________________
णाइवेलं वएज्जा
૧૩
-
.
.
છે. એક સમયે પોતાની વક્તત્વકલાને લીધે વખણાયેલા વક્તાઓ વૃદ્ધાવસ્થામાં પોતાની એ કલા ગુમાવી બેસે છે અને એમના વક્તવ્યની ગાડી વારંવાર પાટા ઉપરથી ઊતરી જતી હોય છે. પોતે શું બોલી ગયા છે તેની વિસ્મૃતિ થાય છે અને ચવાઈ ગયેલી જૂની વાત નવા ઉત્સાહથી કહેતા હોય છે.
કેટલાક વક્તાઓની વિષયની માંડણી જ એટલી લાંબી-પહોળી હોય છે કે એમના વક્તવ્યને માટે ત્રણ-ચાર કલાક પણ ઓછા પડે. કવિ દુલા કાગ કહેતા તેમ “અમને ઓછો સમય આપો એ તો ઓસરીમાં ઘોડો ફેરવવા બરાબર છે. અમારું એન્જિન ગરમ થાય અને વેગ પકડવા જાય ત્યાં તો એને બ્રેક મારવાનો વખત આવે તે અમને કેમ ફાવે ?' અલબત્ત કેટલાક વ્યાખ્યાતાઓ ત્રણ-ચાર કલાક સુધી શ્રોતાઓને પકડી રાખવાની લાયકાત ધરાવતા હોય છે, તો પણ દરેક વખતે તેઓનું વક્તવ્ય પ્રશંસાપાત્ર હોય છે તેવું નથી હોતું. વળી તેમનું આંધળું અનુકરણ કરવા જનારા તો થોડા વખતમાં જ બધેથી બહિષ્કૃત થતા હોય છે.
કેટલાક મહાત્માઓ પણ એવા ભ્રમમાં હોય છે કે પોતે જેમ વધુ બોલે તેમ વધુ વખાણ થાય. તેઓ ખોટો માપદંડ લઈને નીકળતા હોય છે. ગંભીર વ્યાખ્યાનનું શ્રવણ કરવાની માણસની ચિત્તશક્તિ એકાગ્રતાપૂર્વક પોણા કલાકથી એક-દોઢ કલાક સુધી કામ કરતી હોય છે. એથી વધુ સમય લેવામાં આવે તો તે વક્તવ્યની અસર પછીથી મોળી પડતી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org