________________
૧૬૬
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
મુકામે આવ્યા પછી તરત પોતાના શિષ્યોને, પોતાન જે કોઈ મળવા આવે તેને સહજતાપૂર્વક પોતાની ચોરીની વાત કહી દેવા લાગ્યા. શિષ્યોને આ ગમ્યું નહિ. લોકો પણ ચકિત થઈ ગયા. ચોર-લુટારુ લોકોની વચ્ચે રહેવાથી મહાત્માઓ પણ બગડે છે એવો અભિપ્રાય લોકોમાં વહેતો થઈ ગયો. શિષ્યોને વધારે નવાઈ તો એ વાતની લાગી કે ચંપલ જૂનાં હતાં. મહાત્માના પગના માપનાં નહોતાં. અને તે વાપરવાની મહાત્માને કંઈ ઇચ્છા પણ નહોતી. તો પછી મહાત્માએ આવી ચોરી કરી શા માટે?
મહાત્માની ચોરીની વાત ફરતી ફરતી રાજાના કાને આવી. તે પણ વિચારમાં પડી ગયો. ચોરીના ગુના માટે મહાત્માને સજા કરવી કે નહિ તેનો પ્રશ્ન ઊભો થયો, પરંતુ મહાત્માએ સામેથી કહેવડાવ્યું કે પોતે જે ચોરી કરી છે તે માટે પોતાને કડકમાં કડક સજા થવી જોઇએ, નહિ તો લોકોમાં ખોટો દાખલો બેસશે, અને રાજા અન્યાયી છે એવી ટીકા થશે.
મહાત્માની ચોરીની સજા માટે રાજ્યની અદાલતમાં કામ ચલાવવામાં આવ્યું. મહાત્માએ એ ચુકાદો હર્ષપૂર્વક સ્વીકાર્યો. તેઓ કેદમાં દાખલ થયા.
સજા પૂરી થતાં મહાત્મા પોતાના ધર્મસ્થાનકે પાછા આવ્યા. મહાત્માની પ્રતિષ્ઠા લોકોમાં ઘણી ઓછી થઈ ગઈ. શિષ્યો પણ ચિંતાતુર બન્યા. એવામાં થોડાક દિવસમાં મહાત્માએ, બીજા કોઈ ગૃહસ્થને ત્યાં ગયા હતા ત્યારે ત્યાંથી પાછા ફરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org