________________
अलं बालस्स संगेणं
સત્સંગનો લાભ ઘણો મોટો છે. સત્સંગ સંસારસાગર તરવામાં નૌકા સમાન નીવડે છે. પરંતુ પોતાને સત્સંગનો અવકાશ ન મળે ત્યારે પણ માણસે કુસંગથી બચવા માટે સાવધ રહેવું જોઈએ.
મનુષ્ય સામાજિક પ્રાણી છે. એકલા રહેવું એને ગમતું નથી. લોકો વચ્ચે જીવવું, લોકોમાં હ૨વુફરવું. મૈત્રી બાંધવી, રાત-દિવસ સાથે રહેવું ઇત્યાદિ માણસને સ્વભાવથી જ ગમે છે. જ્યાં સુધી માણસ ભૌતિક સુખની પાછળ પડ્યો છે, ત્યાં સુધી તેને અનેક લોકો સાથે સંબંધો બાંધવાનું અને રાખવાનું ગમે છે. કેટલીક વાર એની જરૂરિયાત અને વ્યવહારુ ઉપયોગિતા રહે છે. જેમ સંબંધો કે ઓળખાણ વધારે તેમ માણસ પોતાની જાતને વધુ સુરક્ષિત અને વધુ મોટો માને છે. પરંતુ આવા સંબંધો કેટલીક વાર ભૌતિક દૃષ્ટિએ પણ માણસને હાનિકારક નીવડે છે. આત્મહિતની દૃષ્ટિએ તો એનો વિચાર જુદી જ રીતે ક૨વાનો રહે છે.
કેટલાક માણસો આધ્યાત્મિક દૃષ્ટિએ જ્ઞાની હોય છે, પણ તેમનું વ્યાવહારિક જ્ઞાન ઘણું અલ્પ હોય છે. તો કેટલાક માણસોની વ્યાવહારિક જાણકારી ઘણીબધી હોય છે, પરંતુ આધ્યાત્મિક કે પારમાર્થિક દૃષ્ટિએ તેઓ બાળ કે અજ્ઞાની હોય છે. ભૌતિક હોય કે પારમાર્થિક હોય, માણસે અજ્ઞાની કે મૂર્ખ માણસો સાથે સંબંધ રાખતા પહેલાં બહુ વિચાર કરવો જોઇએ. જે સંબંધથી પોતાને લાભ કરતાં હાનિ વિશેષ થવાની હોય
Jain Education International
૧૬૧
For Private & Personal Use Only
www.jainelibrary.org