________________
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
અથવા પોતાના જ ધને પોતાને આપઘાત કરવા તરફ ઘસડ્યો હોય ત્યારે માણસના પશ્ચાત્તાપનો પાર રહેતો નથી. ભગવાન મહાવીરે (સૂત્રકૃતાંગ ૧/૯/૪માં) કહ્યું છેઃ आधायकिच्चमाहेउं नाइओ विससिणो ।
૧૨૦
अन्ने हरंति तं वित्तं कम्मी कम्मेहिं किच्चति ।। [મૃતકની અગ્નિ સંસ્કારની વિધિ કર્યા પછી સુખની ઇચ્છાવાળા જ્ઞાતિજનો તેનું ધન હરી લે છે, પરંતુ (તે ધન કમાવા માટે) કર્મ કરનાર તે વ્યક્તિ તેનાં ફળ ભોગવે છે.]
આ સંસાર કેટલો બધો સ્વાર્થી છે કે કેટલાયે માણસો પોતાનાં સગાં એવા શ્રીમંતની મરવાની મનના છૂપા ખૂણામાં રાહ જોતાં હોય છે અને એના મૃત્યુ પછી એની સંપત્તિ ઝડપી લેવાનો, પચાવી પાડવાનો પ્રયાસ કરે છે. કોઈક સગાનું ધન મેળવી લેવા માટે એના મૃત્યુની રાહ જોવી પડે એ પણ કેવી કરુણ દશા કહેવાય !
તાત્ત્વિક દૃષ્ટિએ જોઇએ અને શુભાશુભ કર્મની દૃષ્ટિએ વિચારીએ તો ધન કમાવા માટે જીવ જે અશુભ કર્મ બાંધે છે એ અશુભ કર્મ તો એને એકલાને જ ભોગવવાના આવે છે. પોતે કમાયેલા ધનનો લાભ બીજા ઉઠાવે છે. પરંતુ લાભ ઉઠાવનારાઓ ધનોપાર્જન કરનારી વ્યક્તિનાં એ અશુભ કર્મોમાં ભાગીદાર થતા નથી. એ અશુભ કર્મના વિપાક વખતે જે પીડા થાય છે તે વખતે સ્વજનો તેનું રક્ષણ કરી શકતા નથી. એ પીડા કે દુઃખ એવા પ્રકારનાં હોય છે કે પોતે જાતે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org