________________
૧૦૬
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ શકે અને અમ્લપિત્ત થાય અને કોઈ તીખાશને ન પચાવી શકે એને હરસ, ચાંદું વગેરે થાય. કોઈક શીત પ્રકૃતિના હોય અને કોઈક ઉષ્ણ પ્રકૃતિના હોય. વૈદો માણસની નાડ જોઈને કફ, પિત્ત અને વાયુનો કેટલો પ્રકોપ છે તે વિચારીને પથ્યાપથ્ય આહાર દર્દીને સૂચવે છે. અપથ્ય આહાર દર્દી છોડી ન શકે તો એમને પ્રેમથી સમજાવે. એમ કહેવાય છે કે કોઈ યુવાન દર્દી વૈદ્ય પાસે આવ્યો. એનો દમનો વ્યાધિ ઘણો ઉગ્ર થઈ ગયો હતો. ખાસી ખાતાં તે બેવડ વળી જતો. વાત કરતાં તે હાંફી જતો. વૈદ્ય એને પડીકી આપી અને શું શું ન ખાવું તે સમજાવ્યું. યુવાન યુવાનીના તોરમાં હતો. એણે કહ્યું, “જુઓ વૈદરાજ, બધી વાત સાચી, પણ તમે કહેલી એક પણ વાનગી હું છોડી શકું એમ નથી. એ મારી પ્રિય વાનગીઓ છે અને મને એના વિના જરા પણ ચાલતું નથી.” વૈદ્ય કહ્યું, “એમ છે? તો તારા જેવો કોઈ સુખી માણસ નહિ.”
યુવાને કહ્યું, “વૈદરાજ, તમે કટાક્ષમાં કહો છો?' વૈદે કહ્યું, “ના, સાચું કહું છું. તને કુદરતનાં ત્રણ મોટાં વરદાન મળશે.”
યુવાને જિજ્ઞાસાથી પૂછ્યું, “ક્યાં વરદાન?' વૈદે કહ્યું, “જો ભાઈ, પહેલું વરદાન એ કે તને જિંદગીમાં કોઈ દિવસ કૂતરું કરડશે નહિ. બીજું વરદાન એ કે તારા ઘરમાં કોઈ દિવસ ચોરી થશે નહિ. અને ત્રીજું વરદાન એ કે તારા વાળ ધોળા નહિ થાય.' યુવાને કહ્યું, “વૈદરાજ, આ તો તમે ગપ્પાં મારો છો.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org