________________
वओ अच्चेइ जोव्वणं च ।
ગમે તેટલી વય થઈ હોય તો પણ જીવને તો એમ જ લાગે છે કે હજુ પોતાને ઘણાં વર્ષ જીવવાનું છે. માણસની આશાને કોઈ અંત નથી. શંકરાચાર્યે કહ્યું છે કે :
अंग गलितं पलितं मुण्डं दशनविहीणं जातं तुण्डं । वृद्धो याति गृहित्वा दण्डम् तदपि न मुञ्चति आशापिंडम् ॥ [અંગ ગળી ગયું છે, માથે વાળ ધોળા થઈ ગયા છે, મોઢું દાંત વગરનું થઈ ગયું છે, વૃદ્ધ લાકડી લઇને ચાલે છે. તો પણ ભવિષ્યની આશાઓ-ઇચ્છાઓને છોડતો નથી.] ‘વૈરાગ્યશતક’માં પણ કહ્યું છે કે :
अज्जं कल्लं पर परारिं पुरिसा चिंतति अत्थसंपत्तिं । अंजलिगयं व तोयं गलंतमाणं न पिच्छन्ति ॥
[પુરુષો અર્થની સંપ્રાપ્તિ માટે આજે નહિ તો કાલે અને કાલે નહિ તો પ૨મ દિવસે, એ રીતે થાક્યા વગર ચિંતવ્યા કરે છે. પરંતુ પોતાનું આયુષ્ય અંજલિ (ખોબા)માં રહેલા જળની જેમ નિરંતર ગળતું રહેતું હોવા છતાં તેને જોતો નથી.]
એટલા માટે, આવતી કાલનો ભરોસો નથી એમ સમજીને માણસે પોતાના જીવનમાં વર્તમાનની ક્ષણનો ઉપયોગ કરી લેવો જોઈએ. પ્રત્યેક ક્ષણે આયુષ્ય ઘટતું જાય છે. ગયેલો સમય જિંદગીમાં પાછો આવતો નથી. માટે વર્તમાનને બગાડવો નહિ. ઐહિક કે ધાર્મિક દૃષ્ટિએ જીવનને સફળ બનાવી લેવું જોઈએ. જીવનનો અમૂલ્ય સમય વેડફી નાખનારને પાછલી જિંદગીમાં પસ્તાવાનો વારો આવે છે માટે પ્રત્યેક ક્ષણને વિશિષ્ટ ક્ષણ
Jain Education International
૩૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org