________________
जंछन्नं तं न वत्तव्वं
ન્યાય મળી રહે છે, એ દૃષ્ટિએ સમાજને એટલો લાભ અવશ્ય થાય છે. કેટલાયે માણસોનાં કરતૂકો બહાર આવતાં તેઓને યોગ્ય શિક્ષા અદાલત દ્વારા થાય છે અને ઘણી વાર જેમને અન્યાય થયો હોય અને એ વ્યક્તિ જો વિદ્યમાન હોય તો એને યોગ્ય ન્યાય કે વળતર મળી રહે છે. પ્રચાર–માધ્યમોથી માણસ ડરતો રહે છે.
દુનિયાભરમાં મોટા મોટા સત્તાધીશોના અશિષ્ટ યોન સંબંધો કે નાણાકીય કૌભાંડો જ્યારે પ્રગટ થાય છે ત્યારે આપણને આશ્ચર્ય થાય છે કે અહો, આવા સજ્જન ગણાતા પુરુષે પણ કેવું અધમ આચરણ કર્યું હતું !
ચોરી, ખૂન, લૂંટ, લાંચરુશવત, બળાત્કાર, ગર્ભપાત, વ્યભિચાર, નિંદાકૂથલી, રાજ્યદ્રોહ, વ્યક્તિદ્રોહ, ભાંગફોડ, નનામા પત્રો વગેરે અનેક પ્રકારની ગુપ્ત ઘટનાઓ દુનિયામાં બનતી રહે છે. એવી કેટલીયે ઘટના પરથી ક્યારેય પડદો ઊપડતો નથી. સંસારમાં કેટલાંયે ગુપ્ત પાપો, કાયમને માટે વિસ્મૃત થઈ જાય છે. કેટલાંયે રહસ્યો ક્યારેય પ્રગટ થતાં નથી. (અલબત્ત આ સામાજિક દૃષ્ટિ છે, ધાર્મિક કે આધ્યાત્મિક દૃષ્ટિએ તો દરેકે દરેક પાપનો હિસાબ ચૂકવવો પડે છે.) એ આચરનારાઓ અને એમની આખી પેઢી ચાલ્યાં જતાં વાત ભુલાઈ પણ જાય છે. વળી નવા કાળસંદર્ભમાં એનું બહુ મૂલ્ય પણ રહેતું નથી. દુનિયામાં ગુનાહિત કૃત્યો અસંખ્ય પ્રકારનાં હોય છે. એવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org