________________
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
જતા હોય છે તેઓ પછી ચેલાઓને છાપું વાંચતાં અટકાવી શકતા નથી. છાપાંઓમાં વિવિધ મસાલેદાર માહિતી સવિ આવતી હોય છે. એક વખત છાપાંઓ, ચોપાનિયાઓ વાંચવાનો અને ખૂન, અપહરણ, વ્યભિચાર, બળાત્કાર વગેરેનાં વૃત્તાંતો જાણવાનો ચટકો લાગે છે, પછી શ્રુતજ્ઞાનમાં એટલો રસ નથી પડતો. આપણું શ્રુતજ્ઞાન સાગર જેવું અગાધ છે. એ એટલું વિપુલ છે કે માણસ એક જિંદગીમાં પૂરું ન કરી શકે. એમાં પણ પસંદગી કરવી પડે. પણ એક વખત જો એમાં ઉત્કટ રસ પડવા લાગ્યો, અને મોક્ષાભિલાષા દૃઢ બનતી ગઈ તો પછી સંસારનાં ભૌતિક સુખો સાવ તુચ્છ, ક્ષણિક અને ભારે કર્મબંધ કરાવનારાં લાગશે. એટલે જે ગુરુ મહારાજો પોતાના યુવાન ચેલાઓના વિષયમાં સતત સચિત રહેતા હોય છે તેઓ તેમને શ્રુતગંગામાં સતત સ્નાન કરાવતા હોય છે.
સાધુપણામાં, સંયમમાં સ્થિર રહેવાના વિવિધ ઉપાયો શાસ્ત્રકારોએ દર્શાવ્યા છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર'ના આ ઓગણીસમા અધ્યયનનું જ ફક્ત ભાવપૂર્વક વારંવા૨ પરિશીલન થયા કરે તો પણ સાધુ ભગવંતો પોતાના સંયમમાં–ચારિત્રની આરાધનામાં હોંશપૂર્વક સ્થિર અને દૃઢ રહી શકે. જે યુવાન સાધુઓને પોતાનું ઘર યાદ આવતું હોય તેઓએ બનારસીદાસની નીચેની પંક્તિઓનું સ્મરણ કરવા જેવું છે ઃ
૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org