________________
૧૯ भोगी भमइ संसारे
[ભોગી સંસારમાં ભમે છે.] ‘ઉત્તરાધ્યયન સૂત્રના યજ્ઞીય” નામના અધ્યયનમાં નાની પણ સરસ તત્ત્વબોધક વાત આવે છે.
વારાણસી નગરીમાં ચાર વેદનો જાણકાર એવો વિજયઘોષ નામનો બ્રાહ્મણ યજ્ઞ કરી રહ્યો હતો. તે વખતે એ નગરમાં જયઘોષ નામના એક મુનિ પધાર્યા. તેમણે માસખમણની આકરી તપશ્ચર્યા કરી હતી. પારણા માટે તેઓ ગોચરી વહોરવા નીકળ્યા હતા. તેઓ વિજયઘોષ નામના બ્રાહ્મણના યજ્ઞના સ્થળે આવી રહ્યા હતા. મુનિને વચ્ચે જ અટકાવીને વિજયઘોષે કહ્યું, “હે મુનિ, યજ્ઞ માટે વિવિધ વાનગીઓ અમે બનાવી છે, પરંતુ અમે તમને ભિક્ષા નહિ આપીએ. માટે બીજા કોઈ સ્થળે જઈ ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરો. અમારી યજ્ઞની વાનગીઓ તો બ્રાહ્મણો માટે જ છે. એ બ્રાહ્મણો પણ એવા હોવા જોઈએ કે જેઓ ચાર વેદના જાણકાર હોય, તેઓ યજ્ઞાર્થી હોય,
જ્યોતિષશાસ્ત્ર વગેરે છ અંગના અભ્યાસી હોય અને જેઓ પોતાના આત્માનો તથા બીજાના આત્માનો ઉદ્ધાર કરનાર ડોય.”
વિજયઘોષનાં આવાં વચનથી જયઘોષ મુનિ નારાજ ન થયા. તેમણે કહ્યું “હે બ્રાહ્મણ ! મારે હવે તમારી ભિક્ષા નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org