________________
૧૮
माणं मद्दवया जिणे। [માનને મૃદુતાથી જીતવું
ભગવાન મહાવીરે દસવૈકાલિક સૂત્રના આઠમાં અધ્યયનમાં કહ્યું છેઃ
उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे।।
माया मज्जवभावेण, लोभं संतोसओ जिणे ।। અર્થાત્ ઉપશમથી (ક્ષમાથી) ક્રોધનો નાશ કરવો, માનને મૃદુતાથી જીતવું, માયાને સરળતાના ભાવથી દૂર કરવી અને લોભને સંતોષથી જીતવો.
ભગવાન મહાવીર સ્વામીના આ વચનમાં જેમ સાંસારિક જીવન સારી રીતે જીવવાની ચાવી રહેલી છે તેમ અધ્યાત્મમાર્ગનું ઊંડું રહસ્ય રહેલું છે. જીવ મુક્તિપથગામી કેવી રીતે બની શકે તેનું દિશાસૂચન એમાં રહેલું છે.
ભગવાનની વાણી કેટલી બધી સરળ અને હૃદયસોંસરવી ઊતરી જાય એવી છે ! કેટલા ઓછા શબ્દોમાં માર્મિક વાત એમણે કરી છે !
આ ચાર વાક્યોને જ માણસ રોજ નજર સમક્ષ રાખે તો પણ એને વર્તમાન જીવનમાં અને મોક્ષમાર્ગમાં કેટલો બધો લાભ થાય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org