SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ सूरं मण्णइ अप्पाणं, जावं जेयं न पस्सइ । જોઇએ. જૈન સાધુની દિનચર્યાથી અપરિચિત અન્યધર્મી લોકો કોઇક વખત સાધુને ગોચરી માટે જતા જોઇને અંદરઅંદર બોલે કે આ બિચારા માણસના પૂર્વકર્મોનો કેવો ઉદય આવ્યો છે કે અત્યારે એને ભીખ માગવાનો વખત આવ્યો છે ! આવાં વચનો સાંભળીને સાધુને ચીડ, તિરસ્કાર, દ્વેષ વગેરેના ભાવો ન થવા જોઇએ. શીત પરિષહ માટે ભગવાને કહ્યું છેઃ जया हेमंतमासम्म सीयं फुसइ सवायगं । तत्थ मंदा विसीयंति रज्जहीणा व खत्तिया ॥ [જ્યારે હેમંત ઋતુમાં ઠંડી સર્વ અંગોને સ્પર્શ કરે છે ત્યારે મંદ શક્તિવાળા સાધુ, રાજ્ય ગુમાવનાર ક્ષત્રિયની જેમ વિષાદ અનુભવે છે.] સાધુ અપરિગ્રહી હોય છે. શિયાળાની કડકડતી ઠંડીમાં તેની પાસે ગાદલું, ઓશીકું, ગરમ કપડાં અને ઓઢવાની રજાઈ હોતાં નથી. એ વખતે ધીમે ધીમે પ્રસન્નતાપૂર્વક, મનોબળ કેળવીને ઠંડી સહન કરતાં શીખવું જોઇએ. જો તેમ ન કરી શકે તો એનું ચિત્ત વિષાદ અનુભવે છે અને વિચારે છે કે ‘મારું કેવું સરસ ઘ૨ છોડાઈ ગયું !' ભગવાને ઉપમા આપી છે કે ક્ષત્રિય રાજાનું રાજ્ય જ્યારે ચાલ્યું જાય, પોતે પરાજય પામે તે વખતે તે કેટલો બધો વિષાદ અનુભવે છે ! આવો વિષાદ નવદીક્ષિત સાધુ જો મંદ પરાક્રમી હોય તો કડકડતી ઠંડીમાં અનુભવે છે. સાધુજીવનમાં બ્રહ્મચર્યની કસોટી કરે એવા પ્રીષહો પણ આવે Jain Education International For Private & Personal Use Only ૩૪૧ www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy