________________
अलं बालस्स संगेणं
૧૬૫
તેને યોગ્ય બનાવે છે. તેમનું ધ્યેય સ્પષ્ટ હોય છે અને તેમની શક્તિ મોટી હોય છે. ચોર-લુટારુઓ વચ્ચે રહીને તેમની અસ૨ પોતાના ઉપર ન થવા દેતાં તેમનામાંના કેટલાયને પોતે સુધાર્યા હોય એવા મહાત્માઓનાં દૃષ્ટાંતો ઇતિહાસમાં નોંધાયેલાં છે. જાપાનના એક બૌદ્ધ ધર્મગુરુની રસિક કથા છે. તેઓ જ્ઞાની, ચારિત્રશીલ અને કરુણાવંત હતા. તેઓ પોતાના શિષ્યો સાથે એક ગામથી બીજે ગામ વિહાર કરતા હતા. એક વિસ્તારમાં તેઓ આવ્યા ત્યારે ખબર પડી કે એ વિસ્તારમાં રહેનારાં ઘણાખરા લોકો ચો૨, ડાકુ, જુગારી, વ્યસની, ઝનૂની, ખૂની વગેરે પ્રકારના છે. ખોટું કામ કરતાં કોઈને શરમ નડતી નથી. પકડાઈ જાય અને સજા થાય તો જેલમાં જવામાં પણ તેમને શરમ રહેતી નથી. ગુનેગાર કોમમાંથી સેંકડો માણસો જેલમાં પણ હતા.
શિષ્યોએ મહાત્માને કહ્યું કે, આ પ્રદેશમાં રહેવાનું આપણું કામ નથી. આવા લોકોની વચ્ચે રહીએ તો આપણે પણ કોક વખત સંડોવાઈએ.' પરંતુ ધર્મગુરુને થયું કે આવા લોકની વચ્ચે જ રહેવું જોઇએ અને તેમને ઉપદેશ આપી સુધારવા જોઈએ. ધર્મગુરુએ ત્યાં જ રહેવાનું ન્કકી કર્યું. પરંતુ ઘણા દિવસ સુધી વ્યાખ્યાન દ્વારા ઉપદેશ આપવા છતાં કોઈ પરિણામ દેખાતું નહોતું.
પરંતુ પછી એક દિવસ એવું વિચિત્ર બન્યું કે એક ગૃહસ્થના ઘરેથી એ મહાત્મા પોતે ચંપલ ચોરી લાવ્યા. ચોરી કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org