિલંબ કર્યા વગર કે કશો સંશય કર્યા વગર શિષ્ય એ કરવા તત્પર બની જાય છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧ ૮૮ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ આવા વાત્સલ્યપૂર્ણ ગુરુ અને શિષ્યનું જેવું અદ્વૈત રચાય છે એવું અદ્વૈત સંસારના અન્ય સંબંધોમાં સામાન્ય રીતે જોવા મળતું નથી. ભારતીય પરંપરામાં જેવું આ અદ્વૈત જોવા મળે છે તેવું અન્ય ધર્મમાં કે પરંપરામાં જોવા નથી મળતું. ગુરુ ભગવંત શિષ્યને શિક્ષા કરે તો તેમાં એમનો હિતકારી વાત્સલ્યભાવ જ રહેલો હોય છે. એટલે ગુરુ તરફથી શિક્ષા થાય તો તેથી શિષ્ય રોષ કરવાનું કશું જ કારણ રહેતું નથી. માટે ભગવાને કહ્યું છે કે શિષ્ય એવે વખતે રોષ ન કરતાં ક્ષમાનો ભાવ ધારણ કરવો. વળી આ શિખામણને અમલમાં મૂકવી હોય તો ક્ષુદ્ર માણસોનો સંસર્ગ છોડી દેવો જોઈએ અને મજાક મશ્કરીનો પણ ત્યાગ કરવો જોઈએ, કારણ કે શુદ્ર માણસોની સોબતથી કે ચડવણીથી શિષ્યના મનમાં ગુરુ પ્રત્યે ચીડ, અભાવ, રોષ પેદા થાય છે. પોતાને યોગ્ય શિક્ષા થઈ હોય ત્યારે સાંત્વન આપનારા માણસો હલકી કોટિના ન હોવા જોઈએ, કારણ કે એમનું સાંત્વન વિષ સમાન હોય ગુરુ જ્યારે શિષ્યને ટોકે છે, અટકાવે છે, ઠપકો આપે છે કે શિક્ષા કરે છે ત્યારે તે પોતાના શિષ્યના દોષો દૂર કરવાને અર્થે જ એટલે કે શિષ્યને પરિપૂર્ણ બનાવવા માટે જ હોય છે. એમના અંતરમાં પોતાના શિષ્યને માટે અપાર લાગણી હોય છે. એટલે જ કબીરે ગુરુને માટે કુંભકારનું અને શિષ્યને માટે કુંભનું રૂપક પ્રયોજીને કહ્યું છેઃ Page #198 -------------------------------------------------------------------------- ________________ अणुसासिओ पण कुप्पिज्जा ગુરુ કુંભાર શિષ્ય કુંભ હૈ, ઘડ ધડ કાઢે ખોટ અંતર હાથ સહાર દે, બાહર વાહૈ ચોટ ઘડો ઘડતી વખતે કુંભારનો એક હાથ અંદર હોય છે ને એક હાથ બહાર હોય છે. બહારના હાથથી તે ઘડાને થપાટતો હોય છે. થપાટ મારતી વખતે એનો આશય ઘડાને ભાંગી નાખવાનો નહિ પણ ઘડાનું ખરબચડાપણું દૂર કરવાનો હોય છે. ગુરુ પણ શિષ્યને એ રીતે અંદરથી અને બહારથી ઘડે છે. શાળા, કૉલેજ કે યુનિવર્સિટીના શૈક્ષણિક ક્ષેત્રમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ એવો છે કે જેમાં શિક્ષક જ્ઞાનદાતા છે ને વિદ્યાર્થી જ્ઞાન ગ્રહણ કરનાર છે. એટલા માટે જ્ઞાનના ક્ષેત્રે વિનય-બહુમાનની અપેક્ષા ઘણી મોટી રહે છે. એમાં પણ ભારતીય પરંપરામાં આ સંબંધનું ગૌરવ ઘણું બધું છે. વળી, આ ક્ષેત્રમાં અનુશાસનની-શિસ્તની પણ એટલી જ અનિવાર્યતા છે. એટલે શિક્ષક વિદ્યાર્થીને માત્ર ગેરશિસ્ત જ નહિ, અભ્યાસની બેદરકારી માટે શિક્ષા કરે તો તે પણ વ્યાજબી જ ગણાય છે. કેટલાક વિચારકોના મતે તો શાળાના નાના વિદ્યાર્થીઓને શારીરિક માર મારવામાં પણ કશું ખોટું નથી. ‘સોટી વાગે ચમ ચમ અને વિદ્યા આવે ઘમ ઘમ' જેવી કહેવતમાં કેટલાકને યથાર્થતા અને ઉપયોગિતા સમજાય છે. નાનપણમાં ભારાડી બની ગયેલા અને માબાપને ન ગાંઠતા છોકરાઓ શિક્ષકના મારથી સીધા દોર થઈ ગયા હોય અને પછીના જીવનમાં તેઓ પોતાના શિક્ષકનો ઉપકાર હંમેશાં યાદ રાખતા હોય એવા ૧૮૯ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ અનેક કિસ્સાઓ છે. (અલબત્ત અંગ્રેજી કેળવણી આવ્યા પછી આવી ભાવનામાં અને વિચારસરણીમાં ઘણો ફેર પડી ગયો છે.) શારીરિક મારની વાત બાજુ પર રાખીએ અને ઇતર પ્રકારની શિક્ષાની વાત કરીએ તો તે પણ વિદ્યાર્થીને સ્વછંદી બની જતાં અટકાવવા માટે તે જરૂરી છે. વિદ્યાર્થીઓની એ વય એવી છે. વિદ્યાર્થીઓમાં પણ આ વાત સ્વીકૃત હોય છે. એથી જ કોઈ શિક્ષકે વિદ્યાર્થીને સજા કરી હોય એથી વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે વેર બંધાતું નથી. ઊલટાનું, “સર, યાદ છે તમે મને વર્ગની બહાર કાઢેલો?” અથવા “સાહેબ, ભૂલી ગયા, તમે મને દંડ કરેલો ? ” જેવાં અપ્રિય ઘટનાનાં વાક્યો પ્રસન્નતાપૂર્વક વિદ્યાર્થીઓ દ્વારા યાદ કરાતાં હોય તો તે શિક્ષણના વ્યવસાયમાં જ. શિક્ષક શિક્ષા કરીને ભૂલી જાય છે, પણ વિદ્યાર્થીના જીવનમાં એ એક મહત્ત્વની ઘટના બની રહે છે. એટલા માટે જ વિદ્યાર્થીઓ, શિષ્યો પોતાના ગુરુની આજ્ઞાનું સહજપણે પાલન કરે છે. એમાં શંકા કે તર્ક-કુતર્કને સ્થાન નથી. કાલિદાસે રઘુવંશમાં કહ્યું છે કે યાજ્ઞા |િ|મવિવારેuથા ગુરુજનોની, વડીલોની આજ્ઞા વિશે, તેની યોગ્યાયોગ્યતા વિશે વિચાર કે સંશય કરવાનો ન હોય. તેનો તો તરત અમલ કરવાનો હોય. કોઈપણ દેશનું લશ્કરી તંત્ર અનુશાસન વિના એક ક્ષણ પણ ચાલે નહિ. સમગ્ર સેનામાં મુખ્ય સેનાધિપતિથી સામાન્ય Page #200 -------------------------------------------------------------------------- ________________ अणुसासिओ ण कुप्पिज्जा ૧૯૧ સેનિકો સુધીની દરેક કક્ષાએ ઉપરીના આદેશને માન્ય રાખવો જ પડે. એની અવગણના કરનારને, આજ્ઞા ઉથાપનારને શિક્ષા તરત જ કરવામાં આવે. જો શિક્ષામાં વિલંબ થાય તો સેનામાં શિથિલતા આવી જાય. સામાન્ય નાગરિકો માટે ન્યાયતંત્રનો આશ્રય લેવાય છે ને ન્યાયતંત્રનો ચુકાદો આવતાં બેચાર મહિનાથી માંડીને પાંચ પંદર વર્ષ પણ લાગે. (વર્તમાન ભારતમાં તો કેટલાક ચુકાદાઓ વીસ-પચીસ વર્ષે આવે છે કે જ્યારે બીજી પેઢી આવી ગઈ હોય અને એથી જ ભારતીય જનજીવનમાં અને વિશેષતઃ રાજકારણમાં ભયંકર ગેરશિસ્ત પ્રવર્તે છે, કારણ કે માણસ શિક્ષાથી નથી ડરતો. એ સમજે છે કે શિક્ષા થતાં પાંચપંદર વર્ષ લાગવાનાં છે.) સેનામાં કોઈપણ ગુના માટે પાંચપંદર વર્ષે સજા થવાની હોય તો આજ્ઞાભંગના અનેક કિસ્સાઓ બને. યુદ્ધભૂમિ પર જવાનો અનેક સૈનિકો ઇન્કાર કરે, ને પછીથી જે સજા થાય તે પોતે ભોગવી લેશે એમ માને. પરંતુ આવી રીતે સેનાનું કાર્ય ચાલી શકે નહિ. ત્યાં આજ્ઞાભંગની તરત જ કડક સજા થતી હોવાથી આજ્ઞાભંગ થાય નહિ. આજ્ઞાપાલનના સિદ્ધાન્ત ઉપર જ કોઈપણ દેશના સંરક્ષણની ક્ષમતા રહેલી છે. એટલે જ સૈનિકો પર નાગરિકોના ન્યાયાલયમાં કામ નથી ચલાવાતું. પરંતુ અલાયદી સૈનિક અદાલતમાં કામ ચલાવાય છે. એને કોર્ટ માર્શલ કહેવામાં આવે છે. (સૈનિકોએ નાગરિકો સાથેના વ્યવહારમાં કોઈ ગુનો કર્યો હોય તોપણ નાગરિક અદાલત તેનો કિસ્સો લશ્કરી Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ૨ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ અદાલતને સોંપી શકે છે.) યુદ્ધમોરચે પ્રત્યેક ક્ષણની ગણતરી હોય છે. આક્રમણ અને સંરક્ષણની વ્યુહાત્મક ગણતરીમાં એક મિનિટ મોડું આક્રમણ થાય તો તે પહેલાં દુશ્મનનું આક્રમણ થઈ ચૂક્યું હોય અથવા પોતાના જ સૈનિકો પર પોતાનો બોમ્બમારો થવાનું જોખમ રહે છે. એટલે યુદ્ધમોરચે તો પ્રત્યેક પળનું આજ્ઞાપાલન અત્યંત મહત્ત્વનું ગણાય છે. યુદ્ધભૂમિ ઉપર તો ઉપરીના હુકમની યોગ્યયોગ્યતા વિશે વિચાર કરવાનો જ ન હોય. ખોટા કે ઉતાવળિયા હુકમથી મૃત્યુના મુખમાં જવાનું હોય, તો પણ તે પ્રમાણે, કરવાનું જ હોય. એટલા માટે જ પેલી “ચાર્જ ઓફ ધ લાઈટ બ્રિગેડ” કવિતાની પંક્તિઓ જાણીતી છે કે There is not to reason why There is but to do and die. સૈન્યમાં તો ઉપરથી નીચે સુધીની એક શૃંખલા હોય છે. એમાં વચ્ચેના તબક્કાના સેનાના માણસોની બેવડી ફરજ હોય છે. પોતાના ઉપરી અધિકારીઓના હુકમ “યસ સર’ કહીને ઉઠાવવાના અને પોતાના હાથ નીચેના સૈનિકોને હુકમો કરવાના. સૈનિક નીચેની પાયરીએથી જેમ જેમ ઉપર ચડતો જાય તેમ હુકમ ઉઠાવવાના ઓછા અને કરવાના વધુ. પરંતુ આજ્ઞાંકિતપણાની જેમ એક કલા છે તેમ ઉપરીપણાની પણ કલા છે. કેટલાકને હુકમ પ્રમાણે કામ કરતાં આવડે, પણ Page #202 -------------------------------------------------------------------------- ________________ अणुसासिओण कुप्पिज्जा ૧૯૩ હુકમ કરીને કામ કરાવતાં ન આવડે. એમ કહેવાય છે કે only those who obey well can command well. 4131241 વ્યક્તિત્વ એવું હોવું જોઈએ કે એની આજ્ઞાનો બોલ ઉઠાવવા અનેક લોકો તત્પર હોય. અનુશાસનમાં એકવર્ગ શિસ્તપાલન કરાવનાર છે અને બીજો વર્ગ તે પાલન કરનાર છે. એકની પાસે સત્તા છે અને બીજાની પાસે શરણાગતિ છે. એટલે શિસ્તપાલન કરાવનારનું મનોવલણ એક પ્રકારનું હોય છે અને પાલન કરનારનું બીજા પ્રકારનું. એકનું આપખુદ અને બીજાનું શરણાર્થીનું માનસ બની જવાનો સંભવ રહે છે. આ સંબંધમાં જ્યારે વિસંવાદ થાય છે ત્યારે સંઘર્ષ અને માઠાં પરિણામ નીપજે છે. એમાં પણ અન્ય પક્ષે તન, મન, ધનનું બળ વધુ હોય તો વસ્તુસ્થિતિ વકરે છે. પુત્રે પિતાનું ખૂન કર્યું હોય, વિદ્યાર્થીએ શિક્ષકને તમાચો માર્યો હોય કે ચેલો ગુરુની છાતી પર ચડી બેઠો હોય એવા બનાવો ક્યાં નથી બનતા? એટલે શિસ્તપાલનની વાત કરવી એ એક વાત છે અને જાતે એનો અમલ કરવો એ બીજી વાત છે. એક લેખકે કહ્યું છે § 'It is one thing to praise discipline and another to submit to it.' કેટલાક માણસો શિસ્તપાલનની આવશ્યકતા પર ભાર મૂકે છે, એની પ્રશંસા કરે છે, પરંતુ પોતાને માથે જ્યારે નિયમપાલનની વાત આવી પડે છે ત્યારે તેની વિરુદ્ધની તેઓની Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧ ૯૪ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ પ્રતિક્રિયા ચાલુ થઈ જાય છે. જેઓને શિસ્તનું પાલન કરવું પડે છે તેઓ બધા હંમેશાં હોંશથી પાલન કરે એવું નથી. વળી શિક્ષા-punishmentનો વિષય ક્યારેય પ્રિય ન થઈ શકે. માણસ પોતાના દોષોનો એકરાર કરીને એમ કહી શકે કે સારું થયું કે “મને શિક્ષા થઈ, નહિ તો હું સુધરત નહિ. મારી આખ ઊઘડી.” કોઈ એમ ન કહી શકે કે “મને શિક્ષા બહુ ગમે છે અને વારંવાર ગમે એટલા માટે વાંરવાર ભૂલ કરવાનું મન થાય છે.” ગુરુ કે ઉપરીને પણ શિક્ષા કર્યાનો તો જ સંતોષ હોય છે કે જેથી હાથ નીચેનો માણસ સુધરી શકે. ખુદ વારંવાર શિક્ષા કર્યાનો એમને શોખ કે આનંદ ન હોવો જોઈએ. હોય તો તે માનસિક વિકૃતિ છે એમ ગણાય. શિક્ષા કર્યા છતાં જો વ્યક્તિ સુધરે નહિ તો ગુરુ એને છોડી દે છે, કારણ કે એકની ગેરશિસ્ત સમસ્ત સમુદાયને બગાડી શકે છે. કેટલાક માણસો ગુરુનું, વડીલનું કે ઉપરીનું આજ્ઞાપાલન કરે, પણ તે કરતાં વાર લગાડે. એ અજાણતાં હોય અને ઇરાદાપૂર્વક પણ હોય; એ ઇચ્છાપૂર્વક હોય અને અનિચ્છાએ મન વગર પણ હોય. એમાં ઉત્સાહ હોય અથવા માત્ર વેઠ જ હોય. આજ્ઞાપાલન કરાવનાર દરેક વખતે બધું બરાબર સમજી શકે જ એમ ન કહી શકાય, કારણ કે માણસનું મન અકળ છે. પરંતુ એટલું નિશ્ચિત છે કે જ્યાં શિસ્તપાલનમાં ઉમંગ, ઉત્સાહ અને તત્પરતા નથી હોતાં ત્યાં લાંબે ગાળે વ્યક્તિને પોતાને Page #204 -------------------------------------------------------------------------- ________________ अणुसासिओ ण कुप्पिज्जा ૧૯૫ જ નુકસાન પહોંચે છે. ક્યારેક તો એ નુકસાન કેવી રીતે પોતાને પહોંચ્યું છે એની પોતાને પણ ખબર નથી હોતી. માત્ર જાણકારો જ એ વિશે જાણતા હોય છે. વડીલો કે ગુરુજનને પક્ષે એટલું અવશ્ય કહેવું જોઈએ કે દરેકે દરેક વખતે તેઓ યોગ્ય પ્રમાણમાં જ માપસર શિક્ષા કરે છે એવું નથી હોતું. ક્યારેક ચીડ, આવેગ કે ગુસ્સામાં તેઓ પોતાના સંતાનોને કે શિષ્યોને વધુ પડતી શિક્ષા કરી બેસે છે. કેટલાક પાછળથી એ માટે પસ્તાય પણ છે. આપણે ત્યાં કહેવત છે કે ચીભડાના ચોરને ફાંસીની સજા ન કરાય. એટલે ઘરમાં, વિદ્યાધામમાં, કે ધર્મસ્થાનકો ઇત્યાદિમાં પોતાના આશ્રિતોને શિક્ષા કરતી વખતે પુખ્ત વિચારણાને પૂરતું સ્થાન હોવું જોઈએ: શિસ્તપાલન, અનુશાસન, દંડશિક્ષામાં પણ વિવેકનું લક્ષણ મહત્ત્વનું ગણાયું છે. જે એ ચૂકે છે એને ભોગવવાનો વારો આવે છે. દુનિયામાં જેટલા ગુરુ હોય તે બધા જ ક્યારેય અન્યાય ન કરે, વેર ન વાળે, પૂર્વગ્રહ કે ડંખ ન રાખે એવા હોય એમ બની શકે નહિ. અંતે તેઓ પણ મનુષ્ય છે અને મનુષ્યસહજ ત્રુટિ કેટલાકમાં હોઈ શકે છે. કેટલાક વિરલાઓ જ એનાથી ઉપર ઊઠી શકે છે. એટલે કેટલાક ગુરુએ જ્યારે શિસ્તપાલનાર્થે શિક્ષા કરી હોય ત્યારે તેમાં પોતાના અંગત સ્વાર્થ, અહંકાર, પૂર્વગ્રહ ઇત્યાદિ કામ કરી જાય એવું પણ સંભવે. એ વખતે એ વિશે તેઓ સભાન હોય કે ન પણ હોય. અલબત્ત, સારા, Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ સાચા ગુરુ તો શિષ્યને જ્યારે શિક્ષા કરે ત્યારે તે એના હિત માટે જ હોય. વાત્સલ્યભાવરહિત ગુરુ શિષ્યને શિક્ષા કરવાનો નૈતિક અધિકાર ગુમાવી દે છે. શિષ્ય પોતે તો ગુસ્સો ન કરવો જોઈએ પણ પોતાના વર્તનથી ગુરુને ગુસ્સો ન કરાવવો જોઈએ. હાથ નીચેના માણસોના ગેરવર્તનથી ઉપરીઓને કે વડીલોને ક્રોધ કરવાના પ્રસંગો વારંવાર આવતા હોય છે. કેટલાક ઇરાદાપૂર્વક આજ્ઞાભંગ કરતા હોય છે. કેટલાક કામચોર કે બુઠ્ઠી બુદ્ધિના અથવા અવળી મતિના હોય છે. અડિયલ ટટ્ટ જેવા અવિનીત શિષ્યોનાં ઉદાહરણો પણ ઘણાં હોય છે. એક વાર એક વૃદ્ધ સંન્યાસી અને યુવાન અવિનીત શિષ્ય એક ગામમાં પહોંચ્યા અને એક ધર્મશાળામાં ઉતર્યા. ગુરુ થાકેલા હતા, શરીર અસ્વસ્થ હતું. બંને સૂઈ ગયા. રાત્રે ગુરુને થયું કે બહાર વરસાદ પડતો લાગે છે. એમણે ચેલાને કહ્યું, “ભાઈ, જરા બહાર જઈને જો તો કે વરસાદ પડે છે ?' ચેલાએ સૂતાં સૂતાં જવાબ આપ્યો, “મહારાજ, બહાર જવાની જરૂર નથી. હમણાં જ એક બિલાડી બહારથી અંદર આવી છે. તમારી પથારી પાસે બેઠી છે. એના શરીર પર હાથ ફેરવો. વરસાદ પડ્યો હશે તો એનું શરીર ભીનું હશે.” થોડીવાર પછી ગુરુએ કહ્યું, ‘ભાઈ, બહારથી ઠંડો પવન આવતો લાગે છે. બારણું અધું ખુલ્લું રહી ગયું લાગે છે. ઊભો થઈને જરા બંધ કરશે?” ચેલાએ કહ્યું, મહારાજ, એ માટે મારે ઊભા થવાની જરૂર નથી, તમે જ Page #206 -------------------------------------------------------------------------- ________________ अणुसासिओ ण कुपिज्जा જરા પગ લંબાવીને બારણાને લાત મારો, એટલે બંધ થઈ જશે.’ થોડી વારે ગુરુએ કહ્યું, ‘ભાઈ, મને તાવ ચડ્યો લાગે છે. જો તો મારું માથું ગરમ થઈ ગયું છે ?' ચેલાએ કહ્યું, ‘મહારાજ, તમારાં બે કામ કરી આપ્યાં. હવે ત્રીજું કામ તમારા હાથે જ કરો, કા૨ણ કે મારો હાથ તમારા માથા સુધી પહોંચી શકશે નહિ. તમારો હાથ તમારી પાસે જ છે.’ ગુરુ મોન રહ્યા, પણ આવા ચેલાને ગુરુ આશીર્વાદ આપે કે મનથી શાપ આપે ? ગુરુ વૃદ્ધાવસ્થામાં પહોંચ્યા હોય અને એકનો એક જ ચેલો હોય ત્યારે ગુરુએ કેટલી સમતા રાખવી પડે છે તે તો જેમણે અનુભવ્યું હોય તે જ વિશેષ જાણે. માણસ ઉપરીની આજ્ઞામાં હોય અને એમની આજ્ઞા ઉઠાવવા માટે શિસ્તપાલનમાં રહેવું પડે એ એક સર્વસામાન્ય પરિસ્થિતિ છે. પરંતુ જેઓ પોતાના જીવનમાં વિકાસ ક૨વા ચાહે છે તેઓએ તો પોતાની જાતને પોતાનામાં જ વશ રાખવી જોઈએ. ‘આત્માનુશાસન’ અથવા નિજશાસન એ આધ્યાત્મિક વિકાસનું મોટું અને મહત્ત્વનું પગથિયું છે. એ માટે જાત પ્રત્યે કઠોર થવાના પ્રસંગો આવે છે. જે માણસ પોતાની જાત પ્રત્યે કઠોર થઈ શકતો નથી તે જીવનમાં બહુ સિદ્ધિ મેળવી શકતો નથી. પ્રમાદ, આળસ, પ્રલોભનો ૫૨નો વિજય મનુષ્યને વિકાસની દિશામાં ત્વરિત ગતિ કરાવે છે. કોઈપણ એક કાર્યપ્રવૃત્તિ માટે માણસ પોતાનું લક્ષ્ય નક્કી કરે છે. એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એને પુરુષાર્થ કરવો પડે છે. એ પુરુષાર્થમાં જેટલી કચાશ ૧૯૭ Page #207 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ તેટલી સિદ્ધિ ઓછી મળવાની. માણસને તરવાનું શીખવું છે, સાઈકલ ચલાવતાં કે મોટરકાર ચલાવતાં શીખવું છે. આવી આવી નાની પ્રવૃત્તિથી માંડીને મોટી મોટી પ્રવૃત્તિઓ કરવી હોય, પરંતુ તે માટે મહેનત કરવામાં મન આળસી જાય, નાનાં નજીવાં કારણો મળતાં વાત મુલતવી રાખવાનું મન થયા કરે, બીજી ખાનપાનની કે આનંદ-પ્રમોદની પ્રવૃત્તિઓમાં મન ભટક્યા કરે તો તે નિશ્ચિત સમયમાં પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી ન શકે. એટલા માટે વિકાસશીલ માણસે જાત પ્રત્યે નિષ્ઠુર બનતાં શીખવું જોઈએ. ૧૯૮ કોઈક લેખકે કહ્યું છેઃ No pain, No palm; No thorns, No throne; No gall, No glory; No cross, No crown. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૭ साहीणे चयई भोए से हु चाई त्ति वुच्चई। [સ્વાધીનપણે ભોગોનો ત્યાગ કરનાર જ ત્યાગી કહેવાય છે] ભગવાન મહાવીરસ્વામીએ દશવૈકાલિક સૂત્રમાં સાધુઓને ઉદ્દેશીને જે કેટલીક માર્મિક અને હિતકર વાતો કહી છે તે સાધકના હૃદયમાં વસી જાય એવી છે. એમાં ત્યાગીનાં લક્ષણો દર્શાવતાં એમણે કહ્યું છેઃ वत्थगंधमलंकारं ईच्थीओ सयणाणि य । अच्छंदा जे न भुंजति न से चाइ त्ति वुच्चई ।। [વસ્ત્ર, સુગંધી પદાર્થો, અલંકારો, સ્ત્રી તથા શયનાદિનો ઉપભોગ જેઓ સંજોગવશાત્ કરી શકતા નથી તેઓ ત્યાગી કહેવાતા નથી.] जे य कंते पिए भोए लद्धे विप्पिट्टि कुव्वई । साहीणे चयई भोए से हु चाई त्ति वुच्चई ।। સિરસ અને પ્રિય ભોગો ઉપલબ્ધ હોવા છતાં તેના તરફ જે પીઠ ફેરવે છે અને સ્વાધીનપણે ભોગોનો ત્યાગ કરે છે તે જ ત્યાગી કહેવાય છે.] પ્રાકૃત શબ્દ “ચાઈનો અર્થ થાય છે ત્યાગી.” કોણ સાચા ત્યાગી કહેવાય અને કોણ ન કહેવાય તે અહીં બતાવ્યું છે. કેટલાક માણસોને ત્યાગી થવું પડે છે. કેટલાક સ્વેચ્છાએ ત્યાગી Page #209 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ થાય છે. ત્યાગ કરવા લાયક સ્થૂલ અને સૂક્ષ્મ એવી અનેક વસ્તુઓ છે. અહીં ઉદાહરણ તરીકે કેટલીક મોટી સ્કૂલ મુખ્ય વસ્તુઓનો નિર્દેશ કરવામાં આવ્યો છે અને તે પણ સાધુઓને લક્ષમાં રાખીને. વસ્ત્ર, સુગંધી-સુશોભનના પદાર્થો, અલંકારો, સ્ત્રીઓ (સાધ્વી માટે પુરુષો), શયન-આસન વગે૨ે ઉપકરણોનો ત્યાગ કરીને માણસ સાધુસંન્યાસી થાય છે. મુનિ તરીકે દીક્ષિત થતાં વ્યક્તિ પોતાનું ઘર છોડે છે. એ છોડવા સાથે પોતાનાં પ્રિય વસ્ત્રોનો ત્યાગ કરે છે અને સાધુસંન્યાસીનાં વિશિષ્ટ વસ્ત્રો પોતપાતાના પંથ અનુસાર ધારણ કરે છે. હવે વસ્ત્ર માટે એની પસંદગી કે વરણાગી રહેતી નથી. ગૃહત્યાગ કરવા સાથે તે સુવર્ણ-રત્ન વગેરેથી મંડિત એવા અલંકારોનો ત્યાગ કરે છે. એની સાથે તે પોતાની પત્ની (જો પરિણીત હોય તો)નો પણ ત્યાગ કરે છે. બીજી સ્ત્રીઓનો ત્યાગ પણ એમાં અભિપ્રેત છે. આમ સાધુ-સંન્યાસી એટલે કંચન અને કામિનીના ત્યાગી. સાધુ-સન્યાસી એટલે અકિંચન અને બ્રહ્મચર્યવ્રતધારી. (એ પ્રમાણે ગૃહત્યાગ કરનાર સાધ્વીનો જીવનક્રમ પણ બદલાય છે.) સાધુ થયા અને ઘ૨ છોડ્યું એટલે આખી દુનિયા એનું ઘર. આજે અહીં તો કાલે ત્યાં. સાધુએ પોતાના ઘરની માયા છોડી દીધી છે. હવે એને કોઈ ગૃહસ્થ ભક્તના ઘરની માયા પણ ન હોવી જોઈએ. સાધુ ચલતા ભલા. જ્યાં સ્થિરતા આવી ત્યાં સ્થળ, મકાન, ભક્તજનો ઇત્યાદિ માટેનો લગાવ શરૂ થઈ જાય છે. આવા ૨૦૦ Page #210 -------------------------------------------------------------------------- ________________ साहीणे चयई भोए से हु चाई त्ति वुच्चई । ૨ ૦ ૧ એક છિદ્રમાંથી ઘણાં અનર્થો ઉત્પન્ન થાય છે. માટે સાચું જ કહેવાયું છે છિપુ મન વધુ મવત્તિ સ્થિરવાસ કરનારા સાધુઓનો પોતાના સ્થાન પર પૂલ કે સૂક્ષ્મ અધિકાર ચાલુ થાય છે. કેટલીક વખત તેઓ અજાણતાં પણ એનો ભોગ બની જાય છે. સાવધ રહેવું દુષ્કર છે. પોતે સાવધ છે એવો ભ્રમ પછી ચાલુ થાય છે. ઘર છોડ્યું એટલે સાધુઓમાંથી પોતાનાં ઉપકરણોની આસક્તિ પણ નીકળી જવી જોઈએ. સરસ મજેદાર મખમલી પથારી, સુશોભિત પલંગો, આરામદાયક ખુરશીઓ, ભાતભાતનાં પગરખાં, ભોજનાદિ માટેનાં કિંમતી વાસણો-આવી આવી તમામ વસ્તુઓ સાધુઓએ છોડી દેવાની હોય છે. ઘર હોય એટલે શું શું ન હોય ? જેમ શ્રીમંતનું મોટું બાદશાહી આલીશાન ઘર તેમ તેમાં સુખ સગવડ માટે ભાતભાતની સામગ્રી રહેવાની. સુશોભનો માટે પણ એવાં ઘરોમાં કેટકેટલી નિત નવી નીકળતી મોંઘીદાટ ચીજવસ્તુઓ જોવા મળે છે. શ્રીમંતના ઘરની ચીજવસ્તુઓ સાધુની પોતાની પાસે ન હોય તો પણ ક્યાંક જોવાની તક મળે ત્યારે ગમવાનો કે વખાણવાનો ભાવ આવી જાય એ પણ સાધુજીવનની ક્ષતિ ગણાય છે. બધાંનો ત્યાગનો ભાવ એ કસરખો નથી હોતો. લાચારીમાંથી પણ ત્યાગ જન્મે છે. સશક્તિમાન્ ભવેત્ સાધુ ! જેવી લોકોક્તિમાં સાચું રહસ્ય રહેલું છે. જ્યાં સ્વેચ્છાએ હૃદયપૂર્વક ત્યાગ હોતો નથી, પણ ન છૂટકે, કર્તવ્યના ભારરૂપે, Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ પરાણે ત્યાગ કરવો પડે છે ત્યાં તેવી વ્યક્તિને સાચા અર્થમાં ત્યાગી ન કહી શકાય. માણસને ગળી વસ્તુ બહુ ભાવતી હોય, ખાવાની ઇચ્છા પણ થયા કરે, પરંતુ મધુપ્રમેહના રોગને કારણે દાક્તરે મનાઈ કરી હોય તો તેવી વ્યક્તિને ગળી વસ્તુના ત્યાગી તરીકે ન ઓળખાવી શકાય. માણસ પાસે ધન ન હોય માટે કેટલીયે વસ્તુઓ ઘર માટે વસાવી ન શકે, તો તેથી એણે એ ચીજવસ્તુનો ત્યાગ કર્યો છે એમ ન કહી શકાય. માણસને પરણવું હોય, પરંતુ કન્યા મળતી ન હોય અને ન છૂટકે કુંવારા રહેવું પડતું હોય તો એથી એને “બ્રહ્મચારી' ન કહી શકાય. ન મળી નારી, તો સહેજે બાવા બ્રહ્મચારી જેવી લોકોક્તિઓ એટલે જ પ્રચલિત છે. મોટાં શહેરોમાં નોકરી-ધંધા માટે ગયેલા અનેક પરિણીત પુરુષો એકલા રહે છે અને અનિચ્છાએ સંયમી જીવન (બધા નહિ) જીવે છે, તો તેથી તેઓને સંયમી કે બ્રહ્મચારી તરીકે ન ઓળખાવી શકાય. આવા બધા કિસ્સાઓમાં પંચેન્દ્રિયોના સુખોપભોગનો સ્થૂલ પ્રગટ ત્યાગ હોવા છતાં તેઓને સાચા અર્થમાં ત્યાગી ન જ કહેવાય. આ તો સામાન્ય માણસોની વાત થઈ. જેઓ સાધુસન્યાસી છે તેઓ બધા જ સાચા અર્થમાં ત્યાગી હોય છે એવું નથી. કેટલાયે અનાથ, એકલા હોવાથી, નિરાધાર, દુઃખી કે ઓછી અક્કલના હોવાથી અથવા કોઈકના ભોળવ્યાથી ત્યાગી થઈ દીક્ષિત થયા હોય છે. તેઓએ સ્વેચ્છાએ સમજણપૂર્વક, ભાવસહિત વસ્ત્રાદિ, અલંકારો, ઘરબાર, સગાંસ્નેહીઓનો Page #212 -------------------------------------------------------------------------- ________________ साहीणे चयई भोए से हु चाई त्ति वुच्चई । ૨૦૩ ત્યાગ કર્યો નથી હોતો. તેમને અનિચ્છાએ ત્યાગ કરવો પડ્યો. હોય છે. ફરી યોગ્ય અનુકૂળ તક મળે તો તેઓ સાંસારિક જીવન ભોગવવાની ઇચ્છા અંતરના ખૂણે ધરાવતા હોય છે. એવા દેખાતા ત્યાગીઆએ તે સાચા ત્યાગી નથી હોતા. કેટલાક સાધુસંન્યાસીઓએ સ્વેચ્છાએ સ્કૂલ દૃષ્ટિએ ઘરબાર, માલ-મિલકત, સગાંસ્વજનોનો ત્યાગ કર્યો હોય છે. આરંભમાં એમનું ત્યાગજીવન પ્રશસ્ય હોય છે. પણ પછી એમના જીવનમાં વાસનાઓનો સળવળાટ થવા લાગે છે. પોતાને જે પ્રત્યક્ષ રીતે ભોગવવા ન મળ્યું તે પરોક્ષ રીતે ભોગવવામાં તેઓ રાચે છે, તેઓ તેનો કાલ્પનિક આનંદ માણે છે. નળ રાજાનો ભાઈ પુષ્કર ફરીથી નળની સાથે ઘૂત રમતાં હારી જઈ વનમાં જાય છે તો ત્યાં પોતાનું “માનસી રાજ્ય ભોગવે છે. તે કલ્પનાએ ચડી જાય છે અને વનનાં પશુપંખીઓ, વૃક્ષો ઇત્યાદિમાં તે પોતાના રાજ્યના મંત્રીઓ, દરબારીઓ, પ્રજાજનોની કલ્પના કરે છે અને પોતે રાજ્ય ભોગવતો હોય એવો કાલ્પનિક આનંદ માણે છે. તેણે તનથી રાજ્ય છોડ્યું છે, પણ મનથી છોડ્યું નથી. એવી રીતે કેટલાક સાધુસંન્યાસીઓએ ધન-માલમિલકત, સ્ત્રી ઇત્યાદિ તનથી છોડ્યાં હોય છે, પરંતુ મનથી છોડ્યાં નથી હોતાં. એટલે જ એવા કેટલાક સાધુઓ પોતાના હસ્તક આવતી દાનની રકમ ઉપર, મંદિરની મિલકતના ટ્રસ્ટ ઉપર પોતાનું પ્રભુત્વ જમાવે છે. એમની આજ્ઞા પ્રમાણે, ઇચ્છા પ્રમાણે જ ધન ખર્ચાય છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ બેન્કની પાસબુક અને બીજા દસ્તાવેજો ૫૨ તેમની નજર ફર્યા કરે છે, હિસાબો રખાય છે. એમાં તેઓ રાચે છે. They enjoy the use of money by proxy. તેઓએ સ્ત્રીનો ત્યાગ કર્યો હોય છે, પણ કેટલીયે આજ્ઞાંકિત ભક્તાણીઓ ઉ૫૨ના પોતાના પ્રભુત્વને તેઓ મનથી માણે છે. તેઓના ચિત્તમાં ક્યારેક દુર્વિચારો ડોકિયાં કરી જતા હશે. કેટલાકે માલમિલકતનો ત્યાગ કર્યો હોય છે, પરંતુ પોતાના ઉપદેશથી સ્થપાતી સંસ્થાઓ, આશ્રમો, મકાનો, ઉદ્યાનો, શિક્ષણ સંસ્થાઓ, ગ્રંથાલયો, સંગ્રહસ્થાનો ઇત્યાદિ પરના પોતાના માલિકીપણાનો માનસિક આનંદ જતો કરી શકતા નથી. ક્યારેક તે માટે સંઘર્ષ કરવા તેઓ તૈયાર થઈ જાય છે. આવી બધી સંસ્થાઓ તે પોતાનાં માનસિક સંતાનો છે એમ તેઓ અનુભવે છે. કેટલાક તો એનાં બંધારણમાં પોતાના સર્વોપરિપણાનો અબાધિત હક દાખલ કરાવતા હોય છે. આવા કહેવાતા મહાત્માઓ ત્યાગી હોવા છતાં સાચા અર્થમાં ત્યાગી નથી હોતા. ૨૦૪ જેઓ પોતાને અત્યંત પ્રિય હોય એવા ભોગોપભોગો સ્વાધીનપણે અનાયાસ હક્કપૂર્વક પ્રાપ્ત થતા હોય અને છતાં તેના તરફ પોતાની પીઠ ફેરવે છે, સ્વેચ્છાપૂર્વક સમજણ સાથે તેનો ત્યાગ કરે છે તેઓ સાચા ત્યાગી છે. ત્યાગની સાથે વૈરાગ્યની ભાવના હોય તો જ ત્યાગ ટકે છે. એટલે જ ભક્ત કવિ નિષ્કુલાનંદે ગાયું છે કે ‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના.’ Page #214 -------------------------------------------------------------------------- ________________ साहीणे चयई भोए से हु चाई त्ति वुच्चई। ૨ ૦ ૫ વૈરાગ્યની ભાવના પણ દુઃખગર્ભિત કે મોહગર્ભિત હોય તો તે ઝાઝો વખત ટકતી નથી. વૈરાગ્યની ભાવના જ્ઞાનગર્ભિત હોય તો જ વધુ ટકે છે. જ્ઞાન પણ જો સમ્યક્ હોય તો ત્યાગવેરાગ્યનાં મૂળ ઊંડા જાય છે. વિપરીત સંજોગોમાં પણ એ મૂળને આંચ આવતી નથી. સંસારના પદાર્થોની ક્ષણભંગુરતાના સતત ચિંતનથી ત્યાગવૈરાગ્યની ભાવના દઢમૂલ થતી જાય છે. કેટલાક સંસારી માણસો પોતાની નિરર્થક વસ્તુઓનો ત્યાગ કરે છે. પરંતુ વર્તમાનમાં અને ભવિષ્યમાં ખપ લાગે એવી વસ્તુનો ત્યાગ કરતા નથી. પરંતુ ત્યાગની સાચી વૃત્તિથી પ્રેરાયેલા માણસો પોતાની જરૂરિયાત ઓછામાં ઓછી કરીને બાકીની વસ્તુઓનો ત્યાગ કરે છે. એક અપેક્ષાએ આવો ત્યાગ પ્રશસ્ય છે, પણ તે ઉત્તમ પ્રકારનો નથી. માણસ આહાર, વસ્ત્ર અને રહેઠાણની અલ્પતમ આવશ્યકતા સ્વીકારી બાકીનું બધું છોડી દે છે ત્યાં ત્યાગની ભાવના સવિશેષ પ્રગટ થાય છે. પરંતુ આવા સંજોગોમાં જો વ્યક્તિમાં પોતાનાં વસ્ત્ર, પાત્ર, ધાર્મિક ઉપકરણ ઇત્યાદિ માટે ઘેરી મમતા રહેતી હોય તો તે ઇષ્ટ નથી. માણસ દુનિયાની તમામ વસ્તુઓ છોડીને સાધુસન્યાસી બની જાય, પણ પોતાની રુદ્રાક્ષની, સ્ફટિકની કે પરવાળાંની માળા માટે કે પોતાના પ્રિય ગ્રંથ ઇત્યાદિ માટે એટલી બધી આસક્તિ હોય કે કોઈનાથી જો તે વસ્તુ જરા પણ આઘીપાછી થાય તો તે ચિડાઈ જાય, અસ્વસ્થ થઈ જાય Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨, છે. તો એનો બાહ્ય વસ્તુઓનો મોટો ત્યાગ હોવા છતાં મમતા અને રાગ ઉપર હજુ જોઈએ તેટલો વિજય મેળવાયો નથી એવો અર્થ થાય. કેટલાયે ત્યાગી સંત મહાત્માઓમાં પણ આવી સૂક્ષ્મ આસક્તિ રહેલી જોવા મળે છે. સૂક્ષ્મ આસક્તિમાંથી મુક્ત થવું એ મોટી સાધના છે. દંતકથા પ્રમાણે એક વખત જનક રાજા સાથે જ્ઞાનગોષ્ઠી કરવા માત્ર લંગોટીધારી એવા કેટલાક સંન્યાસીઓ અતિથિ તરીકે આવ્યા. એક દિવસ જ્ઞાનગોષ્ઠી કરતાં કરતાં તેઓ નદીમાં સ્નાન કરવા ગયા. તે વખતે જનક રાજાના મહેલમાં અચાનક આગ લાગી અને ધૂમાડાના ગોટેગોટા દેખાયા. એ જોઈને સંન્યાસીઓએ કહ્યું, “મહારાજ, દોડો, દોડો, આપના મહેલમાં આગ લાગી છે.” જનક રાજાએ અસ્વસ્થ થયા વિના શાંતિથી કહ્યું, “ભલે આગ લાગી. મારે ને મહેલને શું? ભલે ને બળીને ખાખ થઈ જાય. જે થવાનું હશે તે થશે. આપણે આપણી જ્ઞાનવાર્તા ચાલુ રાખીએ.” સંન્યાસીઓએ કહ્યું, નહિ, મહારાજ ! આપ ભલે ન આવો. અમારે તો દોડવું પડશે. અમારી બીજી લંગોટી મહેલમાં છે. એ બળી જશે તો અમે કરશું શું?’ એમ કહી સંન્યાસીઓ પોતાની લંગોટી બચાવવા મહેલ તરફ દોડ્યા. આ તો માત્ર દંતકથા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પરિગ્રહમાં માત્ર લંગોટી હોવા છતાં એટલી નાની સરખી વસ્તુ માટે પણ કેટલી બધી મમતા! જનક રાજાને “વિદેહી' તરીકે ઓળખાવવામાં આવે છે. તેમને Page #216 -------------------------------------------------------------------------- ________________ साहीणे चयई भोए से हु चाई त्ति वुच्चई । ૨ ૦૭ પોતાના બળી જતા મહેલ માટે ચિંતા નહોતી. તેઓ દેહથી પર હતા, માટે વિદેહી કહેવાયા. એટલે જ મહાભારતકાર વ્યાસ મુનિ પોતાના પુત્ર શુક્રદેવને જ્ઞાનપ્રાપ્તિ માટે જનક રાજા પાસે મોકલે છે. ચીજવસ્તુઓ અને ઉપકરણો ઇત્યાદિ પ્રત્યે પોતાને જરા પણ રાગ કે મમતા ન હોય એવા કેટલાક મહાત્માઓના જીવનમાં કેટલીક વ્યક્તિઓ પ્રત્યે તીવ્ર રાગ જોવા મળે છે. પોતાના નિકટના ભક્તો, અનુયાયીઓ અન્યત્ર, અન્ય મહાત્મા પાસે કે આશ્રમમાં ચાલ્યા જાય તો તેઓ ભારે ખિન્નતા અનુભવે છે. સાધુ મહાત્માઓ માં પોતાના શિષ્યવર્ગ કે ભક્તો-અનુયાયીઓ પ્રત્યે પણ રાગ ન હોવો જોઈએ. દુનિયાની બધી વસ્તુઓનો ત્યાગ ઘણો અઘરો જ છે એમાં સંશય નથી, પરંતુ એવો ત્યાગ કરનારા કેટલાક મહાત્માઓને પોતાના દેહ માટે, પોતાના નામ અને રૂપ માટે ઘણો મોહ હોય છે. બધું વળગણ છૂટી જાય છે, પણ નામરૂપનું વળગણ છૂટતું નથી. એ પણ ક્ષણભંગુર છે એવું સમજાયા છતાં એના પ્રત્યેનો મોહ છૂટતો નથી. ત્યાગની ઉચ્ચત્તમ ભાવનામાં આગળ વધતાં વધતાં પોતાના દેહ માટેની મમત્વબુદ્ધિ પણ છોડવાની છે. દેહ અને આત્માની ભિન્નતાનો અંતર્મુખ બની જેઓએ અનુભવ કર્યો છે એવા મહાત્માઓ જ દેહથી પર થઈ શકે છે. તેઓ જ ઉપસર્ગ-પરીષહ વખતે અડોલ રહે છે. તેઓએ ભયનો પણ ત્યાગ કર્યો હોય છે એટલે કે અભય હોય છે. તેઓ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ મારણાન્તિક ઉપસર્ગ વખતે પણ જીવ બચાવવા ભાગી જતા નથી, પણ આત્મોપયોગમાં હોય છે. સામાન્ય માણસો માટે ભોગ અને ઉપભોગનો આનંદ સૌથી મહત્ત્વનો છે. ભોગોપભોગમાં સ્થૂલ આનંદ છે એનો ઇન્કાર નહિ થઈ શકે. સમસ્ત જગતનો એ વાસ્તવિક અનુભવ છે. પરંતુ ભોગોપભોગના આનંદ કરતાં તેને ત્યાગનો આનંદ ચડિયાતો છે એ સમજવા માટે અને અનુભવવા માટે યોગ્ય પાત્રતાની અપેક્ષા રહે છે. એવી પાત્રતા સામાન્ય સરેરાશ જીવોમાં હોતી નથી. પંચેન્દ્રિયના વિષયોના ભોગોપભોગમાં અપાર વૈવિધ્ય રહેલું છે. એટલે એના આનંદમાં પણ વૈવિધ્ય હોય તે સમજી શકાય એમ છે. આ આનંદ સ્કૂલ અને સપાટી ઉપરનો હોવા છતાં પણ એમાં ઉત્કટતાની ભિન્ન ભિન્ન કક્ષા હોય છે. એ આનંદની અનુભૂતિમાં પણ તરતમતા રહેલી છે. પરંતુ આ આનંદ કરતાં પણ ત્યાગનો આનંદ ચડિયાતો છે. એ આનંદ સ્કૂલ નહિ પણ સૂક્ષ્મ પ્રકારનો છે. નાનાં બાળકો રમતાં હોય છે ત્યારે કોઈક બાળકને પોતાના રમકડાં માટે લડતું, ઝઘડતું, રડતું નિહાળવા મળે છે. રમકડાં માટેનો મમત્વભાવ અને એ રમવાના આનંદનો ભાવ એને માટે અત્યંત મહત્ત્વનો છે. પરંતુ એવી રીતે લડતાં-ઝઘડતાં બાળકોમાં પણ કોઈ સમજુ બાળક પોતાનું વહાલું રમકડું પોતાના મિત્રને રમવા આપીને જે આનંદ અનુભવે છે એ સમયની એના ચહેરાની રેખાઓ નિહાળવા જેવી હોય છે. ત્યાગીને Page #218 -------------------------------------------------------------------------- ________________ साहीणे चयई भोए से हु चाई त्ति वुच्चई। ૨૦૯ ભોગવવાનો આનંદ ત્યાં રહેલો છે. આવી રીતે પુખ્ત વયની વ્યક્તિ પણ એવો કે એથી વિશેષ આનંદ વસ્તુનો ત્યાગ કરીને અનુભવી શકે છે. સાચા દાતાઓ દાન આપીને હર્ષ-રોમાંચ અનુભવે છે. પોતાની પાસેની વધારાની વસ્તુઓ બીજાને આપ્યાનો આનંદ અવશ્ય છે, પરંતુ પોતાની કામની વસ્તુ બીજાને આપીને પોતે એનાથી સપ્રેમ વંચિત રહેવાનો આનંદ વધુ સૂક્ષ્મ અને ચડિયાતો છે. અનુભવે જ એ સમજાય એવો છે. આમ વસ્તુનો ત્યાગ કરવાનું કદાચ અઘરું ન હોય, પણ વસ્તુ પ્રત્યેની આસક્તિ કે વાસના છોડવાનું ઘણું અઘરું છે. એટલે જ પરિગ્રહને મૂર્છા તરીકે ઓળખાવવામાં આવે છે. પોતાના સંપર્કમાં આવેલી કેટકેટલી વસ્તુઓ અને વ્યક્તિઓ માટે માણસના મનમાં પ્રેમ, અનુરાગ, મમત્વભાવ જન્મે છે અને પોષાય છે. એવી વસ્તુઓનો કે વ્યક્તિઓનો વિયોગ થતાં માણસ દુઃખ અનુભવે છે. ક્યારેક તે અસહાયતા કે નિરાધારપણું અનુભવે છે. માટે કષાયોના ત્યાગ માટેની જાગૃતિ આવશ્યક છે. સાધુસન્યાસીઓને પણ પોતાના ઉપકારી ગુરુ-ભગવંતો કે વિનયી શિષ્યનો વિયોગ સાલે છે. એવે વખતે પણ કોઈ કોઈનું નથી અને જે કાળે જે બનવાનું હોય છે તે બને જ છે એવી સમત્વબુદ્ધિ અને ચિત્તની શાન્તિ કોઈક જ્ઞાની વિરલાઓ અનુભવી શકે છે. એવું જડતાને કારણે નથી બનતું, પરંતુ પૂરી જાગૃતિને કારણે અનુભવાય છે. જ્ઞાતાદૃષ્ટાભાવ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧0 વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ આવ્યો હોય તો જ આવી અનુભૂતિ થઈ શકે છે. આપણા શાસ્ત્રગ્રંથોમાં કહ્યું છેઃ જ્ઞાની મને વિપતિઃ | પાતંજલયોગસૂત્રમાં પણ કહ્યું છે જ્ઞાનસ્ય પરીક્ષષ્ઠિા વૈરાયમ્ | ત્યાગના દ્રવ્ય અને ભાવની દૃષ્ટિએ, તથા દ્રવ્યની વિવિધતા અને ભાવની તરમરતા એમ ત્યાગના અનેક પ્રકાર સંભવી શકે છે. આવા બધા પ્રકારોમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યયુક્ત, સમ્યગદર્શનની પ્રાપ્તિ પછીનો ત્યાગ વધુ ચડિયાતો છે અને એવો ત્યાગ જીવને આત્મોત્થાનની ઉચ્ચતર, ઉચ્ચતમ ભૂમિકા પર લઈ જાય છે. તેનું જ મૂલ્ય અધ્યાત્મના માર્ગમાં રહેલું છે. એટલે જ કહેવાયું છે કેઃ त्याग एव हि सर्वेषां मोक्षसाधनमुत्तमम् । [બધાં સાધનોમાં ત્યાગ જ મોક્ષનું ઉત્તમ સાધન છે.] આમ, આત્મસાધનમાં ત્યાગનું ઘણું મહત્ત્વ હોવા છતાં જીવે ત્યાગ વૈરાગ્યમાં અટકી જવાનું નથી. આધ્યાત્મિક અનુભૂતિ માટે ત્યાંથી જ હવે શરૂ કરવાનું છે. જે મહાત્માઓ ત્યાગવેરાગ્યની નીચેની ભૂમિકા વટાવી સાધનાના ઉચ્ચતર-ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા હોય છે તેમને માટે હવે ત્યાગીને ભોગવવાની વાત પણ રહેતી નથી. ચેન ત્યક્તન મુંગીથી: I એ ઉપનિષદનું ઉપદેશ વાક્ય પણ એમને માટે નિષ્ઠયોજન બની રહે છે. ત્યાગ કર્યા પછી ત્યાગની સભાનતા ન રહેવી જોઈએ. એનો અર્થ એ નથી અસાવધાનપણું આવી જાય અને પોતે ત્યાગ કર્યો છે કે નહિ તેની ખબર ન હોવાને Page #220 -------------------------------------------------------------------------- ________________ साहीणे चयई भोए से हु चाई त्ति वुच्चई । ૨ ૧ ૧ લીધે વસ્તુ પછી ગ્રહણ થઈ જાય અને ભોગવાય. ત્યાં એવી આત્મિક જાગૃતિ હોય છે કે ત્યાગની પણ મહત્તા કે સભાનતા રહેતી નથી. જ્યાં સુધી ત્યાગની સભાનતા છે ત્યાં સુધી ત્યાગ માટેના અહંકારની શક્યતા છે. ત્યાગની સભાનતામાં માનકષાયની સંભાવના છે. ત્યાગના આનંદમાં રાચવામાં, અને ત્યાગ દ્વારા વરૂના ભોગવટામાં માયા-કષાયની સંભાવના છે. એવા મહાત્માઓ માટે ત્યાગ કરીને ભોગવવાના આનંદની પણ કોઈ મહત્તા નથી. ત્યાગ એમનાથી સહજ રીતે થઈ ગયો છે અને એના ભોગવટા પ્રત્યે એમનું લક્ષ નથી. આત્મસ્વરૂપની સહજ સમાધિના પરમાનંદમાં તેઓ લીન બની ગયા હોય છે. એટલે જ ત્યાગ કરવા દ્વારા ભોગવટાની વાત પણ એમને માટે હવે નીચેની ભૂમિકાની બની રહે છે. ત્યાગની ઉચ્ચતમ ભાવના કાર્મણ વર્ગણાના પુગલ પરમાણુઓના ત્યાગ સુધી પહોંચવી જોઈએ. “તસ્વામૃત'માં કહ્યું છેઃ यथा संगपिरत्यागस्तथा कर्मविमोचनम् । तथा च कर्मणां छेदस्तथाऽऽसन्नं परं पदम् ।। [જેમ જેમ સંગનો પરિત્યાગ થાય છે તેમ તેમ કર્મો છૂટાં પડતાં જાય છે; જેમ જેમ કર્મોનો છેદ થાય છે તેમ તેમ પરમ પદ (મોક્ષપદ) પાસે આવતું જાય છે.] Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮ माणं मद्दवया जिणे। [માનને મૃદુતાથી જીતવું ભગવાન મહાવીરે દસવૈકાલિક સૂત્રના આઠમાં અધ્યયનમાં કહ્યું છેઃ उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे।। माया मज्जवभावेण, लोभं संतोसओ जिणे ।। અર્થાત્ ઉપશમથી (ક્ષમાથી) ક્રોધનો નાશ કરવો, માનને મૃદુતાથી જીતવું, માયાને સરળતાના ભાવથી દૂર કરવી અને લોભને સંતોષથી જીતવો. ભગવાન મહાવીર સ્વામીના આ વચનમાં જેમ સાંસારિક જીવન સારી રીતે જીવવાની ચાવી રહેલી છે તેમ અધ્યાત્મમાર્ગનું ઊંડું રહસ્ય રહેલું છે. જીવ મુક્તિપથગામી કેવી રીતે બની શકે તેનું દિશાસૂચન એમાં રહેલું છે. ભગવાનની વાણી કેટલી બધી સરળ અને હૃદયસોંસરવી ઊતરી જાય એવી છે ! કેટલા ઓછા શબ્દોમાં માર્મિક વાત એમણે કરી છે ! આ ચાર વાક્યોને જ માણસ રોજ નજર સમક્ષ રાખે તો પણ એને વર્તમાન જીવનમાં અને મોક્ષમાર્ગમાં કેટલો બધો લાભ થાય ! Page #222 -------------------------------------------------------------------------- ________________ माणं मद्दवया जिणे। ૨ ૧ ૩ ભગવાને આ ગાથામાં ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર મોટા શત્રુઓને જીતવાની વાત કરી છે. એમાંથી અહીં આપણે ફક્ત “માન” વિશે વિચારણા કરીશું. ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયના પ્રત્યેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજવલન એમ ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે અને તેની છણાવટ શાસ્ત્રગ્રંથોમાં વિગતે થયેલી છે. ભગવાન મહાવીરે કહ્યું કે મૃદુતાથી માનને જીતો. હવે, તત્ત્વજ્ઞાનથી અનભિજ્ઞ, અધ્યાત્મમાં રુચિ ન ધરાવનાર પુદ્ગલાનંદી, ભવાભિનંદી સાંસારિક જીવ પ્રશ્ન કરશે કે માનને જીતવાની જરૂરી શી ? માન તો જીવનમાં જોઇએ. સ્વમાન વગર જીવાય કેમ ? સ્વમાન વગરનું જીવન એ તો ગુલામીનું બંધન. વળી માન, પ્રશંસા વગેરેથી તો બીજાની કદર થાય છે અને કદર કરવી એ તો સમાજનું કર્તવ્ય છે. માણસને પોતાની સિદ્ધિઓ માટે ગૌરવ થાય એ તો સ્વાભાવિક વૃત્તિ છે. નાના બાળકને પણ પહેલો નંબર આવે તે ગમે છે. માણસને પોતપોતાના ક્ષેત્રમાં “ટોપ ટેનમાં પોતાનું નામ આવે તો પ્રિય લાગે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એવી સિદ્ધિઓની કદર થાય છે. જો આવી કદર કરવામાં ન આવે તો સમાજ બુઠ્ઠો ન થઈ જાય ? અને માણસ આળસુ, ઉદ્યમરહિત, પ્રમાદી ન બની જાય ? એટલે પહેલી વાત તો એ કે માનને જીતવાની જરૂર શી? અને બીજી વાત એ કે માનને જીતવા માટે મૃદુતાની Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૪ વિરપ્રભુનાં વચનો ભાગ ૧- ૨ જરૂર શી ? બીજા કશાથી માનને ન જીતી શકાય ? સામાન્ય માનવીને આવા પ્રશ્નો થવા સ્વાભાવિક છે. જેમની દૃષ્ટિ ફક્ત સામાજિક અને સાંસારિક સ્તરે જ રહેલી છે અને જેઓ મુખ્યત્વે વર્તમાનને આધારે જ જીવન જીવે છે અને વર્તમાનથી પ્રભાવિત થાય છે તેઓને ભગવાનનું વચન જલદી નહિ સમજાય. જેઓ ભૂત અને ભવિષ્યનો થોડો વધુ વિચાર કરે છે, જેઓ હું કોણ છું ? જીવન પૂરું થતાં મારું શું થશે ? જે જીવો મારી નજર સમક્ષ ચાલ્યા ગયા તે જીવો હાલ ક્યાં હશે ? તેઓને મળેલાં માનપત્રોનું હવે શું કરીશું ? એ કેટલો વખત ટકશે ? આ સંસારમાં જન્મમરણરૂપી ભરતીઓટ કેમ ચાલ્યા કરે છે ? દેહથી ભિન્ન આત્મતત્ત્વ જેવું કંઈ છે ? હોય તો એનું સ્વરૂપ કેવું? એનું લક્ષ્યસ્થાન કયું? એ કેવી રીતે પમાય ?”-ઇત્યાદિ વિશે વિચાર કરે છે અને તત્ત્વગવેષણા કરવા લાગે છે તેને સમજાય છે કે કંઈક એવું તત્ત્વ છે કે જે જીવને જન્મમરણના ચક્રમાં પકડી રાખે છે અને કંઈક એવું તત્ત્વ છે કે જે જીવને મુક્ત બનાવે છે. એવાં તત્ત્વોમાં રાગ અને દ્વેષ મુખ્ય છે. એનો વિગતે વિચાર કરીએ તો ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય મુખ્ય છે. જે જીવ અધ્યાત્મમાર્ગ ઉપર ચડતો ચડતો છેવટે કષાયોમાંથી મુક્તિ મેળવે છે તેજ મોક્ષગતિ પ્રાપ્ત કરે છે. એટલે જ કહેવાયું છે કે ઋષાયમુ9િ: ત્નિ મુરિવા હવે બીજો પ્રશ્ન સામાન્ય માણસને એ થાય કે મૃદુતાથી Page #224 -------------------------------------------------------------------------- ________________ माणं मद्दवया जिणे। ૨ ૧૫ માનને કેવી રીતે જીતાય ? પણ એ માટે માનનું અને મૃદુતાનું સ્વરૂપ સમજવું જોઈશે. મૃદુતાની વ્યાખ્યા આ રીતે અપાય છે : મૃોર્માવ: માર્વિવત્ | મૃદુતાનો ભાવ એનું નામ માર્દવ. મૃદુતા અથવા કોમળતા એ આત્માનો સ્વભાવ છે. પરંતુ જ્યારે આત્મસ્વભાવમાં મૃદુતા દબાઈ જાય છે ત્યારે કર્કશતા, કઠોરતા, અક્કડપણું, અભિમાન પ્રગટે છે. એ માનકષાયનું જ બીજું નામ અથવા સ્વરૂપ છે. શાસ્ત્રકારે કહ્યું છે. जात्यादिमदावेशादभिमानाभावो मार्दवं मानतिर्हरणम् । [ જાતિ આદિ મદોથી આવેશમય થયેલા અભિમાનનો અભાવ કરવો તે માર્દવ છે. માર્દવ એટલે માનનો નાશ.] ધર્મનાં જે દસ લક્ષણ ગણાવવામાં આવે છે તે આ પ્રમાણે છેઃ (૧) ક્ષમા, (૨) માર્દવ, (૩) આર્જવ, (૪) શૌચ, (૫) સત્ય, (૬) સંયમ, (૭) તપ, (૮) ત્યાગ, (૯) આકિંચન્ય, (૧૦) બ્રહ્મચર્ય. આ દરેક ઉત્તમ કોટિના હોવાં જોઇએ. વસ્તુતઃ આ બધા આત્માના જ ગુણો છે, પરંતુ તે ઢંકાયેલા કે આવરાયેલા છે. પુરુષાર્થથી એ વિશુદ્ધ અને પ્રકાશિત કરી શકાય છે. એમાં સર્વ પ્રથમ ક્ષમા છે. જ્યાં સુધી જીવનમાં ક્ષમા ન આવે ત્યાં સુધી માર્દવ ન આવે અને જ્યાં સુધી માર્દવ ન આવે ત્યાં સુધી આર્જવ ન આવે. આ રીતે આત્મવિકાસમાં માર્દવનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. જ્યાં સુધી મદ છે, અભિમાન છે ત્યાં સુધી માર્દવ ન આવે. મદ મુખ્યત્વે આઠ પ્રકારના બતાવાય છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧ ૬ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ સ્થાનાંગસૂત્રમાં કહ્યું છેઃ अट्ठ मयट्ठाणे पण्णते, तं जहा-जातिमए, कुलमए, बलमए, रूवमए, तवमए, सुयमए, लाभमए, इस्सरियमए । [આઠ મદસ્થાન કહ્યાં છે, જેમ કે-(૧) જાતિમદ, (૨) કુલમદ, (૩) બલભદ, (૪) રૂપમદ, (૫) તપમદ, (૬) શ્રતમદ, (૭) લાભમદ અને ઐશ્વર્યમદ.] આ આઠ પ્રકારના મદસ્થાન તે મોટાં અને મુખ્ય મુખ્ય છે. તદુપરાંત પણ બીજા નાના પ્રકારો હોઈ શકે. સ્થાનાંગસૂત્રમાં જ કહ્યું છે કે મારી પાસે નાગદેવતા, ગરુડદેવતા આવે છે” અથવા “મારું અવધિજ્ઞાન ઉત્કૃષ્ટ પ્રકારનું છે” –એવો મદ પણ માણસને થઈ શકે છે. “રત્નકરંડક શ્રાવકાચાર'માં શ્રી સમતભદ્રાચાર્યે કહ્યું છેઃ ज्ञानं पूजां कुलं जाति बलमृद्धिं तपो वपुः । अष्टावाश्रित्यमानित्वं स्मयमाहु गतस्मया: ।। [ જેમનું માન (સ્મય) ચાલ્યું ગયું છે એવા ભગવાને જ્ઞાન, પૂજા, કુળ, જાતિ, બળ, ઋદ્ધિ, તપ અને શરીર એ આઠના આશ્રયે જે માન કરવામાં આવે છે તેને “માન” કહ્યું છે. ] એટલે જ શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે : कुलरूवजादिबुद्धिसु तवसुदसीलेसु गारवं किं चि । - जो ण वि कुव्वदि समणो मद्दवधम्म हवे तस्स ।। [જે શ્રમણ (અથવા મનુષ્ય) કુલ, રૂપ, જાતિ, બુદ્ધિ, તપ, શાસ્ત્ર અને શીલના વિષયમાં જરા પણ લોલુપતા અથવા Page #226 -------------------------------------------------------------------------- ________________ माणं मद्दवया जिणे । અહંકાર રાખતો નથી તેને ‘માર્દવ’ ધર્મ થાય છે.] જાતિ, કુળ, ધન, રૂપ વગેરે ગર્વનાં કારણ બને છે. એવું નથી કે ગર્વને માટે માત્ર એક જ વસ્તુ કારણરૂપ હોય. ક્યારેક જાતિ અને ધન એમ બે મળીને માણસને ગર્વિષ્ઠ બનાવે, તો ક્યારેક ધન અને રૂપ ભેગાં મળીને અભિમાન છલકાવી દે. ક્યારેક એક કે બેથી વધુ કારણો પણ માણસને અહંકારી બનાવી દે છે. એમ કહેવાય છે કે માણસ જ્યાં સુધી પહેલો પુરુષ એક વચન ‘હું’ બોલે છે ત્યાં સુધી સ્વાભાવિક લાગે છે, પરંતુ એ જ્યારે એક વચનના શબ્દને બેવડાવીને કે ત્રેવડાવીને ‘હુંહું’, ‘હું-હું-હું’ કરે છે ત્યારે એમાં અહંકારની ગર્જના સંભળાય છે. ૨૧૭ કુળ, ધન, રૂપ, જ્ઞાન. ઇત્યાદિનો મદ માણસ કરે છે, પણ ક્યારેક તે ન હોવા માટે પણ માણસ અભિમાન કરે છે. નિર્ધનને ધનવાનની, કદરૂપાને રૂપવાનની કે અજ્ઞાનીને જ્ઞાનીની ઈર્ષ્યા થાય એ એક વાત છે, પણ માણસ પોતાના અજ્ઞાન માટે પણ અભિમાનપૂર્વક વાત કરે અને ભણેલા ભીખ માંગે છે એવાં વાક્યો ઉચ્ચારે કે નિર્ધનતા માટે ગૌરવ લે અને પૈસાને કૂતરાં પણ સૂંઘતાં નથી એવાં એવાં વાક્યો બોલે એવું પણ બનતું જોવા મળે છે. એમાં બેપરવાઇનો ભાવ પણ હોય છે. વસ્તુતઃ ધન વગેરે હોય તો એના હોવાપણાનો અને ન હોય તો એના ન હોવાનો ગર્વ માણસે ન રાખવો જોઇએ. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ માણસને ઉચ્ચ કુળ, ધન, રૂપ, જ્ઞાન, એશ્વર્યાદિ મળે છે પૂર્વના શુભકર્મના ઉદયથી, એટલે કે પુણ્યોદયથી પ્રાપ્ત થાય છે. પરંતુ એ પ્રાપ્ત થયા પછી એ જ કુળ, જાતિ વગેરે અશુભ ઘાતિકર્મનાં નિમિત્ત ન બને એની સાવધાની જીવે રાખવાની રહે છે. વ્યવહારમાં એમ કહેવાય છે કે ધન કે માન મેળવવા એટલાં અઘરાં નથી, પણ મળ્યા પછી એને પચાવવાં ઘણાં જ દુષ્કર છે. મોટા મોટા મહાત્માઓ ક્રોધ વગેરે ઉપર વિજય મેળવે છે. ધન, સ્ત્રી, પુત્રપરિવાર, ઘર ઇત્યાદિનો ત્યાગ એમણે કર્યો હોય છે, પણ એમના ચિત્તમાં લોકેષણા ચોંટેલી રહે છે. પોતે, પોતાનો સમુદાય, પોતાનાં ધર્મકાર્યો બીજા કરતાં ચડિયાતાં રહે તો ગમે, ચડિયાતાં બને એ માટે સરખામણી એમના દિલમાં થતી રહે અને બીજા પાછળ પડી જાય તો અંદરથી રાજી થવાય આવી વૃત્તિ તેઓને રહે છે. વ્યવહારથી કેટલુંક કદાચ ઇષ્ટ ગણાતું હોવા છતાં અધ્યાત્મમાર્ગમાં તેવો સૂક્ષ્મ માનકષાય બાધક નીવડે છે. જીવ ગમે તેટલો શ્રદ્ધાભક્તિવાળો હોય તો પણ અધ્યાત્મમાર્ગથી એને પાછો પાડનાર, સંસારમાં રખડાવનાર કોઈ હોય તો તે આ મુખ્ય ચાર કષાયો છે. કેટલાયે જીવો તત્ત્વની શ્રદ્ધા, દેવગુરુની ભક્તિ, શાસ્ત્રજ્ઞાન ઇત્યાદિ વડે મોક્ષમાર્ગમાં ઘણા આગળ વધે છે, પરંતુ આગળ જતાં કષાયોરૂપી ચાર મોટા અસુરોથી પરાજિત થઈ જાય છે. ક્રોધ, માન, માયા, લોભ એ ચારે કષાયો ઉત્તરોત્તર વધુ Page #228 -------------------------------------------------------------------------- ________________ माणं मद्दवया जिणे। ૨ ૧૯ આત્મઘાતક છે. ક્રોધ કરતાં માન-કષાય ભારે છે, પણ તે વધુ સૂક્ષ્મ હોવાથી પોતાને અને બીજાને તેની ખબર જલ્દી પડતી નથી. પોતાના ચહેરા ઉપર માન કરતાં ક્રોધને સંતાડવાનું અઘરું છે. આથી જ માણસ મનમાં અભિમાન કરે અને બહારથી વિનયી હોવાનો દેખાવ કરી શકે છે. સાધકે માનકષાયથી વધુ સાવધ રહેવાની જરૂર છે, કારણ કે વ્યવહારમાં અભિમાન કરતાં ક્રોધની વધુ ટીકા થાય છે. વળી સમાજમાં સ્વમાન, સ્વાભિમાન વગેરેની પ્રશંસા થાય છે તથા લોકવ્યવહારમાં માન, સન્માન, અભિવાદન, ખિતાબ, ચંદ્રક વગેરેની પ્રવૃત્તિ ઇષ્ટ મનાય છે. “માનની સાથે પત્ર” શબ્દ જોડાય છે. “માનપત્ર”, “સન્માનપત્ર' જેવા શબ્દો પ્રયોજાય છે. ક્રોધ વગેરેની સાથે “પત્ર” શબ્દ જોડાતો નથી. માનની આગળ “સેતુ” શબ્દ પ્રયોજાય છે. “સન્માન” શબ્દ વ્યવહારમાં પ્રશસ્ત ગણાય છે, પણ ક્રોધની આગળ “સ” શબ્દ પ્રયોજાતો નથી. જ્યાં લોકવ્યવહારમાં “માન'ની બોલબાલા હોય ત્યાં સાધક એનાથી પ્રભાવિત થાય એવો સંભવ રહે છે. વસ્તુતઃ માનસન્માનની પ્રત્યેક પ્રવૃત્તિથી સાધકે વિમુખ રહેવું જોઈએ. માન પ્રશંસાની સાથે જોડાયેલું છે. પ્રશંસા થતાં માણસમાં રહેલી માનની સૂક્ષ્મ એષણા સળવળે છે. કદાચ તે પોતાના ભાવો પ્રગટ ન કરે તો પણ પોતે મનમાં સમજે છે અને માન મળતાં મનમાં રાજી થાય છે. પોતાનો રાજીપો ક્યારેક તે શબ્દોમાં કે હાવભાવથી વ્યક્ત કરે છે. પ્રશંસા કરનારની Page #229 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ અવહેલના કે અવજ્ઞા ન કરાય એવા સામાજિક વ્યવહારને કારણે પોતાની પ્રશંસા થાય ત્યારે માણસ વિવેક ખાતર તે વિશે આભાર પ્રદર્શિત કરે છે. સદ્ગુણોની અનુમોદના કરવી એ આપણું કર્તવ્ય છે. જે માણસ બીજાના ગુણોનો સ્વીકા૨ કરતો નથી અને એની અનુમોદના કરતો નથી તેનામાં ઈર્ષ્યા, અસૂયા, મત્સર ઇત્યાદિ રહેલાં હોવા જોઇએ. બીજાના ગુણો, અરે વિપરીત વ્યક્તિના ગુણો જોઈને પણ સાચો પ્રમોદભાવ પ્રગટ થવો જોઇએ એ આપણું સામાજિક કર્તવ્ય છે અને સાધનાનું પગથિયું છે. આપણી પ્રશંસામાં અતિશયોક્તિ ન હોવી જોઇએ. ખુશામતખોરીમાં તે ન પરિણમવી જોઈએ. આપણા સ્વાર્થમાંથી તે ન પ્રગટ થવી જોઇએ. બીજી બાજુ આપણી પોતાની જ્યારે આવી રીતે પ્રશંસા થતી હોય ત્યારે ફુલાઈ ન જવું જોઈએ, જો ફુલાયા તો તે પ્રશંસા આપણા માનકષાયની નિમિત્ત બની જાય છે. કેટલીક વાર આપણા સ્વજનો અને મિત્રો જ આવી પ્રશંસા દ્વારા આપણા માનકષાયના નિમિત્ત બને છે. એમ બને ત્યારે વ્યાવહારિક દૃષ્ટિએ જે મિત્ર છે તે આધ્યાત્મિક દૃષ્ટિએ શત્રુ બને છે, અહિતકર બને છે. પણ બીજાને દોષ દેવાથી શું? અહિત ક૨વાના આશયથી તેઓ અહિત કરતા નથી. માટે જે જાગૃત રહેવાનું છે તે તો પોતે જ. અંદરથી સમત્વ હોય તો આવા પ્રશંસાના પ્રસંગે પણ માણસ નિર્લેપ રહી શકે છે. ‘પ્રશમરતિ’માં વાચક ઉમાસ્વાતિએ કહ્યું છેઃ ૨૨૦ Page #230 -------------------------------------------------------------------------- ________________ माणं मद्दवया जिणे । श्रुतशीलविनयसंदूषणस्य धर्मार्थकामविघ्नस्य । मानस्य कोऽवकाशं मुहूर्तमपि पंडितो दद्यात् ।। શ્રુત, શીલ અને વિનય માટે દૂષણરૂપ તથા ધર્મ, અર્થ અને કામમાં વિઘ્નરૂપ એવા માનને કયો ડાહ્યો માણસ મુહૂર્ત માટે પણ અવકાશ આપશે ? કષાયો જીવને અવશ્ય દુર્ગતિમાં, નીચલી ગતિમાં લઈ જાય છે. ઉત્તરાધ્યનસૂત્રમાં કહ્યું છેઃ अहे वयन्ति कोहेणं, माणेणं अहमा गइ । माया गइपडिप्वाओ, लोहाओ दुहओ भयं । અર્થાત્ ક્રોધ કરવાથી જીવનું પતન થાય છે, માનથી જીવ અધમ ગતિમાં જાય છે. માયાવી માણસની સદ્ગતિ થતી નથી અને લોભ કરનારને આ લોકમાં અને પરલોકમાં ભય ઉત્પન્ન થાય છે. ૨૨૧ વાચક ઉમાસ્વાતિએ પણ કહ્યું છેઃ जात्यादि मदोन्मत्तः पिशाचवद् भवति दुःखितश्चेह | जात्यादिहीनतां परभवे च नि:संशय लभते । અર્થાત્ જાતિ, કુળ, ધન, રૂપ, એશ્વર્ય વગેરેથી મદોન્મત્ત બનેલા માણસો પિશાચની જેમ દુઃખ પામે છે. વળી પરભવમાં તેઓ હીન ગતિ, નીચી ગતિ મેળવે છે એમાં સંશય નથી. હેમચંદ્રાચાર્યે ‘યોગશાસ્ત્ર'માં પણ એમ જ કહ્યું છે: ર્વ कुर्वं મતં પુનસ્તાનિ, દીનાનિ નમતે નરઃ । અર્થાત માણસ જો જાતિ, કુળ, રૂપ, ધન વગેરેનું અભિમાન કરે તો તેવાં કર્મના ફળરૂપે Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૨ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ માણસને તે તે વિષયમાં આ ભવે કે ભવાન્તરમાં હીનતા સાંપડે છે. માર્દવ ગુણની પ્રાપ્તિ માટે જીવે વારંવાર એવી ભાવના ભાવવી જોઈએ કે પોતાને જે ધન મળ્યું છે તે અનિત્ય છે. પોતાનું રૂપ ગમે તેવું ઉત્કૃષ્ટ હોય તો પણ એક દિવસ એ રૂપ કરમાઈ જશે અથવા એક દિવસ પ્રાણ જતાં એ રૂપને લોકો બાળી નાખશે. આ જીવ કેટલીયે વાર નીચ જાતિમાં જન્મ્યો છે અને કદાચ ભવાન્તરમાં પણ કદાચ નીચ જાતિ મળે. માટે જાતિ, કુળ વગેરે અનિત્ય છે. કોઈનાં જાતિ, કુળ, ધન વગેરે અનંતકાળ સુધી રહેવાનાં નથી. જો આ બધું જ અનિત્ય છે, તો પછી તેને માટે નિત્ય એવા મારા આત્માને નીચે શા માટે પાડું? આ રીતે અનિત્યભાવના દ્વારા માર્દવની ભાવનાનું સેવન કરવું જોઈએ. જ્યાં સુધી જીવને પોતાના દેહ સાથે એકત્વબુદ્ધિ છે ત્યાં સુધી “હું- પણાનો અથવા “મારાપણા'નો ભાવ એને રહેવાનો. દેહ સાથે સંકળાયેલી સર્વ બાબતો એને પોતાની લાગવાની. એ માટે પ્રિય-અપ્રિયનો ભાવ થતો રહેવાનો. એટલે દેહલાવણ્ય, ધનવૈભવ, સત્તા, બુદ્ધિચાતુર્ય ઇત્યાદિ પોતાનાં અને સ્વજનોનાં એને ગમવાનાં. એ માટે એ ગૌરવ અનુભવવાનો. મતલબ કે જ્યાં સુધી દેહ સાથેની તાદાભ્ય બુદ્ધિ જીવને રહે અથવા પરદ્રવ્ય માટે આસક્તિ રહે ત્યાં સુધી માનકષાય એનામાંથી જલદી નીકળે નહિ. ત્યાં સુધી મૃદુતારૂપી Page #232 -------------------------------------------------------------------------- ________________ माणं मद्दवया जिणे। ૨ ૨ ૩ આત્મગુણ પરિપૂર્ણ સ્વરૂપે ખીલી ન શકે. જીવ જ્યારે અંતર્મુખ બને, પોતાના ઉપયોગને અંદર વાળે અને અનુભવે કે માર્દવ મારો સ્વભાવ છે, માનકષાય મારો સ્વભાવ નથી, ત્યારે માનકષાય એને નડતો નથી. માન કે અપમાનની કોઈ પ્રતિક્રિયા એનામાં થતી નથી. પરંતુ જીવ જ્યારે પર્યાયમાં ચાલ્યો જાય છે, વિભાવદશામાં આવી જાય છે ત્યારે માન અને સન્માન એને ગમે છે અને અપમાન એને ગમતું નથી. અપમાનનો તે બચાવ કે પ્રતિકાર કરવા પ્રયાસ કરે છે. એ જ એની પર્યાયબુદ્ધિ છે. કુંદકુંદાચાર્યે પ્રવચનસારમાં કહ્યું છે કે પMવમૂઢ દિ પરસમય એટલે કે જે પર્યાયમાં મૂઢ છે, જે પર્યાયમાં મુગ્ધ છે, આસક્ત છે તે પરસમય છે, તે વિભાવદશા છે. દસવૈકાલિક સૂત્રમાં કહ્યું છે. न वाहिरं परिभवे, अत्ताणं न समुक्कसे । सुअलाभे न मज्जिज्ज। जच्चा तवस्सि बुद्धिए ।। . [ બીજાનો તિરસ્કાર ન કરો. “હું જ્ઞાની છું, લબ્ધિવાન છું, જાતિસંપન્ન છું, તપસ્વી છું, બુદ્ધિમાન છું'-એમ પોતાને મોટા ન સમજો ]. સૂત્રકૃતાંગમાં કહ્યું છેઃ मयाणि एयाणि विगिंच घीरा, नं ताणि सेवंति सुधीरधम्मा। सव्वगोता वगया महेसी, उच्चं अगोतं च गई वयंति ।। ધીરપુરુષે આવા મદનો ત્યાગ કરવો જોઈએ. સુધીરધર્મ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૪ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ મહાત્માઓ એનું સેવન કરતા નથી. એથી જ સર્વગોત્રથી રહિત થઈને તેઓ ગોત્રરહિત એટલે કે અગોત્ર એવી ઉચ્ચ ગતિ (સિદ્ધગતિ) પ્રાપ્ત કરે છે. એટલે જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છેઃ ઉચ્ચભાવ દગ દોષે મદ જવર છે આકરો, હોય તેહનો પ્રતિકાર કહે મુનિવર ખરો. પૂર્વ પુરુષ સિંધુરથી લઘુતા ભાવવું, શુદ્ધ ભાવન તે પાવન શિવ સાધન નવું. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૯ भोगी भमइ संसारे [ભોગી સંસારમાં ભમે છે.] ‘ઉત્તરાધ્યયન સૂત્રના યજ્ઞીય” નામના અધ્યયનમાં નાની પણ સરસ તત્ત્વબોધક વાત આવે છે. વારાણસી નગરીમાં ચાર વેદનો જાણકાર એવો વિજયઘોષ નામનો બ્રાહ્મણ યજ્ઞ કરી રહ્યો હતો. તે વખતે એ નગરમાં જયઘોષ નામના એક મુનિ પધાર્યા. તેમણે માસખમણની આકરી તપશ્ચર્યા કરી હતી. પારણા માટે તેઓ ગોચરી વહોરવા નીકળ્યા હતા. તેઓ વિજયઘોષ નામના બ્રાહ્મણના યજ્ઞના સ્થળે આવી રહ્યા હતા. મુનિને વચ્ચે જ અટકાવીને વિજયઘોષે કહ્યું, “હે મુનિ, યજ્ઞ માટે વિવિધ વાનગીઓ અમે બનાવી છે, પરંતુ અમે તમને ભિક્ષા નહિ આપીએ. માટે બીજા કોઈ સ્થળે જઈ ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરો. અમારી યજ્ઞની વાનગીઓ તો બ્રાહ્મણો માટે જ છે. એ બ્રાહ્મણો પણ એવા હોવા જોઈએ કે જેઓ ચાર વેદના જાણકાર હોય, તેઓ યજ્ઞાર્થી હોય, જ્યોતિષશાસ્ત્ર વગેરે છ અંગના અભ્યાસી હોય અને જેઓ પોતાના આત્માનો તથા બીજાના આત્માનો ઉદ્ધાર કરનાર ડોય.” વિજયઘોષનાં આવાં વચનથી જયઘોષ મુનિ નારાજ ન થયા. તેમણે કહ્યું “હે બ્રાહ્મણ ! મારે હવે તમારી ભિક્ષા નથી Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૬ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ જોઈતી. એમ કરવામાં મારે કોઈ દ્વેષ નથી કે સ્વાર્થ નથી. મારે માત્ર એટલું જ તમને કહેવું છે કે તમે વેદોનું, યજ્ઞનું, જ્યોતિષનું અને ધર્મનું મૂળભૂત ગૂઢ રહસ્ય જાણતા નથી.” જયઘોષ મુનિનો પ્રભાવ એટલો બધો હતો અને એમની નિર્મળ, નિર્દોષ મુખમુદ્રા એટલી તેજસ્વી હતી કે વિજયઘોષ અને ત્યાં યજ્ઞમાં બેઠેલા સભાજનો તેમને જોઈ જ રહ્યા. તેઓને એમ થયું કે આ કોઈ જ્ઞાની મહાત્મા છે. એટલે તેઓએ કહ્યું, હે મુનિરાજ ! તમે જ એ રહસ્યો અમને સમજાવો.' પછી જયઘોષ મુનિએ તેમને વેદો, યજ્ઞ વગેરેનું સૂક્ષ્મ રહસ્ય સમજાવ્યું. સાચો બ્રાહ્મણ કોણ કહેવાય, સાચો સાધુ કોણ કહેવાય, સાચો તાપસ કોણ કહેવાય તથા અહિંસાદિ પંચ મહાવ્રતનું આત્મોદ્વારમાં કેટલું મહત્ત્વ છે તે તેમણે સમજાવ્યું. એથી વિજયઘોષ બ્રાહ્મણ પર એની ઘણી મોટી અસર પડી. એણે પછી સંસારથી વિરક્ત થઈને જયઘોષ મુનિ પાસે જ પ્રવજ્યા ગ્રહણ કરી. ત્યાર પછી સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરીને અને પોતાનાં કર્મોને ખપાવીને જયઘોષ મુનિ અને વિજયઘોષ મુનિ બંને કેવળજ્ઞાન પામ્યા અને કાલાનુક્રમે સિદ્ધગતિને વર્યા. જયઘોષ મુનિએ વિજયઘોષ બ્રાહ્મણને ત્યારે જે બોધ આપ્યો હશે તે તો બહુ વિગતે હશે. ચર્ચાવિચારણા અને પ્રશ્નોત્તરી પણ થઈ હશે. એ બધી વિગતો પ્રાપ્ત નથી, પરંતુ તેમાંથી સારગર્ભ થોડીક ગાથાઓ ભગવાન મહાવીરે આ અધ્યયનમાં Page #236 -------------------------------------------------------------------------- ________________ भोगी भमइ संसारे ૨ ૨૭. આપી છે. આ ગાથાઓ હૃદયમાં વસી જાય એવી છે. આ ગાથાઓમાં પણ જે કેટલીક ચોટદાર પંક્તિઓ છે તેમાંથી માત્ર ત્રણ શબ્દની પંક્તિ મા અમકું સંસારે ! કેટલી બધી માર્મિક અને અર્થસભર છે ! ઉત્તરાધ્યયન સૂત્રની આખી ગાથા નીચે પ્રમાણે છે : उवलेवो होइ भोगेसु, अभोगी नोवलिप्पई । भोगी भमइ संसारे अभोगी विप्पमुच्चई ।। [ભોગોથી ઉપલેપ થાય છે (ભોગી કર્મબંધથી લેપાય છે) અભોગી લપાતો નથી. ભોગી સંસારમાં ભમે છે. અભોગી વિમુક્ત થાય છે.] વર્તમાન સાંસારિક જીવન ઉપર દૃષ્ટિપાત કરીએ તો મોટા ભાગના જીવોની દેનિક પ્રવૃત્તિ તે પોતાની સંજ્ઞાઓને સંતોષવાની છે અર્થાત્ ભોગો ભોગવવાની છે. આહાર, નિદ્રા, મૈથુન, પરિગ્રહ ઇત્યાદિ સંજ્ઞાના બળે જીવ તેવી તેવી પ્રવૃત્તિ કરે છે. તિર્યંચ ગતિના જીવોની પ્રવૃત્તિ તો પોતપોતાની ઇન્દ્રિયો અનુસાર જીવન જીવવા માટેની છે. મુખ્યત્વે તો તેઓ આહારની શોધમાં અને આહાર મળ્યા પછી તે ખાવામાં અને પ્રજોત્પત્તિમાં પોતાનું જીવન પૂરું કરે છે. મનુષ્યજીવનમાં ભોગવિલાસનું પ્રમાણ વધુ છે. આહાર, વસ્ત્ર, રહેઠાણ, વાહનો ઇત્યાદિ સહિત પાંચ ઇન્દ્રિયોના સુખભોગ માણવા નીકળેલો મનુષ્ય તેવા પ્રકારની પ્રવૃત્તિઓ સતત કરતો રહે છે. વૈજ્ઞાનિક સાધનો વડે તેમાં પ્રગતિ પણ WWW.jainelibrary.org Page #237 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ ઘણી થતી રહે છે. આનંદઘનજી મહારાજ કહે છે તેમ ‘સયલ સંસારી ઇન્દ્રિયરામી છે.’ માત્ર ‘મુનિગણ આતમરામી' હોય છે. ૨૨૮ દુનિયાની અડધાથી વધારે વસતિ તો જન્માન્તરમાં માનતી નથી. જે જીવન મળ્યું છે તે સુખપૂર્વક ભોગવી લેવું જોઈએ એવી માન્યતા તેઓ ધરાવે છે અને એ દિશામાં જ તેઓનો પુરુષાર્થ હોય છે. આખી જિંદગી સારું સારું ખાધુંપીધું હોય અને સરસ મોંઘા વસ્ત્રો, વાહનો, રહેઠાણો ધરાવતા હોય, મનોરંજનની પ્રવૃત્તિઓ જેમણે માણી હોય તેઓનું જીવ્યું સફળ અને સાર્થક ગણાય એવી તેમની માન્યતા હોય છે. જીવન માટે એ જ તેઓનો માપદંડ હોય છે. પરંતુ ભૌતિક જીવન સુખી હોય, સર્વ પ્રકારે અનુકૂળતાવાળું હોય, ઇચ્છાનુસાર બધાં કાર્યો થતાં હોય તો પણ એવા જીવનનો અંત આવે જ છે. આવા કેટલાક લોકોને અંતકાળે અજંપો સતાવે છે. બસ આ બધું વસાવેલું અને ભોગવવા માટે એકત્ર કરેલું બધું જ મૂકીને ચાલ્યા જવાનું ? વળી ભોગવેલું સુખ ક્ષણિક છે. એવું ભૌતિક સુખ ભોગવતી વખતે સ્થૂલ આનંદનો અનુભવ હોય છે. પરંતુ પછી સમય જતાં એની સ્મૃતિ શેષ થતી જાય છે. સારામાં સારું ખાધુપીધું હોય, મિજબાનીઓ માણી હોય, પણ થોડાં વર્ષ પછી એની સ્મૃતિ પણ તાજી થતી નથી. વિસ્મૃતિ બધે જ ફરી વળે છે. પાંચે ઇન્દ્રિયોના વિષયો સંસારમાં પાર વગરના છે. તે Page #238 -------------------------------------------------------------------------- ________________ भोगी भमइ संसारे ૨ ૨ ૯ ભોગવતી વખતે ક્ષણિક પૂલ સુખ હોય છે, પણ પછી એ દુઃખનાં નિમિત્ત બની જાય છે. જો પદાર્થોના ભોગવટાથી માત્ર સુખ જ હોય તો સંસારમાં દુઃખ હોય નહિ. પણ આ ભોગવટો જ દુઃખને-ઈર્ષા, દ્વેષ, કલહ, કંકાશ, લડાઈ, યુદ્ધ વગેરેને નોતરે છે. એટલે જ્યાં સ્થૂલ ભૌતિક સુખ છે ત્યાં દુઃખ પણ છે જ. વળી એ સુખ પણ તત્કાલીન, ક્ષણિક હોય છે. ઉત્તરાધ્યયનસૂત્ર'માં ભગવાને કહ્યું છે: खममेत्तसोक्खा बहुकालदुक्खा पकामदुक्खा अनिकामसोक्खा। संसारमोक्खस्स विपक्खभूया खाणी अणत्थाण उकामभोगा।। આ કામભોગો ક્ષણભર સુખ અને બહુકાળ દુઃખ આપનારા છે, ઘણું બધું દુઃખ અને થોડુંક સુખ આપનારા છે. તે સંસારમુક્તિના પ્રતિપક્ષી-(વિરોધી) છે અને અનર્થોની ખાણ જેવા છે. ભોગી ભઈ સંસારે એનો વિપરીત અર્થ કરીને કોઈ એમ પણ માને કે જેણે સંસારના ભોગ ભોગવવા છે એને સંસારમાં બધે ભમવું જોઈએ. જ્યાં જ્યાં ભોગ ભોગવવાનાં સ્થાનો છે ત્યાં પહોંચી જવું જોઇએ. જેણે ભોગ ભોગવવા છે એણે ભમતા રહેવું જોઇએ. વર્તમાન કાળમાં તો ભમવા માટેનાં ઝડપી વાહનો વધ્યાં છે એટલે સમગ્ર દુનિયામાં ભમવાની–ભોગ ભોગવવાની પ્રવૃત્તિ વધી ગઈ છે. પરંતુ આ મોટું અજ્ઞાન છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ ‘ભોગી ભમઈ સંસારે' એમ જે ભગવાને કહ્યું છે તે એક જન્મની દૃષ્ટિએ નહિ, પણ જન્મજન્માન્તરની દૃષ્ટિએ, કર્મની જંજિરોની દૃષ્ટિએ કહ્યું છે. જીવનું જન્માન્તરનું પરિભ્રમણ સંસારમાં સતત ચાલતું જ રહે છે. આ ચક્ર ચાલવાનું મુખ્ય કારણ તો ભોગ ભોગવવા માટેની લાલસા છે. અર્થાત્ ભોગો માટેનો રાગ છે, આસક્તિ છે. ૨૩૦ જ્યાં સુધી ભોગવૃત્તિ છે, ભોગબુદ્ધિ છે ત્યાં સુધી કર્મબંધની પરંપરા તો ચાલુ જ રહેવાની. જ્યાં સુધી કર્મપરંપરા છે ત્યાં સુધી મુક્તિ નથી. એટલે ભોગી જીવને સંસારમાં પરિભ્રમણ જ કરવાનું રહે છે. સામાન્ય રીતે લોકો પોતાનું જીવન સુખી બનાવવા માટે ઉદ્યમશીલ રહે છે. સુખની વ્યાખ્યા અને કલ્પના દરેકની જુદી જુદી હોય છે. આહાર, વસ્ત્ર, વસતિ એ માણસનાં સુખનાં પ્રાથમિક સાધનો છે. પરંતુ માત્ર સાધનો કે પદાર્થો જ નહિ, એમાં રહેલી આસક્તિ એ જ મોક્ષમાર્ગમાં મોટો અંતરાય છે. ‘આચારાંગસૂત્ર'માં કહ્યું છેઃ कामेसु गिद्धा णिचयं करेन्ति, संसिच्चमाणा पुणरेन्ति गब्भं । [કામભોગમાં ગૃદ્ધ એટલે કે આસક્તિ રાખનાર જીવ કર્મોનો સંચય કરે છે. કર્મોથી બંધાયેલો જીવ ફરી ગર્ભવાસમાં આવે છે.] આચારાંગસૂત્રમાં અન્યત્ર કહ્યું છે : द्धिए लोए अणुपरियट्टमाणे || Page #240 -------------------------------------------------------------------------- ________________ भोगी भइ संसारे [વિષયોમાં આસક્ત જીવ લોકમાં એટલે કે સંસારમાં પરિભ્રમણ કરે છે.] સ્થૂલ ઇન્દ્રિયોથી માણસો ભોગ ન ભોગવતા હોય તો પણ તેમના ચિત્તમાં તે ઇન્દ્રિયોના પદાર્થો માટેનો અનુરાગ જો હોય તો તેવા માણસો ભોગી જ ગણાય. ક્યારેક સ્થૂલ ભોગવટા કરતાં પણ આવા માનસિક ભોગવટામાં તીવ્રતા વધુ હોય છે. સ્થૂલ ભોગવટો તો પ્રાયઃ એક જ વાર હોય, પણ માનસિક ભોગવટો તો વારંવાર, અનેકવાર હોઈ શકે છે. અનેક ગરીબ લોકોને લૂખુંસૂકું ખાવાનું મળતું હોય છે. તેઓ ખાય છે ત્યારે તેમાં તેમને એટલો રસ પડતો નથી. તેઓ ખાતી વખતે રાજીરાજી થાય એવું પણ ઓછું બને છે. પરંતુ તેથી ખાવા માટેની તેમની આસક્તિ ઓછી થઈ ગઈ છે એમ ન કહેવાય. સરસ ભોજન મળતાં તેઓ પ્રસન્ન થઈ જાય છે અને એવું વારંવાર મળે એવી વૃત્તિ પણ રહે છે. મતલબ કે સ્વાદિષ્ટ ભોજન માટેની તેમની આસક્તિ તો અંતરમાં પડેલી હોય છે. લૂખાસૂકા આહાર વખતે તે પ્રગટ થતી નથી. કેટલાક મહાત્માઓએ બીજો બધો ત્યાગ કર્યો હોય છે. ઘરબાર, કુટુંબપરિવાર, માલમિલકત એમણે ત્યાગી દીધાં હોય છે. આમ છતાં ભોજન માટેનો એમનો રસ છૂટતો નથી. કોઈકને પ્રશ્ન થાય કે અભોગી કર્મથી લેપાતો નથી અને અભોગી કર્મથી મુક્ત થાય છે એમ કહ્યું છે, પરંતુ જીવનના ૨૩૧ Page #241 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ અંત સુધી માણસને ખાવા તો જોઈએ છે, પહેરવાને વસ્ત્ર જોઈએ છે અને ટાઢ, તડકો કે વરસાદથી બચવા રહેઠાણ જોઈએ છે, ઉપકરણો જોઈએ છે. એટલે કે જીવનપર્યંત માણસ વિવિધ પદાર્થોનો ઉપભોગ કરતો રહે છે, તો પછી એને અભોગી કેવી રીતે કહેવાય? એનો ઉત્તર એ છે કે જીવનના અંત સુધી માણસ ખોરાક કે પાણી ન લે તો પણ હવાનો ઉપયોગ તો એને અવશ્ય કરવો જ પડશે. જીવનનું અસ્તિત્ત્વ છે ત્યાં સુધી આહા૨પાણી લેવાતાં જ રહેશે. વસ્ત્ર, વસતિ પણ રહે છે. પરંતુ જીવની એમાંથી ભોગબુદ્ધિ જ્યારે નીકળી જાય એટલે એ અભોગી થાય છે. જ્યાં સુધી ભોગબુદ્ધિસુખબુદ્ધિ છે, રાગ છે, આસક્તિ છે, ગમવા-ન ગમવાના અને અનુકૂળતા-પ્રતિકૂળતાના ભાવો છે, કર્તૃત્વ અને ભોકતૃત્વની વૃત્તિ છે ત્યાં સુધી જીવ ભોગી છે. ભોગપદાર્થો સાથેનું એનું ભાવાત્મક અનુસંધાન જ્યારે સદંત૨ નીકળી જાય છે ત્યારે તે અભોગી બને છે. ઊંડી સંયમસાધના વગર આવું અભોગીપણું આવતું નથી અને આવે તો બહુ ટકતું નથી. દસવૈકાલિક સૂત્રમાં કહ્યું છેઃ वत्थगंधमलंकारं इत्थीओ सयंणाणि य । ૨૩૨ अच्छंदा जे न भुंजंति न से चाइ ति वुच्चइ || 'મુખ્વજ્ઞ।। [વસ્ત્ર, સુગંધી મનગમતા પદાર્થો, ઘરેણાં, સ્ત્રીઓ, પલંગઆસન વગેરે જે પોતાને પ્રાપ્ત નથી અને તેથી માણસ ભોગવતો નથી, તેથી તે ત્યાગી ન કહેવાય.] Page #242 -------------------------------------------------------------------------- ________________ भोगी भमइ संसारे ૨ ૩૩ जे य कंते पिए भोए लद्धे विप्पिठि कुव्वई। साहीणे चयइ भोए से हु चाइ त्ति वुच्चई ।। જેિ માણસ મનોહર, પ્રિય ભોગો પામ્યા છતાં અને તે પોતાને સ્વાધીન હોવા છતાં તેના તરફ પીઠ ફેરવે છે એટલે કે તેનો ત્યાગ કરે છે તે નિશ્ચયથી ત્યાગી કહેવાય છે.] જ્યાં સુધી સંસારનો ભય લાગતો નથી ત્યાં સુધી ભોગવિલાસ ગમે છે. માણસને એ ગમે છે એમાં મુખ્યત્વે મોહનીય કર્મ કાર્ય કરે છે. જ્યાં સુધી મોહનીય કર્મનો પ્રબળ ઉદય હોય અને માણસની આત્મિક જાગૃતિ ન હોય તો સંસાર એને રળિયામણો લાગે છે, બિહામણ નથી લાગતો. સંસારના ભોગવિલાસ તરફ એની દૃષ્ટિ રહે છે અને એની ભોગબુદ્ધિ સતેજ રહે છે. સંસાર એને બિહામણો લાગે, છોડીને ભાગવા જેવો લાગે ત્યારે જ એની ભોગવૃત્તિ નબળી પડે છે અને ચાલી જાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “જ્ઞાનસાર'માં કહ્યું છેઃ बिमेषि यदि संसाराद् मोक्षप्राप्तिं च काङ्क्षसि । तदेन्द्रियजयं कर्तुं स्फोरय स्फारपौरुषम् ।। [જો તું સંસારથી ભય પામે છે અને મોક્ષપ્રાપ્તિની ઇચ્છા રાખે છે, તો ઈન્દ્રયો ઉપર વિજય મેળવવા માટે દેદીપ્યમાન પરાક્રમ ફોરવ.] Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦ सित्थेण दोणपागं, कविं च एक्काए गाहाए। [એક દાણાથી અનાજની અને એક ગાથાથી કવિની પરખ થઈ જાય છે] ભગવાન મહાવીરે અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે परियरबंधेण भडं जाणिज्जा महिलियं णिवसणेणं । सित्येण दोणपागं, कई (कवि) च एक्काए गाहाए ॥ [પરિકર બંધનથી (એટલે કે કમર કસવાથી) અથવા વિશિષ્ટ પ્રકારનાં (uniform) વસ્ત્ર પહેરવાથી સુભટ (યોદ્ધો) ઓળખાય છે. વસ્ત્ર પરિધાનથી આ મહિલા છે એમ ઓળખાય છે, એક દાણો દાબી જોવાથી દ્રોણના માપ જેટલું અનાજ જાણી શકાય છે અને એક ગાથાથી કવિની શક્તિનો પરિચય મળી રહે છે.] અનુયોગદ્વારમાં આ ગાથા બે વાર આવે છે. અવયવ નિષ્પન્ન નામના વિષયમાં આવે છે અને ફરીથી “અનુમાન પ્રમાણમાં આવે છે. આ ગાથામાં અનુમાનનાં ચાર ઉદાહરણ આપવામાં આવ્યાં છેઃ (૧) સુભટ એટલે કે સૈનિક, (૨) મહિલા, (૩) અનાજનો દાણો અને (૪) કાવ્યની ગાથા. સૈનિક સાદા વેશમાં હોય તો કોઈ એને સૈનિક તરીકે ઓળખી શકે નહિ. એ એના ગણવેશમાં શસ્ત્રસજ્જ હોય તો એને તરત ઓળખી શકાય. એવી રીતે સ્ત્રીઓ અને પુરુષોના પહેરવેશ જુદા હોય છે. પહેરવેશ પરથી Page #244 -------------------------------------------------------------------------- ________________ सित्थेण दोणपागं, कविं च एक्काए गाहाए। ૨ ૩ ૫ સ્ત્રી ઓળખાઈ શકે. સ્ત્રીના પહેરવેશ પરથી તો એ લગ્નપ્રસંગે જાય છે કે મરણપ્રસંગે જાય છે તે પણ જાણી શકાય. ક્યારેક શોખ કે આધુનિકતા ખાતર સ્ત્રીને પુરુષનો વેશ પહેરવો ગમે છે. (પુરુષને સ્ત્રીનો પહેરવેશ પહેરવો ગમે એવું જવલ્લે જ બને છે.) સ્ત્રીઓ પુરુષનો પહેરવેશ પહેરે તો પણ એના વાળ, ચાલ વગેરે પરથી પણ તે ઓળખાઈ આવે. ક્યારેક વાળ પણ પુરુષ જેવા કર્યા હોય તો તરત ન ઓળખાય. એક જાણીતો ટુચકો છે કે એક દિવસ કોઈક શાળાનાં નાનાં છોકરાછોકરીઓનો રમતનો ઉત્સવ હતો અને એમના વડીલો તે જોવા માટે આવ્યા હતા. એ જોતાં જોતાં એક ભાઇથી બોલાઈ ગયું, “પેલા છોકરાએ સરસ ફટકો માર્યો.' તરત બાજુમાં બેઠેલી કાળા ચશ્મા પહેરેલી વ્યક્તિએ કહ્યું. “એ છોકરો નથી, છોકરી છે.” એમ કે ? તમને કેવી રીતે ખબર ?' એ મારી દીકરી છે.” “ઓહ, મને ખબર નહિ કે તમે એના પિતા છો.' હું એનો પિતા નથી. એની મમ્મી છું.' આ તો સ્ત્રીની આધુનિકતા પર કટાક્ષ છે. ઇસ્લામી દેશોમાં જ્યાં બુરખો પહેરવો ફરજિયાત છે ત્યાં ગુનો કરનારા પુરુષો સ્ત્રીનો બુરખો પહેરીને નીકળતા હોય છે. અલબત્ત, સૂક્ષ્મ નજરે જોનારને તરત ખબર પડી જાય છે કે બુરખો પહેનારની ચાલ સ્ત્રીની છે કે પુરુષની છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ અનાજ પારખવા માટે એક જ દાણો હાથમાં લઈને તપાસતાં જણાઈ આવે છે કે તેની ગુણવત્તા કેવીક છે. ક્યારેક મૂઠ્ઠીમાં થોડા દાણા લઈને જોવામાં આવે છે કે એમાં ભેળસેળ તો નથી થઈને ! પહેલાંના વખતમાં અને હજુ પણ કેટલેક ઠેકાણે અનાજની ભરેલી અને સીવીને બાંધેલી ગુણીમાં જે અનાજ છે તે કેવું છે તે જોવા માટે લોઢાની આગળથી અણીદાર પાતળી પોલી નળી (બાંબી) આવતી તે ગુણીમાં ખોસીને પાછી કાઢવામાં આવતી. તરત થોડા દાણા એ નળીમાં ભરાઈ આવતા. ગુણી ખોલવી ન પડે. ગુણીમાં કાણું ન પડે અને જે ગુણીની જે જગ્યાએથી અનાજ જોવું હોય તે જોઈ શકાય. અનાજના વેપારીઓ પચાસ, સો, બસો ગુણીમાં કેવું અનાજ આવ્યું છે તે આવી બાંબીથી તરત જાણી શકે છે. રાંધતી વખતે ભાત બરાબર થયા છે કે નહિ તે જોવા માટે તપેલામાંથી ભાતનો એક દાણો લઈ દબાવીને રસોઈ કરનાર જુએ છે કે ભાત બરાબર સીઝી ગયા છે કે નહિ. અહીં ‘દોણ પાગ' શબ્દ વપરાયો છે. દોણપાગ એટલે દ્રોણપાક. દ્રોણ એ પ્રાચીન સમયનું એક માપ છે. અનાજની બસો છપ્પન મૂઠી બરાબર એક ‘આઢક’ અને ચાર આઢક બરાબર એક દ્રોણ. દ્રોણ જેટલા અનાજનો પાક (પકવાન્ન) બનાવ્યો હોય તો તે કેવો થયો છે તે જોવા માટે એક દાણો ચાખી જોવાથી ખબર પડે. એવી જ રીતે એક ગાથા પરથી કવિની સમગ્ર કૃતિનો, ૨૩૬ Page #246 -------------------------------------------------------------------------- ________________ सित्थेण दोणपागं, कविं च एक्काए गाहाए। ૨ ૩૭ કવિની કવિત્વશક્તિનો ખ્યાલ આવી શકે છે. કવિ પાસે કેવી કલ્પના છે, અલંકારશક્તિ છે, મૌલિકતા છે, અભિનવતા છે, શબ્દપ્રભુત્વ છે એ એક શ્લોક કે કડી વાંચતા જ સમજાઈ જાય છે. ભાષામાં એટલી શક્તિ છે કે વ્યવહારમાં એમ કહેવાય છે કે માણસ એક વાક્ય બોલે ત્યાં એનાં જાતિ અને કુલની ખબર પડી જાય. (યદા યદા મુચતિ વાક્યબાણ, તદા તદા જાતિકુલ પ્રમાણમ્) આ સંસારમાં અસંખ્ય કે અનંત પદાર્થોમાં સામ્ય કે વૈષમ્યનાં લક્ષણો જોવા મળે છે. જ્યાં સામ્ય નજરે પડે અને એની પરીક્ષાની જરૂર પડે ત્યારે એના એકાદ નાના અંશને તપાસી જોતાં સમસ્ત ચીજવસ્તુની પરખ થઈ શકે. એક મોટું ફળ હોય તો એની નાની ચીરી કે પતીકું ખાતાં ફળના સ્વાદની ખબર પડી જાય છે. સ્વાદ જાણવા માટે આખું ફળ ખાવાની જરૂર નહિ. તપેલું ભરીને દૂધ હોય તો તે સારું રહ્યું છે કે ફાટી ગયું છે તે જોવા માટે એક ચમચી જેટલું દૂધ લઈને કે આંગળી બોળીને ચાખવાથી ખબર પડે છે કે તે કેવું રહ્યું છે. જમણવારમાં રસોઈઆઓ દાળ, કઢી ઇત્યાદિ કરતી વખતે એકાદ ચમચી જેટલું લઇને સ્વાદ ચાખી જુએ છે કે તે બરાબર થઈ છે કે કેમ. જ્યાં વસ્તુમાં વિષમતા હોય અથવા વિષમતાની દૃષ્ટિએ એની પરીક્ષા કરવાની હોય તો ત્યાં ઝીણવટભરી પરીક્ષા આવશ્યક બને છે. સરખાં મોતીની એક સરસ માળા બનાવવાની હોય તો એકે એક મોતી જોઈતપાસીને પસંદ Page #247 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ ક૨વું પડે છે. એક બે મોતી જુદા ખોટા રંગ-કદનાં આવી જાય તો આખી સેરની શોભા બગડે છે. ૨૩૮ ચીજવસ્તુની પરખ માટે મહાવરાથી માણસોની શક્તિ ખીલે છે. જરાક નજર કરતાં જ માણસ એમાં રહેલી ત્રુટિને પારખી શકે છે. કેટલાક માણસની નજર એવી ઝીણી અને ચકોર હોય છે કે એની નજરમાંથી કશું છટકી ન શકે. નાના બાળકમાં સમજશક્તિનો ક્રમે ક્રમે વિકાસ થાય છે. આગળ જતાં તેનામાં પણ અનુમાનશક્તિ વિકસે છે. પછીથી એક અવયવ પરથી તે અવયવીનું અનુમાન કરી શકે છે. મારા પોતાના અનુભવની વાત કહું તો મારી દૌહિત્રી ગાર્ગી એકદોઢ વર્ષની હતી ત્યારે એને ગાય, ઘોડો, સિંહ, હાથી વગેરેનાં ચિત્ર દોરીને તેને ઓળખતાં શીખવાડ્યું. પછી હાથીનું માત્ર મોંઢું અને દંતશૂળ દોરીએ તો પણ તે તરત કહી આપે કે એ હાથી છે. પશુપક્ષીની થોડીક લાક્ષણિક રેખા જોતાં જ તે તરત કહી શકતી. એ બતાવે છે કે નાના બાળકમાં પણ અનુમાનશક્તિ ખીલવા લાગે છે. ગાર્ગીએ ત્રણેક વર્ષની થઈ ત્યાં સુધી માત્ર ચિત્રમાં જ હાથી જોયો હતો. એને માટે એ જ સાચો હાથી હતો. એણે સાક્ષાત્ હાથી જોયો નહોતો. એક દિવસ રસ્તામાં હાથી આવેલો તે જોવા હું એને લઈ ગયો. હાથીને જોઈ તે અચંબો પામી. એણે પ્રશ્ન કર્યો., ‘દાદાજી, હાથી આવો પણ હોય ? હાથી ચાલે પણ ખરો ?' બે ત્રણ વર્ષનું બાળક પહેલાં સાક્ષાત્ પશુપક્ષી જુએ અને પછી એનું Page #248 -------------------------------------------------------------------------- ________________ सित्थेण दोणपागं, कवि च एक्काए गाहाए। ચિત્ર જુએ એ એક સ્થિતિ છે અને પહેલાં ચિત્ર જુએ અને પછી સાક્ષાત્ જુએ એ બીજી સ્થિતિ છે. બંનેમાં ફરક છે. બાળકની અનુમાનશક્તિ બંનેમાં કામ કરે છે. જૈન ધર્મમાં વિવિધ પ્રકારનાં જે પ્રમાણો બતાવ્યાં છે તેમાંનું એક તે અનુમાન પ્રમાણ છે. ‘જ્યાં ધૂમાડો ત્યાં અગ્નિ' એ એનું પ્રસિદ્ધ ઉદાહરણ છે. ૨૩૯ ‘અનુમાન પ્રમાણ’ના પણ જુદા જુદા પ્રકારો બતાવવામાં આવ્યા છે. એમાંનો એક પ્રકાર તે શેષવત્ અનુમાન છે. શેષવત્ અનુમાનના વળી પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છેઃ (૧) કાર્યથી, (૨) કારણથી, (૩) ગુણથી, (૪) અવયવથી અને (૫) આશ્રયથી. કાર્ય જોઇને કારણનું અનુમાન થાય તે કાર્યલિંગજન્ય શેષવત્ અનુમાન કહેવાય છે. ઉ. ત. શંખનો ધ્વનિ સાંભળીને અનુમાન થાય કે આ શંખનો ધ્વનિ છે. કાગડાનો કા....કા અવાજ સાંભળીને મનમાં નક્કી થાય છે કે આ કાગડાનો અવાજ છે. એ જ રીતે વિવિધ પશુપક્ષીઓના અવાજ સાંભળીએ અથવા આપણને પરિચિત હોય એવા માણસોના અવાજ સાંભળીએ કે ચીજવસ્તુઓના ધ્વનિ સાંભળીએ એટલે કે તે કાર્ય થાય અને ત્યારે તેના કારણરૂપ વ્યક્તિ, વસ્તુ કે પશુપક્ષી પરોક્ષ હોય તો પણ આપણે તેને પારખી લઇએ છીએ. આવા અનુમાનમાં બહુ બુદ્ધિશક્તિની જરૂર નથી. થોડો મહાવરો બસ છે. આ અનુમાનને ‘કાર્યલિંગજન્ય શેષવત્' કહેવામાં Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ આવે છે. આવી જ રીતે જ્યારે કારણ પ્રત્યક્ષ હોય ત્યારે કાર્યનું અનુમાન કરીએ ત્યારે તેને કારણલિંગજન્ય શેષવત્ અનુમાન કહેવામાં આવે છે. જેમ કે માટીનો પિંડ ઘડાનું કારણ છે, પણ ઘડો માટીનું કારણ નથી. તંતુઓ પટનું કારણ છે, પણ પટ તંતુનું કારણ નથી. આને કારણલિંગજન્ય શેષવત્ અનુમાન કહેવામાં આવે છે. ગુણલિંગજન્ય શેષવત્ અનુમાનમાં ગુણ પ્રત્યક્ષ હોય છે અને ગુણી પરોક્ષ હોય છે. સુગંધનો અનુભવ થાય તે વખતે આપણે અનુભવના આધારે અનુમાનથી કહીએ છીએ કે આટલામાં ક્યાંક ગુલાબ હોવાં જોઈએ. અથવા મોગરો, ચંપો વગેરે હોવાં જોઈએ. ગુલાબ કે મોગરો કે ચંપો પ્રત્યક્ષ નથી પણ સુગંધથી એનું અનુમાન કરીએ છીએ. અમુક પ્રકારની દુર્ગધ આવતી હોય તો આપણે અનુમાન કરીએ છીએ કે આટલામાં ક્યાંક ગટર હોવી જોઈએ અથવા તેવું કોઈ કારખાનું હોવું જોઈએ. અથવા રસ્તા પરથી પસાર થતા હોઈએ તો અનુમાન થાય કે ક્યાંક ગાય કે કૂતરાનું શબ પડ્યું છે. આવા અનુમાનને ગુણલિંગજન્ય શેષવત્ અનુમાન કહેવામાં આવે આવી જ રીતે અવયવ પ્રત્યક્ષ હોય પણ અવયવી પ્રત્યક્ષ ન હોય તો અવયવ ઉપરથી અવયવીનું અનુમાન કરીએ તે અવયવલિંગજન્ય શેષવત્ અનુમાન કહેવાય છે. ઉદાહરણ તરીકે Page #250 -------------------------------------------------------------------------- ________________ सित्थेण दोणपागं, कविं च एक्काए गाहाए। ૨ ૪ ૧ હાથીદાંત જોતાં હાથીનું, મોરપિચ્છ જતાં મોરનું, અમુક પ્રકારના પહેરવેશ પરથી તે સેનિક છે એવું અથવા ધૂળમાં પગલાં પડ્યાં હોય તો તે કોનાં પગલાં છે તેનું અનુમાન કરીએ તો તેવા પ્રકારના અનુમાનને અવયવલિંગજન્ય અનુમાન કહેવામાં આવે છે. પગનો માત્ર અંગૂઠો જોયો હોય અને તેના પરથી વ્યક્તિનું આખું સરસ ચિત્ર દોરી આપનારા ચિત્રકારો હતા. કેટલીક વસ્તુઓને એના એક નાના અવયવ પરથી ઓળખી શકાય છે કે ઓળખાવી શકાય છે. એ અવયવ એના એક મુખ્ય લક્ષણરૂપ હોવો જોઇએ. એ એની વિશિષ્ટતા દર્શાવતો હોવો જોઇએ. પાંચ પંદર છોકરાઓ હોય અને કોઈ કહે, “પેલા માં નરી આંખવાળાને બોલાવજો.” તો એમાં માંજરી આંખવાળાને આપણે બોલાવીએ છીએ. એના શરીરમાંનો એક લાક્ષણિક અવયવ તે એની આંખો છે. એ આંખો બીજા કરતાં જુદી છે. એ એની લાક્ષણિકતારૂપ છે. માટે તેને માત્ર માંજરી આંખથી ઓળખી શકાય છે. પશુપક્ષીઓને ઓળખવા માટે પણ એના લાક્ષણિક અંગ કે અવયવનો આશ્રય લઈ શકાય છે. આશ્રયલિંગજન્ય શેષવત્ અનુમાન એટલે આશ્રયી પરોક્ષ હોય અને તેના આશ્રયે જે વસ્તુ હોય તે પ્રત્યક્ષ હોય તો એથી આશ્રયીનું અનુમાન થઈ શકે. જેમ કે ધૂમાડો દેખાતો હોય, પ્રત્યક્ષ હોય પણ અગ્નિ ન દેખાતો હોય તો ધૂમાડા પરથી Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪ ૨ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ અગ્નિનું અનુમાન થાય. એવી રીતે જ્યાં બગલા ઊડતા હોય તો ત્યાં એટલામાં ક્યાંક પાણી હોવું જોઇએ એવું અનુમાન થાય. માણસના ચહેરા પરથી, અરે માત્ર એની આંખો પરથી એના મનમાં કેવા ભાવ કે વિચાર ચાલી રહ્યા છે તેનું અનુમાન કરી શકાય છે. લોકોકિત છે કે “પુત્રનાં લક્ષણ પારણામાંથી અને વહુનાં લક્ષણ બારણામાંથી.” મનુષ્યના સ્વભાવની લાક્ષણિકતાઓ એના વર્તનમાં પ્રતિબિંબિત થાય છે. માણસ ચાહે કે ન ચાહે, નાની નાની ઘટનાઓ પણ એના સ્વભાવની ચાડી ખાય છે. કોઇપણ મનુષ્યની લાક્ષણિકતાનો અભ્યાસ કરવા માટે એના સમગ્ર જીવનની તપાસ કરવાની જરૂર નથી. થોડીક કે એકાદ ઘટનાનું વિશ્લેષણ એના જીવનની પારાશીશીરૂપ બની શકે છે. પહેલાંના વખતમાં એક લોકોકિત પ્રચલિત હતી કે “લશ્કરકા ભેદ પાયા, આગેસે ગદ્ધા આયા.” પ્રાચીન સમયમાં લશ્કરમાં હાથી, ઘોડા વગેરે રહેતાં અને માલવાહક પ્રાણી તરીકે ખચ્ચર, ગધેડાં વગેરે પણ રહેતાં. સૈન્ય આગેકૂચ કરતું હોય ત્યારે આગળ હાથી, ઘોડા વગેરે મહત્ત્વનાં પ્રાણી હોય. સૈનિકો પાસે કેટલા હાથી અને કેટલા ઘોડા છે એના પરથી સૈન્યની તાકાતનું માપ જણાતું. પરંતુ કોઈ સૈન્ય આગેકૂચ કરતું હોય અને મોખરે ગધેડાનું નેતૃત્વ હોય તો એ નમાલું સૈન્ય છે. એમ તરત જણાઈ આવે. એવા લશ્કરને જીતવાનું અઘરું ન Page #252 -------------------------------------------------------------------------- ________________ सित्येण दोणपागं, कविं च एक्काए गाहाए। ૨ ૪૩ હોય. માટે જ કહેવત પડી કે “આગેસે ગદ્ધા આયા.” આમ, અનુમાનના પ્રકાર ઘણા છે. મતિજ્ઞાનનો આ વિષય છે. જેમ માણસના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ વધારે તેમ એની અનુમાનશક્તિ વધારે. કેટલાક માણસોની અનુમાનશક્તિ આશ્ચર્યમુગ્ધ કરી દે એવી હોય છે. આવી અનુમાનશક્તિ અને વ્યવહારજગતમાં ઉપયોગી થવા ઉપરાંત અધ્યાત્મજગતમાં ઉપયોગી થાય તો જ તે સવિશેષ સાર્થક ગણાય. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧ अपुच्छिओ न भासेज्जा, भासमाणस्स अंतरा । [વગર પૂછયે ન બોલવું, બોલતા હોય ત્યારે વચ્ચે ન બોલવું] ચરમ તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ગુરુ-શિષ્યના સંબંધોમાં શિષ્ય કેવી રીતે બેસવું, ઊઠવું, ગોચરી વહોરવી, બોલવું, ચાલવું ઇત્યાદિ વિશે નાની નાની પણ અત્યંત મહત્ત્વની શિખામણો આપી છે, જે તેઓને સંયમજીવનમાં, વિનયવ્યવહારમાં અને અધ્યાત્મસાધનામાં અત્યંત ઉપયોગી છે. આવી શિખામણોમાં જીવનનું સૂક્ષ્મ દૃષ્ટિથી કેટલું તલસ્પર્શી અવલોકન થયું છે અને સંયમના માર્ગમાં કેવાં કેવાં ભયસ્થાનો છે તથા અધ્યાત્મમાર્ગના આરોહણમાં કેવી કેવી સાવધાની રાખવી જોઇએ તે વિશેના સચોટ માર્ગદર્શનની આપણને પ્રતીતિ થાય છે. મુનિએ ક્યારે ક્યારે કેવી રીતે બોલવું કે ન બોલવું એ વિશેની ભલામણોમાંથી વગર પૂછળે ન બોલવા વિશેની ભલામણ કેટલી બધી ઉપયોગી છે તે અનુભવથી સમજાય એવું છે. દશવૈકાલિકસૂત્રના આઠમા અધ્યયનમાં કહ્યું છે : अपुच्छिओ न भासिज्जा, भासमाणस्स अंतरा। पिट्ठिमंसं न खाइज्जा, मायामोसं वि वज्जए ।। (મુનિએ વગર પૂછ્યું બોલવું નહિ, ગુરુ ભગવંત બોલતા હોય ત્યારે વચમાં ન બોલવું, નિંદા કરવી નહિ અને Page #254 -------------------------------------------------------------------------- ________________ अपुच्छिओ न भासेज्जा, भासमाणस्स अंतरा । ૨૪૫ માયામૃષાનો ત્યાગ કરવો) ઉત્તરાધ્યયનસૂત્રના “વિનયશ્રુત” અધ્યયનમાં પણ આ જ અર્થમાં ભગવાને કહ્યું છેઃ णापुट्ठो वागरे किंचि, पुट्ठो वा णालियं वए । એટલે કે વિનીત શિષ્ય ગુરુના પૂછયા સિવાય કંઈ બોલવું નહિ અને પૂછે તો અસત્ય ન બોલવું. ગુરુ મહારાજ જ્યારે કોઈની સાથે વાત કરતા હોય ત્યારે શિષ્ય વચ્ચે ન બોલવું જોઈએ. ગુરુ મહારાજ પૂછે અથવા બોલવાનું કહે તો જ બોલવું જોઈએ. સરળ સુસંવાદી જીવનવ્યવહાર અને વિનયપૂર્વકના સંયમજીવન માટે એ બહુ જરૂરી છે. શિષ્ય જો વગર પૂછ્યું બોલે તો કોઈકની વાત છતી થઈ જવાનું જોખમ છે, જે બોલવા જેવી ન હોય કે જાહેરમાં મૂકવા જેવી ન હોય. વળી વચ્ચે બોલવાથી વાતનો તંતુ તૂટી જાય છે, વિષયાંતર થવાનો સંભવ રહે છે અને અન્ય વ્યક્તિ ઉપર ખોટી છાપ પડવાનો સંભવ રહે છે. કોઈ વાતની સ્પષ્ટતાની જરૂર હોય કે કંઈ માહિતી જોઈતી હોય તો ગુરુ મહારાજ પોતે જ શિષ્યને પૂછી લે છે એટલે શિષ્ય વગર પૂજ્ય બોલવાની આવશ્યક્તા નથી. વળી એક વખત શિષ્યને વગર પૂછળે બોલવાની ટેવ પડી જાય તો શિષ્યમાં અવિનય આવવા લાગે છે. પોતે ગુરુભગવંત કરતાં હોંશિયાર અને વધુ જાણકાર છે એવું અભિમાન આવી જવાનો પણ સંભવ રહે છે. જીવનને Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ ક્રોધ, માન ઇત્યાદિ કષાયોથી રહિત બનાવવાનું હોય છે. પરંતુ તેને બદલે તેવા કષાયોને પોષણ મળવાનો સંભવ રહે છે. વળી બીજા શિષ્યોની ચાડીચુગલી કરવાની વૃત્તિ પણ થઈ આવે છે અને ક્યારેક અસત્યનો, માયાચારનો આશ્રય પણ લેવાઈ જાય છે. આ બધામાંથી બચવું હોય તો વાણી ઉપરનો સંયમ અત્યંત જરૂરી છે. એ માટે જુદી જુદી જાતની તકેદારી રાખવાની જરૂર છે. એમાંની એક તે વગર પૂછ્યું ન બોલવા વિશેની છે. માણસ જ્યારે કંઈક વિશેષ જાણતો હોય છે અથવા પોતાને કોઈક વાતની વહેલી ખબર પડી જાય છે ત્યારે એના પેટમાં વાત રહેતી નથી અને વગર પૂછ્યું પણ એ વાત ઉચ્ચારાઈ જાય છે અને એ દ્વારા જશ ખાટી જવાની વૃત્તિ સંતોષાય છે. ભગવાને ગુરુ-શિષ્યના સંબંધને લક્ષમાં રાખીને જે ભલામણ કરી છે તે ગૃહસ્થોના અંગત અને જાહેર જીવનમાં પણ એટલી જ ઉપયોગી છે. આપણી કેટલીયે સામાજિક સંસ્થાઓની સમિતિઓમાં પોતાના વક્તવ્યને રજૂ કરવા અંગે ઠીક ઠીક ગેરશિસ્ત પ્રવર્તતી હોય છે. ગમે ત્યારે ગમે તે વ્યક્તિ સભાસંચાલનમાં વચ્ચે બોલીને દખલગીરી કરે છે. સભાધ્યક્ષના આદેશો ન માનવામાં જ મોટાઈ મનાય છે. ઘણી સભાઓમાં જેમ નમૂનારૂપ શિસ્ત જોવા મળે છે તેમ ગેરશિસ્ત પણ જોવા મળે છે. અંગત તેમ જ જાહેર જીવનમાં શિસ્ત વગર કોઈપણ પ્રજા બહુ પ્રગતિ ન કરી શકે. શિસ્તના પાઠ બોલવાબેસવાની આવી નાની નાની વાતોથી શરૂ થઈ શકે. Page #256 -------------------------------------------------------------------------- ________________ अपुच्छिओ न भासेज्जा, भासमाणस्स अंतरा । અહીં મુનિ મહારાજને ભલામણ કરવામાં આવી છે કે એમના ગુરુભગવંત કોઈની સાથે વાત કરતા હોય ત્યારે એમાં વચ્ચે ન બોલવું જોઈએ. વચ્ચે બોલવાથી કોઈકને ક્ષોભ થાય, કોઈક સાથે દ્વેષ, વેરભાવ ઈત્યાદિ થાય, પરિસ્થિતિ ખોટો વળાંક લઈ લે, ધાર્યુ કામ પૂર્ણ ન થાય ઈત્યાદિ પ્રકારનો સંભવ રહે છે. એટલે જ કોઈની વાતમાં વચ્ચે બોલવું એ બૂરી આદત સમાજમાં ગણાય છે. ક્યારેક પોતાનું ડહાપણ બતાવવા માટે પણ માણસને વચ્ચે બોલવાનું મન થાય છે. પોતે બહુ ડાહ્યા છે, સમજદાર છે, જાણકા૨ છે એવા ભાવથી અભિમાનપૂર્વક વચન ઉચ્ચારાય છે. પરંતુ જીવન-વ્યવહારમાં, જેટલું જાણતા હોઈએ એટલું બધું જ બીજાને કહેવા યોગ્ય નથી હોતું. થેરગાથામાં કહ્યું છે : सव्वं सुणाति सोतेन, सव्वं पस्सति चक्खुना । न च दिट्ठे सुतं धीरो सव्वं उज्झितमरहति । (માણસ કાનથી બધું સાંભળે છે, આંખથી બધું જુએ છે, પરંતુ જે કંઈ જોયું કે સાંભળ્યું હોય તે બધું બધાને કહેવા યોગ્ય છે એવું ધીર પુરુષને લાગતું નથી.) પોતાના વિચારો દ્વારા પોતાની પ્રતિક્રિયા તરત વ્યક્ત કર્યા પછી કેટલાક પસ્તાય છે. પોતાનાથી ઉતાવળ અને અધીરાઈ થઈ ગઈ છે, કાચું કપાઈ ગયું છે એમ પછી લાગે છે. પછી એનાં માઠાં પરિણામો ભોગવવાનો વખત પણ આવે છે. એટલે જ ‘ન બોલ્યામાં નવ ગુણ' જેવી કહેવત પ્રચલિત થઈ છે. ૨૪૭ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ વળી આપણે ત્યાં એક રૂઢ પ્રયોગ છે : વગર બોલાવ્યે બોલે એ તણખલાની તોલે. જૂના વખતનો એક ટુચકો છે. એક રાજાના મંત્રીની ચારે પત્નીઓ બહુ રૂપાળી, પણ કોઈક કારણસ૨ બોબડી થઈ ગઈ હતી. એટલે મંત્રી પત્નીઓને ક્યારેય રાજદરબારમાં લઈ જતો નહિ. આથી રાજાને જિજ્ઞાસા થતી. એક વખત રાજાએ મંત્રીને કહ્યું, ‘મારે એક દિવસ તમારે ઘરે જમવા આવવું છે.’ મંત્રીથી ના પડાય એમ નહોતું. રાજા અને મંત્રી જમવા બેઠા. ચારે પત્નીઓએ સરસ રસોઈ બનાવી અને સુસજ્જ થઈને પીરસવા લાગી. પરંતુ મંત્રીએ પત્નીઓને શિખામણ આપી રાખી હતી કે પીરસીને આઘા ઊભા રહેવું અને પૂછ્યા વગર કોઈએ બોલવું નહિ. વળી રાજા તમને કંઈ પૂછે તો પહેલાં તો તમારાવતી તરત હું જવાબ આપી દઇશ. તમારે મૌન રાખવું. તમે બોલતાં શરમાવ છો એમ હું કહીશ.' ચારે પત્નીઓએ એ શિખામણ સ્વીકારી લીધી. રાજા પત્નીઓને કંઈ પણ પૂછે કે તરત મંત્રી જવાબ આપી દેતા. રાજાને થયું કે હવે કંઈક યુક્તિ કરવી જોઇશે. એણે જમતાં જમતાં રસોઇનાં વખાણ કર્યાં અને કહ્યું : ‘આજે વડાં બહુ જ સરસ થયાં છે. આવાં વડાં તો જિંદગીમાં મેં ક્યારેય ખાધાં નથી.’ રાજાને મોંઢે વડાંની પ્રશંસા સાંભળી વડાં બનાવનાર પત્નીથી રહેવાયું નહિ. એ તરત બોલી, ‘એ વયાં તો મેં કયાં Page #258 -------------------------------------------------------------------------- ________________ अपुच्छिओ न भासेज्जा, भासमाणस्स अंतरा । ૨૪૯ છે.” (એ વડાં તો મેં કર્યા છે.) ત્યાં બીજી પત્નીએ તરત એને ઠપકો આપતાં કહ્યું, “ના કઈ તી ને ચેમ બોઈ ?' (ના કહી હતી તો કેમ બોલી ?). ત્યાં ત્રીજી બોલી ઊઠી, “એ તો બોઈ તો બોઈ પણ તું એમ બોઈ ?' (એ તો બોલી તો બોલી, પણ તું કેમ બોલી ?). ત્યાં ચોથી બોલી, “એ બોઈ, પણ હું તો બોઇય નથી અને ચાઇય નથી.” (એ બોલી પણ હું તો બોલી પણ નથી અને ચાલી પણ નથી.) આમ ચારે બોબડી પત્નીઓ ન પૂછવા છતાં બોલી અને મંત્રી ઝંખવાણો થઈ ગયો. આ તો દૃષ્ટાન્તરૂપે ટુચકો છે, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાની પ્રશંસા વખતે માણસથી રહેવાતું નથી, ન બોલવાનું હોય તોપણ બોલાઈ જાય છે. મૌનનો પણ ભંગ થઈ જાય છે. જ્યારે કોઈ શિક્ષણવર્ગમાં, ચર્ચાસભામાં પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એ પ્રશ્ન બધાને માટે હોય છે, પરંતુ તેનો જવાબ તો જેને આપવાનો હોય તે જ આપે છે. કેટલીક વાર શિક્ષક કહે છે, “સવાલ સબસે, જવાબ એકસે.” શિક્ષક વર્ગમાં પ્રશ્ન પૂછે અને બધા જ વિદ્યાર્થીઓ એક સાથે બોલે તો ગેરશિસ્ત અને ઘોંઘાટ સર્જાય. સવાલ-જવાબની પદ્ધતિ શાળાઓમાં સારી રીતે શીખવી શકાય છે. જ્યાં આ પ્રમાણે તાલીમ અપાય છે ત્યાં સુંદર શિસ્ત પ્રવર્તે છે. લશ્કરી તાલીમમાં અને પ્રત્યેક દેશના લશ્કરી જીવનમાં બોલવા અંગે, સવાલ-જવાબ અંગે સારી શિસ્ત પ્રવર્તતી હોય Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૦ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ છે. કોઈ વચ્ચે બોલે એવું લશ્કરી જીવનમાં જોવા નહિ મળે. કેટલીકવાર વિદ્યાર્થીઓમાં દેખાડો કરવાની વૃત્તિને લીધે કે શિક્ષકને પજવવા માટે પ્રશ્નો પૂછવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટેની એક શિબિરમાં બહારના એક વ્યાખ્યાતા રાતના આઠથી નવ વ્યાખ્યાન આપતા અને છેલ્લે કહેતા કે વ્યાખ્યાનના વિષય અંગે કોઇને કંઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછો. થાકેલા અને ઊંઘમાં આવેલા વિદ્યાર્થીઓ કંઈ પૂછતા નહિ. કદાચ કોઈ વિદ્યાર્થી પૂછે તો બીજા પછીથી ખાનગીમાં એને ઠપકો આપીને કહેતા કે “તારે પૂછવું હોય તો એકલો જઈને પૂછી આવજે. અમારો સમય શું કામ બગાડે છે. અમારે વેળાસર ઊંઘવું હોય કે નહિ?' બીજા દિવસોએ પણ વ્યાખ્યાતા ત્રણચાર વાર કહે છતાં કોઈનો ય પ્રશ્ન ન આવતાં તેઓ વિદાય લેતા. છેલ્લા દિવસે વ્યાખ્યાનમાં વિદ્યાર્થીઓના આચાર્ય આવીને બેઠા. વ્યાખ્યાનને અંતે વ્યાખ્યાતાએ રાબેતા મુજબ કહ્યું કેઃ “કોઇને કંઈ પૂછવું હોય તો પૂછો. તરત એક સાથે આઠ હાથ ઊંચા થયા. એક પછી એક પ્રશ્નો, કેટલાક તો ઢંગધડા વગરના થવા લાગ્યા. વ્યાખ્યાતાએ ધીરજપૂર્વક જવાબો આપ્યા. પણ પ્રશ્નો તો આવતા જ ગયા. પ્રશ્ન પૂછનાર પ્રશ્ન પૂછડ્યા પછી ધ્યાનથી સાંભળવા વ્યાખ્યાતાની સામે જોવાને બદલે પોતાના આચાર્યની સામે જુવે. વ્યાખ્યાતા શો જવાબ આપે છે એ સાંભળવામાં એને રસ નહિ, પણ પોતે કેવો સરસ પ્રશ્ન કર્યો છે એનો પ્રતિભાવ Page #260 -------------------------------------------------------------------------- ________________ अपुच्छिओ न भासेज्जा, भासमाणस्स अंतरा । ૨ ૫ ૧ આચાર્યના ચહેરા પર કેવો છે તે જ જાણવા ઉત્સુક. બે કલાક સુધી વિદ્યાર્થીઓના પ્રશ્નો આવતા જ રહ્યા અને છેવટે રાતના સાડા બાર વાગે આચાર્યને આજ્ઞા કરવી પડી કે “હવે પ્રશ્નો બંધ થાય.' પ્રશ્નોત્તરીની બાબતમાં આવો આડંબર પણ થાય છે. બીજાઓ સાથેની વાતચીતમાં માણસે બોલતાં પહેલાં પોતાની યોગ્યતાનો, પોતાની પરિસ્થિતિનો, પોતાના અધિકારનો વિચાર કરવો જોઈએ. માણસે મનઃપૂત વાણી ઉચ્ચારવી જોઈએ. કહેવાયું છે કે : વચન રતન, મુખ કોટ છે, હોઠ કપાટ બનાય; સમજ સમજ હરફ કાઢિયે, મત પરવશ પડ જાય. વાણી ઉપરના સંયમમાં માણસની ધીરજની કસોટી થાય છે. બોલવું છે, બોલવા જેવું છે અને છતાં નથી બોલવું, ન બોલવામાં જ ઔચિત્ય છે એમ સમજીને મનને સંયમમાં રાખવું ઘણું અઘવું છે. મનને સંયમમાં રાખવાથી સામાજિક અને નૈતિક દૃષ્ટિએ લાભ થાય કે ન થાય, પણ આધ્યાત્મિક દૃષ્ટિએ તો અવશ્ય લાભ થાય જ છે. આપણને પ્રશ્ન થાય કે કોઈ ન પૂછે તો ન બોલવું એ સાચું, પણ કોઈ સહજ ભાવે કે જાણી જોઈને પૂછે તો શું કરવું ? કોઈ ન પૂછે અને ન બોલવું એમાં તો ઉત્તમ ડહાપણ છે, પરંતુ હેતુપૂર્વક પૂછવામાં આવે ત્યારે પણ માણસે ઉત્તર આપવો કે નહિ તેનો પુખ્ત વિચાર કરવો જોઈએ. પૂછનારનો ઈરાદો કેવો છે તે પણ પારખતાં આવડવું જોઈએ. કેટલાક માણસ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫ ૨ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ નફ્ફટ થઈને સીધો સવાલ અચાનક કરે છે. ત્યારે માણસની કસોટી થાય છે. અસત્ય બોલવું નથી અને વિષમ પરિસ્થિતિમાંથી બચવું છે. તો તેની કલા માણસને આવડવી જોઈએ. ક્યારેક તો એટલો વિચાર કરવાનો પણ સમય રહેતો નથી.