________________
પ0
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
होलावायं सहीवायं, गोयावायं न वदे । तुमं तुमं ति अमणुन्नु, सव्वसो तं न वत्तह ।।
(૧-૯-૨૭) [મુનિ કોઈને પણ નિષ્ફર વચનથી, હલકાં વચનથી કે ખુશામતભરેલાં વચનથી ન બોલાવે, તથા કોઈને પણ તે તુંકારીને, તુચ્છકારથી, અમનોજ્ઞ વચનથી ન બોલાવે.]
આમ ભગવાન મહાવીરે જુદે જુદે સમયે જે બોધ સાધુઓને ભાષાસમિતિ વિશે એટલે કે વાણી પરના સંયમ વિશે આપ્યો છે તેમાંથી “સૂત્રકૃતાંગ'ની આ ત્રણ ગાથાઓ અહીં આપી છે. ભગવાનનું પ્રત્યેક હિતવચન અર્થસભર હોય છે. એમાંથી અહીં આપણે સૂત્રનો વિચાર કરીશું: = છત્રં ન વત્તત્રં .
બીજાની છાની વાત, ગુપ્ત વાત કોઈને કહી દેવી, ચાડીચુગલી કરવી તે અધર્મ છે. પશુન્યને મોટા પાપસ્થાનક તરીકે ગણવામાં આવે છે.
બીજાની છાની વાત કોઈને ન કહેવી જોઈએ એમાં વ્યવહારદષ્ટિએ કેટલું બધું ડહાપણ રહેલું છે ! પરંતુ આજની દુનિયા એનાથી ઊલટી દિશામાં ચાલી રહી છે. બીજાની છાની વાત શોધી કાઢોએ જાણે વર્તમાનકાળનાં પ્રચાર-માધ્યમોનો એક મુખ્ય ઉદ્દેશ બની ગયો છે. જો કે Investigative Journalism થી લાભ પણ થાય છે. ખાસ કરીને જાહેર જીવનમાં પડેલા માણસો કંઈ પણ છાનુંછપનું કરતાં ડરે છે. અયોગ્ય, હીન, ગુપ્ત આચરણ પ્રગટ થવાથી સમાજને યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org