________________
૧૨
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
ભ્રમ સેવે છે. કેટલાક વ્યાખ્યાતાઓ પણ એ ભ્રમમાં રહે છે, પરંતુ ઓછી મિનિટોમાં સારું બોલવા માટે વધુ તૈયારી કરવી પડે છે. બેચાર-છ કલાક તો લવારી કરનાર પણ બોલી શકે છે. કૃષ્ણમેનન યુનોની સલામતી સમિતિમાં કાશ્મીરના પ્રશ્ન ઉપર સળંગ સાતેક કલાક બોલ્યા હતા, પરંતુ ત્યારે એમની પ્રશંસા નહિ, ટીકા થઈ હતી.
કેટલાક માણસો પાસે વષ્નત્વશક્તિ ઘણી સારી હોય છે, પરંતુ એને લીધે જ તેઓ સંક્ષેપમાં પોતાના વક્તવ્યને રજૂ કરી શકતા નથી. બોલવા બેસે ત્યારે ઘણું લાંબું તેઓ બોલે છે. વસ્તુતઃ તેઓ બોલબોલ કરતા હોય છે. તેમનું વક્તવ્ય પ્રારંભમાં સારું લાગે છે, પરંતુ વેળાને-સમયમર્યાદાને એ અતિક્રમી જાય છે ત્યારે તે નીરસ અને બોજારૂપ બની જાય છે. થાકેલા શ્રોતાઓને પછી તેમાં રસ રહેતો નથી.
કેટલાક લોકો બોલવા બેસે છે ત્યારે એમની શ્રવણેન્દ્રિય જાણે બંધ થઈ જાય છે અને પોતે બોલ્યા જ કરે છે. મુખમાંથી શબ્દો જાણે આવ્યા જ કરતા હોય છે. કેટલાકને ”બોલ–વા નામનો જાણે વા કે રોગ ન થયો હોય તેવું જણાય છે. કેટલાક ઉન્માદમાં આવી મિથ્યા પ્રલાપ કરવા લાગી જતા હોય છે. કેટલાક બોલે ત્યારે પોતાને માટે સમય જાણે સ્થગિત થઈ જતો હોય છે. પોતે જાણે “ભાષણ-સમાધિ'માં ઊતરી જતા હોય છે, અને જગાડ્યા વગર તે જાગી શકતા નથી. ક્યારેક વ્યાખ્યાતાના વક્તવ્ય ઉપર એની વૃદ્ધાવસ્થાની અસર વરતાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org