પરંતુ વ્યક્તિએ પોતાનું જીવન એવી રીતે ઘડવું જોઇએ કે સહસા પણ અયોગ્ય ન જ બોલાઈ જાય. હિત, મિત, પથ્ય અને સત્ય વાણી માટેનો આગ્રહ જીવનમાં વણાઈ જાય તો અયોગ્ય, અપરિપક્વ વાણી ઉચ્ચારવાનો સમય આવતો નથી. સહસા પણ એવું બોલાતું નથી. વગર પૂછક્ય બોલવું ન જોઇએ એ તો સાચું અને ગુરુ મહારાજ પૂછે તો વિનયપૂર્વક ઉત્તર આપવો જોઇએ એ પણ સાચું, પરંતુ કેટલીક સામાજિક બાબતોમાં, રાજકારણમાં કે એવા અન્ય વિષયમાં તો પૂછવામાં આવે છતાં મૌન રાખવામાં ડહાપણ છે. પોતાના ઉત્તરથી જો કલેશ કંકાસ થવાનો હોય, વાદવિવાદ કે કષાયો થવાના હોય, હિંસા થવાની હોય તો તેવે વખતે પૂછવા છતાં ન બોલવું જોઇએ. એક સુભાષિતમાં કહ્યું છે : ना पृष्ठ: कस्याचिद् ब्रूयान्नाऽप्यन्यायेन पृच्छतः । ज्ञानवानपि मेघावी जडवत् समुपाविशेत् ।। [કોઈના પૂછ્યા વગર કશું કહેવું નહિ. વળી અન્યાયથી જો પૂછવામાં આવે તો પણ જ્ઞાનવાન, મેધાવી વ્યક્તિ જડવત્ ચૂપ બેસી રહે.] કેટલાક માણસોની પ્રકૃતિ જ એવી હોય છે કે તેઓ કારણ Page #262 -------------------------------------------------------------------------- ________________ अपुच्छिओ न भासेज्जा, भासमाणस्स अंतरा । હોય કે ન હોય, બોલ્યા વગર રહી શકતા નથી. જે બહુ બોલબોલ કરે છે તેઓ જ ભાંગરો વાટતા હોય છે. જે માણસ વારંવાર મૌનનો અભ્યાસ કરે છે તેને પછી વગર કારણે બોલવાની બહુ ઇચ્છા થતી નથી. એટલા માટે સાધકે તો વાણીના સંયમનો, મૌનનો અભ્યાસ સતત રાખતા રહેવું જોઇએ. ઉત્તરાધ્યયનસૂત્રમાં ભગવાનને પૂછવામાં આવે છે : वइगुत्तयाए णं भंते, जीवे किं जणयइ ? (હે ભગવાન ! વચનગુપ્તિથી જીવ શું પ્રાપ્ત કરે છે ?) ભગવાને કહ્યું કે : वइगुत्तयाए णं निव्विकारं जणयइ । निव्विकारे णं जीवे वइगु अज्झप्पजोगसाहणजुत्ते यावि भवइ । (વચનગુપ્તિથી જીવ નિર્વિકારતા પ્રાપ્ત કરે છે. નિર્વિકાર થવાથી તે અધ્યાત્મયોગની સાધનાથી યુક્ત થાય છે.) એટલે અધ્યાત્મસાધના માટે વચનગુપ્તિની અત્યંત આવશ્યકતા છે. જેમ જેમ વાણી પરનો સંયમ આવતો જાય તેમતેમ યોગ્ય સમયે યોગ્ય વચન જ ઉચ્ચારાય, નિરર્થક વાણીવિલાસ થાય નહિ. વાણીના સંયમથી અંતર્મુખ થવાય અને ચિત્ત વિકારરહિત, વિશુદ્ધ બનવા લાગે. શું પૂછ્યા વગર ક્યારેય બોલાય નહિ ? ના, એવું નથી. વ્યવહા૨માં ક્યારેક ન પૂછવામાં આવ્યું તો પણ બોલવું એ કર્તવ્યરૂપ બને છે. હેમચંદ્રાચાર્યે કહ્યું છે કે જ્યાં ધર્મની હાનિ થતી હોય ત્યાં વગર પૂછ્યું પણ બોલવું જોઈએ. એ દોષરૂપ ૫૩ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૪ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ * ક ૦ . નથી, બલ્ક કર્તવ્યરૂપ છે. પરંતુ આવા પ્રસંગે માણસે પ્રેમથી, સૌમ્યતાથી વિવેકબુદ્ધિપૂર્વક વચન ઉચ્ચારવું જોઇએ. પ્રશ્નો પૂછવાની બાબતમાં ગુરુ ગૌતમસ્વામીની તોલે કોઈ ન આવે. ગૌતમસ્વામી એટલે પ્રાશ્ચિકનો આદર્શ. ભગવાન મહાવીર સ્વામીને એમણે પૂછેલા પ્રશ્નોમાંથી છત્રીસ હજાર પ્રશ્નો અને ભગવાને એના આપેલા ઉત્તરો ભગવતીસૂત્રમાં સચવાયા છે. ગૌતમસ્વામી કેટલા વિનયપૂર્વક પ્રશ્નો પૂછે છે અને ભગવાન પણ “હે ગોયમા” એમ કહીને કેટલા વાત્સલ્યપૂર્વક જવાબ આપે છે ! પોતે જાણતા નહોતા માટે ગૌતમસ્વામીએ પ્રશ્નો પૂછ્યા હતા એવું નથી, પોતે તો જાણતા જ હતા, પણ પોતાના પ્રશ્નોથી ત્યાં બેઠેલા બીજા જીવોની શંકાનું સમાધાન થાય એ આશય હતો. એમના પ્રશ્નોમાં પણ બીજા જીવો માટેનો કરુણાભાવ હતો. જેઓ ઊંચી કોટિના સાધક છે તેઓને તો અકારણ વચન ઉચ્ચારવું જ ગમતું નથી. અકારણ વચન ઉચ્ચારવું એટલે વિશ્વના વ્યવહારમાં હસ્તક્ષેપ કરવો. રાગદ્વેષ વગર હસ્તક્ષેપ થાય નહિ. જ્યાં હસ્તક્ષેપ છે ત્યાં સૂક્ષ્મ હિંસા છે. આત્મા સ્વભાવમાંથી નીકળી વિભાવદશામાં આવે ત્યારે જ હસ્તક્ષેપ થાય છે. એટલે અકારણ બોલવું એ આત્માની વૈભાવિક દશાનું સૂચક છે. જેઓ સાધનાની ઊચ્ચ કક્ષાએ પહોંચ્યા છે તેઓ તો જગતને એ જેવું છે તેવા સ્વરૂપે જ નિહાળે છે. એમાં તેઓ પ્રમાદી કે કર્તવ્યસ્મૃત બન્યા છે એમ નહિ કહી શકાય. તેઓની આત્મરમણતા એટલી ઉચ્ચ કોટિની હોય છે કે જગતને તેઓ Page #264 -------------------------------------------------------------------------- ________________ अपुच्छिओ न भासेज्जा, भासमाणस्स अंतरा । જુએ છે અને છતાં નથી જોતા. તેઓની એ દશા તો જેઓ સમજે છે તે સમજે છે. ૨૫૫ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨ जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुहेसिया। [જે જાણે કે “હું મરીશ નહિ તે જ સુખશીલતા ઇચ્છી શકે]. આ દુનિયામાં કોણ એવો છે કે જે એમ કહી શકે કે “હું ક્યારેય મરવાનો નથી ?' આપણી નજર સમક્ષ કેટલીયે વાર એવી ઘટના બને છે કે માણસ જીવતો-જાગતો, હરતો-ફરતો, બોલતો-ચાલતો હોય અને મૃત્યુ પામતાં તત્ક્ષણ એનો દેહ નિશ્કેટ બની જાય છે. પછી તે હાલીચાલી શકતો નથી, અરે એક આંગળી પણ તે ઊંચી કરી શકતો નથી. એના નિષ્ણાણ દેહને વધુ વખત રાખી શકાતો નથી. એની અંત્યેષ્ટિ ક્રિયા કરવી જ પડે છે. શબનો નિકાલ કર્યા વગર છૂટકો નથી. કાળચક્ર સતત ફરતું રહે છે અને યમરાજા પોતાની લીલા સર્વત્ર પ્રસરાવતા રહે છે. રોજ છાપામાં મરણ નોંધ વાંચીએ છીએ. કોઈ ગ્રામનગર એવું નથી કે જે એમ કહે કે અમારે ત્યાં ક્યારેય કોઈ મર્યું નથી. કોઈક કુટુંબમાં પચાસ-સાઠ વર્ષ સુધી કોઈનું અવસાન ન થયું હોય એમ બને, પણ કોઈ ક્યારેય મૃત્યુ પામ્યું નથી એમ તો ન જ કહી શકે. એટલા માટે તો ભગવાન બુદ્ધ કિસા ગૌતમીને કહ્યું હતું કે “જે કુટુંબમાં ક્યારેય કોઈ મૃત્યુ ન પામ્યું હોય એવા ઘરેથી રાઈના દાણા લઈ આવે Page #266 -------------------------------------------------------------------------- ________________ जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुहेसिया। ૨૫૭ તો એ વડે તારા મૃત્યુ પામેલા દીકરાને જીવતો કરી આપું.” ભોળી કિસા ગૌતમી ઘેર ઘેર એ માટે ફરી હતી અને નિરાશ થઈ ભગવાન બુદ્ધ પાસે આવી ત્યારે ભગવાને સમજાવ્યું હતું કે “મૃત્યુ તો દરેકનું આવે જ છે.” આ સંસારમાં કોઈ અમરપટો લખાવીને આવ્યું નથી. જે જગ્યું તે જાય એ વાત દીવા જેવી સ્પષ્ટ છે. જૈન ધર્મ પ્રમાણે સર્વોચ્ચ દેવગતિ- સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોનું તેત્રીસ સાગરોપમનું આયુષ્ય હોય છે અને કોઈ વાતે દુઃખ હોતું નથી, તો પણ તેમનું આયુષ્ય પૂર્ણ થાય છે. મોડો કે વહેલો, સર્વ સંસારી જીવોના આયુષ્યનો અંત આવે જ છે. આપણા પોતાના જ જીવનકાળ દરમિયાન કેટકેટલા પરિચિત જનોને વિદાય લેતા આપણે જોઈએ છીએ ! આપણે કેટલાયની સ્મશાનયાત્રામાં જઈ આવ્યા છીએ ! દુનિયામાં કોઈ ગ્રામનગર એવું નથી કે જ્યાં સ્મશાન-કબ્રસ્તાન ન હોય અને કોઈ સ્મશાન એવું નથી કે જે રજા ઉપર કે હડતાલ પર ઉતર્યું હોય. એટલે જ ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના ઈષકારીય' નામના અધ્યયનમાં કહ્યું છે કે કોઈ એવું નથી કે જે એમ કહી શકે કે ક્યારેય મરીશ નહિ.” ઉત્તરાધ્યયન સૂત્રના આ “ઈન્ફકારીય' નામના ચૌદમા અધ્યયનમાં સંયમના પંથને વરેલા છ પુણ્યશાળી જીવોની કથાને વણી લેવામાં આવી છે. પ્રાચીન કાળમાં ઇષકાર નામનો રાજા હતો. એના નામ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૮ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ પરથી એની નગરીનું નામ પડ્યું હતું ઇષકારનગર. છે જીવો દેવગતિમાં પોતાનું આયુષ્ય પૂર્ણ કરી મનુષ્યગતિમાં અવતર્યા હતા. પૂર્વના ઋણાનુબંધ અનુસાર તેઓ છએ ઇષકારનગરમાં જન્મ્યા હતા. એમાંથી ચાર બ્રાહ્મણકુળમાં અને બે ક્ષત્રિયકુળમાં રાજારાણી તરીકે જન્મ્યા હતા. બ્રાહ્મણકુળમાં જન્મેલા એક તે પુરોહિત હતા. બીજો જીવ તે એમની પત્ની યશા હતી. બીજા બે જીવો તે એમના બે દીકરાઓ હતા. મોટા થતાં આ બંને કુમારોને એક વખત એક યોગી મહાત્માનાં દર્શન થયાં. દર્શન થતાં જ બંનેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાના પૂર્વ ભવનું જ્ઞાન થતાં જ બંને કુમારોને જન્મ, જરા અને મૃત્યુવાળા સંસારથી વિરક્ત થઈને દીક્ષા લેવાના ભાવ થયા. એથી ઘરે આવીને તેઓએ પિતાજી આગળ પોતાની ઇચ્છા દર્શાવી. પિતા પુરોહિતે કહ્યું કે “તમે બંને પહેલાં વેદાભ્યાસ કરો, બ્રાહ્મણોને જમાડો, ગૃહસ્થાશ્રમમાં દાખલ થાવ, ભોગ ભોગવો અને પછી દીક્ષા લેજો.' પરંતુ પિતાની આ વાત પુત્રોએ સ્વીકારી નહિ. પોતે શા માટે સ્વીકારતા નથી તે પણ સમજાવ્યું. પિતાએ વિવિધ દલીલો સાથે પુત્રોને દીક્ષા ન લેવા માટે કહ્યું, પરંતુ પુત્રો તે પ્રત્યેક વાતનો બરાબર પ્રત્યુત્તર વાળતા હતા. પુત્રોએ કહ્યું છે: પિતાજી, આ લોક મૃત્યુથી પીડાઈ રહ્યો Page #268 -------------------------------------------------------------------------- ________________ जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुहेसिया। ૨ ૫૯ છે, વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલો છે તથા રાત્રિદિવસરૂપી ચક્ર આયુષ્યને ક્ષીણ કરી રહ્યું છે. વળી : जा जा वच्चइ रयणी, ण सा पडिणियत्तइ। अहम्मं कुणमाणस्स अफला जंति राइजो ॥ [જ જે રાત્રિઓ વીતે છે તે પાછી નથી આવતી. જે માણસ અધર્મ કરે છે તેની રાત્રિઓ નિષ્ફળ થાય છે.] जा जा वच्चइ रयणी, ण सा पडिणियत्तइ । धम्मं च कुणमाणस्स सफला जंति राइओ ॥ [જે જે રાત્રિઓ વીતે છે તે પાછી નથી આવતી. પરંતુ જે માણસ ધર્મ કરે છે તેની રાત્રિઓ સફળ થાય છે.] પિતાએ પુત્રોને કહ્યું, “તમારી વાત સાચી છે, પરંતુ પહેલાં આપણે બધાં ગૃહસ્થાશ્રમનું પાલન કરી લઈએ, પછી વ્રતો અંગીકાર કરીશું અને પછી છેવટે દીક્ષા લઈ ભિક્ષાથી સંયમજીવનનો નિર્વાહ કરીશું.' ત્યારે પુત્રોએ પિતાને સમજાવ્યું કે મૃત્યુ ક્યારે આવવાનું છે તેની કોને ખબર છે ? પુત્રોએ કહ્યું: जस्सत्थि मच्चुणा सक्खं, जस्स वऽत्थि पलायणं । जो जाणे ण मरिस्सामि, सो हु कंखे सुहेसिया ॥ [અર્થાત્ જેની મૃત્યુ સાથે મિત્રતા હોય, જે મૃત્યુથી છૂટીને ભાગી શકતો હોય, પલાયન થઈ શકતો હોય અને જે એમ જાણે કે પોતે ક્યારેય મરવાનો નથી તે ભલે સુખશીલતાની ઇચ્છા રાખે.] Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬૦ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ પુત્રોના સમજાવ્યાથી માતા-પિતાએ તેઓને દીક્ષા લેવા સંમતિ આપી. એટલું જ નહિ પુત્રોની પ્રેરણાથી તેઓ પણ દીક્ષા લેવા તૈયાર થયા. આમ, કુટુંબના ચાર સભ્યોએ ગૃહત્યાગ કરી સંયમના માર્ગ વિચરણ કર્યું. પ્રાચીન કાળમાં એવી પ્રથા હતી કે જે ધનસંપત્તિનો કોઈ સીધો વારસદાર ન હોય તે ધનસંપત્તિ રાજ્યને મળે. પુરોહિતના સમગ્ર પરિવારે દીક્ષા લીધી એટલે એમની ધનસંપત્તિના કોઈ સીધા વારસદાર રહ્યા નહિ. ત્યારે રાજાની ઈચ્છા એ સંપત્તિ મેળવી લેવાની થઈ. તે સમયે રાણીએ એમને અટકાવ્યા અને સંસારની અસારતા સમજાવી. છેવટે રાજા અને રાણી પણ દીક્ષા લેવા તૈયાર થયા. આમ, પૂર્વ ભવના છએ જીવોએ એક બીજાને પ્રતિબોધ પમાડી, દીક્ષા લઈ સંયમમાર્ગનો સ્વીકાર કરી, ઉગ્ર તપશ્ચર્યા કરી, ઘાતી કર્મો ખપાવી કેવળજ્ઞાન પામીને નિર્વાણ પામ્યા એટલે કે મોક્ષગતિ પ્રાપ્ત કરી. આ અધ્યયનમાં મૃત્યુની અનિવાર્યતા સમજાવવામાં આવી છે. ગમે તેવો સમર્થ, લાગવગ કે પીઠબળવાળો બળવાન માણસ, મોટું સૈન્ય ધરાવનાર, અનેકને મૃત્યુના મુખમાં ધકેલી દેનાર માણસ પણ પોતાના મૃત્યુ આગળ લાચાર થઈ જાય છે. એનું કશું જ ચાલતું નથી. એ એને અટકાવી કે પાછું ઠેલી શકતો નથી. બળવાન અને સમર્થ પીઠબળવાળા અભિમન્યુ માટે કહેવાયું છે: Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬ ૧ जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुहेसिया। मातुलो यस्य गोविंदः पिता यस्य धनंजयः । अभिमन्यु रणे शेते, कालोऽयं दुरतिक्रमः ॥ કૃષ્ણ જેના મામા હતા અને અર્જુન જેના પિતા હતા એવો અભિમન્યુ પણ રણભૂમિમાં સૂઈ ગયો (મૃત્યુ પામ્યો), કારણ કે કાળ દુરતિક્રમ છે. અર્થાત્ મૃત્યુ અનિવાર્ય છે. ચોત્રીસ અતિશય ધરાવનાર તીર્થંકર પરમાત્મા પણ પોતાનું આયુષ્ય એક ક્ષણ પણ લંબાવી શકતા નથી. તો પછી ઈન્દ્રો, ચક્રવર્તીઓ, વાસુદેવો, પ્રતિવાસુદેવો, ગણધરો, સમર્થ આચાર્યો, રાજાઓ, મંત્રીઓ વગેરેની તો વાત જ શી કરવી? કહ્યું છેઃ રાજા, રાણા, છત્રપતિ, હાથિયનકે અસવાર, સબકો જાના એક દિન, અપની અપની બાર. વેરાગ્યશતક'માં કહ્યું છેઃ सर्वभक्षी कृतान्तोऽयं सत्यं लोके निगद्यते । रामदेवादयो धीराः सर्वे क्वाप्यन्यथा गताः ॥ [ આ યમરાજા સર્વનું ભક્ષણ કરનારા છે એવું લોકોમાં જે કહેવાય છે તે સત્ય છે. જો એમ ન હોય તો રામદેવ (ભગવાન રામચંદ્ર) વગેરે બધા ધીરપુરુષો ક્યાં ગયા?] હિન્દુ ધર્મમાં કહ્યું છે કે કેવા કેવા પરમ પુરુષો પણ આ ધરતી પરથી ચાલ્યા ગયા છે मांधाता भरत: शीवो दशरथो लक्ष्मीधरो रावणः कर्ण: कंसरिपुर्बलो भृगुपतिर्भीमः परेऽप्युन्नता: । Page #271 -------------------------------------------------------------------------- ________________ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ मृत्यु जेतुमलं न यं नृपतयः कस्तं परो जेष्यते, भग्नौ यो न महातरुर्द्विपवरैस्तं किं शशो भक्ष्यति ।। માંધાતા, ભરત, શીવ, દશરથ, લક્ષ્મીધર, રાવણ, કર્ણ, કૃષ્ણ, બલભદ્ર, ભૂગપતિ (પરશુરામ), ભીમ અને બીજા ઉત્તમ નૃપતિઓ મૃત્યુને જીતી ન શક્યા, તેને બીજા કોણ જીતી શકશે ? જે મોટું વૃક્ષ શ્રેષ્ઠ હાથીઓથી ન ભાંગ્યું તેને સસલું શું ભાંગી શકશે ?]. મૃત્યુથી છટકવા માટે માણસ ગુફામાં કે ભોંયરામાં પેસી જાય, સમુદ્રને તળિયે બેસી જાય કે વિમાનમાં આકાશમાં ઊડી જાય, જાડામાં જાડું બખ્તર પહેરી લે તો પણ મૃત્યુ જીવને છટકવા દેતું નથી. મૃત્યુને કોઈ છેતરી શકતું નથી કે હાથતાળી દઈને ભાગી શકતું નથી. એક કાલ્પનિક દૃષ્ટાન્ત આપવામાં આવે છે કે એક શિલ્પી એટલો બધો હોંશિયાર હતો કે ગમે તે વ્યક્તિની એવી આબેહૂબ શિલ્પાકૃતિ તૈયાર કરી શકતો કે જે જોઈને માણસ ભુલાવામાં પડી જાય કે આ સાચો અસલી માણસ છે કે નકલી છે. ? એક વખત એણે અરીસામાં પોતાનું મુખ જોઈને પોતાની જ મુખાકૃતિનું એવું સરસ શિલ્પ બનાવ્યું કે મળવા આવેલા ભ્રમમાં પડી ગયા. એથી શિલ્પીને તુક્કો સૂક્યો કે “હવે તો યમરાજાને પણ છેતરી શકું.” એણે પોતાની દસબાર મુખાકૃતિઓ બનાવી અને ઘરમાં જુદી જુદી જગ્યાએ એવી રીતે ગોઠવી દીધી કે જેથી માત્ર મોટું જ દેખાય. પછી જ્યારે યમદેવતા આવ્યા ત્યારે પોતે પણ એક ટેબલની Page #272 -------------------------------------------------------------------------- ________________ जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुहेसिया। ૨૬૩ પાછળ માત્ર મોંઢું દેખાય એ રીતે ગોઠવાઈ ગયો. યમદેવતા વિચારમાં પડી ગયા કે આમાં સાચો શિલ્પી કોણ ? એકને બદલે બીજાને તો લઈ જઈ શકાય નહિ. છેવટે યમદેવતાએ યુક્તિ કરી. એમણે પહેલાં શિલ્પીના ભારોભાર વખાણ કરતા કહ્યું કે જિંદગીમાં આવું આબેહૂબ ક્યારેય જોયું નથી. યમદેવતાના મુખે પ્રશંસા સાંભળી શિલ્પી મનમાં રાજી થયો. પોતાની કલા દ્વારા, યમદેવતાને પણ પોતે છેતરી શકે છે એ માટે ગર્વ થયો. ત્યાં યમદેવતાએ કહ્યું, “શિલ્પીએ આટલી બધી સરસ કારીગરી કરી છે, પરંતુ માત્ર એક નાની ભૂલ રહી ગઈ છે.” એ સાંભળી શિલ્પીથી રહેવાયું નહિ. પોતાની કલામાં કોઈ ખામી કાઢી શકે ? તરત એ બોલ્યો, “કઈ ભૂલ છે ?' યમદેવતાએ કહ્યું, “બસ તું આ બોલ્યો એ જ તારી ભૂલ. તું પકડાઈ ગયો. તે આખી દુનિયાને છેતરી શકે, પરંતુ મનેયમદેવતાને છેતરી ન શકે. જગતના ઇતિહાસમાં આજ દિવસ સુધી એવી કોઈ ઘટના બની નથી અને બનશે પણ નહિ.” આમ યમરાજાના પંજામાંથી કોઈ છટકી શકતું નથી. કોઈના પ્રાણ જલદી ન નીકળતા હોય તો એમ લાગે અને લોકો બોલે પણ ખરા કે એ યમદેવતાને હંફાવે છે. પરંતુ વસ્તુતઃ યમદેવતા તેને હંફાવતા હોય છે. મૃત્યુ જેમ અનિવાર્ય છે તેમ અનિશ્ચિત પણ છે. અકસ્માતોમાં મૃત્યુ થાય છે કે માણસ આત્મઘાત કરે છે તેમાં મૃત્યુ વહેલું આવેલું દેખાય છે એ તો સાચું, પરંતુ બધાંનું મૃત્યુ વયાનુસાર Page #273 -------------------------------------------------------------------------- ________________ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ થાય છે એવું પણ નથી. કોઈ બાલ્યકાળમાં, કોઈક યોવનમાં તો કોઈક વૃદ્ધાવસ્થામાં મૃત્યુ પામે છે. વિષ્ણુપુરાણમાં કહ્યું जातमात्रश्च म्रियते वालभावेऽथ यौवने । मध्यमं वा वयः प्राप्य वार्धके वा ध्रुवा मृतिः ॥ [કોઈ જન્મ પામીને તરત મૃત્યુ પામે છે, કોઈ બાળપણમાં અને કોઈ યોવનમાં મૃત્યુ પામે છે, કોઈ મધ્યમ વય પામીને અથવા કોઈ વૃદ્ધાવસ્થામાં મૃત્યુ પામે છે. પરંતુ મૃત્યુ દરેકનું નિશ્ચિત છે.] જીવની પોતાના દેહ સાથે એવી એકત્વબુદ્ધિ થઈ જાય છે અને એનો એવી રીતે જીવનવ્યવહાર ચાલે છે કે જાણે મૃત્યુ ક્યારેય આવવાનું નથી. પરંતુ મૃત્યુ સામેથી દેખાય, પોતે હવે થોડા દિવસના જ મહેમાન છે એમ સ્પષ્ટ ભાસે ત્યારે ભલભલા માણસો ધ્રૂજી જાય છે. એટલે જ સાત પ્રકારના જે ભય બતાવવામાં આવ્યા છે તેમાં મોટામાં મોટો ભય મૃત્યુનો છે. કહ્યું છે : નરપતિ નત્યેિ ભયે ! એટલે જ મનુષ્યો, પશુપક્ષીઓ વગેરે બધા જ જીવો જીવ બચાવવા ભાગે છે. મૃત્યુ સુનિશ્ચિતપણે આવવાનું જ છે અને એક દિવસ પોતે આ દુનિયામાં નહિ હોય એમ જાણવા છતાં એકંદરે માણસને પોતાના મૃત્યુની વાત સતાવતી નથી. જાણે કે પોતાનું ક્યારેય મૃત્યુ થવાનું નથી એમ સમજીને તે પોતાનો બધો વ્યવહાર કરતો રહે છે. સામાન્ય માણસને જીવનના આરંભનાં વર્ષોમાં Page #274 -------------------------------------------------------------------------- ________________ जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुहेसिया। ૨ ૬૫ પોતાના મૃત્યુનો ડર બહુ રહેતો નથી. જિંદગી સુખચેનથી જીવવાનાં સ્વપ્નાં તે સેવે છે. માણસ અનેકને મરતા, યમાલયમાં દાખલ થતાં-નિત્યં યાનિ યમનિ-જુએ છે છતાં પોતાનો વારો આવવાનો નથી એમ વર્તે છે, એ દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય છે એમ “યક્ષપ્રશ્નોત્તરમાં બતાવ્યું છે. મૃત્યુ આવે ત્યારે એક ક્ષણ માત્રમાં પોતાનાં ઘરબાર, ચીજવસ્તુઓ, સંબંધીઓ, સ્વજનો બધાંની સાથે સંબંધ પૂરો થઈ જાય છે. જિંદગીભર સંઘરેલી, જીવની જેમ સાચવેલી પોતાની અત્યંત પ્રિય ચીજ વસ્તુઓ પોતાની રહેતી નથી. માણસે માલમિલકત, રિદ્ધિસિદ્ધિ, સગાંસંબંધીઓ, યશકીર્તિ, માનસન્માન, લબ્ધિઓ ઇત્યાદિ સર્વ અહીં જ મૂકીને જવાનું છે. માણસ જન્મથી જ બધી વાતે અત્યંત સુખી હોય તો પણ બધું સુખ મૂકીને એણે ચાલી નીકળવું પડે છે. મૃત્યુ કોઇની પણ વાટ જોવામાં માનતું નથી. મૃત્યુ ગરીબ-તવંગર, નાના-મોટા, સુખી-દુઃખી એવો કોઈ ભેદ રાખતું નથી. મૃત્યુથી ભૌતિક સુખનો જ અંત આવે છે એવું નથી, દુઃખો, કષ્ટો વગેરેનો પણ અંત આવે છે. ક્યારેક તો મૃત્યુ દુ:ખમાંથી છુટકારારૂપ નીવડે છે. લોકો બોલે છે, “બિચારા છૂટ્યા, સારું થયું. બહુ રિબાતા હતા.” જીવને જો મૃત્યુનું સ્વરૂપ સમજાય તો કષ્ટ કે ઘોર દુ:ખોમાં આર્તધ્યાન, રૌદ્રધ્યાન થતાં નથી, સમતા રહે છે અને પાપના ભારે અનુબંધો પડતા નથી. મૃત્યુના વિચારો થતાં સુખમાં પણ માણસ છકી જતો નથી. તે સમભાવ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૬ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ રાખે છે અને પોતાના પુણ્યોદયનો સાર્થક ઉપયોગ કરી લે છે. તેની સુખ પ્રત્યેની આસક્તિ છૂટી જાય છે. મૃત્યુને શાપરૂપ ગણવું કે આશીર્વાદરૂપ ? વ્યવહારદૃષ્ટિએ, સંસારપ્રિય જીવોને મૃત્યુ શાપરૂપ લાગે છે. નિશ્ચયદૃષ્ટિએ, તત્ત્વદૃષ્ટિ ધરાવનારા અધ્યાત્મસાધકોને મૃત્યુ આશીર્વાદરૂપ લાગે છે. મૃત્યુ બધાંનો અંત આણે છે, પરંતુ મૃત્યુનું પોતાનું મૃત્યુ ક્યારેય નથી. મૃત્યુ શાશ્વત છે, એટલું જ નહિ, જોવાની દૃષ્ટિ હોય તો મૃત્યુ મંગળકારી છે. મૃત્યુ છે તો અનેક જીવોની પારમાર્થિક દષ્ટિ ખૂલે છે. એટલે જ જ્ઞાની મહાત્માઓને મૃત્યુનો ડર હોતો નથી. “ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેવાયું છેઃ न संतसंति मरणंते शीलवंता वहुस्सुया । | [શીલવંત અને બહુશ્રુત મહાત્માઓ મૃત્યુના સમયે ભયભીત થતા નથી.] મૃત્યુનું સ્વરૂપ સમજાતાં જીવનને એવી રીતે સુધારી લેવું જોઈએ કે જેથી મૃત્યુની પરંપરા આપણે માટે અલ્પકાળની બની જાય અને મોક્ષગતિનું શાશ્વત સુખ ઓછા ભાવોમાં પામી શકાય. એટલે જ જ્ઞાની મહાત્માઓ એવા મૃત્યુને ઈચ્છે છે કે જે પછી બીજું મૃત્યુ હોતું નથી. મોક્ષ થતાં એમને માટે મૃત્યુનો પણ અંત આવી જાય છે. જો મૃત્યુ નિશ્ચિત જ છે અને મોડું વહેલું ગમે ત્યારે આવવાનું છે એટલું સમજાય તો માણસે પોતે જે કર્તવ્ય, ધર્મકાર્ય ઇત્યાદિ Page #276 -------------------------------------------------------------------------- ________________ जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुहेसिया। કરવાનું છે તે વેળાસર કરી લેવું જોઇએ. કેટલાક લોકોની ટેવ જ એવી હોય છે કે “પછીથી કરીશું, શી ઉતાવળ છે ?'–પરંતુ આવા લોકો જ ઊંઘતા ઝડપાઈ જાય છે. ઉભટસાગર'માં કહેવાયું છે કેઃ करिष्यामि करिष्यामि करिष्यामीति चिन्तया । मरिष्यामि मरिष्यामि मरिष्यामीति विस्मृतम् ॥ [હું ભવિષ્યમાં કરીશ, કરીશ, કરીશ' એવા વિચારમાં અને વિચારમાં હું મરી જઈશ, મરી જઈશ, મરી જઈશ”—એ વાત માણસ ભૂલી જાય છે.] અલ્પ વયમાં મૃત્યુ પામનારાઓ પણ પોતાના જીવનને સુધારી ગયા હોય, તે જ ભવે મોક્ષ પામ્યા હોય એવાં પ્રાચીન દૃષ્ટાન્તો પણ છે. એવું અકાળ મૃત્યુ ન હોય અને સામાન્ય સરેરાશ જીવન મળે તો પણ સમ્યગદર્શનાદિ માટે તો પૂરતું છે એમાં સંશય નથી. એટલા માટે જ માણસે જાગૃતિપૂર્વક, સમજણપૂર્વક પોતાના જીવનનું આયોજન એવી રીતે કરવું જોઇએ કે જેથી પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં વસવસો કરવાનો વખત આવે નહિ. મહાભારતના “શાન્તિપર્વ'માં કહ્યું છેઃ श्वः कार्यमद्य कुर्वीत पूर्वाहने चापराह्निकम् । न हि प्रतीक्षते मृत्युः कृतमस्य न वा कृतम् ।। [આવતી કાલે કરવાનું કાર્ય આજે કરી લેવું જોઇએ અને બપોર પછી કરવા ધારેલું કાર્ય સવારના કરી લેવું જોઇએ, Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬૮ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ કારણ કે એનું (જીવનું) કાર્ય થયું છે કે નથી થયું એની પ્રતીક્ષા મૃત્યુ કરતું નથી.]. મૃત્યુની વિચારણાએ માણસને નિરાશાવાદી ન બનાવી દેવો જોઈએ. પરંતુ કરવા જેવાં બધાં ઉત્તમ કાર્યો વેળાસર કરી લેવાની પ્રેરણારૂપ એ વિચારણા હોવી જોઈએ જેથી ગમે તે ક્ષણે મૃત્યુ આવે, પોતે તો તૈયાર જ છે એમ ઉલ્લાસપૂર્વક એને લાગવું જોઈએ. વાચક ઉમાસ્વાતિ મહારાજે એટલે જ કહ્યું છેઃ सग्चिततपोधनानां नित्यं व्रतनियमसंयमरतानाम् । उत्सवभूतं मन्ये मरणमनपराधवृत्तीनाम् । [જેમણે તારૂપી ધન એકત્ર કર્યું છે, જેઓ નિરંતર વ્રત, નિયમ અને સંયમમાં ઓતપ્રોત હોય, જેઓની વૃત્તિ એટલે કે આજીવિકા નિરપરાધ એટલે કે નિર્દોષ હોય છે એવા મહાત્માઓનું મરણ ઉત્સવરૂપ છે એમ હું માનું છું.] હેમચંદ્રાચાર્ય “યોગશાસ્ત્રમાં કહ્યું છે કે મૃત્યુ આપણી બાજુમાં આવીને કાયમનું બેઠેલું છે. એ તકની રાહ જોઈ રહ્યું છે. માટે સમયસર ધર્મસંચય કરી લેવો જોઈએ. નિત્યં સંનિહિતો मृत्यु, कर्तव्यो धर्मसंचयः । ટ્રેનમાં મુસાફરી કરીએ ત્યારે સ્ટેશન આવતાં પહેલાં જેમ આપણે બેગ બિસ્તરા સાથે તેયાર રહીએ છીએ એવી રીતે મૃત્યરૂપી સ્ટેશન આવતાં પહેલાં આપણે સજ્જ રહેવું જોઈએ. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૩ अदीणमणसो चरे। [અદનભાવથી વિચરવું. ભગવાન મહાવીરે સાધુઓ માટે, સંયમી માટે બાવીસ પ્રકારના પરીષહ બતાવ્યા છે. પરીષહ અને ઉપસર્ગ એમ બે શબ્દો સાથે બોલાય છે. ઉપસર્ગ ભયંકર હોય છે. ક્યારેક તે મારણાન્તિક એટલે કે મૃત્યુમાં પરિણમનાર હોય છે. પરીષહ ઉપસર્ગ કરતાં હળવા હોય છે. એમાં કષ્ટ સહન કરવાની વાત છે. એમાં તાત્કાલિક મૃત્યુનું કોઈ જોખમ હોતું નથી. સુધા, તૃષ્ણા, ટાઢ, તાપ, ડાંસમચ્છ૨, રોગ, માનાપમાન વગેરે પરીષહો સહન કરવાની ટેવ સાધુએ પાડવી જોઈએ. એ સહન કરતી વખતે સાધુએ મનમાં દીનતા, લાચારી, મજબૂરીનો ભાવ ન લાવવો જોઈએ, કારણ કે સાધુએ પરીષહો સ્વેચ્છાએ સ્વીકારેલા હોય છે. આવાં કષ્ટો વખતે સાધુના ચિત્તમાં પ્રસન્નતા હોવી જોઈએ. એ પ્રસન્નતા એમના ચહેરા પર પણ દેખાવી જોઈએ. જેમ સાધુ માટે તેમ શ્રાવક માટે પણ કહી શકાય. શ્રાવકે પણ કષ્ટો સ્વેચ્છાએ પ્રસન્નતાપૂર્વક સહન કરતાં શીખવું જોઈએ. ઉત્તરાધ્યયનસૂત્રના “પરીષહ” નામના બીજા અધ્યયનમાં ભગવાન મહાવીર સ્વામીએ સાધુને ભલામણ કરતાં કહ્યું છે: Page #279 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ काली पव्वंग संकासे, किसे धमणिसंतए । मायपणे असण- पाणस्स अदीणमणसो चरे ।। શરીર કૃશ એટલે દુબળું-પાતળું થઈ ગયું હોય, આખા શરીરની નસો દેખાતી હોય, ધમણની માફક શ્વાસોચ્છવાસ ચાલતા હોય, અંગો કાગડાની જાંઘ જેવાં થઈ ગયાં હોય છતાં આહાર પાણીની મર્યાદાને જાણવાવાળો સાધુ મનમાં દીનતાનો ભાવ ન લાવે, અદીનભાવથી વિચરે. કોઈ માણસે તપશ્ચર્યા કરી હોય ત્યારે પોતે આહારનો સ્વેચ્છાએ ત્યાગ કર્યો હોય છે. એટલે પોતાને ખાવાનું મળી શકે એમ હોવા છતાં ખાવું નથી એ ભાવ રહે છે. એમાં પ્રસન્નતા ટકાવી રાખવી જોઈએ. એ અઘરી નથી. પરંતુ તપશ્ચર્યા ન કરી હોય અને કકડીને ભૂખ લાગી હોય, શરીર અશક્ત થઈ ગયું હોય તે વખતે ખાવાનું ન મળે તો દીનતાનો ભાવ આવે. ત્યારે ભૂખથી માણસ પરાભવ પામે છે અને ખાવાનું મળે તો પોતે રાજી રાજી થઈ જાય છે. પરંતુ આવી પરિસ્થિતિમાં આહારપાણી ન મળે તો પણ સંયમી સાધકોએ પ્રસન્નતા રાખવી જોઈએ. દીનતા ન બતાવવી જોઈએ. કેટલાક તો એવા અજાચક વ્રતધારી હોય છે કે જેઓ પોતાની જરૂરિયાતની વસ્તુ માટે સામેથી ન કહે, ન માંગે, પણ પ્રેમથી ચલાવી લે. ૨૭૦ સાધુ ભગવંતોને પોતાના સત્ત્વની કસોટી કરે એવી એક વાત તે ગોચરી વહોરવાની છે. કોઈ ઘરે વહોરવા જાય અને કશું વહોર્યા વગર પાછા ફરવું પડે ત્યારે પોતાના ચિત્તની Page #280 -------------------------------------------------------------------------- ________________ अदीणमणसो चरे। ૨ ૭૧ દશાને તપાસી જોવા જેવી છે. જે ગ્રામનગરમાં ઘણાં ઘરો હોય ત્યાં તો મનમાં એમ થાય કે એક નહિ તો બીજે ઘરેથી ગોચરી વહોરવાની મળી રહેશે. પણ જ્યાં નાના ગામમાં કે મોટા શહેરના અમુક વિસ્તારમાં ઓછાં ઘર હોય ત્યારે સૂઝતો આહાર ન મળે તો મનમાં દીનતા ન આવવા દેવી જોઈએ. વળી જ્યાં ગોચરી વહોરવા જાય અને આદરસત્કાર ન મળે અથવા ઘરના સભ્યોનો ગોચરી વહોરાવવા માટે કોઈ ઉત્સાહ ન જોવા મળે ત્યારે પોતાના મનના ભાવ ન બગડવા જોઈએ. સંયમી શ્રમણો માટે અહીં ભૂખ અને આહારની વાત કરવામાં આવી છે. શ્રમણો ઉપરાંત શ્રાવકોના, તમામ મનુષ્યોના જીવનમાં દીનતાના પ્રસંગો આવે છે. માત્ર આહાર જ નહિ, બીજી અનેક બાબતો માણસને દીન બનાવી દે છે. ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ માણસ પાસે દીન વચનો ઉચ્ચાવરાવે છે. એટલા માટે જ કહેવાયું છે કે ન વિજ્ઞા લાયં માણસે દીનતાનો વિચાર ન કરવો જોઈએ, મનમાં એવો ભાવ ન લાવવો જોઈએ. દીનતા છોડીને આધ્યાત્મિક સંપત્તિવાન થવાનું ધ્યેય જેઓ રાખે છે તેઓના જીવનમાં ત્યાગ, વૈરાગ્ય આવ્યા વિના રહેતાં નથી. જેટલી વસ્તુઓના મોજશોખ હોય એટલી તે મેળવવા માટેની ઝંખના રહે. તે માટે કમાવાનો પુરુષાર્થ કરવાની પરાધીનતા રહે અને પરાધીનતા એટલે દીનતા. એટલે જ જૈન મુનિઓ પાસે ઓછામાં ઓછાં ઉપકરણો, જીવનનિર્વાહ માટેનાં બાહ્ય Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨ ૭૨ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ સાધનો ઓછામાં ઓછાં હોય છે. બાહ્ય ચીજવસ્તુઓ માટે તેઓને કોઈની ગરજ ભોગવવાની રહે નહિ. દિગંબર મહાત્માઓને આહારપાણી સિવાય બીજી કશી આવશ્યકતા નહિ એટલે પરાધીનતા નહિ. માણસ દીન બને છે ત્યારે કેટલાક લોકો એની દયા ખાય છે. પોતાના પ્રત્યે કોઈ સહાનુભૂતિ બતાવે, કોઈ દયા ખાય તો માણસને હિંમત આવે છે. અંદરથી કંઈક બળ મળે છે. કોઈ દયા બતાવે, પોતાની તકલીફ દૂર કરે તો માણસને ગમે છે. પણ પછી કેટલાકને એવી દયા-સહાનુભૂતિ મેળવવાની ટેવ પડી જાય છે. એટલે એવા માણસોને પોતાનાં દુઃખનાં રોદણાં રડવાનું ગમે છે. પછી તો દુઃખ કે કંઈ કષ્ટ હોય કે ન હોય તો પણ તેઓને રોદણાં રડ્યા વગર ચેન નથી પડતું. કલ્પિત કષ્ટોનો આશ્રય લેવાય છે. કાયર અને નિ:સત્ત્વ માણસોને તો પોતાની સાચી કે કૃત્રિમ દીનતા લાભકારક લાગે છે. માણસને લાચાર બનાવી દેનારી બીજી એક મહત્ત્વની ઘટના તે ગંભીર બીમારી છે. ગમે તેવો સશક્ત અને મગરૂબીવાળો માણસ, વડના વાંદરા ઉતારે એવો હોય તો પણ અસાધ્ય, ગંભીર રોગ આવે ત્યારે અસહાય, દીન બની જાય છે. એના અવાજમાં એની દીનતા વરતાય છે. ક્યારેક તો પોતે ન ઇચ્છે તો પણ એનાં નયનોમાં આદ્રતા ઉભરાય છે. કેટલાય એવા સમર્થ માણસો હોય છે કે જેઓ કહેતા હોય કે પોતાને મૃત્યુનો જરાય ડર નથી. પોતે એને માટે તૈયાર Page #282 -------------------------------------------------------------------------- ________________ अदीणमणसो चरे । બેઠા છે. પરંતુ એવા માણસો જ્યારે કેન્સરમાં અથવા એવા કોઈ ગંભી૨ રોગમાં સપડાયા હોય અને જાણી લીધું હોય કે હવે પોતે થોડા દિવસના જ મહેમાન છે, ત્યારે વાતવાતમાં તેઓ રડી પડતા હોય છે. માણસ ખૂન, ચોરી, વ્યભિચાર, ખોટા દસ્તાવેજ, દાણચોરી વગેરે કોઈક પ્રકારનું અપકૃત્ય કરે અને પકડાઈ જાય ત્યારે તે અત્યંત દીન બને છે. તેનો ચહેરો મ્લાન બની જાય છે. લોકોને ત્યારે તે મોંઢું બતાવી શકતો નથી. પોતાની અપકીર્તિથી તે ઝાંખો પડી જાય છે. એથી કોઈકને માનસિક રોગ થાય છે. કોઇકને આપધાત કરવાનું મન થાય છે, કેટલાક ખરેખર આપઘાત કરી બેસે છે. દીનતાનાં આ પરિણામ છે. દીનતા પણ બધાંની એક સરખી હોતી નથી. કોઈકની સામાન્ય, તો કોઈકની તીવ્રત૨, તીવ્રતમ હોય છે. કેટલાકને દીનતા આરંભમાં કઠે છે, પણ પછી ગમે છે અને કેટલાકને દીનતાની ટેવ પડી જાય છે, એમના જીવનમાં એ ઘર કરી બેસે છે. ૨૭૩ સંસ્કૃતમાં કહેવાયું છે કે ‘મા વૃત્તિ ટીનું વચઃ ।' દીન વચન બોલો નહિ. સકારણ કે અકારણ દીન વચન બોલવું નહિ. ક્યારેક અતિશય લાચાર બનેલા માણસથી દીન વચન બોલાઈ જાય છે. ‘મારે માથે તો દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે;’ ‘અમે તો સાવ પાયમાલ થઈ ગયા;’ ‘આ દુનિયામાં અમારું કોઈ નથી;’ ‘અમે અનાથ થઈ ગયા;’ ‘અમે ક્યાં હતા અને આજે Page #283 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ ક્યાં આવી પડ્યા ?’ ‘અમે તો રસ્તા પરના થઈ ગયા’; ‘મારે દેવું એટલું થઈ ગયું છે કે મરવાનું મન થઈ જાય છે;' ‘મેં ધારેલું નહિ કે મારી સાથે આવો દગો ૨માશે ! હવે તો આપઘાત સિવાય છૂટકો નથી.' ઇત્યાદિ દીનતાનાં વચનો વખતોવખત સાંભળવા મળે છે. પરંતુ એવાં નિરાશાવાદી વચનથી કંઈ ઉકેલ આવતો નથી. ૨૭૪ માણસે સરળતા, લઘુતા, વિનમ્રતા, સહિષ્ણુતા વગેરે ગુણો જીવનમાં કેળવવા જોઇએ કે જેથી દીનતા ન આવે, પરંતુ એનું પરિણામ એવું ન આવવું જોઈએ કે જેથી પોતાનામાં લઘુતાગ્રંથિ જન્મે, અથવા તો દીનતા-હીનતાનો ભાવ જ રહ્યા કરે અને સત્ત્વહીન બની જવાય. વસ્તુતઃ સરળતા, લઘુતાદિ સદ્ગુણોથી પોતાનું સત્ત્વ વધુ ખીલવું જોઈએ. બીજી બાજુ સરળતા, લઘુતા વગેરે પોતાના ગુણો માટે માણસે એટલા બધા સભાન પણ ન રહેવું જોઇએ કે જેથી એ સદ્ગુણો માટે અભિમાન પ્રગટે અને પરિણામે એ ગુણો પણ ચાલ્યા જાય. માણસને દીનતાનો પણ અહંકાર થાય છે. સોક્રેટિસ વિશે એક કિંવદન્તિ છે કે એમનો એક મિત્ર કાણાકાણાવાળો ઝભ્ભો પહેરીને નીકળતો. સોક્રેટિસે આવો ઝભ્ભો પહેરવાનું કારણ પૂછ્યું તો એણે કહ્યું કે ‘મારી લઘુતા, દીનતા બતાવવા માટે હું આવો ઝભ્ભો પહેરું છું.' સોક્રેટિસે કહ્યું કે ‘ભાઈ, તને કાણાવાળો ઝભ્ભો પહેરેલો જોઇને લોકોને પહેલાં એમ લાગે કે તું કેટલો બધો ગરીબ-દીન છે, પરંતુ પછીથી Page #284 -------------------------------------------------------------------------- ________________ अदीणमणसो चरे । ૨ ૭૫ તારા વર્તન પરથી લોકોને સમજાય છે કે હકીકતમાં તો તારા ઝભ્ભાના પ્રત્યેક કાણામાંથી દીનતા માટેનું તારું અભિમાન ડોકિયું કર્યા કરે છે.” દીનતા જાય તો સમતા આવવી જોઇએ, મિથ્યાભિમાન નહિ. પરંતુ ભૂખે મરતો દીન માણસ જ્યારે તવંગર બને છે ત્યારે સંપત્તિ માટેનું એનું અભિમાન છલકે છે. પોતાના દુઃખના દિવસોની સ્મૃતિ બીજા દીનદુઃખી પ્રત્યેની સહાનુભૂતિમાં પરિણમવી જોઈએ, નહિ કે એમને સતાવવામાં. મનુષ્ય દીન, નિર્ધન, મજબૂર નથી એ દર્શાવવા એક પ્રસંગ કહેવાય છે. એક વખત એક મહાત્મા એક ગરીબ વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે એમની નજર એક મકાનના ઓટલા પર એક સશક્ત, બેકાર અને નિષ્ક્રિય બેઠેલા યુવાન પર ગઈ. એમણે યુવાનને આમ બેસી રહેવાનું કારણ પૂછ્યું. યુવાને કહ્યું કે પોતાની પાસે પૈસા નથી, એટલે બેસી રહ્યો છે. મહાત્માએ એને કહ્યું કે “ભાઈ, તું નિર્ધન નથી, ધનવાન છે.” યુવાને કહ્યું: “મહારાજ, મારી મજાક ન કરો. મહાત્માએ કહ્યું કે “ભાઈ, મજાક નથી કરતો, સાચી વાત કહું છું. મને કહે કે કોઈ માણસ એક આંખે અથવા બેય આંખે આંધળો હોય અને એને નવી આંખ બેસાડવા ઓપરેશન કરાવવું છે તો કેટલું ખર્ચ થાય ? પંદર, પચીસ હજાર રૂપિયા થાય ને ? તારી બંને આંખ સાજી છે તો એની કિંમત પચીસ હજાર જેટલી ન મૂકી શકાય ? બહેરો માણસ કાને ઓપરેશન કરાવે તો કેટલું Page #285 -------------------------------------------------------------------------- ________________ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ ખર્ચ થાય ? તારા બંને કાન સાજા છે. એની કિંમત મૂક. એ રીતે તારે જો બે હાથ ન હોત કે બે પગ ન હોત તો શું થાત ? આમ આખા શરીરની કિંમત મૂકે તો સહેજે દોઢ-બે કરોડ રૂપિયા જેટલી થાય. તું જાતને નિર્ધન માને છે, પણ વસ્તુત: તો તું કોટ્યાધિપતિ છે. માટે તું તારી નિર્ધનતાની, દીનતાની વાત છોડી દઈને બહાર જા, પહેલાં કંઈક શારીરિક મજૂરીનું કામ શોધી લે અને એમ કરતાં તું આગળ વધશે.” યુવાને મહાત્માની શિખામણ માની અને એનું જીવન સુધરી ગયું. દીનતાની સાથે ભય રહેલો છે. સદાચારી હંમેશાં નિર્ભય હોય છે. સદાચારી બનવા માટે માણસે સંતોષી બનવું પડે. લોભાદિ વૃત્તિઓ, તીવ્ર કામનાઓ, મોટી અપેક્ષાઓ માણસને સદાચારમાંથી ચલિત થવા લલચાવે છે. સંતોષી એક દિવસમાં નથી થવાતું. એનો સતત મહાવરો રાખવો જોઇએ. વળી કસોટી આવે ત્યારે જ પોતાના સંતોષીપણાની ખબર પડે છે. અદીન રહેવું એટલે કે પોતાના સત્ત્વની ખુમારીથી રહેવું. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ માણસે પોતાની પ્રતિભા, ચિત્તની પ્રસન્નતા ઝાંખી ન થવા દેવી જોઈએ. જ્યારે જીવનમાં વિપરીતતા, પ્રતિકૂળતા આવે ત્યારે લાચાર ન બનતાં, સંસારમાં જે કંઈ બને છે તે પોતપોતાનાં શુભાશુભ કર્માનુસાર બને છે એવીદૃષ્ટિ કેળવી સાંત્વન, સમાધાન મેળવવું જોઈએ અને પોતાનાં અશુભ કર્મોના ક્ષયોપશમ માટે પ્રબળ પુરુષાર્થ કરવા પગલું ઉપાડવું જોઈએ. જ્યાં સાચી સમજણ Page #286 -------------------------------------------------------------------------- ________________ अदीणमणसो चरे। ૨૭૭ છે, તત્ત્વદૃષ્ટિ છે ત્યાં દીનતા હોતી નથી, ટકતી નથી. સમ્યગદર્શનની પ્રાપ્તિ પછી જીવને સંસારમાં ક્યાંય દીનતા દર્શાવવા જેવું રહેતું નથી. જીવ એટલા ઊંચા આત્મભાવમાં આવી જાય છે કે બાહ્ય પ્રતિકૂળતાઓનું એની પાસે કશું ચાલતું નથી. એટલા માટે જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે શ્રી શાન્તિનાથ ભગવાનના સ્તવન “હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં' માં કહ્યું છેઃ ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ ! તુજ સમકિત દાનમેં; પ્રભુ ગુણ અનુભવકે રસ આગે; આવત નહિ કોઉ માનમેં. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪ थोवं लधुं न खिंसऐ। [થોડું મળતાં ખેદ ન કરવો] ભગવાન મહાવીરે સાધુઓની આચારસંહિતા એવી વિગતસભર દર્શાવી છે કે જે સાધુઓના સંયમ-જીવનમાં અને એમની આધ્યાત્મિક સાધનામાં અત્યંત ઉપયોગી બને છે. કેમ બેસવું, કેમ ઉઠવું, કેમ સૂઈ જવું, કેવી રીતે બોલવું, કેવી રીતે ગોચરી લેવા નીકળવું, ગોચરી વહોરતી વખતે કેવું ધ્યાન રાખવું, ગોચરી કેવી રીતે વાપરવી, વિહાર કેવી રીતે કરવો વગેરે અનેક બાબતોમાં બહુ દીર્ધદષ્ટિપૂર્વક ભગવાન મહાવીરે સાધુઓને ભલામણ કરી છે. જૈન સાધુઓની ગોચરીની પ્રથા વિલક્ષણ અને અદ્વિતીય છે. નીરસ, લુખ્ખા આહાર ઉપર તથા ઉણોદરી ઉપર એમાં ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. ભગવાન મહાવીરે દસકાલિક સૂત્રમાં કહ્યું છે ? अतिंतिणे अचवले अप्पभासी मियासणे। हविज्ज उवरे दंते थोवं लधुं न खिंसए ॥ [ મુનિ આવેશમાં ન બોલનાર, ચંચલતારહિત, અલ્પભાષી, મિતભોજી, ઉદરનું દમન કરનાર તથા થોડું મળતાં ખેદ (અથવા ચીડ) ન કરનાર હોય.] Page #288 -------------------------------------------------------------------------- ________________ थोवं लधुं न खिंसऐ। ૨૭૯ ગોચરી અસાધુ મહારાજોના ચિત્તના અધ્યવસાયોની કસોટી કરનારી પ્રવૃત્તિ છે. કોઈક ધરે સારો આહાર મળે, તો કોઈક ઘરે જેવો તેવો નીરસ આહાર મળે; કોઈક ઘરે વાનગીઓ સરસ હોય પણ વહોરાવવામાં ભાવ ન હોય, તો કોઈક ઘરે વાનગીઓ થોડી અને સાધારણ હોય પણ આવકાર બહુ સારો મળે; કોઈક ઘરે આદર બહુમાન ન મળે તો વળી કોઈક વહોરાવનાર વહોરાવતાં વિચાર પણ કરે કે “પછી ઘરનાંને માટે શું રહેશે? કોઈક વાનગી માટે ફરીથી ચૂલો સળગાવવો પડશે.” કોઈ ઘરે વહોરાવનારનો ભાવોલ્લાસ ધરનાં સૌના ચહેરા પર દેખાઈ આવે. ગોચરીમાં જ્યારે થોડું મળે અથવા ગોચરી વાપરતી વખતે પોતાની ઇચ્છા હોય એના કરતાં ગુરુ મહારાજ ઓછું આપે ત્યારે ચિત્તની પ્રસન્નતા જાળવી રાખવી, અધ્યવસાયને જરા પણ વિચલિત ન થવા દેવા એમાં સાધુ મહારાજની ઘણી મોટી પરીક્ષા રહેલી છે. થોડું મળતાં ખેદ ન કરવો જોઈએ. આપનારની ટીકા-નિંદા ન કરવી જોઈએ. સામાન્ય માણસ ભૂખ્યો હોય અને ઉદરતૃપ્તિ ન થાય તો એનો મિજાજ છટકે છે. પરંતુ સાધુ મહારાજ સામાન્ય માનવી નથી. એમના જીવનમાં સમદર્શિતા હોવી જોઈએ. ભગવાને આમ તો સાધુઓની ગોચરીના સંદર્ભમાં આ વચન કહ્યું છે, પરંતુ જીવનના સામાજિક અને આધ્યાત્મિક એવા સર્વ સ્તરે એનો વ્યાપક અર્થ ઘટાવી શકાય એવું છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ સંસારનો એવો ક્રમ નથી કે દરેક વખતે મનુષ્યને પૂરતા પ્રમાણમાં બધું સરખું મળી રહે. કોઈકને વધુ મળે અને કોઈકને ઓછું મળે.એમાં માનવસ્વભાવની ત્રુટિ પણ હોઈ શકે અને કુદરતી કારણો પણ હોઈ શકે. એક પ્રદેશમાં પાણી, ધનધાન્ય ઇત્યાદિની વિપુલતા હોય અને અન્ય પ્રદેશોમાં દુકાળ જેવી સ્થિતિ હોય. એક પ્રદેશમાં કામ ઘણું હોય પણ કામ કરનારા મળતા ન હોય અને અન્ય પ્રદેશમાં કામ કરવાની લાયકાત ધરાવનાર ઘણાં હોય, પણ મોટાભાગના બેકાર હોય. પૃથ્વી ઉપર દરેક વાતે સદા સર્વદા સમતુલા હોતી નથી, હોઈ શકતી નથી. આવી અસમાન પરિસ્થિતિમાં વધુ કે ઓછાની પ્રાપ્તિનો પ્રશ્ન હંમેશા રહેવાનો. એટલે પોતાની ધારણા કરતાં ઓછું મળવાની ઘટનાઓ પણ હંમેશાં બનતી રહેવાની. વ્યવહારમાં માણસ આપવા-લેવાનો ક્રમ બરાબર સાચવે છે. બજારૂ લેવડ-દેવડમાં ઓછું આપવાની વૃત્તિ દેખાશે, પણ ઓછું લેવાની નહિ. જ્યાં સોદાઓ નથી ત્યાં વધઘટની ઘટનાઓ નભાવી લેવાય છે. માણસનો જીવન પ્રત્યેનો અભિગમ જ્યારે વિપરીત અને નિષેધાત્મક હોય છે ત્યારે દરેક વિષયમાં એને ત્રુટિ જ જણાય છે. ચકોર દોષદૃષ્ટિ ધરાવનારની છિદ્રો પર નજર તરત પડે છે. ન હોય ત્યાં પણ એ છિદ્રો બતાવી શકે છે અથવા પોતાના ફળદ્રુપ ભેજામાંથી તે ઉપજાવી શકે છે. સૌને ગમી જાય એવું મૂલ્યવાન વસ્ત્ર હોય છતાં રંગ, ભાત, પોત, કિનાર, પાલવ Page #290 -------------------------------------------------------------------------- ________________ थोवं लधुं न खिंसऐ। ૨ ૮ ૧ વગેરેની કંઇક ખામી બતાવીને પોતાના અસ્તિત્વનું બીજાને ભાન ન કરાવે ત્યાં સુધી એવી કોઈક મહિલાઓને ચેન પડતું નથી. પોતાના રસોઇયાએ સારામાં સારી રસોઈ કરી હોય છતાં પોતે એને બેચાર વાનગી માટે ટોકે નહિ ત્યાં સુધી કેટલાક સજ્જનોને ગળે કોળિયો ઊતરતો નથી. વૈભવી રાજમહેલ જેવું ઉતારા માટે સ્થળ મળ્યું હોય તો પણ મોટું મચકોડનારા સજ્જનો જોવા મળશે. કેટલાક માણસોનું એવું મંતવ્ય હોય છે કે બીજાને એની અપૂર્ણતાનું ભાન ન કરાવીએ તો એ સુધરશે ક્યારે ? પોતાને ઓછું મળ્યું છે એ પ્રત્યે ધ્યાન ખેંચીએ તો જ બીજી વાર એ ભૂલ ન કરે. કેટલાકથી પોતાને ઓછું મળ્યાનો અસંતોષ જાણતા અજાણતાં વ્યક્ત થયા વગર રહેતો નથી. કોઇક તત્કાળ વ્યક્ત કરે છે, કોઇક પછીથી; કોઇક જાહેરમાં વ્યક્ત કરે છે, કોઇક અંગત વર્તુળમાં. અલ્પપ્રાપ્તિ માણસને જ્યારે ખટકે છે ત્યારે એની પ્રતિક્રિયા ચાલુ થાય છે. જેઓ વસૂલ કરવાની વૃત્તિવાળા હોય છે, પોતાનાં નાણાં પ્રમાણે વસ્તુ બરાબર. મેળવવાના આગ્રહી હોય છે એમની પ્રતિક્રિયા તો તરત જ ચાલુ થાય છે. એક વખત એક બાળકી પોતાના વર્ગના બીજા એક વિદ્યાર્થીના જન્મદિવસે એને ઘરે યોજાયેલી પાર્ટીમાં ગઈ હતી. બીજાં બાળકો પણ આવ્યાં હતાં. પાર્ટીમાં બધાંને નાસ્તા પછી આઇસ્ક્રીમ આપવામાં આવ્યો. પેલી બાળકીએ પણ લીધો. ત્યાર Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ પછી થોડીવારે બધાને બીજી વાર આઇસ્ક્રીમ આપવામાં આવ્યો. પેલી બાળકીએ તે લેવાની ના પાડી. યજમાન બહેને આગ્રહ કર્યો તો પણ ન લીધો, એટલે બહેને એને કારણ પૂછ્યું. બાળકીએ કહ્યું, “મારી મમ્મીએ મારી પાસે પ્રોમિસ લીધું છે કે હું બીજી વાર આઇસ્ક્રીમ નહિ માગું. આપશે તો પણ નહિ લઉં. મેં મમ્મીને પ્રોમિસ આપ્યું છે.” યજમાન બહેને કહ્યું. “તારી મમ્મીએ આવું પ્રોમિસ ન લેવું જોઈએ ?' ત્યારે બાળકી બોલી, “પણ મમ્મીને થોડી ખબર છે કે અહીં પહેલી વારમાં જ કેટલો ઓછો આઇસ્ક્રીમ આપ્યો છે ?' નાની બાળકીએ નિર્દોષતાથી વ્યક્ત કરેલો અસંતોષનો ભાવ મોટા માણસો પણ સભાનપણે વ્યક્ત કર્યા વગર રહી શકતા નથી. બીજી બાજુ જે માણસોનો અભિગમ જે મળ્યું તે માણવાનો હોય છે તેઓ પોતાના એટલા સમયને સાર્થક કરે છે. જીવન જીવવાની એ એક કળા છે. દરેક પરિસ્થિતિમાં તેઓ રાજી રાજી હોય છે. હાસ્ય, પ્રસન્નતા, આનંદ, ઉલ્લાસ, ઉત્સાહ, વિનોદ ઇત્યાદિથી તેમનું જીવન છલોછલ ભરેલું રહે છે. પોતાને ઓછું મળ્યું છે એવી સભાનતા પણ તેઓ રાખતા નથી અને તેમને રહેતી પણ નથી. પોતાની યોગ્યતા કે ધારણા કરતાં પોતાને ઘણું બધું મળ્યું છે એવો આશાવાદ એમના જીવનમાં વણાઈ ગયો હોય છે. ક્યાંય ફરિયાદ કરવાનું તેમને Page #292 -------------------------------------------------------------------------- ________________ थोवं लधुं न खिंसऐ । પ્રયોજન જણાતું નથી. પોતાને થોડું મળ્યું હોય, પણ પોતાના સ્વજન, સાથીદાર કે આશ્રિતને કશું જ ન મળ્યું હોય અથવા વધારે મળ્યું હોય ત્યારે માણસની કસોટી થાય છે. થોડામાંથી પણ થોડું બીજાને આપવાની ઇચ્છા મનની ઉદારતા અને ત્યાગની ભાવના વગર સંભવી ન શકે. અન્યને અધિક મળ્યું હોય ત્યારે ઇર્ષ્યા, પડાવી લેવાની વૃત્તિ ઇત્યાદિ પોતાનામાં જન્મે છે કે નહિ તેના આધારે તેના સત્ત્વની કસોટી થાય છે. આમ જોવા જઈએ તો માણસની તૃષ્ણા, વાસના; ઇચ્છાઓનો કોઈ અંત નથી. ધન, સત્તા, ભોગોપભોગની સામગ્રી, કીર્તિ ઇત્યાદિ માટેની એની ભૂખ સદૈવ સતત પ્રદીપ્ત રહે છે. ગમે તેટલું મળે તો પણ ઓછું પડે. ભગવાન મહાવીરે કહ્યું છે કે દૃચ્છાનો આITHસમા અનંતિયા । ઇચ્છાઓ આકાશની જેમ અનંત છે. આકાશનો છેડો નથી તેમ ઇચ્છાઓનો છેડો નથી. એક ઇચ્છા પરિપૂર્ણ થાય ત્યાં બીજી જાગી જ હોય. માણસની વૃત્તિઓ આવી હોય તો, જ્યારે પોતાની અપેક્ષા કરતાં, અધિકારપૂર્વક મળવું જોઇએ તે કરતાં ઓછું મળ્યું હોય ત્યારે માણસ બેચેન થયા વગર રહેતો નથી. ૨૮૩ જેણે થોડાથી સંતોષ માનવો હોય તેણે પોતાની ઇચ્છાઓ ઉપ૨ સંયમ મેળવવો જોઇએ. જ્યારે જ્યારે જે જે ઇચ્છા થાય તે સંતોષવાનો પ્રયત્ન કરવા કરતાં તેના ઉપર કાબુ મેળવી, તેવી ઇચ્છાઓ ક્રમે ક્રમે ઓછી કરવાથી આત્મબળ ખીલે છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨ ૮૪ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ પોતાની ઇચ્છાઓ અતૃપ્ત રહે છે એ પ્રકારની સભાનતા કે એ માટેનું દુઃખ કે કષ્ટ પછી નથી રહેતું. પોતે કેટલા શક્તિમાન છે કે આવી નાની મોટી ઇચ્છાઓને સ્વેચ્છાએ જતી કરી શકે છે એ પ્રકારની શ્રદ્ધાપૂર્વકની પ્રસન્નતા હોવી જોઇએ.એથી આગળ જતાં તો ઇચ્છો જન્મ જ નહિ એ સ્થિતિ સુધી પહોંચી જઈ શકાય છે. વારંવાર નિસ્પૃહ રહેવાના મહાવરાથી આવી સ્થિતિ પ્રાપ્ત થાય. પોતાને ઓછું મળ્યું હોય ત્યારે વાસ્તવિકતાનો સહર્ષ, સસ્મિત સ્વીકાર એ જીવન જીવવાની એક શ્રેષ્ઠ ચાવી છે. એવી વ્યક્તિ દ્વારા નિરાશા, વિસંવાદ કે સંઘર્ષનાં આંદોલનો ઉદ્ભવતાં નથી. માણસ એમ જો વિચારતો થઈ જાય કે પોતાને જે ઓછું મળ્યું છે તેની પાછળ કોઇક કારણ તો હોવું જ જોઇએ. મનની ઉદારતા અને તત્ત્વની શ્રદ્ધા વગર એવું કારણ સમજવાનો પ્રામાણિક પ્રયત્ન શક્ય નથી. આ જગતમાં જે કંઈ બને છે અને બની રહ્યું છે તેમાં કોઇક નિયમ રહેલો છે. વિશ્વના એ નિયમમાં પોતાને હસ્તક્ષેપ કરવો નથી તથા કરવો એ વ્યર્થ છે એવી તાત્વિક સમજણ પ્રાપ્ત થાય અને પોતપોતાના કર્માનુસાર દરેક જીવ પ્રાપ્ત કરે છે અને ભોગવે છે તથા પોતાના લાભાન્તરાય કર્મના ઉદય વગર ઓછું મળે નહિ એવી શ્રદ્ધા રહે તો ઘણી નિરાશામાંથી બચી જવાય. થોડામાં સંતોષ માનવો એનો અર્થ એ નથી કે માણસે Page #294 -------------------------------------------------------------------------- ________________ थोवं लधुं न खिंसऐ। ૨૮૫ સરસતાનો અને સંપૂર્ણતાનો આગ્રહ ન રાખવો જોઇએ. વ્યવહારિક જીવનમાં જ્યાં એની જરૂર હોય ત્યાં માણસ જો એવો આગ્રહ ન રાખે તો તે પુરુષાર્થહીન અને પ્રમાદી બની જવાનો ડર રહે છે. જ્યાં અલ્પસંતુષ્ટ ન થવાનું હોય ત્યાં અસંતુષ્ટતા દોષરૂપ ગણાય. અધ્યાત્મસાધનામાં પણ અલ્પસંતુષ્ટતાથી પ્રગતિ ન થાય. પૂર્ણતા તરફનો પુરુષાર્થ જ મોટું ફળ આપી શકે. જેઓ અધ્યાત્મના માર્ગે પ્રગતિ કરવાવાળા છે તેઓ તો ઇચ્છા ઉપરના સંયમ અને ઇચ્છાનિરોધથી આગળ વધી નિરીકતાના તબક્કે પહોંચવાનો પુરુષાર્થ કરે છે. સામાજિક કક્ષાએ પ્રાપ્તિ કે અલ્પપ્રાપ્તિ અંગે ગમે તે અભિગમ હોય, આધ્યાત્મિક કક્ષાએ તો ભગવાન મહાવીરે કહ્યું છે કે છંટું નિરા મો+ઉં ઇચ્છાઓના નિરોધથી જ અર્થાત્ નિરીકતાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫ णाइमत्त पाण भोयण भोइ से निग्गंथे। [જે અતિશય ભોજન-પાણી કરતો નથી તે નિર્ગળ (સાધુ) છે. ] ભગવાન મહાવીર સ્વામીએ “આચારાંગસૂત્ર”, “ઉત્તરાધ્યયન સૂત્ર', “દસર્વકાલિક સૂત્ર' વગેરેમાં ઠેર ઠેર નિગ્રંથ મુનિ જેન સાધુનાં વિવિધ પ્રકારનાં જે લક્ષણો દર્શાવ્યાં છે એમાં એમનાં ભાત પાણી–આહારની પણ વિગતે વિચારણા કરવામાં આવી છે. સમગ્ર સંસારમાં સર્વ જીવોને આહારસંજ્ઞા અનાદિ કાળથી વળગેલી છે. જીવો પોતાની આ સંજ્ઞાને રસથી પોષે છે અને વિકસાવે છે. જગતમાં નવાણુ ટકાથી વધુ મનુષ્યો પોતાની આ આહારસંજ્ઞાથી રાજી થાય છે. ભોજન માટે ઉત્સવ યોજાય છે. પાકશાસ્ત્ર એ પણ શિક્ષણનો વિષય છે અને સરસ રસોઈ, વાનગીઓ બનાવનારનું બહુમાન થાય છે. દુનિયામાં જેમ જેમ હોટેલ-રેસ્ટોરાંની સંખ્યા વધતી જાય છે તેમ તેમ સારા રસોઇયાની માંગ વધતી જાય છે. દુનિયામાં વિભિન્ન દેશો વચ્ચે વ્યવહાર-વિનિમય જેમ જેમ વધતાં જાય છે તેમ તેમ કેટલી બધી વાનગીઓનો આંતરરાષ્ટ્રીય પ્રચાર વધતો જાય છે ! એક બાજુ આખી દુનિયા ખોરાક-ભોજનની બાબતમાં નિપુણ બનતી જાય છે ત્યારે બીજી બાજુ દુનિયામાં અડધા Page #296 -------------------------------------------------------------------------- ________________ णाइमत्त पाण भोयण भोड़ से निग्गंथे। ૨૮૭ ટકા કરતાં પણ ઓછા લોકો આહારસંજ્ઞાને તોડવાનો પ્રચંડ પુરુષાર્થ કરતા હોય છે. અનશન, ઉણોદરી, રસત્યાગ વગેરે પ્રકારની તપશ્ચર્યા કરીને આહારસંજ્ઞાને તેઓ નિષ્ફળ બનાવે છે. તાવવાળા માંદા માણસને ભોજન અરુચિકર લાગે છે. કોઈ તીવ્ર આઘાત લાગે એવા સમાચાર આવતાં માણસને ખાવાનું ભાવતું નથી. આગ, ધરતીકંપ, બોમ્બમારો જેવી આપત્તિ વખતે માણસ જીવ બચાવવા ખાવાનું છોડીને ભાગે છે. આ સર્વનો આહારત્યાગ અલ્પકાલીન હોય છે, પરંતુ સાધુ મહાત્માઓ અને તપસ્વી ગૃહસ્થો સ્વેચ્છાએ, સંયમપૂર્વક, કોઇપણ પ્રકારના આઘાત-પ્રત્યાઘાત વિના, હોંશથી, ઉલ્લાસપૂર્વક, ઉચ્ચત્તર ધ્યેયને માટે નિશ્ચિત સમય માટે આહારનો અથવા આહારના રસનો ત્યાગ કરે છે. ગમે તેટલો સ્વાદિષ્ટ આહાર નજર સામે હોય તો પણ તેઓને તે વિકારના ભાજન જેવો, અરુચિકર લાગે છે. જેઓનું લક્ષ્ય ત્યાગવૈરાગ્ય, આત્મજ્ઞાન અને પરંપરાએ કેવળજ્ઞાન, મુક્તિનું છે તેઓ સ્વાદિષ્ટ આહારથી લુબ્ધ થતા નથી. ઉણોદરી વ્રત એ સાધુ ભગવંતોનું લગભગ કાયમનું વ્રત હોવું જોઇએ. સારા આરોગ્યની એક સાદી ચાવી છે: “પેટ ન ભરીએ ચારે ખૂણ.” પેટ ભરીને જમવાથી જેટલી રોગોની શક્યતા છે તેટલી ઉણોદરી વ્રતથી નથી. પેટ દબાવીને વધારે પડતું ખાવાથી જેટલા રોગો થાય છે અને જેટલા માણસો મૃત્યુ પામે છે એટલા રોગો કે મૃત્યુ થોડુંક ઓછું ખાવાથી Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ નથી થતાં. આરોગ્યની વાત તો ખરી જ, પણ સંયમની આરાધના માટે, ધર્મક્રિયાઓ માટે ઉણોદરી વ્રત આવશ્યક મનાયું છે. ઉણોદરી વ્રત ઉપરાંત વૃત્તિસંક્ષેપ વ્રત પણ લેવાય છે, જેમાં નિશ્ચિત કરેલી સંખ્યામાં અમુક જ વાનગીઓ લેવાની હોય છે. રસલાલસા ન થાય એ માટે આવાં આવાં વ્રતો છે. જૈન સાધુઓએ (“સાધુ” શબ્દમાં સાધ્વી આવી જાય છે.) સામાન્ય રીતે દિવસમાં એક વખત જ આહારપાણી લેવાં જોઇએ. દિગંબર મહાત્માઓ એક જ વખત ઊભા ઊભા આહારદાન સ્વીકારે છે. તેઓ ઠામચોવિહાર કરતા હોય છે. જે યુવાન મુનિઓ સ્વાધ્યાય વગેરે કરતા હોય, જેમનું સ્વાસ્થ બરાબર ન રહેતું હોય અથવા એક વખતના આહારથી ચાલતું ન હોય તેઓ બે વખત આહાર લે છે. સામાન્ય રીતે સાધુઓએ સવારના નવકારશીના સમયનાં ચાપાણી, દૂધ ઇત્યાદિ પણ ન લેવાં જોઇએ. જો કે એનો ચુસ્ત આગ્રહ નથી. અલબત્ત, સાધુઓ છૂટે મોંઢે આખો દિવસ કંઈક ને કંઈક ખાતા હોય એવું તો ન જ બનવું જોઇએ. બનતું પણ નથી. કહ્યું છે કે जा य लज्जासमावित्ती एगभत्तं च भोयणं । (સંયમાનુકૂળ જીવન માટે દિવસમાં એક વાર ભોજન હિતકારી છે.) કહેવાય છે કે “સપુરુષના તુચ્છ (અલ્પ) આહાર.” આહાર સંયમની આરાધના માટે છે. એક વખત જીવનની દિશા બદલાય છે, સાધના તરફ લક્ષ જાય છે, આત્મસ્વરૂપની Page #298 -------------------------------------------------------------------------- ________________ णाइमत्त पाण भोयण भोड़ से निग्गंथे । રમણતામાં રસ પડે છે, પછી ભોજનનો રસ અનુક્રમે છૂટી જાય છે. કોઈ સાધુ મહારાજને ડાયેટિંગ ક૨વાની જરૂર ન હોય. કારણ કે એમનું શરીર જ એવું એકવડું હોય. હૃષ્ટપુષ્ટ, તગડા, ખાધેપીધે ખબરદાર ભોજનના સિયા એવા સાધુ મહારાજ જૈન ધર્મમાં ન શોભે. એકંદરે એવા જોવા પણ નહિ મળે. (સિવાય કે જન્મથી એવો બાંધો હોય કે એવા પ્રકારનો રોગ થયો હોય.) રાત્રિ દરમ્યાન એટલે કે સૂર્યાસ્તથી બીજા દિવસના સૂર્યોદય સુધી જીવનપર્યંત જેઓને ભોજન અને પાણી એટલે ચારે પ્રકારના આહારનો ત્યાગ હોય એવા જૈન સાધુ જેવા સાધુ દુનિયાના અન્ય કોઈ ધર્મમાં જોવા નહિ મળે. (કોઈ વ્યક્તિગત રૂપે કરે તે જુદી વાત છે.) અનેક શ્રાવકો પણ આવું વ્રત ધરાવતા હોય છે. ૨૮૯ સાધુઓ જે ગોચરી વહોરી લાવ્યા હોય તે પોતાના વડાને બતાવ્યાં પછી જ વા૫૨વાની હોય છે. સાધુથી ખાનગીમાં કશું વહોરી લાવીને ખવાય નહિ. સાધુઓએ ગોચરીના બેતાલીસ પ્રકારના દોષો અને માંડલીના પાંચ પ્રકારના દોષોથી મુક્ત રહેવું જોઇએ. ૧૬ પ્રકારના ઉદ્ગમ દોષો, ૧૬ પ્રકારના ઉત્પાદના દોષો, ૧૦ પ્રકારના એષણા દોષો અને પાંચ પ્રકારના માંડલીના દોષોની વિગતે છણાવટ શ્રી મહાનિશીથસૂત્ર તથા અન્ય શાસ્ત્રગ્રંથોમાં થયેલી છે. મુનિઓને માટે શ્રી મહાનિશીથસૂત્રમાં કહ્યું છે : Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ कारणं वेयण वेयावच्चे इरियाटुए य संजमाए । तह पाणवत्तियाए छटुं पुण धम्मचिंताए । [વેદના, વેયાવૃત્ય, ઇર્યાસમિતિ, સંયમ, પ્રાણવૃત્તિ અને ધર્મચિંતા એ આહાર માટેનાં છ કારણો છે.] વેદના એટલે સુધા-વેદનીયનો ઉદય હોય અને ભૂખ સહન ન થતી હોય તો આહાર લેવો જોઈએ. સુધાને કારણે અતિશય ભૂખ્યા પેટે ગ્લાન મુનિઓની વૈયાવચ્ચ માટે શક્તિ ન રહેતી હોય, ઇર્યાસમિતિનું પાલન બરાબર ન થતું હોય, સંયમની આરાધના, સ્વાધ્યાય વગેરેમાં ચિત્ત ન ચોંટતું હોય, પ્રાણ તૂટતા હોય એમ લાગતું હોય અથવા શુભ ધર્મચિંતન ન થઈ શકતું હોય તો એ છે કારણોને લીધે અથવા એમાંના મુખ્ય સુધાવેદનીય કર્મના ઉદયને કારણે આહાર લેવાની જરૂર રહેતી હોય તો આહાર લેવો જોઇએ. સાધુઓએ સ્વાદના શોખ માટે આહાર લેવાનો ન હોય. માંડલીના પાંચ દોષોમાં મુખ્ય દોષ તે “સંયોજના દોષ છે. વિશિષ્ટ રસના આસ્વાદ માટે અમુક વાનગીઓનું પાત્રામાં અથવા મુખમાં સંયોજન અર્થાત્ મિશ્રણ કરવું એ સંયોજના દોષ છે. રસત્યાગને ચુસ્ત રીતે અનુસરનારા મુનિ મહારાજ ભોજનની વાનગીઓ બધી ભેગી કરીને વાપરે છે કે જેથી કોઇપણ એક વાનગીનો જુદો સ્વાદ માણવાનું મન ન થાય. જે વાનગી છૂટી ખાવાની હોય તેને તેઓ ભેળવીને ખાય છે Page #300 -------------------------------------------------------------------------- ________________ णाइमत्त पाण भोयण भोइ से निग्गंथे । અને જે વાનગી ભેળવીને (જેમ કે દાળ-ભાત, ખીચડી-કઢી) ખાવાની હોય તેને તેઓ છૂટી વાપરે છે. ગત શતકના સર્વોચ્ચ દીક્ષાદાતા પ. પૂ. સ્વ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ પોતે આહારની બાબતમાં અત્યંત સંયમિત હતા અને પોતાના શિષ્યોને પણ એ રીતે તૈયાર કરેલા. સ્વ. પ્રેમસૂરિદાદાએ પોતાના પચાસથી અધિક વર્ષના દીક્ષા પર્યાયમાં રોજ ઘણુંખરું એક જ વખત ગોચરી વાપરી છે અને ગોચરીમાં પણ ઘણુંખરું તેઓ બે જ વાનગી–દાળ અને રોટી અથવા ક્યારેક શાક અને રોટી વાપરતા. એમનું સૂત્ર હતું: દાળ અને રોટી, બીજી વાત ખોટી. ભોજનમાં ફક્ત દાળ અને રોટી વાપરવાની વાત આવી એટલે ફક્ત દાળ અને રોટી ખાનાર બીજા એક સંન્યાસી મહારાજની વાત યાદ આવે છે. અન્ય ધર્મના કેટલાક સંપ્રદાયોમાં સંન્યાસીઓ ગૃહસ્થના ઘરે જઈ ભોજન કરે એવી પ્રથા હોય છે. એક વખત એક બહેને એક સંન્યાસી મહારાજને પોતાને ત્યાં ભોજન લેવા માટે નિમંત્રણ આપ્યું. સંન્યાસી મહારાજ ખાવાના શોખીન હતા, પણ દેખાવ સાદાઈનો કરતા. જ્યારે બહેને પૂછ્યું, ‘મહારાજ ! આપને માટે શું બનાવું ?' મહારાજે કહ્યું, ‘અમારે તો બીજું કાંઈ ન જોઇએ. દાળ અને રોટી મળે એટલે બસ.' બહેને કહ્યું, ‘બસ, મહારાજ ! આટલું જ ? બીજું કંઈ નહિ ?’ ‘ના. બસ આટલું જ, પણ દાળ સફેદ બનાવજો અને રોટી ૨૯૧ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ૨ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ કાળી બનાવજો...બસ, બે જ વાનગી બનાવજો-કાળી રોટી અને ધોળી દાળ.” બહેન કશું સમજી નહિ. એ તો મૂંઝાઈ ગઈ. એણે પડોશણને પૂછયું. પડોશણે કહ્યું, “ધોળી દાળ એટલે દૂધપાક અને કાળી રોટી એટલે માલપુવા.” સંન્યાસી મહારાજ આ બે વાનગી જ બરાબર ઝાપટે છે. પછી ત્રીજી વાનગીની જરૂર નહિ. એ બહેને મહારાજને બે જ વાનગીનું સાદું (?) ભોજન કરાવ્યું તો ખરું, પણ પછી બીજી વાર નિમંત્રણ ન આપ્યું. કેટલાક ધર્મોમાં ભોજનનો થાળ એ ગુરુ મહારાજનો સૌથી પ્રિય વિષય હોય છે. ભાતભાતની વાનગી પોતે આરોગે અને ભક્તોએ પોતાને ધરાવેલા થાળોમાંથી વિવિધ વાનગીઓ ભક્તોને પ્રસાદરૂપે ખવડાવે. કેટલીક વાર તો ભક્તભક્તાણીના મોંઢામાં તેઓ સ્વહસ્તે મૂકે છે. ધાર્મિક આનંદોત્સવ સાથે મિષ્ટ વાનગીઓ સંકળાયેલી છે. ભક્તો-ભક્તાણીઓ ગુરુજીને ખવડાવે અને ઉચ્ચ સ્વરે તાળીઓ સાથે ગાયઃ હસતાં, હસતાં ખાય, ગુરુજી મારા, હસતાં હસતાં ખાય!” મનભાવતી વાનગીઓથી ધરાઇને પેટ ભરવું એ કેટલાક સંપ્રદાયોના ઉત્સવોનું-ગુરુમહિમાનું એક લક્ષણ છે. આવા પંથોમાં ભક્તો જ ગુરુજીને ખવડાવી ખવડાવીને અતિશય હૃષ્ટપુષ્ટ બનાવી દે છે, એટલું જ નહિ, મધુપ્રમેહના રોગનો ભોગ પણ બનાવી દે છે. વળી વારંવાર ભક્તાણીઓના હાથે મિષ્ટાન્ન આરોગવાને કારણે ગુરુજીની વાસનાઓ પણ બહેકવા Page #302 -------------------------------------------------------------------------- ________________ णाइमत्त पाण भोयण भोड़ से निग्गंथे । લાગે છે અને એમાંથી કેટલાક અનર્થો સર્જાય છે. શરીરમાં ગયેલો અન્નનો દાણો એનું કાર્ય કર્યા વગર રહેતો નથી. કેટલાક પ્રકારનું ભોજન તામસી ગણાય છે. એ ખાવાથી તામસી પ્રકૃતિ વધે છે, એટલે કે કામ, ક્રોધ, દ્વેષ, પ્રમાદ ઇત્યાદિ વધે છે. આથી સંયમના સાધકો માટે એવી ભોજનસામગ્રી વર્જ્ય ગણાય છે. સાંજનું મિષ્ટાન્નયુક્ત ભારે ભોજન વાસનાને ઉશ્કેરી શકે છે. જેઓ ધ્યાન ધરવા ઇચ્છતા હોય તેઓએ તો સાંજના ભોજન ન કરવું જોઈએ અથવા હળવું ભોજન લેવું જોઈએ. ગરિષ્ઠ ભોજન જમ્યા પછી ધ્યાન સારું થઈ શકતું નથી. ધ્યાન નિદ્રામાં પરિણમે છે. સ્નિગ્ધ ભોજન કામવિકારનું, પ્રમાદનું કારણ બની શકે છે. એટલા માટે જૈન મુનિઓ એવા પ્રકારના આહારનો યથાશક્તિ ત્યાગ કરે છે. દસવૈકાલિક સૂત્રમાં કહ્યું છે પળીય વપ્નદ્ રÉ ।-સ્નિગ્ધ રસનો ત્યાગ કરવો. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કડા (કડાઇમાં તળેલી વાનગી) એ છને વિગઇ (વિકૃતિ પરથી) કહેવામાં આવે છે. કેટલાક મુનિ મહાત્માઓ આજીવન આ છએ વિગઇનો ત્યાગ કરે છે, તો કેટલાક અમુક સમયમર્યાદા માટે ત્યાગ કરે છે. દરેક સાધુ-સાધ્વીએ પોતાના ગુરુભગવંતની આજ્ઞા અનુસાર નિશ્ચિત સમય માટે ઓછામાં ઓછી એક કે બે વિગઇર્નો ત્યાગ કરવાનો રહે છે. રસત્યાગ અને સંયમપાલન એ એનો મુખ્ય ઉદ્દેશ છે. રસત્યાગ માટે જૈન ધર્મમાં આયંબિલની જે તપશ્ચર્યા છે ૨૯૩ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨ ૯૪ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ તેવી અન્ય કોઈ ધર્મમાં નથી. આયંબિલની વાનગીઓ દિવસમાં એકને બદલે બે વાર આરોગે તો પણ કેટલાકને તે અરુચિકર થાય છે. પરંતુ જૈન ધર્મમાં વર્ષમાં બે વાર આયંબિલની ઓળીમાં ગામે ગામ સેંકડો, હજારો માણસો આયંબિલ કરે છે. કેટલાક સાધુ મહાત્માઓ અને ગૃહસ્થો વર્ધમાન તપની એકસો સુધીની આયંબિલની ઓળી કરે છે. કેટલાક તો બે કે ત્રણવાર એવી ઓળી કરે છે. આહારસંજ્ઞાને જીતવાનો તથા કર્મની નિર્જરાનો આ એક અમૂલ્ય ઉપાય અને અવસર ગણાય છે. આહારસંજ્ઞાની મંદતાથી કાયાની મમતા ઘટે છે અને કાયાની મમતા ઘટતાં તપધર્મની આરાધનામાં રસ પડે છે, આરાધના સારી રીતે થાય છે. ભોજન કરવાના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે: (૧) સિંહ ભોજન–ભોજન સામગ્રીમાંથી સિંહની જેમ કોઈ પણ એક બાજુથી ધીમે ધીમે ખાવું. (૨) વાનર ભોજન-જેવું હાથમાં આવ્યું કે તરત અધીરાઈથી ખાવા મંડી પડવું. (૩) હસ્તિ ભોજન- હાથીની જેમ ઉપેક્ષાથી કે ઉદાસીનભાવથી ખાવું. (૪) કાક ભોજન-કાગડાની જેમ ચૂંથી ચૂંથીને ખાવું. (૫) શુગાલ ભોજન-શિયાળની જેમ ઘડીકમાં એક બાજુથી અને ઘડીકમાં બીજી બાજુથી ખાવું. Page #304 -------------------------------------------------------------------------- ________________ णाइमत्त पाण भोयण भोइ से निग्गंथे। ૨ ૯૫ આ પાંચ પ્રકારોમાંથી સિંહની જેમ અથવા હાથીની જેમ ભોજન કરવાની મુનિઓને ભલામણ કરવામાં આવી છે. મનુષ્યની પાંચ ઇન્દ્રિયોમાં જીભ સૌથી વધુ બળવાન છે. જીભ ક્યારેય થાકતી નથી. ખાવાનું મળ્યું કે તરત તૈયાર. તરત તે રસ ઝરતી બની જાય છે. માણસને આંખથી કોઈપણ એક વસ્તુ ધારી ધારીને સતત જોવાનો કે કાનથી અમુક ધ્વનિ સાંભળવાનો થાક લાગે છે. વાંચતાં વાંચતાં માણસ ઊંઘી જાય છે. સંગીત સાંભળતાં પણ ઝોલાં ખાય છે. પણ આહાર મળતાં જીભ સક્રિય થઈ જાય છે. વળી એને માત્ર ગળ્યો કે એવા એક રસમાં જ નહિ, ખાટો, તીખો, તુરો કે કડવા જેવા રસમાં પણ રસ પડે છે. જીભ જેમ થાકતી નથી તેમ ઘરડી પણ થતી નથી. માણસ આંખે આંધળો કે કાને બહેરો થઈ જાય છે, પણ ખાવાના ચટકા તો સો વર્ષની ઉંમરે પણ હોય છે. દાંતનો વિરહ થાય તો પણ જીભને વૈરાગ્ય ઊપજતો નથી. આ જીભ ઉપરના અસંયમને કારણે જ કેટલાયે લોકોને આખો દિવસ કંઈક ને કંઈક ખાવા જોઇએ છે. દુનિયામાં, વિશેષતઃ અમેરિકામાં કેટલાયે લોકો Compulsive Eaters હોય છે. ખાવાનું એમને વ્યસન થઈ જાય છે. ખાવાનું ન મળે તો અસ્વસ્થ, ગાંડા જેવા, અરે ક્યારેક તો તોફાન મચાવતા થઈ જાય છે. અમેરિકામાં (અને બીજા કેટલાક દેશોમાં પણ) રસવૃત્તિને સતેજ કરે એવા વિવિધ પ્રકારના નવા નવા આહાર બજારમાં મૂકવામાં આવે છે. માણસો એક પછી એક Page #305 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ વાનગી ખાધે રાખે છે. પરિણામે સૌથી વધારે જાડા માણસો અમેરિકામાં છે. એટલે જ જીભને વશ રાખવાનું કામ ઘણું દુષ્કર છે. એક બહેન કહેતાં કે ‘મારે જો જીભ ન હોત તો ક્યારની દીક્ષા લીધી હોત.’ એમને દીક્ષા લેવી હતી, પણ એમની સ્વાદેન્દ્રિય બળવાન હતી. બધી જ ધર્મક્રિયાઓમાં એમને રસ પડે. પૂરી નિષ્ઠાથી એ ક્રિયાઓ કરે પણ ખરાં, પરંતુ સ્વાદની વાત આવે, ભાવતાં ભોજનની વાત આવે ત્યાં તેઓ હારી જાય. ભોજનમાં કશું જ ઓછું કે નબળું ન ચાલે. વળી એમની સ્વાદવૃત્તિ પણ એવી કેળવાયેલી કે મરીમસાલા બરાબર પડ્યા છે કે નહિ તેની તરત પરખ થાય, વળી તરત જાતે વિવિધ પ્રકારની સરસ રસોઈ બનાવી શકે. એમની સાથે વાત કરીએ તો એમની પાકશાસ્ત્રની જાણકારીથી આશ્ચર્યચકિત થઈ જવાય. ૨૯૬ દુનિયાના ભોજન-વ્યવહા૨થી તદ્દન વિભિન્ન દિશામાં જૈન ધર્મે સાધુઓના આહારની ગવેષણા કરી છે. અલ્પ આહારે જૈન સાધુઓ જે સુખાનંદ અનુભવે છે તે કેટલો ઉત્કૃષ્ટ કોટિનો છે તે વિશેષ તો અનુભવે જ સમજાય એવો છે. ܀܀܀ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૬ संसग्गि असाहु राइहिं । [રાજાઓનો સંસર્ગ સારો નથી] ભગવાન મહાવીરે કહ્યું છે કે સાધુઓએ રાજા વગેરેનો સંસર્ગ રાખવો એ ઇષ્ટ નથી. સાધુઓને એથી અસમાધિ થાય છે. ભગવાન મહાવીરે કેટલી દીર્ઘદૃષ્ટિપૂર્વક આ વાણી ઉચ્ચારી છે ! હકીકતમાં પોતે રાજકુમાર હતા, છતાં આવું વચન એમણે ઉચ્ચાર્યું છે ! વસ્તુતઃ આપણા બધા તીર્થંકરો રાજવી અથવા રાજકુમાર હતા. એમાં ત્રણ તીર્થંકરો શ્રી શાન્તિનાથ ભગવાન, શ્રી કુંથુનાથ ભગવાન અને શ્રી અરનાથ ભગવાન તો પોતે છ ખંડના ધણી, ચક્રવર્તી હતા. કોઈ ડૉક્ટર એમ કહે કે ડૉક્ટરો સાથે સંબંધ રાખવા જેવો નથી, અથવા કોઈ વકીલ, કોઈ એન્જિનિયર, કોઈ અધ્યાપક કે કલાકાર પોતાના જ વર્ગ માટે આવું વચન ઉચ્ચારે તો તે કેટલું વિચિત્ર લાગે ! પરંતુ ભગવાને પોતે જ્યારે આવું વચન ઉચ્ચાર્યું છે ત્યારે તો એ અવશ્ય અર્થગંભીર હોવું જોઇએ. સૂત્રકૃતાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના બીજા અધ્યયનના બીજા ઉદ્દેશમાં આ ગાથા નીચે પ્રમાણે છે: उसिणोदगतत्तभोइणो धम्मट्टियस्स मुणिस्स ड्रीमतो | संसग्गि असाहु राइहिं असमाही उ तहागयस्स वि ॥ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨ ૯૮ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ [ઉષ્ણ તપ્ત જળ વાપરનાર, ધર્મમાં સ્થિર, લજ્જાવાન (અસંયમ પ્રતિ) એવા મુનિનો રાજાદિક સાથેનો સંસર્ગ સારો નથી. તેવા સાધુને અસમાધિ થાય છે.] અહીં મુનિને માટે જે વિશેષણો વાપર્યા છે તે પ્રયોજનપૂર્વક છે. ઉષ્ણ અર્થાત્ તપ્ત જળ વાપરનાર એટલે કાચું પાણી નહિ વાપરનાર મુનિ આચારસંપન્ન હોવા જોઇએ. ધર્મનિષ્ઠ મુનિ ધર્મના મર્મને બરાબર જાણનાર હોવા જોઈએ. લજ્જાવાન એટલે કે અસંયમ પ્રતિ લજ્જાવાન. જે મુનિને કોઈ પ્રસિદ્ધિ કે મહત્તા જોઈતી નથી એટલે કે જે મુનિ અંતર્મુખ રહે છે અને પોતાનાં સંયમ, સ્વાધ્યાય, તપશ્ચર્યા વગેરેમાં મગ્ન હોય છે એવા મુનિને રાજાના સંસર્ગની કોઈ આવશ્યકતા નથી, કારણ કે પોતે સ્વાધીન છે અને મોક્ષપ્રાપ્તિનું પોતાનું ધ્યેય સ્પષ્ટ છે. ભગવાને આમ જે કહ્યું છે તે નિશ્ચયનયની દૃષ્ટિ સમજવાનું છે. રાજા, મંત્રીઓ, મિનિસ્ટરો, રાજકીય નેતાઓ વગેરેના સંપર્કમાં રહેવાથી તેમની અને તેમના કર્મચારીઓની સાધુ મહારાજ પાસે અવરજવર રહ્યા કરે છે. ઉભય પક્ષે લાભની કેટલીયે યોજનાઓ વિચારાય છે. આ બધામાં ચિત્ત વધુ સમય રોકાયેલું રહે છે. કેટલીક વાર એવી ઘટનાઓ બને છે કે જેથી અસ્વસ્થ પણ થઈ જવાય છે. આથી સાધુને માટે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનાં નિમિત્તો ઊભાં થાય છે. પછી વિચારે ચડી ગયેલું ચિત્ત શાસ્ત્રના અધ્યયનમાં પરોવાતું નથી અથવા Page #308 -------------------------------------------------------------------------- ________________ संसग्गि असाहु राइहिं। ૨૯૯ પરોવાતાં વાર લાગે છે. સ્વાધ્યાય માટે ક્યારેક પૂરતો સમય રહેતો નથી. કેટલીક વાર રાજાઓ, મંત્રીઓ રાતને વખતે મળવા આવે છે કે જેથી સામાન્ય લોકોની નજરે તેઓ ન પડે. પરંતુ એથી સાધુ મહારાજને ઉજાગરો થાય છે. પછી ધ્યાન કે આત્મચિંતન માટે સમય રહેતો નથી. આવશ્યક ક્રિયાઓ પણ આઘીપાછી કરવી પડે છે. અથવા માંડી પણ વળાય છે. એટલે જ રાજાઓના કે રાજદ્વારી પુરુષોના સંપર્કમાં ન રહેવું એ સાધુ ભગવંતો માટે હિતાવહ છે. ભગવાને તો એથી આગળ વધીને એમ કહ્યું છે કે રાજપિંડ પણ સાધુને ન ખપે એટલે કે સાધુથી રાજમહેલમાં ગોચરી વહોરવા માટે ન જવાય. રાજા કુમારપાળે પોતાના ધર્મગુરુ શ્રી હેમચંદ્રાચાર્યના કાળધર્મ પ્રસંગે એમની ચિતાને અગ્નિદાહ આપતી વેળાએ આંખમાં આંસુ સાથે કહ્યું હતું કે “હું કેવો અભાગી કે રાજા થયો. એથી મારા ગુરુ મહારાજને ગોચરી વહોરાવવાનો લાભ મને ક્યારેય ન મળ્યો.” સાધુઓ રાજમહેલમાં ગોચરી માટે ન જાય એટલે કે તેઓ રાજમહેલમાં આંટાફેરા કરતા ન થાય એ બહુ મહત્ત્વનું છે. વળી રાજકારણ એ ખટપટનું ક્ષેત્ર છે. રાજા ભલે પ્રતાપી, સુશીલ અને ધર્માનુરાગી હોય, પણ એમના મંત્રીમંડળમાં, કર્મચારીઓમાં ઘણા કાવાદાવા ચાલતા હોય છે. સત્તા અને મહત્ત્વાકાંક્ષાનું ક્ષેત્ર સ્વયમેવ ગંદુ થઈ જાય છે. સાધુ મહારાજને જો રાજ્યસત્તાધીશો સાથે ઘનિષ્ઠ સંપર્કમાં હોય તો આવા Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ કાવાદાવામાં તેઓ વગર ઇચ્છએ સંડોવાય છે. તેમનું નામ વગોવાય છે. ક્યારેક તેઓને કોઈ એક પક્ષ લેવાની જરૂર પડે છે. ક્યારેક તેમની અપકીર્તિ થાય છે. જે મહત્માઓ કેવળ આત્મસાધનામાં જ મગ્ન રહેવા ઇચ્છતા હોય તેઓએ રાજદ્વારી પુરુષોનો સંસર્ગ રાખવાની બિલકુલ આવશ્યકતા નથી, કારણ કે એવો સંસર્ગ તેમની આત્મસાધનામાં બાધારૂપ બને છે. આવા મહાત્માઓ તો ગૃહસ્થો સાથે પણ બહુ સંસર્ગ રાખતા નથી. સાધુઓએ આહારપાણી, આવાસ વગેરે માટે સંઘની વ્યવસ્થાનો આશ્રય લેવો પડે છે. વ્યાખ્યાન, સંઘના શ્રાવક-શ્રાવિકાની તપશ્ચર્યા, ઉત્સવો, ક્રિયાવિધિ ઇત્યાદિ માટે સંઘ સાથે વ્યવહાર રહે છે. પરંતુ તેઓ તેનાથી લેવાતા નથી. કામ પૂરું થતાં તેઓ પોતાની સાધનામાં લાગી જાય છે. તો શું સાધુ મહારાજે રાજા કે રાજદ્વારી વ્યક્તિઓ સાથે ક્યારેય સંબંધ ન રાખવો જોઇએ ? ના, એમ તો ન કહી શકાય. ભગવાને જે કહ્યું છે તે નિશ્ચય દૃષ્ટિથી કહ્યું છે અને એ જ સાચું છે, તેમ છતાં વ્યવહારદૃષ્ટિથી રાજ્યસત્તા સાથેનો સંપર્ક ઇષ્ટ ગણાય છે. શાસન ઉપર જ્યારે આપત્તિ આવી પડે, અન્ય ધર્મના ઝનૂની લોકોનું સાધુઓ ઉપર, તીર્થો ઉપર, શ્રાવકો ઉપર આક્રમણ થાય ત્યારે રક્ષણ માટે રાજ્યસત્તાનો આશ્રય લેવો પડે છે. સંઘમાં જ બે પક્ષ પડી જાય અને કલહ ઉગ્ર બની જાય ત્યારે રાજ્યસત્તાની દરમિયાનગીરી ઉપયોગી Page #310 -------------------------------------------------------------------------- ________________ संसग्ग असाहु राइहिं । નીવડે છે. લોકશાહીના જમાનામાં વખતોવખત કાયદા બદલાતા જાય છે. શાસનના હિતનો પ્રશ્ન આવે ત્યારે સરકારી સંબંધોથી કાર્ય ત્વરિત થાય છે. કોઈ પણ વાતને ઇરાદાપૂર્વક વિલંબમાં નાખવાની કે બીજાને પરેશાન કરવાની ક્ષમતા અને આવડત સત્તાધીશોની પાસે હોય છે. કાયદા આગળ કોઈનું કશું ચાલતું નથી, પણ સત્તાધીશો કાયદો બદલી શકે છે. અથવા એનો અમલ વિલંબમાં નાખી શકે છે. એટલે કોઈ સાધુ મહાત્માઓ રાજનેતાઓ સાથે સંપર્ક રાખે એ શાસનના હિતની દૃષ્ટિએ ઉપયોગી મનાય છે. પરંતુ યાદ રાખવું જોઇએ કે રાજકારણમાં પક્ષાપક્ષી હોય છે. એટલે સાધુ મહાત્માઓએ પક્ષાપક્ષીમાં પડવું ન જોઇએ. વળી એ પણ સમજવું જોઇએ કે આ વ્યવહાર–દૃષ્ટિએ ઉપયોગી છે. એથી મોક્ષમાર્ગની આરાધનાને અવશ્ય અસ૨ પહોંચે છે. જે મહાત્માઓ સમર્થ અને પ્રભાવક છે તેઓ પોતાની આત્મસાધનાની સાથે સાથે રાજદ્વારી વ્યક્તિઓ સાથે પોતાની મર્યાદામાં રહીને સંસર્ગ રાખે એ વ્યવહાર દૃષ્ટિએ ઉપયોગી મનાય છે. શ્રી હેમચંદ્રાચાર્યને સિદ્ધરાજ જયસિંહ અને રાજા કુમારપાળ સાથે સતત સંપર્ક હતો. એથી શાસનને લાભ જ થયો છે. આઠ-નવ સેકાથી ગુજરાત મુખ્યત્વે શાકાહારી રહ્યું છે. એનાં મૂળ હેમચંદ્રાચાર્ય અને રાજા કુમારપાળના સંબંધમાં રહ્યાં છે. શ્રી હીરવિજયસૂરીશ્વરે અકબર બાદશાહને પ્રતિબોધ ૩૦૧ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૨ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ પમાડ્યા એને કારણે એમના વખતમાં વરસમાં કુલ છ મહિના જેટલો સમય કતલખાના બંધ રાખવા માટે ફરમાનો નીકળ્યાં હતાં. આવાં બીજાં ઘણાં ઉદાહરણ મળી શકે. સાધુ સંન્યાસીઓ માટે સામાન્ય લોકોમાં એવી શ્રદ્ધા રહે છે કે તેઓ પાસે વિદ્યા, મંત્ર, જડીબુટ્ટી, વાસક્ષેપ, માદળિયું, રક્ષાપોટલી, વગેરે કંઈક હોય છે અને તેના વડે તેઓ લોકોનાં દુ:ખ દૂર કરી શકે છે, ધન-સંતાનની પ્રાપ્તિ કરાવી શકે છે, કોર્ટકચેરી, ચૂંટણી કે યુદ્ધમાં વિજય અપાવી શકે છે. જૂના વખતમાં યુદ્ધ કરતાં પહેલાં રાજાઓ પોતાના ધર્મગુરુના આશીર્વાદ લેતા. હાલ કેટલાયે નેતાઓ ચૂંટણી વખતે સાધુ મહારાજ પાસે વાસક્ષેપ નખાવા આવે છે અને જો જીતી જાય તો એમની શ્રદ્ધા બમણી થાય છે. સાથે સાથે સાધુમહારાજને પોતાની શક્તિ માટે ગૌરવ થાય છે. ભક્તો એનો પ્રચાર કરે છે. પછી ભીડ જામે છે. પરંતુ આ બધું કરવામાં સાધુ મહારાજને પછી જપ-તપ, જ્ઞાન-ધ્યાન માટે, આત્મસાધના માટે સમય રહેતો નથી. રાત્રે પણ એમની પાસે અવરજવર ચાલુ રહે છે. કેટલાક સાધુ મહાત્માઓ આવો વ્યવહાર કરતાં હોવા છતાં તેના પર સમયમર્યાદા મૂકે છે અને સાધનાનું પોતાનું લક્ષ્ય ચૂકતા નથી. કેટલાક મહાત્માઓ સાંજનું પ્રતિક્રમણ કર્યા પછી કોઈને મળતા નથી અને શિષ્યો સાથે પણ ખપ પૂરતી વાત કરે છે. રાજદ્વારી પુરુષો બહુધા રજસ્ અને તમન્ ગુણથી ભરેલા Page #312 -------------------------------------------------------------------------- ________________ संसग्गि असाहु राइहिं। ૩૦૩ હોય છે. કેટલાક રાજાઓ કે રાજદ્વારી પુરુષો વિવિધ વ્યસનોથી ગ્રસિત હોય છે. વળી રાજકારણ હંમેશાં કુટિલતાભરેલું, દાવપેચવાળું હોય છે. એટલે સાત્ત્વિક ગુણવાળા સાધુ મહારાજ રાજદ્વારી પુરુષોના ગાઢ સંપર્કમાં રહે તો સમય જતાં એમની વિચારધારા અને વ્યક્તિત્વ પણ રજસ્ અને તમસ્ ગુણથી પ્રભાવિત થયા વગર રહે નહિ. રાજાઓ કે રાજદ્વારી નેતાઓ સાથેનો સંબંધ માનકષાયનું મોટું નિમિત્ત બને છે. રાજદ્વારી નેતાઓ પાસે જો સત્તાસ્થાન હોય તો એ જ્યાં જાય ત્યાં એમના મંત્રીઓ, અંગરક્ષકો, પોલીસો, ચપરાસીઓ વગેરેની દોડાદોડ હોય છે. એમને જોવા માટે લોકોની પડાપડી હોય છે. પત્રકારો, ફોટોગ્રાફરોની ધૂમાબૂમ હોય છે. નેતામાં પોતાનામાં સત્તાની સભાનતા હોય છે. આવા મોટા નેતા પોતાને વંદન કરે છે એવો ભાવ અંતરમાં પડેલા સૂક્ષ્મ માનકષાયને પોષે છે જે જીવને અધ્યાત્મમાર્ગમાંથી પાછો પાડે છે. વર્તમાન સમયમાં ફોટા, વિડિયો, ટી.વી.ની બોલબાલા છે. એટલે મોટા રાજદ્વારી નેતા પોતાની પાસે વાસક્ષેપ નખાવે છે, ફોટો લેવાય છે એથી અહંકાર પોષાય છે. અંતર પડેલો સૂક્ષ્મ માનકષાય વધુ ગાઢ થાય છે. સાધુઓને નેતાઓની લત ન લાગવી જોઇએ. નેતા સાથેનો ફોટો પોતાના મનમાં ગૌરવનો વિષય ન બનવો જોઇએ. સાધુપણાનું ઔચિત્ય જાળવવું જોઇએ. એક મુનિ મહારાજને એક રાજદ્વારી નેતા સાથે સારો સંબંધ થઈ ગયો હતો. એ Page #313 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ રાજપુરુષ પોતાની કંઈ સમસ્યા હોય તો મુનિ મહારાજને મળવા આવે, એમની પાસે વાસક્ષેપ નખાવે. ચૂંટણી પ્રસંગે જ્યારે પોતે ઊભા રહ્યા હોય ત્યારે મહારાજશ્રી પાસે વાસક્ષેપ નંખાવા અવશ્ય આવે. એક વખત તો વ્યાખ્યાન ચાલુ હતું અને એ નેતા આવી પહોંચ્યા. તેઓ ઉતાવળમાં હતા. મહારાજશ્રીએ તરત વ્યાખ્યાન માંગલિક કર્યું અને ઉ૫૨ જઈ એ નેતા સાથે વાટાઘાટ કરવા બેસી ગયા. વસ્તુતઃ રાજદ્વારી નેતાઓ સાથેનો સંબંધ પણ એવો હોવો જોઇએ કે જેથી પોતાનાં આવશ્યક કર્તવ્યો ચૂકી ન જવાય. બીજી બાજુ કેટલાક નેતાઓ પણ જબરા હોય છે. જૈન સમાજની અને કેટલાક સાધુઓની નબળાઈ તેઓ સમજતા હોય છે. એક વખત એક દેરાસરના પટાંગણમાં કોઈક આચાર્ય મહારાજની સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે એક મુનિ મહારાજની નિશ્રામાં કાર્યક્રમ યોજાયો હતો. શ્રોતાઓની ઘણી મોટી સંખ્યા હતી, કારણ કે કાર્યક્રમ પછી સ્વામિવાત્સલ્ય હતું. કાર્યક્રમ શરૂ થયાને થોડીવાર થઈ હશે. ત્યાં તો પોલીસની સાઇરન કાર સાથે બીજી ગાડીઓ આવી પહોંચી. એક ગાડીમાંથી મિનિસ્ટર ઊતર્યાં. એમની આસપાસ બીજા માણસો દોડાદોડી કરવા લાગ્યા. કાર્યક્રમના આયોજકો અચંબામાં પડી ગયા. મિનિસ્ટર સીધા મંચ પર આવ્યા. તેમને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું. મિનિસ્ટરે આયોજકોને બોલાવ્યા અને ખાનગીમાં ખખડાવ્યા, ‘આવો મોટો કાર્યક્રમ કરો છો અને મને કાર્ડ પણ મોકલતા ૩૦૪ Page #314 -------------------------------------------------------------------------- ________________ संसग्गि असाहु राइहिं। ૩૦૫ નથી ? શું સમજો છો તમારા મનમાં ? જૈન સમાજના કેટલાં કામ હું કરી આપું છું એ ખબર છે ને !' આયોજકો બિચારા માફી માગવા લાગ્યા. પછી મિનિસ્ટરે કહ્યું, “આ કોણ બહેન ગાય છે ? એને કહો કે જલદી પૂરું કરે. મારે મોડું થાય છે.' તરત ગીત ટૂંકું થઈ ગયું. પછી મિનિસ્ટર બોલવા ઊભા થયા. સ્વર્ગારોહણની તિથિ બાજુ પર રહી ગઈ. મિનિસ્ટરે પોણો કલાક જૈન સમાજ માટે પોતે શું શું કર્યું એ વિશે પોતાનાં બણગાં ફૂંક્યાં, જૈન સમાજની કેટલીક ટીકા કરી, કેટલીક સલાહ આપી અને વક્તવ્ય પૂરું થતાં મુનિ મહારાજને નમસ્તે કરી ચાલ્યા ગયા. પરિણામે સમગ્ર કાર્યક્રમ ડહોળાઈ ગયો. અડધા લોકો ખાવા માટે ઊભા થઈ ગયા. તરત મહારાજ સાહેબે ટૂંકું વક્તવ્ય આપી માંગલિક ફરમાવ્યું અને કાર્યક્રમ પૂરો થયો. જૂના વખતમાં રાજા રાજ્ય પર શાસન ચલાવે પણ સાધુ મહાત્માને વંદન કરે. ભારતીય સંસ્કૃતિમાં રાજ્યસત્તા કરતાં ધર્મસત્તાને ચડિયાતી ગણવામાં આવે છે. જે રાજા સાધુઓને સતાવે છે તે વિનાશ નોંતરે છે. પ્રજા પણ ધર્મગુરુને વધારે માન આપે છે. કોઈ સભામાં રાજા પધારે ત્યારે એમને માન આપવા સમસ્ત મહાજન ઊભું થઈ જાય છે, પણ સાધુઓ પોતાના સ્થાને બેઠેલા રહે છે. (ઘણાં વર્ષો પહેલાં એક સભામાં રાષ્ટ્રપતિ પધાર્યા ત્યારે મંચ પર બેઠેલા સર્વ મહાનુભાવો ઊભા થઈ ગયા. તે વખતે એક મુનિ પણ ભૂલમાં ઊભા થઈ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ ગયા હતા.) રાજાઓ પોતાની મર્યાદા સમજે છે. રાજા દુષ્યત કવિ ઋષિના આશ્રમમાં જાય છે ત્યારે પોતાનાં મુગટ, હાર, તલવાર વગેરે રાજચિહુનો ઉતારીને આશ્રમમાં પ્રવેશે છે. વિદ્યાધામોમાં પણ રાજા કરતાં શિક્ષકનું-વિદ્યાગુરુનું માન વધુ હોય છે (જો કે હવે એવું રહ્યું નથી.) જૂના વખતની ઇંગ્લંડની વાત છે. ત્યાં ક્યારેક રાજા શાળાઓની મુલાકાતે નીકળતા. ઇંગ્લંડમાં રિવાજ એવો છે કે રાજા પધારે ત્યારે બધા પોતાની હેટ માથેથી ઉતારીને હાથમાં રાખે. રાજા પ્રત્યે સન્માન બતાવવાની એ પ્રથા છે. એક વખત રાજા પોતાના રસાલા સાથે ઇંગ્લંડની શ્રેષ્ઠ ગણાતી એક શાળાની મુલાકાતે ગયા. રાજા પધાર્યા ત્યારે આચાર્ય એમનું સ્વાગત કરવા પહોંચ્યા. પરંતુ એ વખતે એમણે પોતાની હેટ ઉતારી નહિ. રાજાને એ ગમ્યું નહિ. મંત્રીઓને અને બીજાઓને પણ એ ઠીક ન જણાયું. રાજાનો માનભંગ થયો હોય એવું લાગ્યું. રાજાને એમના માણસો સાથે આચાર્ય બધા વર્ગોમાં લઈ ગયા. પણ હેટ ઉતારી નહિ. મુલાકાત પૂરી થઈ. સૌનો અભિપ્રાય એવો પડ્યો કે શાળા શ્રેષ્ઠ છે, પણ આચાર્યની ગેરશિસ્ત ગંભીર છે. એ ગેરશિસ્તને ગુનો ગણીને શિક્ષા કરવી જોઈએ. પણ એ પહેલાં આચાર્ય પાસે ખુલાસો માગવો જોઈએ. આચાર્યને બોલાવવામાં આવ્યા. હેટ ન ઉતારવાનું કારણ પૂછવામાં આવ્યું. આચાર્યે કહ્યું, “રાજાસાહેબ માટે મને અપાર માન છે. પણ મારા વિદ્યાર્થીઓમાં એવી છાપ Page #316 -------------------------------------------------------------------------- ________________ संसग्गि असाहु राइहिं । ન પડવી જોઈએ કે શિક્ષક કે આચાર્ય (વિદ્યાગુરુ) કરતાં રાજા મહાન છે. એમ થાય તો જીવનમાં એમનાં મૂલ્યો બદલાઈ જાય. અને પ્રજા ખમીરવંતી ન બની શકે.' આચાર્યના ખુલાસાથી રાજાને અને બીજાંઓને આનંદ થયો અને ઇંગ્લંડની ભાવિ પેઢીને સારી રીતે ઘડવા માટે આચાર્યને અભિનંદન આપ્યા. રાજાઓ, રાજ્યકર્તાઓ સાથેનો સંબંધ મુનિ મહારાજ માટે વ્યવહારદૃષ્ટિએ ગમે તેટલો ઉપયોગી હોય તો પણ અંતે તો ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે તે જ સાચું છે અને તે જ લક્ષમાં રાખવું જોઇએ. મુનિ મહારાજ માટે એ જ હિતાવહ છે. રાજ્યકર્તાઓ સાથેનો સંબંધ અસમાધિનું મોટું નિમિત્ત બને છે એ વાત નિર્વિવાદ છે. એમાં પોતાનું અંતઃકરણ એ જ સાક્ષી છે.’ માત્ર મોક્ષ અભિલાષ’થી જેઓએ દીક્ષા લીધી છે તેઓ તો આ વાતને તરત કબૂલ કરશે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ‘જ્ઞાનસાર’માં કહ્યું છેઃ प्राप्तं षष्ठं गुणस्थानं भवदुर्गाद्रिलङ्घनम् । लोकसंज्ञारतो न स्यान्मुनिर्लोकोत्तर स्थितिः ॥ ३०७ [ સંસારરૂપી વિષમ પર્વતનું ઉલ્લંઘન ક૨વારૂપ છઠ્ઠા (સર્વવિરતિ) ગુણસ્થાનકને પામેલા એવા, લોકોત્ત૨ માર્ગમાં રહેલા મુનિ લોકસંજ્ઞામાં રાગ ન કરે.] *** Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૭ तेसि पि तवो असुद्धो । તેિમનું પણ તપ અશુદ્ધ છે.] ભગવાન મહાવીરે કહ્યું છે કે તેમનું પણ” તપ અશુદ્ધ છે. અહીં તેમનું પણ” શબ્દ પ્રયોજવામાં આવ્યા છે. (તપ શબ્દ પુલ્લિગમાં વપરાય છે અને નપુંસક લિંગમાં પણ વપરાય છે.) તેમનું પણ એટલે બીજાઓનું તો ખરું જ, પરંતુ તેઓનું તપ પણ અશુદ્ધ છે. અહીં તેઓ” એટલે કે જે મોટા કુળમાં ઉત્પન્ન થયેલા છે, જેઓની ગણના મોટા માણસોમાં થાય છે એવા સાધુ મહાત્મા. મોટા માણસોને કેટલાક વિશેષ અધિકાર હોય છે. પરંતુ તપમાં તેઓ અપવાદરૂપ નથી. વસ્તુતઃ મોટા હોવાને કારણે એમની જવાબદારી વિશેષ રહે છે. મોટાનો દાખલો પહેલો લેવાય છે. ભગવાન મહાવીરે સૂત્રકૃતાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના આઠમાં અધ્યયનમાં કહ્યું છેઃ तेसिं पि तवो असुद्धो, निक्खंता जे महाकुला। जं नेवऽन्ने वियाणंति न सिलोगं पवेयए । જેઓ મહાકુળમાં જન્મ પામ્યા હોવા છતાં પૂજા-સત્કારાદિ માટે તપ વગેરે કરે છે તેમનું પણ તપ અશુદ્ધ છે. દીક્ષિત થયા પછી તેઓ પૂજા-સત્કારાદિના ભાવ સાથે જે અનુષ્ઠાનો કરે છે તે પણ અશુદ્ધ છે. સાધુ ભગવંતોએ સામાન્ય રીતે પોતાના Page #318 -------------------------------------------------------------------------- ________________ तेसि पि तवो असुद्धो। ૩૦૯ તપની બહુ જાહેરાત ન કરવી જોઈએ. યથાશક્ય પોતાના તપને ગુપ્ત રાખવું જોઈએ. સૂત્રકૃતાંગ સૂત્રની આ ગાથામાં તવોડયુદ્ધો અથવા તો કયુદ્ધો ને બદલે તવો યુદ્ધો એવો પાઠ રાખીને, “એવા મોટા કુળવાળાઓનું તપ પણ શુદ્ધ છે' એવો અર્થ ક્યાંક કરવામાં આવ્યો છે. પ્રથમ દૃષ્ટિએ એ અર્થ બરાબર લાગે છે. એમ કરવાથી પણ અર્થ બંધબેસતો લાગે છે, પરંતુ અહીં “પિ – પણ’ શબ્દ પ્રયોજાયો છે. જો શુદ્ધ તપની વાત હોય તો “પણ” શબ્દની આવશકતા ન રહે. “પણ” શબ્દ જ બતાવે છે કે અહીં અશુદ્ધ તપની વાત છે. વળી, આ ગાથા પરની સંસ્કૃત ટીકામાં પણ શુદ્ધ-એવો અર્થ જ આપ્યો છે–ષrru તત્તમનુષ્ઠાનમશુદ્ધ. એટલે આ ગાથામાં “શુદ્ધ નહિ પણ અશુદ્ધ પાઠ જ સુયોગ્ય છે.] પર્યુષણ પર્વ આવે એટલે સમગ્ર જૈન સમાજમાં તપશ્ચર્યાનો એક માહોલ સર્જાય છે. સંવત્સરીના દિવસે તો ભારતભરમાં લાખો માણસ ઉપવાસ કરે છે. પર્યુષણ પર્વ પછી ઠેર ઠેર તપશ્ચર્યાના આંકડાઓ પ્રસિદ્ધિમાં આવે છે. કેટલાક સાધુ મહાત્માઓની એવી લબ્ધિ હોય છે કે એમની નિશ્રામાં તપ કરવાનો ભાવ થાય છે. ક્યાંક ત્રણ કે ચાર વર્ષના બાળકે અઠ્ઠાઈ કરી હોય એવા સમાચાર સાંભળવા મળે છે. ક્યારેક સાવ નાનું ગામ હોય, ચાલીસ-પચાસ ઘર હોય અને મુનિ મહારાજે કે આચાર્ય ભગવંતે કશો જ આગ્રહ ન કર્યો હોય તો Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩ ૧૦ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ પણ ગામના પ્રત્યેક ઘરમાંથી એક સભ્ય અઠ્ઠાઈ કરી હોય. ક્યારેક એક જ ઘરમાંથી બધાએ અઠ્ઠાઈ કરી હોય. ૪૫ કે ૬૦ ઉપવાસ કરનારા દર વર્ષે નીકળી આવે છે. આવી અને બીજી અનેક પ્રકારની તપશ્ચર્યાઓની વાત સાંભળી અન્ય સમાજ આશ્ચર્યચકિત થઈ જાય છે. આવી તપશ્ચર્યાને અંતે ઊજમણું થાય છે, શોભાયાત્રા નીકળે છે. આ શોભાયાત્રા શ્રાવકોના તપની હોય છે. સાધુ મહારાજના તપ માટે શોભાયાત્રા ન નીકળે. એમના તપની અનુમોદના માટે જાહેર મેળાવડા ન થવા જોઇએ. સાધુ મહારાજોનું તપ ગુપ્ત રહેવું જોઇએ. એનો પ્રચાર ન થાય. જો તેમના દ્વારા પ્રચાર થાય, ફોટા છપાવાય તો તે તપ અશુદ્ધ બની જાય છે. જૈન ધર્મમાં તપ ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. તપથી કર્મની નિર્જરા થાય છે. તપ બાર પ્રકારનાં બતાવવામાં આવ્યાં છે. છ બાહ્ય તપ અને છ આત્યંતર તપ. અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ અને સંલીનતા એ છ પ્રકારનાં બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ આ છ આત્યંતર પ્રકારનાં તપ છે. આ મુખ્ય પ્રકાર સમજવા માટે બતાવ્યા છે. વસ્તુત: તપ અનેક પ્રકારનાં છે. ઉદાહરણ તરીકે આયંબિલ, એકાસણું, બિયાસણું વગેરેનો જુદો ઉલ્લેખ નથી કર્યો, પણ તે આ છ બાહ્ય તપમાં અંતર્ગત કરી શકાય છે. આ બારે પ્રકારનાં અથવા સર્વ પ્રકારનાં તપ મન, વચન Page #320 -------------------------------------------------------------------------- ________________ तेसि पि तवो असुद्धो । અને કાયાના યોગો ઉપર સંયમ મેળવવા માટે છે. આરંભમાં તપ કષ્ટભર્યું લાગે છે, પણ સાધક ઉત્તરોત્તર ઉલ્લાસ અને પ્રસન્નતાપૂર્વક તપ કરતો થઈ જાય છે. કેટલાક બાહ્ય તપને લાંઘન કહીને વગોવે છે અને આત્મોપયોગ પર ભાર મૂકે છે, પણ જ્યાં સુધી મન, વચન અને કાયાના યોગો ઉપર સંયમ નથી આવતો ત્યાં સુધી આત્મોપયોગમાં સ્થિર થઈ શકાતું નથી. એટલે જ તપમાં બાલવીર્યથી પંડિતવીર્ય સુધી વિકાસ સાધવાનો છે. પંડિતવીર્યની સાધના વગર આત્મસ્વરૂપની રમણતામાં એકાગ્રતા કે સ્થિરતા આવતી નથી. એટલે જ કહેવાયું છે કે જે સાધક થોડો આહાર લે છે, થોડું બોલે છે, થોડી નિદ્રા લે છે તથા પોતાના સંયમનાં ઉપકરણો અત્યંત અલ્પ રાખે છે તેને દેવો પણ વંદન કરે છે. આમ, તપ કરવું એ એક પ્રકારની વિશિષ્ટ શક્તિ છે. અસંખ્ય માણસો આખી જિંદગીમાં એક ઉપવાસ પણ નથી કરી શકતા. જે એક ઉપવાસ કરે તે સ્વેચ્છાએ અન્નનો ત્યાગ કરે છે. એમ કરવામાં શારીરિક તેમજ માનસિક શક્તિ જોઈએ. તેવું આત્મબળ જોઇએ. જૈનો જેવી તપશ્ચર્યા કરે છે એવી તપશ્ચર્યા દુનિયામાં અન્ય કોઈ ધર્મના લોકો કરતા નથી. વ્યક્તિગત રીતે કોઈ તપશ્ચર્યા કરે એ જુદી વાત છે, પણ સામુદાયિક કક્ષાએ અન્ય કોઈ ધર્મમાં અઠ્ઠાઈ કે માસખમણ જેવી તપશ્ચર્યા થતી નથી. મુસલમાનોમાં રોજા છે, પણ તેમાં આખી રાત ખાઈ શકાય છે. માત્ર ક્રમ ૩૧૧ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩ ૧ ૨ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ ઊલટો છે. માણસે જો અન્ય કરતાં કંઈક વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત કરી હોય તો તરત એ શક્તિ વિશે પોતાને વાત કરવાનું મન થાય અને બીજા પણ પોતાની શક્તિની પ્રશંસા કરે એવું તે ઇચ્છે. ભગવાને અશુદ્ધ અને શુદ્ધ વીર્ય અર્થાત્ શક્તિ કે પરાક્રમનું સ્વરૂપ દર્શાવ્યું છે. અશુદ્ધ તપ વિશે તેમણે કહ્યું છે કે જે માણસો સાંસારિક દૃષ્ટિએ બહુ ભાગ્યવાન હોય છે, જે લોકોમાં પૂજાય છે, જેઓ સારા વક્તા છે, વ્યાખ્યાતા છે, વાદવિવાદ કરવામાં કુશળ છે પરંતુ મિથ્યાદૃષ્ટિ છે એટલે કે સમ્યગુદૃષ્ટિથી રહિત છે તેવા માણસોનું તપ, દાન, સ્વાધ્યાય, યમનિયમ વગેરે લોકોમાં વખણાતાં હોવા છતાં તે અશુદ્ધ છે. તેમના તેવા તપ વગેરેથી કર્મની નિર્જરા થતી નથી, પરંતુ એથી શુભાશુભ કર્મબંધ થાય છે. કોઈ મોટા રાજવી હોય, મંત્રી હોય, દીવાન હોય, સેનાપતિ હોય, મોટા શ્રેષ્ઠી કે શ્રેષ્ઠીપુત્ર હોય, નામાંકિત પુરુષ હોય તેવી કોઈ વ્યક્તિ જ્યારે ગૃહજીવનનો ત્યાગ કરી, પંચમહાવ્રત ધારણ કરી દીક્ષા લે ત્યારે એ દીક્ષા–મહોત્સવમાં હજારો માણસો આવે છે અને એમની દીક્ષાનાં વખાણ ચારે બાજુ થાય છે. એવા મહાકુળમાંથી આવેલા મહાત્માઓ આત્મસાધનાનું મૂલ્ય જાણે છે અને એમની બધી પ્રવૃત્તિ આરાધનામય અને મોક્ષાર્થે જ હોય છે. તેમ છતાં લોકો જિજ્ઞાસુ હોય છે. એમની વાતો જાણવા ઉત્સુક હોય છે અને એવી વાત તરત પ્રસરે છે, Page #322 -------------------------------------------------------------------------- ________________ तेसि पि तवो असुद्धो। ૩૧ ૩ પ્રસિદ્ધિમાં આવે છે અને પ્રચારમાધ્યમો દ્વારા અનેક લોકો સુધી પહોંચે છે. એવા મહાત્માઓ જ્યારે કોઈ મોટી તપશ્ચર્યા કરે ત્યારે સહજ રીતે એની પ્રસિદ્ધિ થાય, પરંતુ સાધુમહાત્મા એવી પ્રસિદ્ધિથી પ્રભાવિત ન થાય. તેઓ આત્મસ્વરૂપમાં જ મગ્ન હોય. એક જ સંપ્રદાયમાં કોઈ એક સાધુએ અઠ્ઠાઈ કે માસખમણની તપશ્ચર્યા કરી હોય અને તે સમયે તેવી જ તપશ્ચર્યા મોટા કુળમાંથી આવતા કોઈ મહાત્માએ કરી હોય તો સમાજમાં મહાકુળવાળા મહાત્માની પ્રશંસા ચારે બાજુ વધારે થાય એ દેખીતું છે. પરંતુ ધારો કે કોઈ મહાત્મા પોતે એમ કહે (જો કે કહે જ નહિ) કે “એ સાધુ તો ગરીબ કુટુંબમાંથી આવે છે, ઘણું કષ્ટ વેઠીને આવે છે એટલે અઠ્ઠાઈ કરવી એમને માટે રમત વાત છે, પરંતુ હું તો મોટા ઘરનો નબીરો હતો, સુખસાહ્યબીમાં ઊછર્યો હતો, ખાવાપીવાનો રસિયો હતો એટલે દીક્ષા લીધા પછી મેં જે અઠ્ઠાઈ કરીને વધુ પ્રશંસાને પાત્ર છે –જો આમ કહે તો તેમનું તપ અશુદ્ધ બની જાય છે. વળી અન્ય દ્વારા થતી પ્રશંસા પોતાને સાંભળવી ગમે તો પણ તેમનું તપ અશુદ્ધ બની જાય છે. કોઈ સાધુ મહાત્માએ પર્યુષણમાં માસખમણ અર્થાત્ મહિનાના ઉપવાસ કર્યા હોય અને એ સંઘના સમાચાર છાપામાં કે કોઈ પત્રિકામાં આવ્યા હોય અને માસખમણ કરનારાઓની યાદીમાં એ સાધુ મહાત્માનું નામ રહી ગયું હોય, તે વખતે તેઓ જો કહે અથવા મનમાં વિચારે કે “આ છાપાવાળાઓને Page #323 -------------------------------------------------------------------------- ________________ ३१४ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ છે કંઈ ઠેકાણું ? તપસ્વીઓની લાંબીલચક યાદી આપી, પણ મેં તો માસખમણ કર્યા તોય મારા નામનો કોઈ ઉલ્લેખ જ ન મળે'–આવું જ કહેવામાં કે ચિંતવવામાં આવે તો તે તપ અશુદ્ધ જ ગણાય, કર્મની નિર્જરા કરવામાં તે કામ ન લાગે. વસ્તુતઃ આરાધક મહાત્માઓ તો એવી યાદી તરફ લક્ષ પણ ન આપે અને કોઈ પોતાના તપની પ્રશંસા કરે કે ન કરે, તેઓને કશી નિસ્બત ન હોય. તેઓ તો સમતાભાવમાં જ હોય, પોતાના આત્મસ્વરૂપમાં જ હોય. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ શુદ્ધ તપ કેવું હોય તે વિશે જ્ઞાનસારમાં લખ્યું છેઃ यत्र ब्रह्म जिनार्चा च, कषायाणं तथा हतिः । सानुबन्धा जिनाज्ञा च तत् तपः शुद्धमिष्यते ॥ [જેમાં બ્રહ્મચર્ય હોય, જિનભક્તિ હોય, કષાયોની હાનિ હોય અર્થાત્ કષાયો ઓછા થતા જતા હોય અને જિનાજ્ઞાનો અનુબંધ વધતો જતો હોય, તે તપ શુદ્ધ મનાય છે.] જે તપ કરવાથી બ્રહ્મચર્ય દૃઢ થતું હોય, જિનભક્તિનો રંગ લાગે જિનાજ્ઞા પ્રત્યે આદર-બહુમાન થાય, કષાયો મંદ પડે એવા તપને શુદ્ધ કહેવામાં આવે છે. કોઇને પ્રશ્ન થાય કે તો પછી તપની અનુમોદના કે પ્રભાવના કરી શકાય કે નહિ ? અવશ્ય તપની અનુમોદના અને પ્રભાવના કરી શકાય. બાળકો, યુવાનો અથવા અમુક પ્રકારના બાળ જીવો તપ કરતા હોય તો તેમને પ્રોત્સાહન આપવા માટે તેમના Page #324 -------------------------------------------------------------------------- ________________ तेसि पि तवो असुद्धो। ૩ ૧૫ તપની અનુમોદના કરવી જોઈએ. એમ કરવાથી તેમને પોતાની શક્તિની પ્રતીતિ થાય છે, વધુ મોટું તપ કરવા માટે પ્રેરણા મળે છે અને તપની યથાર્થતા સમજાય છે. તપ એ માત્ર લાંઘન નથી એવી સમજ આવે છે. વળી તપસ્વી શ્રાવક-શ્રાવિકાના બહુમાનના કાર્યક્રમો યોજાય તે પણ એક અપેક્ષાએ જરૂરી છે. એથી જેઓ તપ ન કરતા હોય તેઓને પ્રેરણા મળે છે. અલબત્ત, બહુમાનના કાર્યક્રમથી તપસ્વીમાં અહંકાર ન આવવો જોઈએ. તપસ્વીએ માત્ર બહુમાનના કે એવા બીજા આશયથી તપ ન કરવું જોઈએ. એક શ્રીમંત વેપારીના પુત્રે અઠ્ઠાઈ કરી. એના પારણાના દિવસે ઘણા વેપારીઓને નિમંત્રણ આપવામાં આવયું હતું. કાર્યક્રમ મોટા હોલમાં રાખવામાં આવ્યો હતો. મહેમાનો અઠ્ઠાઈ કરનાર યુવાનને ચમચી રસ પીવડાવી એના હાથમાં કવર આપતા. વચ્ચે સમય મળે એટલે યુવાન તરત કવર ખોલી, એમાંની રકમ ગણી જોઈ, પાસે રાખેલી ડાયરીમાં તે રકમ નોંધી લેતો; લગ્નના ચાંલ્લાની જેમ. સંબંધીઓએ વ્યવહાર બરાબર કર્યો છે કે નહિ એ જોવામાં પિતા-પુત્રને રસ હતો. આવું તપ તે અશુદ્ધ તપ છે, બાલ તપ છે. પરંતુ કોઈ એમ કહે કે આવું તપ કરે એના કરતાં તપ ન કરે તો સારું, તો તે પણ યોગ્ય નથી. તપ અવશ્ય કરે, પણ તેમાં શુદ્ધિ લાવવા માટે સમજાવવાની જરૂર છે. તપ કરવું કઠિન છે, પણ તપ જીરવવું એ તો એથી પણ વધુ કઠિન છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૮ वओ अच्चेइ जोव्वणं च । વિય અને યૌવન ચાલ્યા જાય છે I ભગવાન મહાવીર સ્વામીનાં બોધવચનોમાંથી ઉપરના એક વચનનું સ્મરણ-ચિંતન કરીએ. આચારાંગ સૂત્રના “લોકવિજય” નામના બીજા અધ્યયનના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છેઃ अप्पं व खलु आउयं इ इहमेगेसिं। માપવાdi..aો મધ્યે ગોત્ર ૪. એટલે કે કેટલાક માણસોનું આયુષ્ય અલ્પ હોય છે. તેની આંખ, નાક, કાન, જીભ અને સ્પર્શેન્દ્રિયની શક્તિ ક્ષીણ થતી જાય છે. યોવન ઘડીકમાં પૂરું થઈ જાય છે અને વૃદ્ધાવસ્થા આવતાં માણસ મૂઢ બની જાય છે. તે વૃદ્ધ માણસ હાસ્ય, ક્રીડા, વિનોદ કે વેશભૂષા-શણગારને લાયક નથી રહેતો. આયુષ્ય વીતી જાય છે. એમાં બાળપણ, યોવન, વૃદ્ધાવસ્થા વગેરે બધું જ આવી જાય છે. તો પછી અહીં યૌવનનો જુદો ઉલ્લેખ કરવાની જરૂર શી ? વસ્તુતઃ યૌવનને માટે જ આ કહેવાનું જરૂરી છે, કારણ કે બાળપણમાં તો માણસ અજ્ઞાન અવસ્થામાં હોય છે. એને જીવનમરણનો ખાસ કંઈ વિચાર આવતો નથી. બાલક્રીડામાં બાળક રચ્યુંપચ્યું રહે છે. બીજી Page #326 -------------------------------------------------------------------------- ________________ वओ अच्चेइ जोव्वणं च । ૩ ૧૭ બાજુ વૃદ્ધાવસ્થામાં માણસને જીવન હવે પૂરું થવામાં છે એ વિચાર સતાવે છે. શરીર રોગોથી ઘેરાઈ જાય છે. આયુષ્ય વીતી રહ્યું છે એ નજર સામે એને દેખાય છે. પરંતુ યૌવનમાં માણસ પાસે લાંબો ભવિષ્યકાળ હોય છે. એટલે મૃત્યુની ખબર અને સમજ હોવા છતાં, જાણે મૃત્યુ ક્યારેય આવવાનું નથી એમ સમજીને જ તે બેપરવાઈથી વર્તે છે. એટલે જ આયુષ્યની ક્ષણભંગુરતા વિશે વિશેષ જાગૃત થવાનું હોય તો તે યૌવનમાં પ્રવેશેલાં સ્ત્રીપુરુષોએ જ છે. જેઓ યૌવનમાં સવેળા જાગી જાય છે અને આયુષ્યની ક્ષણભંગુરતાને સમજી–સ્વીકારી લે છે તેઓ શેષ આયુષ્યને સાર્થક કરી શકે છે. સંસાર પ્રતિક્ષણ બદલાયા કરે છે. જીવન અને મૃત્યુનું ચક્ર નિરંતર ઘૂમ્યા કરે છે. પૌગલિક પદાર્થોમાં પણ સર્જન અને સંહારની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. જૂનાં મકાનો તૂટે છે, નવાં મકાનો બંધાય છે. જૂનાં વૃક્ષોનો નાશ થાય છે અને નવાં વૃક્ષો ઊગે છે. ચીજ વસ્તુઓ થોડા વખતમાં જરીપુરાણી, નાખી દેવા જેવી થાય છે. કાળનો પ્રભાવ ઘણો મોટો છે. માત્ર મનુષ્યસૃષ્ટિનો જ વિચાર કરીએ તો રાત્રે સૂઇને સવારે ઊઠીએ એટલી વારમાં તો આ પૃથ્વી પરથી લાખો માણસોએ વિદાય લઈ લીધી હોય છે અને લાખો નવાં બાળકો અવતર્યા હોય છે. એક કલાકની ૬૦ મિનિટ અથવા ૩૬૦ સેકન્ડ. બાર કલાકની ૪૩૨૦ સેકન્ડ અને ચોવીસ કલાકની ૮૬૪૦ સેકન્ડ. ચોવીસ કલાકમાં ઓછામાં ઓછા દસ લાખ માણસો Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ મૃત્યુ પામતા હોય તો એક સેકન્ડમાં-આંખનાં એક પલકારા જેટલી વારમાં તો આ પૃથ્વી પર ઓછામાં ઓછા સો માણસોએ પોતાનો દેહ છોડ્યો છે એમ સમજાશે. ક્યારેક દુર્ઘટના બને તો અચાનક અનેક માણસો મૃત્યુ પામે છે. કુદરતના કોપ આગળ કોઈનું ચાલતું નથી. ગુજરાતના ધરતીકંપમાં આપણે જોયું કે એક-દોઢ મિનિટમાં હજારો સાજાસામા, હરતાફરતા માણસોએ પોતાના પ્રાણ ગુમાવી દીધા. “ઘડીના (૨૪ મિનિટના) છઠ્ઠા ભાગમાં” જેવી કહેવતને પણ ખોટી પાડે એટલી ઓછી વારમાં ભયંકર દુર્ઘટના બની ગઈ. આવી ઘટના આપણી આંખ ખોલે છે. જીવન કેટલું બધું ક્ષણભંગુર છે તેની પ્રતીતિ કરાવે છે. મનુષ્યનું આયુષ્ય સો વર્ષનું ગણીને દસ દસ વર્ષના એના દસ વિભાગ કરવામાં આવે છે. ઠાણાંગ સૂત્રમાં એ દસે દસકાનાં સાર્થક નામ આ પ્રમાણે આપવામાં આવ્યાં છેઃ (૧) બાલા, (૨) ક્રીડા, (૩) મંદા, (૪) બલા, (૫) પ્રજ્ઞા, (૬) હાયની, (૭) પ્રપંચા, (૮) પ્રચારા, (૯) મુમુખી અને (૧૦) શાયની. એક રાજસ્થાની લોકોકિત પ્રમાણે માણસના આ દસ દસકા કેવા હોય છે તે બતાવતાં કહેવાયું છેઃ દસાં દાવડો, વિસાં બાવરો, તીસાં તીખો, ચાલીસાં ફીકો, પચ્ચાસ પાકો, સાઠાં થાકો, સત્તર (૭૦) સડિયો, અસ્સી ગલિયો, નળે નાગો, સોવાં ભાગો. Page #328 -------------------------------------------------------------------------- ________________ वओ अच्चेइ जोव्वणं च । ૩૧૯ દસ વર્ષ સુધીનો છોકરો દાવડો, ચાવડો, કાલુ બોલનારો, અક્કલ વગરનો ગણાય છે. વીસ વર્ષ થવા આવતાં, યુવાની પ્રવેશતાં તે બહાવરો બની જાય છે. એને કંઈ સૂઝ પડતી નથી. તીસની ઉંમરે શક્તિ ઉભરાતાં તીખા સ્વભાવવાળો, વાતવાતમાં ચીડાઈ જતો, રૂઆબ કરતો થઈ જાય છેઃ ચાલીસની ઉંમરે એના શરીરનો થોડો ઘસારો શરૂ થઈ જાય છે. તે થોડો ફીકો લાગવા માંડે છે. પચાસની ઉંમરે સંસારના સારામાઠા અનુભવોથી ઘડાયેલો પાકો બની જાય છે. સાઠની ઉંમરે શક્તિથી ક્ષીણ થવા લાગતાં, હવે ચડતું લોહી રહ્યું ન હોવાથી થાકવા લાગે છે. સિત્તેરે માણસના શરીરમાં રોગો ઘર ઘાલે છે અને શરીરના કોઈ કોઈ અંગ કે ચામડી સડવા લાગે છે. એંસીની ઉમરે શરીર ગળવા લાગે છે, વજન ઘટવા લાગે છે. નેવુંની ઉમરે શરીરની સ્વસ્થતા જાય છે. વિસ્મૃતિ આવે છે. વસ્ત્રો વગેરેનું ભાન પણ ઓછું થાય છે અને લજ્જા પણ ઓછી થાય છે. સો વર્ષ થતાં માણસ હવે જીવન પૂરું કરી ભાગે છે. એક અપેક્ષાએ એમ કહેવાય છે કે જે સમયે જન્મ થયો તે સમયથી જ મૃત્યુની પ્રક્રિયા પણ ચાલુ થઈ જાય છે. “જે જાયું તે જાય' એ ન્યાયે લખાયેલી આવરદા પૂરી થવાની જ છે. ઉત્તરાધ્યયનના ૧૮મા અધ્યયનમાં કહ્યું છે કે નવિય વેવ વં ૨, વિનુ સંપાય જંયત્ન ! અર્થાત્ જીવન અને રૂપ વીજળીના ચમકારા જેવું ચંચલ છે. એટલે જ્યાં સુધી શક્તિ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૦ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ છે, તરવરાટ અને તમન્ના છે ત્યાં સુધી ધર્મકાર્ય કરી લેવું જોઈએ. શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે : વિધુત્ લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય એ તો જળના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ, શું કહીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. આયુષ્ય તો વીજળીના ચમકારાની જેમ, પતંગના રંગની જેમ, મેઘધનુષ્યની જેમ, પવનના ઝપાટાની જેમ, અંજલિમાંના પાણીની જેમ, દરિયાનાં ભરતી-ઓટની જેમ, પાણીમાં પતાસાની જેમ ક્ષણિક છે, ક્ષણભંગુર છે. માત્ર દેહ જ નહિ, સંપત્તિ, સંબંધો, સત્તા ઇત્યાદિ પણ અનિત્ય જ છે. આયુષ્ય પલ પલ વીતી રહ્યું છે, પરંતુ એની વીતવાની પ્રક્રિયા એવી મંદ છે કે સામાન્ય માણસને ભાગ્યે જ લાગે કે પોતાનું આયુષ્ય ઘસાઈ રહ્યું છે. જ્યારે વૃદ્ધાવસ્થામાં કે રોગ-માંદગીમાં છેલ્લા દિવસો ગણાતા હોય કે છેલ્લા શ્વાસ ઘૂંટાતા હોય ત્યારે આયુષ્ય પૂરું થઈ રહ્યું છે એવો સ્પષ્ટ અણસાર આવે છે. આનંદઘનજીએ પોતાના એક પદમાં ગાયું છે કે : અંજલિ જલ જયું આયુ ઘટત છે. હથેળીમાં પાણી લીધું હોય અને તે સાચવવાનો પ્રયત્ન કરીએ, બે આંગળીઓ વચ્ચેની જગ્યાને પણ બરાબર દબાવી રાખીએ તો પણ એમાંથી ધીરે ધીરે પાણી એવી રીતે સરકતું જાય છે કે તે નજરમાં પણ આવતું નથી. પરંતુ હથેળીમાં જ્યારે પાણી ખલાસ થઈ જાય છે ત્યારે ખબર પડે છે કે બધું પાણી Page #330 -------------------------------------------------------------------------- ________________ वओ अच्चेइ जोव्वणं च । ધીરે ધીરે ચાલી ગયું. સામાન્ય રીતે જન્મથી શરૂ કરીને પાંત્રીસ-ચાલીસ વર્ષ સુધી શરીર વૃદ્ધિ પામતું રહે છે, દેહકાન્તિ ઉજ્જવળ રહે છે, શરીરનું બળ વધતું રહે છે. પરંતુ ચાલીસ-પિસ્તાલીસની ઉંમર પછી શરીરમાં રોગો ચાલુ થઈ જાય છે. પાચનશક્તિ મંદ પડવા લાગે છે. ઇન્દ્રિયોની શક્તિ ઘસાવા લાગે છે. તેજસ્વિતા ઓછી થવા લાગે છે. સફેદ વાળ ચાલુ થાય છે. આંખો ઝીણી થઈ ઊંડી ઊતરે છે. શરીરે કરચલીઓ પડવા લાગે છે. મોઢું હવે ડાચું બની જાય છે. અવાજ કર્કશ થાય છે. દાંત પડવા લાગે છે. લાકડીનો ટેકો લેવો પડે છે. જ્યાં સુધી દેહ સુદૃઢ, સશક્ત હોય છે ત્યાં સુધી સ્વજનોને આપણે પ્રિય લાગીએ છીએ. જોવાની, સાંભળવાની શક્તિ ક્ષીણ થાય એટલે પોતાને તો કેટલીક વાતમાં કંટાળો આવે, પણ સ્વજનોને પણ આપણી સ્થિતિથી કંટાળો આવે. વૃદ્ધાવસ્થામાં ચિત્તની શક્તિ મંદ પડી જાય. વાત તરત સમજાય નહિ. બોલતાં વાર લાગે. યાદ રહે નહિ. આથી સ્વજનો, મિત્રો વગેરે સાથેના વ્યવહારમાંથી મીઠાશ ઓછી થતી જાય છે. એકની એક વાત વારંવાર કહેવા-પૂછવાથી સ્વજનો પણ ચિડાયા કરે છે. વૃદ્ધોના કામ માટે સ્વજનોને રોકાઈ રહેવું પડે, સમયનો ભોગ આપવો પડે ત્યારે આરંભમાં ભલે તેઓનું વર્તન સારું હોય, તો પણ હવે ક્રમે ક્રમે સ્વજનો નારાજ થવા લાગે છે. ઓછું કામ કરે છે. વચ્ચે વચ્ચે બહાનું બતાવી છટકી જાય છે. ૩૨૧ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૨ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ એમાં પણ વૃદ્ધ માણસ જ્યારે પથારીવશ થઈ જાય છે, કફ નીકળે છે, ઝાડોપેશાબ અચાનક થઈ જાય છે ત્યારે તો સ્વજનો જ ઇચ્છે છે કે ડોસો કે ડોસી ઝટ જાય તો સારું. “ડોસો મરતો નથી અને માચી છોડતો નથી” જેવા તુચ્છકાર વાચક પણ પુત્રવધૂઓ માંહોમાંહે ઉચ્ચારવા લાગે છે. વૃદ્ધાવસ્થામાં ભલભલા માણસો, શરીરથી લાચાર બની જાય છે. “કાબે અર્જુન લૂંટિયો, વોહી ધનુષ્ય, વોહી બાણ' એમ એટલા માટે પણ કહેવાય છે. મોટા મોટા સરસેનાપતિઓ યુદ્ધમાં અપ્રતિમ તાકાતથી વિજય મેળવે છે, પણ વૃદ્ધાવસ્થામાં તેઓ લાચાર બની જાય છે. એવરેસ્ટનું શિખર સર કરનાર તેનસિંગને વૃદ્ધાવસ્થામાં જ્યારે હૃદયરોગની ગંભીર બીમારી થઈ હતી ત્યારે એક પગથિયું ચડવા માટે બે બાજુ બે જણનો ટેકો લેવો પડતો હતો. વૃદ્ધાવસ્થામાં સ્વજનો જ્યારે વિપરીત થઈ જાય છે ત્યારે ગ્લાનિ, નિર્વેદ, ચિંતા, તિરસ્કાર, ધિક્કાર વગેરેની લાગણી તેઓ પ્રત્યે જન્મે છે. ક્યારેક તો વૃદ્ધો પ્રગટ અથવા મનોમન શાપ પણ આપે છે. વૃદ્ધાવસ્થામાં માણસ જ્યારે પોતાના પૂર્વકાળને યાદ કરે છે અને તેમાં પણ યૌવનના દિવસોને તાજા કરે છે ત્યારે એને થાય છે કે “અહો ! કેટલી ઝડપથી મારા યૌવનના દિવસો વહી ગયા. યૌવન એ તો જાણે સપનાની જેમ ચાલ્યું ગયું. કેટકેટલી મનની મનમાં રહી ગઈ.” Page #332 -------------------------------------------------------------------------- ________________ वओ अच्चेइ जोव्वणं च । ગમે તેટલી વય થઈ હોય તો પણ જીવને તો એમ જ લાગે છે કે હજુ પોતાને ઘણાં વર્ષ જીવવાનું છે. માણસની આશાને કોઈ અંત નથી. શંકરાચાર્યે કહ્યું છે કે : अंग गलितं पलितं मुण्डं दशनविहीणं जातं तुण्डं । वृद्धो याति गृहित्वा दण्डम् तदपि न मुञ्चति आशापिंडम् ॥ [અંગ ગળી ગયું છે, માથે વાળ ધોળા થઈ ગયા છે, મોઢું દાંત વગરનું થઈ ગયું છે, વૃદ્ધ લાકડી લઇને ચાલે છે. તો પણ ભવિષ્યની આશાઓ-ઇચ્છાઓને છોડતો નથી.] ‘વૈરાગ્યશતક’માં પણ કહ્યું છે કે : अज्जं कल्लं पर परारिं पुरिसा चिंतति अत्थसंपत्तिं । अंजलिगयं व तोयं गलंतमाणं न पिच्छन्ति ॥ [પુરુષો અર્થની સંપ્રાપ્તિ માટે આજે નહિ તો કાલે અને કાલે નહિ તો પ૨મ દિવસે, એ રીતે થાક્યા વગર ચિંતવ્યા કરે છે. પરંતુ પોતાનું આયુષ્ય અંજલિ (ખોબા)માં રહેલા જળની જેમ નિરંતર ગળતું રહેતું હોવા છતાં તેને જોતો નથી.] એટલા માટે, આવતી કાલનો ભરોસો નથી એમ સમજીને માણસે પોતાના જીવનમાં વર્તમાનની ક્ષણનો ઉપયોગ કરી લેવો જોઈએ. પ્રત્યેક ક્ષણે આયુષ્ય ઘટતું જાય છે. ગયેલો સમય જિંદગીમાં પાછો આવતો નથી. માટે વર્તમાનને બગાડવો નહિ. ઐહિક કે ધાર્મિક દૃષ્ટિએ જીવનને સફળ બનાવી લેવું જોઈએ. જીવનનો અમૂલ્ય સમય વેડફી નાખનારને પાછલી જિંદગીમાં પસ્તાવાનો વારો આવે છે માટે પ્રત્યેક ક્ષણને વિશિષ્ટ ક્ષણ ૩૨૩ Page #333 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ બનાવી દેવી જોઈએ. જે જીવનકાળ મળ્યો છે તેમાં વધઘટ થવાની નથી, પરંતુ તેને મૂલ્યવાન બનાવી શકાય છે. ભગવાને કહ્યું છે કે વળું નાળાદિ પંડિત્ । પંડિત એટલે આત્મજ્ઞાની માણસે પ્રત્યેક ક્ષણને જાણવી જોઈએ. કહ્યું છે : अनित्याणि शरीराणि विभवो नैव शाश्वतः । नित्यं संनिहितो मृत्यु कर्तव्यो धर्मसंचयः ॥ [શરીરો અનિત્ય છે, વૈભવો શાશ્વત નથી. મૃત્યુ હંમેશા પાસે આવીને બેઠું છે માટે ધર્મસંચય કરી લેવો જોઇએ.] દેહ જડ છે અને આત્મા ચેતન છે. જીવન એટલે જડ અને ચેતનનો સંયોગ. પરંતુ આ સંયોગ અનાદિ કાળથી એવો સતત ચાલતો આવ્યો છે કે જીવને દેહ એ જ આત્મા એવો સતત મિથ્યાભ્યાસ રહ્યા કરે છે. ૩૨૪ અનાદિ કાળથી જીવ પુદ્ગલના સંયોગ વિના ક્યારેય રહ્યો નથી. પુદ્ગલ સાથેની દોસ્તી અત્યંત ગાઢ બની ગયેલી છે. એટલે જીવને દેહના પુદ્ગલ વિના પોતાનો સ્વતંત્ર ખ્યાલ આવતો નથી. ‘હું તે આત્મા, આ દેહ મારો નથી, હું તો અજર, અમર ધ્રુવ એવો આત્મા છું' એવું રટણ કરનારાઓમાં પણ જ્યારે ગાઢ દેહાધ્યાસ જોઈએ છીએ ત્યારે આશ્ચર્ય થાય છે અને લાગે છે કે માત્ર બોલવાથી દેહાધ્યાસ છૂટતો નથી. એટલે જ ઉત્તરાધ્યયન સૂત્રના ‘દ્રુમપત્રક' નામના દસમા અધ્યયનમાં ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને જે બોધ આપ્યો છે તેનું સ્મરણ જીવે વારંવાર કરવા જેવું છે. એમાં કહ્યું છે કે ઃ Page #334 -------------------------------------------------------------------------- ________________ वओ अच्चेइ जोव्वणं च । ૩ ૨૫ दुमपत्तए पंडुयए जहा णिवडइ राइगणाण अच्चए। एवं मणुयाण जीवियं समयं गोयम मा पमायए ॥ [જેમ રાત્રિ અને દિવસનો કાળ વીતતાં ઝાડનાં પીળાં પડી ગયેલાં પાંદડાં ખરી પડે છે તેવી રીતે મનુષ્યનું જીવન-આયુષ્ય પણ સમાપ્ત થઈ જાય છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ કર નહિ !] X X X परिजूरइ ते सरीरयं, केसा पंडुरया हवंति ते । ते सव्ववले व हायइ, समयं गोयम मा पमायए ॥ [ હે ગૌતમ, તારું શરીર નિર્બળ થતું જાય છે તથા તારા વાળ ધોળા થતા જાય છે. તારું સર્વ બળ હણાઈ રહ્યું છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ કર નહિ !] ભગવાને પંચાચારના પાલનહાર ગુરુ ગૌતમસ્વામીને માટે જે કહ્યું તે આપણે માટે તો અવશ્ય હોય જ, પણ હૃદયસોંસરવું તે ઊતરવું જોઈએ. Page #335 -------------------------------------------------------------------------- ________________ कुसीलवड्ढणं ठाणं दूरओ परिवज्जए। ફિશીલ વધારનાર સ્થાનોનો દૂરથી જ ત્યાગ કરી દેવો જોઈએ) આ સંસાર ક્યારેય કુશીલથી-દુરાચારથી સર્વથા મુક્ત થઈ જાય એવું ક્યારેય થયું નથી અને થશે પણ નહિ. સંસારમાં અધર્મ, પાપ, દુરાચાર, વ્યસનો ઇત્યાદિ કાયમ રહેવાનાં. પુરાણો વાંચો, ઇતિહાસ વાંચો, દુરાચારથી, જુગાર વગેરે વ્યસનથી, પરસ્ત્રીગમન વગેરે પાપોથી મોટા મોટા માણસોનું પણ પતન થયું છે. માટે જ કુશીલવર્ધક સ્થાનથી દૂર રહેવાની ભલામણ છે. દશવૈકાલિક સૂત્રમાં ભગવાને સાધુઓના આચાર વિશે ઊંડી ગવેષણા કરી છે અને સાધુઓ ગોચરી વહોરવા નીકળે ત્યારે શું શું લક્ષમાં રાખવું, ક્યાં ઊભા રહેવું, ક્યાં બેસવું વગેરે વિશે ભલામણ કરી છે. સાધુએ પોતાના વિશે કોઈને શંકા ન જાય એમ વર્તવું જોઇએ તથા શંકાશીલ સ્થાનોથી દૂર રહેવું જોઇએ. દસવૈકાલિક સૂત્રમાં ભગવાને કહ્યું છેઃ अगुत्ती बंभचेरस्स इथिओ यावि संकणं । कुशील वड्ढणं ठाणं दूरओ परिवज्जए ।। ફિશીલવર્ધક સ્થાનથી બ્રહ્મચર્યની અગુપ્તિ થાય છે. (ગુપ્તિ Page #336 -------------------------------------------------------------------------- ________________ कुसीलवड्ढणं ठाणं दूरओ परिवज्जए । થતી નથી એટલે પાલન થતું નથી.) વળી સ્ત્રીઓને પણ શંકા ઉત્પન્ન થાય છે. માટે કુશીલવર્ધક સ્થાનને દૂરથી ત્યાગી દેવું જોઇએ. ભગવાને મુનિઓને જે સરસ ભલામણો કરી છે એમાં અનેકના અનુભવનો પડઘો છે અને સૂક્ષ્મ મનોવૈજ્ઞાનિક વિચારણા છે. ૩૨૭ ભગવાને તો સાધુઓના બ્રહ્મચર્યના પાલન વિશે શિખામણ આપતાં જે કેટલીક મહત્ત્વની વાતો કરી છે તે ગૃહસ્થોએ પણ એટલી જ સમજવા જેવી છે. જેમ કોઈ ચેપી રોગ ફેલાયો હોય તો જે વ્યક્તિને એ થયો હોય એનાથી આપણે દૂર રહીએ છીએ તેવી જ રીતે જ્યાં દુરાચાર ચાલતા હોય એવાં સ્થાનોથી દૂર રહેવું જોઈએ. જેમ નબળા શરીરના માણસને તરત ચેપ લાગે છે તેમ નબળા મનના માણસને દુરાચાર તરત વશ કરી લે છે. અશિષ્ટ દૃશ્યો, ફિલ્મો, સામયિકો, પુસ્તકો માણસમાં કૌતુક જન્માવે છે અને પછી તેને પતન તરફ ઘસડી જાય છે. દુનિયામાં ઉત્તરોત્તર આંતરરાષ્ટ્રીય સંબંધો વધતા રહ્યા છે. કેટલાક દેશોને ગરજે સંબંધો ટકાવવા પડે છે તો કેટલાક સંબંધો સ્વાભાવિક ક્રમે વિકસે છે. કોઈ દેશ એકલો અટૂલો રહી શકતો નથી. રહે તો તે ઘણો પાછળ પડી જાય છે. આમ વધતા જતા આવા વૈશ્વિક વ્યવહારને કારણે એક દેશની ખરાબ ચીજવસ્તુઓ, રીતરિવાજો, વ્યસનો ઇત્યાદિ બીજા દેશમાં ઘૂસી Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨ ૮ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ જાય છે અને ફેલાય છે. અમેરિકા જેવા રાષ્ટ્રને ઓસામા બિન લાદેનની જેટલી ફિકર છે એટલી જ ફિકર પોતાના દેશમાં ચરસ, ગાંજો વગેરે માદક પદાર્થો ઘૂસીને પોતાના યુવાનોને પાયમાલ કરી દે છે એની છે. પાશ્ચાત્ય દેશોમાંથી અને બીજેથી પણ અશ્લીલ સામયિકો, અશ્લીલ વિડિયો ફિલ્મ વગેરે આખી દુનિયામાં પહોંચી ગયાં છે. ભારત પણ એમાં બાકાત નથી. કુશીલવર્ધક સ્થાનને દૂરથી ત્યજવાની વાત તો બરાબર છે, પણ હવે વર્તમાન કાળમાં ટી.વી., કોમ્યુટર વગેરે કુશીલનાં નિમિત્તો આપણા ઘરોમાં આવી ગયાં છે. આપણે એનાથી આઘે જઇએ તેને બદલે તે જ આપણી પાસે આવી ગયાં છે. માટે આપણી જવાબદારી ઘણી બધી વધી જાય છે. પાંચ દાયકા પૂર્વે જે પ્રકારનાં ચલચિત્રો બતાવાતાં હતાં તેના કરતાં વર્તમાન ચલચિત્રોમાં સ્ત્રીપુરુષના અભિનયમાં ઘણી છૂટ લેવાય છે. કેટલાકમાં તો વિષયો જ એવા લેવાય છે. પાશ્ચાત્ય દેશોમાં તો આ જીવનના એક સ્વાભાવિક ક્રમ તરીકે સ્વીકારાયું છે, પરંતુ એથી અનેકનાં જીવન પાયમાલ થાય છે. પોર્નોગ્રાફી અર્થાત્ અશ્લીલતાભર્યા દૃશ્યોથી કમાણી કરી લેવા માટે કેટલા બધા માણસો દુનિયામાં નીકળ્યા છે. કોમ્યુટર ઉપર એવાં દૃશ્યો કેટલા બધા માણસો નિહાળે છે. કેટલાક દેશોમાં ઑફિસમાં કામકાજ કરતાં કરતાં વચ્ચે એવાં દૃશ્યો નિહાળી લેનાર કર્મચારીઓ હોય છે. કંપનીઓ એ Lock Page #338 -------------------------------------------------------------------------- ________________ कुसीलवड्ढणं ठाणं दूरओ परिवज्जए। ૩ ૨૯ કરી નાખે તો કર્મચારીઓ એનો કોડવર્ડ શોધી કાઢીને પણ જોઇ લેતાં હોય છે. આવું જ ઘરોમાં નાનાં બાળકો કે મોટા માણસો પણ કરતા હોય છે. કોડવર્ડ શોધી કાઢતાં નાનાં બાળકો પણ શીખી જાય છે. કેટલીક વખત માતા પિતાને વખતોવખત કોડવર્ડ બદલતા રહેવું પડે છે. જાતજાતની અશ્લીલ ફિલ્મો તો આખી દુનિયામાં પ્રસરી ગઈ છે. એક વખત મધ્યપ્રદેશમાં એક સ્થળેથી બીજે સ્થળે અમે જઈ રહ્યા હતા. રસ્તામાં એક નાના ગામમાંથી અમારી ટેક્ષી પસાર થઈ ત્યારે ત્યાં એક સ્થળે ઘણા પુરુષોનું મોટું ટોળું એકઠું થયું હતું. જાણે કોઈ ઘટના ન બની હોય ! ટેક્ષી ડ્રાઇવરે કહ્યું કે આ બધા સિનેમા જોવા એકઠા થયા છે. નજર કરી તો ગામઠી થિયેટર ઉપર કોઈ ઇંગ્લીશ પિક્સરનું નામ હતું. આ બધાને ઇંગ્લીશ પિક્સરમાં શી સમજ પડે ?” અમે પ્રશ્ન કર્યો. ટેક્ષી ડ્રાઇવરે જવાબ આપ્યો કે “પહેલાં આ થિયેટર ખોટમાં ચાલતું હતું. જ્યારથી ઇંગ્લીશ પિક્યરો ચાલુ કર્યા ત્યારથી ધૂમ કમાણી કરે છે. આજુબાજુના ગામડાના છોકરાઓ પણ અહીં પિશ્ચર જોવા આવે છે.” પણ આ લોકોને તો ઇંગ્લીશમાં લખતાં વાંચતાં કે બોલતાં પણ નહિ આવડતું હોય. પિક્સરમાં શી સમજ પડે ?' ટેક્ષી ડ્રાઇવરે કહ્યું કે “એ લોકોને ક્યાં પિશ્ચર જોયું છે ? પણ પિક્યરની વચ્ચે બે-ત્રણ મિનિટ નગ્ન ફિલ્મ બતાવી દે Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ છે એ જોવા જ તેઓ આવે છે.’ કુશીલતાનું પોષણ કરીને કમાણી ક૨વા માટે લોકો કેવી કેવી તરકીબો કરે છે ! દુનિયામાં અનાચાર માટેનાં સાધનસગવડો વધતાં જાય છે. આપણી જૂની ગ્રામપદ્ધતિમાં બે વિજાતીય વ્યક્તિને એકાંત જોઈતું હોય તો પણ ન મળે. તળાવ કિનારે કે ખેતરમાં જાય તો પણ જતાં આવતાં પકડાઈ જાય. હવે દુનિયામાં વસતિ વધી છે. મોટા ઘરોમાં ઘણા કમરા હોય છે. કોઈની પૂછપરછ હોતી નથી. એટલે વ્યભિચાર માટે ઘરોમાં જ સગવડો વધી છે. વળી દુનિયાભરમાં નાનાં ગેસ્ટ હાઉસથી માંડીને પંચતારક હોટેલોમાં ઘણી સગવડો વધી છે. દુનિયાની કોઈપણ એવી પંચતારક હોટેલ નહિ હોય કે જેની રૂમોમાં ક્યારેય અનાચારનું ખોટું કામ થયું ન હોય. કેટલીક હોટેલોમાં તો કર્મચારીઓ જ એવી સગવડ કરી આપી કમાણી કરે છે. એકાંત અને સતત સાહચર્ય સ્ત્રીપુરુષને પતન તરફ ઘસડી જાય છે. કેટલીય ઓફિસોમાં ખોટા સંબંધો બંધાય છે. ક્લિન્ટન જેવા અમેરિકાના પ્રમુખ પોતે પ્રમુખપદ ૫૨ હોય ત્યારે જ પોતાના કાર્યાલયમાં જ વ્યભિચાર કરે અને પકડાય ત્યારે કબૂલ કરી લેવું પડે એ તો અનાચારની હદ થઈ. પરંતુ એનું કારણ યુવાન મોહક કર્મચારી યુવતી સાથેનું એકાંત છે. આપણે ત્યાં કહ્યું છે કે ‘કામિની કે સંગ કામ જાગે હી જાગે.’ પરસ્ત્રીગમન એ પણ એક મોટું વ્યસન છે. વ્યસન એટલે Page #340 -------------------------------------------------------------------------- ________________ कुसीलवड्ढणं ठाणं दूरओ परिवज्जए। ૩૩૧ જે કુટેવમાંથી માણસ જલદી છૂટી ન શકે છે. વ્યસન માણસને દુર્ગતિમાં લઈ જાય છે. વ્યસનની વ્યાખ્યા આપવામાં આવી છે વ્યસ્થતિ પુરુષ શ્રેયસ. તિ વ્યસન–અર્થાત્ જે દુષ્કર્મ માણસને કલ્યાણમાર્ગથી પાડે છે તે વ્યસન. કુશીલ વ્યક્તિમાં દુરાચાર આવે છે, વ્યસનોમાં તે સપડાય છે. ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં વ્યસનનોનો નિષેધ કરવામાં આવ્યો છે. કહ્યું છે : द्यूतं च मां सं च सुरा च वेश्या, पापर्द्धि चौर्यं परदारसेवा । एतानि सप्त व्यसनानि लोके, घोराति घोरं नरकं नयन्ति । (૧) ધૂત=જુગાર, (૨) માંસ, (૩) મદિરા, (૪) વેશ્યા, (૫) શિકાર, (૬) ચોરી, (૭) પરસ્ત્રીગમન-આ સાત વ્યસન ઘોરાતિઘોર નરકમાં જીવને લઈ જાય છે. જૂગાર વગેરે માત્ર એકાદ વ્યસનથી પણ મોટા મોટા પુરુષો જો પાયમાલ થયા હોય તો એક કરતાં વધારે વ્યસનથી જીવની કેવી દુર્ગતિ થાય ? પરંતુ જીવ એક વાર વ્યસને ચડ્યો તો એમાંથી જલદી છૂટાતું નથી. એનો સમય થાય એટલે મન ત્યાં દોડવા લાગે છે. બીડી, સિગરેટની તલપ લાગે એટલે માણસથી રહી શકાતું નથી. ન મળે તો માથું ભમે છે, કશું કામ સૂઝતું નથી. એક વાર અમારા એક વડીલ અધ્યાપકને એમના પરિવાર સાથે અમારે ત્યાં ભોજન માટે નિમંત્રણ આપ્યું હતું. જમ્યા Page #341 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ પછી અમે બધા બેઠકના ખંડમાં બેઠા, પરંતુ અધ્યાપકનો મોટો પુત્ર દેખાયો નહિ. એટલી વારમાં ક્યાં જતો રહ્યો ? અમે વિચારમાં પડ્યા. બધા રૂમમાં, બાથરૂમમાં જોયું પણ એ ક્યાંય હતો નહિ, ત્યાં અધ્યાપકે ફોડ પાડ્યો કે એ થોડી વારમાં આવશે. એને જમ્યા પછી છેલ્લે કોળિયે સિગરેટ પીવાની અને ત્યાર પછી તમાકુવાળું પાન ખાવાની ટેવ પડી ગઈ છે. એટલે જમીને તરત એ ઘરમાંથી ચૂપચાપ નીકળી ગયો. મિત્રોની સોબતે ચડીને એ વ્યસની થઈ ગયો છે. ઘણું સમજાવવા છતાં એની ટેવ છૂટતી નથી. એની ટેવથી અમને શરમ આવે છે.’ થોડા વરસમાં કેન્સરની બીમારીથી એનું મૃત્યુ થયું હતું. માણસ વ્યસન તરફ ઘસડાય છે ત્યારે એક વ્યસનથી અટકતું નથી. એકમાંથી બીજું અને ત્રીજું એમ ચાલે છે. જૂના વખતનો ટુચકો છે. કોઈ છોકરાની સગાઈ ક૨વા અંગે એક ભાઈએ અભિપ્રાય માગ્યો તો એક વડીલે યુક્તિપૂર્વક રજૂઆત કરી હતી. ‘તમને છોકરો કેવો લાગે છે ?’ તો વડીલે અભિપ્રાય આપ્યો કે ‘સગાઈ કરવા જેવું ઘર છે. છોકરો સરસ દેખાવડો છે, હોંશિયાર છે, ભણ્યો છે અને બાપનો ધંધો સારી રીતે શીખી રહ્યો છે. બધી રીતે એ સારો છે, પણ એક નાની કુટેવ છે.’ ‘શી કુટેવ છે ?’ ‘બીજી કંઈ નહિ, માત્ર જૂઠું બોલવાની ટેવ છે.’ ‘જૂઠ્ઠું બોલવાની ટેવ છે ? કેમ, શું કામ જૂઠ્ઠું બોલે છે.’ ૩૩૨ Page #342 -------------------------------------------------------------------------- ________________ कुसीलवड्ढणं ठाणं दूरओ परिवज्जए । ‘એ તો બીજું કંઈ નહિ, પણ સિગરેટ પીને ઘરે આવ્યો હોય અને ઘરનાં પૂછે તો ના જ કહેવી પડે ને.’ ‘એટલે એ સિગરેટ પીએ છે ?’ ‘ના રોજ નહિ, પણ સરખે સરખા મિત્રો કલબમાં પાનાં રમતાં હોય અને કોઈ પીવા આપે તો પીવી પડે.’ ‘એટલે કલબમાં જાય છે અને જુગાર રમે છે ?' ‘ના, રોજ નહિ. એ તો જે દિવસે દારૂ મંગાવ્યો હોય અને બધા પીતા હોય ત્યારે જુગાર રમવાનું મન થાય.’ ‘એટલે દારૂ પણ પીએ છે ?’ ‘ના રે, એ તો ક્યારેક મોડી રાતે બહાર રખડવા નીકળ્યા હોય, કોઈ બાઇને ઘરે ગયા હોય ત્યારે ત્યાં દારૂ આપે તો પીવો પડે.’ ૩૩૩ આમ એક વ્યસનમાંથી ધીમે ધીમે બધાં વ્યસનની એમણે વાત કરી. વસ્તુતઃ માણસ જ્યારે વ્યસની બને છે ત્યારે ધીમે ધીમે એનાં વ્યસન વધે છે. આખી દુનિયામાં કામુકતા વધી રહી છે. એ માટે જાતજાતની દવાઓ પણ નીકળી છે. કામુકતાની સાથે વ્યભિચાર, બળાત્કાર, હત્યા, આત્મહત્યા ઇત્યાદિ પ્રકારની ઘટનાઓ પણ વધવા લાગી છે. રોજ સવારે અખબાર વાંચતાં આવી બધી ઘટનાઓ વિશે વધુ વાંચવા મળે છે. આમાંથી બચવા માટે સર્વ સ્તરે વિચારણા થવી ઘટે. કબૂતર, કૂતરાં, ગધેડાં વગેરે પશુપંખીઓમાં જાહેરમાં Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ જાતીય સંબંધ માટે કોઈ ક્ષોભ કે શરમ હોતાં નથી. તેમાં પતિપત્ની કે ભાઈબહેન જેવું પણ કશું હોતું નથી. પુરાણ કાળમાં આદિમાનવ એવું જીવન જીવતો હતો. એમાંથી, ક્રમે ક્રમે સંસ્કારી કુટુંબ વ્યવસ્થા આવી, તે એટલે સુધી કે ભાઈબહેન વચ્ચે પણ જાતીય સંબંધ ન હોઈ શકે. આ સંસ્કાર આપણા લોહીમાં વહે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં આવા સંસ્કારો ઓછા છે અને એનો લોપ થતો જાય છે અને એની અસર ભારતીય જીવન ઉપર પડવા લાગી છે. વિજ્ઞાન ઘણું આગળ વધ્યું છે પરંતુ મનુષ્યને તે પાછું પશુ જીવન તરફ ધકેલી રહ્યું છે. સમગ્ર દુનિયા ભોગ, વિલાસિતા, કુશીલતા તરફ આગળ વધતી જાય છે. ઓગણીસમી સદીમાં માણસો જેવું જીવન જીવતા હતા તેના કરતા વર્તમાન કાળમાં ઘણી શિથિલતા આવી ગઈ છે. ધર્મગુરુઓ કે સમાજનેતાઓ ગમે તેટલી બુમરાણ મચાવે તો પણ એની અસર મર્યાદિત વર્તુળ ઉપર થાય છે. એટલે આખી દુનિયા જ્યારે પ્રવાહપતિત થઈ રહી છે ત્યારે તેમાં આપણે આપણી જાતને ઘસડાવા ન દેતાં બચાવી લેવી જોઈએ. ધર્મગુરુઓ તો પોતાના શિષ્ય પરિવારને સારી રીતે સાચવી શકે છે, પણ સમાન વિચારધારાવાળા ગૃહસ્થોએ નાનામોટાં સંસ્કાર મંડળો રચીને પોતાના મડળોના લોકોને પતિત થતાં બચાવવા જોઇએ. આખી દુનિયાને સુધારી નહિ શકાય, પણ જાતને સુધારી શકાશે. એક ચીની પ્રાર્થના છે, Oh God! Reform thy World Page #344 -------------------------------------------------------------------------- ________________ कुसीलवड्ढणं ठाणं दूरओ परिवज्जए। ૩૩૫ beginning with me.” “હે પરમાત્મા ! જગતને સુધારવાના કાર્યની શરૂઆત તમે મારાથી કરો. Page #345 -------------------------------------------------------------------------- ________________ 30 सूरं मण्णइ अप्पाणं, जावं जेयं न पस्सइ | [જ્યાં સુધી વિજેતાને જોયો નથી, ત્યાં સુધી પોતાને શૂરવીર માને છે.] ભગવાન મહાવીરે નવદીક્ષિત મુનિઓને પરિષહ અને ઉપસર્ગના વિષયમાં આ શિખામણ આપી છે, પરંતુ તે જીવનના સર્વ ક્ષેત્રોમાં સર્વ કાળે સર્વને લાગુ પડે છે. સૂત્રકૃતાંગસૂત્રમાં ત્રીજા અધ્યયનમાં ‘ઉપસર્ગ પરિશા’ના પહેલા ઉદ્દેશકની પહેલી જ ગાથા છેઃ सूरं मण्णइ अप्पाणं, जावं जेयं न पस्सइ । जुज्झतं दढ धम्माणं सिसुपालो व महारहं ॥ [જ્યાં સુધી વિજેતા પુરુષને જોયો નથી, ત્યાં સુધી કાયર માણસ પોતાની જાતને શૂરવીર માને છે. યુદ્ધ કરવામાં દઢધર્મી મહારથી શ્રીકૃષ્ણને જોયા ન હતાં ત્યાં સુધી શિશુપાલ રાજા પોતાની શૂરવીરતાનું અભિમાન કરતો હતો.] અહીં ભગવાને શ્રીકૃષ્ણ અને શિશુપાલનું ઉદાહરણ આપ્યું છે. (મહાભારતની ઘટના ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ પૂર્વે હજારો વર્ષ પહેલાંની છે.) શિશુપાલ ચેદિ દેશનો રાજા હતો. તે ઘણો શૂરવીર અને પરાક્રમી હતો. તે રુક્મિણીને પરણવા ઇચ્છતો હતો. રુક્મિણીના ભાઈની ઇચ્છા રુક્મિણીને શિશુપાલ સાથે પરણાવવાની હતી. પરંતુ શિશુપાલ જ્યારે પરણવા આવ્યો ત્યારે શ્રીકૃષ્ણે રુક્મિણીનું ' Page #346 -------------------------------------------------------------------------- ________________ सूरं मण्णइ अप्पाणं, जावं जेयं न पस्सइ । ૩૩ ૭ અપ હરણ કરી એની સાથે લગ્ન કર્યા. આથી શિશુપાલ ઘણો રોષે ભરાયો હતો. શિશુપાલ શ્રીકૃષ્ણના ફોઇનો દીકરો થાય. પરંતુ શિશુપાલ નાનપણથી જ ઉદ્ધત હતો. શ્રીકૃષ્ણ વધુ બળવાન છે એ ફોઈ જાણતાં હતાં. એટલે શિશુપાલનો કંઈ વાંક હોય, અપશબ્દો બોલે તો મારામારીમાં કૃષ્ણ એને મારે અને શિશુપાલને માર ખાવો પડે. એટલે ફોઈએ એક દિવસ પોતાના પુત્ર શિશુપાલને શ્રીકૃષ્ણના ચરણોમાં નમાવીને કહ્યું કે “એ જો કંઈ ગાળ બોલે કે અપમાન કરે તો એને ક્ષમા આપજે.” શ્રીકૃષ્ણ વચન આપ્યું કે જો એ નવાણું વખત ગાળ બોલશે ત્યાં સુધી હું એને માફી આપીશ. પણ જો એ સોમી વખત અપમાનજનક વચનો બોલશે તો હું અવશ્ય અને શિક્ષા કરીશ. શ્રીકૃષ્ણ એ રીતે ફોઇને આપેલા વચનનું બરાબર પાલન કરતા હતા. એક વખત યુદ્ધિષ્ઠિર રાજા શ્રીકૃષ્ણના કહેવાથી રાજસૂય યજ્ઞ કરવાના હતા ત્યારે ઘણા મોટા મોટા રાજાઓ પધાર્યા હતા. તેમાં શિશુપાલ રાજા પણ હતો. ભીખે યુધિષ્ઠિરને કહ્યું કે આ યજ્ઞમાં જે સર્વશ્રેષ્ઠ હોય તેની અદ્વૈપાદ પૂજા કરવી જોઇએ. શ્રીકૃષ્ણ સર્વશ્રેષ્ઠ છે. માટે તેમની પૂજા કરો.” તે વખતે શિશુપાલ ક્રોધે ભરાયો. તેણે કહ્યું, “હે યુધિષ્ઠિર ! તમે કેવળ સ્વાર્થી છો. તમારે માન આપવું હોય તો વસુદેવને, દ્રુપદને, દુર્યોધનને, દ્રોણાચાર્યને કે વ્યાસજીને આ માન આપો. શ્રીકૃષ્ણને શા માટે ? તેઓ બ્રાહ્મણ નથી, આચાર્ય નથી, રાજા Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩ ૩૮ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ નથી. તે પોતાના રાજાનો ઘાત કરનાર છે અને ગોવાળિયો છે.” એમ કહી એણે પોતાનું ખડ્ઝ કાઢ્યું. તેણે કહ્યું કે કોઈ પણ રાજા મારી સામે થશે એને હું કાપી નાખીશ.” શ્રીકૃષ્ણ રાજાઓને કહ્યું, “શિશુપાલ યાદવોનો શત્રુ છે. મારી ફોઇને આપેલા વચન અનુસાર મેં એને નવાણુ વખત માફી આપી છે. આજે એણે મારું અને યજ્ઞમાં પધારેલા રાજાઓનું અપમાન કર્યું છે. હવે હું એને ક્ષમા નહિ આપી શકું.' શ્રીકૃષ્ણનાં આ વચનો સાંભળી ક્રોધે ભરાયેલો શિશુપાલ શ્રીકૃષ્ણને ખગ્નથી મારવા ધસ્યો ત્યાં જ શ્રીકૃષ્ણ સુદર્શન ચક્રનું સ્મરણ કર્યું. ચક્ર જેવું હાથમાં આવ્યું કે તરત એ વડે શ્રીકૃષ્ણ શિશુપાલનું મસ્તક ઉડાવી દીધું. શિશુપાલ પોતે પોતાને બહુ બળવાન માનતો હતો, પણ શ્રીકૃષ્ણ પાસે એનું કશું ચાલ્યું નહિ. શ્રીકૃષ્ણનો વિજય થયો. ભગવાન મહાવીરે અહીંનવદીક્ષિત સાધુઓને લક્ષમાં રાખીને કહ્યું છે કે “જ્યાં સુધી પરીષહ-ઉપસર્ગથી તમારી કસોટી નથી થતી ત્યાં સુધી તમે તમારી જાતને સાધુપણામાં શૂરવીર માનો તે યોગ્ય નથી.” યાચના પરીષહ માટે ભગવાને આ અધ્યયનમાં જ કહ્યું છેઃ एवं सेहे वि अप्पुढे भिक्खायरिया अकोविए। सूरं मण्णइ अप्पाणं जाय लूहं ण सेवइ ॥ " [એવી રીતે ભિક્ષાચર્યામાં અનિપુણ (અકોવિદ) એવા સાધુ (નવદીક્ષિત મુનિ) પોતાની જાતને ત્યાં સુધી શૂરવીર માને છે Page #348 -------------------------------------------------------------------------- ________________ सूरं मण्णइ अप्पाणं, जावं जेयं न पस्सइ । ૩ ૩૯ જ્યાં સુધી એમને પરીષહનો સ્પર્શ થયો નથી.] નવદીક્ષિત મુનિને ગોચરી વહોરવાનો હજુ બરાબર અનુભવ થયો નથી. ગોચરી વહોરવામાં શું અઘરું છે ? આવો પ્રશ્ન કોઇકને થાય. પણ બીજા પાસે આહારાદિ માગવા માટે નીકળનારની ઘણી કસોટી થાય છે. મોટા શહેરોમાં તો ઘણા ભક્તો હોય છે, પણ નાના ગામડાંઓમાં મધ્યમ વર્ગના લોકોને ત્યાં ગોચરી વહોરવામાં ઘણા પૈર્યની અપેક્ષા રહે છે. એટલા માટે યાચનાને પરીષહ તરીકે ઓળખાવવામાં આવી છે. ભિક્ષા માગનાર કોઈપણ ધર્મના નવા નવા યાચકનાં લક્ષણો નીચેના શ્લોકમાં આબેહૂબ વર્ણવાયાં છે. કહ્યું છે : खिज्जइ मुखलावण्यं वाया घोलेइ कंठमज्झंमि । कहकहकहेइ हिययं देहित्ति परं भणंतस्स ॥ गति भ्रंशो मुखे दैन्यं गात्रस्वेदो विवर्णता । मरणे यानि चिह्नानि तानि चिह्नानि याचके ॥ [મુખનું લાવણ્ય ઓછું થવું, વાચા ગળામાં જ ઘૂંટાય, એટલે કે સ્પષ્ટ અવાજ બહાર ન નીકળે, હૃદયના ધબકારા વધી જાય–“મને આપો” એવું બોલનાર-યાચકનાં આ લક્ષણો છે. પગનું લથડાવું, ચહેરા પરદીનતા છવાઈ જાય, શરીરે પરસેવો વળે, શરીર ફિદું થઈ જાય–આમ મૃત્યુ વખતે જેવાં ચિહ્નો જોવા મળે તેવાં ચિહુનો યાચકના શરીરમાં જોવા મળે છે.] આ વર્ણનમાં થોડી અતિશયોક્તિ હોય તો પણ યાચકના મનોભાવ તેમાં જોઈ શકાય છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ નવદીક્ષિત સાધુ વેશ ધારણ કરી સાધુ થાય છે તે દિવસથી જીવન પર્યંત તે યાચક બને છે. ગૃહત્યાગ કરી, ધનસંપત્તિ છોડીને માણસ જ્યારે સાધુ બને છે ત્યારે એના જીવનનો એક નવી જાતનો તબક્કો શરૂ થાય છે. હવે અન્ન, પાણી, વસ્ત્ર, આશ્રય, ઉપકરણો બીજા પાસે માંગવા પડે છે. સમાજ તેમને ગૌરવપૂર્વક આપે છે, તેમ છતાં જેમણે ગૃહસ્થ તરીકે ક્યારેય કોઇની પાસેથી કશું લીધું નથી, કેટલાકે તો આપ્યા જ કર્યું છે તેઓને હવે ઘરે ઘરે ગોચરી વહોરવા જવું પડે છે. આરંભમાં તો કોઇને ક્ષોભ પણ લાગે. ગોચરી વહો૨વી એ પણ એક કળા છે. ઘરમાં ખાવાનું હોય છતાં ‘જોગ નથી' એમ સ્ત્રીઓ બોલે, સરખું વહોરાવે નહિ, વહોરાવતા ચહેરા પર પ્રસન્નતા ન હોય, વહોરાવનારનું મુખ મ્લાન થઈ જાય, ‘આ ક્યાંથી આવી ચડ્યા ?’ આવા ભાવો વહોરાવનારને થાય તે વખતે ચિત્તમાં સમતા અને પ્રસન્નતાનો ભાવ રાખવો, કોઇની ટીકાનો, દોષનો ભાવ મનમાં ન ઉદ્ભવવા દેવો એ માટે સારી તાલીમ જોઈએ. નવદીક્ષિત સાધુઓએ આવી બાબતમાં હારી જવું ન જોઈએ. યાચના પરીષહ દરેક સાધક માટે કષ્ટદાયક છે એવું નથી. યાચના વખતે દીનતા, હીનતા, ગ્લાનિ અથવા પોતે સાધુ છે એવું વધારે પડતું ગૌરવ અનુભવવું નહિ. સાધુએ લૂખોસૂકો, તુચ્છ, અલ્પ આહાર વહોરતી વખતે શ્રાવક પ્રત્યે તુચ્છકારનો ભાવ ન અનુભવવો જોઇએ કે મોંઢું મચકોડવું ન જોઈએ. બીજી બાજું અભિમાનપૂર્વક ના કહેવી, વહોરાવનારના દોષો બતાવી અપમાનસૂચક વર્તન ન કરવું ३४० Page #350 -------------------------------------------------------------------------- ________________ सूरं मण्णइ अप्पाणं, जावं जेयं न पस्सइ । જોઇએ. જૈન સાધુની દિનચર્યાથી અપરિચિત અન્યધર્મી લોકો કોઇક વખત સાધુને ગોચરી માટે જતા જોઇને અંદરઅંદર બોલે કે આ બિચારા માણસના પૂર્વકર્મોનો કેવો ઉદય આવ્યો છે કે અત્યારે એને ભીખ માગવાનો વખત આવ્યો છે ! આવાં વચનો સાંભળીને સાધુને ચીડ, તિરસ્કાર, દ્વેષ વગેરેના ભાવો ન થવા જોઇએ. શીત પરિષહ માટે ભગવાને કહ્યું છેઃ जया हेमंतमासम्म सीयं फुसइ सवायगं । तत्थ मंदा विसीयंति रज्जहीणा व खत्तिया ॥ [જ્યારે હેમંત ઋતુમાં ઠંડી સર્વ અંગોને સ્પર્શ કરે છે ત્યારે મંદ શક્તિવાળા સાધુ, રાજ્ય ગુમાવનાર ક્ષત્રિયની જેમ વિષાદ અનુભવે છે.] સાધુ અપરિગ્રહી હોય છે. શિયાળાની કડકડતી ઠંડીમાં તેની પાસે ગાદલું, ઓશીકું, ગરમ કપડાં અને ઓઢવાની રજાઈ હોતાં નથી. એ વખતે ધીમે ધીમે પ્રસન્નતાપૂર્વક, મનોબળ કેળવીને ઠંડી સહન કરતાં શીખવું જોઇએ. જો તેમ ન કરી શકે તો એનું ચિત્ત વિષાદ અનુભવે છે અને વિચારે છે કે ‘મારું કેવું સરસ ઘ૨ છોડાઈ ગયું !' ભગવાને ઉપમા આપી છે કે ક્ષત્રિય રાજાનું રાજ્ય જ્યારે ચાલ્યું જાય, પોતે પરાજય પામે તે વખતે તે કેટલો બધો વિષાદ અનુભવે છે ! આવો વિષાદ નવદીક્ષિત સાધુ જો મંદ પરાક્રમી હોય તો કડકડતી ઠંડીમાં અનુભવે છે. સાધુજીવનમાં બ્રહ્મચર્યની કસોટી કરે એવા પ્રીષહો પણ આવે ૩૪૧ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૨ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ છે. આ આકરો પરીષહ છે. સંયમમાં પૂરી શ્રદ્ધા હોય તો એવા પરીષહો જીતી શકાય. વધનો ઉપસર્ગ સમતાપૂર્વક સહન કરનારા મહાત્માઓ ઘણી ઊંચી આત્મદશા ધરાવતા હોય છે. બ્રહ્મચર્યવ્રતમાં સ્થૂલિભદ્રજી અને સિંહગુફાવાસી સાધુનાં દૃષ્ટાંત જાણીતાં છે. સ્થૂલિભદ્રજી દીક્ષા લે છે ત્યારે એમના ગુરુ મહારાજ એમને પહેલું ચાતુર્માસ કોશાને ત્યાં એકલા જઇને કરવાની આજ્ઞા કરે છે. પોતાની પૂર્વ પ્રેયસી રૂપવતી કોશાને ત્યાં ચાતુર્માસ કરવા જવામાં બ્રહ્મચર્યવ્રતની કેટલી ભયંકર કસોટી કહેવાય ! છતાં સ્થૂલિભદ્રજી જરા પણ વિચલિત થયા વગર, પૂરી આરાધના કરીને તથા કોશાને પણ બોધ આપીને પાછા ગુરુ મહારાજ પાસે આવે છે ત્યારે ગુરુમહારાજ સ્થૂલિભદ્રજીને “દુષ્કર, દુષ્કર” એમ બે વાર કહીને શાબાશી આપે છે. એ વખતે બીજા એક સાધુ પણ કઠોર ચાતુર્માસ કરીને આવે છે. તેમણે સિંહની ગુફામાં રહીને ચાતુર્માસની આરાધના કરી હતી. એમને શાબાશી આપતાં ગુરુ મહારાજ “દુષ્કર-એમ એક વખત બોલે છે. એક નવયૌવનાને ત્યાં રહેવું એ દુષ્કર” કે સિંહની ગુફામાં રહેવું દુષ્કર' ? “દુષ્કર, દુષ્કર એમ બે વખત બોલાયું એટલા માટે તેઓ સ્થૂલિભદ્રની ઇર્ષા કરે છે અને પોતે બીજું ચાતુર્માસ કોશાને ત્યાં કરવાની આજ્ઞા માગે છે. ગુરુ મહારાજની આજ્ઞા મળતાં તેઓ કોશાને ત્યાં ચાતુર્માસ માટે જાય છે, પણ જતાંની સાથે કોશાને જોતાં જ મનથી તેઓ બ્રહ્મચર્યવ્રતથી ચલિત થઈ જાય Page #352 -------------------------------------------------------------------------- ________________ सूरं मण्णइ अप्पाणं, जावं जेयं न पस्सइ । ૩૪ ૩ છે. પરંતુ કોશા એમ વશ થાય એવી નથી. તે કામભોગ માટે નેપાળથી રત્નકંબલ લાવી આપવાની શરત મૂકે છે અને સિંહગુફાવાસી શિષ્ય રત્નકંબલ લેવા માટે નેપાળ જવા નીકળે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાને સમર્થ માનનાર માણસ પણ બ્રહ્મચર્ય વ્રતમાં પરાજિત થઈ જાય છે. ભગવાને જે ઉપદેશ સાધુઓને આપ્યો છે તે ગૃહસ્થોએ પણ ગ્રહણ કરવા યોગ્ય છે. જીવનમાં જ્યાં સુધી વિપરીત સ્થિતિ ઉત્પન્ન થતી નથી અથવા કસોટીના પ્રસંગ આવતા નથી ત્યાં સુધી માણસ પોતાને ચડિયાતો માને છે. પરંતુ જીવનમાં કેટલીયે વાર શેરને માથે સવાશેર હોય છે. પોતાનું અભિમાન અમુક સમય સુધી જ ટકતું હોય છે. પોતાની ભિન્નભિન્ન પ્રકારની શક્તિ માટે માણસ જે અભિમાન કરે છે તેનાં પ્રકારો ઘણાં બધાં છે. પરંતુ શાસ્ત્રકારોએ અભિમાનના– મદના મુખ્ય આઠ પ્રકાર બતાવ્યા છે : (૧) જાતિ, (૨) કુલ, (૩) બલ, (૪) રૂપ, (૫) તપ, (૬) શ્રુત, (૭) લાભ અને (૮) એશ્વર્ય. આ આઠ પ્રકારના મદના દરેકના કેટલાયે પેટા પ્રકારો છે. મદને લીધે જેમણે ભારે કર્મો બાંધ્યાં હોય એવાં અને મદને લીધે પરાજિત થયા હોય એવાં ઘણાં પૌરાણિક–એતિહાસિક દૃષ્ટાન્નો જોવા મળે છે. સામાન્ય વ્યવહારમાં પણ આવા દાખલા જોવા મળે છે. એક વખત કોઈ ગામડેથી એક બહાદુર માણસ ઘોડા પર બેસી નાના શહેરમાં ખરીદી કરવા આવ્યો. એક મકાન આગળ Page #353 -------------------------------------------------------------------------- ________________ ३४४ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ પોતાના ઘોડાને એક થાંભલા સાથે બાંધીને તે બજારમાં ખરીદી કરવા ગયો. એ થાંભલા નજીક એક મકાનમાં એક કદાવર માણસ પોતાના ઘરની બારીઓ રંગતો હતો. બારીઓ રંગાઈ ગઈ એટલે પોતાની પીંછીમાં રહી ગયેલો રંગ તેને કાઢવો હતો. એવામાં એની નજર ઘોડા પર ગઈ. એણે પોતાની પીંછી ઘોડાના શરીર પર લપેડા કરીને સાફ કરી. ઘોડો જાણે કે રંગાઈ ગયો. બે કલાક પછી મુસાફર ખરીદી કરીને પાછો આવ્યો. પોતાના ઘોડા પર રંગના લપેડા જોઇને તે ક્રોધથી ભભૂકી ઊઠ્યો. તે બરાડા પાડવા લાગ્યો, “કોણ બદમાશે મારા ઘોડાને રંગ લગાડ્યો છે. મને ખબર પડે તો અત્યારે જ તે ગદ્ધાની સાન ઠેકાણે આણું. બોલો, કોણે આમ કરવાની હિંમત કરી છે ?' ત્યાં બાજુના મકાનમાંથી પેલો છ ફૂટ ઊંચો કદાવર માણસ મૂછ મરડતો બહાર નીકળ્યો અને બરાડ્યો, મેં રંગ લગાડ્યો છે. બોલ, તું શું કરી લેવાનો છે ?' ઘોડેસ્વાર ગભરાઈ ગયો. મારામારીમાં તો પોતે મરશે. એણે તરત પોતાની વાણીનો ભાવ બદલ્યો. નરમ થઇને એણે કહ્યું, ભાઈ સાહેબ, તમે રંગ લગાડ્યો છે તે બહુ સારું કર્યું. ઘોડો કેવો સરસ દેખાય છે ! હવે મારે એટલું પૂછવાનું છે કે આ રંગ સૂકાઈ ગયો છે. બીજો હાથ મારવાનો હોય તો રોકાઉં, નહિ તો હું જાઉં.” પેલો કદાવર માણસ કશું બોલ્યા વગર ઘરમાં ગયો કે તરત ઘોડેસ્વારે તક જોઇને ઘોડા પર બેસી પોતાનો ઘોડો દોડાવી Page #354 -------------------------------------------------------------------------- ________________ सूरं मण्णइ अप्पाणं, जावं जेयं न पस्सइ । ૩ ૪૫ મૂક્યો. એક જૂની કહેવત છેઃ જંગલે જટ્ટ (જંગલી આદિવાસી) ન છેડીએ; બજારે બકાલ; કસબ તુર્ક (મુસલમાન) ન છેડીએ, નિશ્ચય આવે કાળ.” માણસ ગમે તેટલો બહાદુર અને હિંમતવાન હોય પણ જંગલમાં એકલો જતો હોય અને કોઈ જંગલી માણસ સાથે તકરાર થાય, મુસાફર સાચો હોય અને ન્યાય એના પક્ષે હોય તો પણ જટ્ટની સાથે તકરાર ન થાય. મુસાફર એકલો હોય અને ટ્ટ ઘણા લોકો એકઠા થઇને એને મારી નાખે. તેવી રીતે માણસ એકલો હોય અને બજારમાં કોઈ બકાલ (શાકભાજી વેચનાર કાછિયા) સાથે ઝઘડો થાય તો મારામારી પર ન ઊતરી પડાય કારણ કે બકાલ વગેરે ઘણા બધા હોય તો તેઓ પોતાના જાતભાઇને બચાવવા એકલા માણસને ઘેરી વળે છે, વધારે થાય તો ધોલધપાટ પણ કરે છે. તેવી રીતે મુસલમાનોના રાજ્યના વખતમાં કસબામાં, પોલીસના થાણામાં કોઈ તુર્ક (મુસલમાન) સાથે ઝઘડો કર્યો તો બીજા તુર્કો તરત એકઠા થઈ જશે. આમ કેટલીક એવી પરિસ્થિતિ હોય છે કે જેમાં નીડર બહાદુર માણસે પણ બાંયો ચડાવવા જેવું હોતું નથી. માણસે પોતાની શક્તિ માટે આત્મવિશ્વાસ ધરાવવો જ જોઈએ, પરંતુ કેટલાક માણસો પોતાની વિવિધ પ્રકારની શક્તિ માટે વધુ પડતો આત્મવિશ્વાસ ધરાવે છે, પરંતુ કસોટીનો પ્રસંગ આવે ત્યારે તેઓ હારી જાય છે. કેટલાક નાનાં પ્રલોભનો વખતે માણસ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ દૃઢ રહે છે, પણ મોટાં પ્રલોભનો વખતે ડગી જાય છે. પાંચ પચીસ હજારની લાંચ મળતી હોય તો માણસની પ્રામાણિકતા ટકી રહે છે, પરંતુ પાંચ-પંદર કરોડ રૂપિયા મળતા હોય ત્યારે તેઓ ડગી જાય છે. પોતાના બ્રહ્મચર્ય માટે ગર્વપૂર્વક વાત કરનાર સામાન્ય સ્ત્રીઓથી ચલિત થતા નથી, પણ કોઈ રૂપવતી લલના આગળ તેઓ ડગી જાય છે. ભગવાન બુદ્ધનો અંકમાલ નામનો એક શિષ્ય હતો. તેણે ભિખુ તરીકે સારી તાલીમ મેળવી હતી તે ત્યાગવૈરાગ્યનો નમૂનો હતો. બ્રહ્મચર્યના પાલનમાં તે દઢ હતો. તે ઘણો હોંશિયાર હતો અને સારું વ્યાખ્યાન આપી શકતો. એક વખત એણે ભગવાન બુદ્ધ પાસે સ્વતંત્ર વિહાર કરવાની અને લોકોને ધર્મોપદેશ આપવાની માગણી કરી. બુદ્ધે એને થોડો વખત થોભી જવા કહ્યું, અને એની ગુપ્ત કસોટી કરવાનું વિચાર્યું. ત્યાર પછી બુદ્ધની સૂચનાનુસાર બે બૌદ્ધ ભિખ્ખઓ રાજ્યના ગુપ્તચરોનો સ્વાંગ સજીને અંકમાલ પાસે ગુપ્ત રીતે એકાંત સાધીને પહોંચ્યા અને કહ્યું કે સમ્રાટ હર્ષે તેઓને મોકલ્યા છે. વળી કહ્યું કે તમારી ખ્યાતિ અને કાબેલિયતથી સમ્રાટ ખૂબ જ પ્રભાવિત થયા છે. વળી કહ્યું, “સમ્રાટે આપને રાજ્યનું મંત્રીપદ સ્વીકારવા માટે વિનંતી કરવા અમને મોકલ્યા છે. આ વાત અત્યંત ગુપ્ત રાખવાની છે. આપ વિચાર કરીને એ માટે સંમતિ આપો એટલે અમે સમ્રાટને તે જણાવીએ. એ માટે અમે અહીં થોડા દિવસ રોકાઇશું.” અંકમાલે વિચાર કર્યો કે સમ્રાટ હર્ષના આવડા મોટા રાજ્યનું Page #356 -------------------------------------------------------------------------- ________________ सूरं मण्णइ अप्पाणं, जावं जेयं न पस्सइ । ૩૪૭ મંત્રીપદ મળતું હોય તો ભિખુ તરીકે જીવન જીવવાનો કોઈ અર્થ નથી. એણે ગુપ્તચરોને પોતાની સંમતિ જણાવી. આ વાત જાણીને બુદ્ધને લાગ્યું કે ત્યાગવૈરાગ્ય કરતાં રાજ્યનું મંત્રીપદ અંકમાલને મોટું લાગ્યું છે. ત્યાર પછી ભગવાન બુદ્ધ એક દિવસ અંકમાલને મળવા ગયા. ત્યારે સંકેત કર્યા પ્રમાણે આમ્રપાલી બુદ્ધને કંઈક પૂછવા માટે આવી અને ત્યાં ઊભી રહી, આમ્રપાલીએ અંકમાલ સામે જોઇને કંઈક હાવભાવ પણ કર્યા. એ વખતે બુદ્ધ સાથે વાત કરતાં કરતાં અંકમાલની નજર વારંવાર અપ્સરા જેવી આમ્રપાલી તરફ જવા લાગી. વાત કરવામાં એનું બરાબર ધ્યાન નહોતું. અંકમાલ સાથે વાત કરીને બુદ્ધ પાછા આવ્યા. થોડા દિવસ પછી તેમણે અંકમાલને જણાવ્યું કે “ધર્મોપદેશ આપવા માટે તમે હજુ કાચા છો.” મોટાં પ્રલોભનો જ્યારે આવે છે ત્યારે ભલભલા માણસ ડગી જાય છે. કેટલાક માણસો નાના વર્તુળમાં બહુ તેજસ્વી લાગે છે. લોકો પણ તેમનાથી અંજાય છે. તેઓ સર્વોપરિ જણાય છે. એક વખત કર્ણાટકમાં ગોકાકમાં અમારો એન.સી.સી.નો કેમ્પ હતો. અમારા કેમ્પ કમાન્ડન્ટ કર્નલ બ્રિટો હતા. તેઓ બહુ તેજસ્વી, કાર્યદક્ષ ઓફિસર હતા. એમ હોય તો જ એવી ઊંચી રેન્ક પર પહોંચી શકે. પંદરસો કેડેટ અને પચાસ ઑફિસરના અમારા જોઇન્ટ કેમ્પમાં કર્નલ બ્રિટો છવાઈ ગયા હતા. એંગ્લો ઈન્ડિયન, ગોરી ચામડી, ધારદાર આંખો, ચપળ ગતિ, સત્તાવાહી અવાજ આ બધાને લીધે કર્નલ બ્રિટોની એક જુદી જ સરસ છાપ બધાંના Page #357 -------------------------------------------------------------------------- ________________ ४८ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ મન પર પડી હતી. અમને થતું કે કમાન્ડર હોય તો આવા હોય. પંદર દિવસ પછી કેમ્પના નિરીક્ષણ માટે દિલ્હીથી એન.સી.સી.ના વડા બ્રિગેડિયર વીરેન્દ્રસિંહ આવ્યા અને બે દિવસ રોકાયા. કર્નલ કરતાં બ્રિગેડિયરનો હોદ્દો ઊંચો. તેઓ અત્યંત તેજસ્વી હતા. તેઓ આવ્યા ત્યારે કર્નલ બ્રિટોની સાથે અમે બધા ઓફિસરોએ સલામ કરી એમનું સ્વાગત કર્યું. હવે બ્રિગેડિયરની સાથે “યસ સર, યસ સર'. કહીને વાતો કરનારા કર્નલ બ્રિટો અમને એમની પાસે ઝાંખા લાગવા માંડ્યા. બે દિવસ પછી બ્રિગેડિયર કેમ્પમાંથી વિદાય થયા, પણ પછીના પંદર દિવસ સુધી કર્નલ બ્રિટો અમને એવા તેજસ્વી નહોતા લાગતા, જેવા આરંભમાં લાગતા હતા. મહાત્મા ગાંધીજીની એવી તેજસ્વી પ્રતિભા હતી અને એમની પ્રજ્ઞા એવી પરિપક્વ હતી કે તેઓ ક્યાંય પણ જાય તો શ્રોતાઓ ઉપર છવાઈ જતા. અમે નજરોનજર જોયું છે કે આઝાદીની લડત વખતે એક સભામાં કોંગ્રેસી નેતાઓ વચ્ચે મતભેદ થયો હતો અને ખેંચતાણ થતી હતી. એવામાં ગાંધીજી આવી પહોંચ્યા. થોડાક વક્તાઓને સાંભળ્યા પછી તેઓ બોલવા લાગ્યા ત્યારે સી સ્તબ્ધ બનીને એમને સાંભળવા લાગ્યા અને મતમતાંતર મટી ગયાં અને એમણે ઉચ્ચારેલો અભિપ્રાય સહર્ષ સર્વસ્વીકૃત બની ગયો હતો. જીવનના દરેક ક્ષેત્રમાં એક કરતાં એક ચડિયાતા માણસો હોય છે. આમ છતાં દરેક ક્ષેત્રમાં પોતાની શક્તિનું અભિમાન કરનારા અનેક માણસો હોય છે. તેઓ પોતાનું અભિમાન પોષવા Page #358 -------------------------------------------------------------------------- ________________ सूरं मण्णइ अप्पाणं, जावं जेयं न पस्सइ । ३४४ માટે પોતાના કરતાં વધુ શક્તિશાળી માણસોના સમાગમમાં સહેતુક આવતા નથી. એવો પ્રસંગ આવી પડવાનો હોય તો તેને તેઓ ચતુરાઈપૂર્વક ટાળે છે. માણસની શારીરિક શક્તિ જીવનના અંત સુધી એક સરખી રહેતી નથી. બાલ્યકાળ અને કિશોરકાળ પછી યૌવનકાળમાં એની શરીરસંપત્તિ ઉત્કૃષ્ટ કોટિની હોય છે, પણ પછી વૃદ્ધાવસ્થા આવતાં એ શક્તિ કરમાવા લાગે છે. ક્યારેક માણસ શક્તિહીન બને છે. એવરેસ્ટનું આરોહણ કરનાર તેનસિંગ વૃદ્ધાવસ્થામાં હૃદયરોગના હુમલા પછી ડગલું પણ માંડી શકતો નહોતો. બાણાવળી બહાદુર અર્જુનને જંગલમાં કાબાએ લૂંટી લીધો હતો. એટલે જ કહેવત પડી છે કેકાબે અર્જુન લૂંટિયો, વો હી ધનુષ્ય, વો હી બાણ. માણસે પોતાની શક્તિઓમાં દઢ આત્મવિશ્વાસ અવશ્ય રાખવો જોઇએ, પરંતુ મિથ્યાભિમાનની કોટિ સુધીનો વધુ પડતો આત્મવિશ્વાસ એને હરાવી દે છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૧ कडाण कम्माण ण मोक्ख अस्थि । [કરેલાં કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી.] આ સંસારમાં કોઈ પણ જીવને પોતાનાં શુભાશુભ કર્મ અવશ્ય ભોગવવાનાં આવે છે. ક્યારેક તે આ ભવમાં તો ક્યારેક ભવાન્તરમાં. ક્યારેક તો વળી એવા જ ક્રમે ભોગવવા પડે છે. કેટલાક વખત પહેલાં જવલ્લે જ બને એવી એક વિલક્ષણ અને વિચિત્ર ઘટના મુંબઈમાં બની હતી. એક બહુમાળી મકાનની ઊંચી બારીએથી વૃદ્ધ પતિપત્નીએ પડતું મૂકીને આપઘાત કર્યો હતો. એમ જાણવામાં આવ્યું હતું કે પિતાપુત્ર વચ્ચે સંપત્તિના ઝઘડા એટલી ઉગ્ર કોટિએ પહોંચ્યા કે પુત્ર પોતાનાં માતાપિતાને ફ્લેટના એક રૂમમાં પૂરી રાખ્યાં. પુત્રના આ કાર્યમાં એની પત્ની અને પુત્રીનો પણ પૂરો સહકાર હતો. તેઓ વૃદ્ધ વડીલ માતાપિતાને નહી જેવું ખાવાનું આપતા અને માનસિક ત્રાસ આપતા. રૂમમાં ન્હાવા વગેરેની સગવડ નહોતી. આથી માતાપિતાનો માનસિક સંતાપ દિવસે દિવસે એટલો બધો વધી ગયો કે તેઓ બન્નેએ નિશ્ચય કરીને એક દિવસ બારીમાંથી પડતું મૂક્યું. એમ કહેવાય છે કે તેઓ બન્નેએ એકબીજાના હાથ જોરથી પકડી રાખ્યા હતા કે જેથી બેમાંથી કોઈ પણ એક હિમ્મત હારી ન જાય. પડતાં જ તેઓ મૃત્યુ પામ્યા. Page #360 -------------------------------------------------------------------------- ________________ कडाण कम्माण ण मोक्ख अस्थि । ૩૫૧ આ ઘટનાની મુંબઈમાં સમાજ જીવનમાં ઘણી ચકચાર થઈ. પોલીસ કેસ થતાં છાપાંઓમાં ઘણી વિગતો આવી. વળી પડોશીઓ દ્વારા વધુ વિગતો બહાર આવી. પુત્ર તથા પુત્રવધૂને સમાજમાં ક્યાંય મોઢું બતાવવા જેવું રહ્યું નહિ. તેમની સામે પોલીસ કેસ થયો. અદાલતમાં કેસ ચાલ્યો. બન્નેને સજા થવાનો પૂરો સંભવ હતો. પુત્ર, પુત્રવધૂ અને તેમની યુવાન દીકરી. ત્રણે થનારી સજાથી એકદમ ભયભીત થઈ ગયાં. તેમને લાગ્યું કે જેલજીવન ભોગવવા કરતાં જીવનનો અંત લાવવો સારો. એટલે તેમણે ત્રણેએ પોતાના ફ્લેટની બારીમાંથી પડતું મૂકીને આપઘાત કર્યો. માતાપિતાના આપઘાતની ઘટના જેવી રીતે બની તેવી જ રીતે આ ત્રણેના આપઘાતની ઘટના બની. જે રીતે માતાપિતાએ માનસિક સંતાપને કારણે આત્મહત્યા કરી જાણે કે તેના જ ફળસ્વરૂપે તેમને સંતાપ આપનારાઓને પણ આત્મહત્યા કરવી પડી. તેમણે ઝેર લઈને આપઘાત કરવાને બદલે બારીમાંથી પડતું મૂકીને આત્મહત્યા કરી. પાપકર્મનો ઉદય ક્યારેક એવી રીતે આવે છે કે જીવને પોતાનાં જે કર્મો ભોગવવા પડે છે તેમાં પણ આગલી ઘટનાનું જ પુનરાવર્તન થાય છે. ઘણાં વર્ષો પહેલાં મુંબઈમાં એક ચાલીમાં અમે રહેતા હતા ત્યારે બનેલી એક વિલક્ષણ ઘટના યાદ રહી છે. ચાલીની એક ઓરડીમાં એક વિધવા માતા, એમનો દીકરો અને વહુ અને Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૨ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ એમનાં સંતાનો રહેતાં હતાં. વિધવા માતાનું નામ લલિતાબહેન અને પુત્રવધૂનું નામ માયાબહેન. આ સાસુવહુ વચ્ચે રોજ વાયુદ્ધ થતું. એમાં એકબીજાની કે પડોશીઓની જરા પણ શરમ નહિ. સાસુ પૂરેપૂરું સાસુપણું ભજવે અને વહુ ધડાધડ સામા જવાબ આપે. એક દિવસ સવારે લલિમા (અમે બધાં એ નામથી બોલાવતાં) માધવબાગમાં લક્ષ્મીનારાયણનાં દર્શન કરવાં રોજની જેમ ગયાં. તે વખતે મંદિરનાં પગથિયાં ચડતાં લલિમાનો પગ લપસ્યો અને જમણા પગે ફ્રેશ્ચર થયું. તેમને ઉપાડીને ઘરે લાવવામાં આવ્યાં. હવે ઘરે તેમની ચાકરી કરવાની જવાબદારી વહુના માથે આવી. વહુ જબરી અને બેધડક બેશરમ રીતે બોલવાવાળી હતી. તે ચાલી વચ્ચે ઊભી રહીને મોટેથી બોલી “ડોશી પડી તેથી મારે ચાકરી કરવાનો વારો આવ્યો. તેના કરતાં તે મરી ગઈ હોત તો સારું હતું. લાચાર લલિમા આ સાંભળે, સહન કરી લે અને વહુને ગાળો અને શાપ પણ આપે. સાસુનું કામ કરતાં વહુ રોજ બબડતી, “જોને ડોશી મારો કેડો છોડતી નથી. હવે મરે તો સારું.” છ મહિના સુધી આ રીતે રોજ ગાળાગાળી અને કંકાસ ચાલ્યો. અને લલિમાં ગુજરી ગયા. ઘરમાં શાંતિ થઈ. વહુ પણ રોજની જેમ માધવબાગમાં દર્શન કરવા જતી. ત્યાર પછી એકાદ વર્ષ પસાર થયું. એક દિવસ વહુ માધવબાગમાં દર્શન કરવા ગઈ ત્યારે જે પગથિયા પરથી સાસુનો પગ લપસ્યો હતો બરાબર એ જ Page #362 -------------------------------------------------------------------------- ________________ कडाण कम्माण ण मोक्ख अस्थि । ૩૫૩ પગથિયા પરથી વહુનો પગ લપસ્યો. તેને પણ તે જ રીતે જમણા પગે ફ્રેક્યર થયું. એને ઊંચકીને ઘરે લાવ્યા. પીડાને લીધે વહુ ઘરમાં પથારીમાં પડી પડી જે રીતે ડોસી ચીસો પાડતી હતી તે જ રીતે ચીસો પાડવા લાગી. છ મહિને એટલા જ દિવસે તેનું પણ મૃત્યુ થયું. આખી ઘટનાનું જાણે પુનરાવર્તન થયું. કર્મફળ ભોગવવાનાં આ તો વિલક્ષણ પ્રકારનાં ઉદાહરણો છે. કેટલીક વાર કોઈક બીજા પ્રકારની વિલક્ષણતા કે વિચિત્રતા કર્મફળના વિષયમાં જોવા મળે છે. કર્મની ગતિ બહુ ન્યારી છે અને ગહન તથા અકળ છે. એટલા માટે ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છેઃ तेणे जहा संधिमुहे गहीए सकम्मुणा किच्चइ पावकारी । एवं पया पेच्च इहं च लोए कडाण कम्माण णमोक्ख अत्थि। [જેમ ખાતર પાડતી વખતે જ “સંધિઅહે' એટલે છીંડું પાડવાની જગ્યાએ પકડાઈ જતાં પાપી ચોર પોતાનાં પાપકર્મોથી દુઃખ પામે છે તેમ દરેક જીવ પોતાનાં કરેલાં કર્મોનું ફળ આ લોકમાં કે પરલોકમાં ભોગવે છે, કારણ કે કરેલાં કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી.] વળી ઉત્તરાધ્યયનસૂત્રમાં જ ભગવાને કહ્યું છે: जे पावकम्मेहिं धणं मणुस्सा समापयंति अमइं गहाय । पहाय ते पासपयट्टिए णर वेराणुबद्धा णरयं उवेति ।। [જે મનુષ્યો પાપકર્મ કરીને ધનનું ઉપાર્જન કરે છે અને ધનને અમૃતતુલ્ય સમજીને સંગ્રહ કરે છે, પરંતુ સંસારની Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ જંજાળમાં સપડાયેલો તે ધન અહીં મૂકીને જ જાય છે. વેરભાવથી બંધાઈ તેવા જીવો મરીને નરક ગતિમાં જાય છે.] ભગવાને અહીં “સંધિમુખ” શબ્દ પ્રયોજ્યો છે. એનો અર્થ થાય છે ભીંતમાં પાડેલા બાકોરાનું મોંઢું. કેટલાંક કર્મો એવાં છે કે એનાં ફળ તરત જ ભોગવવાનાં આવે છે. અહીં જૂના વખતમાં ચોરી કરનાર ચોરનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. જૂના વખતમાં જ્યારે વીજળીના દીવા નહોતા અને સાંજ પડે અંધારું થાય ત્યારે અંધારામાં ચોરો પ્રવૃત્ત થતાં. તેઓ ચોરી કરવા માટે દિવસ દરમિયાન ઘર જોઈ રાખતા અને ઘરમાં દાખલ થવા માટે કઈ ભીતમાં બાકોરું પાડવાની શક્યતા છે તે પણ નક્કી કરી લેતા, આવી રીતે ચોરી કરવા માટે રાતના ભીંતમાં બાકોરું કરવું એને “ખાતર પાડવું' કહે છે, બાકોરું બહુ મોટું પાડવામાં નહોતું આવતું, કારણ કે એમાં સમય વધુ લાગે અને પકડાઈ જવાની બીક રહે, એટલે નાના બાકોરામાં પહેલાં પગ નાખી પછી સૂતાં સૂતાં કે બેઠાં બેઠાં ઘરમાં દાખલ થવાતું. કોઈ ચોર તો દાખલ થતાં, “સંધિમુખ” એટલે છિદ્રના મોઢા આગળ જ પકડાઈ જતા. જૂના વખતમાં ચોરી એ પણ એક કલા ગણાતી. નાટ્યકાર શૂદ્રકે “મૃચ્છકટિક' નાટકમાં ચોર્યકલાનો નિર્દેશ કર્યો છે. કેટલાક સુતાર, લુહાર, કુંભાર વગેરે જાતિના લોકો પણ ચોરી કરવા નીકળતા. તેઓને એમ થાય કે આપણે ચોરી કરી એ પણ જોવા જેવી હોવી જોઈએ. ચોરી કર્યા પછી સવારે જ્યારે માણસ Page #364 -------------------------------------------------------------------------- ________________ कडाण कम्माण ण मोक्ख अत्थि । ૩૫૫ બાકોરું જોવા એકઠા થયા હોય ત્યારે તો તેઓ પણ પોતે બનાવેલું બાકોરું જોવા જતા. બાકોરાનો આકાર કળશ જેવો, કમળ જેવો, સાથિયા જેવો, ધ્યાનમાં બેઠેલા માણસ જેવો કરતા. આપણને થાય કે એમાં તો વધારે વાર લાગે, પણ તેઓ એટલા અનુભવી અને કુશળ હોય કે ભીંતમાં તરત કલાત્મક બાકોરું કરી શકતા. ભગવાને આ શ્લોકમાં “સંધિમુખ” શબ્દના ઉલ્લેખ દ્વારા તે કાળે બનતી ચોરીની એવી ઘટનાઓનો નિર્દેશ કર્યો છે. આ શ્લોકના સંદર્ભમાં “સંધિમુખનો ઉલ્લેખ કરીને ટીકાકાર શાસ્ત્રકારોએ ચોરનાં કેટલાંક દૃષ્ટાંતો વર્ણવ્યાં છે. પ્રિયંવદ નામનો એક સુથાર લાકડાની કલાકૃતિઓ બનાવવામાં ઘણો કુશળ હતો. બહુ થોડા સમયમાં એ સુંદર કલાકૃતિઓ બનાવી શકતો. વળી ભીંત ઉપર ખોદીને પણ જે કહો તે કલાકૃતિ ઘડીમાં બનાવી આપતો. એ સુથારને પછીથી ચોરીની ટેવ પડી. કલાત્મક બાકોરું કરવું એ એને માટે રમત વાત હતી. એક રાતે એણે કરવત અને બીજાં ઓજારો વડે ભીંતમાં કમળના આકારનું બાકોરું બનાવ્યું. પછી ચોરી કરવા માટે એણે બેઠાં બેઠાં બાકોરામાં દાખલ થવાનો પ્રયાસ કર્યો. સૌથી પહેલાં એણે પોતાના બે પગ બાકોરામાં દાખલ કર્યા. પરંતુ એજ વખતે ઘરનાં માણસો જાગી ગયા. દીવો કરીને જોયું તો બાકોરામાં બે પગ દેખાયા. તેમણે તરત જ બે પગ પકડી Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ લીધા અને દોરી વડે મજબૂત રીતે બાંધી દીધા. ચોરે તરત બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. પણ ઘરના લોકોએ પગ ખેંચી રાખ્યા અને એના ઉપર તીણ પ્રહારો કર્યા. ચોરના સાથીદારો બહારથી તેને પકડીને જોરથી ખેંચતા જાય. તેમ બન્ને બાજુ ખેંચાતા ચોરના પગ ભાંગ્યા અને એમ કરતાં તો ચોર ત્યાં જ મૃત્યુ પામ્યો. ચોર ચોરી કરવા ગયો. હજુ એણે ચોરી કરી નહોતી, ત્યાં જ એને ચોરીના ફળરૂપે મૃત્યુને ભેટવું પડ્યું. બીજા એક દૃષ્ટાંતમાં એક ચોર આવી રીતે રાત્રે અંધારામાં સુંદર કલાત્મક બાકોરું પાડીને કુશળતાપૂર્વક ચોરી કરતો અને પકડાતો નહિ. જે ઘરમાંથી રાતે ચોરી કરીને આવે, પછી સવારે પોતે દોરેલી આકૃતિ જોવા થાય. એક વખત એણે મોટી ચોરી કરી હતી. એનું કલાત્મક બાકોરું જોવા આખું ગામ ઉમટ્યું હતું. પોતે પણ ગયો હતો. લોકો ચોરીની વાત છોડીને બાકોરાની એના કરનારની ઘણી બધી પ્રશંસા કરવા લાગ્યા. એ વખતે એનાથી રહેવાયું નહિ. એનાથી ઉત્સાહથી ભૂલમાં બોલાઈ ગયું કે “અરે, આ કલાત્મક સંધિમુખ તો મેં કર્યું છે, પણ પછી તરત પોતાની ભૂલ સમજાઈ ગઈ. તે પકડાઈ ગયો. તેની ચોરી પુરવાર થઈ અને રાજાએ એને ફાંસીની સજા કરી. કેટલીકવાર માણસો પાપ કરે છે અને પાપ માટે બડાઈ હાંકે છે, પણ જ્યારે એનાં ફળ ભોગવવાનાં આવે છે ત્યારે તે ઘણાં મોટાં હોય છે. કર્મનાં ફળ ભોગવ્યાં વિના કોઈનો છૂટકારો નથી. કેટલીકવાર માણસ પોતાના કુટુંબ માટે પાપ Page #366 -------------------------------------------------------------------------- ________________ कडाण कम्माण ण मोक्ख अस्थि । કરે છે, પરંતુ એ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તે ભોગવવામાં કોઈ ભાગ પડાવવા આવતું નથી. ગંભીર રોગના રૂપમાં તે કર્મ ઉદયમાં આવે છે અને અસહ્ય યાતના ભોગવવી પડે છે તો તે પોતે એકલાએ જ ભોગવવાની રહે છે. કેટલાક માણસો ચોરી કરીને ઘણું ધન કમાય છે, પણ બહુ ઓછા માણસો સમજે છે કે તે અહીં જ મૂકીને જવાનું થાય છે. પરંતુ તેમનાં પોતાનાં કર્મનું ફળ એને આ ભવમાં કે પરભવમાં ભોગવવાનું આવે છે. પોતાના લોભ કે સ્વાર્થને માટે માણસ અસત્ય બોલે છે, ચોરી કરે છે, બીજાનું છીનવી લે છે. ‘જર, જમીન અને જોરુ એ ત્રણે કજિયાનાં છોરું' એ કહેવત તદ્દન સાચી છે. એના માટે મોટાં વેર બંધાય છે, વે૨નો બદલો લેવાય છે. એ માટે ઘો૨ હિંસા થાય છે. પરંતુ આવી હિંસાને પરિણામે તેવા જીવો નરક ગતિમાં જાય છે. એટલા માટે જ કહેવાયું છે કે ‘બંધ સમય ચિત્ત ચેતીએ, ઉદયે શો સંતાપ ?’ કયું કર્મ ક્યારે ઉદયમાં આવે છે એ તો કોણ કહી શકે ? ક્યારેક તે તરત ઉદયમાં આવે છે અને ક્યારેક હજારો ભવ પછી. પરંતુ કર્મનો હિસાબ અવશ્ય ચૂકતે થાય છે. કોઈવાર ચોરી કે બળાત્કાર કરવા જતાં માણસ પકડાય અને તે વખતે જ લોકો એના પર એવા તૂટી પડે કે માણસ ત્યાં જ મૃત્યુ પામે, ત્યારે એને એના કર્મનું ફળ તરત મળ્યું એમ લોકો કહે છે. કેટલીક વાર માણસે મોટી દાણચોરી કરી ૩૫૭ Page #367 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ હોય પણ આખી જિંદગી તે પ્રકાશમાં ન આવી હોય. એ રીતે ચોરીથી મેળવેલી રકમમાંથી તે સમાજમાં મોટું દાન આપે અને દાનવીર તરીકે પ્રખ્યાત થાય છે. એટલે કેટલીક વાર કર્મનું ફળ જિંદગીભર મળતું નથી. અરે કેટલાક ભવ સુધી પણ ન મળે. પરંતુ ગમે ત્યારે પણ એને એ કર્મ ભોગવ્યા વગર છૂટકો નથી. પરંતુ ભોગવવાનું આવે ત્યારે ઘણું વધારે ભોગવવાનું આવે. અશુભ કર્મ હસતાં હસતાં બંધાય છે અને રડતાં રડતાં છે ભોગવવાં પડે છે. જેમ અશુભ કર્મની બાબતમાં તેમ શુભ કર્મની બાબતમાં પણ સમજવું જોઇએ. કર્મ અનંત પ્રકારનાં છે અને અનંત પ્રકારે ભોગવવાં પડે છે. અનંત પ્રકારનાં કર્મોનું મુખ્ય આઠ પ્રકારમાં વર્ગીક૨ણ ક૨વામાં આવ્યું છે. આ બધા કર્મોના બંધ, સત્તા, ઉદય, ઉદીરણા વગેરે ઘણી બધી ઝીણવટભરી વિગતો ‘કર્મગ્રંથ'માં અને બીજા શાસ્ત્રગ્રંથોમાં સમજાવવામાં આવી છે. માણસ જો દિવસ રાત, પોતાનાં કાર્યો કરવા સાથે દુનિયામાં બનતી ઘટનાઓ પાછળ રહેલા કર્મ અને એના પ્રકારનું ચિંતન-મનન કરતો રહે તો એનો આત્મા બહુ નિર્મળ થાય છે એમ શાસ્ત્રકારો કહે છે. ૩૫૮ જેઓ શુભાશુભ કર્મના બંધ અને ભોગવટામાંથી કાયમ માટે મુક્તિ મેળવે છે, મોક્ષગતિ પામે છે એ જીવો ૫૨મ વંદનીય છે ! Page #368 -------------------------------------------------------------------------- ________________