________________
૧૦૮
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
કલાકમાં અનાજનો ફક્ત એક જ રાંધેલો દાણો લઈને એનો વિધિપૂર્વક આહાર કરવાની તપશ્ચર્યા (એક સિત્ય તપ) પણ વિશિષ્ટ પ્રકારની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિ જન્માવે છે. અકબર પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિ મહારાજે આવી “એક સિત્યના પ્રકારની કેટલીક તપશ્ચર્યા કરી હતી.
વળી આહાર અંગે અનશન, ઊણોદરી, આયંબિલ, વૃત્તિસંપેક્ષ, રસત્યાગ વગેરે વિવિધ પ્રકારની તપશ્ચર્યા પણ બતાવવામાં આવી છે. જેઓ આવી તપશ્ચર્યા ન કરી શકે તેઓ એક કે વધુ વાનગી અમુક સમય સુધી ન ખાવાની બાધા લઈ શકે છે. જેઓને ઊંડી આધ્યાત્મિક સાધના કરવી છે તેઓને આહાર ઉપર વિજય મેળવ્યા વિના છૂટકો નથી. જે માણસની સ્વાદેન્દ્રિય લોલુપ હોય તે માણસ ઊંડી આધ્યાત્મિક સાધના કરી શકે નહિ. ભરેલા પેટે ધ્યાન ધરનાર નિદ્રાધીન થઈ જાય છે.
આહાર કરતી વખતે સાચા જેને નીચે પ્રમાણેની પાંચ પ્રકારની ભાવના ભાવવી જોઈએઃ (૧) મારા આહાર માટે જે કોઈ એકેન્દ્રિય જીવની હિંસા-વિરાધના થઈ છે તે સર્વજીવોની ક્ષમા માંગું છું. (૨) આ આહાર મારા મુખ સુધી પહોંચાડવામાં જે કોઈ જીવોને જે કોઈ પ્રકારનું કષ્ટ.પડ્યું હોય તે માટે તે જીવોની ક્ષમા માંગું છું. (૩) હું આહાર લઉં છું, પરંતુ મારા આત્માના અણાહારી પદનું મને ક્યારેય વિસ્મરણ ન થશો. (૪) મેં લીધેલો આહાર મારા દેહમાં એવી શુભ રીતે પરિણામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org