________________
૨૬
संसग्गि असाहु राइहिं । [રાજાઓનો સંસર્ગ સારો નથી]
ભગવાન મહાવીરે કહ્યું છે કે સાધુઓએ રાજા વગેરેનો સંસર્ગ રાખવો એ ઇષ્ટ નથી. સાધુઓને એથી અસમાધિ થાય છે.
ભગવાન મહાવીરે કેટલી દીર્ઘદૃષ્ટિપૂર્વક આ વાણી ઉચ્ચારી છે ! હકીકતમાં પોતે રાજકુમાર હતા, છતાં આવું વચન એમણે ઉચ્ચાર્યું છે ! વસ્તુતઃ આપણા બધા તીર્થંકરો રાજવી અથવા રાજકુમાર હતા. એમાં ત્રણ તીર્થંકરો શ્રી શાન્તિનાથ ભગવાન, શ્રી કુંથુનાથ ભગવાન અને શ્રી અરનાથ ભગવાન તો પોતે છ ખંડના ધણી, ચક્રવર્તી હતા.
કોઈ ડૉક્ટર એમ કહે કે ડૉક્ટરો સાથે સંબંધ રાખવા જેવો નથી, અથવા કોઈ વકીલ, કોઈ એન્જિનિયર, કોઈ અધ્યાપક કે કલાકાર પોતાના જ વર્ગ માટે આવું વચન ઉચ્ચારે તો તે કેટલું વિચિત્ર લાગે ! પરંતુ ભગવાને પોતે જ્યારે આવું વચન ઉચ્ચાર્યું છે ત્યારે તો એ અવશ્ય અર્થગંભીર હોવું જોઇએ. સૂત્રકૃતાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના બીજા અધ્યયનના બીજા ઉદ્દેશમાં આ ગાથા નીચે પ્રમાણે છે:
उसिणोदगतत्तभोइणो धम्मट्टियस्स मुणिस्स ड्रीमतो | संसग्गि असाहु राइहिं असमाही उ तहागयस्स वि ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org