________________
अन्ने हरंति तं वित्तं
હરી જાય છે.]
પોતાના વ્યવસાયને કારણે પ્રામાણિકપણે ધનની વૃદ્ધિ થતી રહે તોપણ માણસે વખતોવખત તેમાંથી થોડોઘણો હિસ્સો સન્માર્ગે, સુપાત્રે વાપરી તેનું પ્રમાણ ઘટાડતાં રહેવું જોઇએ કે જેથી એટલા સર્વ્યય માટે પોતાને સંતોષ રહે અને અશુભ કર્મબંધમાંથી બચી શકાય અને શુભ કર્મબંધના નિમિત્ત થવાય.
પત્ની, સંતાનો કે કુટુંબ-પરિવારના સભ્યો પ્રત્યેના સ્નેહાકર્ષણને લીધે, તેમનું ગુજરાન ચલાવવા, તેમને રાજી રાખવા માટે માણસ ધન કમાવા નીકળે છે. એ જ્યાં સુધી ન્યાયનીતિથી પ્રાપ્ત થતું હોય ત્યાં સુધી તો ઠીક, પણ જ્યારે ચોરી, દાણચોરી, કરચોરી, લૂંટ, હત્યા વગેરે દ્વારા તે પ્રાપ્ત કરવા મચ્યો રહે છે ત્યારે તે તેના ભયંકર વિપાકનો વિચાર કરતો નથી.
સામાજિક દૃષ્ટિએ તો કેટલાયે માણસને વધુ પડતું ધન કમાવા માટે પાછલી જિંદગીમાં અફસોસ થતો હોય છે. ખાસ કરીને જ્યારે પોતાના જ પ્રાપ્ત કરેલાં ધનને કારણે જ પોતાના સ્વજનો સાથે, પિતાપુત્ર વચ્ચે, પતિપત્ની વચ્ચે, ભાઈ-ભાઈ વચ્ચે, સાળાબનેવી વચ્ચે સંઘર્ષ, અણબનાવ, મહેણાં-ટોણાં, વિદ્રોહ, દગો, વગેરેના અનુભવો થયા હોય, કોર્ટના ધક્કા વધી ગયા હોય, જેલમાં જવાના પ્રસંગો ઊભા થયા હોય, પોતાના કે સ્વજનોના અપહરણના કિસ્સા બન્યા હોય. ક્યારેક તો પોતાનું જ ધન પોતાની હત્યા નોંતરનારું બન્યું હોય
Jain Education International
૧૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org