________________
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
બનાવી દેવી જોઈએ. જે જીવનકાળ મળ્યો છે તેમાં વધઘટ થવાની નથી, પરંતુ તેને મૂલ્યવાન બનાવી શકાય છે. ભગવાને કહ્યું છે કે વળું નાળાદિ પંડિત્ । પંડિત એટલે આત્મજ્ઞાની માણસે પ્રત્યેક ક્ષણને જાણવી જોઈએ. કહ્યું છે :
अनित्याणि शरीराणि विभवो नैव शाश्वतः । नित्यं संनिहितो मृत्यु कर्तव्यो धर्मसंचयः ॥ [શરીરો અનિત્ય છે, વૈભવો શાશ્વત નથી. મૃત્યુ હંમેશા પાસે આવીને બેઠું છે માટે ધર્મસંચય કરી લેવો જોઇએ.]
દેહ જડ છે અને આત્મા ચેતન છે. જીવન એટલે જડ અને ચેતનનો સંયોગ. પરંતુ આ સંયોગ અનાદિ કાળથી એવો સતત ચાલતો આવ્યો છે કે જીવને દેહ એ જ આત્મા એવો સતત મિથ્યાભ્યાસ રહ્યા કરે છે.
૩૨૪
અનાદિ કાળથી જીવ પુદ્ગલના સંયોગ વિના ક્યારેય રહ્યો નથી. પુદ્ગલ સાથેની દોસ્તી અત્યંત ગાઢ બની ગયેલી છે. એટલે જીવને દેહના પુદ્ગલ વિના પોતાનો સ્વતંત્ર ખ્યાલ આવતો નથી. ‘હું તે આત્મા, આ દેહ મારો નથી, હું તો અજર, અમર ધ્રુવ એવો આત્મા છું' એવું રટણ કરનારાઓમાં પણ જ્યારે ગાઢ દેહાધ્યાસ જોઈએ છીએ ત્યારે આશ્ચર્ય થાય છે અને લાગે છે કે માત્ર બોલવાથી દેહાધ્યાસ છૂટતો નથી.
એટલે જ ઉત્તરાધ્યયન સૂત્રના ‘દ્રુમપત્રક' નામના દસમા અધ્યયનમાં ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને જે બોધ આપ્યો છે તેનું સ્મરણ જીવે વારંવાર કરવા જેવું છે. એમાં કહ્યું છે કે ઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org