________________
मायन्त्रे असणपार्णस्स
ચરબીને કારણે માણસને બીજા ઘણા રોગો થાય છે.
માણસ વધુ પૌષ્ટિક, ચરબીયુક્ત આહાર લે અને તે પચાવવા માટે તેની સાથે વધુ વ્યાયામ કરે તો તે આહારનું પાચન થઈ જાય છે, પરંતુ શરીરમાં ચરબી તો જમા થાય જ છે. જાપાનમાં ‘સુમો’ના નામથી જાણીતા કુસ્તીબાજો રોજેરોજ ઘણું બધું ખાય છે. તેની સાથે ઘણી બધી કસરત કરે છે. તેમના શરીરમાં ઘણી તાકાત હોય છે. આમ, તેઓ શરીર જમાવતા જાય છે. એટલે એક ‘સુમો’ કુસ્તીબાજ સરેરાશ પાંચછ માણસના કુલ વજન કરતાં વધુ વજનવાળો હોય છે. આમ છતાં વધુ પડતી ચરબી અને વધુ પડતા વજનને કારણે ‘સુમો’ કુસ્તીબાજનું સરેરાશ આયુષ્ય ૪૫-૫૦ વર્ષથી વધુ નથી હોતું.
ઓછું ખાવું એ વ્યક્તિના હિતની વાત છે. મજાકમાં એમ કહેવાય છે કે માણસ પેટ ભરીને રોજ જમે છે તેમાં બે તૃતીયાંશ ખોરાક એના પોતાના પોષણ માટે હોય છે અને એક તૃતીયાંશ ખોરાક વૈદ કે ડૉક્ટરોના પોષાણને માટે હોય છે.
જે માણસો પોતાના પથ્ય આહારને જાણતા નથી તેઓ, અને જાણ્યા પછી જેઓ એને અમલમાં મૂકતા નથી તેઓ, મોટા રોગોને નોતરે છે. જન્મથી માંડીને મૃત્યુ પર્યન્ત વધતી જતી વય અનુસાર માણસના ખોરાકમાં ફરક પડતો જાય છે. ગળ્યું, ખાટું અને તીખું એ ત્રણ સ્વાદનું પાચન જીવન પર્યન્ત એકસરખું તો બહુ ઓછા માણસોનું રહે. કોઈક ગળપણને ન પચાવી શકે અને મધુપ્રમેહ થાય, કોઈ ખટાશને ન પચાવી
Jain Education International
For Private & Personal Use Only
૧૦૫
www.jainelibrary.org