________________
૧૬૪
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
-
નાખતાં લાચારીથી જોયા કરવું પડે છે. સમૃદ્ધ દેશોમાં યુવાન દીકરા-દીકરીની આવી ઘટનાઓના દાખલા ઉત્તરોત્તર વધુ ને વધુ બનતા જાય છે. સંસર્ગ કે સોબતની પરસ્પર અસર કેટલી ભયંકર થાય છે તે આવાં દૃષ્ટાંતો પરથી જોઈ શકાય છે.
જેમ સંતાનોના બનાવો બને છે તેમ પતિ કે પત્ની દુષ્ટ સોબતથી ખોટે રવાડે ચડી ગયાના, પૈસાથી, તબિયતથી અને ચારિત્ર્યથી પાયમાલ થઈ ગયાના બનાવો પણ વર્તમાન જગતમાં વધતા જાય છે. હોટેલો, કલબો, એકાંત રહેઠાણો, ગુખ આવાસોની વધતી જતી સગવડો તથા વેપારધંધો વધારવાની લાલચ આપવા પડતાં કે મળતાં સ્ત્રી, ધન, ભેટસોગાદના પ્રલોભનોમાં ફસાયેલા માણસોની વાત ઘરના સભ્યોને જલદી જાણવા મળતી નથી. A Sailor's wife in every port જેવી જૂની કહેવતની જેમ દેશ-વિદેશનો વારંવાર પ્રવાસ કરતા મોટી મોટી કંપનીઓના અધિકારીઓ પણ સરખા સોબતીઓ મળી જતાં અનાચારના ભોગ બને છે. કામાતુરને લજ્જા કે ભય રહેતાં નથી એવી સ્થિતિ પછી પ્રવર્તે છે; એટલું જ નહિ પણ એના માણસો પોતાના અપકૃત્ય માટે મિત્રવર્તુળમાં અભિમાન ધરાવતા થાય છે.
જે સમર્થ છે અને અડગ આત્મવિશ્વાસ ધરાવે છે તેના ઉપર અપાત્ર કે કુપાત્ર વ્યક્તિની સોબતની માઠી અસર થતી નથી, બલકે આવા માણસો અયોગ્ય માણસની સોબત કરીને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org