________________
अलं बालस्स संगेणं
૧૬ ૩
જોઈએ. કારણ કે એ માર્ગ જવામાં સાહસ છે, પરિણામની અનિશ્ચિતતા છે. ક્યારેક બીજાને સુધારવા જનારા માણસો છેવટે પોતે જ બગડી જતા હોય છે.
વર્તમાન સમયમાં દુનિયામાં ચારે બાજુ વસ્તી વધી રહી છે. જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ રહેઠાણો, બજારો, હરવાફરવાનાં સ્થળો, યાત્રાધામો વગેરે ગીચ બનતાં જાય છે. માણસને બીજાનો સંપર્ક કે સંસર્ગ ન કરવો હોય તો પણ કરવો પડે એવા સંજોગો કેટલીક વાર ઊભા થાય છે. મોટા શહેરોમાં વ્યક્તિ ઘરેથી બહાર ગઈ હોય અને પછી આવે ત્યાં સુધી તે ક્યાં ગઈ અને કોને મળી, કોની સોબતે ચડી ગઈ છે, તેની દેખરેખ રાખવાનું અઘરું બનતું જાય છે. ક્યારેક તો પરિમામ જણાયા પછી ખબર પડે છે કે અમુક વ્યક્તિ ઘણા વખતથી ખોટા માણસોના સંસર્ગમાં રહેતી હતી. શાળા કે કોલેજમાં જનારાં પોતાના સંતાનોની અચાનક વિચિત્ર વર્તણુંક થતી જોઈને ચિંતાતુર બનતાં માબાપોને તપાસ કરતાં પાછળથી ખબર પડે છે કે પોતાનો દીકરો કે દીકરી પોતાનાં શાળા-કોલેજનાં સોબતીઓ સાથે રહીને કેફી દ્રવ્યો લેતાં થઈ ગયાં છે, ગંદી ગાળો બોલતાં શીખી ગયાં છે, વિડિયો-પાર્લરના જુગાર રમતાં થઈ ગયાં છે કે એથી પણ વધારે ભયંકર ટેવવાળાં બની ગયાં છે. પરંતુ ત્યારે એટલું બધું મોડું થઈ ગયું હોય છે કે સંતાનો હાથમાંથી ચાલ્યાં ગયાં હોય છે, અને તેઓને પોતાની જિંદગીને પાયમાલ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org