________________
૨ ૯૮
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
[ઉષ્ણ તપ્ત જળ વાપરનાર, ધર્મમાં સ્થિર, લજ્જાવાન (અસંયમ પ્રતિ) એવા મુનિનો રાજાદિક સાથેનો સંસર્ગ સારો નથી. તેવા સાધુને અસમાધિ થાય છે.]
અહીં મુનિને માટે જે વિશેષણો વાપર્યા છે તે પ્રયોજનપૂર્વક છે. ઉષ્ણ અર્થાત્ તપ્ત જળ વાપરનાર એટલે કાચું પાણી નહિ વાપરનાર મુનિ આચારસંપન્ન હોવા જોઇએ. ધર્મનિષ્ઠ મુનિ ધર્મના મર્મને બરાબર જાણનાર હોવા જોઈએ. લજ્જાવાન એટલે કે અસંયમ પ્રતિ લજ્જાવાન. જે મુનિને કોઈ પ્રસિદ્ધિ કે મહત્તા જોઈતી નથી એટલે કે જે મુનિ અંતર્મુખ રહે છે અને પોતાનાં સંયમ, સ્વાધ્યાય, તપશ્ચર્યા વગેરેમાં મગ્ન હોય છે એવા મુનિને રાજાના સંસર્ગની કોઈ આવશ્યકતા નથી, કારણ કે પોતે સ્વાધીન છે અને મોક્ષપ્રાપ્તિનું પોતાનું ધ્યેય સ્પષ્ટ છે.
ભગવાને આમ જે કહ્યું છે તે નિશ્ચયનયની દૃષ્ટિ સમજવાનું છે. રાજા, મંત્રીઓ, મિનિસ્ટરો, રાજકીય નેતાઓ વગેરેના સંપર્કમાં રહેવાથી તેમની અને તેમના કર્મચારીઓની સાધુ મહારાજ પાસે અવરજવર રહ્યા કરે છે. ઉભય પક્ષે લાભની કેટલીયે યોજનાઓ વિચારાય છે. આ બધામાં ચિત્ત વધુ સમય રોકાયેલું રહે છે. કેટલીક વાર એવી ઘટનાઓ બને છે કે જેથી અસ્વસ્થ પણ થઈ જવાય છે. આથી સાધુને માટે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનાં નિમિત્તો ઊભાં થાય છે. પછી વિચારે ચડી ગયેલું ચિત્ત શાસ્ત્રના અધ્યયનમાં પરોવાતું નથી અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org