SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ અંગત ખાનગી વાત મદદ મેળવવા માટે ગરજે બીજાને જણાવવાની જરૂર ઊભી થાય છે. સમાજમાં બીજાની ખાનગી વાતો જાણનારા વર્ગમાં પત્રકારો અવશ્ય આવે. પરંતુ સાધુસંતો પાસે ઘણી ગુપ્ત વાતોની જાણકારી હોય છે. ફરક એટલો છે કે પત્રકારો પોતાની ફરજ રૂપે, વ્યાવસાયિક ધોરણે વાતો શોધી લાવે છે. સાચા સાધુસંતો કોઈને સામેથી પૂછતા ન હોવા છતાં કેટલાયે લોકો જાતે આવીને પોતાની કે બીજાની અંગત વાતો તેમને કહી જાય છે. પત્રકારોને બીજાની વાત પ્રગટ કરી દેવાનો ઉત્સાહ અને આનંદ હોય છે. સાધુસંતોને બીજાની વાત ગોપવ્યાનો સંતોષ હોય છે. માટે જ સાધુસંતોનું કર્તવ્ય ચડિયાતું ગણાય છે. એટલે જ સાચા સાધુઓએ કોઈની ખાનગી વાત બીજાને ન કહી દેવી જોઈએ એમ ભગવાન મહાવીરે કહ્યું છે. બીજાની વાત કહી દેવી એને ભાષાના-વચનના દોષમાં ગણાવવામાં આવે છે. સાધુઓએ ભાષાસમિતિનો અર્થાત્ વાણી પરના સંયમનો અને વચનગુપ્તિનો બરાબર ઉપયોગ કરવો જોઇએ. ભાષાસમિતિ વિશે “સુત્રકૃતાંગ'માં કહ્યું છેઃ तस्थिमा तइया भासा, जं विदित्ताऽणुतापति । जं छन्नं तं न वत्तव्वं एसा आणा णियंठिया ।। (૧-૯-૨૬) સાધુએ ત્રીજી ભાષા ન બોલવી જોઇએ, જે બોલ્યા પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy