________________
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
વળી જેમ શ્રોતાનું ચિત્ત થાકે તેમ કંટાળો, ચીડ, અભાવ વગેરે અશુભ અધ્યવસાયો ચાલવા લાગે છે. શ્રોતાઓના ચિત્તને ત્રાસ આપવો એ પણ એક પ્રકારની સૂક્ષ્મ હિંસા છે, એ સમજવાની આવશ્યકતા છે. હમણાં હમણાં તો પોતાના વ્યાખ્યાનની કેસેટ ઉતારવાની ઘેલછા વધતી જાય છે. કેસેટ પૂરી ભરાય એટલા માપે બોલવા જતાં કેટલીક વાર વ્યાખ્યાતાઓને છાશમાં પાણી નાખ્યા કરવું કરતું હોય છે.
આપણે ત્યાં કેટલાક મોટા જાહેર કાર્યક્રમો અતિથિવિશેષોના વક્તવ્યથી એટલા બધા લાંબા ચાલતા હોય છે કે આરંભમાં પાંચસો-હજાર માણસ હોય તેમાંથી ચાર-પાંચ કલાકને અંતે પ્રમુખ કે મુખ્ય અતિથિ જ્યારે બોલવા ઊભા થાય ત્યારે પાંચ-પચ્ચીસ માણસની હાજરી પણ રહી હોતી નથી. આયોજન જ દૃષ્ટિ વિનાનું હોય છે. શક્ય એટલા વધુમાં વધુ મહાનુભાવોનાં નામો પત્રિકામાં છપાય છે અને કાર્યક્રમમાં ગોઠવાય છે; અને દરેકને બે-પાંચ મિનિટ આપતાં આપતાં પણ કાર્યક્રમ ચાર-પાંચ કલાકનો થઈ જાય છે. વર્તમાન સમયમાં જાહેર કાર્યક્રમોમાં વિવેક ખાતર કે શરમને ખાતર આવેલા અને બેઠેલા શ્રોતાઓ ઉપર વાણીનો વક્તાઓ દ્વારા એટલો બધો અત્યાચાર થાય છે કે કાર્યક્રમ પૂરો થાય ત્યારે સજા પૂરી થયાનો, છુટકારાનો અનુભવ થાય છે.
આપણા સમાજના કેટલાક સમર્થ આગેવાનોને એવી ટેવ હોય છે કે આખો લાડવો પોતે જ ખાઈ લેવો; પછી બીજાઓનું
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org