________________
अन्ने हरंति तं वित्तं
૧ ૧૭.
કાળ સંદર્ભોને બદલી નાખે છે. એક વખતના મોટા ગણાતા માણસો સમય જતાં નાના લાગવા માંડે છે. સામાન્ય લેખાતા માણસો ઘડીકમાં મોટા થઈ જાય અને લોકો એમને પૂજવા લાગે છે. વેપાર-ધંધામાં પણ એવી ચડતીપડતી ચાલ્યા કરે છે. આજે જેની બોલબાલા હોય તેને કાલે હાથ લાંબો કરવાનો પ્રસંગ આવે છે. એવે વખતે કેટલાક માણસોને પોતે ભૂતકાળમાં કરેલા ઉપકાર માટે પસ્તાવો થાય છે. વૃદ્ધાવસ્થા આવતાં અને નવી પેઢીના હાથમાં સત્તાનાં સૂત્રો ચાલ્યા જતાં માણસ વિમાસણમાં પડી જાય છે. “મારી જમાવેલી પેઢી છે, પણ આજે મારા દીકરાઓ આગળ પેઢીમાં મારું કશું ચાલતું નથી” એવી ખાનગીમાં ફરિયાદ કરનારાઓ સાંભળવા મળશો. મારા ભત્રીજાઓને ધંધો શિખવાડ્યો અને બધો વિશ્વાસ મૂકી દીધો, પણ છેવટે મારી જ દુકાન તેઓએ પચાવી પાડી અને મને ઘરભેગો કરી દીધો.” “રાતદિવસ કાળી મજૂરી કરી ભિખારીમાંથી હું બાદશાહ બન્યો અને મારા દીકરાએ દારૂ, રેસ અને સ્ત્રીઓમાં પૈસા વેડફી નાખીને મને પાછો ભિખારી બનાવી દીધો. “મારી પત્ની બધાં ઘરેણાં લઈને ભાગી ગઈ.” “મારો સગો સાળો મારા નામની ખોટી સહી કરીને મારા શેર વેચી આવ્યો.”-ધનહરણની આવી આવી તો અનેક ફરિયાદો દેશકાળની પરિસ્થિતિ પ્રમાણે સતત સંભળાયા કરે છે.
જગતની વ્યવસ્થા એવી નથી કે માણસો પોતે કમાયેલું ધન પોતાના જીવનના અંત સુધીમાં બધું જ પૂરું વાપરી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org