________________
णाइवेलं वएज्जा
૧૫
જે થવાનું હોય તે થાય. પોતાને મળેલી પાંચ-દસ મિનિટને બદલે પોણો કલાક જેટલો સમય ઇરાદાપૂર્વક પચાવી પાડીને તે પોતાનું વક્તવ્ય આડુંઅવળું ઝીંકે છે. તે પૈસાથી કે પ્રતિષ્ઠાથી એટલા મોટા હોય છે કે ચિઠ્ઠી મોકલવાની કે ઘંટડી વગાડવાની કોઈ હિમ્મત દાખવી શકતું નથી. તેનો ગેરલાભ લઇને તેઓ આખા પ્રસંગ ઉપર પોતાની વાણીનું વર્ચસ્વ જમાવીને બેસી જાય છે અને બીજાઓને જાણી-જોઈને અન્યાય કરે છે.
હમણાં હમણાં જાહેર કાર્યક્રમોને વધુ ઉઠાવદાર બનાવવા માટે એનું સંચાલન કોઈ વિશિષ્ટ વ્યક્તિ (માસ્તર ઓફ સેરેમની) ને સોંપાય છે, પરંતુ આવા ઘણા કાર્યક્રમો વિશિષ્ટ વ્યક્તિના સંચાલનના કારણે જ “અતિવેલા'માં પરિણમે છે અને ડહોળાઈ જાય છે. વક્તાના જન્મથી માંડીને વર્તમાન સમય સુધીનો વિગતે પરિચય અપાય છે અને પ્રત્યેક વક્તાના વક્તવ્ય પછી સંચાલકે થોડી શાયરી, એકાદ ટુચકો અને પોતાનો એકાદ અનુભવ કહેવાની જાણે કે ફોર્મ્યુલા થઈ ગઈ હોય તેમ વક્તાઓના કુલ વક્તવ્યના સમય કરતાં સંચાલકે પોતે લીધેલો સમય બમણો કે ત્રણ ગણો થઈ જાય છે. આવા કાર્યક્રમો આરંભમાં રસિક અને ઉઠાવદાર હોય છે. પરંતુ અંતે તે નીરસ અને થકવનારા નીવડે છે.
અતિવેલા'નો લક્ષણાથી એક અર્થ “કવેળા' એવો પણ લઈ શકાય. માણસે યોગ્ય સમયે યોગ્ય બોલવું જોઈએ. આપણામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org