SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ નવદીક્ષિત સાધુ વેશ ધારણ કરી સાધુ થાય છે તે દિવસથી જીવન પર્યંત તે યાચક બને છે. ગૃહત્યાગ કરી, ધનસંપત્તિ છોડીને માણસ જ્યારે સાધુ બને છે ત્યારે એના જીવનનો એક નવી જાતનો તબક્કો શરૂ થાય છે. હવે અન્ન, પાણી, વસ્ત્ર, આશ્રય, ઉપકરણો બીજા પાસે માંગવા પડે છે. સમાજ તેમને ગૌરવપૂર્વક આપે છે, તેમ છતાં જેમણે ગૃહસ્થ તરીકે ક્યારેય કોઇની પાસેથી કશું લીધું નથી, કેટલાકે તો આપ્યા જ કર્યું છે તેઓને હવે ઘરે ઘરે ગોચરી વહોરવા જવું પડે છે. આરંભમાં તો કોઇને ક્ષોભ પણ લાગે. ગોચરી વહો૨વી એ પણ એક કળા છે. ઘરમાં ખાવાનું હોય છતાં ‘જોગ નથી' એમ સ્ત્રીઓ બોલે, સરખું વહોરાવે નહિ, વહોરાવતા ચહેરા પર પ્રસન્નતા ન હોય, વહોરાવનારનું મુખ મ્લાન થઈ જાય, ‘આ ક્યાંથી આવી ચડ્યા ?’ આવા ભાવો વહોરાવનારને થાય તે વખતે ચિત્તમાં સમતા અને પ્રસન્નતાનો ભાવ રાખવો, કોઇની ટીકાનો, દોષનો ભાવ મનમાં ન ઉદ્ભવવા દેવો એ માટે સારી તાલીમ જોઈએ. નવદીક્ષિત સાધુઓએ આવી બાબતમાં હારી જવું ન જોઈએ. યાચના પરીષહ દરેક સાધક માટે કષ્ટદાયક છે એવું નથી. યાચના વખતે દીનતા, હીનતા, ગ્લાનિ અથવા પોતે સાધુ છે એવું વધારે પડતું ગૌરવ અનુભવવું નહિ. સાધુએ લૂખોસૂકો, તુચ્છ, અલ્પ આહાર વહોરતી વખતે શ્રાવક પ્રત્યે તુચ્છકારનો ભાવ ન અનુભવવો જોઇએ કે મોંઢું મચકોડવું ન જોઈએ. બીજી બાજું અભિમાનપૂર્વક ના કહેવી, વહોરાવનારના દોષો બતાવી અપમાનસૂચક વર્તન ન કરવું ३४० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy