________________
૧૬૨
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
એ સંબંધ તરત ત્યજી દેવો જોઇએ.
ક્યારેક આરંભમાં અન્ય વ્યક્તિની પાત્રતા કે તેના ઇરાદાની ખબર હોતી નથી. કેટલાક માણસો પ્રથમ મુલાકાતે સારા-ડાહ્યા અને ભલા જણાતા હોય છે. અથવા તેવા દેખાવાનો સરસ અભિનય કરી શકતા હોય છે, પરંતુ સંસર્ગમાં આવ્યા પછી તેઓ કેટલા લુચ્ચા, લોભી, સ્વાર્થી અને કપટી છે તેની ખબર પડે છે. કેટલાક માણસો સ્વભાવે તામસી પ્રકારના હોય છે અને પોતાના સંસર્ગમાં આવનારને પોતાના સ્વભાવનો ચેપ લગાડ્યા વગર રહેતા નથી. કેટલાક માણસો દારૂ, જુગાર, ચોરી, પરસ્ત્રી વગેરેનાં એવાં વ્યસનોમાં એટલા બધા ડૂબી ગયા હોય છે કે તેમના સંપર્કમાં આવનારને તેઓ ગમે તેવા દાવપેચ ખેલીને પણ પોતાના જેવા બનાવ્યા વગર રહેતા નથી.
સરખે સરખામાં હોય મૈત્રી એ ન્યાયે એકબીજાને એકબીજાના સગુણોનો કે વ્યસનનો ચેપ લાગે છે. સારી સોબત સારા સંસ્કારમાં પરિણમે છે. જ્યારે સોબતીઓ વચ્ચે કક્ષાભેદ હોય છે ત્યારે કેટલીક વાર ઊંચી કક્ષાના માણસોની અસર નીચી કક્ષાના માણસો ઉપર થાય છે. કેટલીક વાર નીચી કક્ષાનાં માણસોની અસર ઊંચી કક્ષાના માણસો ઉપર થાય છે. જેણે વિકસવું છે તેણે પોતાના કરતાં વધુ વિકસિત માણસનો સંગ કરવો જોઈએ. જેઓ બીજાને સુધારવાની ભાવનાવાળા હોય તેમણે પોતાની શક્તિનું માપ જાણી લેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org