________________
मायन्त्रे असणपाणस्स
વૈદે કહ્યું, ‘ના ભાઈ, સાચું કહું છું. જો તારો રોગ એટલો બધો આગળ વધી ગયો છે કે હવે થોડા દિવસમાં જ તારે લાકડીને ટેકે ચાલવું પડશે. જેના હાથમાં લાકડી હોય તેનાથી કૂતરાં આઘાં ભાગે; કરડે નહિ. વળી દમને લીધે આખી રાત તું સૂઈ નહિ શકે. બેઠાં બેઠાં આખી રાત કાઢવી પડશે. તું જાગતો બેઠો હોય તો તારા ઘરમાં ચોર કેવી રીતે આવે ? અને તારા વાળ ધોળા થાય તે પહેલાં તો તારું આયુષ્ય પૂરું થઈ ગયું હશે, કાળા વાળ સાથે તું જશે.’
વૈદે માર્મિક રીતે મીઠાશથી યુવાનને સમજાવ્યું. યુવાને તરત જ વૈદરાજે કહ્યું તે પ્રમાણે ચરી પાળવાનું સ્વીકારી લીધું.
ભારતીય સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે અન્નને આધારે આખું વિશ્વ ચાલ્યા કરે છે. અન્ન ન હોય તો પ્રજોત્પત્તિ ન હોય, અન્ન ન હોય તો જીવન ન હોય, શક્તિ ન હોય અને શક્તિ ન હોય તો સાધના ન હોય. શરીરમાદ્યમ્ વનું ધર્મસાધનમ્ । ધર્મસાધના માટે શરીરની પહેલી આવશ્યકતા છે. શરીર માટે આહારની પહેલી આવશ્યકતા છે. માટે અન્નનું મહત્ત્વ આધ્યાત્મિક ક્ષેત્રે પણ સ્વીકારાયું છે.
આહારના વિવિધ પ્રકારના પ્રયોગો થાય છે. અમુક પ્રકારની વિશિષ્ટ શક્તિ આહાર દ્વાર મેળવાય છે. કેટલીક લબ્ધિ-સિદ્ધિ પણ આહાર ઉપર આધારિત છે. ભગવાન મહાવીરે ગોશાલકને તેજોલેશ્યા કેવી રીતે પ્રાપ્ત કરવી તેની જે વિદ્યા શીખવી હતી એમાં બાફેલા અડદના દાણાનું મહત્ત્વ ઘણું હતું. વળી, ચોવીસ
Jain Education International
For Private & Personal Use Only
૧૦૭
www.jainelibrary.org