________________
जं छन्नं तं न वत्तव्वं
અનુતાપ (પશ્ચાત્તાપ) થાય તેવી ભાષા ન બોલવી જોઇએ તથા જે વાત ગુપ્ત રાખવાની હોય તે ન કહી દેવી જોઇએ. આ નિગ્રંથની–(ભગવાન મહાવીરની) આજ્ઞા છે.]
અહીં ‘ત્રીજી ભાષા’ ન બોલવાનું કહ્યું છે એનો શો અર્થ થાય? એક અપેક્ષાએ ભાષાના મુખ્ય ચાર પ્રકાર પાડવામાં આવે છેઃ (૧) સત્ય, (૨) અસત્ય, (૩) મિશ્ર, અને (૪) વ્યવહાર. આમાં અસત્ય ન બોલવું એ તો સ્પષ્ટ જ છે. સત્ય જ બોલવાનું હોય. પણ ક્યારેય અસત્યમિશ્રિત સત્ય અથવા સત્યમિશ્રિત અસત્ય બોલવા માટે માણસનું મન લલચાઈ જાય છે. ક્યારેક ‘નરો વા કુંજરો વા' જેવી વાણી ઉચ્ચારાઈ જાય છે. એવી વાણીને ત્રીજી ભાષા તરીકે અહીં ઓળખાવવામાં આવી છે. સાધુઓએ એવી સંદિગ્ધ વાણી પણ ન બોલવી જોઇએઃ
વળી ભાષાની બાબતમાં ‘સૂત્રકૃતાંગ’માં કહ્યું છેઃ भासमाणे न भासेज्जा, णेव बंफेज्ज मम्मणं ।
माइट्ठाणं विविज्जेज्जा, अणुचिंतिय वियागरे ।। (૧-૯-૨૫)
[મુનિ પોતાના ગુરુ બોલતા હોય ત્યારે વચ્ચે ન બોલે, બીજાના મર્મને પ્રકાશિત ન કરે, માયાકપટથી ન બોલે. જે બોલે તે વિચારપૂર્વક બોલે.]
ભાષાસમિતિ અંગે ‘સુત્રધૃતાંગ’ની બીજી એક ગાથામાં
કહ્યું છેઃ
Jain Education International
૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org