________________
૧૧૮
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
કોઈક ધમદોલત મૂકીને જાય છે, તો કોઈક દેવું મૂકીને પણ વિદાય લે છે. પોતાના આયુષ્યનો નિશ્ચિતકાળ માણસ જાણતો નથી એટલે પણ આયુષ્યના પ્રમાણમાં ધનદોલતની વ્યવસ્થા અંશે અંશ ગોઠવી શકાતી નથી. કેટલાક અકાળે, આર્મિક રીતે મૃત્યુ પામે છે તો કેટલાક પોતે ધાર્યું હોય તેના કરતાં ઘણું લાંબું જીવી જાય છે. કિંજૂસનું ધન બીજા માટે હોય છે. તે પોતાના જીવનકાળ દરમિયાન સરખી રીતે વાપરી શકતો નથી અને એના મરણ પછી જેના હાથમાં તે જાય તે ઇચ્છા મુજબ ભોગવે છે.
એટલા માટે જ ડાહ્યા માણસે પોતાની અવસ્થાનો વિચાર કરી પોતાના ધનનું સન્માર્ગે વિસર્જન વખતોવખત કરતા રહેવું જોઈએ. શાસ્ત્રકારોએ યોગ્ય જ કહ્યું છે કે ધનની ફક્ત ત્રણ જ ગતિ છેઃ (૧) દાન, (૨) ભોગ અને (૩) નાશ.
दानं भोग: नाशस्तिस्रोगतयो भवन्ति वित्तस्य । यो न ददाति न भुंक्ते तस्य तृतीया गतिर्भवति ।। दातव्यं भोक्तव्यं धनविषये संचयो न कर्त्तव्यः ।
पश्येह मधुकरीणां संचितमर्थ हरन्त्यन्ये ।।। [દાન, ભોગ અને નાશ એ ધનની ત્રણ ગતિ હોય છે. જે આપતો નથી કે ભોગવતો નથી તેના ધનની ત્રીજી ગતિ થાય
છે.
દાન આપો અને ભોગવો. ધનનો સંચય ન કરો. મધુમાખીને જુઓ. તેણે સંચિત કરેલું ધન (મધ) બીજા લોકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org